Sunday, May 19, 2024

સન્ડે સ્પેશિયલ

 ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી  દ્વારિકા નગરીનો ઈતિહાસ જેટલો દિવ્ય છે એટલો જ ભવ્ય પણ  છે.


       દ્વારિકાનું નામ કાને પડે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ વસાવેલી ભવ્ય સોનાની નગરી નજર સમક્ષ તરવળવા લાગે. દ્વારિકા નગરી વિશે ઘણી પ્રાચિન મન્યતાઓ પ્રચલિત છે. એટલે દરેક જિજ્ઞાસુને શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા વિશે જાણવાની ઉત્કંઠા પણ પ્રબળ હોય છે. જાણીતા લેખક, સંશોધક અને ઇતિહાસવિદ નરોત્તમ પલાણ સાહેબે દ્વરિકા નગરી વિશે સુંદર સંશોધનાત્મક લેખ પ્રગટ કર્યો હતો. આ લેખ ઘણા નક્કર સત્યો અને તથ્યો પર પ્રકાશ પાડે છે. અહીં નરોત્તમ પલાણ સાહેબનો આર્ટિકલ શબ્દશઃ પ્રસ્તુત છે. તેઓ નોંધે છે. :

       "ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા જગપ્રસિદ્ધ છે. દ્વારિકા, ગુજરાત-સૌરાષ્ટ્રમાં છે તે ગુજરાત-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. સાહિત્ય-ઇતિહાસ અને હવે પુરાતત્ત્વ-દ્વારિકાને આશરે દશેક હજાર વર્ષ જૂની વસાહત ઠરાવે છે. શ્રીકૃષ્ણને તો પાંચ હજાર વર્ષ થયાં છે. પણ હાલના દ્વારકા-ઓખામંડળના દરિયામાંથી જે નગરના અવશેષો મળ્યા તે દ્વારકા અને હડપ્પા-મોહેંજોદડો કરતાં પણ જૂના સિદ્ધ થાય છે !
      ભારતીય પરંપરા એમ માને છે કે જગતભરની પ્રાચીન નગરીઓમાં કાશી-વારાણસી પ્રાચીનતમ નગરી છે. દ્વારકાના સામુદ્રિક સંશોધનોથી દ્વારકા પણ પ્રાચીનતમ નગરી સિદ્ધ થાય છે. અલબત્ત, આ નગરીનું નામ ત્યારે 'દ્વારકા' નહિ હોય, પુરાણો મુજબ ‘કુશસ્થલી’ હશે. ઋગ્વેદમાં “કૃષ્ણીય' શબ્દ મળે છે, તે શ્રીકૃષ્ણ માટે છે કે શ્રીકૃષ્ણની વસાહત-રહેઠાણ માટે છે- તે વિચારણીય છે. જે પ્રાચીન વસાહતમાં શ્રીકૃષ્ણે નિવાસ કર્યો તે વસાહત ઋગ્વેદના સમયમાં “કૃષ્ણીય' નામથી ઓળખાણી હશે. ખેર, એટલું સ્પષ્ટ છે કે ઓખામંડળના દરિયામાંથી છેલ્લે છેલ્લે જે અવશેષો મળ્યા તે દશેક હજાર વર્ષ જૂના છે. અને ગ્રીસ દેશના રોમ, ટ્રોય, ઈથિકા જેવી અતિ પ્રાચીન નગરીની હરોળમાં દ્વારકાને મૂકી આપનારા છે. કહો કે હવે એકવીશમી સદીમાં દ્વારકા જગતભરની પ્રાચીનતમ નગરીઓમાં સ્થાન પામી છે. સાંપ્રત સમયના આ સંશોધનોને ટૂંકમાં જોઈએ તો શ્રીકૃષ્ણના ઉત્તરજીવનમાં વસેલી દ્વારકા, એના પૂર્વકાળની કુશસ્થળી તથા હાલની દેવભૂમિ દ્વારકા અતિ લાંબો ઇતિહાસ અને અતિ પ્રાચીન અવશેષો ધરાવે છે. આ પણ ખાસ નોંધવું જોઈએ કે સાહિત્ય અને ઇતિહાસના જૂનામાં જૂના ઉલ્લેખો શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના છે. શ્રીકૃષ્ણના પૂર્વજીવન વિશેના સાહિત્યિક અને ઐતિહાસિક પુરાણો પ્રમાણમાં અર્વાચીન સમયનાં છે !
         પુરાતત્ત્વની નજરે આજે ગોકુળ અને વૃંદાવનના પુરાવા માંડ છેલ્લા પાંચસો વર્ષના છે ત્યારે કુશસ્થલી અને દ્વારકાના પુરાવા આઠથી દસ હજાર વર્ષના છે. ઋગ્વેદ જેવા અતિ પ્રાચીનતમ ગ્રંથમાં દ્વારકા છે પણ ગોકુળ- વૃંદાવન નથી. એમ લાગે છે કે શ્રીકૃષ્ણની બાળલીલાઓ પાછળનું ઉમેરણ છે. શ્રીકૃષ્ણની બાળલીલા પૂતનાવધ, શકટભંગ, તૃણાવર્તવધ, યમલાર્જુનપાત, બકાસુર અઘારસુરવધ, કાલીયદમન, ગોવર્ધનધરણ વગેરે બે હજાર વર્ષથી જૂના નથી. શ્રીકૃષ્ણ સંબંધી પાંચેક હજાર વર્ષના પુરાવા શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના જ છે. શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા આવે છે, ત્યારથી શ્રીકૃષ્ણનું ઉત્તરજીવન આરંભ પામે છે. આ સમયે શ્રીકૃષ્ણની ઉંમર ૩૨ વર્ષની છે. ૩૨થી ૫૭ કુલ ૨૪ વર્ષ શ્રીકૃષ્ણ દ્વારકામાં રહ્યા છે. આ ૨૪ વર્ષમાં રુકમણિહરણ, સ્યમંતકમણિનો પ્રસંગ, જાંબુવતી અને સત્યભામા સાથે વિવાહ, પારિજાતહરણ, નરકાસુરવધ, કાલિન્દી-મિત્રવિંદા—ભદ્રા—સત્યા અને લક્ષ્મણા- ક્રમશઃ આ પાંચ સાથે લગ્ન એટલે કુલ અષ્ટ પટરાણીઓ, આઠે પત્નીઓને પુત્ર જન્મ. આ પછી ૫૮મા વર્ષે ફઈના દીકરા પાંડવોને સહાયભૂત થવા દ્વારકાથી હસ્તિનાપુર ગમન, પાંડવોની સાથે (યુદ્ધમાં સારથી વગેરે) કુલ ૨૬ વર્ષો શ્રીકૃષ્ણ દ્વારકાની બહાર વિતાવે છે અને મહાભારત યુદ્ધ પૂરું થયા પછી પોતાની ૮૫ વર્ષની વયે શ્રીકૃષ્ણ પુનઃ દ્વારકા આવે છે. આ પછીના ૩૬ વર્ષ પંરિવાર સાથે દ્વારકામાં જ રહે છે અને ૧૨૦ વર્ષની વયે પ્રભાસપાટણમાં તેમનો દેહાંત થાય છે.
       દ્વારકાથી પ્રભાસ સુધીમાં જે જે પ્રસંગો બન્યા તેનાં શિલ્પો, ચિત્રો અને શિલાલેખો મળે છે. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણે જે જે પ્રસંગોમાં આગેવાની લીધી તે દરેક વિશે હજારો સાહિત્યિક પુરાવાઓ છે. “મહાભારત” જેવું આપણા દેશનું એક મહાન ઐતિહાસિક મહાકાવ્ય શ્રીકૃષ્ણના કેન્દ્રસ્થાને જ લખાયું છે. દૂર કંબોડિયાના મહાન વિષ્ણુ મંદિર અંકોરવટ્ટમાં તેના સેંકડો શિલ્પ પ્રાપ્ત છે.
       શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના જેટલા પુરાવાઓ છે, તેના કરતાં ચોથા ભાગના પુરાવાઓ પણ શ્રીકૃષ્ણના પૂર્વજીવનના નથી ! શ્રીકૃષ્ણની બાળભક્તિ તે ‘ધર્મ’ની વાતો છે, ઈતિહાસની નહિ. ઈતિહાસ તો દ્વારકાનો જ છે અને તે અતિ પ્રાચીન છે. ગુજરાતી સાહિત્યમાં “કવિશ્રીના માનવંતા પદથી જેમનો સાદર ઉલ્લેખ થાય છે તે કવિશ્રી ન્હાનાલાલે દ્વારકા વિશે મન મૂકીને લખ્યું છે. કવિશ્રી કહે છે કે “વિશ્વે દ્વારિકા સ્હોતી બ્રહ્મભર્ગથી-’ મહાસાગર જેની આરતી ઉતારે છે તે દેવભૂમિ દ્વારકા “યુગ યુગ ધ્યાનવિલીન' નગરી છે.


      કવિશ્રી ન્હાનાલાલના આ ‘યુગ યુગ ધ્યાનવિલીન' શબ્દો, દ્વારકામાં થયેલા પુરાતત્ત્વ સંશોધનોથી આજે સિદ્ધ થયેલા છે. આપણે દ્વારકાનાં છેલ્લાં બે મહાન ઉત્ખનનોથી આ વાત સમજીએ : પહેલું ખોદકામ ૧૯૬૩ અને બીજું ૧૯૭૯માં છે. પહેલું ખોદકામ ડક્કન કોલેજ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ ખોદકામનો રિપોર્ટ પણ ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો. આ ખોદકામ આજના જગતમંદિરની બાજુના એક, વીશ ચોરસ ફૂટ ઓરડામાં થયેલું. ગામ કરતાં મંદિર કંઈક ઊંચા ટેકરા ઉપર છે, આ ટેકરા ઉપર અતિ ગીચોગીચ વસવાટ છે. ખરેખર તો આ આખો ટેકરો ખરીદી લઈને અતિ વિશાળ પાયે અહીં ખોદકામ થવું ઘટે, પણ વસવાટ અને સંખ્યાબંધ ધર્મસ્થળેના કારણ અશક્ય છે. આખર આ ઓરડો ખરીદી લઈ તેમાં ચાલીશ ફૂટ ઊડે સુધી ખોદકામ થઈ શક્યું, પછી રેતી અને દરિયાના પાણી આવી ગયા. સાહસ તો આપણા એક મોટા ગજાના વિદ્વાન પરાતત્ત્વવિદ્દ ડૉ. હસમુખ સાંકળિયાનું હતું! તેઓ આ ખોદકામ દરમિયાન છેક સુધી નીચે ઊભા રહ્યા હતા! આટલી જગ્યામાં, આટલે ઊડે સુધી બે મજૂરો ખોદે તેની સાથે ઊભા રહેવું તે જીવનું જોખમ હતું! ઓરડાની રેતાળ દીવાલો ક્યારે ધસી પડે તેનો સતત ભય પણ હતો! આશરે ચાલીશ ફૂટ ઊંડે સુધી પહોંચી શકાયું ત્યાં સુધીમાં જે નિશાનીઓ મળી તેના આધારે એમ સ્પષ્ટપણે તારવી શકાયું કે દ્વારકાના આજના વસવાટ નીચે બીજા કુલ છ વસવાટો છે ! એટલે કે આજની દ્વારકા તે સાતમી દ્વારકા છે! સૌથી નીચે આવેલી દ્વારકાના જે અવશેષો છે તે આશરે ઈ.સ. પૂર્વે પંદરમી સદી આસપાસના છે. અત: મૂળની દ્વારકા ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ જૂની દ્વારકા છે.
      આપણી પૌરાણિક માન્યતા શ્રીકૃષ્ણને પાંચ હજાર વર્ષ જૂના માને છે. આ માન્યતા સુધી આ અવશેષો પહોંચી શક્યા નથી. વિશ્વભરના જિજ્ઞાસુઓ નિરાશ થયા પણ ડૉ. સાંકળિયાએ આ ખોદકામની મર્યાદા બતાવી. અહીં વિસ્તૃત ઉત્ખનન થઈ શક્યું નથી. સાચા નિર્ણય ઉપર આવવા માટે વ્યાપક ખોદકામ થવું જોઈએ. સુખદ આશ્ચર્ય એ થયું કે સોળ વર્ષ પછી આજના જગતમંદિરની ગામ તરફની ચોકી ખસેડવી પડે એટલી જર્જરિત થઈ ગઈ હતી તેને ખસેડવામાં આવી અને ઘણી વધુ જમીન ખુલ્લી થઈ ! આ ખુલ્લી જમીનનો લાભ લઈને સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ એસ.આર.રાવે, કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગને જાણ કરી તથા પોતાની યોજના મૂકી. સદ્ભાગ્યે ધ્યાન ઉપર લેવાયું અને દ્વારકામાં આજ સુધીનું સૌથી વિસ્તૃત ખોદકામ થયું. ૧૯૭૯ના આ ખોદકામનો રિપોર્ટ સરકારી તંત્ર તો જ્યારે બહાર પાડે ત્યારે પણ વ્યક્તિગત ધોરણે એસ.આર.રાવ તરફથી ૧૯૯૯માં ‘ધ લોસ્ટ સિટી ઓફ દ્વારકા' પ્રસિદ્ધ થયું. દ્વારકામાં જમીન ઉપર થયેલા આ બન્ને ખોદકામોનો મુખ્ય તફાવત એ છે કે ૧૯૬૩માં આજની દ્વારકા તે સાતમી દ્વારકા હોવાનું નજરમાં આવ્યું હતું, જ્યારે ૧૯૭૯માં આજની દ્વારકા તે આઠમો વસવાટ હોવાનું જાહેર થયું છે. આ આજની આઠમી દ્વારકા ૧૬૦૦ પછી ક્રમશઃ વિકાસ પામી છે, તેમાં ખનિજ, મીઠું અને મચ્છીના ઉદ્યોગો મુખ્ય કારણ છે.
     આજે એકવીશમી સદીમાં ૨૦૦૫થી થઈ રહેલાં દરિયાઈ પુરાતત્ત્વનો ફાળો, વિશિષ્ટ કહેવાય એવાં તથ્યો ઉપર પ્રકાશ ફેંકનારો બન્યો છે. ૧૯૭૯ના ખોદકામે અહીંના અવશેષો સિન્ધુસભ્યતા સુધીના હોવાનું નજરમાં આવ્યું હતું, જ્યારે ૨૦૦૫ પછી " દરિયાના પાણીમાં તળિયે પડી રહેલા અવશેષો બહાર આવ્યા છે અને તે નિઃશંક, સિન્ધુ—સભ્યતા પૂર્વેના છે. હજુ આજે ૨૦૧૯માં સ્થિતિ પ્રવાહી છે, પરંતુ દરિયામાંથી જે વસ્તુઓ મળી છે તે આઠ હજારથી વધુ પ્રાચીન અને આશરે દશેક હજાર વર્ષ જૂની છે.
       યાદ રહે : આ દ્વારકાના અવશેષો છે, શ્રીકૃષ્ણના કોઈ મંદિરના નથી. આપણે આજે તેને દ્વારકા' કહીએ છીએ પણ દશ હજાર વર્ષ પૂર્વે તેનું નામ “કુશસ્થલી હશે અથવું કોઈ બીજું-ઘ અહીં દરિયામાં એક નગરના અવશેષ છે અને તે અતિ પ્રાચીને છે એટલું સ્પષ્ટ છે. કુશસ્થલીના ખંડેર ઉપર શ્રીકૃષ્ણ દ્વારા દારકાનું સર્જન છે. આ પહેલી દ્વારકા પૂરાં સો વર્ષ પણ ટકી નથી. બત્રીશ વર્ષના શ્રીકૃષ્ણ દ્વારકા વસાવે છે અને એકસો વીશ વર્ષની ઉમેરે શ્રીકૃષ્ણ દેહત્યાગ કરે છે, ત્યારે દ્વારકા પણ સમુદ્રમાં ડૂબી જાય છે. આમ પ્રથમ દ્વારકા માત્ર અઠ્ઠયાસી વર્ષ અસ્તિત્વમાં રહી છે. આ પછી તુરત એ જ સ્થળે બીજી દ્વારકા વસી છે. આમ કુલ આજની આઠમી દ્વારકા હયાત છે. આ જ સ્થળે ફરી ફરી દ્વારકા વસી હોવાનું કારણ દરિયાઈ વેપાર લાગે છે. ખોદકામ દરમિયાન પ્રથમની દ્વારકા ઉપર પાંચ પાંચ ફૂટનો રેતીનો થર નજરમાં આવ્યો છે. દ્વારકા ઉપર દરિયા ફરી વળ્યો – એવી પૌરાણિક માન્યતા આ પુરાવાઓથી સિદ્ધ થાય છે.
     ખોદકામ દરમિયાન જે એક પછી એક દ્વારકા નજરમાં આવી, તેમાં પ્રથમની બે દ્વારકામાં મંદિરના કોઈ અવશેષો નથી. ત્રીજી દ્વારકામાં મંદિરના અવશેષો છે. આ ત્રીજી દ્વારકા આજથી બે હજાર વર્ષ પહેલાં વસી હશે, કારણ કે મંદિર સ્થાપત્યનો આરંભ છેલ્લાં બે-અઢી હજાર વર્ષથી જ છે.
      ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનો મંદિરનો પુરાવો જામનગર જિલ્લાના ગોપ ગામમાં છે. સોમનાથમાં પણ જૂનાં મંદિરો છે અને શિલાલેખનો લેખિત પુરાવો જૂનાગઢના અશોક શિલાલેખમાંના સ્કન્દગુપ્તના ઈ.સ. ૪૫૬ના લેખમાં મળે છે. ‘ચક્રપાલિત’ નામના સુબાએ ગિરનારની બરોબરી કરે એવું ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવી આપ્યાનો અહીં ઉલ્લેખ છે. અતઃ સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે હજાર વર્ષથી મંદિરો છે. દ્વારકામાં પણ આશરે બે હજાર વર્ષથી વિષ્ણુમંદિર પ્રમાણી શકાય છે. આ મંદિર પાંચ વખત ધ્વંસ થયું છે અને હાલનું અતિ ઊંચા શિખરવાળું ઈ.સ. ૧૬૦૦ સુધીમાં સર્જન  પામ્યું છે. ઓખામંડળના વાઘેરોના સ્વાતંત્ર્યસંગ્રહ વખતે આ મંદિર અંગ્રેજોના હાથે તૂટ્યું છે અને ૧૮૬૧માં મહારાજા ખંડેરાવ દ્વારા જીર્ણોદ્ધાર પામ્યું છે. ૧૯૦૩માં સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ મંદિરનો સુવર્ણકળશ ચડ્યો છે.
      સવારસાંજના પ્રકાશમાં સમુદ્ર અને ગોમતી નદીના સંગમ ઉપર પોતાની સોનેરી આભા લહેરાવતું આ મંદિર અને તેની છત્રછાયામાં વસેલું દ્વારકા, સમગ્ર દેશની યુગ યુગ ધ્યાનવિલીન એક મહાન નગરી છે." 
(સૌજન્ય : દિવાળી વિશેષાંક - ગુજરાત )

Monday, May 13, 2024

HAPPY BIRTHDAY SIR

 

ભગવાં વસ્ત્રોમાં નહિ પરંતુ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે.

          ક્યારેક ગાંધીનગર જવાનું થાય તો 19 સેકટરમાં આવેલા પુનિતવનના જાહેર શૌચયલની મુલાકાત અવશ્ય લેજો! જાહેર શૌચાલયની સ્વચ્છતા, સુઘડતા જોઈ તમે અચરજ  પામો તો નવાઈ નહી! ભારતમાં વળી જાહેર શૌચાલય આટલું નિટ એન્ડ ક્લીન ?? વાત માન્યામાં ન આવે એ સ્વાભાવિક છે. પરંતુ આ ચમત્કાર સર્જ્યો છે વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલા એક સવાયા ભારતીય એવા આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે ! તેઓ જયારે ગાંઘીનગર આવે ત્યારે નિયમિત પુનિત વનમાં મોર્નિંગ વોક માટે નીકળે ! એ સમયે જાહેર શૌચાલયની દુર્દશા કોઈ હૈયું કકળી ઉઠ્યું.. ગાંધીના દેશમાં આવી દુર્દશા કેમ ચાલે?. એમને થતું કે આખી દુનિયામાં ફરું છું પરંતુ  વિકસિત દેશોની સરખામણીમાં સ્વચ્છતા બાબતે આપણે જેટલા પછાત છીએ એટલું કદાચ બીજું કોઈ નહિ હોય ! અને બસ એ દિવસથી એ જાહેર શૌચાલયની સ્વરછતાની સંપુર્ણ જવાબદારી પોતે ઉપાડી લીધી. તેઓ નિયમિત રૂબરૂ જઈ સફાઈની ચકાસણી કરે. જોત જોતામાં શૌચાલયની સિક્કલ બદલાઈ ગઈ. ભારતમાં પણ પબ્લિક શૌચાલય આવું હોઈ શકે છે. એક માણસ જો ધારે તો કેવું જાદુઈ પરિણામ લાવી શકે છે એનું આ ઉદાહરણ છે.

        મારી લેખનયાત્રા દરમિયાન વિધવિધ ક્ષેત્રની અનેક  વિભૂતિઓને મળવાનું સદનસીબ સાંપડ્યું છે. આ બધાંમાં મુઠ્ઠી ઊંચેરી એક વિરલ વિભૂતિની અમીટ છાપ મારા હૃદયમાં ઝીલાઈ ! અને આ વિરલ વિભૂતિ એટલે  આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ !
       કોણ છે પ્રકાશભાઈ શાહ ?? જાણો છો ?? પરમ આદણીય પ્રકાશભાઈ શાહ સાહેબનો પરિચય આપવા માટે શબ્દનો ગજ ટુંકો પડે. મને એ તારીખ બરાબર યાદ છે. તારીખ 17 નવેમ્બર 2022 નો એ દિવસે ! આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબ સાથે પહેલી વાર મુલાકાત થઈ. કેટલાય સમયથી આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબને મળવાની પ્રબળ ઝંખના હતી. 17 નવેમ્બરે    પરિપૂર્ણ  થઈ. સુદીર્ઘ સંવાદ થયો. હું અવાક બની તેઓને સાંભળી જ રહ્યો. તેઓને મળ્યા તેઓ વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ મળ્યા પછી એવું લાગ્યું કે જેટલું સાંભળ્યું હતું એ ઘણું ઓછું હતું. આ માણસનું હૃદય ગાંધીરંગે સાચા અર્થમાં રંગાયેલું છે. એમનું વ્યક્તિત્વ હૃદયમાં વસી ગયું. પહેલાં દિવસે જ સંવાદનો એવો સેતુ રચાયો કે બીજા દિવસે પુનઃ તેમની મુલાકાતે  જવાનું નિમંત્રણ મળ્યું.. બીજા દિવસે પણ આમારો સંવાદ આગળ ચાલ્યો. જીજ્ઞાશાવશ હું પ્રશ્ન પૂછું અને સાહેબ એનો ખૂબ વિસ્તારથી ઉત્તર આપે. સફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિની સ્વભાવની સાદગી, સફળતા, નિખાલસતા હૃદયસ્પર્શી છે.  ભારતના વડાપ્રધાનથી  માંડી અમેરિકન પ્રમુખ સાથે અંગત ઘરોબો ધરાવે છે. એમ છતાં  તેમની પાસે બેસો તો પદ નો જરાય ભાર લાગવા દે નહિ.

         તેઓ અમેરિકા ગયા પણ અમારા વચ્ચે ઈ-મેઈલથી સંવાદ અવિરત ચાલતો રહ્યો. હું એમને મરા આર્ટિકલ નિયમિત મોકલતો રહું. તેઓ મારા પ્રેરણાસ્રોત બની રહ્યા. સાહેબ ભારત આવે ત્યારે એમને મળવાની ખેવના રહેતી. પણ એ ક્યારે ભારત આવે અને ક્યારે પરત અમેરિકા જાય એનો મને કોઈ અંદાજ ન હોય.. એક વાર ટ્રસ્ટમાં ખૂબ  મહત્વની કામગીરી નિષ્ઠાપૂર્વક સંભાળતા  વિનયભાઈ શાહનો ફોન આવ્યો કે સાહેબ 14 ડિસેમ્બર 2023 ના રોજ ગાબટ હાઇસ્કૂલમાં આવી રહ્યા છે. આપ આવો આપને નિમંત્રણ છે. મારા તો આશ્ચર્યનો પાર રહ્યો નહી.. સાહેબ અમેરિકામાં રહીને પણ ભારત આવે અને મને યાદ કરે એ બાબત મારા માટે ઉત્સવથી જરાય કમ ન હતી.

હું 14 ડિસેમ્બર 2023 ના રોજ ગાબટ હાઇસ્કૂલમાં પહોંચ્યો. સાહેબ બરાબર નિયત સમયે આવી પહોંચ્યા. અહીં પ્રકાશભાઇને વતનને વ્હાલ કરતા જોઈ હું દંગ રહી ગયો.. મેં એમની આંખોમાં ગજબની ચમક જોઈ. બાલિકાઓ જ્યારે સ્વાગત ગીત રજૂ કર્યુ એ સમયે પ્રકાશભાઇની આંખોમાં જાણે આંસુઓનું પૂર ઉમટ્યું ! જોવાની  જો દૃષ્ટિ હોય તો એ આંસુ નહિ પણ સાચા મોતી હતા. પ્રકાશભાઈ વતનની માટીને છાતી ફાડી ને પ્રેમ કરે છે. વતનના વિકાસ માટે તન, મન ધનથી  મદદ કરવા હમેશા તત્પર રહે છે. ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં  ગરીબ વિધાર્થીઓની તેઓ અવિરત ચિંતા કરતા રહે છે. ગામની હાઇસ્કૂલને વલ્ડ ક્લાસ સ્કૂલ બનાવવાની તેમની તાલાવેલી જોઈ નત મસ્તક વંદન કરવાનું મન થાય છે. 

મારા જેવા છેવાડા માણસની સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવવા તેઓએ જે પ્રોત્સાહન મને પુરું પડ્યું છે, એ બદલ તો હું તેમનો આજીવન ઋણી રહીશ. મારા કાર્યમાં તેઓએ પ્રાણ પૂરી આપ્યા છે. તેઓએ મારા અંતરમનમાં નવી ઉર્જા બક્ષી છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બનાવી છે.

આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબના આ ધરતી ઉપર પણ ઘણા ઋણ છે. પ્રખર ગાંધીવાદી શ્રી કે. કે. શાહ સાહેબે વાત્રક હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે, એનું ઋણ  અરવલ્લી પંથક કદાચ ક્યારેય ચૂકવી નહિ શકે. અરવલ્લી તેમજ આસપાસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ એટલે વાત્રક હોસ્પિટલ ! મરણ પથારીએ પડેલી આ હોસ્પિટલને પુનર્જીવિત  કરવામાં જો કોઈનો સિંહફાળો હોય તો એ પ્રકાશભાઈ શાહ સાહેબનો જ છે. તેઓએ તો ઉદાર હાથે સખાવત આપી જ છે. સાથે સાથે તેમના મીત્રોને પણ દાનની સરવાણી માટે તેઓએ આંગળી ચીંધી છે. આજે પણ દર્દીઓને વધુ સારી સવલત મળે, અદ્યતન તબીબી સારવાર મળે એ માટે અમેરીકા રહીને તેઓ અવિરત ચિંતા કરે છે. તેમના પિતાએ જોયેલા વિરાટ સ્વપ્નને તેઓએ સાકાર કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. લાખો ગરીબ દર્દીઓના આશીર્વાદ તેમના પરિવારને પ્રાપ્ત થતા રહે છે.
       ગાંધીયન પિતા કે.કે. શાહના નામે ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે. અરવલ્લીના  અંતરિયાળ ગામડામાં વસતી હજારો મહિલાઓને સ્વસહાય જૂથ બનાવી પગભર કરી છે. એ મહિલાઓ આજે આત્મનિર્ભર બની છે. કેટલું બ્રોડ વિઝન ! દેશ પર કોઈ કુદરતી આફત આવી પડે તો તેમની ટીમ કોઈની  પણ રાહ જોયા વિના તાબડતોબ સેવાકાર્યમાં લાગી જાય છે. તેમની ટીમના નિશાબેન શાહ, વિનયભાઈ શાહ, પંકજભાઈ પટેલ, અરુણ ભાઈ, હેમંતભાઈ , ભરતભાઈ જેવા સમર્પિત સૌ કર્મીઓ સાહેબનો પડ્યો બોલ ઝીલી લે છે.  

   સેંકડો દરિદ્રનારાયણનું જીવન પરિવર્તિત કરવામાં પ્રકાશભાઇ શાહ સાહેબ મન મૂકીને વરસ્યા છે. કોઈની દીકરીનું લગ્ન હોય, સંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, કોઈ માટે નવીન ઘર લેવાનું હોય, આકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય આવી અનેક રીતે તેઓ મદદ પહોંચાડે પણ  પ્રકાશભાઈ કોઈનેય ખબર પડવા ન દે. કોઈ માણસની આંગળી તેઓ પકડે પછી તેને તેઓ ક્યારેય છોડતા નથી.
         પ્રકાશભાઈ સાહેબનું જન્મ સ્થાન કે.કે. શાહ સાહેબનું ઐતિહાસિક કાર્યાલય જોવાની મને તાલાવેલી હતી. તાજેતરમાં જ મને મુબંઈ મોકલી સઘળી વ્યવસ્થા તેઓએ ગોઠવી આપી. એટલું જ નહી, વિનયભાઇએ સાથે રહી આખું મુબંઈ બતાવ્યું. પ્રકાશભાઇ સાહેબ સાથે જુહુ  બીચ પર મોર્નિંગ વોક કરતાં કરતાં જે દૃશ્યો નિહાળ્યા એ જોઈ આપણી છાતી પણ ગજ ગજ ફૂલે ! સાવ સાદો સફેદ કુર્તો અને પાયજામો પહેરી ફરવા નીકળે તો કોઈ માને પણ નહી કે આ માણસ પાસે કેટલી સત્તાનો આસામી છે ! 

   જૂહુ બીચ પર વોક કરતા કેટ કેટલા લોકો પ્રકાશભાઈને આદર સાથે આવી મળે.. યુવાનો તેમની સાથે સેલ્ફી ખેંચાવી મુલાકાતને યાદગાર બનાવે. મુંબઈમાં પણ પ્રકાશભાઈ સાહેબ લોકોનો અપાર પ્રેમ પામ્યા છે. કોઈ તેમની જરા પણ પ્રસંશા કરે તો તેઓ કહે છે I am touched by your letter. I am merely a speck of dust awaiting the passage of time.તમામ કાર્યનો યશ પ્રકાશભાઈ ઠાકોરજીને આપી પોતે નિસ્પૃહી રહે છે.

     ભગવાં વસ્ત્રોમાં નહિ પણ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે. જેમને પણ પ્રકાશભાઈ શાહ સાહેબની છત્રછાયા પ્રાપ્ત થઈ છે તેઓ માટે પ્રકાશભાઈ ભગવાન સમાન માને છે. તેમની છત્રછાયામાં પાંગરવાં નું સદનસીબ મને પણ પ્રાપ્ત થયું એને હું ઠાકોરજીની કૃપા જ માનું છું.

આજે પ્રકાશભાઈ શાહ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ઠાકોરજીના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. HAPPY BIRHDAY SIR. MANY MANY HAPPY RETURNS OF THE DAY.

                                                             

-         ઈશ્વર પ્રજાપતિ



Sunday, May 12, 2024

સરદાર પટેલનું પુનરાગમન

 સરદાર પટેલનું પુનરાગમન : આ ઉપવસ્ત્ર વિનાના સાધુએ જે ઝેરનાં ઘૂંટ પી પી ને રાષ્ટ્રહીત કાર્યમાંમાં ક્યાંય કચાસ ન આવવા દીધી. 



    વકીલાતની ધિખતી પ્રેક્ટિસ છોડીને દેશ માટે પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરી દેનાર સરદાર સાહેબના ત્યાગ અને બલિદાનનો જોટો જડે તેમ નથી. આ ત્યાગી પુરુષે દેશ હિત માટે સતત કડવા ઘૂંટડા પી ને અમી ઓડકાર ખાધો છે. તમિલનાડુના પૂર્વ ગવર્નર, પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિચક્ષણ વકિલ એવા કે.કે. સાહેબ સાથે સરદાર સાહેબનો અંગત ઘરોબો હતો. પૂજ્ય કે.કે. શાહ સહબના સુપુત્ર આદરણીય  પ્રકાશભાઈ કે.શાહ સાહેબના હૃદયમાં સરદાર સાહેબના અનેક મધુર સ્મરણો આજે પણ સચવાયેલા છે. વડાપ્રધાન પદ માટે સરદાર પટેલની તરફેણમાં બહુમતી મત મળ્યા હોવા છતાં તમને ક્ષણ  નો પણ વિલંબ કર્યા વિના પદ જતું કર્યું.. કેવું વિરાટ બલિદાન!
    આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબને મળ્યા પછી સરદાર સાહેબને જાણવા વધુ ઉત્કંઠા જાગી. સરદાર સાહેબના વ્યક્તિત્વના અભ્યાસ માટે એક પુસ્તક હાથ લાગ્યું.  પુસ્તકનું નામ છે "સરદાર પટેલનું પુનરાગમન."
    ગુજરાતના વિચારપુરુષ ગુણવંત_શાહે સરદાર પટેલનું પુનરાગમન પુસ્તક ભેટ ધરીને બહું  મોટું પુણ્યકર્મ કર્યું છે. એક ગુજરાતી વાંચક તરીકે ગુણવંત શાહનો આભાર વ્યક્ત કરવા શબ્દો જડતા નથી. અનેક આધારભૂત સંદર્ભો અને સાહિત્ય ને ટકોરા મારી મારીને ગુણવંત શાહે પુસ્તકના પાને પાને જે સત્યો અને તથ્યો તારવી આપ્યા છે એ સરદારને સમજવામાં આજની પેઢી માટે ઘણાં ઉપકારક થઈ પડશે. ઇતિહાસમાં સરદારને થયેલા અન્યાય ની હકીકતો જાણી ને હ્રદયનો ચચળાટ સમવાનું નામ નથી લેતો..
  આ ઉપવસ્ત્ર વિનાના સાધુએ જે ઝેરનાં ઘૂંટ પી પી ને રાષ્ટ્રહીત કાર્યમાંમાં ક્યાંય કચાસ ન આવવા દીધી. સરદારના વ્યક્તિત્વ ને વધુ નજીક થી નિહાળવા આ પુસ્તક વાંચવું જ રહ્યું. એમ છતાં આ પુસ્તકના પાનાઓ પર ના કેટલાક અવતરણો મેં ટાંકવાની ગુસ્તાખી કરી છે.
1) કવિ હ્રુદય નેહરુ વડાપ્રધાન ન બન્યા હોત તો દુનિયાને પાંચ-છ ઉત્તમ ગ્રંથો પ્રાપ્ત થયા હોત. 78
2)નેહરુ વડાપ્રધાન બને તે ઘટના જ "ઐતિહાસિક અપરાધ" જેવી હતી. 80
4) 'નહેરુ આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હતા જ્યારે પટેલ કડક શિક્ષક હતાં જેવો દિવાલ પર સોટી ભરાવેલી રાખતા.' -દુર્ગાદાસ (સેનગુપ્તાનું પુસ્તક પા નં.367)
પા. નં -92
5) સરદાર ભારતના ગવર્નર જનરલ રાજાજીને કહ્યું કે કેબીનેટની મીટિંગમાં નહેરુએ હૈદરાબાદ અંગે લેવાના પગલાને વિલંબમાં નાખવા માટે પોતાનાથી બનતું બધું જ કર્યું અને કહ્યું કે કદાચ હૈદરાબાદનો પ્રશ્ન યુનોમાં ઉઠાવવામાં આવશે. સરદારે સાફ સંભળાવી દીધું "હું મારા મનમાં બિલકુલ સ્પષ્ટ છું. આપણે લડવું જ પડશે અને નિઝામ તો ખલાસ થઈ ચૂક્યો છે. આપણે રાષ્ટ્રના પેટમાં આવું ચાંદુ (અલસર) રાખી ન શકીએ નિઝામ નો વંશ હવે ખતમ થઈ ચૂક્યો છે" નહેરુ ગુસ્સામાં મીટીંગ છોડીને ચાલી ગયા અને સરદારે બાકીનો એજન્ડા પૂરો કર્યો. --સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પરથી. પા નં. 114
6) ઘનશ્યામ દાસ બિરલાએ કહેલું : "જો ગાંધીજી ના સંપર્ક માં ના આવ્યા હોત તો નેહરુના સમગ્ર પરિવારે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોત.
-સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પર 13/9/1950 ની નોંધ
પા. નં- 115
7)નેહરુએ બાબરી મસ્જિદનો પ્રશ્ન પણ ઉઠાવ્યો પરંતુ સરદારે એટલું સ્પષ્ટ ને જણાવ્યું કે સરકાર મસ્જિદ બાંધવા પાછળ કોઈ પણ ખર્ચ કરી શકે નહીં . - એમણે સરદારે ) નેહરુને જણાવ્યું કે સોમનાથના મંદિરની પુનઃરચનાનો પ્રશ્ન જુદો હતો . એ માટે ટ્રસ્ટ રચવામાં આવ્યું હતું અને લગભગ ૩૦ લાખનો ફાળો એકઠો . કરવામાં આવ્યો હતો . સરદારે નેહરુને જણાવ્યું કે ટ્રસ્ટના અધ્યક્ષ જામસાહેબ હતા અને સભ્ય ક . મા . મુનશી હતા . સરકારનો પૈસો એમાં વપરાવાનો ન હતો . આ સાંભળીને નેહરુ શાંત થઈ ગયા .
- સરદાર પુત્રી મણીબેન ની ડાયરીના પાનાં પર તા . ૨૯ - ૧૯૫૦ ની નોંધ
પા. નં -115
8) ગુંડો એટલે ગુંડો! એને સજા કરતી વખતે એની કોમ ન જોવાય. સરદાર નું સેક્યુલરીઝમ સો ટચ નું હતું. 132
9) શિક્ષિત મુસ્લિમો અને શિક્ષિત હિંદુઓને કોમી હુલ્લડો કદી નહીં પોસાય. એક કોમી હુલ્લડ બરાબર કેટલા લીટર લોહી,કેટલા મિલીલીટર આંસુ અને કેટલા લાખ ડૂસખા?? પા.નં132
10) ઇન્ડોનેશિયા જેવા ઇસ્લામી દેશોમાં વસ્તી નિયંત્રણનું કામ મુલ્લાઓ એ ઉપાડી લીધું હતું. મુલ્લાઓ પોતે જ સંતતિ નિયમન માટે ના સાધનો લોકોમાં વહે તે એવું ત્યાંની ઈસ્લામી સરકારે ઠેરવ્યું હતું એ હતું સાર્વત્રિક શિક્ષણ નો ચમત્કાર. પા.નં. -133
11)ગાંધીજીના વિદ્વાન પૌત્ર શ્રી રાજમોહન ગાંધીએ પોતાના ગ્રંથમાં . નોંધેલો પ્રસંગ એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત છે : પણ સાથોસાથ મુસલમાનોનું ગેરવર્તન સાંખી લેવા અથવા પોતાનું સ્પષ્ટ અને કડક વર્તન છોડી દેવા ( સરદાર ) તૈયાર ન હતા . સપ્ટેમ્બરની ૧૩મી તારીખે શહેરમાં ફરતાં ફરતાં વલ્લભભાઈ ફૈઝબજાર પોલીસ સ્ટેશન પાસે રોકાયા હતા ત્યારે મુસ્લિમ માલિકીના મકાનમાંથી છૂટેલી ગોળી એમના કાન પાસે થઈને સનનન કરતી ગઈ . આખું મકાન ફૂંકી માર્યા સિવાય ગોળી છોડનાર હાથમાં આવશે નહીં તેવું પોલીસ અધિકારીએ કહ્યું ત્યારે વલ્લભભાઈએ આદેશ આપ્યો : ફૂંકી મારો .133
12) | મૃત્યુ માંડ ત્રણ દિવસ છેટું હતું ત્યારે સરદાર પટેલે પોતાના ખાસ વિશ્વાસુ સાથી ગાડગિલને કહેલા શબ્દો સરદારસાહેબની મહાનતાનો અડીખમ પુરાવો ગણાય. એમણે ગાડગિલને કહ્યું : “ હવે હું જીવવાનો નથી , પણ એક વચન આપો.” ગાડગિલે હા પાડી ત્યારે સરદારે તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું : “ જવાહરલાલ જોડે ગમે તેટલા મતભેદ થાય તો પણ તેમને એકલા છોડીને જશો નહીં.” આવું વચન લેનારા મહાન સરદાર પ્રત્યે જેમને પક્ષપાતપૂર્ણ આદર પેદા ન થાય તે મનુષ્યમાં જરૂર કોઈ પાયાની ખોડ હોવી જોઈએ. આવી . હૈયાની મોટપ પંડિત નેહરુએ સરદાર પ્રત્યે ક્યારે બતાવી ?પા. નં. -152
13) સરદારે પોતાના પૌત્ર બિપિનને કહેલા શબ્દો યાદ રાખવા જેવા છે.
"રોટલો ખાવા મળે તો મારી પાસે આવજો. પણ મારા નામેં કમાશો નહીં. સરદારના નામનો ઉપયોગ કદી કરશો નહીં. હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી હંમેશા બે માઈલ દૂર રહેજો."
પા નં.-156
14) મોહમ્મદઅલી ઝીણા કોઈ વાતે ગાંઠતા નહોતા . સરદાર , સ્ટેફર્ડ ક્રિપ્સ અને લિયાકતઅલી વચ્ચે ૧૫ મેને દિવસે પાંચ વાગે બેઠક યોજાઈ . પરિસ્થિતિ ગૂંચવણભરી બનતી જતી હતી. ગાંધીજી જો કે ઝીણા સાથે એકપક્ષી ભલાઈ બતાવ્યે જ જતા હતા. ઝીણા ભલાઈને નબળાઈ સમજતા હતા . + ઝીણાને પહોંચી વળે એવા એકમાત્ર સ્ટેટ્સમૅન સરદાર પટેલ હતા , પરંતુ એમને ગાંધીજીની આમન્યા વારંવાર નડતી હતી . બીજી બાજુ , કશમીરનું કોકડું પણ - ગંચવાતું જતું હતું . પા.નં.173
15) "મને એવુ લાગ્યું કે જો ભાગલા ન સ્વીકાર્યા હોત તો ભારત પણ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત. પછી એક નહીં અનેક પાકિસ્તાન ઊભાં થયાં હોત!"
-25 નવેમ્બર1948 બનારસ હિન્દૂ યુનિવર્સિટીમાં માં સરદારે આપેલું પ્રવચન. પા. નં. - 174
16) લગભગ એક હજાર વર્ષની શાસક મુસ્લિમો તરફથી લદાયેલી અમાનુષી ગુલામી ઈ.સ 712 માં મોહમ્મદ કાસીમ એ સિંધ પર ચડાઈ કરી ત્યારથી શરૂ થઈ અને ઔરંગઝેબનું મૃત્યુ થયું તે વર્ષ ઈ.સ 1907 માં પૂરી થઈ આ સમયગાળામાં ઘણા ખરા વર્ષો દરમિયાન ભારતની હિંદુ બહુમતિ ગુલામ જ હતી. જાજીયા વેરો કેમ આપવાનો કારણકે તમે મુસલમાન નથી. એવી લાંબી ગુલામી એ હિન્દુઓ ને કાયર સલામતી પ્રિય અને મરણ ભયથી ધ્રુજતા બનાવ્યા. પા. નં -185
17) સરદારનો સંપર્કમાં આવેલા ઉચ્ચ અધિકારીઓ આપસમાં વાત કરતી વખતે કહેતા : "સરદાર ન હોય ત્યારે ખુરશી પર એમના સ્થૂળ દેહને બેસાડી રાખવાની ગોઠવણ કરવામાં આવે તોય શાસનને ઝાઝી આંચ ન આવે" શાસક ઢીલો હોય તો ભ્રષ્ટાચારી બ્યુરોક્રસીશાસકની ઉલ્લુ જ બનાવે. પા. નં. 188
18) "હૈદરાબાદ એક ઇસ્લામી રાજ્ય છે . ઇન્ડિયન યુનિયન સમગ્ર દક્ષિણ પ્રદેશમાંથી મુસ્લિમ શાસનને ખતમ કરવા માગે છે. યાદ રાખજો કે ભારતમાં સાડા ચાર કરોડ મુસલમાનો વસે છે . ઇત્તેહાદ એવું ઇચ્છે છે કે દેશનો પ્રત્યેક મુસલમાન એની ફરજ બજાવે . મને કહેતાં આનંદ થાય છે કે મુસ્લિમ સ્ત્રીઓ પણ રઝાકારોને સાથ આપવા તત્પર છે. આપણે દક્ષિણ ભારત પર ૮00 વર્ષોથી શાસન કરતા આવ્યા છીએ . મને ખાતરી છે કે તમે સૌ જેહાદની ભાવનાથી ભરેલા છો . કરબલાને યાદ કરો. જો હિંદુસ્તાન આજે આઝાદ હોય , તો તે મુસલમાનોની તલવારને કારણે છે. ( સભામાં તલ્લણ ‘ દિલ્હી ચલો ' નાં સૂત્રો પોકારવામાં આવ્યાં . ) હિન્દુ તો કાફિર છે . એ પથ્થરને પૂજે છે .એ હિન્દુ ગાયના છાણને ખાય છે અને વળી ધર્મના નામે ગાયનો પેશાબ પીએ છે. એ જંગલી છે, અને તોય આપણા પર રાજ કરવા માગે છે . કેવી મહત્ત્વાકાંક્ષા અને કેવું દિવાસ્વપ્ન ! ”
-- કાસીમ રિઝવીના ભાષણના અંશ.(ઇત્તેહાદ જેવા કટ્ટરપંથી સંગઠન નો નેતા. (પા. નં. 191)
19) ચીન અંગે સરદાર પટેલે જે પત્ર વડાપ્રધાન નહેરુને 7મી નવેમ્બર 1950 ના દિવસે પાઠવ્યો હતો. તેનો કાચો ખરડો ગિરજાશંકર વાત તૈયાર કર્યો હતો. 1962 માં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું. સરદારનો એ પત્ર ઐતિહાસીક સાબિત થયો હતો. સરદારે પોતાના એ પત્રમાં ચીન અંગે દસ ચેતવણી આપી હતી. નહેરુએ એ પત્રનો જવાબ પણ આપ્યો ન હતો.
20) એક હિંદુ સાચો 'હિન્દુ' બને કે એક મુસલમાન સાચો 'મુસલમાન' બને તો તે જરૂર ભારતનો અને વિશ્વનો નિરુપદ્રવી નાગરિક બની શકે. (પા.નં. 204)
21)સમજવાદનો જાદુ : જો તમે કેન્દ્ર સરકારને સહરાના રણના તાબામાં મુકો, તો પાંચ વર્ષમાં રેતીની અછત ઊભી થશે. - ડેવિડ લોઇડ જ્યોર્જ
(રજનીકાંત પુરાણીક ના પુસ્તકમાંથી -231)
પા. નં. 219
22) દુર્ગાદાસે ગાંધીજીને સીધો જ પ્રશ્ન પૂછ્યો : નેહરુને પસંદ કર્યા અને પટેલને બાજુએ શા માટે રાખ્યા ? મહાત્માનો જવાબ હતો : જવાહર મારા કેમ્પમાં એક માત્ર અંગ્રેજ ( Englishnan ) છે . જવાહર બીજું સ્થાન નહીં સ્વીકારશે . જવાહર વિદેશોમાં સરધર કરતાં વધારે જાણીતા છે અને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ભારતની ભૂમિકા ભજવશે . સરદાર દેશના પ્રશ્નોની સંભાળ રાખશે . દેશના ગાડા સાથે જોડાયેલા બે બળદોની જેમ સરકારનું ગાડું ચલાવશે એકને બીજાની જરૂર પડશે અન બન સાથે મળીને ચલાવશે - હિંડોલ સેનગુપ્તાનું પુસ્તક પાન - ૨૭૩ )
પા. નં. 221
23) ૧૯૪૮ના ફેબ્રુઆરીના અંતભાગે સરદાર પટેલે પંડિત નેહરુને લખ્યું : બાપુની હત્યા અંગેના કેસમાં મેં પોતે હત્યાના કેસની ગતિવિધિ સાથે સંપર્કમાં રહેવાનું રાખ્યું છે . એવું સમજાતું જાય છે કે એમાં RSS કરાયા સંકળાયેલ હોય તેવું બહાર આવતું નથી . એ કામ તો હિંદુ મહાસભાની એક પાગલ શાખાનું હતું . ( હિંડોલ સેનગુપ્તાનું પુસ્તક , પાન - ૩૬૦ )
પા.નં. 222
24) લોકજાગૃતિ થોડા માણસોના ભારે ભોગથી થાય છે.
-ગુજરાત સમાચાર (8/9/1938) પા. નં. 225
25) થોડો ત્યાગ કરનારની હિન્દુસ્તાનમાં લોકો પૂજે છે એથી તો પાખંડીઓ પૂજાય છે. ભગવું પહેર્યું એટલે ભોળો હિન્દુ તેને સાધુ માને છે. ભગવાધારી એટલા સાધુ નથી. તેમ ધોળી ટોપી ને ધોળું કુંડરતું પહેર્યું એટલે ગાંધીના માણસ નથી થઈ જતા.
- સરદાર પટેલ ( હરિજન બંધુ 9 જાન્યુઆરી 1939 (પા નં. -226)
26) "અંગ્રેજો હિંદુ-મુસ્લિમ વિખવાદની વાતો કરે છે, પરંતુ એમને માટે આ બાબતની જવાબદારી કોણે માથે મારી?? જો મને માત્ર એક જ અઠવાડિયા માટે બ્રિટન પર રાજ કરવાની છૂટ આપે ,તો હું એવા એવા મતભેદો ગ્રેટ બ્રિટનમાં સર્જી શકું, જેથી સ્કોટલેન્ડ વેલ્સ અને આયર્લેન્ડ કાયમ માટે લડતા રહે".
-સરદાર વલ્લભભાઈ પટેલ (હિંડોળો સેનગુપ્તા ના પુસ્તકમાંથી) (પા.નં 229)
27) ઇન્દિરા ગાંધી કટોકટી લાદી પછી સમાજવાદ અને સેક્યુલરિઝમ જેવા બે પરદેશી મૂળના શબ્દો બંધારણના પ્રાસ્તાવિક માં ઘૂસાડ્યા હતા. કેવળ વોટબેન્ક માટે આવું પાપ ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું . નેહરુના કુળ તરફથી દેશ પર જે બાબતો માથે મારવામાં આવી તેનાથી હજી દેશ પૂરે પૂરો નથી થયો. (પા.નં 232)
28) ભારતરત્નમાં પણ રાજકરણ ? ડૉ . રાધાકૃષ્ણને ભારતરત્ન ૧૯૫૪માં મળ્યો . ચક્રવર્તી રાજગોપાલાચારીને ભારતરત્ન ૧૯૫૪માં મળ્યો . નેહરને ૧૯૫૫માં મળ્યો . જ્યારે તેઓ પોતે જ વડાપ્રધાન હતા . ગોવિંદવલ્લભ પંતને ૧૯૫૭માં , બી . સી . રૉયને ૧૯૬૧માં અને ઇન્દિરા ગાંધીને ૧૯૭૧માં મળ્યો જ્યારે તેઓ પોતે જ વડાપ્રધાન હતાં. પછી વી. વી. ગીરીને ૧૯૭૫માં અને કામરાજ નાદરને ૧૯૭૬ માં મળ્યો અને વિનોબા ભાવેને ૧૯૮૩માં ભારતરત્ન પ્રાપ્ત થયો હતો . મદ્રાસના એમ . જી . રામચંદ્રનને ૧૯૮૮માં પ્રાપ્ત થયેલો . નેહરુ - ગાંધી પરિવારે સંજય ગાંધીને ભારતરત્ન ન આપ્યો તે માટે આભાર. ડૉ. આંબેડકરને ૧૯૯૦માં, સરદાર પટેલને ૧૯૯૧માં, નેતાજી સુભાષ બોઝને 1999 ભારતરત્ન પ્રાપ્ત થયા . શ્રી ગોપીનાથ બારડોલાઈને ૧૯૯હ્માં એ સન્માન મળ્યું . આ ચાર જણાને તો ૧૯૫૪માં જ આ સન્માન પ્રાપ્ત થવું જોઈતું હતું .
પા નં235
29) ૧૯૪૬ની કોંગ્રેસ કારોબારી ઐતિહાસિક હતી. એમાં કોંગ્રેસના પ્રમુખ બને તે નેતા ભારતનો વડાપ્રધાન બનવાનો હતો. એ વખતે સરદારને પ્રાંતિક સમિતિઓએ તરફથી 15 મત મળ્યા હતા. અને નેહરુને એક પણ મત મળ્યો ન હતો. આવી સ્થિતિમાં ગાંધીજીએ કૃપલાનીજી દ્વારા એક ચબરખી સરદારને મોકલી અને હરીફાઇમાંથી ખસી જવા જણાવ્યું. સરદારે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. અને સહી કરી આપી એ સહી દેશની કેટલી મોંઘી પડી તેની ખરી હકીકતો ઇતિહાસ જરૂર ગણાવશે. (પા. નં 252)
30) કાશ્મીરની સમસ્યા અંગે પંડિત નેહરુનો અભિગમ લગભગ ભોળા બહાણ જેવો હતો . શેખ અબ્દુલાએ જે માણ્યું તે નેહરુએ ધરી દીધું . શું શું ધર્યું ? (૧) કાશ્મીરનો ઝંડો જુદો હોય (૨) કાશ્મીરનું બંધારણ જુદુ હોય અને ( ૩ ) કાશ્મીરના મુખ્યપ્રધાનને વડાપ્રધાન ( પ્રીમિય૨ ) ગણવા રહ્યા. નેહરુએ જે ભૂલો કરી તેના પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે . ( જોકે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની સરકારે ૩૭૦ કલમ દૂર કરી દેશ હિત માટે ખૂબ મહત્વ પૂર્ણ પગલું ભરી જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે.)
 31) શાયર કહે છે : 
લમ્હોંને ખતા કી થી .
સદીઓને સજા પાઈ. (પા.નં- 269)
પુસ્તકમાંથી પસાર થતાં થતાં હું સરદારમય છું. સરદાર ને સમજવા માટે ગુણવંત શાહે અનેક સંદર્ભોના અભ્યાસ માટે કરેલી મથામણ માટે સરદાર પ્રેમી અને સરદાર શત્રુ (આ વાંચ્યા પછી કોઈ બચ્યું હોય તો!) બન્ને ઋણી રહેશે..
      આદરણીય પ્રકાશભાઈ શાહ કહે છે "આજની યુવા પેઢીએ આપણા ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. આપણા પૂર્વજોએ આપેલા બલિદાનને ક્યારેય વિસરી શકાય નહિ. અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશ  ઉજ્જવળ ભવિષ્ય માટે  યુવાનો એ ચળવળ ચલાવવી જોઈએ. તો અને તો જ બાપુ અને સરદાર સાહેબે જોયેલા ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ થશે." 

-- ઈશ્વર_પ્રજાપતિ
98251 42620 (whtsp)

Friday, May 10, 2024

સન્ડે સ્પેશિયલ

સેવાવ્રતી પદ્મશ્રી ડૉ. લતાબેન દેસાઈ જેઓ આદિવાસી અંતરિયાળ વિસ્તારના ઉત્કર્ષ માટે સમસ્ત જીવન સમર્પિત કર્યું છે.


 તા
જેતરમાં જ આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબે ગુજરાતના  અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારમાં આવેલી "સેવા રૂરલ" સંસ્થાની મુલાકાત લીધી.  પછાત વિસ્તારમાં દૃઢ મનોબળના સહારે વ્યક્તિ કેવું અદભુત કામ કરી શકે છે! એ જોઈ સાહેબે પ્રસન્નતા વ્યક્ત કરી. કેવી છે આ સંસ્થા ? કોણ કરે છે આ સાત્વિક સંસ્થાનું સંચાલન? અંતરિયાળ વિસ્તારમાં સેવા યજ્ઞની ધૂણી ધખાવીને બેઠેલી આ સંસ્થા અને સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી પદ્મશ્રી લીલાબેન દેસાઈનો  આછેરો પરિચય મેળવીએ!

એક માણસ ધારે તો શું ન કરી શકે ? દૃઢ ઈચ્છાશક્તિ સહારે વ્યક્તિ વેરાન રણમાં પણ ઉપવન ખીલવી શકે છે. આવું જ પ્રેરક ઉદાહરણ છે પદ્મશ્રી ડૉ. લતાબેન દેસાઈ.
8 ઓગષ્ટ 1941 ના રોજ સ્વતંત્રતા સેનાની પરિવારમાં લતાબેન નો જન્મ થયો.

તેઓ માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યા. જીવન પથ પર અનેક પડકારો  અને મુશ્કેલીઓ ડગલે ને પગલે સામે મળી. પણ રસ્તા વચ્ચે પડેલા પડકારોના પથ્થરો  ની સીડી બનાવી આગળ વધતા ગયાં. ડો. લતા દેસાઈએ 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા. અહીં તેઓ તેમના ભાવિ પતિ ડો. અનિલ દેસાઈને મેડિકલ કોલેજમાં મળ્યા હતા.

1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના કોલથી તેઓ અને પતિ ડો. અનિલની દેશની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને સેનામાં જોડાયા હતા. જ્યાં તેઓએ દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી. ડૉ. લતા અને ડો. અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછા ગયા હતા. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા US ગયા અને ત્યાં 1971 થી 1979 ની વચ્ચે રહ્યા. ધાર્યું હોત તો અમેરિકામાં જ સ્થાયી થઈ વૈભવી જીવન જીવી શક્યા હોત ! પરંતુ ભારત માતાનો પુકાર સુની  અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોની સેવા માટે ભારત આવ્યાં.

1980 માં દેશની સેવા કરવા માટે યુએસએથી પાછા ફર્યા અને સ્વૈચ્છિક સંસ્થા ‘ ઝઘડિયા સેવા રૂરલ’ શરૂ કરી હતી. આ વિસ્તાર આજે પણ પૂરતા પ્રમાણમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યારે આજથી ચાલીસ વર્ષ પહેલાં આ વિસ્તાર કેવી સ્થિતિમાં હશે ? આ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે. એ સમયે આ વિસ્તારના ગરીબ પ્રજાજનોને મેડિકલ અને એજ્યુકેશન ની સેવાઓ મળી રહે એ માટે કમર કસી.

અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી દેશ અને ખાસ કરી ગરીબ લોકોની સેવા કરવા પરત ફરેલા તબીબ દેસાઈ દંપતીએ ઝઘડિયામાં 40 વર્ષ પહેલાં સેવા રૂરલ(SEWA Rural) સંસ્થાનો પાયો નાખ્યો. 40 વર્ષની સેવા રૂરલની આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રની સફરમાં 80વર્ષના પદ્મશ્રી ડો. લતાબેન દેસાઈ(Padma Shri Dr. Lata Desai)ના સહયાત્રી પતિ ડો. અનિલ દેસાઈ થોડાં વર્ષ પહેલાં જ સ્વર્ગસ્થ થયા છે. જોકે નવી પેઢીને તૈયાર કરવી અને આરોગ્ય, શિક્ષણ તેમજ આદિવાસી વિસ્તારમાં રોજગારીની સેવાને ઉજાગર કરવાનો સેવા રૂરલનો ધ્યેય નિરંતર આગળ વધતો રહ્યો હતો.



સેવા રૂરલ સંસ્થા ડો. લતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ  200 બેડની કસ્તુરબા હોસ્પિટલ 1500 ગામોના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવા રાહત દરે અને  નિઃશુલ્ક આપી રહી છે. સગર્ભા મહિલાઓ, નેત્ર રક્ષા, વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિક કેન્દ્ર, અંધજન પુનઃવસન કાર્યક્રમ સહિતની પ્રવૃતિઓમાં 300 વ્યક્તિનો સ્ટાફ નિરંતર ફરજ બજાવી રહ્યો છે. ડો. લતાબેન દેસાઈએ હજારો ગરીબ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી છે.

નિસ્વાર્થ સેવા અને સમગ્ર જીવન તબીબ પતિ સાથે આદિવાસી, ગરીબ અને વંચિત સહિત રોગીઓની સેવામાં સમર્પિત કરનાર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડો. લતાબેન દેસાઈ આ સન્માનનો શ્રેય પણ પોતાના કર્તવ્યનિષ્ઠ કર્મીઓને આપી રહ્યાં છે. પદ્મશ્રી ડો. લતાબેન ગૌરવ સાથે કહી રહ્યાં છે કે "આ એવોર્ડ મને નથી મળ્યો. મારા જીવન સાથી, અન્ય કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા તમામ લોકોને ફાળે જાય છે. હું તો માત્ર નિમિત્ત છું."

250 બેડની ધર્માદા હોસ્પિટલ આસપાસના 2,000 ગામડાઓને માતા અને બાળ સંભાળ, આંખની સંભાળ, બિન ચેપી રોગો અને સામાન્ય શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ચોવીસ કલાક ગૌણ સ્તરની સંભાળ પૂરી પાડે છે. કન્સલ્ટન્ટ સહિત 25 તબીબોની ટીમ ઝઘડિયા ગામમાં રહે છે. દર વર્ષે 2 લાખ દર્દીઓ હોસ્પિટલની સેવાઓનો લાભ લે છે. 70% દાખલ દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. હોસ્પિટલ સેવાઓનો ઉદ્દેશ્ય “અતિ આધુનિક સેવા અતિ ગરીબ માટે ” પ્રદાન કરવાનો છે. સેવા રૂરલ પાસે 300  કર્મચારીઓ છે. સેવા રૂરલને ગ્રેટ પ્લેસ ટુ વર્ક સંસ્થા દ્વારા “મહિલાઓ માટે કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ” તરીકે માન્યતા આપવામાં આવી છે.

  સેવા રૂરલની અસરકારકતા

• આદિવાસી વિસ્તારમાં શિશુ મૃત્યુદર 1982માં 186 મૃત્યુ/1,000 જન્મોથી ઘટીને હવે 25 થયો છે

• પ્રોજેક્ટ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં માતા મૃત્યુ દરમાં 75% સુધારો

• છેલ્લા 40 વર્ષોમાં 25 લાખ દર્દીઓએ કિફાયતી અથવા મફત સેવા

• સેવા રૂરલ ખાતે 1980 થી 1,25,000 થી વધુ દર્દીઓએ આંખને લગતા વિવિધ ઓપરેશનો કર્યા બાદ દ્રષ્ટિ મેળવી

• બે આદિવાસી બ્લોક વાલિયા અને ઝઘડિયાને મોતિયા મુક્ત જાહેર કરાયા

•  કૌશલ્ય વિકાસ અને રોજગારીથી 3,500 થી વધુ ગરીબ પરિવારોને ગરીબીમાંથી બહાર લવાયા

• ભારત અને વિદેશની 150 સંસ્થાઓમાંથી 26,000 તાલીમાર્થીઓનું આયોજન કરાયું

•  ઘણા યુવાનો ડો. લતા અને ડો, અનિલથી પ્રેરિત થયા છે અને તેઓએ પોતાનું જીવન દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે

સેવા રૂરલને અત્યાર સુધીમાં 35 થી વધુ એવોર્ડ મળ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જીનીવા એ ઉત્કૃષ્ટ નવીન સામુદાયિક આરોગ્ય કાર્ય માટે રૂરલને સાસાકાવા હેલ્થ પ્રાઈઝ 1985 એનાયત કર્યું. SEWA રૂરલને 2007 માં ભારતમાં માતાઓ અને તેમના બાળકોના જીવન બચાવવામાં તેના અગ્રણી કાર્ય માટે પ્રતિષ્ઠિત મેકઆર્થર એવોર્ડ મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 2015 માં સૌ પ્રથમ “પબ્લિક હેલ્થ ચેમ્પિયન” એવોર્ડ એનાયત કર્યો છે.


Thursday, May 9, 2024

સફળતાનો જીવનમંત્ર

 "સત્ય, સંયમ અને નિયમ. આ ત્રણ બાબતો  જીવનમાં સફળ થવા માટેનો જીવનમંત્ર છે. આ ત્રણ રુલ્સનો અમલ કરશો તો સફળ થતાં દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે." 

: પ્રકાશભાઈ કે. શાહ



     વિદ્વાન, વિચક્ષણ અને અનુભવી વ્યક્તિ સાથે સંવાદ કરવાથી   જે  જ્ઞાન પ્રાપ્ત થાય છે એ  એક હજાર પુસ્તક વાંચવાથી પણ પ્રાપ્ત થતું નથી. આદરણીય પ્રકાશભાઈ શાહ એવી જ એક વિરલ વિભૂતિ છે. તેઓ હરતી ફરતી વિશ્વવિદ્યાલય છે. આખા વિશ્વમાં તેઓ પ્રવાસ કરતા રહે છે. વિશ્વના શક્તિશાળી દેશ તેમની સાથે કરેલી  મુલાકાત દરમિયાન ઍક પ્રશ્ન પૂછવાનું મન થયું. મે પૂછ્યું "સાહેબ જીવનમાં સફળતાનું રહસ્ય શું છે?"
   આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે મારા સવાલનો જે જવાબ આપ્યો એ આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે. 
     મારી જિજ્ઞાસા સંતોષવા પૂછેલા સવાલનો જવાબ આપતાં આદરણીય પ્રકાશભાઈ શાહ જણાવે છે કે :
   "જીવનમાં શિસ્ત ( decipline) જ ન હોય તો કોઈપણ વ્યક્તિ સફળ કેવી રીતે થઈ શકે? વ્યક્તિના જીવનમાં ત્રણ વ્યક્તિ પરિવર્તન લાવી શકે છે. આપણે ત્યાં કહેવાયું છે કે એક માતા સો શિક્ષકોની  ગરજ સારે છે.  એટલે સૌથી પહેલાં એક માતા પોતાના સંતાનોને શિસ્તના પાઠ શીખવી શકે છે. એવી જ રીતે પિતા ઘરનો આધારસ્તંભ હોય છે. એના વર્તનની સંતાનોમાં ખૂબ મોટી અસર પેદા કરે છે. એટલે પિતા સંતાનની જીવનની દિશા બદલી શકે છે. એવી જ રીતે  ગુરુ એટલે શિક્ષક વ્યક્તિનું જીવન બદલી શકે છે! એક આદર્શ શિક્ષક પોતાના આચરણ થકી વિદ્યાર્થી ઓના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે છે. ગુરુ એ પોતાના શિષ્યને રંક માંથી રાજા બનાવી દીધા હોય તેવા કેટલાય દાખલા આપણા ઇતિહાસમાં મળી રહે છે.
    સામન્ય રીતે આજે બીજાનું લઈ લેવાની આદત પડી ગઈ છે. એ ખૂબ ખોટી બાબત છે. બીજાનું ઝુંટવી માણસ કેવી રીતે સુખી થાય. સુખી, સમૃદ્ધ અને સંપન્ન થવાના ત્રણ નિયમ છે. 
   જીવનમાં સત્ય, સંયમ અને નિયમ વણાઈ જાય તો જીવન આપામળે આદર્શ બની જાય. 
   સત્ય એટલે શું ? આપણા શાસ્ત્રો માં તો સત્ય એ જ પરમેશ્વર એમ કહેવાયું છે. ગાંધીજી એ સત્ય અને અહિંસાના બળે અગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકી. સત્યમાં ગજબની તાકાત છે. માણસ છે. જીવનમાં ભૂલ કરે. પણ જો હિંમત કેળવી એ ભૂલને સ્વીકારી, સત્યને ઉજાગર કરી માતા પિતા કે ગુરુ સામે પ્રાયાશ્ચિત કરે તો એનો હકારાત્મક ઉકેલ મળે છે. જ્યારે રાઈ જેવડી ભૂલને છુપાવવા માટે હિમાલય જેવા પાપ કરવા માણસ મજબૂર બની જાય છે. માટે મુક્ત થવાનો એક જ માર્ગ છે. અને એ છે સત્ય. સત્ય એ સુવાળા ઓશિકા જેવું છે. જેના પર માથું મૂકીએ એટલે નિરાંતની નીંદર લઈ શકીએ છીએ. જ્યારે અસત્ય કંટાળી શૈયા છે, જેના પર માણસ સુખેથી સૂઈ શકતો જ નથી.
       જીવનમાં ઉન્નતિના માર્ગે જવા સત્યની સાથે નિયમ પણ અત્યંત આવશ્યક છે. જે  માણસે જીવનમાં ચોક્કસ નિયમો નથી અપનાવ્યા એનું જીવન અસ્તવ્યસ્ત બ્ની જાય છે. નિયમ વિના  સમૃદ્ધ મનુષ્ય પણ સમય જતાં કંગાળ બની જાય છે. નિયમને જીવનની આદત બનાવો.
     આપણે ખરાબ આદતો ના આદિ બની ગયા છીએ. અમેરિકામાં કોઈ જોબ પર એક મિનિટ પણ મોડો પડે તો એને જોબ ગુમાવવી પડે છે. જ્યારે આપણે અહી શું ચાલે છે એ મારે કહેવું નથી જે આપ સારી રીતે જાણો છો. પછી વ્યક્તિ હોય કે દેશ કેવી રીતે સમૃદ્ધ બની શકે?? 
     જેણે સત્ય અને નિયમનું પાલન કર્યું તેઓ જીવનમાં સફળ થયા જ  છે. અને સફળતાનો ત્રીજો જીવનમંત્ર છે - સંયમ !
     આપ આપની આવડત અને કોઠાસૂઝ થી ખૂબ પૈસો પણ કમાયા, સુખી થયા, સંપન્ન થયા. આ બધું જ પામી લીધા પછી જો જીવનમાં સંયમ નહી હોય તો આ બધું જ લાત મારી ને ચાલી જશે. સંયમ  વગર માણસ બેફામ અને રાક્ષશી તામસી જીવન જીવે છે. જેના કારણે માણસ હતો ત્યાંનો ત્યા રસ્તા પર આવી જશે. સફળતા પચાવી પણ અઘરી છે દોસ્ત ! કહેવાયું છે કે માણસના સાચા સંસ્કારનું  દર્શન કરવું હોય તો એને બેસુમાર પૈસા અને સત્તા આપી દો. એ પછી માણસ જે વર્તન કરે એ તેના સાચા સંસ્કાર છે. ઝાડ ને જેમ ફળ આવે અને એ નમી જાય છે તેમ સમૃદ્ધિમાં વિનમ્રતા  જાળવી રાખવી એ ખાનદાન મનુષ્યની નિશાની છે. સમૃદ્ધિ આવ્યા બાદ મર્યાદા અને સંયમ ચૂક્યા તો સમજો ગયા કામથી! કુદરત એની શાન ઠેકાણે લાવી દેશે. રાવણ પણ વિદ્વાન હતો. શક્તિશાળી  હતો. એટલો તો સમૃદ્ધ હતો કે આખી નગરી સોનાની  હતી. એનું બધું જ ખતમ થઈ ગયું કે નઈ?
    સફળ થવામાં વર્ષો લાગે છે. ખતમ થવામાં દિવસો પણ નથી લાગતા. એટલે સફળતા મળે ત્યારે સંયમ જાળવી રાખવો એ બુદ્ધિજીવીનું  લક્ષણ છે.
     ગરીબ હોવું એ પાપ નથી. સાચું કહું તો ગરીબીમાં જ અમીરી છુપાયેલી છે. ગરીબ વ્યક્તિ પાસે જે ક્રિએટિવિટી હોય છે એ અમીરો પાસે નથી હોતી. પુરુષાર્થને આદત બનાવો. સત્ય, સંયમ અને નિયમ. આ ત્રણ બાબતો  જીવનમાં સફળ થવા માટે જીવનમંત્ર છે. આ ત્રણ રુલ્સનો અમલ કરશો તો સફળ થતાં દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહી શકે.
   બધું પ્રાપ્ત થયા પછી ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરીએ તો જીવનમાં આપો આપ શાંતિ અને સદભાવ ઉત્પન્ન થશે."
    જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરતા સૌકોઈ માટે પ્રકાશભાઈ શાહ સાહેબે બતાવેલો રસ્તો દીવાદાંડી રૂપ સાબિત થઈ શકે છે. 
-      ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Tuesday, May 7, 2024

Kartavya: Duty with Dedication Chapter 8

 Kartavya: Duty with Dedication

Chapter 8: Again, The Nirbhaya Case?



Many heinous incidents occur in the society that make our heart tremble just on hearing them. The Nirbhaya incident occurred at New Delhi, had shaken the whole country. Its ramifications had echoed from the streets to the Parliament. The government had understood the graveness of the incident and had made the laws more stringent. However, why do such atrocious incidents keep occurring in society is still in question. 

When a person breaks all the boundaries of humanity he takes a form of terrifying monster. The rape incident that had occurred recently in Aravalli was despicable.

Once in a hamlet of Malpur taluka, the entire village was celebrating the Holi festival beamingly. They had come for darshan of the holy fire of Goddess Holika. A couple living on the edge of the village also left their two young daughters sleeping at home and went to have darshan of the Holy fire. People were dancing in trance to the beats of the drumsticks hitting the big drums in unison. But amidst the thunderous sound of the drum, no one could hear the scream of the helpless four-and-a-half-year-old girl. 

After When the couple returned home puja of Goddess Holika, their younger daughter was not in the bed. They believed her playing somewhere nearby. They started searching her around but couldn’t trace her out. Now the hearts began trembling. After all, where has their sleeping daughter gone? In a moment a whirlwind of thoughts arose. Where would the daughter be? What condition she would be in? Who would have picked her up?

Nearby people also gathered and started searching the nearby fields with torches and lanterns. A torch light fell on the slope of the farm a short distance from the house and the sight caused a heart-rending scream of everyone who witnessed the scene. A demon of about twenty-four years old was brutally scratching a four-and-a-half-year-old girl to satisfy his lust. As light fell on that monster, he didn’t even wait to put on his clothes, he fled away to save his life.

…and a little girl laid in a pool of blood in agony and agony. All hell broke out on the daughter’s parents. The flames of Goddess Holika lit in the village had died down, but the flames that took shape in the life of the girl here were probably never going to die down.

              The shock was unbearable for the girl’s parents. The entire incident was reported to the Malpur police. The victim was admitted to the hospital for treatment.

             The district police showed extreme seriousness regarding this melancholic and sensitive case and were determined to find out the culprit and accord him the strictest punishment. Within hours, the police caught the fiend. Criticism was pouring in from all sides for this demonic act. 

The police didn’t rest by just arresting the rapist, but ensured that he would get seriously punished for his atrocious act. The then L.C.B. PI C.P Vaghela and his team investigated the case on a war footing. Due to lack of evidence, in many cases, the criminals acquitted, but in this case the police were careful not to miss even a slightest detail.

           The L.C.B. team after carrying out Panchnama collected the necessary evidences. The clothes that the girl child was wearing at the time of the incident along with clothes of the demonic man were sent to the FSL. The girl child was medically examined. All reports indicated the heinous act of the culprit.

          Sanjay Kharat’s efforts to get the case heard quickly in the Special court and the rapist to be punished expeditiously were great and his efforts were successful. The case was tried in a Special court. Public prosecutor D.S. Patel also made a strong pleading in the court and strengthened the case. Finally, every one’s hard work paid off. In just a short span of seven moths the court handed down its verdict and sentenced him by inflicting a rigourous punishment of 20 years to the devil in human form. This was a historic verdict. The efforts of L.C.B. PI C. P. Vaghela, PSI S. K. Desai in bringing the culprit to justice was admirable.

            The role of all officers and the Public Prosecutor in the entire case was instrumental in helping the victim’s family to get speedy justice.

Translated into English by Pallavi Gupta.

અવસર લોકશાહીનો

 પહેલાં મતદાન પછી જલપાન 

આદરણીય પ્રકાશભાઈ  શાહ એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે હજારો માઈલ અંતર કાપી અમેરિકાથી અરવલ્લી પધારે છે.



આજે 7 મે. અને આજે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી  થવા જઈ રહી છે. "મારા એક મતથી શું ફેર પડે છે ?" આવું વિચારી સેંકડો લોકો લોકશાહી પરત્વેની પોતાની ફરજ ચૂકી જાય છે. પ્રત્યેક ચૂંટણીમાં આવા સેંકડો લોકો માટે પ્રેરણા રૂપ દૃષ્ટાંત પૂરું પાડે છે આદરણીય પ્રકાશભાઈ શાહ. 
વિધાનસભા કે લોકસભા ભારતની કોઈપણ ચૂંટણી હોય ત્યારે પ્રકાશભાઈ શાહ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા હજારો માઈલનું અંતર કાપી વતનની વાટ પકડે છે.  અમેરિકામાં ગરિમાપૂર્ણ પદ શોભાવનાર આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ ચૂંટણી સમયે પોતાનો એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અમેરિકાથી ભારત અચૂક પધારે છે. માત્ર એક મત ખાતર કોઈ અમેરિકાથી ભારત આવે એ વાત સામાન્ય જનતાને અચરજ પમાડે છે. પરંતુ લોકશાહીને મજબૂત કરવા એક મતનું શું મૂલ્ય હોય છે એ પ્રકાશભાઈ શાહ સુપેરે જાણે છે. અને તેઓ કરોડો ભારતીય મતદારો માટે રોલ મોડેલ પૂરું પાડે છે. 

આજ રોજ પ્રકાશભાઈ શાહ વાત્રક ખાતે પધારી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હજારો માઈલ દૂર રહીને પ્રકાશભાઈ વતનને અનહદ પ્રેમ કરે છે, તો આજે આપણે આપણી ફરજ કેમ ચૂકીએ?
ચૂંટણી પંચનાં તાજેતરનાં એક રિપોર્ટ અનુસાર આપણાં દેશમાં 94.5 કરોડ મતદારો નોંધાયા છે અને આશ્ચર્યજનક રીતે એમાંથી એક તૃતિયાંશ લોકો પોતાનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા નથી. 2019ની ચૂંટણીમાં 30 કરોડ લોકોએ પોતાનો મતાધિકાર જતો કર્યો હતો. લોકશાહી ધરાવતા કોઇપણ દેશ માટે ચિંતા ઉપજાવે એવી બાબત છે. મતદાન એ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે. 
મારા એક મતથી શું ફેર પડે આવું વિચારનારા માટે એક રસપ્રદ કિસ્સો રાજસ્થાનનો છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે સીપી જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમને ૬૨૨૧૫ મત મળ્યા હતા જયારે હરીફ ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણને ૬રર૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે સીપી જોશી ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જોશીના માતા અને પત્ની મતદાન કરવા ગયા ન હતા.
૧૯૯૮માં એક મત ઓછો મળતાં  સંવેદનશીલ સત્તાધિશ અટલ બિહારી વાજપેયીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. ૧૯૯૯માં સંસદમાં તેમની સરકાર એક મતે પડી ગઇ હતી. આ સમયે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા હતા જયારે પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૨૬૯ મત હતા.
આવાં તો અનેક ઉદહરણોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. 
પ્રકાશભાઈ શાહ કહે છે "જો આપણે લોકશાહીને મજબૂત કરવા મતદાનથી અળગા રહીશું તો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના આત્મા કેટલા દુઃખી થશે એ જાણો છો?  વિશ્વમાં ભારતની તાકાત વધારવા માટે પણ ભારતના નેતૃત્વને મજબૂત કરવા સો ટકા મતદાન કરવું જરૂરી છે. હું તો મિટ્ટી નો ઠૂર છું. ભારત માતા નું ઋણ ચૂકવવા ભારત આવું છું. આપ પણ આજે સો ટકા મતદાન કરી રાષ્ટ્ર સેવાયજ્ઞ માં આપની આહુતિ જરૂર આપશો.".
 યુવાનો, વડીલો, માતાઓ બહેનો સૌને અપીલ છે કે આજે મતદાન અચૂક કરી રાષ્ટ્રભક્તિના દર્શન કરાવશો. ભારત માતા પ્રસન્ન થશે.

- ઈશ્વર પ્રજાપતિ


Saturday, May 4, 2024

સન્ડે સ્પેશિયલ

માત્ર એક મતની સરસાઈની હાર-જીતે ભૂતકાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક રાજનીતિમાં કેવી ઉથલ પાથલ મચાવી હતી, જાણો છો ? 


 

વિધાનસભા કે લોકસભા ભારતની કોઈપણ ચૂંટણી હોય ત્યારે એક ખાસ વ્યક્તિ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા હજારો માઈલનું અંતર કાપી વતનની વાટ પકડે છે.  અમેરિકામાં ગરિમાપૂર્ણ પદ શોભાવનાર આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ ચૂંટણી સમયે પોતાનો એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અમેરિકાથી ભારત અચૂક પધારે છે. માત્ર એક મત ખાતર કોઈ અમેરિકાથી ભારત આવે એ વાત સામાન્ય જનતાને અચરજ પમાડે છે. પરંતુ લોકશાહીને મજબૂત કરવા એક મતનું શું મૂલ્ય હોય છે એ પ્રકાશભાઈ શાહ સુપેરે જાણે છે. અને તેઓ કરોડો ભારતીય મતદારો માટે રોલ મોડેલ પૂરું પાડે છે.

ચૂંટણી પંચનાં તાજેતરનાં એક રિપોર્ટ અનુસાર આપણાં દેશમાં 94.5 કરોડ મતદારો નોંધાયા છે અને આશ્ચર્યજનક રીતે એમાંથી એક તૃતિયાંશ લોકો પોતાનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા નથી. 2019ની ચૂંટણીમાં 30 કરોડ લોકોએ પોતાનો મતાધિકાર જતો કર્યો હતો. લોકશાહી ધરાવતા કોઇપણ દેશ માટે ચિંતા ઉપજાવે એવી બાબત છે. મતદાન એ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે. મતદાન જાગૃતિ માટે સમગ્ર દેશના વહીવટી તંત્રએ જબરજસ્ત કમર કસી છે. અરવલ્લી જીલ્લાના ચૂંટણી અધિકારી અને જિલા કલેકટર માન. પ્રશસ્તિ પારિક સાહેબ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મતદાન જાગૃતિ માટે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. અને નોંધનીય બાબત એ છે કે તમામ કાર્યક્રમોને સફળ બનાવવા પોતે અગ્રેસર રહી સહભાગી થયાં. ૮૫ વર્ષ થી વધુ ઉમરના મતદારોના ઘેર રૂબરૂ જઈ મતદાન કરાવ્યું. બાઈક રેલીમાં સૌથી આગળ મોપેડ માન. કલેકટર સાહેબ અગ્રેસર રહી સૌનો ઉત્સાહ વધાર્યો. મતદાનની પ્રક્રીમાં મહત્તમ લોકો જોડાય એ માટે ગામે ગામ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.  

         મારા એક મતથી શું ફરક પડે છે તેવું માનવું એ ભૂલભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે. ચૂંટણી હારનાર નેતાઓમાં મહાત્મા ગાંધીસરદાર પટેલ અને અટલ બિહારી વાજપેયીના મહત્વના ઉદાહરણ છે. એક મતનું મૂલ્ય સમજવું પડે તેમ છે. ‘મતદાન એ મહાદાન છેતેવું ચૂંટણી પંચ દ્વારા વારંવાર કહેવામાં આવે છે તે યથાર્થ છે.

          ઇતિહાસમાં એવી ઘટનાઓ પણ બની છે કે મહાનુભાવો ચૂંટણી હારી ગયા છે. મહાત્મા ગાંધી જયારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે ૧૫મી નવેમ્બર ૧૯૧૫માં તેમની ગુજરાત સભાના ઉપપ્રમુખપદે વરણી થઇ હતી. મુંબઇ અધિવેશનમાં ડેલિગેટ તરીકે ગુજરાત સભા દ્વારા ગાંધીજી અને વલ્લભભાઇ પટેલની પસંદગી થઇ હતી. ૧૭મી ડિસેમ્બર ૨૦૧૫માં મુંબઇમાં કોંગ્રેસની સબજેકટ કમિટી (વિષય વિચારીણી)ની ચૂંટણીમાં ગાંધીજીને માત્ર ત્રણ મત મળ્યા હતા અને તેમનો પરાજય થયો હતો. એવી જ રીતે છઠ્ઠી ગુજરાતી સાહિત્ય સભાના પ્રમુખપદ માટેની ચૂંટણી ૧૨મી ઓગષ્ટ ૧૯૧૯માં થઇ ત્યારે ગાંધીજીને આફ્રિકાથી પાછા આવ્યાને યાર વર્ષ થયાં હતા અને તેમની નામના થઇ હતી તેમ છતાં બેરિસ્ટર ગાંધીને ૧૫ મત મળ્યા હતાજયારે તેમના પ્રતિસ્પર્ધી હરગોવિંદ કાંટાવાળાને રર મત મળ્યા હતા. ગાંધીજીનો ૭ મતે પરાજય થયો હતો.



૭મી ડિસેમ્બર ૧૯૧૫માં સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત સભાના ડેલિગેટની ચૂંટણીમાં ૨૪માં ક્રમે ચૂંટાયા હતા. અમદાવાદ મ્યુનિસિપાલીટીની પેટાચૂંટણીમાં તેઓ દરિયાપુર બેઠક પરથી લડ્યા હતા અને ૩૧૪ મત મેળવ્યા હતા જયારે તેમના હરીફ બેરિસ્ટર મૌયુદ્દીનને ૩૧૩ મત મળ્યા હતા. સરદાર પટેલનો આ બેઠક પર એક મતથી વિજય થયો હતો. અમદાવાદના ઇતિહાસમાં આટલી રસાકસીભરી ચૂંટણી ક્યારેય થઇ નથી. આ એક મત સરદાર પટેલના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. આ મત ગણતરીને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને ૨૬મી માર્ચ ૧૯૧૭માં કોર્ટ તરફથી આ ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. મ્યુનિસિપાલીટીની ચૂંટણીના રાજકારણનો તેમનો આ પહેલો અનુભવ હતો.

વિશ્વમાં પણ એક મતે સત્તા પલટાવી નાંખી છે.

 ૧૯૨૩માં એક મત વધારે મળતાં એડોલ્ફ હિટલર નાઝી પાર્ટીના નેતા બન્યા હતા અને હિટલર યુગનો જન્મ થયો હતો. ૧૯૭૫માં એક મતથી ફ્રાન્સ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્યું હતું. ૧૭૭૬માં એક મત વધુ મળતાં જર્મનીની જગ્યાએ અંગ્રેજી અમેરિકાની રાષ્ટ્રભાષા બની હતી. ૧૯૬૧માં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીત્યા હતા. આ એક જીતના કારણે પાર્ટીની બેઠકોની સંખ્યા ૧૦ થઇ હતી જયારે હરીફ પક્ષ પાસે નવ બેઠકો રહી હતી. અમેરિકાના ૧૭જાક રાષ્ટ્રપ્રમુખ એન્ડ્ર્યુ જોનસન એક મતથી બચી ગયા હો અને રૂથરફોર્ડ હેયસ માત્ર એક મથથી અમેરિકાના ૧૯માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

 ૧૯૯૮માં એક મત ઓછો મળતાં  સંવેદનશીલ સત્તાધિશ અટલ બિહારી વાજપેયીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. ૧૯૯૯માં સંસદમાં તેમની સરકાર એક મતે પડી ગઇ હતી. આ સમયે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા હતા જયારે પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૨૬૯ મત હતા.

      એક મહત્વનો કિસ્સો યાદ કરવા જેવો યે. ૨૦૦૪માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એઆર કૃષ્ણમૂર્તિને ૪૦૭૫૧ મત મળ્યા હતા જયારે તેમના હરીફ યુવનારાયણને ૪૦૭પર મત મળ્યા હતા. એક મતથી કૃષ્ણમૂર્તિ હારી ગયા હતા.આ એક મતના કારણ તેઓ ધારાસભ્ય બની શક્યા ન હતા. આ ચૂંટણી સમયે કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા માટે જવાની મંજૂરી માગી હતી પરંતુ એક મતથી શું ફરક પડે છે તેવું માનીને ખુદ કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવા દીધો ન હતો અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. બીજો એવો રસપ્રદ કિસ્સો રાજસ્થાનનો છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે સીપી જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમને ૬૨૨૧૫ મત મળ્યા હતા જયારે હરીફ ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણને ૬રર૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે સીપી જોશી ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જોશીના માતા અને પત્ની મતદાન કરવા ગયા ન હતા.

મહારાષ્ટ્રના પુનામાં દાદીના મતથી પૌત્રની પંચાયતમાં જીત થઇ હતી. મુલશી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૩ વર્ષના સરૂબાઇ સાઠે નામની દાદીએ તેમના પૌત્રને મત આપ્યો હતો. મત આપ્યા પછી રાત્રે દાદીનું અવસાન થઇ ગયું. જયારે પરિણામ આવ્યું ત્યારે પૌત્ર વિજય સાઠે માત્ર એક મતથી વિજયી બન્યો હતો. તેણે કહ્યું કે જો મારી દાદીએ મત આપ્યો ન હોત તો હું ચૂંટણી હારી ગયો હોત. મારા દાદી ઇચ્છતા હતા કે પૌત્ર ગામના વિકાસ માટે કોઇ કામ કરે અને તેની ઇચ્છા ફળિભૂત થઇ છે. ગુજરાતમાં ૨૦૧૭માં રાજયસભાની યોજાયેલી ચૂંટણીમાં જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાના એક મતથી કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો અને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા હતા.

 એક મતથી વિજય મેળવેલો નેતા જેટલો ખુશ થાય છે તેટલું દુખ એક મતથી હારેલા નેતાને પણ થાય છે તેથી એક મતનું મૂલ્ય શું છે તે આ ઉદાહરણો બતાવી જાય છે.

 

  

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts