Friday, May 29, 2020

મહામારીના મહાયોદ્ધા - 8


મહામારીના મહાયોદ્ધા - 8

        

 પોતાન વહાલસોયા સંતાનોપરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના  મહામારીને માત આપવા

આશા રૂપે  મેદાને ઉતરેલી  વીર વીરાંગનાઓ.


        સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાનાં છેવાડાના ગામડાઓમાં આરોગ્ય કર્મીઓની સાથે સાથે આશા  બહેનો યોદ્ધા બની મહામારી અંગે જાગૃતિ અણવા જબરજસ્ત અભિયાન ઉપાડયું છે. સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી.

          મહામારીના સમયે લોકોને જાગૃત કરવા આરોગ્ય કર્મીઓનું ગામે ગામ પહોંચી વળવું અત્યંત પડકાર રૂપ કાર્ય હતું. પરંતુ આવા નાજુક સમયે અંતરિયાળ ગામડાઓમાં જન જન સુધી કોરોના બાબતે જાગૃતિ અણવાનું અતિ મહત્વની જવાબદારી પોતાના શિર પર ઉપાડી લીધી.
             અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફરજ બતાવતાં આશા  બહેનોએ પણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાયડ તાલુકાના તેનપુર PHC ના આશા  બેનશ્રી અંકિતાબેન વિક્રમભાઈ ઠાકોર, ભિલોડા તાલુકાના કિશનગઢ PHC નાં મદીનાબેન ઇબ્રાહિમભાઈ મન્સૂરી, મેઘરજ તાલુકાના ગાયવાછરડા PHCનાં શિલ્પાબેન સુરેશભાઈ ખરાડી, મોડાસા PHC -અર્બન હેલ્થ સેન્ટરનાં અલ્ફીના ઈમ્તિયાઝ હુસેન ટીટોઈયા, માલપુર તાલુકાના જીતપુર PHC નાં શારદાબેન કાનાભાઈ વણકર, ધનસુરા તાલુકાના ભેસાવાડા PHCના ગાયત્રીબેન અતુલભાઇ પંડ્યા તમામ આશા બહેનોએ પોતાના સેજાનાં ગામોના ઘર ઘર ખૂંદી વળી લોક જાગૃતિનું અતિ મહત્વની કામગીરી પૂર્ણ કરી છે.

            જ્યારે  લોકડાઉનમાં મહામારીથી પરિવારની સુરક્ષા માટે સૌ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે આશા  મહિલાઓ પોતાની કે પરિવાર ની પરવા કર્યા વિના પોતાની ફરજ અદા કરવા સતત પોતના સેજાનાં ગામડાઓમાં ઘરે ઘરે ફરી સર્વેની કામગીરી પૂર્ણ કરી. આશા  બહેન તરીકે પોતાની ફરજ ઉપરાંત ઘરે ઘરે જઈ ગામોમાં બહારથી આવતા લોકોને હોમ કોર્નટાઈન માટે સમજાવી તેનું ચુસ્ત પણે પાલન થાય માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. અને જો કોઈ વ્યક્તિને બીમારીનાં લક્ષણો જણાય તો તરત PHC માં જાણ કરી દર્દીના સેમ્પલ લેવાની તજવીજ કરવામાં આવી.
            બહેનો માટે સર્વેની કામગીરી ઘણી પડકાર રૂપ હતી કારણ ગામના બધા લોકો તરફ થી એક સરખો આવકાર મળવો એટલો સરળ નથી હોતો. માન્યમાં આવે પરંતુ સર્વે દરમિયાન એક પોઝીટીવ દર્દી ગાયવાછરડા માં આશા વર્કર તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન ખરાડીને જાન થી મારી નાખવાની ધમકી આપી. એમ છતાં ધમકી થી ડર્યા વિના શિલ્પા બહેને પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક અદા કરી. અને પોઝિટિવ દર્દીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો.

            આશા  તરીકે ફરજ બજાવતાં મદીનાબેન અને અલ્ફીના ટીંટોઇયા બન્ને બહેનોએ રમઝાન માસમાં રોઝા રાખેલ હતા. રોઝા હોય એટલે દિવસ દરમિયાન પાણીનું ટીપુંય નહીં લેવાનું અને એમ છતાં ઉનાળાના આકરા તડકામાં ઘરે ઘરે જઈ સર્વેની અને લોકોને જાગૃતિ અણવાની કામગીરી માં જરા પણ પાછીપાની કરી નહીં.
               મહામારીને માત આપવા જિલ્લાની તમામ આશા બહેનો જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રની સાથે ખભે ખભા મિલાવી મેદાને ઉતરી અને સાબિત કરી આપ્યું કે કોઈ પણ મોરચે મહિલાઓ પાછળ નથી નથી ને નથી...

       પોતાના વહાલસોયા સંતાનો, પરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના મેદાને ઉતરેલી તમામ વીર વીરાંગનાઓને સો સો સલામ.


લેખન : ઈશ્વર પ્રજાપતિ       
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)



Sunday, May 17, 2020

મહામારીના મહાયોદ્ધા 7

મહામારીના મહાયોદ્ધા 7
કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતું પટેલ દંપતિ


      આજે આખું વિશ્વ જેના નામ માત્રથી ડરનો માહોલ ઉભો કરનાર કોરોના મહામારી ને કાબુમાં લેવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્યતંત્ર  અને તાલુકા આરોગ્ય વિભાગો સંકલન સાધી કામ કરી રહ્યા છે. ત્યારે આ માનવતાના યુદ્ધ માં જયારે અરવલ્લી જિલ્લા ને રેડ ઝોન જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે.તેવા સંક્રમિત જિલ્લામાં એક તબીબ દંપતિ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે એ પણ પોતાના ૧૦ વર્ષ ના દીકરા ને મૂકી ને તેમજ તેઓના માતા-પિતા કે જેઓ સિનિયર સીટીઝન છે. જેના લીધે તેમનો પરિવાર કોરોનાની હાઇરિસ્ક કેટેગરીમાં આવે છે છતાં આ કોરોના વોરિયર્સ તબીબ દંપતિ પોતાના પરિવારની પરવા કર્યા વગર પોતાનો તબીબ ધર્મ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
તેવા તબીબ દંપતિ ડો.કૌશલ પટેલ કે જેઓ અરવલ્લી જીલ્લામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તેમજ તેમના ધર્મ પત્ની ડો.જીજ્ઞા જયસ્વાલ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી મોડાસા તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોવિડ દર્દી ઓને સારવાર સંબંધિત કામગીરી જ કોરોના મહત્વની પ્રીવેન્સન કામગીરી છે. આ દંપતિને સોપવામાં આવેલ કામગીરી જેવીકે કોરોના મહામારી  અંતર્ગત ફિલ્ડ અટકાયતી પગલાં લેવા જે શંકાસ્પદ દર્દી મળે તેને હોસ્પિટલ ખાતે રિફર કરવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું સગા સબંધી દર્દીના કોન્ટેકટની  યાદી તૈયાર કરાવવી તેમજ પોઝીટીવ દર્દીઓને આઈસોલેશનમાં રાખવાની વ્યવસ્થા, હોમ કોરોન્ટાઈન અંગેનું સુપરવિઝન, આંતર રાજ્ય, આંતર જિલ્લાની ચેકપોસ્ટોનું સુપરવિઝન તેમજ જીલ્લામાં આવનાર વ્યક્તિ ઓનું આરોગ્ય ચકાસણી તેમજ જીલ્લામાં ઊભા કરેલ ભાગ્ય લક્ષ્મી કોવિડ કેર સેન્ટર, સાર્વજનિક કોવિડ હોસ્પિટલ તથા પ્રાર્થના હાઈ સ્કુલ મોડાસા ખાતે રાખવામા આવેલ વ્યક્તિ/દર્દી ઓની આરોગ્ય ચકાસણી કોવિડ હોસ્પિટલનું સુપરવીઝન વિગેરે કામગીરી આ તબીબ દંપતિ પોતાનો તબીબ ધર્મ પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
લોકોના રક્ષણ  માટે પોતાના ૧૦ વર્ષના વ્હાલા પુત્રને પણ દૂર રાખી કુદરતની કરામત સામે આ પામર માનવીનું શું ચાલે ?  આ કોરોના વોરિયર્સ તબીબ દંપતિ પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર રાત દિવસ કોરોના સામેની જંગ લડી રહયા છે, ધન્ય છે આ તબીબ દંપતિને ......................................... ભારત માતાકી જય.
ઘરમાં રહો………………………….. સુરક્ષિત રહો.


સંકલન: ઈશ્વર પ્રજાપતિ           98251 42620


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો

મહામારીના મહાયોદ્ધા 6


મહામારીના મહાયોદ્ધા 6

ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક કોવિડ-19 હોસ્પિટલ મોડાસામાં ફરજ બજવતા કર્તવ્યનિષ્ઠ મહામારીના મહા યોધ્ધાઓ




              સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ આ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી એ સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાની કોવિડ19 હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ યોદ્ધા બની મહામારીના મોરચો સાંભળ્યો. અને સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી. 

               જિલ્લામાં વધતા સંક્રમણના કેસોની સંખ્યા વધતા 28 માર્ચ 2020 ના રોજ માન . કલેકટરશ્રી તથા માન . જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા ડૉ . રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલને 70 બેડની 20 આઇસોલેશન બેડ સાથેની કોવિડ 19 હોસ્પિટલ શરૂ કરવા માટેની સુચના કરવામાં આવી. હોસ્પિટલના કર્મીઓને માતૃભૂમિની સેવાનો જાણે અવસર મળ્યો. સુચના મળતાની સાથે જ અહીંનો સમગ્ર સ્ટાફ યુદ્ધના ધોરણે મચી પડ્યો. ડો . મેહુલભાઇ પટેલ ( મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ), રાકેશભાઇ પટેલ ( ઓ.એસ. ) તેમજ વહિવટી ટીમ જેમાં અરૂણભાઇ દેસાઇ,  સિનિયર ક્લાર્ક જયેશ રાવળ તથા પિન્કેશ પટેલ દ્વારા માત્ર બે જ દિવસમાં કોવિદ -19 હોસ્પિટલ માટે આઇસોલેશન વિભાગ માટે 20 ઓક્સિજન સ્ટેશનની સેન્ટ્રલ લાઇન, રંગ રોગાન, મેડીકલ ઇક્વિપમેન્ટ તથા અન્ય પાયાની જરૂરીયાતો તાબડતોબ તૈયાર કરી દીધી. માત્ર બે દિવસમાં જ દિવસ રાત એક કરી 70 બેડની કોવિડ 19 હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. 

          ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ સામાન્ય દિવસોમાં પણ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યલક્ષી ઉદાહરણરૂપ કામગીરી કરી રહી છે.  અહીં ફરજ બજાવતા કર્મચારીઓની હકારાત્મકતાના પરિણામે મહામારીમાં પણ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવવામાં આ હોસ્પિટલ અવ્વલ રહી છે. અહીં ફરજ બજાવતા  નોડેલ ઓફિસરશ્રી  યજ્ઞેશભાઈ નાયક, એમ.ડી. ફિજીશિયન ડૉ. અભિષેક પરમાર,   ફિઝિશિયન  ડૉ. હર્ષભાઈ ચૌધરી,પીડિયાટ્રિક્સ ડૉ. નિલય પટેલ, પલ્મોનોલોજીસ્ટ ડૉ. સંતોષ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર ડૉ. મિત ચૌધરી , ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ સમસ્ત વહીવટી કામગીરી સંભાળતા રાકેશભાઈ એમ. પટેલ, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મેહુલભાઈ ડી. પટેલ, સ્ટોર વિભાગ ની કામગીરી સંભાળતા     ફાર્માસિસ્ટ  અરુણ ભાઈ જે દેસાઈ, વહીવટી કામગીરી સાથે ઓનલાઈનની તમામ કામગીરી જયેશ એ. રાવળ, એકાઉન્ટીંગ અને વહીવટી કામગીરી. પિંકેશ એમ. પટેલ આ તમામ કર્મનિષ્ઠ યોદ્ધાઓના પરિશ્રમને પરિણામે અરવલ્લી જિલ્લાને ચમત્કારિક પરિણામો પ્રાપ્ત થયાં.
       હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.ડી. ફિઝિશિયન  ડૉ. હર્ષ ચૌધરી, કોવિદ-૧૯ મા સૌ પ્રથમ ટ્રેનીંગ લેનાર છે, અને પુરા જિલ્લાના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ નર્સને  તેમના દ્વારા આપવામાં આવેલ છે.

            ભાગ્યલક્ષ્મી નર્સીગ કોલેજ કોવિદ -19 કેર સેન્ટર તથા પ્રાર્થના સ્કુલ કોવિદ -૧૯ ફેસીલીટી કેર સેન્ટર મોડાસા આ સેન્ટરમાં દાખલ દર્દીઓની દવા , રહેવા , જમવા , અન્ય તમામ ફેસીલીટી દર્દીઓને મળી રહે તે જોવાની જવાબદારી ઉપરોક્ત ટીમ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. આજ દિન સુધી 900 થી પણ વધુ દર્દીઓની સેવા આ ટીમ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે . જેવી કે દાખલ દર્દીને સવારે ચા નાસ્તો , ફુટ , ઉકાળો બપોરેનું જમવાનું સાંજે ચા અને રાત્રી ભોજન તેમજ દર્દીઓને પીવા માટે ગરમ હુંફાળુ મીનરલ પાણીની વ્યવસ્થા તો ખરી જ

               ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ અને સમસ્ત વહીવટી કામગીરી સંભાળતા રાકેશભાઈ એમ. પટેલ થકી હોસ્પિટલને ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થતી રહી છે. માન . કલેક્ટર સાહેબશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી સુચનાને અનુસરી આ મહામારીની પરીસ્થીતીમાં જ્યારે ખાનગી હોસ્પિટલો લોકડાઉનને લીધે બંધ હતી તેવી પરીસ્થીતીમાં દર્દીઓને અગવડતા ન પડે તે માટે કોવિદ -૧૯ હોસ્પિટલની સાથે સાથે સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા પણ ચાલુ રાખી સુદઢ વહિવટ કરી આ કપરા સમયમાં લોકહિતની આરોગ્યલક્ષી સેવા પાર પાડવા અગ્રેસર રહી ફરજ બજાવી. સરકારશ્રીની ગ્રાન્ટ સાથે સાથે દર્દીઓને ઉત્તમ સગવડો મળી રહે તે માટે મોડાસા શહેરના તથા આસપાસના વિસ્તારના શ્રેષ્ઠીઓને દાનની અપિલ કરી હોસ્પિટલમાં સારા પ્રમાણમાં દાન એકત્રિત કરવામાં રાકેશભાઈએ મહત્વની ભૂમિકા અદા કરી છે.

            પોતાના જાનની કે પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના દિવસ રાત અથાગ મહેનત કરી સંક્રમિત દર્દીઓની સારવારમાં  સૌ યોદ્ધાાઓ એ જાત નીચોવી દીધી. પરિણામે હોસ્પિટલમાં સારવાર લેતાં મોટાભાગના દર્દીઓ સંક્રમણ મુક્ત બની પરિવાર સાથે પરત ફર્યાં છે. આ તમામ યોધ્ધાઓને  કોટી કોટી વંદન.


લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620


( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)




Thursday, May 14, 2020

મહામારીના મહાયોધ્ધા - 5

 મહામારીના મહાયોધ્ધા - 5
 ધનસુરા તાલુકાની જશવંતપુરા ગ્રામપંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીના
 સહિયારા પુરુષાર્થે છેવાડિયાને બનાવ્યું સંક્રમણ મુક્ત ગામ.
               
         
               અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના જસવંતપુરા ગ્રામ પંચાયતના છેવાડિયા ગામના એક દર્દીનો રિપોર્ટ જ્યારે કોરોના પોઝીટીવ આવ્યો ત્યારે વહીવટી તંત્ર એ ગામને તાબડતોબ કોરેન્ટીન ઝોન જાહેર કરી સાવચેતીના પગલાં લીધાં હતાં. આવાં નાનાં ગામડાઓમાં સંક્રમણ વધવાની સંભાવના વધુ રહેલી હોય છે. પરંતુ એ સમય દરમિયાન ગામના તલાટી અને સરપંચ.દ્વારા સુંદર આયોજન કરી સંક્રમણને આગળ વધતું અટકવામાં સફળ રહ્યા. અને ગામને સંક્રમણ મુક્ત ગામ બનાવ્યું.
         જશવંતપુરા ગ્રામપંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા ભપેન્દ્રભાઈ પટેલ ભારતીય સૈન્યના નિવૃત જવાન છે. બે દાયકા જેટલો સમય દેશની સરહદો ઉપર સેવા બજાવી અને હવે નિવૃત્તિ બાદ તલાટી તરીકે ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે. સૈન્યની કડક શિસ્તમાં તેઓનું ઘડતર થયું છે. શિસ્ત અને અનુશાસન ભુપેન્દ્રભાઈ પાસેથી શીખવા જેવા ગુણો છે. પોતાની પંચાયતના ગામમાં મહામારી એ પગપેસારો તો કર્યો પરંતુ આ સંક્રમણ વધુ ન ફેલાય એ માટે તેઓએ મોરચો સાંભળ્યો. અને તેઓને સાથ મળ્યો ગામના ઉત્સાહી સરપંચ ફતેસિંહનો અને સ્થાનિક સ્વયં સેવક વિપુલભાઈ મેસરિયા તથા કિરણભાઈ ખાંટ જેવા અન્ય યુવાનોનો.

           જશવંતપુરા ગ્રામપંચાયતના સરપંચશ્રી ફતેસિંહ, તલાટીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સ્વયં સેવકોએ છેવાડિયા ગામના લોકો માં જાગૃતિ અણવા મહત્વની ભૂમિકા અદા કરી. ગામ કોર્નટાઈન હોવા છતાં ગ્રામજનો ને જીવન જરૂરિયાત ની તમામ ચીજ વસ્તુઓ ઘરે બેઠાં જ મળતી રહે એ માટે ટીમ વર્કથી ઉદાહરણરૂપ કામગીરી કરી બતાવી.
            જયારે સરકાર શ્રી તરફથી સસ્તા અનાજની દુકાનો પર મફત રાશન વિતરણ કામગીરી ચાલુ હતી એ દરમિયાન પણ ગ્રામ લોકોને દુકાને બોલાવવાના બદલે ઘરે ઘરે જઈ તમામ લોકોને રાશન ની કીટ પહોંચાડી સરપંચ શ્રી તલાટી શ્રી અને સ્થાનિક સ્વયં સેવકો સાથે મળી સેવાનું ઉત્તમ કામગિરી કરી બતાવી.
સૌની મહેનત રંગ લાવી. સંક્રમણ ને ઊગતું જ ડામી દીધું. એક દર્દી સિવાય બીજો એક પણ સંક્રમણનો કેસ પછીથી નોંધાયો જ નહીં. ત્યારે સૌએ રાહતનો શ્વાસ લીધો.
          એક છેવાડાના ગામડાને મહામારીથી ઉગારવા જહેમત ઉઠાવાનાર સરપંચ શ્રી, તલાટી શ્રી અને તમામ સ્વંય સેવકોને કોટી કોટી અભિનંદન.

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.)



સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts