Sunday, March 31, 2024

સન્ડે સ્પેશિયલ


કેવી હતી આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી ?

ચાર મહિના ચાલેલી ચૂંટણી પ્રક્રિયામાં ૬૮ ફેઝમાં મતદાન થયું હતું.

 



લોકશાહી દેશ માટે ચૂંટણી એ મહોત્સવ સમાન હોય છે. ભારત વિશ્વની સૌથી વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે. સમગ્ર દેશમાં અઢારમી લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ બરાબર જામ્યો છે. તંત્રએ નિષ્પક્ષ રીતે સો ટકા મતદાન થાય એ માટે કમર કસી છે. આજના સમયે ચૂંટણી પ્રક્રિયાને પહોંચી વળવા અદ્યતન ટેકનોલોજી અને પુરતા સંશાધનો ઉપલબ્ધ છે. અને ભારતીય પ્રજાજનો પણ મતદાનના અધિકાર માટે  શિક્ષિત અને જાગૃત છે. પરંતુ જ્યારે દેશ આઝાદ થયો અને પહેલી વાર દેશમાં ચૂંટણી યોજાઈ એ સમયે માહોલ કેવો હશે ! એ તરફ એક વાર નજર કરવા જેવી છે.

ભારતને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યું પરંતુ એ ખૂબ ઓછા લોકોને જ ખબર હશે કે પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52માં કઈ રીતે થઈ હતી અને કઈ રીતે મતદાન થયું હતું. પ્રથમ ચૂંટણીમાં લોકસભાની 497 તથા રાજ્ય વિધાનસભાઓીન 3283 સીટો માટે ભારતના 17 કરોડ 32 લાખ 12 હજાર 343 રજિસ્ટર્ડ વોટર હતા. કુલ 68 ફેઝમાં મતદાન થયું હતું.

અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયા બાદ ૧૯૫૧ માં પ્રથમ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીની તૈયારી કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો 25 ઓક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 સુધી એટલે કે લગભગ ચાર મહિના ચાલેલી આ ચૂંટણી પ્રક્રિયાને સમગ્ર દુનિયાના લોકતાંત્રિક દેશોની કતારમાં ભારતને ઊભું રાખી દીધું હતું. તેમજ ચૂંટણીનું મતદાન ચાર મહિના સુધી ચાલ્યું હતું. હિમાચલ પ્રદેશનાં કલ્પા ગામનાં 102 વર્ષના શ્યામસરણ નેગી દેશનાં પ્રથમ મતદાર બન્યા હતાં.

સૌથી મોટો પડકાર સામે આવ્યો હતો. દેશમાં 85 ટકા લોકો નિરક્ષર હતાં. તેઓ લખી વાંચી શકતા ન હતા. તેવા લોકો મત આપવા જાય ત્યારે, ઉમેદવારનું લખેલું નામ વાંચી નહીં શકે તો મત કેવી રીતે આપે ? આ મોટો પ્રશ્ન હતો. આથી ચૂંટણીમાં દરેક ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવ્યા હતાં. જેના આધારે નિરક્ષર મતદાર પણ પોતાના પસંદગીનાં ઉમેદવારને મત આપી શકે. એવી રીતે ચૂંટણી ચિન્હ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ બોગસ મતદાન રોકવા ખાસ પ્રકારની શાહી બનાવવામાં આવી હતી. જેનું નિશાન આંગળી ઉપર 8 દિવસ સુધી રહે છે. જેના કારણે એક વ્યક્તિ એક જ વેળા મતદાન કરી શકે. તેવી વ્યવસ્થા કરી હતી. 

દેશમાં પ્રથમ વખત જ ચૂંટણી થતી હોવાથી થીએટરોમાં ચૂંટણી પંચે ડોક્યુમેન્ટરી બતાવી લોકોને માહિતગાર કર્યા હતાં. અને મતદાનની જાગૃત્તિ લાવ્યા હતાં. દેશમાં પહાડો વચ્ચેનાં ગામોમાં પુલ ન હતાં. તેવી જગ્યા પર સેનાની મદદથી કામચલાઉ પુલ, નદી ઓળંગવા બોટની મદદ લઈ મતદાન કરવા માટે વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ હાથ ધરી હતી. મતદાર યાદી તૈયાર કરવાની સાથે બોગસ મતદાન અટકાવતા મતદારની આંગળી  ઉપર શાહીનું નિશાન કરવાનું નક્કી કરાયું. વૈજ્ઞાાનિકોએ ખાસ પ્રકારની શાહી તૈયાર કરી જેનું નિશાન ૮ દિવસ સુધી ભુંસી શકાય નહીં. તેવી ૪ લાખ નાની બોટલ શાહી તૈયાર કરાઈ, ઉદ્યોગપતિ ફિરોઝશા ગોદરેજે ૨૦ લાખ મતપેટી બનાવી આપવાનું બીડું ઝડપ્યું. 

મુંબઈનાં વિક્રોલી વિસ્તારમાં એક ગામ ભાડે લઈ તેમાં તંબુ બનાવી રાત-દિવસ મતપેટી બનાવવાનું શરૂ કર્યુ. ટૂંક સમયમાં લક્ષ્યાંક પુરો કરવા તેમને દરરોજ ૧૫ હજાર મતપેટીનો ટાર્ગેટ રાખ્યો હતો. જેમાં કુલ ૮૨૦૦ ટન સ્ટીલ વપરાયું હતું. બેલેટ પેપર માટે ૪ લાખ પેપર રેમ્પ બનાવીને ૬૨ કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા હતાં. મતદાન માટે ર.૨૪ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં. જે પૈકી ૫૬ હજાર અધિકારી હતા. ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા માટે દેશમાં કુલ ૨૪ લાખ પોલીસ તૈનાત કરાયા હતાં. 

ભારત દેશમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી વખતે દેશની કુલ વસ્તી ૩૬ કરોડની હતી. જેમાં મતદારોની કુલ સંખ્યા ૧૭.૫૦ કરોડ હતી. જૈ પૈકી પુરૂષ મતદારની સંખ્યા ૯.૫૦ કરોડ અને સ્ત્રી મતદાર ૮.૦ કરોડ હતી.
 ૧૯૫૨ ની ચૂંટણીમાં કુલ ૧૦.૭૦ કરોડ મતદારોએ પોતાનો મતદાનનો હક્ક બજાવ્યો હતો. સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કેરળ રાજ્યનાં કોટ્ટયયમ સસંદીય બેઠક પર ૮૦ ટકા નોંધાયું હતું. જ્યારે મધ્યપ્રદેશની શહદોઈ સસંદીય બેઠક પર સૌથી ઓછું ૧૮ ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું.

સુકુમાર સેન મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમણે વોટર રજિસ્ટ્રેશનથી લઈને, પાર્ટીઓના ચૂંટણી પ્રતીકોના નિર્ધારણ અને પારદર્શી ચૂંટણી યોજવા માટે યોગ્ય અધિકારીઓની પસંદગીનું કામ કર્યું. બેલેટ બોક્સ અને બેલેટ્સને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા ખૂબ મુશ્કેલ હતું. જો કે આ ચૂંટણી પ્રક્રિયા ધીમે ધીમે સુધરી અને આજે આપણે દુનિયાના સૌથી વિશાળ લોકતંત્ર તરીકે દુનિયાને શીખવી રહ્યા છીએ કે ચૂંટણી કઈ રીતે કરાવવી જોઈએ.

એક મહત્વની હકીકત એ છે કે પ્રથમ લોકસભા ચૂંટણીમાં પ્રતિ મતદાર ખર્ચ 60 પૈસા આવ્યો હતો.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

Wednesday, March 27, 2024

Kartavya: Duty with Dedication Chapter : 7

 Kartavya: Duty with Dedication

Chapter : 7 In the Lair of Criminals


       If any crime is committed within the boundary of a State, its investigation becomes limited to that state, and hence solving that case becomes a bit easier for the police. But if the crime is connected to another State, it becomes very difficult and challenging to investigate and nab the treacherous criminals.

     A very famous party plot of Modasa city has witnessed many splendid occasions. In one such grand wedding ceremony, the hosts along with their guests were enjoying the occasion to the brim. After the feast, the guests left. Around 11 pm, the family members of the party-givers were engaged in photo shoot so as to make the event unforgettable. But none of them had the slightest idea that these blissful moments were not going to prevail longer.

During wedding occasions, it is a tradition to accept gifts in cash, and mostly this duty is assigned to the son-in-law of the family. He had finalized the amount of money received in the notebook and had securely put the cash along with the book in a bag, when someone urged him to join the family photo shoot. As people present there were all family members, he left the bag unattended on the counter table and joined the photo session. Finally, when it was all over, he returned to the counter for the bag, and found it gone. 

It was a bolt from the blue for the son-in-law, as the bag contained jewelleries and cash totalling a worth of around ten lakhs. He frantically started searching for the bag, but it was nowhere to be found. Initially he thought that someone must have played a prank on him by hiding the bag, but the bag was missing for real. The joy of marriage function turned into a melancholy.

Not the slightest bit was found despite searching all over the place. Just because of a reckless blunder, a very big amount of money was stolen. Despite the presence of abundant family members at the moment someone took the bag and had slipped away from everyone’s sight. The nearby police station was informed of this incident immediately. It was for the first time that a case of robbery of over 10 lakhs was filed in that region. The police started investigating this challenging case of professional robbers from late night. They started with checking the CCTV footages of the party-plot along with the surrounding shops. Suspicious activities of some 10-12 years old children were observed in them. How and why would the children of such a young age commit a robbery of such a large sum of money? Those children were passing the bag to each other and moving forward. They quickly delivered the bag to the car which was stationed at a certain distance and in the blink of an eye the car disappeared. 

The mystery of this theft was to be solved based on the CCTV footage. It was difficult to reach the crooks based solely on footage without any supporting evidence. But strong will makes the impossible possible. CCTV footages of the surrounding tolls were collected. A suspicious car was observed in them. The police successfully got their hands on the number of the car. The registration of the car was from Madhya Pradesh. A whole lot of details and the resume of the person on whose name the car was registered were gathered. Checking that resume revealed a long list of crimes. 

That village in Madhya Pradesh is very notorious. Most of the people here are known for smuggling in different parts of the country. These people have created such a dangerous awe that even the local police have to think many times before entering that village. These people abduct 10-12 years old children from Rajasthan and prepare them for trafficking. Children around this age can very easily get access to any occasion anywhere. They are trained on how to pick up the valuables on sight without grabbing any attention. Nobody even suspects them. The mastermind behind the whole incident is standing 200-500 metres away from the crime scene and has fully geared to escape. The moment the valuables reach their hands, their car vanishes at full speed within a few moments. The children are appeased by giving some money. 

The same notorious gang had carried out the theft of 10 lakhs in the Modasa party plot. The criminal record of the accused was in the hands of the police. Nabbing the crooks from that dangerous village in an unknown area of Madhya Pradesh was quite tricky than expected. The District Police chief Sanjay Kharat tried to talk to the Superintendent of Police of that area in Madhya Pradesh for help, but the local police cooperation did not provide the expected cooperation. 

The team of Aravalli District Police left for Madhya Pradesh. There was no possibility of getting the cooperation of local police there. Just a fortnight before the occurrence of this incident, the local police were fatally attacked from this village. Both tact and force had to be employed. The police mixed with the locals of that village in plain clothes and collected important information. Based on this information, it was certain that the accused of the theft of Rs. 10 lakhs belonged to this village. Extorting money from him was as hard as chewing iron grams. The police officers cleverly arranged a meeting with the village sarpanch and persuaded him to return the stolen money. While conversing with the sarpanch, it was revealed that many people including the Sarpanch were involved in the trafficking. The sarpanch was convinced to return the money using all possible tactics. According to him, all the theft booty was spent.



The task of recovering the money was difficult but the Aravalli District Police was not ready to give up. The Aravalli Police went to another State and without the cooperation of the local police entered the stronghold of dangerous criminals and were successful in seizing approximately three lakhs of stolen money. Recovering 3 lakhs rupees from those criminals was a big victory. Police are still putting effort to recover the remaining amount of money. The local police of Madhya Pradesh were also stunned to see this feat of the Aravalli Police. PSI C.F. Rathod and his team played a crucial role in solving this case.

The police don’t even care about their own lives to protect people’s lives and property. This is the intoxication that lies on wearing ‘Khakhi’.


©️Translated into English by Pallavi Gupta. 🌷

Tuesday, March 19, 2024

પુસ્તક પરિચય : અનુભૂતિ

 પુસ્તક પરિચય

અનુભૂતિ

લેખક : દેવેન્દ્ર પટેલ

વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અનુભૂતિ પુસ્તક તાજેતરમાં જ પ્રગટ થયું છે. નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત આ પુસ્તક કુલ ૫૭ પ્રકરણો ૨૫૮ પાનાઓ પર વિસ્તારાયેલાં છે.  લેખકની જીવનકથા નહીં, પણ જીવનની અનુભૂતિની કથા છે.

અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી 'બેડ બોયકહી હાંકી કાઢવામાં આવ્યો હોયપોતાની મસ્તીમાં ખલેલ પહોંચાડતા શાળાના બેલ ને જેણે ગુમ કરી દીધો હોયકડક શિસ્તના આગ્રહી પિતાના rules book નો ભંગ કરનારપિતાના ફરમાન સામે વિદ્રોહ કરનાર એક કિશોરના યુવાનીકાળમાં એવું તે શું પ્રગટ્યુ કે આગળ જતા સમસ્ત રાષ્ટ્ર એ  તેઓને રાષ્ટ્રના પ્રતિષ્ઠિત સન્માન એવા 'પદ્મશ્રી' ના  સન્માનથી નવાજ્યા.

      'કભી કભી'  કટાર લેખનથી વિશ્વમાં વસતા વાચકોના વાંચકોના દિલમાં સંવેદનાનો ચિત્કાર જગાવનાર લેખકપત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે પોતાના હૃદયમાં સચવાયેલાં  ખટમીઠા સ્મરણો તાજાં કર્યા છે.  

તેમાં બાળસહજ તોફાનોની કથા છે. શાળાઓએ બનાવેલી રૂલ બુકના ભંગની કથા છે. શ્રેષ્ઠતાને પામવા પિતાએ આપેલા ફરમાનોની કથા છે. પિતાએ કરેલા ફરમાનો સામેના વિદ્રોહની કથા છે. શિક્ષા પછી જીવનના ઊર્ધીકરણની કથા છે. સહજ રીતે પેદા થયેલી શબ્દપ્રીતની કથા છે. પરંપરાગત પત્રકારત્વથી અલગ થવાના પ્રયાસની કથા છે. પ્રતિભા-સંપન્ન વ્યક્તિઓ સાથેના સાંનિધ્યની કથા છે. તમામ ક્ષિતિજોની પેલે પારના રોમાંચક પ્રવાસ અને પ્રવાહ પછી લાધેલા જીવન સૌંદર્ય અને જીવન દર્શનની કથા છે. 

કટાર લેખન, વાર્તા, નવકથા, ધારાવાહિક, નાટક, ફિલ્મ, વેબ સીરીઝ એમ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરવા છતાં  દેવેન્દ્રભાઈ પટેલ સાહિત્યકારને બદલે  નખશીખ પત્રકાર હોવાનું ગૌરવ અનુભવે છે.  તેઓનું જીવન પણ તેઓની કટાર કોલમ 'કભી - કભી જેવું અનેક જોખમોસાહસો અને રોમાંચથી ભરપૂર છે.

સંશોધનાત્મક પત્રકારત્વ, રાજકીય વિશ્લેષણ માટેનું તેઓનું બારીક નિરીક્ષણ અને ઊંડા અભ્યાસને કારણે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો સાથે તેમના સંબંધો હૂંફાળા રહ્યા છે. એટલું જ નહિ પરંતુ ભારતના જે તે સમયના વડાપ્રધાન સાથે પણ તેમના સંબંધો નિકટના રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે તેઓના સંબંધો ઘનિષ્ઠ રહ્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતાં  ત્યારે તેઓની સાથે એક જ કારમાં મુસાફરી પણ કરી. ઇન્દિરા ગાંધીને કારમાં ચણીબોર ખાતા પણ જોયા. આ ઉપરાંત તેઓ રાજીવ ગાંધીઅટલબિહારી વાજપાઈ સાથે અંગત મુલાકાતો પણ કરી. એવી જ રીતે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ સાથે યમન યાત્રા પણ કરી. આ બધાં જ મધુર સ્મરણો આ પુ પુસ્તકમાં આબેહુબ આલેખ્યાં છે.



                     આ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ સાથે પણ તેઓએ અંગત મુલાકાતો કરી છે. રાજ કુમારદેવ આનંદ,  કિશોરકુમારમોહમ્મદ રફીપ્રદીપ કુમારસદીના મહાનાયક અમિતાભ બચ્ચનજયા બચ્ચન જેવા અનેક ફિલ્મી સિતારાઓ સાથે ઇન્ટરવ્યૂ કર્યા. પત્રકારત્વના વ્યવસાય માં શ્રેષ્ઠતાની ખોજ માટેનો પુરુષાર્થ રાજકારણીઓ કે ફિલ્મી સિતારાઓ સાથે જ ઈંટરેકશન પૂરતો સીમિત ન રાખ્યો. પરંતુ મુંબઈની અંધારી આલમના આકાઓનાં ઇન્ટરવ્યૂ કર્યા. મુંબઈ અન્ડરવર્લ્ડ ના એ સમયના ડોન હાજી મસ્તાન ના ઘરે જઈ ઇન્ટરવ્યુ કર્યો. મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી નિહાળ્યું.

                    સમાજના વિવિધ ક્ષેત્રોની જે તે વખતની શ્રેષ્ઠ પ્રતિભાવો સાથે તેઓની અલપ-ઝલપ ચાલુ જ રહી. અમેરિકાના પૂર્વ રાજદૂત એ સમયના વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રા_ગાલબ્રીથઁ_દલાઇલામા,વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આર્થર સી ક્લર્કજે.આર.ડી,તાતાલે. પ્રિન્સઆગાખાનજયપુરના મહારાણી ગાયત્રીદેવી સાથે મુલાકાત કરી ઇન્ટરવ્યૂ કર્યા છે.

      

દેવન્દ્રભાઈ પટેલની અત્યંત લોકપ્રિયતા તો સૌની નજરે ચડે છે પરંતુ એ લોકપ્રિયતાની પાછળ કેટલો પુરુષાર્થ રહેલો છે એ જાણવાનો પ્રયાસ બહુ ઓછા લોકો કરે  છે. શ્રેષ્ઠતાની ખોજ માટે  દેવેન્દ્રભાઈ  પટેલે જાનની બાજી લગાવી છે. પાકિસ્તાન ભીતર જઈ રીપોર્ટીંગ કરવની વાત હોય, ગુજરામાં થયેલા આંદોલન દરમિયાન વોહી રફતાર કોલમના પરચમથી સળગી ઉઠેલા ગુજરાત સમાચારની વાત હોય કે કુખ્યાત દાન ચોરના ઘેર જઈ ઈન્ટરવ્યું કરવાની વાત હોય કે પછી કોઇપણ જાતના ડર વિના કેટલાય લંપટ લોકોને બેનકાબ કરવાની વાત હોય !  આ પુસ્તકમાંથી પસાર થઈએ તો સમજાય કે પત્રકારિતા કેટલા સાહસ અને જોખમો ધરાવતો વ્યવસાય છે !

અત્યંત લોકપ્રિયતા અનેક જવાબદારી પણ સાથે લઈને આવે છે. અને માણસે વિનાકારણ  ઈર્ષ્યાનો ભોગ પણ બનવું પડે છે. આમાંથી દેવેન્દ્રભાઈ પણ બાકાત નથી. બેશુમાર લોકપ્રિયતાના કારણે તેઓ પણ જીવનના કોઈના કોઈ તબક્કે ઈર્ષાના ભોગ બન્યા જ છે. પરતું તેઓ આવા ઈર્ષાળુ અને ટીકાખોરોને સફાઈ આપવાને બદલે બધુને વધુ મહેનત કરી પોતાના કામથી જ જડબાતોડ જવાબ આપે છે. તેઓ કહે છે.  

1)"Sympathy you get but jealousy you have to earn"


2)
કાયરોને જ દુસ્મન હોતા નથી.

લેખક કહે છે " બીજા જન્મમાં મને વન ઉપવનનું ફુલ કે પારિજાતનું પુષ્પ બનવજો. હુ વગડામાં ખિલું તો વેરાન વગડાની શોભા બની શકું. કોઈ ઉપવનમાં ખિલું તો કોઈની આંખને આનંદ આપી શકું. કોઈ મને અડકે તો સુંવાળો સ્પર્શ આપી શકું. કોઈ ભ્રમર મારી પર બેસે તો મધુર રસ આપી શકું કોઈ મને ચૂંટી ને ઇશ્વર નાં ચરણો માં મુકે તો સૃષ્ટિના સર્જકને રાજી કરી શકું. કોઈ મારા અસ્તિત્વની નોંધ ના પણ લે તોય બસ નિજાનંદ માટે ખીલી ઊંઠુ."

       હા, તમારે પણ આ રોમાંચક સફરના સાક્ષી બનવું હોય તો આ પુસ્તક અચુક વાંચવું. રહ્યું.

પુસ્તકનું નામ અનુભૂતિ 

લેખક : દેવેન્દ્ર પટેલ 

મૂલ્ય : ૩૯૯ 

પુસ્તક પ્રાપ્તિ સ્થાન : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.

સંપર્ક :(૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ - પુસ્તક પરિશીલન માટે પુસ્તક  મોકલવાનું સરનામું. 
ઈશ્વર પ્રજાપતિ 
 X - ૩૦૩, પાવન સીટી, 
મેઘરજ રોડ,  મોડાસા. 
જિ. અરવલ્લી.  ૩૮ ૩૩ ૧૫ 

સંપર્ક : 9825142620

Friday, March 15, 2024

પુસતક પરિચય

 છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતના છેવાડાના માનવીના સ્વમાન, સ્વતંત્રતા અને સુરક્ષા માટે સતત સંઘર્ષરત #પદ્મશ્રી_દેવેન્દ્રભાઈ_પટેલ વધુ એક પુસ્તક થકી ભાવકોને સુંદર ભેટ ધરી.

પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ લિખિત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત "#મહાનાયક_પ્રાઈમ_મિનિસ્ટર_નરેન્દ્ર_મોદી" પુસ્તક 34 પ્રકરણ અને 186 પેઈજ ધરાવતું દળદાર અને દમદાર પુસ્તક છે.
ગુજરાતના જન્મથી લઈ આજ દિન સુધીના ગુજરાતમાં બનેલી રાજકીય સામાજિક સહિત તમામ ઘટનાઓના દેવેન્દ્રભાઈ પટેલ સાક્ષી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં ઘટેલી ઘટનાઓનું તેઓનું તર્કબદ્ધ વિશ્લેષણ પત્રકારીતા જગતમાં માઇલસ્ટોન રૂપ છે.
"સંદેશ" દૈનિકના ચીફ એક્ઝિક્યુટિવ એડિટર મહેશ લીલોરિયા પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવે છે કે "પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ આજના પત્રકારો માટે એક યુનિવર્સિટી છે. તેમને હરતુફરતું એન્સાક્લોપીડિયા કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાતી પત્રકારત્વની કોઈ પણ વાત દેવેન્દ્રભાઈ પટેલની વાત વગર અધૂરી છે."
માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં દેવેન્દ્રભાઈ પટેલ લિખિત "રાજનીતિજ્ઞ" નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તકને અપ્રતિમ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી. જે પુસ્તક હિન્દીમાં "રાજનીતિ" ના નામે, મરાઠીમાં "પંત પ્રધાન"ના નામે અને અંગ્રેજીમાં "The prime minister" નામે અનુવાદિત થયાં.
વડાપ્રધાનશ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ કોઈથીય છાનું નથી. એમ છતાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલની આગવી રસાળ શૈલીમાં નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વનું અભ્યાસપૂર્ણ સુંદર આલેખન આલેખન છે. પાંચ દાયકાના પત્રકારીતાનો અનુભવ, રાજનીતિનો ઊંડો અભ્યાસ અને ઘટનાઓ-બનાવોનું અભ્યાસપૂર્ણ વિશ્લેષણ પુસ્તકના દરેક પ્રકરણને રસપ્રદ અને માહિતિપ્રદ બનાવે છે.
આજના નરેન્દ્રભાઈ મોદી અનેક ટીકાઓ, પ્રચંડ સંઘર્ષ અને વિરોધીઓના બેબુનિયાદ આરોપોની આગમાં તપેલું એક ઝાંઝરમાન વ્યક્તિ છે. આવા વ્યક્તિત્વને અંગ્રેજીમાં વર્સેટાઇલ પર્સનાલિટી કહે છે. 8 વર્ષના બાળકોથી લઈ 80 વર્ષના વૃદ્ધોમાં એટલુંજ લોકપ્રિયતા ધરાવે છે. મહિલાઓમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવશાળી વ્યક્તિત્વથી પ્રભાવિત છે. "ગુડ ઇકોનોમિક્સ ઈઝ ઓલસો અ ગુડ પોલિટિક્સ" એ વાત નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કરી.
ગુજરાત પ્રત્યે દ્વેષભાવ રાખતા કેટલાક બિનગુજરાતી પત્રકારો એ ગોધરાકાંડ પછી જોડણીકોષ માં આવતી તમામ ગાળો આપી. સમૃદ્ધ ગુજરાત પ્રત્યે પૂર્વગ્રહ રાખતા લોકોએ 'મોદી મીટર' અને 'મોન્સ્ટર' તરીકે મોદીને ચિતર્યાં. આરોપોની અગમાં મોદીનું પ્રચંડ વ્યક્તિત્વ ઉભરીને બહાર આવ્યું. મીડિયા મોદીને જેટલી ગાળો આપતું રહ્યું તેટલી વધુને વધુ પ્રજાની સહાનુભૂતિ મોદીને સાંપડતી ગઈ. સામેથી થતા હુમલા વખતે શાંત રહેવું અને યોગ્ય સમયે વિરોધીઓને ધૂળ ચાટતા કરી દેવા તે મોદીની સહિષ્ણુતાવાદી સહજ વૃત્તિ છે. તેમણે પરંપરાગત રાજનીતિ માં 360 ડિગ્રીનો ફરક લાવી દીધો. માત્ર વાતો જ નહીં પરંતુ નિર્ણયો લઈ ને એકશન ઓરીએન્ટેડ નેતા સાબિત થયા.
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ મુત્સદ્દી સાબિત થયા. વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરનાર અમેરિકાએ જ મોદીનું લાલ ઝાઝમ પાથરી ભવ્ય સ્વાગત કર્યું. પાકિસ્તાનના ઘરમાં જઈ લપડાક મારી સબક શીખવાળ્યો. ચીન જેવા ચીને પણ સાણસામાં લીધું. અને એટલે જ અઝહર મસુદને આતંકવાદી જાહેર કરવાની ચીન ને ફરજ પડી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની પ્રચંડ લોકપ્રિયતાનો સ્વીકાર વિરોધીઓએ પણ કરવો જ રહ્યો.
આ પુસ્તકમાં આવી અઢળક વાતોનો સમાવેશ તો કરવામાં આવ્યો જ છે એ ઉપરાંત જવાહરલાલ નહેરુ, અટલ બિહારી વાજપેયીજી, મોરારજી દેસાઈ, ગુલજારીલાલ નંદા જેવા વડાપ્રધાનો અને સુશીલા ગણેશ માવલંકર, જયા બેન શાહ, મહારાણી મોહિન્દર કૌર જેવાં મહિલા નેતાઓનાં જીવનની અંતરંગ રસપ્રદ ઘટનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
દરેક પ્રકરણની શરૂઆત પ્રકરણને અનુરુપ મહાન ચિંતાકોના ચિંતનથી કરવામાં આવી છે. એક એક ચિંતન દિલને સ્પાર્ક કરી જાય છે. ચિંતન પસંદગીમાં પણ લેખકની જહેમત દેખાઈ આવે છે.
રાજનીતિમાં આગવી સૂઝને પરિણામે ઇન્દિરા ગાંધીથી લઈ અત્યાર સુધીના તમામ વડાપ્રધાનશ્રીઓ સાથે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલનો અંગત ઘરોબો રહ્યો છે. વડાપ્રધાન કોઈ પણ પાર્ટીના હોય તમામ સાથે તેઓની મૈત્રી રહી છે. તેઓના દીર્ઘકાલીન અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં ઉતાર્યો છે.
મોદીના વિરોધીઓને પણ વસાવી વાંચવું ગમે એવું આ સુંદર પુસ્તક છે. નવીન ઉભરતા નેતાઓને આ પુસ્તકમાંથી ઘણું ખરું માર્ગદર્શન મળી શકે તેમ છે. અને ઝીંદગી માં સફળતા ઝંખતા તમામ યુવાનોએ માઈક્રો પ્લાનિંગના પાઠ આ શીખવા ઉત્તમ પુસ્તક પુરવાર થાય એમ છે.
વધુ જાણવા આપે પુસ્તક વાંચવું જ રહ્યું.
પુસ્તક મેળવવાનું સ્થળ
નવભારત સાહિત્ય મંદિર
જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-1
ફોન. નં. 079 22139253

પુસ્તક પરિચય

 

ધી સ્ટેટ્સમેન
લેખક: પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ



    જાણીતા કટાર લેખક #કૃષ્ણકાંત_ઉનડકટના શબ્દોમાં કહું તો “પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ ખરા અર્થમાં શબ્દના સાધક છે. એમણે પોતાની જિંદગી શબ્દોને સમર્પિત કરી છે. પત્રકારત્વ અને લેખન વિશ્વમાં આવું વ્યક્તિત્વ 'કભી કભી' જ જોવા મળે છે. બહુ ઓછા લેખકો એવા હોય છે જેની દરેક વિષય પર હથોટી હોય. Devendra Patel પાસે આવો હુન્નર છે. તેઓની લેખનશૈલી એટલી રસાળ હોય છે કે એક વખત એમનું લેખન વાંચવાનું શરૂ કરે પછી પુરુ કર્યા વગર છોડી શકતો નથી”
    પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલ લિખિત ધી_સ્ટેટ્સમેન પુસ્તક પણ રસાળ શૈલીમાં લખાયેલુ રસપ્રદ પુસ્તક છે. આ પુસ્તક શ્રી નરેન્દ્ર મોદીનું જીવન વૃતાંત નથી પરંતુ તેમના વ્યક્તિત્વને 'લાર્જર ધેન લાઈફ' બનાવવા માટે કયા પરિબળો અને કયા કયા વ્યક્તિઓએ ભૂમિકા ભજવી એનું અત્યંત રસાળ આલેખન છે.
    શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ 1950ની 17મી સપ્ટેમ્બરે વડનગરના સામાન્ય પરિવારમાં, એક સામાન્ય મકાનમાં થયો હતો. જ્યાં સુવા, બેસવા, જમવા એક જ ઓરડો હતો. ખૂણામાં એક પાણીનું માટલું અને એક ચોકડી હતી. જ્યાં તેઓ આડે એક કપડું બાંધીને નાહવા માટે વાપરતા. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલા એક વ્યક્તિની વડનગર થી વડાપ્રધાન સુધીની સફરની થ્રિલ તો આ પુસ્તકમાં છે જ પણ સાથોસાથ 'મેકિંગ ઓફ નરેન્દ્ર મોદી'ની સાહજિક ગૂંથણી છે.
    કુલ 44 પ્રકરણ અને 255 પેજ ધરાવતું દળદાર પુસ્તક છે. '#સંદેશ' દૈનિકપત્રના #તંત્રી_શ્રી_ફાલ્ગુનભાઈ_પટેલ આ પુસ્તકની પ્રસ્તાવના લખી દેવેન્દ્ર પટેલની સંશોધનાત્મક શબ્દ સાધનાને શબ્દપુષ્પોથી પોંખે છે.
    વિશ્વની વિરલ વિભૂતિઓના ઊર્જાવાન શબ્દ ચેતનાથી દરેક પ્રકરણની શરૂઆત થાય છે. ટૂંકું પણ ચોટદાર quotes વાચકના મનને #Spark કરી જાય છે.
    પુસ્તકના પાના નંબર 173 ફકરા નંબર 2 લાઈન નંબર 14માં લેખક નોંધે છે કે "તેઓ શ્રી નરેન્દ્ર મોદીની બધી જ નીતિઓ અને કાર્યશૈલીના સમર્થક નથી". એમ છતાં વ્યક્તિત્વના તમામ પરિમાણોનું મનોવૈજ્ઞાનિક સંશોધનાત્મક અને તુલનાત્મક ઊંડો અભ્યાસ કરી સુંદર આલેખન કર્યું છે.
    છેલ્લા દાયકાઓમાં નરેન્દ્ર મોદી સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા છે. અનેક અવરોધો અને વિરોધાભાસ વચ્ચે પણ તેઓનું વ્યક્તિત્વ ઉત્તરોતર વધતું જ રહ્યું છે તે એક નકર હકીકત છે. વિરોધીઓ એ પણ આ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.
    રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સામાન્ય કાર્યકર તરીકે સમસ્ત ભારતનું ભ્રમણ તેઓએ કર્યું છે. ભારતના ભૃપૃષ્ઠ અને ભૂગોળથી તેઓ સુવિદિત છે. રાજકારણમાં તેમના પ્રવેશ, આરંભકાળથી જ અનેક વિરોધ વચ્ચે તેઓએ હરીફોની હંફાવી હંમેશા આગેકૂચ કરી છે. હરીફોએ તેમના માર્ગમાં પથ્થર નાખ્યા તો તેઓએ તે જ પથ્થરના પગથિયા બનાવી આગેકૂચ કરતા રહ્યા છે. કુટીલ રાજનીતિજ્ઞ તરીકે ચાણક્ય જેવી ઉભી કરેલી પોતાની પ્રતિભાનો રાજકીય, સામાજિક અને મનોવિજ્ઞાનિક રોચક વિવરણ આ પુસ્તકમાં છે.
    2002 ના રમખાણોએ વિશ્વભરમાં ગુજરાતની ગરિમાને કલંક પહોચાડ્યુ. કેટલાક લોકોએ આ રમખાણો માટે શ્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા. વિશ્વભરના અખબારોએ ભદ્ર ભાષામાં લખી બોલી શકાય તેવી તમામ ગાળો શ્રી નરેન્દ્ર મોદીને આપી. હિટલર અને મોનસ્ટર જેવા તમામ ઉપનામ આપ્યાં. કેટલાંક અંગ્રેજી અખબારોએ રમખાણોના મૃત્યુ આંક ને 'મોદી મીટર' નામ આપી છપ્યા. આ તમામ વિરોધના વંટોળ વચ્ચે એક પ્રખર લીડર તરીકે તેઓ ઉપસી આવ્યા. કહેવાય છે કે સૌથી વધુ ટીકા થાય છે તે જ સૌથી શક્તિશાળી બને છે. ખલનાયકોએ જ વિશ્વમાં નાયકો પેદા કર્યા છે.
    રાજનીતિની શતરંજની રમતના માહેર ખેલાડી સાબીત થયા. એવી સૉંગઠીઓ ગોઠવી કે CM માંથી PM બનતા કોઈ રોકી ન શક્યું.
આજે શ્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ મેદાન મારી ગયા છે. નોટ બંધી અને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા એક્શન લેનારા લીડર સાબિત થયા. બાળપણમાં પિતાની ચાની કીટલી ઉપર ચા વેચતા એક બાળકની વામન થી વિરાટ થવા સુધીની રોચક સફરની શબ્દયાત્રા આ પુસ્તક થકી કરી શકાય છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સામાન્ય પાયાના કાર્યકર માંથી વડાપ્રધાન બનેલા શ્રી નરેન્દ્ર મોદીનો આજે ભારતીય જનતા પાર્ટી કોઈ જ વિકલ્પ નથી તે નક્કર સત્ય છે.
આ પુસ્તકમાં આ બધી જ વાતોની તલસ્પર્શી છણાવટ કરવામાં આવી છે.
    પોતાની જ ભૂલોમાંથી શીખવા માટે જિંદગી ઘણી ટૂંકી પડે. માટે સફળ અને નિષ્ફળ લોકોના જીવનચરિત્રો વાંચવા એ મારો શોખ રહ્યો છે. વિસ્ટન ચર્ચીલ ને પણ વાંચવા ગમે હિટલરની માનસિક સ્થિતિનો અભ્યાસ કરવો એટલો જ ગમે. વિરોધ વિચારનો હોઈ શકે વ્યક્તિનો નહીં.
    આ પુસ્તક ના લેખક પદ્મ શ્રી દેવેન્દ્ર પટેલ સરળ છે સાહજિક છે. લેખન માટે ખૂબ રિસર્ચ કરે છે, ખૂબ અભ્યાસ કરે પણ છે એટલે જ શ્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ નું વિશ્લેષણ કરતી વખતે આ કથા પણ એટલી જ રસાળ બની રહે છે.
    વધું આસ્વાદ માટે આપે આ પુસ્તક વાંચવું જ રહ્યુ.
પ્રાપ્તિસ્થાન: નવભારત સાહિત્ય મંદિર જૈન દેરાસર પાસે ગાંધી રોડ અમદાવાદ. (079)22139253

- ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧ ૪૨૬૨૦

Wednesday, March 13, 2024

પુસ્તક પરિચય - 'રખડે એ મહારાજા'

   'રખડે એ મહારાજા'   

-લે. - લલિત ખંભાયતા


    ગુજરતી વાચકો માટે લલિત ખંભાયતાનું નામ અજાણ્યું નથી. ગુજરાતના માતબર અખબારોમાં સંશોધનાત્મક  લેખન કરી એક નવો જ ચીલો ચાતર્યો છે.  સમયાંતર કોલમ વિશ્વભરના ગુજરતી વાચકોની પ્રિય કોલમ બની ચૂકી છે. તેઓ એક ઉત્તમ સંશોધક, અભ્યાસુ લેખક-પત્રકાર અને  વિશ્વ પ્રવાસી છે. ગુજરાતી પત્રકારિતા જગતમાં સાહિત્ય ક્ષેત્રે પણ ખેડાણ કર્યું હોય એવા પત્રકાર કેટલા ?ગણતરી આંગળીના વેઢે ગણી શકાય એટલા ! લલિત ખંભાયતા તેમાંનું એક તેજસ્વી નામ છે.

    તાજેતરમાં જ લલિત ખંભાયાતા લિખિત "રખડે એ  મહારાજા" પુસ્તક પ્રગટ થયું. પુસ્તકનો અનુક્રમ જોતાં જ પુસ્તકમાંથી ઝટ પસાર થવાની તાલાવેલી લાગે.  કુલ ૧૪ પ્રકરણ ધરાવતું આ પુસ્તક ૨૧૫ પાનાંઓમાં વિસ્તરેલું છે.

    આમતો રખડવાનો અર્થ કોઈ જ હેતુ વિના આમ તેમ ભટક્યા કરવું તેવો થાય છે. પરંતુ લલિત ભાઈની રખડપટ્ટી ફળદ્રુપ છે. પરિણામે તેમની રખડપટ્ટીના ફલશ્રુતિ રૂપે વાચકોને અવાર નવાર અદભૂત અને આબેહૂબ પ્રવાસવર્ણનનાં  પુસ્તકો પ્રાપ્ત થતાં રહ્યાં છે.
(અનુક્રમ) 

    પુસ્તકની શરૂઆત જાપાન યાત્રાથી શરૂ થાય છે. વર્ષ ૨૦૧૮ માં લેખકે કરેલી જાપાન યાત્રા વિશે ખૂબ વિસ્તૃત રસપ્રદ લેખન કર્યું છે. લેખકનું પ્રવાસ વર્ણન વાચતા દૃશ્ય નજર સામેથી પસાર થતાં હોય એવી અનુભૂતિ થતી રહે. જાપાનના શહેરો, ગ્રામ્ય વિસ્તાર, શિંકાન્સેન એટલે કે બુલેટ ટ્રેન, ત્યાંની સંસ્કૃતિ, બૌદ્ધ મંદિરો, વગેરે વિશે ઝીણવટ ભર્યો અભ્યાસ  કરી લેખકે આલેખ્યો છે.  જાપાની ટેકનોલોજીની દુનિયા આખી કેમ દીવાની છે એ પુસ્તક વાંચીએ તો આપણને સમજાય! જાપાન વિશે જાણવાની સામાન્ય માણસને ઝાઝી ઉત્કંઠા હોય છે. ૪૫ જેટલા પેજમાં સમાવિષ્ઠ "જાપાન : પીઝાના ભાવમાં વિઝા" પ્રકરણ વાંચી લઈએ તો ઘણી એવી જીજ્ઞાશા સંતોષી શકાય એમ છે.

આ પુસ્તકમાં પ્રવાસ વર્ણન સાથે સાથે દિલધડક રોમાંચનો  પણ અનુભવ  થયા વિના રહેતો નથી. ચોતરફ રણ વિસ્તાર હોય, આજુબાજુ કોઈ સજીવ નજરે ન ચડતો હોય, ગાડીમાં પેટ્રોલ પૂરું થવાની અણી પર હોય, મોબાઈલમાં કવરેજ ન હોય, સાંજ પડવા આવી હોય અને એવા ભેંકાર રણ વિસ્તારમાં તમે રસ્તો જ ભટકી જાઓ તો શી હાલત થાય ? પ્રવાસ દરમિયાન બનેલા  આવા દિલચસ્પ કિસ્સા પણ લેખકે નોંધ્યા છે.
જાણીતા પ્રદેશની અજાણી વાતો સંશોધન કરીને ઉજાગર કરવું અને વાંચકોને કાંઈક નવું પીરસવું એ લલિતભાઈ માટે પેશન છે.  એટલે આ પુસ્તકમાં ગોવાની વાત હોય કે ગિરનારની, અયોધ્યાની હોય કે પાટણ રાણકી વાવની, કરેલની વાત હોય કે કોડાઈકેનાલની દરેક પ્રકરણમાંથી પસાર થતાં લેખક જાણે સંદર્ભ સાથેની  પ્રમાણભૂત માહિતીનો અણમોલ ખજાનો ખોલી આપે છે.

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીએ ગુજરાતના બહારવટિયા વિશેની લોકકથાઓ આલેખી છે. ગુજરાતના પહેલા અને છેલ્લા બહારવટીયા કોણ?  આ બાબતે પણ જંગલો જાળીઓ ખૂંદીને ઊંડું સંશોધન કરી લેખકે રસપ્રદ માહિતી ઉઘાડી મૂકી છે.

    લલિતભાઈની ભાષામાં  આડંબર નથી. ભાષા સરળ અને સચોટ છે. ક્યાંક ક્યાંક સટાયર પણ  જોવા મળે. પાણીના વહેણની જેમ વાત આગળ ધપતી જાય. પ્રકરણ પૂર્ણ થાય નહિ ત્યાં સુધી વાચક પુસ્તક છોડી  જ શકે નહિ. લેખક તરીકે આ તેમની આગવી સિદ્ધિ છે. પુસ્તકમાં પ્રકરણ  વાર જરૂરિયાત મુજબ ફોટોગ્રફ્સ પણ સમાવ્યા છે. કયા સ્થળે શું જોવું?  ક્યાં રોકાવું? જમવાની શું વ્યવસ્થા છે? શું શું ધ્યાન રાખવું? જેવી સઘળી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

    લલિતભાઈ આવા પ્રવાસો ખેડતા રહે અને આપણને તેમના  તરફથી આવાં અનેક પુસ્તકો પ્રાપ્ત થતાં રહે તે માટે અનેકાનેક શુભામનાઓ.


પ્રાપ્તિ સ્થાન. નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ.
સંપર્ક : 98250 32340
પુસ્તકનું મૂલ્ય : 330/-

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620


(પુસ્તક પરિશીલન માટે પુસ્તક  મોકલવાનું સરનામું. 
ઈશ્વર પ્રજાપતિ 
 X - ૩૦૩, પાવન સીટી, 
મેઘરજ રોડ,  મોડાસા. 
જિ. અરવલ્લી.  ૩૮ ૩૩ ૧૫ 
સંપર્ક : 9825142620

Tuesday, March 12, 2024

Chapter 5, Kartavya

 Chapter 5, Kartavya 

Why an Eerie Silence in Modasa?

         The afternoon of 18th July 2022 will probably never be forgotten by Modasa town. The whole Modasa town was stunned. An incident that occurred in the afternoon shook the people of the district entirely. That incident was so serious that it’s echoes were heard in Gandhinagar after a short while. 

          Malpur road was centre of shopping as many famous showrooms and shops were located there. It was crowded with people all day long. There situated a well-known showroom of electronics. Once, the owner of this showroom was busy with his work when suddenly three people barged in the shop. One of them possessed a pistol in his hand. They rushed towards the counter and demanded 4 lakh rupees from the shop owner at gunpoint. The owner of the showroom was taken aback by this sudden incident. He was at a loss to understand as how to react under this situation. However the owner fearlessly resisted the three unknown people and refused to hand over any money.

          The unknown assailants who had come to the showroom with the intention of loot and robbery, resorted to violence. One of the assailant’s took a hammer and hit the showroom owner hard on the head. Blood gushed profusely from the head of the showroom owner. However, he still resisted the robbers with full courage. People gathered on hearing the commotion, and the robbers fled for the fear of being caught. The robbers threatened a young man and fled away by forcibly snatching away his moped. 

           The showroom owner screamed in bloody state, people gathered, but by the time the robbers had succeeded in fleeing away. During this commotion the criminals vanished in thin air. Never had such a violence with the intent of robbery in broad daylight taken place in such a congested area of Modasa town. This incident went viral. The whole town was shocked by it.

The police on getting the news, immediately rushed to the spot. Seeing the seriousness of the incident, Sanjay Kharat, the Chief of police himself reached the crime spot in no time. 

            This incident was broadcasted as breaking news by all the TV channels. The State Home Minister also spoke directly with the District Chief of Police to quickly resolve this issue of violent burglary. 

             Solving this case was a tough challenge for the police. The bike on which the criminals had arrived did not even have a number plate, but luckily the entire incident was captured on CCTV. The CCTV footage went viral so much that the disturbing visuals reached to the majority of people’s mobiles. Based on this footage and ‘NETRAM’, the robbers were now to be traced.

Without losing a single moment, the district police set wheels in motion to nab the criminals. Dy Sp. Bharat Basiya, LCB PI C. P. Vaghela and other senior officers together with team ‘NETRAM’ started working on this case. The private informers were activated. All these actions took place within a couple of hours after the incident.

PSI J. H. Chowdhry, in charge of NETRAM branch, examined the footages from CCTV cameras installed all over the town. His phone rang, but the pressure of work was such that he did not have leisure to pick up his phone. The phone rang second time, a third time… He was repeatedly getting a phone call over and over again. He finally received it. The other side said that they knew the person who was involved in that day’s incident. One of the culprits was a person living in a village of Talod Taluka and the other two of his accomplices were his friends who lived in an area nearby Modasa.

          An important link got in hand for solving the case. Details about the burglars were acquired through NETRAM CCTV footages. They had ditched the moped on the highway on running out of petrol, and had fled towards the jungle. Police cordoned the area and caught all the three culprits and seized the motorcycle used in the loot, fake pistol and their mobiles.

           The incident had occurred in the afternoon and before nightfall the culprits were already in custody of the police. This was a huge success. By solving the case in mere 3 to 4 hours, the police reassured the public that any criminal howsoever with high connections, too, cannot escape from the clutches of the police. The media, who was questioning the performance of the police just two or three hours ago, was now admiring the performance of the same police. The Aravalli police were showered congratulations from all over. The State Home Minister also praised the Aravalli Police Chief for this speedy solution of much debated and lime lighted case.

          When the accused was interrogated about as to how the idea of stealing occurred to him. The answer he gave was really shocking. He said, “I bought a music system worth Rs 1.5 lakh at home but I did not have enough money to pay for it. So, by looting, I intended to pay the remaining price.” The police too were startled on hearing this.

           Anyone who spends more than his income on unnecessary hobbies and shows off will eventually regret it.

©️Translated into English by Pallavi Gupta 🌷


*******************************

Sunday, March 10, 2024

93 વર્ષની અમેરિકન વૃદ્ધ મહિલાએ કહ્યું. “મારે કોલેજને ડોનેશન આપવું છે.”


93 વર્ષની અમેરિકન વૃદ્ધ મહિલાએ કહ્યું. “મારે કોલેજને ડોનેશન આપવું છે.”



અમેરિકાના બ્રોન્ક્સમાં આવેલી વિખ્યાત આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસનમાં અભ્યાસ કરવો હોનહાર વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. વૈશ્વિક મેરીટ લીસ્ટ જોતા પ્રવેશ મેળવવો તો અઘરો છે જ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ પ્રતિભા છતાં આ કોલેજની ખૂબ ઊંચી વર્ષના ૫૯૦૦૦ ડોલર ફી ભરવા સક્ષમ નથી. તેઓનું તો સ્વપ્ન રોળાય છે પણ સમાજ એક આવા ડોકટરની વંચિત રહે છે. અમેરિકા અને યુરોપની કેટલીક કોલેજની ફી મોંઘી હોય છે તેનું કારણ ત્યાં ઉપલબ્ધ લાઇબ્રેરી, વિદ્વાન પ્રોફેસરની ફેકલ્ટી, લેબ અને સંશોધનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચર હોય છે. આપણી જેમ સંચાલકો વિદ્યાર્થીઓને કંઈ આપ્યા વગર રાજકીય સાંઠગાંઠ સાધીને શિક્ષણને ધંધો નથી સમજતા.

થોડા દિવસો અગાઉ એક ઉદાહરણીય ઘટના બની. આઈન્સ્ટાઈન કોલેજના અધ્યક્ષની ઓફિસમાં એક વૃદ્ધ મહિલાએ પ્રવેશ કર્યો અને તેમણે તેનો પરિચય આપતાં કહ્યું કે 'મારું નામ રુથ ગોટ્ટેસ્માન છે અને હું આ જ કોલેજમાં ભૂતપૂર્વ મહિલા પ્રોફેસર તરીકે રહી ફરજ બજાવી ચૂકી છું.'

આ નિવૃત્ત મહિલા પ્રોફેસરની વય ૯૩ વર્ષની હતી તેથી સ્વાભાવિક છે કે વર્તમાન કોઈ સ્ટાફને તેનો પરિચય ન હોય. વૃદ્ધ મહિલાએ તેનો પરિચય આપીને સીધી મૂળ વાત પર જ આવતા સાવ ટુંકમાં જ કોલેજના અધ્યક્ષને કહ્યું કે 'મારા પતિનું થોડા દિવસો પહેલા મૃત્યુ થયું છે અને તેઓ તેમની વસિયતમાં તેનું રોકાણ અને તેની બચત મારા નામે કરતા ગયા છે અને તેમણે વસિયતમાં લખ્યું છે કે આ રકમ તારી, તારે આ રકમનું જે કરવું હોય તે કરજે.' એટલે હું આ કોલેજને ડોનેશન આપવા આવી છું.'

કોલેજમાં તો આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બે પાંચ લાખ ડોલર કે બહુ તો દસ લાખ ડોલર પણ ડોનેશન આપવા આવતા હોય તેથી અધ્યક્ષને કંઈ નવું ન લાગ્યું.

વૃદ્ધ ભૂતપૂર્વ મહિલા પ્રોફેસરે કહ્યું કે 'આ કોલેજનું મેડિકલ શિક્ષણ શ્રેષ્ઠ છે પણ અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિદ્યાર્થી પર બે લાખ ડોલર સુધીનો બોજ થઈ ગયો હોય છે. તે ડોકટર અને તેના પરિવારની આખી જિંદગી આર્થિક ભીંસમાં પસાર થતી હોય છે. મારા પતિ મારા નામે એક અબજ ડોલર (અંદાજે રૂ. ૮૪૦૦ કરોડ) મૂકીને ગયા છે અને મારી ઈચ્છા પ્રમાણે તેનો ખર્ચ કરવાની છૂટ આપી છે તો હું ડોનેશન આપવા આવી છું.'

અધ્યક્ષના મનમાં હશે કે એકાદ વિષય પર સ્કોલરશિપ તેમના નામથી થાય તે માટેનો આ પ્રસ્તાવ હોઈ શકે.

અધ્યક્ષે કહ્યું 'બોલો કઇ રીતે તમે કેટલું ડોનેશન આપવા માંગો છો.'

વૃદ્ધ ભૂતપૂર્વ મહિલા પ્રોફેસરે એક જ શ્વાસમાં એકદમ સહજતાથી કહ્યું કે 'મારા નામના તમામ એક અબજ ડોલર હું આ મેડિકલ કોલેજને આપવા માંગુ છું.'

અધ્યક્ષ તો ખુરસી પરથી ઊભા થવાનું બાકી રહે તેમ ચોંકી ગયા. ભારે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા પ્રાપ્ત કરીને અધ્યક્ષે પૂછયું કે 'કોઈ અલાયદી જમીન ખરીદીને તમારા નામથી કોઈ ડિપાર્ટમેન્ટ કે કોઈ સંકુલ કે ટ્રસ્ટ ઇચ્છો છો.. કઈ રીતે આ રકમનો ઉપયોગ કરીએ?'

તે નિવૃત્ત મહિલા પ્રોફેસરે કહ્યું કે 'આ કોલેજમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓની તેઓને મેડિકલ ડિગ્રી મળે ત્યાં સુધીની તમામ ફી ડોનેશનની રકમ અને તેનું વ્યાજ મળે તેમાંથી ખર્ચ કરજો. એટલે કે આ કોલેજમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થી મફતમાં અભ્યાસ કરે તે માટે આ રકમ છે.'

મહિલાએ બીજી શરત એ મૂકી કે 'મારા નામની કોઈ તકતી ના મૂકતા કે કોઈ ટ્રસ્ટ મારા નામનું ન હોવું જોઈએ. વિદ્યાર્થીને પણ જણાવવાની જરૂર નથી કે તે કોઈપણ ફી વગર અભ્યાસ કરે છે તે રકમ કોણે આપી છે. આ રકમ કોલેજને આપી દઉં છું અને કોલેજ માત્ર એવી જ જાહેરાત કરે કે હવેથી અમારી કોલેજના જે વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટ પ્રમાણે પ્રવેશ મેળવશે તે તમામને નિઃશુલ્ક ચાર વર્ષ અભ્યાસ કરવાનો છે.'

એક ગણતરી પ્રમાણે અત્યારે જ જો પ્રત્યેક વિદ્યાર્થિની ચાર વર્ષની બે લાખ ડોલરની કુલ ફી એક અબજ ડોલરમાં ફાળવી દેવાય તો ૫૦૦૦ વિદ્યાર્થીઓ એડવાન્સ ફી સાથે ફ્રીમાં અભ્યાસ કરી શકે. પણ કોલેજમાં તો પ્રત્યેક વર્ષે ૩૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે. તે રીતે આજે જ વીસ વર્ષ જેટલી રકમ તો છે જ. તે પણ એડવાન્સ ગણતરી કરીએ તો  ખરેખર તો પ્રત્યેક સેમેસ્ટર વખતે ફીનો હિસ્સો અપાતો હોય છે તેથી મૂકેલું રકમનું વ્યાજ પણ જમાં થતું રહે. આવી પ્રેરણાથી બીજા કોઈ દાનવીર તેમાં જોડાય તે નિશ્ચિત છે. મહિલાએ કોઈ શરતો કે નામ વગર એમ જ રકમ આપી હોઇ તે ફંડમાં કોઈપણ ઉમેરો થઈ શકે અને કોલેજ માટે આ રીતે રકમ મળી હોઈ તે હવે વિસ્તારવી આસાન બની રહેશે.

કોલેજે મહિલાની હાજરીમાં જ જાહેરાત કરી દીધી છે કે આગામી જુલાઈથી શરૂ થતાં સત્રમાં જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવશે તેઓને ડિગ્રી મળે ત્યાં સુધી ફ્રીમાં અભ્યાસ કરવાનો છે. કોલેજની જાહેરાત કે બ્રોશર અને વેબસાઈટ કોઈ માધ્યમમાં મહિલાએ કોઈનું નામ ન મૂકવાની શરત મૂકી છે.

કોલેજે તેના જર્નલમાં આ મહિલા વિશે લખ્યું અને મીડિયામાં કવરેજ થયું.

ધનવાન માઈકલ બ્લૂમબર્ગ દ્વારા ૧.૮ અબજ ડોલરનું ડોનેશન જોહન હોપકિન્સ સંસ્થાને કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે અપાયેલ આ સૌથી મોટું દાન છે અને હવે તે પછી બીજા ક્રમે આ મહિલાના દાનનો આવે છે. જો કે દાતાનું ક્યાંય નામ ન હોય તેવો આ મહિલા રુથનો આ એક માત્ર કિસ્સો છે.

આપણે ત્યાં પણ વિદેશમાં ૫૦ કરોડની યાટની માલિકી ધરાવતા કે લગ્નમાં કરોડો વેડફતા શ્રીમંતો, છૂટાછેડા બાદ યુવતીને મળતી મિલિયન્સ ડોલરની રકમ અને ધનિકોના પ્રવાસમાં ઐયાશીના ફોટા અને અહેવાલ આવે છે પણ રુથ ગોટ્ટેસ્માન જેવી મહિલાએ આ અસાધારણ માનવીય દાન કર્યું તેની જોઈએ તેવી નોંધ નહીં લેવાય.એટલે જ લોકોની નજરમાં ઝટ ન ચઢે તેવું શોધીને અમે આ લખવા પ્રેરાયા.

યાદ રહે અમેરિકાની આવી ટોચના રેન્કની કોલેજ મફતનું ભણતર છે એટલે ઉપરથી ચીઠ્ઠી લઈને આવેલા કે વગદારના ફોનથી લાયકાત ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતું. જો કે અમેરિકામાં એવું કલ્ચર પણ નથી કે લાયક ન હોય તેવા માટે કોઈ સાંસદ કે સેનેટ ફોન કરે.

ભારતમાં આવો કોઈ દાનવીર હોય તો રાજકારણીઓ અને વગદારોના ફોનથી લાયક ન હોય તેવા વિદ્યાર્થીઓ મફતમાં અભ્યાસ માટે બેઠકો ભરી મૂકે અને લાયક રહી જાય.

અમેરિકામાં અને બ્રિટન સહિત યુરોપની પ્રતિષ્ઠિત કોલેજો પારદર્શક વહીવટ કરે છે. મહિલાની આ હદના ડોનેશન છતાં લાક્ષણિકતા એ પણ હતી કે તેણે પોતાના પરિવાર કે જ્ઞાાતિ માટે કેટલીક ફ્રી બેઠકો અનામત રાખવી તેવી શરત પણ નહોતી મૂકી.

અમેરિકન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ જેસે અહેરેનફેલ્ડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકા (અને વિશ્વ પણ) હોનહાર ડોકટરોની તીવ્ર અછત અનુભવી રહ્યું છે તેનું સૌથી મોટું કારણ મેડિકલમાં અભ્યાસ કરવાનો ખર્ચ ઓછા લોકોને પરવડતો હોય છે. ડોકટરો ઓછા છે તેને લીધે ગ્રામ્ય વિસ્તારો સુધી ડોકટર પહોંચતા જ નથી. અવાસ્તવિક બિલ મૂકીને ડોકટરો દર્દી પાસેથી ચાર્જ વસૂલે છે. કેમ કે તેઓને ફી સરભર કરવી હોય છે.

જો શહેર કે રાજ્યની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજને નિવૃત્ત મહિલા પ્રોફેસર જેવા દાતા મળી જાય તો ડોકટરોની સંખ્યા અને ગુણવત્તા પણ વધે. તેથી પણ વિશેષ સમાજમાં દાન આપવાની 'ગીવિંગ બેક ટુ સોસાયટી'ની ભાવના વધતી રહે.

 મહિલાના મેડિકલ કોલેજના અનોખા ડોનેશનની પ્રેરણા લઈને તરત જ વિશ્વની ધનાઢય મહિલાઓની યાદીમાં સ્થાન પામે છે તેવી જુલિયા કોચે જેઓ કોઈ લાંબી બીમારીથી પીડાતા હોય તેઓ માટે રહેવા, ભોજન અને સુશ્રુષા સાંપડે તેવું મેડિકલ કેર સેન્ટર વેસ્ટ પામ બીચમાં ઉભુ કરવા ૭.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬૦૦ કરોડ)ની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી છે.

અમેરિકામાં ડોનેશનનું કલ્ચર વિશ્વમાં પ્રણેતા સમાન કહી શકાય. 'ધ ક્રોનિકલ ઓફ ફીલાન્થરોફી' લખે છે કે અમેરિકામાં વર્ષ ૨૦૨૩માં માત્ર શૈક્ષણિક સંસ્થાઓને જ ૫૮ અબજ ડોલર જેટલી જંગી રકમનું ડોનેશન મળ્યું છે આ ખૂબ જ ઉત્સાહજનક અને સુખદ ભાવિ તરફ આંગળી ચીંધતો ટ્રેન્ડ છે. અમેરિકામાં વિશ્વનો કોઈપણ વિદ્યાર્થી, કોઈપણ રંગ કે ધર્મનો હોય તે આ લાભ લાયકાત પ્રમાણે મેળવી શકે છે.

જ્ઞાાન પોસ્ટ : પુત્ર સ્ટેનફોર્ડ જુનિયરનું ૧૫ વર્ષની વયે જ ટાઇફોઇડની બીમારીમાં નિધન થતાં   અમેરિકાના ઉદ્યોગપતિ અમાસા લેલેન્ડ સ્ટેનફોર્ડ અને પત્ની જેનને વિચાર આવ્યો કે તેના વહાલસોયા પુત્રની યાદમાં સમાજને કંઇક પ્રદાન આપીએ અને તેઓએ કેલિફોર્નિયા સ્ટેટમાં પાલો આલ્ટો વિસ્તારમાં જમીન ખરીદી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ૧૮૮૫માં સ્થાપના કરી.આ માટે તે જમાનાના ૪ કરોડ ડોલરનું દાન કર્યું હતું. તેનો પ્રથમ વિદ્યાર્થી હર્બર્ટ હૂવર હતો જે આગળ જતા ત્યાંથી અભ્યાસ કરીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. આજ સુધીમાં સ્ટેનફોર્ડમાં અભ્યાસ કરી ચૂકેલા ૭૪ વિદ્યાર્થીઓએ આગળ જતાં નોબેલ પારિતોષિક, ૩૮ વિદ્યાર્થીઓએ ટયુરીન એવોર્ડ, ૧૫૦ ઓલિમ્પિક ગોલ્ડ  સહિત ૨૪૬ મેડલ જીત્યા છે.વિશ્વના ૭૦ અબજોપતિ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે. અમેરિકાની તમામ સંસ્થાઓમાં સૌથી વધુ એકર વિસ્તાર આ યુનિવર્સિટી ધરાવે છે.

એક શૈક્ષણિક સંસ્થા અને ડોનેશન વિશ્વને કઈ હદની ભેટ આપી શકે છે તે વિચારવા જેવું છે.હજુ બે વર્ષ પહેલા જ સ્ટેનફર્ડને જોહન ડોએર નામનાં ધનાઢય વ્યકિતએ ૧.૨ અબજ ડોલરનું દાન કલાઈમેટ સ્કૂલ સ્થાપવા માટે આપ્યું હતું.આ સ્કૂલ તેના નામથી બનશે. (સાભાર માહિતી સૌજન્ય – હોરાઈઝન : ભવેન કચ્છી )

સંપાદન – ઈશ્વર પ્રજાપતિ

9825142620

 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts