Sunday, October 30, 2022

સન્ડે સ્પેશિયલ - 41

સરદારે પોતાના પૌત્ર બીપીનભાઈને કહ્યું :

સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હીથી હંમેશા દૂર જ રહેજો.

 


        આવતી કાલે 31 ઓક્ટોબર  એટલેકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. ગુલામીની ઝંઝીરોમાં સબડતા ભારતીઓમાં વીરત્વના સંસ્કારોના પ્રાણ ફુંકનાર ભારતના વ્રજપુરુષ સરદાર સહેબનું સ્મરણ સાંપ્રત સમયમાં થયા વીના રહેતું નથી. સરદાર સહેબ આજે આપણી વચ્ચે નથી જેની પ્રતિતિના આંચકા આજના દેશકાળમાં સતત અનુભવાતા રહે છે. 

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

           હિંદુસ્તાનની રક્તરંજિત સીમાઓ નિહાળીએ ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે, સરહદ પર શહાદત વ્હોરતા જાંબાઝ જવાનોની વિધવા પત્નિઓના આક્રન્નો ચિત્કાર, તેઓના માસુમ બાળકોના કરુણ કલ્પાંત હ્રુદયને જ્યારે ચીરી નાખે છે ત્યારે સરદાર સહેબનું સ્મરણ થઈ આવે છે. દેશ જ્યારે પ્રાંતવાદથી પીંખાય છે ત્યારે સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે. અબજોની સંપત્તિમાં આળોટતા ભ્રષ્ટાચારી નેતાઓના વિલાસી જીવન નિહાળીએ ત્યારે ત્યાગમૂર્તિ સરદાર સાહેબનું સ્મરણ થઈ આવે છે.     આઝાદીના સાડા  સાત સાત દાયકાઓ વિત્યા પછી પણ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને મુલવવામાં આપણાં કાટલાં વામણાં સાબિત થયાં હોય એમ નથી લાગતું???

                સરદાર સાહેબનું જાહેર જીવનનું ખેડાન તેત્રીસ (૧૯૧૭-૧૯૫૦) વર્ષનું હતું. એમાં માત્ર ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ થી ૧૫ ડીસેમ્બર ૧૯૫૦ સુધી જ. એટલે કે સડા ત્રણ વર્ષ કરતાંપણ ઓછો સમય સુધી શાસનની સત્તાની બાગડોર  તેઓના હાથમાં રહી હતી. આતલા ટૂંકા ગાળાની સરદાર સાહેબની જીવનશૈલીની સિધ્ધિઓનું શબ્દાંકન કરવું પડકાર રૂપ  છે.  

                    આવો, આ વિરાટ વ્યક્તિત્વના જીવન દર્શનની  આછેરી ઝલક મેળવવીએ.

                 ૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી સરદારે આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું એ પહેલા ગાંધીજી વિશેની વાતો સાંભળીને વલ્લભભાઈ એ વાતોની મશ્કરી ઉડાવતા એમને થતું કે   આ બેરિસ્ટર કાંઇક ગાંડપણ લઈને આવ્યા છે, બ્રહ્મચર્ય પાળે, જાજરું સાફ કરે, દળે, ઘઉં માથી કાંકરા વીણે ,એવા દેશ સેવકો તૈયાર કરવાના છે??? “

              ગાંધીજીની ઠેકડી ઉડાળનાર આ બાહોશ ધારાશાસ્ત્રીએ જ્યારે જોયું કે ગાંધીજીએ ચંપારણમાં મનાઇ હુકમનો ભંગ કરીને અંગ્રેજી સલ્તનતના પાયા હચમચાવી મુક્યા ત્યારે એમને થયું કે આ નરવીર તો માથું હાથમાં લઇને ફરે છે અને આપો આપ એમના પડખે જઇ ઉભા રહ્યા.

               ૧૯૧૯ પોતાની લાખો રૂપિયાની ધિકતી પ્રેક્ટિસ છોડી પોતાનું જીવન દેશસેવા માં સમર્પિત કરી દીધું. ત્યારે તેઓ લખે છે કે હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મે થોડા ઈંધણ લાકડાં ભેગાં કર્યા હતાં અને એ સળગાવી કૌટુંબિક લાભો, મારી કરકિર્દી, મારો દરજ્જો એ બધું જ સ્વાહા કરી દિધું હતું.

             ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ આવી પડ્યો. આ આંદોલનનું સમગ્ર સંચાલન ગાંધીજીએ સરદાર સહેબ ને સોંપ્યુ.વલ્લભભાઈએ પ્રજામાં ખમીર પ્રગટાવ્યું. એમની વણી શક્તિના ઝરા સમાન હતી. સળગાવી મુકે એવા કટાક્ષો એમ્ની વાણીની શોભા હતી. આખરે સરકાર નમી. કનૈયાલાલ મુનશી મારફત સરકારે સમાધાન કર્યું. સત્યાગ્રહનો જયજયકાર થયો. ગાંધીજીએ પ્રજાને ધન્યવાદ આપ્યા. અને વલ્લભભાઈને  સરદાર ના વહાલસોયા નામે બિરદાવી નવાજ્યા.  ત્યારથી તેઓ સમગ્ર દેશના સરદાર બન્યા.

            ભારતના પ્રથમ વડાપ્રધાન પદ માટે નહેરુ અને સરદારના નામો ચર્ચામાં હતાં. કોગ્રેસના લગભગ બધા જ પ્રાંતિય નેતાઓ અને ૧૫ માંથી ૧૨ પ્રદેશ કમિટિઓએ સરદારના નામની દરખાસ્ત કરી હતી. અને સર્વે સરદારને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં હતાં. નહેરુના નામને કોઇ પ્રદેશ કમિટીએ સુચવ્યું ન હતું. પરંતુ કોઇ કારણ સર ગાંધીજીના એક બોલે સરદાર વલ્લભભાઈએ પોતાનું નામ પાછું ખેંચી લઈ  ભારતના સર્વોચ્ચ પદ નો અધિકાર જતો કર્યો.

      ભારતને સ્વતંત્રતા મળતાં દેશની ૬૦% પ્રજાને આઝાદી મળી. પરંતું બાકીની  ૪૦% પ્રજા ભરતમાં આવેલાં દેશી રજવાડાંના શાસન તળે હતી. રાજાઓ પ્રજાને ચુસવામાં અને વિલાસી જીવન જીવવામાં રત હતા. ૪૦% પ્રજા રાજાઓના રાજ્યમાંથી મુક્ત થાય તો જ ભારત  અખંડ સંઘ રાજ્ય બની શકે. આ કામ ખુબ જ કપરું હતું પરંતું અસધારણ કુનેહથી સરદારે દેશી રજવાડાઓને શામ, દામ, દંડ, ભેદની ચાણક્ય નીતિથી વશ કર્યા. અને દેશી રાજ્યોનુ ભરતીય સંઘમાં વિલીનિકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યુ. જો આ ન થઈ શક્યુ હોત તો ભારત દેશ અનેક ટુકડાઓમા વિભાજીત હોત. જુનાગઢ ગરવા ગીરનારના દર્શન કરવા માટે પકિસ્તાનના વિઝા લેવા પડતા હોત.

            સતાના સર્વોચ્ચ શિખરે હોવા છતાં પોતાના પરિવારને સરકારી સુખ સહેબીથી દૂર રાખી ત્યાગી જીવન જીવ્યા. મહાવીર ત્યાગી એ સરદાર પુત્રી મણીબહેનની સાડીમાં એક મોટું થીગડું જોઈ મણીબહેનની મજાક કરતાં બોલ્યા.:સરદારની દીકરી થઈ તમે સાંધેલા કપડાં પહેરતાં શરમતાં નથી?”  આ સાંભળી સરદાર તાડુક્યા ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે?  એનો બાપ થોડો કમાય છે?” સરદાર સહેબે એમનાં ચશ્માનું ખોખું બતાવ્યું જે ૨૦ વર્ષ જુનુ હતું. એમના ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુ એ દોરો બાંધ્યો હતો. એ  જ રીતે એમ્ની ઘડિયાળ ત્રણ દયકા જૂની હતી. અને પેન ૧૦ વર્ષ પહેલાંની હતી.

          એક વાર સરદાર સહેબના પૌત્ર એટલે કે ડહ્યાભાઈના પુત્ર બિપિનભાઈ નોકરીની શોધમાં હતા. તેઓ દાદાના આશિર્વાદ લેવા ગયા ત્યારે સરદારે તેઓને સલાહ આપી જગતમાં જાત જાતનાં અને ભાત ભાતનાં લોકો મળશે.રોટલો ન મળે તો અહીં આવજો પણ સરદારના નામે કમાશો નહી. સરદારના નામનો ઉપયોગ કર્શો નહીં. હું દિલ્હીમાં છું ત્યા સુધી દિલ્હી થી હંમેશા દૂર જ રહેજો.         

        લેખક   રજની વ્યાસ એમના એક પુસ્તક માં સરદાર વિશે લખે છે કે ભલ ભલા ભુતોની ચોટલી પકડનાર આ ભૂવાએ એકેય નરિયેળ પોતના દીકરા તરફ ફેંક્યું નહી.                  

       ૧૫ મી ડિસેમ્બર ૧૯૫૦ ના દિવસે આ ફાની દુબનિયા છોડી એક વિરલ વ્યક્તિએ આપણી વચ્ચે થી વિદાય લીધી ત્યારે એમનું બેંક બેંલેંસ ૨૬૫ રુપિયા હતું.  નાયબ વડાપ્રધાન હોવા છતાં  તેઓની અંતિમ વિધિ ખુબ સદાઈથી પુરી કરવામાં આવી હતી. એમના નામે ના કોઇ ઘાટ રચાયો કે ના કોઇ સ્મારક. દાયકાઓ બાદ આ જ્ન્મ દિને ૧૮૨ મિટર ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરી ઋણ અદા કરવનો આ પ્રયાસ કર્યો છે. અને આજે વિશ્વભરના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.  સરદાર એ સરદાર હતા. સરદાર સૌના બની રહ્યા કરણ કે તેઓ પોતાના રહ્યા ન હતા.    

              આવતી કાલે  ૩૧ ઓક્ટોબરે સરદાર સહેબની જન્મ જ્યંતિ નિમિત્તે આ લેખ બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા, પોતાની જાતને  છોટે સરદાર તરીકે ઓળખાવતા નેતાઓને અને વિધાનસભા-સંસદભવનને પરિવારવાદથી અભડાવનાર ભ્રષ્ટાચારીઓને  અર્પણ.

      -  ઈશ્વર પ્રજાપતિ

98251 42620  

Sunday, October 23, 2022

સન્ડે સ્પેશિયલ - 40

  "લક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !" : પૂજ્ય ડોંગરેજી મહારાજ 

        દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ભારતનો અને ખાસ કરીને હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ હોય કે તવંગર એ સહુ દીપાવલીના પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પાંચ દિવસોનું મહાપર્વ છે. ધનતેરશથી માંડીને ભાઈબીજ સુધીના દિવસોનું આગવું માહાત્મય છે.

      દીપાવલી એક એવું પર્વ છેજેની બાબતમાં વિચારતાં જ મન-મસ્તિષ્કમાં પ્રકાશરૂપી એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉપનિષદો કહે છે : ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.’ દીપાવલી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે એટલે કે અસત્ય છોડીને સત્ય તરફ જવાનું આ પર્વ છે. દીપાવલીના દિવસે લંકાવિજય બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવા આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દેવામાં આવ્યું હતું. દીવડાઓની કતાર એટલે દીપાવલી એ અંધારી રાતે ભગવાન શ્રીરામનું અયોધ્યાવાસીઓએ ભવ્ય સ્વાગત કરવા દીપકોની રોશની પ્રગટાવી હતીજે પ્રથા ભારતભરમાં ઘરઘરમાં આજે પણ મનાવવામાં આવે છે. તેનો આધ્યાત્મિક અર્થ એ પણ છે કે દીપક તન અને મન એ બેઉનો અંધકાર દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે.

      દીપાવલીનાં મહાન પર્વનો સંબંધ માત્ર હિંદુઓ માટે જ મહત્ત્વપૂર્ણ નથી એનો સંબંધ અન્ય ધર્મો સાથે પણ છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો નિર્વાણદિન પણ આ જ દિવસે છે. શીખોનાં આસ્થાનાં કેન્દ્ર એવા શ્રી હરમંદિર અર્થાત્ સુર્વણમંદિરની નીવ(પાયો) પણ આ દિવસે જ રાખવામાં આવ્યો હતો.

      દીપાવલીના તહેવારોનો પહેલો દિવસ ધનતેરશ લોકો ખરીદી કરવા માટે શુભ માને છેજેમ સમુદ્રમંથનથી દેવી મહાલક્ષ્મી પ્રગટ થયાં તે જ રીતે આજના દિવસે જ ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈને ઉત્પન્ન થયા હતા. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરોગી કાયા અને દીર્ઘાયુ હોવું જરૂરી છે. ભગવાન ધન્વંતરી દેવતાઓના ચિકિત્સક છે. ધનતેરશના દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોકમૃત્યુ વગેરેનો ભય સમાપ્ત થઈ જાય છે. ભગવાન ધન્વંતરીના પ્રાગટય સમયે તેમના હાથમાં ચાંદીનો કળશ હતો તેથી ધનતેરશના દિવસે ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે.

       ધનતેરશને યમદીપકનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ધનતેરશની સાંજે લોકો ઘરનાં આંગણામાં દક્ષિણ દિશામાં તેલનો દીપક પ્રગટાવી યમરાજને અર્પણ કરે છેઆમ કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે.

       ધનતેરશ પછીનો બીજો દિવસ કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. તેને ઘણા નાની દીપાવલી પણ કહે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. યુદ્ધમાં નરકાસુરનું મૃત્યુ થયું હતું, તેથી આ દિવસ ‘નરક ચતુર્દશી’ તરીકે ઓળખાય છે. ઘણાં લોકો આ દિવસે ૧૪ દીવડા પ્રગટાવે છે, એવું કહેવાય છે કેશ્રીકૃષ્ણનાં મહારાણી સત્યભામાએ નરકાસુરની સેના સામે મુકાબલો કર્યો હતો તેથી તેના બીજા દિવસે મહારાણી સત્યભામાની પૂજા કરવામાં આવી હતી.

        સત્યભામાને દેવી મહાલક્ષ્મીની સંજ્ઞાા પ્રદાન કરવામાં આવી હતી. આ કારણથી પશ્ચિમ ભારતનાં લોકો તેને ‘નરક ચતુર્દશી’ કહે છે. બંગાળનાં લોકો તેને ‘ભૂત ચતુર્દશી’ કહે છે.

           તે પછી દીપાવલી એ મુખ્ય પર્વ છે. દીપાવલી પર દેવી લક્ષ્મીની પૂજા થાય છે. લક્ષ્મી ધન અને યશનાં દેવી છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છેકારણ કે સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ઠ રત્ન દેવી લક્ષ્મીજી હતાં. આ અનુપમ, સુંદરી, સુવર્ણમય, તિરિહારિણી, વરદાત્રી, પ્રસન્નવદનાશુભા અને ક્ષમાશીલ એવાં દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુએ પોતાનાં પત્નીનાં રૂપમાં સ્વીકાયાંર્ હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિમર્ય બનાવી દીધું હતું. એ કારણે પણ આપણે પ્રતિવર્ષ આ કાળી રાત્રે સમગ્ર વાતાવરણમાં દીપમાળાને પ્રગટ કરીને દેવી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ પરંતુ ઘણીવાર માણસો અતિ ધન પ્રાપ્ત કરવાની લાલચમાં લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારની પૌરાણિક કથા અતિ સુપ્રસિદ્ધ છે. એ કથાનો સંદેશ એટલો જ છે કે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી વગર ચાલે છે પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નથીતેથી પંડિતો લક્ષ્મીજીને માતા તરીકે સ્વીકારવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ આપે છે.

        પૂજય ડોંગરેજી મહારાજે કહ્યું હતું કેલક્ષ્મીપૂજનના દિવસે લોકો એ વાત યાદ રાખે કે જે લોકો ધનવાન છે અને જેઓ એવું અભિમાન કરે છે કે, ‘હું બહુ મોટો છું’ તેમને ભગવાન માફ કરતા નથી. લક્ષ્મી મારી નથી પણ તે લક્ષ્મી નારાયણની છે તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈક દિવસ ભગવાન નારાયણની ગોદમાં પણ બેસાડે છેલક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !

      લક્ષ્મીનો બીજો અર્થ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલીના દિવસોમાં દેવી મહાલક્ષ્મીની પૂજા સાથે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેનું પણ સન્માન કરો. કજિયાવાળા ઘરમાં લક્ષ્મીમાતા ટકતાં નથી.

     દીપાવલીનો આગલો દિવસ ગોવર્ધનપૂજાના રૂપમાં પણ માનવામાં આવે છે. આ પૂજા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંય શરૂ કરી હતી. દ્વાપર યુગમાં બધા જ વ્રજવાસીઓએ પોતાનાં બધાં જ કાર્યો છોડીને છપ્પન ભોગ વગેરે તૈયાર કરીને ઇન્દ્ર દેવની પૂજા કરીને સારી વર્ષા માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કેવર્ષા તો ગોવર્ધન પર્વતને કારણે થાય છે તેથી તેની આરાધના કરવી જોઈએ. એ પછી વ્રજવાસીઓએ એમ જ કર્યું, એ પછી વરુણદેવે એટલીબધી વર્ષા કરી કેવ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયાં. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠ આંગળી પર ધારણ કરીને ઊંચકી લીધો હતો અને સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનાં ઘમંડને ચૂર ચૂર કરી દીધું હતું. એ પછી ઇન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણના પગે પડી ક્ષમાયાચના કરવા લાગ્યા હતા. એ પછી આજ સુધી હિંદુઓ અને ખાસ કરીન વૈષ્ણવો ગોવર્ધનને પૂજાના રૂપમાં શ્રદ્ધાપૂર્વક મનાવે છે.

      દીપાવલી પછીનો દિવસ ભાઈ-બીજ તરીકે ઊજવવામાં આવે છે. ભાઈ-બીજનો દિવસ ભાઈ અને બહેન વચ્ચેના સ્વાર્થરહિત પ્રેમનું પ્રતીક છે. એને યમદ્વિતીયા પણ કહેવાય છે. પુરાણકથા અનુસાર યમુનાજી તે યમરાજાનાં બહેન છે. કહેવાય છે કેઆજના દિવસે યમુનાજીમાં ભાઈ અને બહેન સ્નાન કરે તો યમરાજ પ્રસન્ન થાય છેએથી જ આજના દિવસે બહેન તેના ભાઈનાં કપાળ પર તિલક લગાવી ભાઈનાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.

      ચાલોઆપણે બધાં મળીને મનના અંધકારને દૂર કરીએ. અજ્ઞાાન અને અસત્યના અંધકારને દૂર કરીએ.

      શુભ દીપાવલી.

( સૌજન્ય : રેડ રોઝ, ૧૫ નવેમ્બર ૨૦૧૫ - દેવન્દ્ર પટેલ) 

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, October 16, 2022

સન્ડે સ્પેશિયલ 39

 

“પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી, ” : ડૉ. અબ્દુલ કલામ 

           




          આજે 15 ઓક્ટોબર એટલે ડૉ. અબ્દુલ કલામ સાહેબનો જન્મ દિવસ છે. કેરલના એક  નાનકડા નગરમાં સાધારણ પરિવારમાં જન્મેલા કલામ ભારત દેશની યશકલગી સમાના હતા.  પોખરણ ખાતે સફળ  અણુ પરિક્ષણમાં તેઓની ભૂમિકા મુખ હતી. ભારત દેશને દુશ્મન દેશની આંખમાં આંખ મિલાવી જોઈ શકે એવી તાકાત બક્ષવાનું કાર્ય આ વિરલ પુરુષે કર્યું. તો  વિકસિત રાષ્ટ્ર ઘડતર માટે  2020નું  સ્વપ્ન બતાવી ભારતીય જન જનના હૈયે નવી ઉમ્મીદ પણ કલામે જ જગાવી. સ ફળતાનાં શિખરે પહોચ્યા પછી પણ આ વ્યક્તિની વિનમ્રતા હૃદય સ્પર્શી રહી છે.  

       કોઇપણ  મહાન વ્યક્તિઓ માટે સમકાલીન મહાન વ્યક્તિનો સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ હોય છે. અને એમાં’ય  જ્યારે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક હોય અને બંધારણીય સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય ત્યારે કોઈ અધ્યાત્મિક ગુરુનું શિષ્યત્વ સ્વીકારવું એનાથી પણ અઘરૂ હોય છે. પરતું પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામ કોઈ જુદી માટીના માનવી હતા. ડૉ. કલામે Transcendence પુસ્તક લખી માનવા સમાજ માટે ખુબ મોટી ભેટ પ્રદાન કરી છે. લાખો લોકોના જીવન પરિવર્તિત કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના દિવ્ય અનુભવો ડૉ. કલામે Transcendence પુસ્તકમાં  વિનમ્રભાવે આલેખ્યા છે.!  જાણીતા પત્રકાર અજય ઉમટે “પરાત્પર” નામે આ પુસ્તકનો ખુબ સુંદર  ગુજરાતી અનુવાદ  કર્યો છે. અબ્દુલ કલામ જેવા પ્રખર વૈજ્ઞાનિક પ્રમુખાસ્વમીજીનું શિષ્યત્વ સ્વીકારતાં કેવી નિખાલસ વાતો આ પુસ્તકમાં આલેખી છે એ આપણા સૌ કોઈ માટે પ્રેરક છે. આ પુસ્તકના કેટલાક અંશો અહી પ્રસ્તુત છે.

            ડૉ. કલામ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે: “મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો. કદાચ મારી નિયતિ અને મારી જીજ્ઞાશા મને પ્રમુખસ્વામી સુધી દોરી ગઈ હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કચ્છના ભૂકંપ પછી પુનઃ વસવાટના કાર્યોની સમિક્ષ કરવા મેં ભૂજની મુલાકાત લેધી હતી. ત્યાં ૧૫ માર્ચ ૨૦૦૧ નાં રોજ મારી મુલાકાત પ્રમુખસ્વામી મહારાજના એક શિષ્ય બ્રહ્મવિહારી દાસજી સાથે થી હતી. સાધુ બ્રહ્મવિહારી દાસજીએ મને આશ્ચર્યચકિત કરે તેવો એક પ્રશ્ન પૂછ્યો હતો. અને તેનો અધ્યાત્મિક જવાબ એકાએક મને સ્ફૂર્યો હતો. સાધુ બ્રહ્મવિહારી દાસજી એ મને પૂછ્યું હતું : ‘ પ્રથમ અણુબોમ્બ વિસ્ફોટ પછી રોબર્ટ ઓપેન હાઈમરે શ્રીમદ ભગવદ ગીતાના શબ્દો ‘હું જ આ દુનિયાનો સંહારકર્તા છું.’ નું સ્મરણ કર્યું હતું. ભારતના પ્રથમ અણુબોમ્બનું  પરિક્ષણ કર્યા પછી  તમને શો વિચાર આવ્યો?’

           ‘આ પ્રશ્ન સાંભળીને હું મૂંઝાઈ ગયો હતો અને પછી  મેં  કહ્યું હતું :’દૈવી ઉર્જા કે પરમેશ્વર તરફથી વહેતો ઉર્જાનો અખૂટ સ્રોત ક્યારેય વિધ્વંશક હોતો નથી; તે તોડતો નથી, જોડે છે.’

            સાધુ બ્રહ્મવિહારીદાસજીએ તરત  વળતો જવાબ આપતા કહ્યું હતું : ‘ અમારા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એકતાના મહાન શિલ્પી છે. પ્રમુખસ્વામીજી એ ખંડિત થયેલા અમારા જીવનમાં નવશક્તિનો સંચાર કરવા માટે અમારી અંદર રહેલી ઉર્જાને પુનઃ યોગ્ય દિશામાં વહેતી કરી, અમારી ઉર્જાને ચેતનવંતી બનાવી છે.’

          સાધુ બ્રહ્મવિહારીદાસજીની વાત સાંભળીને અભિભૂત થઈને મેં પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારો આશય આવા મહાપુરુષોનો પરિચય કેળવવાની હતો, પણ અલ્પ પરિચય સ્વરૂપે થયેલી અમારી આકસ્મિક મુલાકાત જાણે “દૈવી નિયતિ” બની ગઈ હતી.

           ડૉ. કલામ આગળ નોધે છે : “પ્રમુખસ્વામી મહારાજને હું પ્રથમ વખત ૩૦મી જૂન , ૨૦૦૧ના રોજ ઉનાળાની એક સાંજે મળ્યો હતો. ભગવા વસ્ત્રોમાં શોભાયમાન, ગૌરવપૂર્ણ સૌમ્ય ચહેરો ધરાવતા પ્રમુખસ્વામી જાણે ચોતરફ દિવ્યતા રેલાવતા હોય, એવી આભા એમાંના મુખાર્વીન્દને જોતા જ પ્રથમ દ્રષ્ટિએ મારા મનમાં પડી હતી. પ્રમુખાસ્વામિજીની પ્રભાવશાળીને દિવ્યતા સભર ઉપસ્થિતિમાં અમે ટૂંકા સંવાદની શરૂઆત કરી.

         મેં પ્રમુખસ્વામી જી સમક્ષ મારા વિઝન-૨૦૨૦ના વિચારો પ્રસ્તુત કરતાં કહ્યું : ‘ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી  પાંચ ક્ષેત્રો તારવ્યા છે. : 1. શિક્ષણ અને આરોગ્ય 2. કૃષિ 3. માહિતી અને પ્રત્યાયન 4. માળખાગત સુવિધાઓ અને 5. મહત્વપૂર્ણ ટેકનોલોજી.’

          પ્રમુખાસ્વામીજીએ સ્મિત રેલાવીને સૌ પ્રથમ ઉચ્ચારેલા શબ્દો હતા : ‘ભારતને પરિવર્તિત કરવાનાં આપે જે પાંચ ક્ષેત્રો તારવ્યા છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો. : ‘ભગવાન માં શ્રધ્ધા તથા આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ’ આ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે.’  પ્રમુખસ્વામીના આ વિધાનની સ્પષ્ટતા, ચોકસાઈ અને દ્રઢતાથી હું આશ્ચર્ય ચકિત થઇ  ગયો.

     મૌન રહેવું મુનાસીબ માની હું શાંત ચિત્તે પ્રમુખસ્વામીજી વધુ બોલે તેની રાહ જોતો અનિમેષ નજરે પ્રમુખસ્વામી જી નાં મુખારવિંદ સમક્ષ  જોઈ રહ્યો. મને જાણે કોઈએ દિવ્ય ઉપસ્થિતિની અનુભૂતિ થઇ  રહી હતી. ખરેખર પ્રમુખસ્વામીજીમાં એક પરમ શક્તિ વસે છે; એક પરમ આત્મા, આત્માનો પણ આત્મા.  મને આપણા પ્રાણ ક્ષેત્રની સૌથી નજીક હોય એવા જુદા જ દિવ્ય તત્વ સાથેના જોડાણનો અનુભવ થયો. પ્રમુખસ્વામી જીના દિવ્ય તેજથી મારું અંતઃકરણ ઝળહળી ઉઠ્યું. જાની મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થી હોય એવી અનુભૂતિ થઇ રહી હતી.

      મને લાગ્ય કે પ્રમુખસ્વામીજી સાથે હું જીવનની એક પરિવર્તનશીલ ઘડીમાથી પસાર થઇ રહ્યો હતો. અને જાણે હું કોઈએ જુદી જ દુનિયામાં પ્રવેશી રહ્યો હતો.”

        ડો. કલામ પુસ્તકના એક પ્રકરણમાં જણાવે છે કે “પ્રમુખસ્વામી મહારાજને મળવા છેલ્લે ,૧૧ માર્ચ ૨૦૧૪નાં રોજ ગુજરાતના સાળંગપુર ગયો હતો. સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતાં. જ્યાં મોર ગહેકાતા હતાં. અધ્યાત્મિક અને લાગણીસભર વાતાવરણ માં પ્રમુખસ્વામી મહારાજે ૧૦ મિનીટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો. અમે બંને મૌન હતા. અમારી વચ્ચે એકપણ શબ્દનું આદાન પ્રદાન થયું નહતું. મૌનનું મહાત્મ્ય છવાયું હતું. ચેતનાના સુક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યાં આ એક આધ્યાત્મિક અનુભવ હતો.

           સાળંગપુર પ્રમુખસ્વામી મારારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો. અગાઉ બે પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થી રહી છે તે મારી કલ્પનાઓ છે , જો કે આ વખતે સક્ષાત્કાર થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે સ્વયં મારો હાથ પકડ્યો હતો. હું શૂન્ય મનસ્ક થઇ ગયો હતો. અને શાશ્વત શાંતિ તરફ દોરી રહ્યો હતો. મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી શકે તેવી અખૂટ ઉર્જા છે. જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે. આ ઉર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આણી શકે છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખસ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે. તેઓ ક્ષનિક અને નાશવંત પ્રકૃતિથી પર છે. મને એવો અહેસાસ થયો હતો કે માનવજાતના ઉત્થાન માટે, તને સામર્થ પ્રદાન કરવા માટેના સર્વશક્તિમાન ભગવાનનો દિવ્ય સંદેશ, પ્રમુખસ્વામી મહારાજ મારફતે મને મળી રહ્યો છે. એક એવો સંદેશો કે જે માનવા જગત વિસરી ચુક્યું હતું.

          ૨૫ એપ્રિલ ૨૦૦૭ નાં દિવસે અબ્દુલ કલામે યુરોપીયન સંસદ ને સંબોધન કર્યા બાદ તેમના શબ્દો હતા કે  ‘મારા માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજ બોલી રહ્યાં છે. આખી સંસદે તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.’ અને યુરોપિયન સંસદના પ્રમુખે કહ્યું : ‘ તેમણે ક્યારેય આવું ભાષણ સાંભળ્યું ન હતું. આ તો ભગવાન પ્રેરિત ભાષણ હતું.”

         જ્યારે અબ્દુલ કલામે પ્રમુખાસ્વમીજીને રાષ્ટ્રપતિ ભાવનામાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે પ્રમુખસ્વામીજીનો જવાબ કાળબાહ્ય હતો. તેમણે કહ્યું “ તમે મને જ્યારે પણ યાદ કરો ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભાવનામાં જ હોઉં છું.”  ડૉ.  કલામ નોધે છે કે અમારું જોડાણ વધુ ગાઢ બની રહ્યું હતું. પ્રમુખસ્વામીજીની ગેરહાજરીમાં પણ હું તેમની હાજરી અનુભવતો.”

          પ્રમુખસ્વામીજી સક્ષાત કરુણામૂર્તિ હતા. ડૉ કલામ  કહે છે કે “૨૪ મી સપ્ટેમ્બર ૨૦૦૨, સાંજે ૪.૪૫ કલાકે ગાંધીનગરના અક્રધામ મંદિર પર ત્રાસવાદી હુમલો થયો. અક્ષરધામ પરના આ ત્રાસવાદી હુમલામાં ૩૧ નિર્દોષ દર્શનાર્થીઓ, હરિભક્તો , કમાન્ડોઝ અને એક સાધુ પણ જીવ ગુમાવી બેઠા હતા.  23 પોલીસ કર્મીઓ સહીત ૮૦ થી વધુ લોકો ઘવાયા હતા.  આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમાન્ડો સુર્જનસિંહ ભંડારી બે વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ શહીદ થયા.

         પ્રમુખ સ્વામી જી એ  કોઈએ પણ પ્રકારના હેતુપૂર્વકનું દોષારોપણ કર્યા વિના ઉદારતા દાખવી. અક્ષર ધામ એમનું અત્યત અમૂલ્ય , ભવ્ય અને અદભુત સર્જાના હતું એમાં છતાં પ્રમુખસ્વામીજી શાંત રહ્યા. તેમની સાધુતા હૃદયસ્પર્શી હતી. પ્રમુખસ્વામીએ ભોગ બનેલા કમ નસીબ લોકો અને શોકગ્રસ્ત સંબધિ માટે ઊંડા શોક અને સહાનુભુતિ ની લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી. ઘવાયેલા જલદી સાજા થાય તે માટે પણ તેમેને પ્રાર્થના કરી. બે ત્રાસવાદીઓ જે મૃત્યુ પામ્યા હતા, ત્યાં પણ તેમને પવિત્ર જળ છાંટી પુષ્પો વેર્યા. તેમની આંખોમાં લેશ માત્ર આક્રોશ ન હતો. ઉપસ્થિત સેંકડો લોકો અને સાધુઓ પ્રમુખાસ્વામીજીની અગાધ ક્ષમાશિલતા જોઈએ અચંબિત હતા. તેમની લાગણી સભર પ્રાર્થના એ જ હતી કે ભવિષ્યમાં આતંકનાં આવા વિચારો કોઈની મનમાં જન્મે નહિ અને આવી કરુણ ઘટનાની વેદના સમગ્ર વિશ્વમાં કોઈ દેશ કે સમુદાયના લોકોને સામનો ન કરવો પડે”.  

          ડૉ. કલામ પ્રમુખસ્વામી સાથેનો  પોતાનો દિવ્ય અનુભવ ટાંકતા લખે  છે કે “ હું એ નથી જાણતો કે પ્રમુખ સ્વામીજી ને હું ફરી ક્યારે માલીશ. જોકે એમાંના શબ્દો મારી સ્મૃતિમાં સંગ્રાહાઈ ગયા છે. અમારી વચ્ચે દિવ્ય સંબંધ સ્થપાઈ ગયો છે, જે શાશ્વત છે. મારા પર થયેલી પ્રમુખસ્વામી જી ની અસરનો સાર હું કઈ રીતે સમજાવું ? એમને મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે. જે આરોહણનો પ્રારંભ મારા પિતાએ કરાવ્યો, ડો બ્રહ્મપ્રકાશ તથા સતીશ ધવને જેનું પોષણ આપ્યું : અને આખરે હવે પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામા મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.”

(સંદર્ભ : ‘પરાત્પર’  મૂ.લે. -  ડૉ. અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે, અનુ. અજય ઉમટ)

                                                                                             - ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only) 

Sunday, October 9, 2022

સન્ડે સ્પેશિયલ - 38

સિઆચેન જ્યાં એક શહીદ થયેલ જવાનની આજે પણ ડ્યુટી લાગે છે અને સમયાંતરે પ્રમોશન પણ આપવામાં આવે છે.


        વિશ્વમાં કેટકેટલીય ઘટનાઓ ઘટતી હોય છે કે જે સામાન્ય મનુષ્યની સમજશક્તિની બહાર હોય છે. જેને મનુષ્ય કાંતો ચમત્કારમાં ખપાવે છે અથવા તો એ બનાવ કે ઘટનાને જોગાનુજોગ માનવામાં આવે છે.  લેખક હર્ષલ પુષ્કર્ણા લિખિત અને ખૂબ જાણીતા બનેલા પુસ્તક આ છે સિઆચેન’માં ઓ.પી. બાબા ટેમ્પલની વિસ્તૃત વાત કરવામાં આવી છે. શહીદ થયેલ જવાનનું બનાવવામાં આવેલ મંદિર સિઆચેનમાં ફરજ બજાવતા સૌ ફૌજીઓનું આસ્થાનું કેન્દ્ર છે. જવાનોનું માનવું છે કે ઓ.પી. બાબા તમામ મુસીબતોથી તેમનું રક્ષણ કરે છે.  ઓ.પી. બાબા ટેમ્પલની અક્ષરશઃ  વાત લેખક હર્ષલ પુષ્કર્ણાના શબ્દોમાં જ અહી પ્રસ્તુત છે.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

         શીખ બટાલિઅનના ગેસ્ટરૂમથી આશરે બે-અઢી કિલોમીટરના અંતરે સિઆચેન હિમનદીનું મુખ આવેલું છે. બર્ફીલી ચાદર ત્યાં જળપ્રવાહમાં રૂપાંતર પામે છે. નદીના કાંઠા પાસે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. ઓ. પી. બાબા ટેમ્પલ તરીકે ઓળખાતું એ મંદિર સામાન્ય પ્રકારનું નથી, બલકે ખાસ છે. બે અસાધારણ બાબતો તેને ખાસ બનાવે છે: (૧) ઓ. પી. બાબા ટેમ્પલ એવું ધાર્મિક સ્થળ છે કે જ્યાં તમામ ધર્મ- સંપ્રદાયોના જવાનો અફસરો પોતપોતાની શ્રદ્ધા મુજબ પ્રાર્થના તેમજ બંદગી કરી શકે છે. ઓ. પી. બાબા મંદિર એ રીતે ‘સર્વ ધર્મ સ્થલ’ મતલબ કે ઓલ- ઇન-વન ધર્મસ્થાન છે. (૨) આ ધર્મસ્થાનને વિશેષ બનાવતી બીજી ખાસિયત તેના નામ ‘ઓ. પી. બાબા’માં રહેલી છે. સિઆચેનમાં ડ્યૂટી માટે આવેલા જવાનો/અફસરો ચાહે ગમે તે ધર્મ-સંપ્રદાયના હોય, પણ ઓ. પી. બાબામાં તેમની શ્રદ્ધા અડગ છે એટલું જ નહિ, પણ બુલંદીએ છે. ઓ. પી. બાબાની મંજૂરી લીધા વિના કોઇ જવાન કે અફસર પહાડી ચોકીએ પોતાની ડ્યૂટી બજાવવા પ્રયાણ કરતો નથી. એ જ રીતે ચોકીએથી ડ્યૂટી બજાવીને પરત ફરેલા જવાનો અફસરો બેઝ કેમ્પમાં પગ મૂકતાવેંત પહેલું કામ ઓ. પી. બાબાને સલામી આપવાનું કરે છે.

               અહીં ‘બાબા’ શબ્દ વાંચ્યા પછી ધાર્મિક ચેનલો ૫૨ વ્યાખ્યાનો આપવા પ્રગટ થતા મહાનુભાવોની છાપ મગજમાં કદાચ ઉપસે, પરંતુ એને છાપભૂલ ગણવી રહી. કારણ કે ‘બાબા’ શબ્દ જરા ભ્રામક છે. ઓ. પી. બાબાનું અસલ નામ ( શહીદ ) ઓમ પ્રકાશ છે. ૧૯૮૦ ના દસકા દરમ્યાન તેઓ સિઆચેનની ‘માલૌન’ ચોકીએ તોપચી ટુકડીના સૈનિક તરીકે ડ્યૂટીએ હતા. એક દિવસ ‘માલૌન’ પોસ્ટના સૌ જવાનોએ નીચેની ચોકીએ કોઇક કારણસર જવાનું થયું. ‘માલૌન'ની સંપૂર્ણ જવાબદારી ઓમ પ્રકાશના શિરે આવી. યોગાનુયોગે એ જ દિવસે પાક સૈનિકોએ ‘માલૌન’ પર અણચિંતવ્યું આક્રમણ કરી દીધું. ઓમ પ્રકાશ એકલે હાથે ઝઝૂમ્યા અને શત્રુ સૈનિકોને ખદેડી મૂકવામાં સફળ થયા. ફાયરિંગની મુઠભેડમાં તેઓ કદાચ શત્રુની ગોળીનો શિકાર બની ઢળી પડ્યા અને સંભવતઃ કો’ક ઊંડી કોતરમાં સમાઇ ગયા. હકીકતે શું બન્યું એ તો કોને ખબર, પણ નીચેની ચોકીએ ગયેલા જવાનો તેમનું કાર્ય આટોપીને ‘માલૌન’ પાછા ફર્યા ત્યારે તેમને ઓમ પ્રકાશનાં સગડ ન મળ્યાં.

          દિવસો સુધી તલાશી અભિયાન ચાલ્યું, પણ ઓમ પ્રકાશનો પત્તો ન ખાધો. આ જવાન ક્યાં લાપત્તા બન્યા તે રહસ્ય છેવટે રહસ્ય જ રહ્યું. વધુ રહસ્યમય ઘટનાઓ ત્યાર પછી બની. ‘માલૌન' તેમજ તેની આસપાસની આપણી ચોકીઓમાં ફરજ બજાવતા ઘણા જવાનોની કથની મુજબ ઓમ પ્રકાશ તેમનાં સ્વપ્નોમાં ઘણી વાર પ્રગટ થતા હતા અને સિઆચેન ક્ષેત્રમાં આવનારા કુદરતી જોખમો (દા.ત. હિમઝંઝાવાત યા હિમપ્રપાત) વિશે ચેતવણી આપતા હતા. આ જવાનોની વાત કેટલી સાચી (કે ખોટી) એ નક્કી કરવું મુશ્કેલ હતું, પણ તેમનું ( અગર તો તેમના માધ્યમ થકી ચેતવણીનો ભયસૂચક અલાર્મ રિલે કરનાર ઓમ પ્રકાશનું) ભવિષ્યનિદાન ક્યારેક સાચું પડતું ત્યારે અનેક જણાને વાતમાં દમ જણાયો. ઓમ પ્રકાશની (કથિત) ભવિષ્યવાણી સાચી પડવી કદાચ સહજ યોગાનુયોગ હતો, પણ આવા યોગાનુયોગ દર થોડા વખતે  બનવા લાગ્યા ત્યારે જવાનોને ઓમ પ્રકાશમાં આસ્તે આસ્તે વિશ્વાસ બેસવા લાગ્યો. વિશ્વાસ પછી તો ધાર્મિક શ્રદ્ધામાં પરિણમ્યો, જેણે ઓમ પ્રકાશને સામાન્ય સૈનિકમાંથી અસામાન્ય દૈવીપુરુષ ઓ. પી. બાબા બનાવી દીધા.

          સંખ્યાબંધ ચોકીઓમાં તેમનાં નાનાં અમસ્તાં મંદિરો બન્યાં. ૧૯૯૬ માં બેઝ કેમ્પ ખાતે પણ બન્યું અને ઓ. પી. બાબામાં જવાનોની અફસરોની શ્રદ્ધા વધતી ગઇ તેમ વર્ષોવર્ષ મંદિરનું કદ પણ વધ્યું. આજે બેઝ કેમ્પ ખાતે સિઆચેન હિમનદીના મુખ નજીક આવેલું ઓ. પી . બાબાનું મંદિર મોટા વિસ્તારને આવરી લે છે. હિમનદી તરફ જઇ રહેલા તેમજ ત્યાંથી પાછા ફરી રહેલા ફૌજીઓ એ મંદિરની અચૂક મુલાકાત લે છે. ઓ. પી. બાબાની મૂર્તિ સમક્ષ ખડા રહીને આરતી ઊતારે છે,પછી સલ્યુટ કરે છે અને લશ્કરી ઢબે ડ્યૂટી રિપોર્ટ પણ આપે છે. જવાનો અફસરો જો હિમનદી તરફ આરોહણ શરૂ કરવાના હોય તો જતાં પહેલાં ઓ. પી. બાબાને કંઇક આવી પ્રાર્થના કરે છેઃ ઓ. પી. બાબા! અમે ફલાણી બટાલિઅનના જવાનો ફલાણા અફસરના નેતૃત્વ હેઠળ ફલાણી ચોકીએ ફરજ બજાવવા જઇ રહ્યા છીએ. અમને સૌને ફરજ પર જવા માટે પરવાનગી આપો. અમારા સૌનું ધ્યાન રાખજો. કુદરતી જોખમો સામે અમને ચેતવજો. બધા જવાનો તથા અફસરો ત્યાર પછી ઓ. પી. બાબાને સલ્યૂટ કરે, તેમની સમક્ષ શ્રીફળ વધેરે અને પ્રસાદ ચડાવી ‘ ઓ. પી. બાબા કી જય ! ' ના પોકારો કર્યા બાદ બેઝ કેમ્પથી પહાડી ચોકીનું આરોહણ શરૂ કરે. ચોકીએ ફરજ બજાવીને પાછા આવેલા જવાનો અફસરોએ ખરેખર તો સૌ પ્રથમ તેમની બટાલિઅનના કમાન્ડિંગ ઓફિસરને આવીને રિપોર્ટ કરવો જોઇએ, કારણ બેઝ કેમ્પમાં એ વડા અફસર કરતાં સીનિઅર હોદો બીજા કોઇ અધિકારીનો નથી. ચોકીએથી આવેલા ફૌજીઓ જો કે પહેલાં ઓ. પી. બાબાને રિપોર્ટ કરે છે. અટેન્શનમાં તેમની મૂર્તિ સમક્ષ ઊભા રહીને જણાવે કે, અમે ફલાણી તારીખે ફલાણી ચોકીએ તમારી મંજૂરી લઈને ગયા હતા. આજે સૌ હેમખેમ પરત ફર્યા છીએ. પહાડોમાં અમારું ધ્યાન રાખવા બદલ તમારો આભાર માનીએ છીએ. માટે આ બધું આપણને જરા અજૂગતું યા વધુ પડતું લાગે, પણ સિઆચેનમાં જવાનો તથા અફસરો ઓ. પી. બાબા માનસિક સધિયારો છે.

           અહીં ઘણાખરાનું માનવું છે કે પહાડી ચોકીઓમાં ડ્યૂટી વખતે ઓ. પી. બાબાની દૃષ્ટિ તેમના પર સતત રહે છે અને વિષમ કુદરતી સંજોગોમાં એ દૈવીપુરુષ સૌને રક્ષણ આપે છે. ઓ. પી. બાબાની કથિત દિષ્ટ હંમેશાં રહે એ ખાતર તેમનો અનાદર કરવાની ભૂલ કોઇ કરતું નથી . માનો યા ન માનો , પણ ચોકીએ ગયેલા અમુક જવાનો ઓ. પી. બાબાની મંજૂરી લીધા વિના દાઢી - મૂંછ કરતા નથી . કેટલાક તો પોતાના નખ સુધ્ધાં કાપતા નથી. પર્મિશન વિના એમ કરવાથી ઓ. પી. બાબા નારાજ થાય એવી તેમને ભીતી હોય છે. આ કથિત દૈવીપુરુષ નારાજ થાય એનું પરિણામ શું આવે એ જાતનો સવાલ જ્યારે મેં ઓ. પી . બાબાના મંદિરે ઉપસ્થિત કેટલાક જવાનોને પૂછ્યો ત્યારે જવાબ મળ્યો, ‘કુછ ભી હો સકતા હે, સા'બ ! બિગડા હુઆ મૌસમ જલદી ઠીક નહીં હોતા. જનરેટર ખરાબ હો જાતા હૈ. સ્નો સ્કૂટર સ્ટાર્ટ હોને સે મના કર દેતા હૈ.’ ‘કભી ઐસા હુઆ હૈ? ’

        મારા એ સવાલના જવાબમાં જવાનોએ કહ્યું કે, ‘સા’બ, એક - દો બાર નહીં... કઇ બાર હુઆ હૈ ! ઓ. પી. બાબા મેં જો વિશ્વાસ નહીં રખતા ઉસકો કુછ ના કુછ મુશ્કિલ ઝેલની પડી હૈ. ઇસ લિયે સારે જવાન ઓ. પી. બાબા કો દિલ સે માનતે હૈ, ઔર ફિર હમારી ફૌજને ભી તો ઉનકો આદર સન્માન દિયા હૈ

          'વો કૈસે ?' મને સવાલ થયો.

          જવાનો મંદિરના પાછલા ભાગે આવેલી ઓરડી તરફ મને દોરી ગયા. એક નાની કેબિન હતી, જેના પર લખેલું હતું : ‘ ઓ. પી. બાબા કી જય ! ' આ કેબિનનો દરવાજો ખોલીને હું અંદર ગયો. એક તરફ પલંગ હતો, જેની ગાદી પર રજાઈ અને બ્લેન્કેટ વ્યવસ્થિત ગડી કરીને મૂકેલા હતા. પલંગની બાજુમાં એક પટારા પર કેપ્ટન ઓમ પ્રકાશ ( ઉર્ફે ઓ. પી. બાબાનું) નામ લખલું હતું. ભીંત પર એ જ નામવાળી લશ્કરી વર્દી લટકતી અને બાજુમાં તેમની ફોટોફ્રેમ હતી. મારી સાથે આવેલા જવાનોએ જણાવ્યું તેમ કેપ્ટન ઓમ પ્રકાશ ૧૯૮૦ ના દસકામાં શહીદ થયા, છતાં આપણા ખુશ્કીદળે તેમને હજી સેવાનિવૃત્ત કર્યા નથી. આ ફૌજીનો નિયમિત પગાર થાય છે, જે તેમના ઘરવાળાઓને મળે છે. આ સૈનિકે કર્મપાલન વખતે શહાદત વહોરી લીધી ત્યારે તેમનો લશ્કરી દરજ્જો સામાન્ય સિપાહીનો હતો. હવે આટલાં વર્ષે પ્રમોશન બાદ કેપ્ટનનો રેન્ક મળ્યો છે. ( જો કે કેપ્ટનનો જૂનિઅર હોદો હોવા છતાં સમગ્ર સિઆચેન ક્ષેત્રમાં તેમનાથી સીનિઅર કોઇ ગણાતું નથી. બેઝ કમાન્ડર નહિ તેમ બટાલિઅનના કમાન્ડિંગ ઓફિસર પણ નહિ).

           ભારતીય ખુશ્કીદળના ચોપડે કેપ્ટન ઓમ પ્રકાશ હજી ફરજ બજાવી રહ્યા છે. પરિણામે અન્ય સૌ જવાનો/અફસરોની માફક દર વર્ષે તેમને પણ અમુક દિવસોની રજા મળે છે. બે જવાનો ત્યારે કેપ્ટન ઓમ પ્રકાશનો યુનિફોર્મ તથા અન્ય સામાન પટારામાં ભરે છે અને ‘તેમને’ ઘર સુધી મૂકવા જાય છે. રજાઓ પૂરી થતા પાછા પણ લેતા આવે છે. બેઝ કેમ્પ ખાતે કેપ્ટન ઓમ પ્રકાશનું ( ઉર્ફે ઓ. પી. બાબાનું ) આવું ઔપચારિક પુનરાગમન થાય, એટલે ખુશ્કીદળના ચોપડે તેઓ ઓન - ડ્યૂટી હોવાનું અધિકૃત રીતે નોંધવામાં આવે છે. દરરોજ સવાર-સાંજ તેમને ( બધા કરતાં પહેલાં ) ભોજન પીરસવામાં આવે, રાત્રે તેમનું બિછાનું તૈયાર કરવામાં આવે અને સવારે સંકેલી લેવામાં આવે, જૂતાં પોલિશ કરવામાં આવે તથા દર થોડા વખતે યુનિફોર્મ ધોઇને ઇસ્ત્રી પણ કરવામાં આવે ! આમ કરવું કેપ્ટન ઓમ પ્રકાશના મદદનીશ જવાનની ડ્યૂટી છે, જેને તે પૂરી લગન સાથે કરે છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts