Saturday, December 12, 2020

ભરોસાની ભેંસે આખરે પાડો જણ્યો.

ભરોસાની ભેંસે આખરે પાડો જણ્યો.
      આ કહેવતે વર્ષોથી પોતાની યથાર્થતા સાબિત કરતી આવી છે. એચ. ટાટ માટે બનવા જઈ રહેલા નિયમો માટે આ કહેવત પુનઃ યથાર્થ પુરવાવર થવા જઈ રહી છે. ગુજરાતના પાંસઠ હજાર શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી સ્વીકારી ગુજરાતની "અતિ સંવેદનશીલ" સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષકોની લાગણીને સમજી સરકારશ્રીના આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવા બદલ આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો પણ પોતાના હકો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ સરકારે કોથળામાંથી બીલડું કાઢ્યું. 
       મળતી માહિતી મુજબ હવે એચ ટાટ આચાર્ય વહીવટી પોસ્ટ નહીં પરંતુ શૈક્ષણિક કેડર જ ગણાશે. તો પ્રશ્ન એ છે કે ભરતી સમયે હથેળીમાં ચાંદ બતાવી આ કેડર જ અલગ છે એવા દીવાસ્વપ્નો શું કામ બતાવ્યા?? હવે સરકાર જે નિર્ણય થઈ રહી છે એમાં સૌથી વધુ જવાબદારી વાહન કરતા એચ. ટાટ આચાર્યને જ સૌથી વધુ આર્થિક નુકસાન વેઠવાનું આવે તો નવાઈ નહીં. ગુજરાતીમાં પ્રચલિત કહેવત છે કે સૌથી વધું ખીલ્લા ઘરના મોભને જ સહન કરવા પડતા હોય છે. આ કહેવત મુખ્ય શિક્ષક એટલેકે Htat કેડરને બરાબર બંધ બેસે છે. 
      RTE - 2009 ના નોર્મસ પ્રમાણે શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની ભલામણ કરવામાં આવી. આ નિયમ લાગુ પડતાં તેજસ્વી અને ઉત્સાહી સારસ્વત મિત્રો અતિ ઉત્સાહમાં આવી શાળા અને શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવવાના સોનેરી સપના સજાવવા લાગ્યા. અધૂરામાં પૂરું સરકારે પણ ઉજ્વળ ભવિષ્યનાં સપનાં બતાવ્યાં. પરિણામ સ્વરૂપે શિક્ષકોએ એચ.ટાટની પરીક્ષા પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી પોતાના વતન નજીકની શાળાઓ છોડીને દૂરની શાળાના આચાર્ય તરીકે નિયુક્તિ પામ્યા. પોતાની માંગણીઓ કે હકની પરવા કર્યા વિના પોતાની શાળાની શૈક્ષણિક ગુણવત્તાને ઉત્કૃષ્ઠ બનાવવા જાત નીચોવી દીધી. અને રાજ્ય સરકારે જે ભરોસાથી શાળાઓમાં એચ.ટાટ આચાર્યની ભરતી કરી હતી એ વિશ્વાસને મુખ્ય શિક્ષકોએ બરકરાર રાખ્યો. પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં??? એચ. ટાટ કેમ અને કોની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે એ સમજાતું નથી. વર્ષો વીતતાં ગયાં એમ છતાં નિયમોનું મનઘળાંત સ્પષ્ટીકરણ થતાં મુખ્ય શિક્ષકો હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઠરાવ ક્રમાંક પીઆરઇ/112010/2507/ક 16/6/2011 અનુસાર મુખ્ય શિક્ષક ગ્રેડ પે 4400 ઠરાવવામાં આવ્યો હતો. જે 21/3/2012 ના રોજ સુધારો કરી ગ્રેડ પે 4200 કરી દેવામાં આવ્યો. શુ મુખ્ય શિક્ષકને 4400 ગ્રેડ પે ન મળી શકે?? જો એમ ના થાય તો સળંગ નોકરીની ગણતરી પ્રમાણે આગામી વર્ષોમાં સરખી સિનિયોરિટી ધરાવતા આસિસ્ટન્ટ ટીચરનો પગાર મુખ્ય શિક્ષક કરતાં વધુ હશે. સરખી નોકરી છતાં વેતનમાં અસમાનતાનો કોઈ ઉકેલ આવશે ખરો? 
     થોડા સમય પહેલાં જ મુખ્ય શિક્ષકો પર વધનો વજ્રઘાત થયો. અને એના કારણે કેટલાક મુખ્ય શિક્ષકોને તો પોતાની મૂળ શાળાથી 100 -150 કિલોમીટર દૂરની શાળામાં જવું પડ્યું. હવે મુખ્ય શિક્ષક ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! હવે મૂળ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા પણ છે એમ છતાં 100 - 150 કિલોમીટર દૂર ગયેલા મુખ્ય શિક્ષકને મૂળ શાળામાં પરત આવવાનો લાભ ક્યારે મળશે?? પોતાની વાત કરે તો કોને કરે?? આખા રાજ્યના મુખ્ય શિક્ષકોનું સંખ્યાબળ પણ ઓછું. એટલે કોઈએ એમની મુંજવણ સાંભળવાની પણ તસ્દી ન લીધી. ઉજ્જવળ ભવિષ્યની આશાએ મોટા ઉપાડે મુખ્ય શિક્ષક તો બની ગયા પણ આખરે ફાયદો શું?? મુખ્ય શિક્ષકો એ પિતાના હકો કે માંગણીઓ માટે આજદિન સુધી કોઈ આંદોલનનો માર્ગ પસંદ નથી કર્યો. હંમેશા સરકાર અને શિક્ષણના હિતમાં પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. ત્યારે એચ.ટાટ મુખ્ય શિક્ષકની કેડર ઉપેક્ષિત ન બની રહે એ માટે યોગ્ય પગલાં લેવાય એ જ અપેક્ષા હોય ને!   
      રાજ્યભરના Htat મુખ્ય શિક્ષકો ક્યારે સમજશે કે दुसरो के कंधे पे सिर्फ जनाजे निकलते है। અન્ય સંઘોને ભરોસે તમારું ભલું ક્યારેય નથી થવાનું. તમારા હક્ક માટે તમારે જ સંઘઠિત થવું પડશે. બાકી કોઈ માઈનો લાલ તમને હક નહીં અપાવે. હા, જાહેરમાં ઠાલાં આશ્વાસનો જરૂર આપશે. ઠાલાં આશ્વાસનથી હજી ક્યાં સુધી ભરમાં રહેશો?? "તમારા હકોની લડાઈ કોઈ બીજો લડશે" कहता भी दीवाना सुनता भी दीवाना। હવે તો જાગો એક બનો નેક બનો. સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે શાળામાં પટાવાળાથી માંડી પ્રિન્સિપાલ સુધીના તમામ કામો નિષ્ઠા પૂર્વક કરતા મુખ્ય શિક્ષકોના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા સાથે જય જય ગરવી ગુજરાત.

 

  

 




 

 

Saturday, December 5, 2020

મહામારીના મહા યોદ્ધા

e>મહામારીના મહાયોદ્ધા ડૉ. મેહુલભાઈ શાહ અને કેતુલભાઈ રાવલ વાત્રક હોસ્પિટલ
કોરોનાની મહામારીમાં વાત્રક હોસ્પિટલે સંક્રમિત દર્દીઓની સેવાનો જે મહાયજ્ઞ આરંભ્યો છે એ જોતાં અહીં સેવા બજાવતા સૌ કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રત્યે આદર ભાવે મસ્તક ઝૂકી જાય છે. આ હોસ્પિટલનું સપનું સેવનાર દુરંદેશી વડવાઓને આજે કેટલીય પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત થતા હશે!! સામાન્ય રીતે વાત્રક નામ સાંભળતાં જ બન્ને કાંઠે છલોછલ વહેતી નદીનો રળિયામણો નદી કિનારો નજર સ્મક્ષ તરવળવા માંડે. વાત્રક નદી અરવલ્લીની જીવાદોરી સમાન લોકમાતા છે. વાત્રક નદીને કાંઠે નાનકડા બીજમાંથી વટ વૃક્ષ બની ફુલીફાલેલી વાત્રક હોસ્પિટલ અનોખું આરોગ્ય ધામ બન્યું છે. વાત્રક હોસ્પિટલનાં સેવા કાર્યોની ફોરમ આજે ચોમેર પ્રસરી રહી છે. -સાડા છ દયકાની મજલ કાપનાર આ હોસ્પિટલે અનેક તડકી છાંયડી નિહાળી છે. કર્મશીલ અને સેવાવ્રતી પ્રમુખ, સાથી ટ્ર્સ્ટીઓ, વિરલ દાતાશ્રીઓ અને સેવાભાવી તબીબોની દૂરંદેશીના પરિણામે આ હોસ્પિટલ ફરી એક વાર ફિનિક્સ પક્ષીની જેમ બેઠી થઈ. અને આજે અદ્યતન સવલતોથી સજ્જ આ હોસ્પિટલ હરહંમેશ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવામાં અવિરત કાર્યરત રહે છે. અને હવે આ હોસ્પિટલ કોરોનાની મહામારીના સમયે ઢાલ બનીને દર્દીઓને રક્ષણ આપી રહી છે. 43 એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલી આ ભવ્ય હોસ્પિટલનો ઇતિહાસ પણ ગૌરવંતો છે. અરવલ્લી જિલ્લાના પનોતાપુત્ર ગાબટના વતની એવા કે.કે.શાહ તતાકાલીન દેશનાઆરોગ્યપ્રધાને આ હોસ્પિટલનું સ્વપ્ન સેવ્યું. વાત્રક હોસ્પિટલનું હાલનું આધુનિક રૂપ જોતાં દિર્ઘદ્રષ્ટા કે.કે. શાહ સહેબનાં સ્વપ્નો સાકરિત થતાં જોઈ શકાય છે. કોરોનાએ જ્યારે ભારત અને ગુજરાતમાં પગપેસારો કર્યો ત્યારથી આ અદ્યતન સુવિધાઓ ધરાવતી વાત્રક હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલમાં પરિવર્તિત કરવમાં આવી છે. આ હોસ્પિટલના ચેરમેન અને સૌ ટ્રસ્ટીશ્રીઓના હકરાત્મક વલણના પરિણામે વાત્રક હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશાનો દિપક બની ઝળહળી રહી છે. વાત્રક હોસ્પિટલ કોવિડ 19 મહામારી દરમ્યાન જે કામ કરી રહી છે એ ખરા અર્થમાં કાબિલે તારીફ છે. અહીંના સુપ્રિટેડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સૌમ્ય અને નિખાલસ સ્વભાવ ધરાવતા હોનહાર ડોકટર છે. તેઓના માર્ગદર્શન હેઠળ ઓ પી ડી. સાંભળતા ડૉ.કેતુલભાઈ રાવલ અને સમગ્ર સ્ટાફ દર્દીઓની આત્મીયભાવે સેવાઓ આપે છે. ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર નામે લાખોના બિલ દર્દીઓને પકડાવી દે છે. જ્યારે વાત્રક હોસ્પિટલ નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે. આ માટે હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન ધીરુભાઈ પટેલ , કોદરભાઈ પટેલ, કનુભાઈ પટેલ અન્ય સાથે ટ્રસ્ટીઓ , સૌ.મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ અભિનંદન આપીએ એટલા ઓછા છે. અંતરિયાળ વિસ્તારની આ હોસ્પિટલે મહામારીને નાથવા. અત્યાધુનિક મેડિકલ ઇકવીપમેન્ટથી સજ્જ છે. મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ આહી 40 બેડ ધરાવતો નો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 4 વેન્ટિલેટર બેડની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીં પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર, મેડિકલ ઓફિસર, નર્સનો સ્ટાફ અને ક્લાર્કથી લઈ સફાઈ કામદાર પુરી નિષ્ઠાથી દિવસ રાત અવિરત સેવાઓ બજાવી રહ્યા છે. વાત્રક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મેહુલભાઈ શાહ સાહેબ અને મેડિકલ ઓફિસર કેતુલભાઈ રાવલ સાહેબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. આ સૌના સહિયારા પુરુષર્થે કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સારવાર લેતા દર્દીઓ માટે વિશિષ્ટ કાળજી લેવામાં આવી રહી છે. દિવસમાં ચાર થી પાંચવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની તબીબી તાપસ કરવામાં આવી રહી છે. દર્દીઓ માટે દવાઓની સાથે સાથે પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. હોસ્પિટલના તમામ સ્ટાફની ઉત્કૃષ્ઠ કામગીરીના પરિણામે અનેક દર્દીઓ સજા થઈ ઘરે પરત ફર્યા છે. પોતાના જાનની પણ પરવા કર્યા વિના તમામ ડોકટર્સ, નર્સ સફાઈ કામદાર અવિરત ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાનું સમસ્ત વહીવટી તંત્ર આ મહામારીને નાથવા ચોવીસ કલાક અથાગ પરિશ્રમ કરી રહી છે. બસ આપણે આ મહામારીના મહાયુદ્ધઓને પૂરતો સાહિયોગ આપીએ... જય હિન્દ. લેખન - ઈશ્વર પ્રજાપતિ 98251 4260

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts