name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, February 1, 2026

સન્ડે સ્પેશિયલ

   "આપના જીવનની મહત્ત્વપૂર્ણ વ્યક્તિને  Love you, Thank you કે Sorry  કહેવાનું હોય તો આજે જ કહી દો. આવનારી ક્ષણ સાવ ઠગારી છે."


જિંદગી સાચે જ રોલર કોસ્ટર જેવી છે. ક્યારેક તે આપણને સાતમા આસમાને પહોંચાડે છે તો ક્યારેક બીજી જ ક્ષણે ઊંધા માથે નીચે લાવી પટકે છે. જીવન કોઈક ક્ષણે એવા વળાંકો લેતી હોય છે વ્યક્તિએ તેની સ્વપ્નમાં પણ કલ્પના કરી નથી હોતી. અત્યંત નિકટના પ્રિયજન ની અણધારી વિદાય વ્યક્તિ ના જીવનને વેરવિખેર કરી મૂકે છે. છેલ્લી ઘડીએ પ્રિયજન સાથે છેલ્લી કોઈ જ વાત થઈ શકી ન હોય તેનો અકથ્ય બોઝ વ્યક્તિએ આજીવન હૃદયમાં પીડા આપતો રહે છે. આજે અહીં એવા કેટલાક પ્રશ્નો ને પ્રગટ કરતું પુસ્તક ની ચર્ચા કરવી છે. 

અમેરિકામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદી 'ન્યુ યોર્ક ટાઇમ્સદૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે.  ધ બુક ઑફ કવૈશ્વન્સ' પુસ્તકે તેમાં પહેલું સ્થાન મેળવેલું.  ગ્રેગરી સ્ટોક આ પુસ્તકના  લેખક છે. અંગ્રેજી પુસ્તક ‘ધ બુક ઑફ કવૈશ્વન્સ'માંથી નમૂનારૂપે ઉપરના પ્રશ્નો આપ્યા છે . સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પુછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવાં પડે છે. પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છેઅંતર - નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે કારણ કે તે પ્રામાણિક હૃદર્યોએ આપેલા હશે. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નોમાંના કેટલાક પ્રશ્નો આ પ્રમાણે  છે.

1. તમે ભૂતપ્રેતમાં માનો છોન માનતા હો તો ‘ ભૂતિયા બંગલા તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો ?

2. આજથી એકસો વરસ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ?

૩. અઠવાડિયા પછી પરમાણુ - યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હોતો શું કરો ?

4. તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છેહજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે ?

5. છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલોતેનું કારણ શું હતું ?

6. તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છેએમનાં અંગો લકવાનો ભોગ બન્યાં છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ દાક્તરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો ! તો તમે આપો ?

7. તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે?

8. તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો?

9. તમે માંસાહાર કરો છોતો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?
10. 
એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોયતો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?

11. તમને પ્રખ્યાત થવું ગમેકઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો ?

12. કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છેતો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી ?
13. 
તમે જેનાથી બચી શકતા ન હોએવી તમારી કઈ આદતો છેતેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો ?

14. જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? – કોઈ સિદ્ધિસલામતીપ્રેમસત્તાજ્ઞાન કે બીજા કશાક માટે?

15. તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરોઅને પછી એ તમારો આભાર ન માનેત્યારે તમને શી લાગણી થાય છે?

16. દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હોઅને પૈસાની કશી ચિંતા કરવાની ન હોયતો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો?

17. જેના વિના જિંદગી જીવવા જેવી ન રહેએટલી બધી મહત્ત્વની કઈ વસ્તુ લાગે છે તમને?
18. 
તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોયતો તમે એવું ઇચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?

19. અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોયઅને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચિઠ્ઠી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવેઅને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોયતો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ ?

20. જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છેકઈ ?

21. કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે?

22. કોઈ માણસને ફાંસી આપવાની હોય ને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવેતો તમે તે જુઓ ખરા ?

23. બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાયતેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે ?

24. કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી?  તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી?

25. તમારી કેટલી મૈત્રીઓ દસ વરસથી વધુ ટકી છેઅત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી દસ વરસ પછી પણ તમારે મન મહત્ત્વના રહ્યા હશે ?

આ પ્રશ્નપત્રની થોડીક નકલો કઢાવીને એક રાંજે સહુ કુટુંબીજનો ભેગાં બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાયતો પોતાના ઘરનાં જ માણસોની કેટલીક નવી પિછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે . શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે."

સાચે જીવન અનિશ્ચિતતા ઓ થી ભરેલું છે. આવનારી ક્ષણ કેવી હશે એની કલ્પના પણ નથી હોતી. આજે સવારે સૂર્યોદય જોનાર સેંકડો વ્યક્તિઓ આજનો સૂર્યોદય જોઈ શકવાના નથી. અને આજનો સૂર્યોદય જોનાર પૃથ્વી  પરની અનેક વ્યક્તિઓ આવતી કાલનું પ્રભાત જોઈ શકવાના નથી. એ દુર્ભાગી વ્યક્તિ કોણ હશે શું ખબર ?? એટલે જ વર્તમાન  જ જીવન છે. ભૂતકાળ કે ભવિષ્ય એ જીવન નથી. માટે આપના જીવનમાં જે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે તેમને  Love you, Thank you કે Sorry  કહેવાનું હોય તો આજે જ કહી દો. આવનારી ક્ષણ ઠગારી છે. આ ક્ષણ ચૂક્યા તો તેનો વસવસો આજીવન તમારા હૃદયને ડંખ્યા કરશે. અને પારાવાર પસ્તાવા સિવાય કંઇ જ નહીં બચે. 

 ( સંદર્ભ:અડધી સદીની વાચન યાત્રા. સં. મહેન્દ્ર મેઘાણી) 

- ઈશ્વર પ્રજાપતિ

9825142620