Wednesday, July 29, 2020

મહામારીના મહાયોદ્ધા : ડૉ. યાજ્ઞિક ચૌહાણ


મહામારીના મહાયોદ્ધા : ડૉ. યાજ્ઞિક ચૌહાણ


        સમગ્ર વિશ્વ સાંપ્રત સમયમાં સઘળી સમસ્યાઓ ભૂલીને માત્રને માત્ર મહામારીને માત કરવા કમર કસી રહ્યું છે. કોરોનાએ સર્વત્ર કાળો કહેર વર્તાવી રહ્યો છે. ભારત દેશ અને એમાં આપણું રાજ્ય પણ આ મહામારીના પ્રકોપમાંથી બાદ રહી શક્યું નથી. આવી નાજુક પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં પણ દિવસે ને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી હતી એ સમસ્ત વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રજાજનો માટે સૌ માટે બહુ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ આવા સમયે જિલ્લાના આરોગ્ય કર્મીઓ યોદ્ધા બની મહામારીના મોરચો સાંભળ્યો. અને સૌ કર્મીઓના સહિયારા પુરુષાર્થના પરિણામે અરવલ્લી જિલ્લો સંક્રમણ મુક્ત જિલ્લો બનવા તરફ મક્કમતા પૂર્વક કૂચ આરંભી. 
           વાત છે એવા જ એક કોરોના વોરિયર્સની. જેઓનું નામ છે. ડૉ. યાજ્ઞિક ચૌહાણ. તેઓ અરવલ્લી જિલ્લાના આકરૂન્દ ગામે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ જિલ્લામાં વધતા સંક્રમણના કેસોની સંખ્યા વધતા 9 મી મે 2020 ના રોજ થી કોવિડ હોસ્પિટલ વાત્રક ખાતે ફરજ પર નિયુક્ત થયા. અને મહામારી દરમિયાન સતત 41 દિવસ સુધી સંક્રમિત દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહ્યા. આ સમય દરમિયાન ડૉ. યાજ્ઞિકભાઈએ ન જોયો દિવસ કે ના જોઈ રાત બસ દર્દીઓની સેવાને જ પોતાનો ધર્મ માન્યો અને જે સેવા બજાવી એ ઉદાહરણ રૂપ છે. સતત 15-15 રાતોની રાતો જાગીને નાઇટ ડ્યુટી નિભાવી.

          દાખલ દર્દીઓને પૂરતી સવલતો મળતી રહે એ માટે સતત પ્રવૃત્ત રહ્યા. સમય સર સારવાર મળે એ માટે સંક્રમિત દર્દીઓ પાસે દિવસમાં ત્રણ ત્રણ વાર જઈ ચેક અપ કરી સારવાર કરતા રહ્યા. આ સાથે ઓ.પી.ડી. ની સાથે સાથે ઇમરજન્સી વિભાગની પણ જવાબદારી, સેમ્પલ કલેક્શનની જવાબદારી પણ સુપરે નિભાવતા રહ્યા. આટઆટલું કામ કરવા છતાં થાકનું તો નામોનિશાન નહીં. કોઈપણ કામ માટે જ્યારે પણ હાંક મારો તેઓ તૈયાર હોય. તેઓનના મુખ પરનું સ્મિત અને કામ કરવાનો તરવાળાટ જોતાં દર્દી પોતાનું અડધું દુઃખ આપોઆપ વિસરી જાય. 
          સંક્રમિત દર્દીઓની સેવા કરતાં પોતાનો પરિવાર સંક્રમણનો ભોગ ન બને એ માટે તેઓ સતત પોતાના પરિવારથી પણ દૂર રહ્યા. તેઓનો પણ પરિવાર છે. જ્યારે સમસ્ત દેશના લોકો લૉકડાઉન દરમિયાન પોતાના પરિવાર સાથે હળવી પળો ગાળી રહ્યા હતા એ દરમિયાન ડૉ. યાજ્ઞિકભાઈ તેઓની પત્નિ, તેઓની માતા અને માત્ર ચાર મહિનાની  દીકરીથી દિવસોના દિવસો દૂર રહી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરવામાં વ્યસ્ત હતા. 
           પોતના જાનની કે પોતાના પરિવારની પણ પરવા કર્યા વિના દિવસ રાત અથાગ મહેનત કરી સંક્રમિત દર્દીઓની સારવારમાં પોતાની જાત નીચોવી દીધી. પરિણામે હોસ્પિટલમાં સારવાર લેતાં મોટાભાગના દર્દીઓ સંક્રમણ મુક્ત બની પરિવાર સાથે પરત ફર્યાં છે.  
           ડૉ. યાજ્ઞિકભાઈએ દર્દીઓની સેવા દરમિયાન પણ પોતાના મુખ પરનું સ્મિત હંમેશા જાળવી રાખ્યું છે. તેઓ એક ઉમદા વ્યક્તિ છે. દર્દીની સેવાને જ પોતાનો ધર્મ માનતા ડૉ. યાજ્ઞિકભાઈને અભિનંદન આપીએ એટલા ઓછા છે. આવા દેવદૂત સમાન ડોકટરને પ્રભુ હંમેશા સ્વસ્થ્ય રાખે એ જ પ્રાર્થના.

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપના પ્રતિભાવ મો. નં 98251 42620 પર વોટ્સએપ દ્વારા મોકલી શકો છો.

Sunday, July 26, 2020

ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર શ્રી અજય ઉમટ

ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર શ્રી અજય ઉમટ 

        
        
        ગુજરાતના બહુ લબ્ધપ્રતિષ્ઠિત તંત્રી-પત્રકારોમાં મોખરાનું એક નામ એટલે શ્રી અજય ઉમટ. એવું કહી શકાય કે તેઓ ગુજરાતના રાષ્ટ્રીય પત્રકાર છે. હાલ તેમના સુકાની પદે ‘નવગુજરાત સમય’ અખબાર સફળતા અને વૃદ્ધિનાં એક પછી એક સોપાનો સર કરી રહ્યું છે. અંગ્રેજીમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના સિનિયર એડિટર તરીકે પણ તેઓ દેશભરમાં ચર્ચા જગાવે તેવા કેટલાય અહેવાલોના પ્રણેતા રહી ચૂક્યા છે. સ્ટેટ એડિટર તરીકે તેમનાં નેતૃત્વ હેઠળ જ ‘દિવ્ય ભાસ્કર’ ગુજરાતી અખબારે પ્રગતિની છલાંગ લગાવી હતી. ગુજરાત સમાચારના અગ્રણી પત્રકાર તથા કોલમિસ્ટ તરીકે તેમની કલમનો જાદુ વર્ષો સુધી ગુજરાતી વાચકોએ માણ્યો છે. 
         સંદેશ, જનસત્તા-લોકસત્તા, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી) તથા ઇન્ડિયા ટૂડે (ગુજરાતી ) સહિતનાં અખબારો-સામાયિકો થકી તેમની પત્રકારત્વની યાત્રા ગુજરાતભરના કેટલાય પત્રકારો માટે પથદર્શક રહી છે. ગુજરાતનો વિનાશકારી ભૂકંપ, અક્ષરધામ પરનો આતંકવાદી હુમલો, ગુજરાતનાં કોમી રમખાણો સહિતની પાછલા કેટલાય દાયકાઓની દેશ અને દુનિયાને હચમચાવનારી ઘટનાઓ તથા ગુજરાતના રાજકીય પ્રવાહો સંબંધી કેટકેટલીય બ્રેકિંગ સ્ટોરીઝનું શ્રેય તેમના નામે બોલે છે. 
        વાસ્તવમાં ગુજરાતના આધુનિક રાજકીય ઇતિહાસના એક આધારભૂત તજજ્ઞ તથા વિશ્લેષક તરીકે દેશ-દુનિયામાં તેમણે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. આથી જ દેશવિદેશનાં કેટલાંય રેડિયો સ્ટેશન્સ ઉપરાંત ટીવી ચેનલો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાયિકો તેમના અભિપ્રાય અને એનાલિસીસની હંમેશાં માંગ રહે છે. ગુજરાતી ચેનલો પર સાંપ્રત પ્રવાહો અંગે તેમનાં ધારદાર અવલોકન, દૃષ્ટિકોણ તથા બેહદ ઊંડાણભર્યા ઇન્ટરવ્યૂઝ માટે ગુજરાતી દર્શકો તેમની પ્રતીક્ષા કરતા હોય છે. ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’, ‘નુક્તેચીની’ સહિતની તેમની અખબારી કોલમો બહુ વિશાળ વાચક વર્ગ ધરાવે છે. માત્ર રાજકારણ જ નહીં પરંતુ ગુજરાતના ઉદ્યોગજગત, કલા અને સાહિત્યજગત ,શિક્ષણ ક્ષેત્ર અને જાગૃત કર્મશીલોમાં તેઓ એટલી જ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. ખરું કહીએ તો ગુજરાતના જાહેરજીવનમાં તેમનાં સ્તરની લોકપ્રિયતા અને સંપર્ક સામર્થ્ય ધરાવનારા સંપાદકો જુજ છે. ગુજરાત મીડિયા કલબના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. તો સાથે સાથે કેટલીય ખ્યાતનામ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ માર્ગદર્શક અને નિષ્ણાત સલાહકાર તરીકે તેઓ જોડાયેલા છે.
         શ્રી અજય ઉમટ એક પ્રખર લેખક પણ છે. તેમના તંત્રી લેખોના સંપાદન પ્રગટ થઇ ચૂક્યાં છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત અબ્દુલ કલામે બીએપીએસના સ્થાપક પૂ. પ્રમુખ સ્વામી વિશે લખેલાં પુસ્તક Transcendence : My spirutual experiences with Pramukh Swamiji નો ભાવવાહી અનુવાદ તેમણે ‘પરાત્પર’ તેમણે કર્યો છે. આ ઉપરાંત પત્રકારત્વ તથા અન્ય સાંપ્રત વિષયોને લગતાં સંપાદનો પણ તેમણે આપ્યાં છે. 
           પત્રકાર તરીકે શ્રી અજય ઉમટ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન તથા અન્ય મહાનુભવો સાથે અમેરિકા, રશિયા, સિરિયા, કઝાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, યુકે, તાન્ઝાનિયા, ઇથિઓપિયા સહિતના દેશોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તેઓ બ્રિક્સ સમીટનું ત્રણ-ત્રણ વખત કવરેજ કરી ચૂક્યા છે. યુએન કોન્ફરન્સ, જી-૨૦ શીખર પરિષદ, ન્યૂક્લિયર સિક્યુરિટી સમીટ , ચોગમ, સહિતની આંતરરાષ્ટ્રીય સ્તરની બેઠકોનું તેમનું કવરેજ પણ વાચકોએ માણ્યું છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરનેશનલ વિઝિટર્સ લીડરશીપ પ્રોગ્રામ ઓન ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ તથા સિટિઝન રિપોર્ટિંગ પ્રોગ્રામ માટે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 
          વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બીએસસી અને એમએસ ડબ્લ્યૂની ડિગ્રી હાંસલ કરી ચૂકેલા શ્રી અજય ઉમટની વિદ્યાસાધના પત્રકારત્વના ખેડાણની સમાંતર ચાલી છે અને તંત્રી તરીકે અખબારોનું સંવર્ધન કરવાની સાથે સાથે જ તેમણે નિરમા યુનિવર્સિટીમાંથી એલએલએમની ડિગ્રી મેળવી છે. અખબારી કાયદાઓ અંગે તેઓ નિષ્ણાત ગણાય છે. આ વિદ્યાસાધનાએ જ અને પ્રાધ્યાપક પિતા તરફથી મળેલા વારસાએ તેમનામાં રહેલા શિક્ષક જીવને પણ સતત સતેજ રાખ્યો છે. ગુજરાતની મોખરાની પત્રકારત્વ કોલેજોમાં તેઓ વર્ષોથી અધ્યાપન-માર્ગદર્શન કરતા રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વની પાઠશાળામાં સંખ્યાબંધ ગુજરાતી પત્રકારો તૈયાર થયા છે. કેટકેટલાય તેજસ્વી યુવા પત્રકારોના તેઓ ગુરૂ છે. માત્ર પત્રકારત્વ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તથા ખાસ કરીને સાંપ્રત પ્રવાહો અને સરકારી કાર્યશૈલીથી વાકેફ કરાવવા તેઓ સ્પીપા સહિતની કેટલીય સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં પણ અભ્યાસ અને તાલીમ માટે વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપે છે. 
         પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન માટે તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ( 2010), દ્વિતીય ડીડી ગિરનાર શિરોમણી પુરસ્કાર (2013) અંતર્ગત શિરોમણી પુરસ્કાર, તુષાર ભટ્ટ પત્રકારત્વ એવોર્ડ, ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ , ભારતીય પત્રકાર સંઘ અને ગુજરાત પત્રકાર સંઘ દ્વારા લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તથા અન્ય કેટલાય એવોર્ડઝ પ્રાપ્ત થઇ ચૂક્યા છે. તાજેતરમાં તેમને જાયન્ટ ઇન્ટરનેશનલ દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ચિત્રલેખા મેગેઝિન દ્વારા તેમનો ગુજરાતની 60 ટોચની પ્રતિભાઓમાં સમાવેશ થઇ ચૂક્યો છે.
(અજય ઉમટ સરની એફ.બી. વોલ પરથી સાભાર)

સં. - ઈશ્વર પ્રજાપતિ
મો. 98251 42620 ( whatsapp only)

Monday, July 20, 2020

HTAT : એક ઉપેક્ષિત કેડર ?


HTAT : એક ઉપેક્ષિત કેડર ?

        
         ગુજરાતના પાંસઠ હજાર શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી સ્વીકારી ગુજરાતની સંવેદનશીલ સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષકોની લાગણીને સમજી સરકારશ્રીના આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવા બદલ આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ હજી ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો પણ પોતાના હકો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. 
         ગુજરાતીમાં પ્રચલિત કહેવત છે કે સૌથી વધું ખીલ્લા ઘરના મોભને જ સહન કરવા પડતા હોય છે. આ કહેવત મુખ્ય શિક્ષક એટલેકે Htat કેડરને બરાબર બંધ બેસે છે. RTE - 2009 ના નોર્મસ પ્રમાણે શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની ભલામણ કરવામાં આવી. આ નિયમ લાગુ પડતાં તેજસ્વી અને ઉત્સાહી સારસ્વત મિત્રો અતિ ઉત્સાહમાં આવી શાળા અને શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવવાના સોનેરી સપના સજાવવા લાગ્યા. અધૂરામાં પૂરું સરકારે પણ ઉજ્વળ ભવિષ્યનાં સપનાં બતાવ્યાં. પરિણામ સ્વરૂપે શિક્ષકોએ એચ.ટાટની પરીક્ષા પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી પોતાના વતન નજીકની શાળાઓ છોડીને દૂરની શાળાના આચાર્ય તરીકે નિયુક્તિ પામ્યા. 
           પોતાની માંગણીઓ કે હકની પરવા કર્યા વિના પોતાની શાળાની શૈક્ષણિક ગુણવત્તાને ઉત્કૃષ્ઠ બનાવવા જાત નીચોવી દીધી. અને રાજ્ય સરકારે જે ભરોસાથી શાળાઓમાં એચ.ટાટ આચાર્યની ભરતી કરી હતી એ વિશ્વાસને મુખ્ય શિક્ષકોએ બરકરાર રાખ્યો. 
          પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં???
             વર્ષો વીતતાં ગયાં એમ છતાં નિયમોનું કોઈ સ્પષ્ટીકરણ ન થતાં મુખ્ય શિક્ષકો હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઠરાવ ક્રમાંક પીઆરઇ/112010/2507/ક 16/6/2011 અનુસાર મુખ્ય શિક્ષક ગ્રેડ પે 4400 ઠરાવવામાં આવ્યો હતો. જે 21/3/2012 ના રોજ સુધારો કરી ગ્રેડ પે 4200 કરી દેવામાં આવ્યો. શુ મુખ્ય શિક્ષકને 4400 ગ્રેડ પે ન મળી શકે?? જો એમ ના થાય તો સળંગ નોકરીની ગણતરી પ્રમાણે આગામી વર્ષોમાં સરખી સિનિયોરિટી ધરાવતા આસિસ્ટન્ટ ટીચરનો પગાર મુખ્ય શિક્ષક કરતાં વધુ હશે. સરખી નોકરી છતાં વેતનમાં અસમાનતાનો કોઈ ઉકેલ આવશે ખરો? ઉચ્ચતર પગાર ધોરણ 9/20/31 કે પછી 12/24 ?? મુખ્ય શિક્ષકોને સત્રનો લાભ મળે કે ન મળે ? આવી તો અનેક મુઝવણો હતી જ. ત્યાં મુખ્ય શિક્ષકો પર વધનો વજ્રઘાત થયો. અને એના કારણે કેટલાક મુખ્ય શિક્ષકોને તો પોતાની મૂળ શાળાથી 100 -150 કિલોમીટર દૂરની શાળામાં જવું પડ્યું. હવે મુખ્ય શિક્ષક ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! હવે મૂળ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા પણ છે એમ છતાં 100 - 150 કિલોમીટર દૂર ગયેલા મુખ્ય શિક્ષકને મૂળ શાળામાં પરત આવવાનો લાભ ક્યારે મળશે? મુખ્ય શિક્ષક અને તેના પરિવારજનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. પોતાની વાત કરે તો કોને કરે?? આખા રાજ્યના મુખ્ય શિક્ષકોનું સંખ્યાબળ પણ ઓછું. એટલે કોઈએ એમની મુંજવણ સાંભળવાની પણ તસ્દી નથી લીધી. 
             ઉજ્જવળ ભવિષ્યની આશાએ મોટા ઉપાડે મુખ્ય શિક્ષક તો બની ગયા પણ આખરે ફાયદો શું?? નામદાર કોર્ટે પણ આદેશ આપ્યો કે મુખ્ય શિક્ષકને કે.નીનું પ્રમોશન મળવા પાત્ર છે. પરંતુ રાજ્ય સરકારે હાલ એ પ્રમોશનનો પરિપત્ર પણ સ્થગિત કરી દીધો. અને કદાચ એ રદ કરતા પણ વાર નહીં કરે. મુખ્ય શિક્ષકો એ પોતાના હકો કે માંગણીઓ માટે આજદિન સુધી કોઈ આંદોલનનો માર્ગ પસંદ નથી કર્યો. હંમેશા સરકાર અને શિક્ષણના હિતમાં પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. ત્યારે એચ.ટાટ મુખ્ય શિક્ષકની કેડર ઉપેક્ષિત ન બની રહે એ માટે યોગ્ય પગલાં લેવાય એ જ અપેક્ષા હોય ને! 
                  સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે શાળામાં પટાવાળાથી માંડી પ્રિન્સિપાલ સુધીના તમામ કામો નિષ્ઠા પૂર્વક કરતા મુખ્ય શિક્ષકોના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા સાથે જય જય ગરવી ગુજરાત.
લેખન :- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
 (whatsapp only)

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts