Monday, July 20, 2020

HTAT : એક ઉપેક્ષિત કેડર ?


HTAT : એક ઉપેક્ષિત કેડર ?

        
         ગુજરાતના પાંસઠ હજાર શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી સ્વીકારી ગુજરાતની સંવેદનશીલ સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષકોની લાગણીને સમજી સરકારશ્રીના આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવા બદલ આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ હજી ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો પણ પોતાના હકો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. 
         ગુજરાતીમાં પ્રચલિત કહેવત છે કે સૌથી વધું ખીલ્લા ઘરના મોભને જ સહન કરવા પડતા હોય છે. આ કહેવત મુખ્ય શિક્ષક એટલેકે Htat કેડરને બરાબર બંધ બેસે છે. RTE - 2009 ના નોર્મસ પ્રમાણે શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની ભલામણ કરવામાં આવી. આ નિયમ લાગુ પડતાં તેજસ્વી અને ઉત્સાહી સારસ્વત મિત્રો અતિ ઉત્સાહમાં આવી શાળા અને શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવવાના સોનેરી સપના સજાવવા લાગ્યા. અધૂરામાં પૂરું સરકારે પણ ઉજ્વળ ભવિષ્યનાં સપનાં બતાવ્યાં. પરિણામ સ્વરૂપે શિક્ષકોએ એચ.ટાટની પરીક્ષા પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી પોતાના વતન નજીકની શાળાઓ છોડીને દૂરની શાળાના આચાર્ય તરીકે નિયુક્તિ પામ્યા. 
           પોતાની માંગણીઓ કે હકની પરવા કર્યા વિના પોતાની શાળાની શૈક્ષણિક ગુણવત્તાને ઉત્કૃષ્ઠ બનાવવા જાત નીચોવી દીધી. અને રાજ્ય સરકારે જે ભરોસાથી શાળાઓમાં એચ.ટાટ આચાર્યની ભરતી કરી હતી એ વિશ્વાસને મુખ્ય શિક્ષકોએ બરકરાર રાખ્યો. 
          પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં???
             વર્ષો વીતતાં ગયાં એમ છતાં નિયમોનું કોઈ સ્પષ્ટીકરણ ન થતાં મુખ્ય શિક્ષકો હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઠરાવ ક્રમાંક પીઆરઇ/112010/2507/ક 16/6/2011 અનુસાર મુખ્ય શિક્ષક ગ્રેડ પે 4400 ઠરાવવામાં આવ્યો હતો. જે 21/3/2012 ના રોજ સુધારો કરી ગ્રેડ પે 4200 કરી દેવામાં આવ્યો. શુ મુખ્ય શિક્ષકને 4400 ગ્રેડ પે ન મળી શકે?? જો એમ ના થાય તો સળંગ નોકરીની ગણતરી પ્રમાણે આગામી વર્ષોમાં સરખી સિનિયોરિટી ધરાવતા આસિસ્ટન્ટ ટીચરનો પગાર મુખ્ય શિક્ષક કરતાં વધુ હશે. સરખી નોકરી છતાં વેતનમાં અસમાનતાનો કોઈ ઉકેલ આવશે ખરો? ઉચ્ચતર પગાર ધોરણ 9/20/31 કે પછી 12/24 ?? મુખ્ય શિક્ષકોને સત્રનો લાભ મળે કે ન મળે ? આવી તો અનેક મુઝવણો હતી જ. ત્યાં મુખ્ય શિક્ષકો પર વધનો વજ્રઘાત થયો. અને એના કારણે કેટલાક મુખ્ય શિક્ષકોને તો પોતાની મૂળ શાળાથી 100 -150 કિલોમીટર દૂરની શાળામાં જવું પડ્યું. હવે મુખ્ય શિક્ષક ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! હવે મૂળ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા પણ છે એમ છતાં 100 - 150 કિલોમીટર દૂર ગયેલા મુખ્ય શિક્ષકને મૂળ શાળામાં પરત આવવાનો લાભ ક્યારે મળશે? મુખ્ય શિક્ષક અને તેના પરિવારજનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. પોતાની વાત કરે તો કોને કરે?? આખા રાજ્યના મુખ્ય શિક્ષકોનું સંખ્યાબળ પણ ઓછું. એટલે કોઈએ એમની મુંજવણ સાંભળવાની પણ તસ્દી નથી લીધી. 
             ઉજ્જવળ ભવિષ્યની આશાએ મોટા ઉપાડે મુખ્ય શિક્ષક તો બની ગયા પણ આખરે ફાયદો શું?? નામદાર કોર્ટે પણ આદેશ આપ્યો કે મુખ્ય શિક્ષકને કે.નીનું પ્રમોશન મળવા પાત્ર છે. પરંતુ રાજ્ય સરકારે હાલ એ પ્રમોશનનો પરિપત્ર પણ સ્થગિત કરી દીધો. અને કદાચ એ રદ કરતા પણ વાર નહીં કરે. મુખ્ય શિક્ષકો એ પોતાના હકો કે માંગણીઓ માટે આજદિન સુધી કોઈ આંદોલનનો માર્ગ પસંદ નથી કર્યો. હંમેશા સરકાર અને શિક્ષણના હિતમાં પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. ત્યારે એચ.ટાટ મુખ્ય શિક્ષકની કેડર ઉપેક્ષિત ન બની રહે એ માટે યોગ્ય પગલાં લેવાય એ જ અપેક્ષા હોય ને! 
                  સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે શાળામાં પટાવાળાથી માંડી પ્રિન્સિપાલ સુધીના તમામ કામો નિષ્ઠા પૂર્વક કરતા મુખ્ય શિક્ષકોના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા સાથે જય જય ગરવી ગુજરાત.
લેખન :- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
 (whatsapp only)

14 comments:

  1. Superb
    ...Pan બધા સાંભળે તો સારું...

    ReplyDelete
  2. આપની કલમે આજે એક આત્કથા લખી છે. સંવેદનશીલ ને જગાડશે એવો વિશ્વાસ છે ...

    ReplyDelete
  3. બિલકુલ સાચી વાત...

    ReplyDelete
  4. પટાવાળા,ક્લાર્ક, શિક્ષક ,આચાર્યના બધા કામ એક વ્યક્તિ કરે (4 in 1) છતાં ઊપેક્ષા ???.

    ReplyDelete
  5. સૌ HTAT મુખ્યશિક્ષકો 'કર્મ કર્યે જા,ફળની આશા રાખીશ નહીં'ભગવાન કૃષ્ણના વિધાનને ધ્યેયવાક્ય બનાવી લીધું છે અને કામ કર્યે જાય છે.સારા કર્મોનું ફળ સારૂં જ મળશે એવો આશાવાદથી મનને મનાવી રહ્યા છે ત્યારે આ સંવેદનાને સંવેદનશીલ સરકાર સમજશે જ એવાં એક ઔર આશા રાખીએ...

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts