Sunday, June 25, 2023

સન્ડે સ્પેશિયલ

  "એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોયતો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?" : ગ્રેગરી સ્ટોક 


અમેરિકામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદી 'ન્યુ યોર્ક ટાઇમ્સ' દૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે.  ધ બુક ઑફ કવૈશ્વન્સ' પુસ્તકે તેમાં પહેલું સ્થાન મેળવેલું.  ગ્રેગરી સ્ટોક આ પુસ્તકના  લેખક છે. અંગ્રેજી પુસ્તક ‘ધ બુક ઑફ કવૈશ્વન્સ'માંથી નમૂનારૂપે ઉપરના પ્રશ્નો આપ્યા છે . સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પુછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવાં પડે છે . પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છે, અંતર - નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે , કારણ કે તે પ્રામાણિક હૃદર્યોએ આપેલા હશે. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નોમાંના કેટલાક પ્રશ્નો આ પ્રમાણે  છે.

1. તમે ભૂતપ્રેતમાં માનો છો? ન માનતા હો , તો ‘ ભૂતિયા બંગલા ' તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો ?

2. આજથી એકસો વરસ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ?

૩. અઠવાડિયા પછી પરમાણુ - યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હો, તો શું કરો ?

4. તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છે? હજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે ?

5. છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલો? તેનું કારણ શું હતું ?

6. તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છે, એમનાં અંગો લકવાનો ભોગ બન્યાં છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ દાક્તરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે , આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો ! તો તમે આપો ?

7. તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે?

8. તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો?
9.
તમે માંસાહાર કરો છો? તો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?
10.
એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોય, તો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?

11. તમને પ્રખ્યાત થવું ગમે? કઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો ?

12. કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છે? તો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી ?
13.
તમે જેનાથી બચી શકતા ન હો, એવી તમારી કઈ આદતો છે? તેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો ?

14. જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? – કોઈ સિદ્ધિ, સલામતી, પ્રેમ, સત્તા, જ્ઞાન કે બીજા કશાક માટે?

15. તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરો, અને પછી એ તમારો આભાર ન માને, ત્યારે તમને શી લાગણી થાય છે?

16. દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હો, અને પૈસાની કશી ચિંતા કરવાની ન હોય, તો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો?

17. જેના વિના જિંદગી જીવવા જેવી ન રહે, એટલી બધી મહત્ત્વની કઈ વસ્તુ લાગે છે? તમને
18.
તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોય, તો તમે એવું ઇચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?

19. અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોય, અને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચિઠ્ઠી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવે , અને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોય, તો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ ?

20. જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છે? કઈ ?

21. કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે?

22. કોઈ માણસને ફાંસી આપવાની હોય ને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવે , તો તમે તે જુઓ ખરા ?

23. બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાય, તેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે ?

24. કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી?  તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી?

25. તમારી કેટલી મૈત્રીઓ દસ વરસથી વધુ ટકી છે? અત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી દસ વરસ પછી પણ તમારે મન મહત્ત્વના રહ્યા હશે ?

આ પ્રશ્નપત્રની થોડીક નકલો કઢાવીને એક રાંજે સહુ કુટુંબીજનો ભેગાં બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાય, તો પોતાના ઘરનાં જ માણસોની કેટલીક નવી પિછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે . શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે , તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે. (સાભારઅરધી સદીની વાચન યાત્રા. સં. મહેન્દ્ર મેઘાણી) 

- ઈશ્વર પ્રજાપતિ

9825142620

Sunday, June 18, 2023

સન્ડે સ્પેશિયલ

ગુમ થયેલો અજય આખરે ક્યાં હતો ?


અજય  સાથેનો  સંબંધ  મારા માટે  બોઝ બની  ગયો હતો,
એટલે મેં એને મળવા માટે જંગલમાં બોલાવ્યો હતો. : કુસુમ



એપ્રિલ 2021ની આ વાત છે.  સાબરકાંઠા અને અરવલ્લીના  સીમાડે આવેલ એક ગામમાં ચહલપહલ મચી હતી. ગામનો એક આશાસ્પદ યુવાન બે દિવસથી ગાયબ હતો. એનું નામ અજય હતું. તે બાજુના જ એક ગામમાં સરકારી નોકરી કરતો હતો. અજય બે દિવસ પહેલાં નોકરી જવા માટે ઘેરથી નીકળ્યો હતો. એ પછી તે પરત ફર્યો ન હતો. પરિવાર ચિંતામાં ઘરકાવ બની ગયો હતો. સગાસંબંધી અને મિત્ર વર્તુળમાં પણ તપાસ કરાવી પણ અજયનો કોઈ જ પત્તો જડ્યો નહિ. આખરે પરિવારે પોલીસની મદદ લેવાનું મુનાસીબ માન્યું. પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

પોલીસે અજયની શોધખોળ આદરી. શોધખોળ કરતાં બાજુના ગામના જંગલ વિસ્તારમાંથી એક પુરુષની  લાશ મળી આવી. તેના શરીર પર ઘાતકી રીતે  ચપ્પાના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. આ લાશ બીજા કોઈની નહિ પણ બે દિવસથી ગુમ થયેલ અજયની જ હતી. અજયની હત્યાની જાણ થતાં આખા પરિવારજનો પર જાણે આફતનું આભ ફાટ્યું. કોઈને કંઈજ સમજાતું ન હતું કે અજયની હત્યા કોણે અને કેમ કરી? અજય એક સારી સરકારી નોકરી કરતો હતો. એને સુંદર પરિવાર હતો. કોઈ સાથે દુશ્મની પણ હતી નહીં. તો આવી ઘાતકી હત્યા કરી કોણે ? આ સવાલનો જવાબ કોઈ પાસે હતો નહીં. પોલીસ માટે આ કેસ ઉકેલવો એક કોયડારૂપ હતો.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

 અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ કેસની ગંભીરતા સમજી કેસ LCBને સોંપ્યો. તત્કાલીન એલસીબી પી.આઈ. વાઘેલા અને તેમની ટીમે કેસને ઉકેલવા મોરચો સંભાળ્યો. અરવલ્લી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમિદારોને કામે લગાડ્યા. કેસની વધુ તપાસ કરતાં જે તથ્યો બહાર આવતાં ગયાં તે ચોંકાવનારાં હતાં. અજયની કોલ ડિટેઇલનું વિષ્લેષણ  કરતાં એક ફોન નંબર શંકાસ્પદ જણાતો હતો. એ નંબર પર અજય દિવસમાં અનેકવાર વાતચિત કરતો. અજયના નંબર પરથી છેલ્લી વાત પણ એ શંકાસ્પદ ફોન ઉપર જ થઈ હતી. પોલીસે તેની વિગત મેળવી. એ ફોન નંબર કુસુમ હતો. કુસુમ એ અજયના કુટુંબી નાના ભાઈની પત્ની હતી. હવે આ હત્યા કેસે નવા જ વળાંક લીધો.

કુસુમ યુવાન હતી. સુંદર હતી. તે તેના સાસુ સસરા સાથે એકલી રહેતી હતી. પોલીસે કુસુમની પૂછપરછ આદરી. પોલીસથી સત્ય છુપાવવું અશક્ય હતું. ઉલટ સુલટ પ્રશ્નો પૂછતાં કુસુમ ભાંગી પડી. પોલીસને અતઃથી ઇતિ કહી સંભળાવ્યું તે અત્યંત આઘાતજનક હતું.

કુસુમે પોલીસને જણાવ્યું  "ભર્યાભાદર્યા પરિવારમાં મારો ઉછેર થયો. યુવાનીના ઉંમરે પગ મૂકતાં જ મારાં કાકીના ભાઈ કેતન સાથે આંખો મળી અને પ્રેમ સંબંધે બંધાઈ ગઈ. કેતનને સાથે જીવવા મરવાના કોલ આપી ચુકી હતી. એટલે એની સાથે રહેવા ઘેરથી ભાગી નીકળી. ભલે વિધિપૂર્વક અમારાં લગ્ન નથી થયાં પરંતુ છેલ્લા પાંચ વર્ષથી અમે પતિ પત્નીની જેમ રહીએ છીએ.

કેતનનો પરિવાર સાધારણ પરિવાર હતો. પરિવારના નિભાવ માટે કેતન કચ્છમાં નોકરી કરવા ગયો. મારા સસરા એટલે કે કેતનના પિતાને બી.પી.ની બીમારી હતી. તમને સાચવવા મારે તેમની સાથે ઘેર જ રહેવું. પડતું. કેતન મહિને બેત્રણ દિવસ માટે ઘેર આવતો. એ બેત્રણ દિવસ જ અમે સાથે રહી શકતાં. એ પછી કેતનની હૂંફ માટે મારે મહિનાની રાહ જોવી પડતી. વિરહ ક્યારેક અસહ્ય થઈ પડતો.

 મારા સસરા બીમાર રહેતા હોવાથી અજય અવાર નવાર ખબર કાઢવા આવતો. અજય એ મારો કૌટુંબિક જેઠ પણ થતો. સસરાની ખબર જોવાનું એક બહાનું હતું એ મને જ જોવા આવતો. એ ઘેર આવી મને નીરખ્યા કરતો. એની નજર પરથી  અજયના ઈરાદા હું પામી ગઈ. મને પણ એકલતા કોરી ખાતી હતી. મને પણ અજયનો સહવાસ ધીમે ધીમે પસંદ આવવા લાગ્યો. મર્યાદાઓ ઓળંગી  સંબંધમાં અમે ક્યારે આગળ વધી ગયાં એ હું કાંઈ સમજી ન શકી. એ પછીતો અજય અને હું અવારનવાર મળતાં રહેતાં. પરંતુ મારા પતિ કેતનને જો આ સંબંધની જાણ થશે તો ? આ વિચાર જ મને કંપાવી મુકાતો. ક્યારેક ઘોર પાપ કર્યાની લાગણી અનુભવાતી.

 આ સંબંધને વધુ આગળ વધતાં અટકાવી દેવો મને યોગ્ય લાગતું હતું. અજયથી હું દૂર થવા પ્રયત્ન કરતી હતી. પરંતુ અજય હવે દૂર જવા માટે તૈયાર ન હતો. ઘણું સમજવ્યા પછી પણ એના ફોન આવ્યા જ કરતા હતા. આ સંબંધ મારા માટે હવે એક બોઝ બની ગયો હતો.

એક વાર મારા પતિ કેતન કચ્છથી ઘેર આવેલા હતા. એ દરમિયાન મારા ફોનની કોલ ડિટેલમાં અજયનો નંબર જોઈ કેતનને શંકા ગઈ. અને મેં સઘળી હકીકત કહી સંભળાવી કે હવે મારે અજય સાથે કોઈ સંબંધ નથી રાખવો પણ અજય સતત ફોન કર્યા જ કરે છે. હું પણ કંટાળી છું.  એ જ રાત્રે  અમે આ સંબંધનો કાયમી અંત કેવી રીતે લાવવો એની યોજના ઘડી કાઢી.

 બીજા દિવસે અજયનો ફોન આવ્યો. એ મને મળવાની સતત જીદ લઇને બેઠો હતો. એને મળવા માટે મેં જ જગલમાં બોલાવ્યો. યોજના પ્રમાણે થોડા અંતરે મારો પતિ કેતન સંતાઈને બેઠો હતો.  મારો ફોન કેતનને ડાયલ કરી ચાલુ રાખી બાજુમાં મૂકી દીધો હતો. અજય જંગલમાં મને મળવા આવી પહોંચ્યો. થોડી વાર અલપઝલપ વાતો કર્યા પછી  એને ફરી અંગત પળો માણવા જીદ કરી. મારો પતિ આ બધી જ વાતો ફોનથી સાંભળી રહ્યો હતો. કેતન ગુસ્સે થઈ અમે જ્યાં બેઠાં હતાં ત્યાં દોડી આવ્યો. કેતને  અજયનું ગળું દબાવી દીધું. રાત્રે ઘડેલી યોજના પ્રમાણે મેં  નાડીના છેડે ધારદાર ચપ્પુ સંતાડી રાખ્યું હતું. એ ચપ્પુ મેં કેતનને આપ્યું. અજય જીવતો છૂટી ન જાય એટલે  ચપ્પા વડે બે ત્રણ ઘા ઝીંકી દીધા. અમારી નજર સામે જ અજય તરફડીને મૃત્યુ પામ્યો. અજયના લોહીથી રંગાયેલા કેતનના હાથ મેં પાણીથી ધોવડાવ્યા. ચપ્પુ પણ ત્યાં જંગલમાં જ ફેંકી દીધું.

અમે ઘેર આવી જાણે કાંઈ જ બન્યું ન હોય એમ કામમાં પરોવાઈ ગયાં. અજયના ગુમ થયાના સમાચાર વાયુ વેગે ફેલાયા પણ એ ક્યાં હતો એ હું અને કેતન જ જણાતાં હતાં. હત્યા નો કોઈ પુરાવો અમે છોડ્યો ન હતો. એટલે અમેને એમ હતું કે કોઈ અમારા પર શંકા પણ નહીં કરે અને પોલીસ પકડી પણ નહીં શકે. પણ અમારી બધી ધારણાઓ ખોટી પડી. હા, હું સ્વીકારું છું કે હું ગુનેગાર છું. મેં અને મારા પતિ કેતને સાથે મળીને અજયની હત્યા કરી છે." કુસુમની જુબાની સાંભળી પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ. પોલીસે કેતન અને કુસુમને જેલના હવાલે કરી દીધાં.  

    અરવલ્લી પોલીસ વડા સંજય ખરાત કહે છે. જીવનમાં કોઇપણ અનીતિક કામ કરશો તો એનો આનંદ ક્ષણિક હોય છે. પરંતુ એનો આખરી અંજામ અત્યંત  કરુણ  આવતો હોય છે. આપણે એ વાત ક્યારેય ભુલવી ન જોઈએ કે  પાપ હંમેશા છાપરે ચઢી મને પુકારતું હોય છે. કુસુમ અને કેતન તો હવે હત્યાના ગુનામાં જેલમાં છે. પરંતુ અજયનો પરિવાર નિરાધાર બની ગયો છે. સમાજે આવા કિસ્સાઓમાંથી બોધપાઠ લેવો રહ્યો. 

(સત્ય ઘટના : નામ પરિવર્તિત કરેલ છે.)  

  - ઈશ્વર પ્રજાપતિ 

9825142620


Sunday, June 11, 2023

સન્ડે સ્પેશિયલ

 

ચાર વર્ષની નિર્ભયા

ચાર વર્ષની નિર્દોષ બાળકી લોહી લુહાણ હાલતમાં ઢાળિયામાં કણસતી હતી.

સમાજમાં કેટલીક એવી પિશાચી ઘટનાઓ ઘટતી હોય છે કે એ સાંભળીને જ હૃદય કંપી ઊઠે છે. દિલ્હીમાં બનેલા નિર્ભયા કાંડે આખા દેશને હચમચાવી નાખ્યો હતો. સડકથી લઈ સંસદ સુધી એના પડઘા પડ્યા. સરકારશ્રીએ ગંભીરતા દાખવી કાયદાઓ પણ વધુ કડક બનાવ્યા. એમ છતાં આવી હીચકારી ઘટનાઓ ન જાણે કેમ સમાજમાં ઘટતી જ રહે છે??

માણસ જ્યારે હેવાન બને છે ત્યારે માણસાઈની તમામ સીમાઓ તોડી તે વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કરે છે. અરવલ્લી જિલ્લામાં ઘટેલી બળાત્કારની ઘટનાએ જાણે કલિયુગ કાળને શરમમાં મૂકી દીધો..

અરવલ્નુંલી જિલ્લાનું  નાનું અમથું એક ગામ. આખું ગામ હોળીનો તહેવારની ઉજવણીમાં હિલોળે ચડ્યું હતું. રાત્રીના સુમારે હોળી પ્રગટાવતાં આખું ગામ હોળીના દર્શને ઉમટયું હતું. ગામના છેવાડે વસતું એક દંપતી પણ પોતાની નાની અમથી દીકરીઓને સૂતી ઘેર મૂકી હોળીના દર્શને ગયું હતું. ઢોલ નગારાં પર પીટાતી દાંડીના તાલે ઘેરૈયા હોળી નૃત્ય કરવમાં મસ્ત હતા. પરંતુ આ ઢોલ-નગારાંના ગગનભેદી નાદમાં ગામની સીમમાં એક સાડા ચાર વર્ષની નિસહાય બાળકીની ઊઠેલી ચીસો કોઈના કાન સુધી પહોંચી શકી નહીં.

હોળીની પૂજા પુરી કરી દંપતી જ્યારે ઘેર પરત ફર્યું ત્યારે પથારીમાં પોતાની નાની દીકરી હતી નહિ. એમને એમ થયું કે ક્યાંક આસપાસ જ રમતી હશે. માતા-પિતાએ તપાસ કરી જોઈ પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. હવે હૈયામાં ફાળ પડી. પથારીમાં સુતેલી દીકરી આખરે ગઈ ક્યાં? પળ ભરમાં કેટ કેટલાય વિચારોનું વંટોળ ઊમટયું. દીકરી ક્યાં હશે ? કેવી હાલતમાં હશે ? કોણ ઉપાડી ગયું હશે ?

આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા. ટોર્ચ અને ફાણસ લઈ આજુબાજુ  ખેતરોમાં શોધ આદરી. ઘરથી થોડા અંતરે આવેલા ખેતરના ઢાળિયામાં ટોર્ચનો પ્રકાશ પડ્યો. અને જે દૃશ્ય જોયું એ જોનારની છાતી ફાટી જાય એવી ચીસ પડી ગઈ. અંદાજે એક ૨૪  વર્ષીય નરાધમ સાડા ચાર વર્ષ ની બાળાને હવસ સંતોષવા પિંખી રહ્યો હતો.  પ્રકાશ પડતાં નરાધમ કપડાં પહેરવા પણ ઊભો રહ્યો નહિ અને જીવ લઈને નાઠો.

       ...અને એક નિર્દોષ બાળકી લોહી લુહાણ હાલતમાં ઢાળિયામાં કણસતી હતી. દીકરીનાં માતાપિતા પર જાણે આભ ફાટી પડ્યું. ગામમાં પ્રગટેલી હોળીની જ્વાળાઓ શાંત થઈ ગઈ હતી. પરંતુ અહીં બાળકીના જીવનમાં જે જ્વાળાઓએ  આકાર લીધો હતો એ જ્વાળાઓ કદાચ ક્યારેય શાંત થવાની ન હતી.

      બાળકીના માતા પિતા માટે આ આઘાત અસહ્ય હતો. આખીય ઘટનાની માલપુર પોલીસને જાણ કરવામાં આવી. અને બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવમાં આવી.

હૃદયદ્રાવક અને સંવેદનશીલ આ કેસ બાબતે જિલ્લા પોલીસ અત્યંત ગંભીરતા દાખવી તાબડતોબ ગુનેગારને શોધી એને કડક માં કડક સજા અપાવવા કટિબદ્ધ હતી. ગણતરીના કલાકોમાં જ જિલ્લા પોલીસે એ બળાત્કારી હેવાનને ઝડપી લીધો. એ નરપિશાચ ૨૪  વર્ષીય હતો. આ નરાધમે આચારેલા કૃત્ય માટે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો હતો.

પલીસે   આ હવસખોરને માત્ર પકડીને જ સંતોષ ન માન્યો પરંતુ એને કડકમાં કડક સજા થાય એ માટે રાત દિવસ એક કરી નાખ્યા. તત્કાલિન એલ.સી.બી. PI સી. પી. વાઘેલા અને તેમની ટીમે યુદ્ધના ધોરણે કેસની તપાસ આદરી. પુરાવાના અભાવે ઘણા કેસમાં ગુનેગાર નિર્દોષ છૂટી જતા હોય છે. પરંતુ આ કેસમાં પોલીસે  જરા જેટલી પણ ચૂક રહી જાય નહીં એની તકેદારી રાખી.

જે-તે સ્થળનું પંચનામું કરી એલ.સી.બી. ટિમ પુરાવા એકત્ર કર્યા. ઘટના સમયે બાળકી એ પહરેલ કપડાં અને એ નરાધમનાં કપડાં એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા. બાળકીની દાક્તરી તપાસ કરવામાં આવી. બધા જ રિપોર્ટ નરાધમે આચારેલા કૃત્યની ચાડી ખાતા હતા.

આ કેસની સ્પેશિયલ કોર્ટમાં ઝડપથી સુનવણી થાય અને હેવાનને સત્વરે સજા થાય તે માટે સંજય ખરાત સાહેબના પ્રયત્નો કાબિલે દાદ હતા. અને એમના પ્રયત્નો સફળ રહ્યા. ખાસ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. સરકારી વકીલે  પણ અદાલતમાં ધારદાર રજૂઆતો કરી કરી કેસને મજબૂત બનાવી દીધો હતો. આખરે સૌની મહેનત રંગ લાવી. માત્ર સાત જ માસમાં અદાલતે પોતાનો નિર્ણય સંભળાવી નરપિશાચને ૨૦ વર્ષ કેદની સજા સંભળાવી. આ એક ઐતિહાસિક ચુકાદો હતો.

આખા કેસમાં તાપસ કરનાર સૌ ઓફિસર્સ અને સરકારી વકીલની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. જેના કારણે એક પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળી શક્યો.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો ખરીદવા સંપર્ક : 9825142620 

5300/-
950/-

                                                                           


150/-

250/-

230/-

પુસ્તકોના સેટની ખરીદી પર ૨૦% વળતર ઉપલબ્ધ. પોસ્ટેજ ફ્રી. નીચે આપેલ સ્કેનેર થી પેમેન્ટ કરી શકાશે. પેમેન્ટ કરી 9825142620 પર સ્ક્રીન શોર્ટ અને પીનકોડ સાથેનું  એડ્રેસ વોટ્સેપ દ્વારા મોકલી આપવું. 




Wednesday, June 7, 2023

જન્મદિન વિશેષ

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતએક બહુમુખી પ્રતિભા

 

   આજે અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબનો જન્મ દિવસ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા સંજય ખારાત સાહેબની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. તેઓના સબળ નેતૃત્વમાં જીલ્લા પોલીસે કરેલી સફળ કામગીરીને આલેખતા પુસ્તક "કર્તવ્ય" ખુબ ખ્યાતી પામ્યું છે. આ પુસ્તકની  પ્રસ્તાવનામાં વરિષ્ઠ પત્રકાર પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબે સંજય ખરાત સાહેબ માટે પ્રયેજેલા શબ્દો આદર ઉપજાવે છે. 

કર્તવ્ય પુસ્તકની પ્રસ્તાવનામાં આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ લખે છે. :  " કેટલાક વ્યવસાય એવા છે કે જે માત્ર વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. દા.. તબીબનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. શિક્ષકનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનછે. પત્રકારત્વ વ્યવસાય નહીં, પરંતુ એકમિશનછે. રીતે પોલીસનો વ્યવસાય વ્યવસાય નહીં, પરંતુ એકમિશનપણ છે. આજે હું એવા એક ઉચ્ચ આઇ.પી.એસ. પોલીસ અધિકારીની વાત કરવા જઈ રહ્યો છું જેમણે પોતાના વ્યવસાયને એક મિશન પણ બનાવી દીધું છે અને તેમનું નામ સંજય ખરાત છે. તેઓ અરવલ્લી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ છે.

હું મારા પત્રકારત્વની 55 વર્ષની કારકિર્દી દરમિયાન જે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પ્રભાવિત થયો છું. તેમાંનું એક નામ બહુ થોડા સમય માટે ગુજરાતના પોલીસ વડા તરીકે આવેલા સુપર કોપ જુલિયો રિબેરો છે એવા બીજા એક ગુજરાતના પોલીસ વડા ખંડવાવાલા હતા. અરવલ્લી જીિલ્લાના એસ. પી. સંજય ખરાત પણ શ્રેણીમાં આવે છે. આમ તો હું અમદાવાદમાં રહું છું, પરંતુ અરવલ્લી મારું હોમ ડિસ્ટ્રિક્ટ હોવાના કારણે અરવલ્લી જિલ્લાના લોકો અને જિલ્લામાં આવેલા તમામ સનદી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મારો જીવંત સંપર્ક રહ્યો છે. છેલ્લાં ત્રણેક વર્ષ દરમિયાન મારે અનેકવાર અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબને મળવાનું થયું. તેમના પરિવારને પણ મળવાનો અે જાણવાનો મોકો મળ્યો. સમયગાળા દરમિયાન અમારી વચ્ચે એક પ્રકારની આત્મીયતા પણ બંધાઈ. મેં સંજય ખરાત સાહેબને નજીકથી કામ કરતા પણ જોયા. તેઓ માત્ર બાહોશ પોલીસ અધિકરી નહીં, પરંતુ માનવીય અભિગમ ધરાવતા એક ઉત્કૃષ્ટ ઇન્સાન પણ છે. કોઈ પણ ગુનો બને તો તેની ભીતર જઈ ઇન્વેસ્ટિગેટ કરી ગુનેગારને શોધી કાઢવાનું તેમની પાસે એક આગવું કૌશલ્ય પણ છે. એસ.પી. સંજય ખરાત સાહેબે છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન શેરલોક હોમ્સની શૈલીથી કેટલીયે ઘટનાઓના ભેદ ઉકેલી નાખી ગુનેગારોને ઝબ્બે કર્યા છે. અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને બરાબર જાળવતી રાખવાનું તથા કાયદો અને વ્યવસ્થાને સ્થાપિત કરવાનું કામ તેમણે સરસ રીતે કર્યું છે. કોઈનીયે શેહ કે શરમમાં આવ્યા વિના તેમણે કાર્ય કર્યું છે. તેઓ નખશીખ પ્રામાણિક ઉચ્ચ પોલીસ અધિકારી છે. અરવલ્લી જિલ્લાની પ્રજા આજે શાંતિથી રાત્રે સૂઈ જઈ શકે છે. તેનો યશ સંજય ખરાત સાહેબના ફાળે જાય છે.

અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ 2014ની બેચના આઇ.પી.એસ. ઑફિસર છે. મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લાના એક નાનકડા ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના માતાપિતા નિરક્ષર છે. તેમના પરિવારમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરનાર તેઓ પહેલા વ્યક્તિ છે. તેમના ગામ કે સગાંસંબંધીઓમાં કોઈ પણ વ્યક્તિ આવા પોલીસ વિભાગ કે અન્ય કોઈ ઊંચી પદવી પર નથી. મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગના પરિવારમાંથી આવતા સંજય ખરાત સાહેબનું જીવન અને કારકિર્દી સ્વયં એક સક્સેસ સ્ટોરી છે. તેઓ ઉચ્ચ અને બાહોશ પોલીસ અધિકારી હોવા ઉપરાંત સાહિત્યનો જીવ પણ છે. મારા વતન આકરુન્દ ખઆતે આવેલી આકરુન્દની પ્રાથમિક શાળામાં આવેલીસંદેશ લાઇબ્રેરીસાથે પણ તેઓ આત્મીયતા ધરાવે છે. લેખકો અને જે તે વિષયના તજજ્ઞોને સાંભળવામાં તેઓ વિશેષ અભિરુચિ ધરાવે છે. ‘સંદેશ લાઇભ્રેરીના ઉપક્રમે યોજાતી પ્રવચન શ્રેણીમાં પણ ઉત્સાહભેર ભાગ લઈને નવી પેઢીને તેમણે વ્યવસાયિક માર્ગદર્શન આપ્યું છે. મોડાસાની કૉલેજના વિદ્યાર્થીઓને પણ તેઓ પ્રવચનો દ્વારા સંબોધી ચૂક્યા છે. તેમની વાણી અને વ્યવહારમાં તેમનાં માતાપિતા દ્વારા મળેલા શ્રેષ્ઠ સંસ્કારના દર્શન થાય છે.

અરવલ્લી જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન તેમણે અનેક જટિલ કેસો કુનેહપૂર્વક ઉકેલી નાખ્યા છે. અસામાજિક તત્ત્વો તો તેમના નામમાત્રથી ધ્રૂજે છે. ભ્રષ્ટાચારના તેઓ સખત વિરોધી છે. કેટલાયે બુટલેકરો અને અન્ય ગુનાઓ આચરતા ગુનેગારોને પણ તેમણે જેલ ભેગા કર્યા છે. તેઓ એક સખત અને કાર્યદક્ષ ઉચ્ચ પોલીસ અધિકારી હોવા છતાં ભીતરથી કોમળ હૃદય પણ ધરાવે છે. નાનામાં નાના ગરીબ માણસની વાત કે ફરિયાદ શાંતિથી સાંભળે છે અને તેને ન્યાય અપાવવા સતત કાર્યરત રહે છે. લૉકડાઉન દરમિયાન થેલેસેમિયાનો ભોગ બનેલા બાળકો માટે રક્તદાન શિબિરો પણ યોજી ચૂક્યા છે.

અરવલ્લી જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન એસ.પી. સંજય ખરાત સાહેબે જે અટપટા અને જટિલ કેસો કુનેહપૂર્વક ઉકેલી નાખ્યા તે બધી ઘટનાઓને આવરી લેતું એક સુંદર પુસ્તક આકરુન્દ પ્રાથમિક શાળાના આચાર્ય અને નવી પેઢીના તેજસ્વી સાહિત્યકાર ઈશ્વર પ્રજાપતિએ લખ્યું છે. પુસ્તકમાં અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. દા.. જિલ્લાના એક અંતરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલા અને એક નાનકડા બાળકની બિનવારસી લાશ મળી આવી. મળેલા મૃતદેહ કોના છે તે જાણવું અને કૃત્ય કોણે કર્યું છે તે શોધવું દરમિયામાં પડી ગયેલા એક સિક્કાને શોધવા જેટલું કપરું હતું, પરંતુ એસ.પી. સંજય ખરાત સાહેબે એક ટીમ બનાવી અને બાતમીદારો કામે લગાડ્યા. મરનાર મહિલાના મૃતદેહની બાજુમાં પડેલી થેલીમાંના વસ્ત્રો કબ્જે કર્યાં. થેલીમાંથી એક બ્લાઉઝ મળી આવ્યો અને તેની પર મરનાર મહિલાનું નામ તથા ગામ જાણી તેમણે મરનાર મહિલા અને નાનકડા બાળકનું નામ તથા એમને મોતને ઘાટ ઉતારનાર સ્ત્રીના પ્રેમીને પણ શોધી કાઢ્યો અને હત્યારાની તથા તેને સાથ આપનાર આરોપીને પકડીને જેલ ભેગા કર્યા. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રની એક ક્લાસિક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી છે. બીજી અનેક દુષ્કર્મની ઘટનાઓના ભેદ પણ ઉકેલી નાખ્યા. ગાંજાની ખેતી કરનારાઓને ઝબ્બે કર્યા. બીજા અનેક લૂંટ કેસ પણ ઉકેલ્યા. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ ડૉક્ટરો પર પણ તરાપ મારી. આજે અરવલ્લી જિલ્લાના ગુનેગારો એસ.પી. સંજય ખરાત સાહેબના નામમાત્રથી ધ્રૂજે છે. કાયદો અને વ્યવસ્થાની શ્રેષ્ઠ કામગીરીક કરવા ઉપરાંત તેમણે સમાજસેવાના કાર્યો પણ કર્યા. લોન મેળા પણ યોજ્યા. સામાજિક સમરસના ક્ષેત્રે પણ કામ કર્યું. સ્વરક્ષણની તાલીમ આપી. જિલ્લામાં અદ્યતન પોલીસ ક્વાર્ટસનું નિર્માણ કર્યું. ચૂંટણીઓ દરમિયાન પ્રશંસનીય કામગીરી પણ કરી. બુટલેગરોના પુનર્વસન માટે પણ કામ કર્યું. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરને પણ મદદ કરી. રોડ અકસ્માત નિવારના જાગૃતિ અભિયાન પણ ઉપાડ્યું.

બધા વિષયોને આવરી લેતું સુંદર પુસ્તક વાચકોના હાથમાં મૂકતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આવું સુંદર પુસ્તક લખવા બદલ યુવા સાહિત્યકાર ઈશ્વર પ્રજાપતિને અભિનંદન.

 અરવલ્લી જિલ્લાનું સદ્ભાગ્ય છે કે જિલ્લાને સંજય ખરાત સાહેબ જેવા અને બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા શ્રેષ્ઠ ઉચ્ચ પોલીસ અધિકારી મળ્યા છે. સંજય ખરાત સાહેબ માટે એક વાક્યમાં લખવું હોય તો લખી શકાય કે, ‘સંજય ખરાત સાહેબ એક વર્સેટાઇલ પર્સનાલિટીછે. તેઓ ક્ષેત્રમાં આવવા માગતા યુવક-યુવતીઓ માટે અને બીજા પોલીસ અધિકારીઓ માટે એક રોડ મોડેલ પણ છે. હું સંજય ખેરાત સાહેબને અને પુસ્તકના લેખક ઈશ્વર પ્રજાપતિને શુભકામના પાઠવું છું." પુસ્તકની પ્રસ્તાવના અહીં સમાપ્ત થાય છે. 

સંજય ખરાત સાહેબને જન્મ દિવસની હાર્દિક શુભકામનો. પ્રભુ તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના 


  

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts