Sunday, January 24, 2021

સન્ડે સ્પેશિયલ

 એક એવું ઐતિહાસિક  પુસ્તકાલય જેનું ખાતમુહૂર્ત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કર્યું અને ઉદ્ઘાટન  સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું    :  શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

  

          શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય અર્થાત એમ. જે. લાઈબ્રેરી એ માત્ર અમદાવાદનું જ નહીં પરંતુ સમસ્ત ગુજરાતનું ઘરેણું છે. ડીઝીટલ યુગમાં પણ આ પુસ્તકાલય આજે વાંચકોથી ઉભરાઈ રહ્યું છે.  આ ઐતિહાસિક પુસ્તકાલય વિશેની કેટલીક રસપ્રદ વાતો બહુ ઓછા વ્યક્તિઓ  જાણતા હશે

        એ સમયે રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીને થયા કરતું  કે આશ્રમનાં પુસ્તકો માટે પુસ્તકાલય બનાવવું જોઈએ. તેમનું સ્વપ્ન સાકાર થયું જ્યારે સ્થાનિક અધિકારીઓએ પરોપકારી અને ઉદ્યોગપતિ શેઠ રસિકલાલ માણેકલાલના નાણાકીય સમર્થન સાથે જાહેર પુસ્તકાલય ખોલવાનું નક્કી કર્યું. અને મહાત્મા ગાંધીના શુભ હસ્તે વિક્રમ સંવત ૧૯૮૯ આસો સુદી -૨ ને ગુરુવાર તારીખ ૨૧ સપ્ટેમ્બર , ૧૯૩૩ ને સવારના ૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાકે આ પુસ્તકાલય ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું . આ પ્રસંગે શેઠ રસિકલાલ માણેકલાલ ( દાતા ) , શ્રી મણીલાલ ચતુરભાઈ શાહ ઉપપ્રમુખ , અમદાવાદ મ્યુનિસિપાલિટી મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા.  ક્લાઉડ બેટલી દ્વારા રચાયેલ ઐતિહાસિક ભવનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી

          પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે વિક્રમ સંવત ૧૯૯૪ ચૈત્ર સુદ ૧૫ ને શુક્રવાર તા . ૧૫ એપ્રિલ , ૧૯૩૮ સવારના ૯.૦૦ કલાકે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું . આ પ્રસંગે શેઠ રસિકલાલ માણેકલાલ ( દાંતા ) , શ્રી મણીલાલ ચતુરભાઈ શાહ પ્રમુખ , અમદાવાદ મ્યુનિસિપાલિટી , શ્રી બળવંતરાય પ્રમોદરાય ઠાકોર - ચેરમેનશ્રી , લાયબ્રેરી કમિટી મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા

        રાજપૂતાના કોલોનિયલ સ્ટાઇલ આર્કિટેક્ચરમાં એમ.જે. લાઇબ્રેરીનું ભવ્ય ભવન  શહેરના મધ્યમાં, ટાઉન હોલની બાજુમાં શોભી રહ્યું  છે. લાઇબ્રેરી પરિસરની અંદર, વેન્ટિલેશન નલિકાઓ આવા સુસંસ્કૃત રૂપે બનાવવામાં આવી છે કે ઉનાળામાં પણ વાતાવરણ ઠંડક ભર્યું રહે છે. 



      80 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ એમજે લાઇબ્રેરીને તેમના પોતાના 7000 પુસ્તકો દાનમાં આપ્યાં હતાં. આ બધા હજી પણ પુસ્તકાલયના સમર્પિત વિભાગમાં સાચવેલ છે. આમાંથી આશરે 1600 પુસ્તકો ઇ-બુક તરીકે ઉપલબ્ધ છે. ગાંધીજીએ તેમના પુસ્તકો નવજીવન અને યંગ ઈન્ડિયા માટેના સાપ્તાહિક કાગળો માટે લખતી વખતે, અને તેમના વ્યક્તિગત જર્નલોના મુસદ્દા લખતા વખતે આ પુસ્તકોનો સંદર્ભ તરીકે ઉપયોગ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ સંગ્રહમાં સાહિત્ય, મુસાફરી, કવિતા, ધર્મ, આધ્યાત્મિકતા, વિશ્લેષણાત્મક ભૂમિતિ વગેરે શૈલીઓ પણ છે. ગાંધીજીનો સંગ્રહ પુસ્તકાલયમાં મૂકવામાં આવ્યો હતો અને પછી આધ્યાત્મિક નેતા સ્વામી અખંડનંદ દ્વારા આશરે 8800 પુસ્તકોની દાનથી પ્રાપ્ત થયાં હતાં

   2020 માં એમ.જે લાઇબ્રેરીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થયું. અમદાવાદના નાગરિકો માટે કમ્પ્યુટર, ઇરેડર્સ, ડિજિટલ લાઇબ્રેરી, મોબાઇલ એપ્લિકેશન, ઓનલાઈન  લાઇબ્રેરી સેવાઓ ઉપલબ્ધ કારવાવમાં  આવી હતી. આ પહેલને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. સભ્યો ઘરે બેઠા  લાખો ઇબુક્સ, વિડિઓઝ, ઇપેપર્સ, ઇ મેગેઝિન્સ, જર્નલ, વગેરેનો વપરાશ કરી શકે છે.

    આ ગ્રંથાલયનો 3,00,000 (ત્રણ લાખ ) કરતાંય અધિક પુસ્તકોથી સમૃદ્ધ છે. જેમાં   અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી સિંધી, સંસ્કૃત, ઉર્દૂ અને ફ્રેન્ચ ભાષાઓના પુસ્તકોનો ઉપલબ્ધ છે. પુસ્તકાલય માં  કાલ્પનિક નવલકથાઓથી માંડીને કાલ્પનિક કથાઓ, કiમિક્સથી સામયિક, જીવનચરિત્ર, શૈક્ષણિક પુસ્તકો અને અન્ય વિવિધ શૈલીઓનાં પુસ્તકો શામેલ છે. શૈક્ષણિક વિભાગમાંનકશાઓ બ્રિટાનિકાકસ અને ઇતિહાસ,વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો પરના પુસ્તકો સહિત કાળજીપૂર્વક સંકળાયેલ માહિતીનાં પુસ્તકોનો સમાવેશ થાય છે.   સાપ્તાહિક અને પખવાડિયાના કુલ 225 ઉપરાંત સામાયિક અને જુદી જુદી ભાષાઓમાં 30 દૈનિક અખબારો સાથે પુસ્તકાલય પણ સમૃદ્ધ છે.

         બાળકો, મહિલાઓ અને અંધ લોકો માટેના વિશેષ વિભાગો પુસ્તકાલયમાં audioડિઓ વિભાગ પણ છે, જે ખાસ કરીને દૃષ્ટિહીન ઉત્સાહી વાચકો માટે બનાવવામાં આવ્યો છે. બ્લાઇન્ડ વિભાગ 2500 થી વધુ ઑડિયોબુક્સને હોસ્ટ કરે છે. જે audio સિસ્ટમ્સથી એક્સેસિબલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉ ઓપરેશન દ્વારા વર્ષ 2014 માં   આ ઐતિહાસિક પુસ્તકાલયનું નવીનીકરણ કારવામાં આવ્યું. અને તત્કાલીન ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રીમતી  આનંદીબેન પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

        આજના સમયમાં પણ રોજના 800 - 900 વાચકો નિયમિત આ પુસ્તકલાયની મુલાકાત લઈ રહ્યા છે. બાળકોથી માંડી યુવાનો, મહિલાઓ અને વડીલો સૌની જ્ઞાનપીપાષા એમ. જ. પુસ્તકાલય સંતોષી રહ્યું છે. 

લેખન:  ઈશ્વર પ્રજાપતિ

9825142620

Sunday, January 3, 2021

મહેંક મનવતાની :- સમતા વિકાસ ચેરીટેબલ ટ્રટ

 

સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ




        સાબરકાંઠા અને અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ અને પછાત વર્ગના લોકોના જીવનમાં પ્રકાશ પાથરી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું ટ્રસ્ટ એટલે સમતા ચેરીટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ ખૂબ ઓછા સમયમાં ઉદાહરણરૂપ કાર્ય કરી સમાજમાં એક નવી આશા પ્રગટાવી છે. આપણા સમાજમાં આંખોના જતન બાબતે લોકોમાં હજી જોઈએ તેટલી જાગૃતિ નથી. જાગૃતિનો અભાવ અને તબીબી સારવારના અભાવે અંધાપાને આરે ઉભેલ પ્રજાજનો માટેઆશીર્વાદ રૂપ કર્યો કરી સમાજમાં સૌરભ પ્રસરાવી છે. 

        સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે સમતા ચેરિટેબલ ટ્રસ્ટે છેલા સાત વષથી એક આશિર્વાદ રૂપ અભિયાન ઉપાડ્યું છે. આ વાત છે વર્ષ 2011ની જ્યારે સાઠંબા મુકામે શ્રી રસિકભાઈ એમ. શાહ દ્વારા પ્રથમ નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો. આ નેત્ર યજ્ઞ દરમિયાન  હ્રદય હચમચી જાય એવા એવી હકિકતો બહાર આવી. ગરીબ અને જરૂરિયાતમંદ અનેક લોકો જરૂરી જાગૃતીના અભાવે અને આર્થીક રીતે પછાત પણાને કારણે અંધાપાના આરે આવીને ઊભા હતા. દર્દીઓને મોતીયાનું  ઓપરેશન તો કરાવવું હતું પરંતુ કેવી રીતે અને ક્યાં ઓપરેશન કરાવવું એની સમજણ અને સગવડ ન હતી. આ ગરીબ દર્દીઓની સ્થિતિ જોઈ હ્રુદય વલોવાયું. સાબરકાંઠા અરવલીમાં અંધત્વ નિવારણ કરવુ ખુબ જ જરૂરી છે,આ વાત પુનાની સાહેબ અને  પી. કે. લહેરી સાહેબે કરી. અમદાવાદના સ્વ. જહાંગીર કામા જેઓ અંધજન મંડળ અમદાવાદના પ્રમુખ હતા. તેઓના આશીર્વાદને માર્ગદર્શન મળતા અરવલ્લી સાબરકાંઠાને મોતીયા મુક્ત કરવાના અભિયાનનો સમતા વિકાસ ચેરિટેબલ ટ્રટ દ્વારા આરંભ કરવામાં આવ્યો.   

        વર્ષ 2011 થી સમતા ટ્રટે “મોતીયામુક્ત અરવલી અને સાબરકાંઠા” નું અભિયાન મિશનના રૂપમાં આ  ઉપાડ્યું. અને માત્ર સાત વર્ષની કામગીરીના સમયગાળા દરમ્યાન ત્રણ વિઝન સેન્ટરનો આરંભ કરાવ્યો. સાથે સાથે, રેગ્યુલર કેમ્પ અને આ વર્ષે શરૂ કરેલા મીની કેમ્પની મદદથી  એક લાખથી વધુ દર્દીઓની તપાસ કરી છે અને 13000 થી વધુ ઓપરેશન જરૂરીયાત વાળા ભાઈ બહેનોના ઓપરેશન કરી દૃષ્ટિ બચાવી લેવામાં આવી છે. કેટલાક શાળાના વિધાર્થીઓ કે જે જોઈ શકતા ન હતા એ બાળકો  સેવાનો લાભ લઈ સામાન્ય જીવન સફળતાપૂર્વક જીવી રહ્યા છે.

       અંધજન મંડળ અને  સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતિયા મુક્ત સાબરકાંઠા  .. વાત્રક, મોડાસા , ભિલોડા, કાલોલ, બાવળા અને અંધજન મંડળ દ્વારા વિઝન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. હોસ્પિટલ સાબરકાંઠાના દૂરના ગામોથી બારેજામાં સર્જરી માટે દર્દીઓને સર્જરી માટે લાવી રહી છે.

 


                વર્ષ ૨૦૧૮ની વાર્ષિક  વાત્રક હોસ્પિટલની સભામાં વિજયભાઈ શાહ ગાબટ અને ધરમેન્દ્ર જૈના એ નવી અધતન હોસ્પિટલ વાત્રકમાં કરવી નો પ્રસ્તાવ મુકયો  કે સાબરકાંઠાના દર્દીઓના લાભ માટે સ્થાનિક રીતે આંખની હોસ્પિટલની જરૂર છે. શ્રી કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળે વાત્રક ખાતે અંધજન મંડળને આંખની હોસ્પિટલ સ્થાપવા માટે જરૂરી જમીન વિના મૂલ્યે  દાન આપી.  આ જમીન મોડાસા - બાયડ હાઇવે પર વાત્રક ટ્રસ્ટ હોસ્પિટલની ખુબ નજીક છે.


       અંધજન મંડળ બારેજા આંખ હોસ્પિટલના દાતાઓ માટે અરજી કરી અને સમર્પિત દાતા બેલાબેન અને યોગેશભાઈ પટેલ તરફથી આ હોસ્પિટલના નામકરણ માટે રૂપિયા 2 કરોડ જેટલું માતબર  દાન પ્રાપ્ત થયું. સાથે સાથે યુ.એસ.એ. ના દિનેશભાઇ શાહ પાસેથી રૂપિયા 35 લાખ ઓપરેશન થિયેટર અને ફેકો મશીન માટેના ભંડોળ પ્રાપ્ત થયા છે. દર્દીને ઘરઆંગણે જ તરત સગવડ મળે એ માટેઅંધજન મંડળ તથા વાત્રક હોસ્પિટલના પૂરા સહયોગથી પૂરી સગવડ સાથે આંખની અધતન હોસ્પિટલ વાત્રક મુકામે આકાર પામી રહી છે.  જેનું ભૂમિપૂજન 2.2.2020 કરવામાં આવ્યું છે. આ નવીન હોસ્પિટલ  "શ્રીમતિ બેલા બેન અને શ્રી યોગેશભાઇ પટેલ આઇ હોસ્પિટલ" નામકરણ કરવામાં આવનાર છે.   મોતિયા મુક્ત અરવલ્લી-સાબરકાંઠાના ધ્યેય સુધી પહોંચવા માટેની ખુબજ મહત્વની કડી બની રહેશે. આ હોસ્પિટલ આખા પ્રદેશ માટે આર્શીવાદ રૂપ સાબિત થશે એમાં શંકા નથી.

             "આંખની કાળજીનું મહત્વ" વિશે દરેક ભાઈ બહેન સુધી સમજણ પહોંચાડવા, મોડાસા હાઇસ્કૂલની મદદથી શાળાના બાળકો દ્વારા આખા મોડાસા પ્રદેશ માટે કામ શરૂ કર્યું છે.. નવલભાઇ અને હીરાબા આઈ હોસ્પિટલ, બારેજા અને એમની સમસ્ત ટીમ પણ આ સેવા યજ્ઞનમાં જોડાઈ છે.  USA ના સલાહકાર  રસિકભાઇ પી શાહ, રસિકભાઇ એમ . શાહ , અરવિંદભાઇ ઠેકડી, રમેશભાઇ પી શાહ અને  કિરીટભાઇ આર શાહનો અભુતપૂર્વ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.  મહેન્દ્રભાઈ ભલાવત, કનુભાઈ શાહ, નરેન્દ્ર શાહ,  દિલીપ શાહ,  વિજય શાહ, ધર્મેશ શાહ, વિપુલ શાહ , ગીરીશભાઈ દરજી બધા જ કામમાં હંમેશા સાથે હોય છે.

        વર્ષ 2019 દરમ્યાન મુખ્ય ધ્યેય " મોતિયા મુક્ત અરવલ્લી / સાબરકાંઠા " , ત્રણ વિઝન સેન્ટર તથા ગુડ ફૂડ, વાત્રક હોસ્પિટલના દર્દીના સગા માટે જમવાની સગવડ સંતોષ કારક ચાલી રહ્યા છે. આંખની સંભાળની જરૂરિયાત વિશે પૂરતી જાણકારી છેવાડાના માણસ સુધી પહોંચે એ માટે પ્રયત્નો શરુ કાર્યા છે. ગુડ ફૂડ યોજના, વાત્રક 15.1.2016 થી શ્રીમતિ માણેકબેન પૂનમચંદદસ શાંતિલાલ શાહ , ગાબટના પરિવાર ના ઉદાર આર્થીક સહયોગ થી શરૂ થઈ શકી છે . દર્દીના આશરે 100 સગા રોજના લાભ લઈ રહ્યા છે. આ યોજના પગભર થાય અને વધુ સારી સેવા કરવાના ઉદ્દેશથી કિરીટભાઇ રમણલાલ શાહે ( માલપુર - ફ્લોરિડા ), સ્વ . ઇચ્છા બેન અને રમણલાલ શાહની યાદ માં આ વર્ષે રૂ .3,50,000 , કૉર્પસ ફંડમાં આપેલ છે.

શ્રીમતિ કપીલાબેન જે . શાહ અને મહિલા કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત શ્રી તુલસીદાસ પી . શાહ દ્રષ્ટી કેન્દ્રની સ્થાપના તા. 14-09-2014 નાં રોજ કરવામાં આવી. આ ટ્રસ્ટ દર બુધવારે પોતાની વિશાળ  અધતન જગા ઉપર આંખોની તપાસ માટેનું કેન્દ્ર નિયમિત ચાલે છે. અન્નપુર્ણાટ્રસ્ટ દર બુધવારે જે દર્દીઓને ઓપરેશન માટે જાય તેમણે જરૂર પડે લઇ જતાં અને પરત આવે ત્યારે વિના મુલ્ય ભોજન આપવામાં આવે છે. આ કેન્દ્રમાં વિના વેતને  મંગળભાઈ પ્રજાપતિ , શ્રી મહેન્દ્રભાઈ શાહ, ઇન્દ્રવદનભાઈ શાહ, વી.સી. શાહ અને  ઉર્મીલભાઈ શાહ દર બુધવારે ઉપસ્થિત રહી દર્દીઓને માર્ગદર્શન અને કેન્દ્રના આયોજનમાં સવારે ૯ થી ૧૨ સુધી સહાયરૂપ થાય છે તેથી આ કેન્દ્ર ઉત્તમ રીતે ચાલી રહ્યું છે.

         સતત આખા વર્ષ દરમ્યાન વાત્રક તથા મોડાસા તથા ભિલોડા વિઝન સેન્ટરમાં દર બુધવારે દર્દીઓને આંખની તપાસ થાય છે અમને જણાતા આનંદ થાય છે કે દર અઠવાડિયે અંદાજિત ૨૫૦ દર્દીઓનું ચેક અપ કરી જરૂરી દર્દીઓનું સર્જરી કરાવી આપવામાં આવે છે . આ વર્ષે કેમ્પ અને મીની કેમ્પ દ્વારા વધુ ને વધુ દર્દીના ઘર સુધી પહોંચી શક્યા છે. આ સર્વ કાર્ય  કાર્યકરો, સ્થનિક  સ્વયંસેવક વગર શક્ય નથી. પરદેશમાં વસતા દાતાઓ અને અહીંના દાતાઓની ઉદાર સહાય મળી રહી છે. મોતિયાના દર્દીને કેમ્પથી હોસ્પિટલ અને પરત લાવવાની સુવિધા નિશૂલ્ક આપી રહ્યા છે.  વધુને વધુ દર્દીઓના ઉપયોગમાં આવી શકીએ અને મોટા લક્ષ્ય હાંસલ કરી શકે તે માટે આપના સતત સહકારની અપેક્ષા રાખીએ છીએ અમે આ સેવાયજ્ઞમાં  થતા બધા જ ઓપરેશન અંધજન મંડળ દ્વારા સંચાલિત નવલભાઇ અને હીરાબા આંખની હોસ્પિટલ, બારેજા ખાતે સતત દેખરેખ હેઠળ, ઘર જેવું વાતાવરણ આપી ત્યાં રાખી સંપૂર્ણ સંતોષ સાથે મોતિયામુક્ત કરી દર્દીઓને સ્વસ્થ પરત મોકલે છે.

    સમાજ સેવા માટેઅવિરત તત્પર  સમતાના ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ શાહ ,વિજયભાઈ શાહ, નરેન્દ્રભાઈ શાહ , કનુભાઇ શાહ, મહેન્દ્રભાઈ ભલાવત, ગિરિશભાઈ દરજી, બાબુભાઈ પટેલ,રજનીભાઈ પટેલ ,જીતેન્દ્રભાઈ ભાટિયા, ડો અરૂણભાઈ, બિપીનકાકાદરેક આ કામ માટે સતત પ્રયત્નો કરેછે.શ્રીમતી નંદીની બહેન, ધરમેન્દ્ર, સુમનભાઈ ને અંધજન મંડળ અમદાવાદ, બારેજા ખુબ જ અમુલ્ય સેવાઓ આપે છે.

મહિતિ સહિયોગ : વિજયભાઈ શાહ (અમદાવાદ)

 લેખન : ઈશ્વર પ્રજપતિ

(આપના પ્રતિભાવ  9825142620 મો. નં. પર આપી શકો છો. અને આપ પણ કોઈ સેવાકીય પ્રવૃત્તી કરી રહ્યા છો તો આપની વિગત વોટ્સએપ દ્વારા મોકલી શકો છો.)

 

 


. .


 

 

 

 

 

 

 

 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts