Sunday, December 4, 2022

સન્ડે સ્પેશિયલ

 બાળવયે લકવાના કારણે વિનોદભાઈ દિવ્યાંગ બન્યા પરંતુ દૃઢ મનોબળના સહારે અનેક દિવ્યાંગજનોના રાહબર બની જીવન જીવવાની નવી આશા પ્રગટાવી.

ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી અને માન. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માન સ્વીકારતા વિનોદભાઈ પટેલ 

 ગઈ કાલે ૩ જી ડીસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. દિવ્યાંગ હોવા છતાં પોતાની મર્યાદાઓને ઓળનાગીને વિશ્વ કક્ષાએ નામના મેળવનાર દિવ્યાંગ ભાઈ બહેનનોનો તો આપણને પરિચય હોય છે. પરંતુ આપણી આસપાસ રહેતા અને સમાજ માટે ઉમદા સેવા કર્યો કરતા અનેક દિવ્યાંગ પ્રતિભાઓથી આપણે અજાણ જ રહેતા હોઈએ છીએ. અરવલ્લી જીલ્લાના દિવ્યાંગ જનો માટે પાયાનું કામ કરનાર એવા જ એક વિરલ દિવ્યાંગ પ્રતિભાનો પરિચય કરાવવો છે.

        તેમનું નામ છે વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ. તેઓ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના બુટલ ગામના વતની છે. હાલ ૬૫ વર્ષની વયે પણ દિવ્યાંગ જનોની સેવા માટે અવિરત દોડ્યા કરે છે. આવો તેમની કેફિયત તેમના જ શબ્દોમાં જાણીએ.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

      વિનોદભાઈ કહે છે. ૨૬મી ડીસેમ્બર ૧૯૫૭ના રોજ એક તંદુરસ્ત શિશુ તરીકે  મારો  જન્મ થયો. જન્મ સમયે શારીરિક કોઈ તકલીફ ન હતી. પરતું જન્મ થયા બાદ એક – બે વર્ષની ઉંમરે બાળલકવો થયો. એ જમાનામાં એક તો  ખૂબજ ટાંચા સાધનો અને ટેકનીકલ કોઈ સુવિધા ગ્રામીણ ક્ષેત્રે ઉપલબ્ધ હતી નહીં. પરંતુ પાસેનું નાનું શહેર એટલે ધનસુરા ગામ જે હાલ તાલુકા મથક છે. ત્યાં એ જમાનાના એમ.બી.બી.એસ. ર્ડા. મોહનભાઈ શાહ સાહેબને દવાખાને મારા પિતાશ્રી તથા માતુશ્રી દોડી પહોંચ્યા. અને ર્ડાકટર દ્વારા  ત્વરીત નિર્ણય લેવામાં આવ્યો અને બાળલકવાનું નિદાન થયું. અને  ર્ડાકટર  દ્વારા કુલ ૧૮ (અઢાર) ઈન્જેકશન લેવા જણાવાયું. ટ્રીટમેન્ટ શરૂ થઇ. ૧૮ માંથી  ૯ (નવ) ઈન્જેકશનનો કોર્ષ પુરો થયો અને એ પછી પરિવારજનો અંધશ્રદ્ધા તરફ  પ્રેરીત થતાં દવા ન કરાવવા તથા બાધા–આખડી રાખી મારા સાજા થવાની રાહ જોતા રહ્યા. ૯(નવ) ઈન્જેકશનની અસરથી કમરનો ભાગ રીકવર થતાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળ્યું.  અને એક મહીના પછી બાધા પૂર્ણ કરી ફરી દવાખાનાનો સહારો લેવા મારા પિતાશ્રી પહોંચ્યા ત્યારે ખૂબજ મોડું થઈ ગયેલ અને નસો બીલકુલ સુકાઈ ગયેલ. જેથી હું દિવ્યાંગ થયો.

        એક તરફ મારી ઉંમર સાવ નાની અને બીજી તરફ મારી બાળલકવાની બીમારી  એ જ અરસામાં  મારાં માતુશ્રીનો સ્વર્ગવાસ થયો. જાણે અમે નોધારાં બની ગયાં. મારી બહેનોએ માતાની ભૂમિકા ભજવી અને  મારું પાલન પોષણ કરી મારો ઉછેર કર્યો..

       વર્ષ ૧૯૬૩માં મારી ઉંમર પાંચ – છ વર્ષ થતાં બુટાલ પ્રાથમિક શાળામાં અને બેસાડવા મારા પિતાશ્રી ગયા તો શાળાના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું  કે  આવા બાળકોને અમો દાખલ કરીએ પણ રીસેસમાં એને પાણી-પેશાબ વગેરે કોણ મદદ કરે? પણ મારા પિતાશ્રીએ નમતું ન આપી પ્રાથમિક શાળામાં એડમીશન લેવડાવ્યું. પ્રાથમિક શિક્ષણ ધોરણ – ૧ થી ૬ બુટાલમાં લીધું. અને વધુ અભ્યાસ માટે અમદાવાદ અપંગ માનવ મંડળમાં મને ધોરણ – ૭ માં એડમીશન મળ્યું. ત્યારે ફાઈનલ પરિક્ષા પણ આપી. અહી ઘણા બધા દિવ્યાંગ મિત્રો જોડે રહેવાનું હોઈ દિવ્યાંગતાને ભૂલી ગયો. એ અરસામાં મારા પિતાશ્રીની છત્રછાયા ગુમાવી.

       હવે ઘરની પણ જવાબદારી આવી. ધોરણ – ૭ સુધી અભ્યાસ કરી બુટાલ ગામમાં પાન - બીડી - ગોળી - બીસ્કીટનો નાનો ધંધો ચાલુ કરી ઘરને મદદરૂપ થયો. પરંતુ મન માનવા તૈયાર ન હતું કે દિવ્યાંગતાને લઈને બેસી રહેવું. માટે મનમાં કાયમ એકજ વિચાર આવતો કે મારા જેવા ઘણા દિવ્યાંગ ભાઈ – બહેનો હશે અને તેમને કોઈ મદદ કરતું નહી હોય તો તેમનું શું ? જેથી પાનના ગલ્લા સાથે ઘરની જવાબદારી વચ્ચે પોષ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યુ.  કોઈપણ દિવ્યાંગ ભાઈ – બહેન મળે તો તેનું સરનામું પોસ્ટકાર્ડમાં લખી લેવું. અને પછી અમદાવાદ આંબાવાડી ધી સોસાયટી ફોર ફીઝીકલી હેન્ડી કેપ્ડ સંસ્થાના સંચાલક સાહેબ શ્રી કનુભાઈ શેલાર તથા કાન્તીભાઈ પરમાર સાહેબ દ્વારા પ્રોત્સાહન મળતાં ૧૯૫૫ ની સાલમાં સાબરકાંઠા  ફીઝીકલી હેન્ડીકેપ્ડ મંડળ બુટાલની સ્થાપના કરી. તેમાં ઈસરોલના વતની માનનીય પ્રભુદાસ પટેલનો પુરો સહયોગ રહયો. તેમજ બુટાલના વતની રાણા વિજયકુમાર લાલબહાદુર, જોષી પ્રકાશકુમાર ડી. પાલ્લા ભિલોડા તથા પટેલ કરશનભાઈ આર. તાજપુર વિગેરે દિવ્યાંગો એકત્રીત થઈ સાબકાંઠા જીલ્લાના દિવ્યાંગ સમાજને જાગૃત કર્યો. ત્યાર બાદ એસ. ટી.માં મફત મુસાફરી માટે સરકારશ્રીને રજુઆત કરી. એસ. ટી. પાસની યોજનાનો અમલ કરાવ્યો.

       દિવ્યાંગ જીવનસાથીનો મોટો પ્રશ્ન વિકટ  હતો તો વર્ષ – ૨૦૦૧ માં ધનસુરા ખાતે અખીલ ગુજરાત દિવ્યાંગ મેરેજ બ્યુરો કાર્યક્રમનું આયોજન એ વખતના કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડા સાહેબ, કભી કભી કોલમના કટાર લેખક માનનીયશ્રી દેવેન્દ્રભાઈ  પટેલ સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરી ચાર યુગલે પ્રભુતામાં પગલાં માંડયાં. પછી તો દિવ્યાંગ ભાઈ – બહેનોને હૂંફ  અને પ્રોત્સાહન મળતાં દરેક દિવ્યાંગ પોતાના જીવન વિકાસ માટે કટીબદ્ધ થયા.

    દિવ્યાંગજનોની મદદ માટે  રાજીવ ગાંધી ફાઉન્ડેશન દિલ્હી અજીઓ કરવામાં આવી અને જેના દ્વારા કુલ ૧૪ ( ચૌદ ) દિવ્યાંગ ભાઈ – બહેનોને અપાવવા દસ જનપથ ખાતે શ્રીમતી  સોનીયા ગાંધીના નિવાસ સ્થાને જવાનો દિવ્યાંગ ભાઈ – બહેનોને અમુલ્ય અવસર સાંપડયો. અને મોટર સાયકલ અને  સ્કૂટરનું વિતરણ કરવામાં આવ્યું.       એ જમાનો એટલે કે વર્ષ ૧૯૯૬ નો સમય ટ્રેન રીજર્વેશન જવા – આવવા માટે મળતાં તેમને મળેલ વ્હીકલ લાવવું બધી સુવિધા માટે પ્રયત્નો કાર્ય.. એ વર્ષોમાં મોટાં શહેરોમાં દિવ્યાંગ રમતો થતી. કોઈ રોકડ પુરસ્કાર કે પ્રલોભન મળતા નહી. છતાં મોડાસા તેમજ ધનસુરા – બાયડ ભિલોડા – હિંમતનગર ખેડબ્રહ્મા ઈડર વિજયનગર તલોદ પ્રાંતિજ વિગેરે દરેક જગ્યાએથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ – બહેનો ઉત્સાહભેર અમદાવાદ સી. એન. વિદ્યાલય, મુંબઈ – સાયન ખાતે પેરાપ્લેજીક ફાઉન્ડેશન બેંગ્લોર ખાતે રમતોમાં ભાગ લેવા આવતા. અને ઈનામ વિતરણ પુનમધીલોન, મનમોહનક્રીન, ડીમ્પલ કાપડીયા, નુકકડ સીરીયલની ટીમ વિગેરે સેલીબ્રીટીને મળવા મળતું. પછી તો દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિ દિવસ – દિવસે વધતી ગઈ.

         દિવ્યાંગ સમાજની ચિન્તા કરી દિવ્યાંગ ભાઈ – બહેનોને અભ્યાસ, હુન્નર તેમજ તેમનામાં હેલી શકિતને ખીલવવા માટે સતત પ્રયત્ન ચાલુ રાખ્યા અને તેના ફળ સ્વરૂપે હાલ સંસ્થાના કુલ ૪૩ થી પણ વધુ દિવ્યાંગ ભાઈ – બહેનો રાજય સકાર અને કેન્દ્ર સરકારની નોકરી કરે છે. ઘણા બધા દિવ્યાંગ ભાઈ – બહેનોને ગ્રામીણ ક્ષેત્રે નાના – મોટા ધંધા માટે ઓછા વ્યાજ દરની લોન સુવિધા હેન્ડીકેપ્ડ ફાઈનાન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરીયાણાની દુકાન, પશુ પાલન  ફલોર મીલ જેવા વ્યવસાય માટે પ્રેરીત કરી સ્વમાનભેર જીવવા તૈયાર કર્યા.

        ગુજરાત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા મારી પ્રવૃત્તિઓની નોંધ લઇ  દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિની નોંધ લઈ વર્ષ ૧૯૯૮ માં શ્રેષ્ઠ દિવ્યાંગ કાર્યકર તરીકે એ વખતના રાજયપાલશ્રી મહામહી સુંદરસિંહ ભરી સાહેબના વરદ્ હસ્તે રૂા . ૧૦,૦૦૦ / - ( દસ હજાર રૂપિયા ) નો રોકડ પુરસ્કાર શાલ ઓઢાડી પ્રસ્તીપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યો.. પછી તો આવી સેવાકીય પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો. અને પછી ખેલ મહાકુંભ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સાબરકાંઠા જીલ્લાના સ્પે. ખેલીડી માટે વર્ષ ૨૦૧૦ થી જવાબદારી સોંપવામાં આવેલ હતી . જેના ફળસ્વરૂપે આજે ૧૫ ( પંદર ) જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો પેરા ઓલમ્પીક નેશનલ કક્ષાએ પહોંચ્યા છે.

        હવે જયારે  સાબરકાંઠા જીલ્લામાંથી અરવલ્લી જીલ્લો જુદો પડવાથી અરવલ્લી જીલ્લામાં ખેલ મહાકુંભની જવાબદારી  સુપેરે નિભાવવ સતત પ્રયત્નશીલ છું. અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા વિનોદભાઈની કામગીરીથી પ્રેરાઈ જીલ્લા ઈલેકશન અધિકારીશ્રી અરવલ્લી દ્વા દિવ્યાંગ મતદારોમાં જાગૃતિ આવે માટે ઈલેકશન કમીટીમાં નિમણુંક અરવલ્લી જીલ્લા કલેકટર સાહેબશ્રી દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. તેમજ દિવ્યાંગ ધારો – ૨૦૧૬ ની અમલવારી ગુજરાત રાજયમાં થાય અને દિવ્યાંગ ધારાનો લાભ દરેકને પહોંચે તેના માટે અરવલ્લી જીલ્લા અમલીકરણ સમીતીની રચના જીલ્લા કલેકટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રચના થાયછે. જે ૨૦૨૨ થી ૨૦૨૫ મારી દિવ્યાંગ તજજ્ઞ તરીકે રીપીટ કરવામાં આવેલ છે.

       અહીં વિનોદભાઈ  તેમની વાત પૂરી કરે છે પરંતુ  ૯૦% દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં સમાજ માટે તેમજ છેવાડાના દિવ્યાંગ વ્યક્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ૬૫ વર્ષની ઉમરે પણ ૨૫ વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરે છે.  

     અનેકવિધ  દિવ્યાંગ કલ્યાણની પ્રવૃત્તિ હાલ પણ અવીરત ચાલુ છે. જેનાથી પ્રેરાઈ તા. ૧૪મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ  ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનનીય રાજયપાલશ્રી મહામહી આચાર્ય દેવવ્રત સાહેબશ્રીના વરદ્ હસ્તે અરવલ્લી જીલ્લા મથક મોડાસા ખાતે પ્રશસ્તીપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

- ઈશ્વર પ્રજાપતિ

9825142620 

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts