Thursday, February 28, 2019

વ્યક્તિ વિશેષ : પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ :1


          કલમ થકી સમાજમાં અજવાળું પાથરનાર માત્ર અરવલ્લીનું જ નહી પરંતુ ગુજરાતનું ઘરેણું પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ


            અરવલ્લીના અંતરિયાળ ગામડાનો એક ગ્રામીણ છોકરો કે જેને અભ્યાસકાળ દરમિયાન બે-બે શાળાઓમાંથી 'બેડ બોય' કહી હાંકી કાઢવામાં આવ્યો હોય, પોતાની મસ્તીમાં ખલેલ પહોંચાડતા શાળાના બેલ ને જેણે ગુમ કરી દીધો હોય, કડક શિસ્તના આગ્રહી પિતાના rules book નો ભંગ કરનાર, પિતાના ફરમાન સામે વિદ્રોહ કરનાર એક કિશોરના યુવાનીકાળ માં એવું તે શું પ્રગટ્યુ કે આગળ જતા રાષ્ટ્રના પ્રતિષ્ઠિત સન્માન એવા 'પદ્મશ્રી'ના  સન્માનથી સમસ્ત રાષ્ટ્ર એ  તેઓને નવાજ્યા.
 
              હા, આ કથા છે  'કભી કભીકટાર લેખનથી વિશ્વમાં વસતા વાચકોના વાંચકોના દિલમાં સંવેદનાનો ચિત્કાર જગાવનાર લેખક, પત્રકાર, સહજ, સૌમ્ય, અને શાલીન વ્યક્તિત્વ એટલે કે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલની. તેઓનું જીવન પણ તેઓની કટાર કોલમ 'કભી - કભી ' જેવું અનેક જોખમો, સાહસો અને રોમાંચથી ભરપૂર છે
  
               અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આમ્રમંજરીઓ છે ભર્યું ભર્યું ખોબા જેવડું આકરુન્દ ગામ તેઓ નું વતન. માતા રેવાબા નિરક્ષર. પરંતુ ધાર્મિકતાથી છલોછલ ભરેલું, નર્યું નિખાલસ અને પ્રેમાળ વ્યક્તિત્વ. પિતાજી જેશીંગભાઇ રેવાભાઇ પટેલ પ્રખર ગાંધીવાદી, શિક્ષણ પ્રેમી, કેળવણીકાર અને કડક શિસ્તના આગ્રહી. ગામની શૈક્ષણિક સંસ્થા હોય કે સહકારી સંસ્થા તમામ સંસ્થાઓના વિકાસમાં તેઓનો સિંહફાળો. સાચુકલા ગાંધીવાદી. આકરુન્દની શૈક્ષણિક સંસ્થામાં નોકરીની ભલામણ લઈને આવેલા સગા સાળાના દીકરાને ઘરનો રસ્તો બતાવી દીધો હતો. સંસ્થાના હિતમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરી.
               નીડરતા, નિર્ણયમાં અડગતા અને સાહસના ગુણો દેવેન્દ્રભાઈ પટેલને પિતા તરફથી વારસામાં મળ્યા. પિતાની ઈચ્છા દીકરાને એન્જિનિયર કે આઇ.એ.એસ બનાવવાની હતી.
            
      દેવેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં લીધું. એક શાળાના પ્રવેશ કાળથી જ બાળ સહજ તોફાનો નો પરિચય આપવાનો દોર શરૂ કરી દીધો. શાળાનું ગૃહકાર્ય ન કરવું, શાળામાં ગુલ્લીઓ મારવી , ઘરેથી દફતર લઈને શાળાએ જવાનું કહી નીકળવાનું પરંતુ શાળાએ જવાના બદલે મિત્રો સાથે રખડી પાંચ વાગે ઘરે પરત ફરવાનું. ઘરમાં તો સૌને એમ જ લાગે કે ભાઈ શાળાએ જઈને આવ્યા. ઘણીવાર આ ચોરી પકડાઈ પણ ગઈ. સખત માર પણ પડ્યો. તો પણ ઓછા ન થયા. છેવટે શાળાના શિક્ષકો એ જાહેર કર્યું કે 'આ છોકરો રખડેલ છે.' ધોરણ પાંચ સુધી સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ ૭ -૮ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો. ગણિત તો તેઓને નર્યું માથાફોડ જ લાગતું. સ્કૂલમાં આવ્યા બાદ પણ તોફાનો શમ્યા નહીં. મિત્રોની નોટબુકમાં શિક્ષકોની સહી કરી આપ્યા બદલ પકડાઈ ગયા. આખો દિવસ વર્ગ બહાર ઉભા રાખવામાં આવ્યા. શાળાના શિક્ષકે તેઓના પિતાશ્રીને બોલાવીને કહેવું પડ્યું 'આને કોઈ કડક શિસ્ત વાળી શાળામાં દાખલ કરો. He is bad boy'
          
       પિતાજી કડક શિસ્તના આગ્રહી એટલે પોતાના તોફાની સંતાનના યોગ્ય ઘડતર માટે લશ્કરી શિસ્ત વાળી સ્કૂલ ની તપાસ આદરી. આખરે 14 વર્ષની ઉંમરે વતનથી દૂર આજની શ્રેયસ હોસ્ટેલમાં મૂકી દેવામાં આવ્યા.એ વખતે પિતા નિર્દય પણ લાગ્યા.
             
       શહેર જીવનમાં પ્રથમ વાર પ્રવેશ થયો. ગ્રામ્ય શૈલીના કારણે અનેક વાર તેઓ મજાકને પાત્ર બન્યા. અહીં 'શ્રેયસ'ના સંચાલિકા લીના બહેનના વાત્સલ્યસભર હૂંફાળા સ્પર્શે એમના વ્યક્તિત્વને નિખાર મળ્યો. પરંતુ ભીતરથી બાળ સહજ અપરાધની માનસિકતા અજાણતા જ તેમનામાં કેળવાતી રહી. અહીં બુદ્ધિપૂર્વકના તોફાનો શરૂ કર્યા. હોસ્ટેલમાં રાત્રે વાંચવુ ન પડે તે માટે હોસ્ટેલની લાઈટો જ બંધ થઇ જાય તેમણે શીખી લીધી. રોજ સુવા, જાગવા, વાંચવા અલગ અલગ સમયે બેલ વાગ્યા જ કે કરતો. એક દિવસ તેઓએ આ  બેલ જ ગુમ કરી દીધો. અને આ ગેરશિસ્ત બદલ શાળામાંથી પિતાશ્રીને પત્ર લખી જાણ કરવામાં આવી. ' છોકરાને કોઈ બીજી સ્કૂલમાં લઈ જાવ આ છોકરો અમારી શાળાના બીજા છોકરાઓને પણ બગાડશે.'
                એ જમાનામાં દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી સ્કૂલમાંથી પણ બહાર ધકેલી દેતા તેઓના પિતાશ્રી ખુબ દુખી થયા. છેવટે હાઇસ્કુલનું છેલ્લું વર્ષ 11મા ધોરણ માટે બાયડની એન. એચ. શાહ હાઈસ્કૂલમાં એડમિશન લીધું. બે-બે શાળામાંથી અપમાનિત કરી હાંકી કાઢવા છતાં હજી તોફાનો શાંત થયા ન હતા. અહીં શિયાળાની કડકડતી ઠંડીમાં ગૃહપતિને છેતરી, રાત્રે ગામમાં આવેલી મહેશ એન્ડ પાર્ટી જોવા જતા રહ્યા. ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા. બીજા દિવસ સવારે પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આચાર્ય પટેલ સાહેબે ગાલ પર તમાચો ફટકાર્યો.
     
         'શ્રેયસ' અને પટેલ સાહેબે કરેલી શિક્ષાએ હૈયુ વલોવાયું . અને જિંદગીની દિશા પલટાઈ. જાણે કે જિંદગીએ હવે કરવટ બદલી!
        
      હવે તેઓ 'બેડ બોય' તરીકેની પોતાની ઓળખ બદલવા મક્કમ બન્યા. પિતાની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા દ્રઢનિશ્ચયી બન્યા. પિતાશ્રીની ગુમાવેલી લાગણીને ફરી જીવંત કરવા કઠોર પરિશ્રમની શરૂઆત કરી. પરિણામ સ્વરૂપે એસ.એસ.સી.માં સારા માર્ક્સ  સાથે પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી.
          
    એસ.એસ . સી.બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદમાં એડમિશન લીધું. શાળા જીવન દરમિયાન કરેલા તોફાનો હવે પ્રકૃતિમાંથી આપોઆપ ગાયબ થઇ ગયા. શિસ્ત જાતે સ્વીકારી. બસ, હવે પિતાજીના ચહેરા પર આનંદ જોવો હતો.
સેન્ટ ઝેવિયર્સ કોલેજના એ વખતના પ્રિન્સિપાલ હારબત  ડિસોઝા અને પ્રખર વિદ્વાન પ્રાધ્યાપકના સાનિધ્યમાં વિશ્વના સાહિત્યનો ગાઢ પરિચય થયો. સાહિત્ય ભણતા ભણતા શબ્દ સાધના નું બીજ દિલમાં ચૂક્યું  હતું.
      
         તેઓ બાયડ હાઈસ્કૂલમાં ભણતા એ સમયે શાળામાં ભણતી એક વિદ્યાર્થીની તેઓને ખૂબ ગમતી. પીળા ફોક માં આવતી એ વિદ્યાર્થિનીને નીરખવું તેઓને ગમતું. યોગાનુયોગ કોલેજ ની પરીક્ષા પૂરી થઈ એ વેકેશન દરમિયાન એ જ પીળા ફ્રોક વાળી વિદ્યાર્થિની સાથે તેમના લગ્ન થયા. અને હા, વિદ્યાર્થીની એટલે એમના ધર્મપત્ની શ્રીમતી ભગવતીબેન.
      
      લગ્ન બાદ એમ.એ કરવા અમદાવાદ હોસ્ટેલમાં ફરી એડમિશન લીધું. પોસ્ટલ જીવન દરમિયાન પત્ની ભગવતીબેન પર લખેલા લાગણીથી ભીંજાયેલા પત્રો થકી અજાણતા જ તેઓની શબ્દ સાથે પ્રીત  બંધાઈ. એ પત્રોમાં સરળ શબ્દોમાં લાગણીનું આદાન પ્રદાન હતું. હૃદયમાંથી પેદા થતા આવિર્ભાવની અભિવ્યક્તિ હતી. આ પત્રો જ સાહિત્ય સાથેનો પહેલો સંસ્પર્શ હતો. અને હા, આજે પણ તેઓ સ્વીકારે છે કે 'કભી કભી  લખું છું ત્યારે મેં ભગવતીને લખેલા લાગણીભર્યા પત્રો અને તેમાં ભરેલી પ્રવાહીને જ અપનાવું છું.'
             1966-67 દરમિયાન એમ.એ કરતા કરતા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોની સ્પર્ધાત્મક પરીક્ષા આપી. ગુજરાત-મહારાષ્ટ્રની સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ આવ્યા. મૌખિક પરીક્ષા પણ સારી ગઈ. અપોઇમેન્ટ ઓર્ડર ન આવ્યો અને તેઓ હતાશ પણ થયા.
                કોલેજ અને હોસ્ટેલ ફી પિતાશ્રી મોકલતા હતા. પિતાના માથેથી ફી નો બોજ હટાવી લેવાનો નિર્ણય કર્યો. અને અખબાર માં આવતા વિજ્ઞાપનો રોજ તપાસવા લાગ્યા. જાહેરાત જોઈ અરજીઓ કરી. પરંતુ નિરાશા જ હાથ લાગી. ટ્રાન્સપોર્ટ કંપની એ તેઓને ક્લાર્ક તરીકે નોકરી આપવાનો પણ ઇનકાર કરી દીધો. ડ્રોઈંગ સારું જાણતા હોવાથી ફિલ્મના હોર્ડિંગ્સ તૈયાર કરવા પર તરીકેની નોકરી શોધી જોઈ પરંતુ એમાં પણ નિરાશા જડી.

(પદ્મશ્રી દેવેન્દ્રભઈ પટેલ પત્રકારીતામાં એક્સીડન્ટલી પ્રવેશ વિશે રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

7 comments:

  1. The article covers only school life and bit college life. Something on books he authored as well as about his professional experience should have been written.Besides , any award or reward on literature if any received should be mentioned. The article highlights his two trsits eg Bad boy image and romantic nature. What about others? Let me add that his Chini cum column is interesting one. Secondly, has he raised voice against corruption in his writings ? In other words article is incomplete and it does not portray Devendra Patel properly.

    ReplyDelete
    Replies
    1. Thanks for નમસ્તે સર.
      સંપૂર્ણ આર્ટિકલ વાંચવા બદલ અને વાંચી feedback આપવા બદલ thank you very much.
      સર આપને જણાવું કે વ્યક્તિ વિશેષ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ આર્ટિકલ ત્રણ ભાગમાં વહેંચી દર ગુરુવારે બ્લોગ પર મુકવાનો છું. આ પ્રથમ ભાગ છે. લંબાણ પૂર્વક આર્ટિકલ લખ્યો છે એમ છતાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબના સમસ્ત વ્યક્તિવ ને સીમિત શબ્દોમાં સમાવવું અશક્ય છે સર. પરંતુ હું ખાતરી પૂર્વક કહું છું કે આર્ટિકલના ત્રણ ભાગ પુરા થયા પછી પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબનાના તમામ ચાહકોને તેઓના જીવનની રસપ્રદ અને રોમાંચક અજાણી માહિતીથી સંતુષ્ટિ થશે જ . બસ આગામી બે ગુરુવારની ધીરજ પૂર્વક રાહ જોવા વિનંતી.
      સાદર વંદન સર.વંદન

      Delete


    2. Res sir... I think u hvnt read the whole Article properly .. At the end of the article the writer has already mentioned that further article will be published on next Thursday.. So before giving comment i think we should read it properly.. The author has tried his best effort for this article.. So lets support him..lets wait for next Thursday .. Appreciate the work...


      Delete
  2. Truly lovable and inspirational life of Devendra Kaka ������
    Long life Kaka

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts