Sunday, March 31, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 9


         

અરવલ્લીના તીર્થધામો

અરવલ્લીનું કાશી સમાન તીર્થધામ ભુવનેશ્વર મહાદેવ (જુના ભવનાથ)



        ભવનાથનું નામ સાંભળતા જ સૌ શિવભક્તોનું મન ગિરનારની તળેટીમાં પહોંચી જાય છે. પરંતુ આવું જ માહાત્મ્ય ધરાવતું ભુવનેશ્વર (જુના ભવનાથ )મહાદેવ મંદિર શિવભક્તોનું આસ્થાનું પ્રતિક છે. જે ભિલોડા પાસે હાથમતી જલાગારની તટે અને અરવલ્લીની ગિરીકંદરાઓની ગોદમાં અલૌકિક પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત છે.  શિવાલયની આજુબાજુ પથરાયેલ પર્વતોની હારમાળા, સરોવર અને લીલીછમ વનરાજી આ તીર્થધામને અધિક મનમોહક બનાવે છે. શ્રીમદ્ ભાગવદના નવમાં સ્કંધના ત્રીજા અધ્યાયમાં આ સ્થાનનો નામોલ્લેખ તેની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. અનેક પ્રાચીન કથાઓ આ સ્થાન સાથે જોડાયેલી છે. તો આજે આવું જાણીએ અરવલ્લીના કાશી તરીકે જાણીતું ભુવનેશ્વર મહાદેવ ધામ જુના ભવનાથની અતિ પ્રાચીન ઇતિહાસની રસપ્રદ વાતો.
         શ્રી ભુવનેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય છે. આ ધામની પ્રાગટય કથા એવી છે કે આ સ્થળ નજીકના ગામોમાંથી એક ગોવાળ ગાયોને ચરાવવા અહીં વનમાં લઈને આવતો. તે ગાયોના સમૂહમાંથી એક કામદુધા ગાય અહીંના વૃક્ષો ની ગુફા પાસે આવી ઉભી રહેતી, તે સમયે ગાયના આંચળમાંથી સઘળું દૂધ ત્યાગ ગુપ્ત રહેલા મહાદેવજીની પીન્ડિકા પર ઝરતું. યોગાનુયોગ એક દિવસ તે ગોપાલક તે જ વૃક્ષ ની ગુફા પાસે આરામ કરતો હતો તે સમયે નિત્યક્રમ પ્રમાણે તે ગાય ત્યાં આવી ઉભી રહી ગાયના આંચળમાંથી પોતાની મેળે દૂધ ઝરવા લાગ્યું. તે ગોપાલના જોવામાં આવ્યું ઉભા થઇ વૃક્ષોની વચ્ચે દ્રષ્ટિ કરતાં લિંગ આકારે સ્વયંભૂ મહાદેવ ને પ્રગટ થયેલા જોયા ગોવાળે આ વાત ગ્રામજનોને કહી આ વાત શ્રવણ કરી આશ્ચર્યમુગ્ધ બનેલાં ગામલોકો તે દ્રશ્ય નિહાળવા માટે તે સ્થળે આવી પહોંચ્યા. આવું અનુપમ દ્રશ્ય જોઈ શ્રદ્ધાથી મુગ્ધ બનેલા ગ્રામલોકોએ આજુબાજુના નક્કામાં વૃક્ષો કાપી જગ્યા સ્વચ્છ કરી ત્યાં એક નાનું શિવાલય બંધાવી પ્રતિદિન પૂજા કરવા લાગ્યા.

               પુરાણોમાં તપસ્વી ઋષિ તરીકે સુપ્રસિદ્ધ ચ્યવન ઋષિનો આશ્રમ પણ આ સ્થળે છે. આ સુંદરવનમાં ચ્યવન ઋષિ તપસ્યામાં લીન રહી આત્મા અને પરમાત્માનું એકતા સાધવામાં ધ્યાનમગ્ન રહેતા. તેવામાં કાશી નગરના રાજવી પોતાના કુટુંબ તેમજ રસાલા સાથે યાત્રાએ નીકળેલા. ભુવનેશ્વર ચ્યવન ઋષિના આશ્રમ દર્શનાર્થે આ પ્રદેશમાં તેઓ આવ્યા. અને તે મનોરમ્ય સ્થળ જોઈ ત્યાં જ નિવાસ કર્યો એક દિવસ રાજા શર્યાતી કાશીનરેશની પ્રિય પુત્રી સુકન્યા આ મનોહારિ વનમાં પોતાની સખીઓ સાથે આનંદ પ્રમોદ કરતી ભરતી હતી એક મોટા રાફડા પાસે આવી અહીં જવાન ઋષિના શરીર ઉપર માટી ફરી વળી હતી. આ માટીના ઢગલા માંથી એક મોટો રાફડો બંધાયો હતો. જેથી ચ્યવન ઋષિના બે નેત્રો શિવાય આખું શરીર રાફડામાં ફેરવાઈ ગયું હતું. જ્યારે આ રાફડાને સુકન્યાએ જોયું ત્યારે કુતૂહલવૃત્તિથી તેને નિરખવા લાગી રાફડામાં ધ્યાનથી જોતા, રાફડામાં આવો તેજસ્વી ચળકાટ હતો. તે તેની દ્રષ્ટિએ પડયો. આવો તેજસ્વી ચળકાટ શેના હશે !! તે જાણવા તેનું બાલ મન આતુર બન્યું. પોતાની આતુરતાનો અંત લાવવા સુકન્યાએ ત્યાંથી એક દર્ભની સળી લઈને ચળકતા પદાર્થો તરફ ધરી. પરંતુ આ દર્ભની સળીથી ઋષિનાં નેત્રો વીંધાઈ ગયા તેમાંથી રૂધિર પ્રવાહ વહેવા માંડયો. ચળકતો પદાર્થ બંધ પડી તેમાંથી રુધિરની ધારા વહેતી જોઈ સુકન્યા ભયભીત થઈ ગઈ ત્યાંથી ચાલી નીકળી અને પોતાના પિતા કાશી નરેશનો જ્યાં પડાવ હતો ત્યાં આવી વિચારતંદ્રામા શૂન્ય બની. 
                   ચ્યવન ઋષિના નેત્રોનો નાશ થવાથી કાશી નરેશ ઉપર દૈવી કોપ થયો. સૈન્યમાં વિચિત્ર રોગ ફેલાયો. સૈનિકો નાશ પામવા લાગ્યા. આ વિચિત્ર તેમજ ભયંકર સંહારથી રાજા પણ ભય પામ્યા. અને વિચાર કરવા લાગ્યા કે આ એકાએક કોપ થવાનું કારણ શું અહીં કોઈ દેવ,ઋષિ કે પવિત્ર સ્થળ નું અપમાન ઓળખી થયું હશે?? સૈનિકો તેમજ સ્વજનોને પૂછતાં સમાચાર મળ્યા કે રાપરા ની અંદર ચળકતા પદાર્થની જોઈ સુકન્યાએ તેને દર્દી વીંધી નાખ્યા તેમાંથી ની ધારા વહી રહી છે વધુ તપાસ કરાવતા તે રાફડામાં મહાન તેજસ્વી જવાન ઋષિ તપસ્યા કરી રહ્યા છે અજાણતા સુકન્યાના હાથી ઋષિનાં મિત્રોનો નાશ થયો તેથી પશ્ચાત્તાપ પૂર્વક રાજા સહકુટુંબ ઋષિના આશ્રમમાં ગયો દીનતાપૂર્વક ક્ષમા માગી ઋષિને કહ્યું અમારું અપરાધ ક્ષમા કરો તે જ સમયે ઋષિએ કહ્યું તારી પુત્રીએ મારા નેત્ર નષ્ટ કર્યા છે હવે હું અંધ થયો છું માટે મારી સેવા માટે તારી પુત્રીની હું માગણી કરું છું તે જ સમયે રાજાએ પોતાની અતિપ્રિય એવી પુત્રી સુકન્યા ને સાથે પરણાવી સુકન્યાએ પોતાની ભૂલના પ્રાયશ્ચિત તરીકે આ લગ્ન સંબંધનો સહર્ષ સ્વીકાર કર્યો તે સમયે સૈન્યમાં ફેલાયેલો રોગ ચાલતો અટકી ગયું સુકન્યા પોતાની વાદ્ય યોગ્ય પ્રાપ્ત થયેલા પતિ તરીકે ઋષિની ભક્તિભાવથી સેવા કરવા લાગી

           યોગાનુયોગ દેવોના વૈદ્ય અશ્વિની કુમારો ચ્યવનઋષિના આશ્રમે આવ્યા. સુકન્યાએ તેમનું સુંદર આતિથ્ય કર્યું. સુકન્યાના પતિવ્રતાની પરીક્ષા કરવા અશ્વિનીકુમારો બોલ્યા કે "અમો સ્વર્ગના દેવો છીએ. તમો અમોને વરીને ખુશ થશો. આ વૃદ્ધ પતિથી તમોને શું સુખ પ્રાપ્ત થશે ? " પરંતુ પતિવ્રતા સુકન્યા જરાપણ ચલાયમાન થઈ નહીં સુકન્યા દ્રઢ મનોબળ જોઈ બંને અશ્વિનીકુમારો પ્રસન્ન થયા સુકન્યા અને કહેવા લાગ્યા કે "રાજપુત્રી તારા મનોબળને ધન્યવાદ છે. તારા પર અમો પ્રસન્ન થયા છીએ. તમારા શ્વસુર ભૃગુઋષિએ અમોને અહીં મોકલ્યા છે. ચ્યવન ઋષિનું અંધત્વ દૂર કરી સુંદર નેત્રો ફરી પ્રાપ્ત થાય એવી મહાન ઔષધિ અમારી પાસે છે. તેના પ્રયોગથી ઋષિને નષ્ટ થયેલી નેત્ર જ્યોતિ પાછી મળશે. આ પાસેના સરોવરમાં અમે ઔષધિઓ નાખીએ છીએ. તેમાં તમારા પતિને સ્નાન કરાવશો તુરત જ નેત્રો પૂર્વવત થઈ જશે. તે સરોવરમાં સ્નાન કરતા ઋષિને નેત્રો મળ્યા, સાથે યૌવન પણ પ્રાપ્ત થયું. તેથી ઋષિ દંપતીએ દેવોને વંદન કર્યા બંને અશ્વિનીકુમાર આશીર્વાદ આપી વિદાય થયા સાંપ્રત સમયમાં એવી લોકવાયકા છે કે અહીં આવેલ ભૃગુકુંડમાં સ્નાન કરવાથી રોગમુક્તિ થાય છે, શરીરે ભૃગુકુંડમાંની મૃટીકા ચોળીને સ્નાન કરવાથી રક્તપિત્ત, કોડ જેવા મહાન અસાધ્ય રોગો આ જળના પ્રભાવથી નાશ પામે છે. 
        તાત્કાલિન યુગમાં કાશીનરેશ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર બંધાવ્યું. ભૃગુકુંડનો ઘાટ બંધાવ્યો. આજે તે યુગનું અંતિમ દ્રશ્ય તરીકે નમૂનારૂપે હજુ પણ નંદિકેશ્વરની મૂર્તિ મંદિર પરિસરમાં મોજૂદ છે તે ખૂબ જ શ્રદ્ધાનું પ્રતીક છે.


             વિ. સં.1600 પૂર્વે માલપુરના રાવજી રાઠોડ વંશના કુટુંબના એક સરદાર હતા. બે ભાઈઓમાં રાજ્યના ભાગ માટે વિવાદ ઊભો થયો તેમાં રાવ સરદાર ભાવિ પર આધાર રાખી ફરતો-ફરતો શ્રી ભુવનેશ્વર મહાદેવ ના આવી પહોંચ્યો. અહીં મહાદેવના દર્શન કરવાથી રાવજીને ઘણો પૂજ્યભાવ અને શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને તેની નિયમ કર્યું કે મારે ભુવનેશ્વરના દર્શન કર્યા બાદ જ ન લેવું આ નિયમ પ્રમાણે પૂજન કરતા રાવજીને ત્રણ વર્ષ થઇ ગયા. તેઓ નિયમિત માલપુર થી ઘોડા ઉપર સવારી કરી રહે નિયમિત દર્શને આવતા શ્રી ભુવનેશ્વરી ની કૃપાથી માલા મકવાણા ઉપર વિજય મેળવી રાવજીએ માલપુર નું રાજ્ય જીતી લીધું બ્રાહ્મણોને ત્રાસમાંથી મુક્ત કર્યા પોતે માલપુર ગાંધી સ્થાપિત કરી રાજ્ય ચલાવવાની પ્રજા સમક્ષ પ્રતિજ્ઞા કરી.
         માલપુરથી ભુવનેશ્વર 30 જેટલું દૂર છે જેથી દરરોજ સેવા કરવા માટે ત્યાં આવવું બહુ કઠિન પડવા લાગ્યું તેથી રાવજીએ માલપુરમાં જ શ્રી ભુવનેશ્વર મહાદેવનું મંદિર બંધાવી ત્યાં શિવલિંગની સ્થાપના કરાવી શ્રદ્ધાપૂર્વક શ્રી મહાદેવની હંમેશા પૂજા કરવા લાગ્યા. માલપુર રાવજી તરફથી હજી સુધી ભુવનેશ્વર મહાદેવ ના સ્થાનમાં દર વર્ષે એક ઘોડો મોકલવામાં આવે છે અને રાજ્ય તરફથી એક બ્રાહ્મણ શ્રાવણ માસમાં પૂજા કરવા આવે છે તેમજ રાજ્ય તરફથી વર્ષાસન ચાલુ છે.
              વળી કાશી રાજાએ બંધાવેલું મંદિર જીર્ણ થવા થી માલપુર રાવજીએ ત્યાં આવી ભુવનેશ્વર મહાદેવ નું સુંદર કલામય મંદિર બંધાવ્યું તે સમય નો શિલાલેખ મહાદેવના મંદિરમાં પ્રત્યક્ષ દિવાલ ઉપર રાખવામાં આવેલ છે આ શિવાલય જીર્ણ થવાથી બારડોલીના દાનવી જઈ શ્રી મગનલાલ શંકરલાલ કપૂર વાળાએ મંદિરનો રૂપિયા એક લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી સંવત 1983માં અક્ષય તૃતીયાના દિવસે શિવાજી પરિવાર દેવતાઓની પ્રતિષ્ઠા કરાવી.

                 અહીં શિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારે હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટે છે. ચોમાસા દરમ્યાન છલોછલ ભરેલું હાથમતી જલાગાર, લીલીછમ વનરાજી નું દૃશ્ય મનમોહક હોય છે. 
શ્રી ભુવનેશ્વરનું તીર્થસ્થાન ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં આવેલું મોટું તીર્થધામ છે. પ્રાકૃતિક સૌંદર્ય, શુદ્ધ હવા, નિર્મળ જળ, એકાંત સ્થળ , પવિત્ર ભૂમિના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓ પરમ આનંદ પ્રાપ્ત કરે છે.


 ( અરવલ્લીમાં આવેલ  વધુ એક તીર્થ ધામ વિશે જાણીશું આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

6 comments:

  1. Excellent sir ..... Har har Mahadev...

    ReplyDelete
  2. Maplur ne Bhuvneshwar vachche nu antar te samay na marg-vyavhar mujab 60 kilometer anumani shakay..

    ReplyDelete
  3. Hathmati nadi kinare avelu anya ek prachin Shivalay -Patreshvar pan hal vidyman chhe..
    हर् हर् महादेव !

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts