Tuesday, May 13, 2025

HAPPY BIRTHDAY SIR


 ભગવાં વસ્ત્રોમાં નહિ પરંતુ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે. 

        


આપણા ત્સંયાં સ્કૃતનું એક પ્રચલિત સુભાષિત છે :

"विद्वत्वं च नृपत्वं च न एव तुल्ये कदाचन्।

स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते॥"

અર્થાત વિદ્વાન અને રાજાની તુલના ક્યારેય થઇ શકે નહિ, કારણકે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય છે. ૨૩ એપ્રિલના રોજ મારી દુબઈ યાત્રા દરમિયાન  આ સુભાષિતનું વિશેષ સ્મરણ થયું અને આ સુભાષિતની યથાર્થતા હું સમજી શક્યો. આ સુભાષિત સ્મરણ થવાનું વિશેષ કારણ એ હતું કે ૨૩ એપ્રિલના રોજ પરમ આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબ અમેરિકાથી  દુબઈ એઈર પોર્ટ પર તેમનું આગમન થવાનું હતું. દુબઈ એઈરપોર્ટ  પર જઈ તેમને અવકરવાનું સદભાગ્ય મને અને આમીન  પ્રાપ્ત થયું. અમે  સમય કરતાં વહેલા એઈર પોર્ટ પર પહોંચી પ્રકાશભાઈ શાહ સાહેબની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સાહેબનું પ્લેન નિર્ધારિત સમયે લેન્ડ થયું. સાહેબને અવકરવાની અમારી પ્રતીક્ષા વધુ તીવ્ર બની રહી  હતી. દુબઈ એઈરપોર્ટ અમારા માટે અજાણ્યું હતું. એટલે  અમારા નમાં બીજી ભીતિ પણ સતાવી રહી હતી.  કે સાહેબ અમે ઊભા છીએ એ જ ગેટ ઉપર થી બહાર આવશે કે કોઈ અન્ય ગેટથી તેમનું આગમન થશે ? આ દ્વિધા વચ્ચે અમારી પ્રતીક્ષાની ઘડીયો ગણાઇ રહી હતી. ત્યાં સામેથી એક પરિચિત જાજરમાન વ્યક્તિત્વ પર મારી નજર ઠરી.  ગોલ્ડન ચશ્માની ફેમ ધરવતા પારદર્શક કાચમાંથી  ચમકદાર તેજસ્વી આંખોમાં મારી નજર સ્થિર થઇ. દુબઈ એઈર પોર્ટ પર દુબઈની પ્રોફેશન સિક્યુરીટી દ્વારા પ્રકાશભાઈ શાહ સાહેબનું ભવ્ય સવાગત કરતાં જોઈ અત્યંત ગર્વથી મારું મસ્તક ઊંચું થયું. એક ભારતીય અને વર્ષોથી અમેરિકા સ્થાઈ થયેલા પ્રકાશભાઈ સાહેબ અમેરિકા અને ભારતમાં વિશેષ આદર ધરાવે છે. પણ એક અજણ્યા દેશમાં પણ આવું ભવ્યાતિભવ્ય સ્વાગત એક ભારતીયનું થાય તો આદર ભાવે મસ્તક ઝુકી જાય એ સ્વાભાવિક હતું.

દુબઈ એઈર પોર્ટ ઓથોરીટી દ્વારા પ્રકાશભાઈ સાહેબને VVIP લોન્ઝમાં લઇ જઈ તેમનો આદર સત્કાર કર્યો. સાથે સાથે અમને પણ VVIP કક્ષમાં આવકારી ચા નાસ્તાની વ્યવસ્થા ગોઠવી દીધી. હું તો બસ અવાક બની આ જોતો જ રહ્યો. અમે ફ્રેશ થયા ત્યાં જ સાહેબને તેમના ઉતારાની હોટેલ પર લઇ જવા માટે  દુબઈના શેખ પ્રિન્સ દ્વારા વિશેષ કાર મોકલી આપી હતી. લકઝરીયસ કારમાં જે કારનો દુનિયામાં જોટો જડે તેમ નથી અને રાજા મહારાજાઓ પોતાની જાહોજલાલી માટે જે કાર ઉપયોગમાં લેતા હોય છે એવી ન્યુ બ્રાન્ડ  રોલ્સરોય કાર પ્રકાશભાઈ સાહેબની પ્રતીક્ષા કરતી ઉભી હતી.  કોઈ દેશના પ્રધાનને જેટલું માન પાન મળે એટલો જ આદર દુબઈના રાજપરિવાર દ્વારા પ્રકાશભાઈ શાહ સાહેબને આપવામાં આવી રહ્યો હતો. સાહેબની સાથે રોલ્સરોયની ઐતિહાસિક સફર અમને પણ કરવા મળી એનો આનંદ અદભુત હતો.  આ બધું  જોઇને મારું હૃદય ગદગદિત હતું.

આદરણીય પ્રકાશભાઈ સાહેબના ઉતારાની વ્યવસ્થા પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી આલીશાન હોટેલમાં કરવામાં આવી હતી. દુનિયાની સૌથી મોંઘી હોટેલમાં જેની ગણના થાય છે એવી દુબઈના  દરિયા કિનારે આવેલી   સેવન સ્ટાર ઝુમેરહ હોટેલમાં સાહેબનો ઉતારો હતો. જાણીને નવાઈ લાગે કે આ હોટેલમાં સામન્ય નાગરિકે પ્રવેશ કરવો હોય તો પ્રવેશ ફી પણ આપણને પોષાય તેવી નથી. તેની એક રાત્રી રોકાણનું ભાડું લાખો માં હોય છે. પ્રકાશભાઈ સાહેબના સાથે હોવાથી આ હોટેલમાં અમને પ્રવેશ મળી શક્યો. હોટેલની અંદરનો નજરો જોતાં જ આફરીન થઇ જવાય.. દુનિયાની મોટી મોટી હસ્તીઓ આ હોટેલમાં રોકાવાનું ગૌરવ અનુભવે છે.  સૌથી ધ્યાન આકર્ષે એવી વાત એ હતી કે આ હોટેલમાં જેટલી વસ્તુ પીળી દેખાય એ બધી સોનાની હતી. બીજું બધું તો છોડો પરંતુ હોટેલના બાથરૂમના નળ પણ સોનાના હતા.

આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબના સાનિધ્યને પરિણામે જ આ સુખ સાહેબી નિહાળી શક્યા. આ બધું જોયા પંછી મનમાં એક પ્રશ્ન જરૂર ઉદભવે કે એક અજાણ્યો દેશ એક ભારતીય માણસને આટલો આદર અને આટલો પ્રેમ કેમ આપતો હશે ? આ પ્રશ્નના મૂળમાં જઈએ તો ઉત્તર મળે છે પ્રકાશભાઈ શાહ સાહબે છેલ્લા પાંચ દાયકામાં અમેરિકા રહી પ્રમાણિકતાથી તનતોડ પરિશ્રમ કરી અપાર પ્રેમ કમાયા છે.

અમરિકાના પ્રમુખ ટ્રમ્પ પણ પ્રકાશભાઈ શાહ સાહેબનો આદર કરવાનું ચુકતા નથી. તો  ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયમાં પ્રકાશભાઈ આદરપાત્ર સ્થાન ધરાવે છે.  આજે વિશ્વના કોઈપણ દેશમાં જઈએ તો તેમના નામ માત્રથી કામ થઇ જાય છે. ગાંધીયન નિરાભિમાની, નિખાલસ અને સાદગીસભર વ્યક્તિવના કારણે તેઓ અજાતશત્રુ રહી શક્યા છે. ફૂલ જેવું કોમળ તેમનું હૃદય છે. બીજા કોઈની દુઃખની વાત કરતાં કરતાં પણ તેઓની આંખમાં આંસુ છલકાઈ જાય છે.  

 

  ક્યારેક ગાંધીનગર જવાનું થાય તો 19 સેકટરમાં આવેલા પુનિતવનના જાહેર શૌચયલની મુલાકાત અવશ્ય લેજો! જાહેર શૌચાલયની સ્વચ્છતાસુઘડતા જોઈ તમે અચરજ  પામો તો નવાઈ નહી! ભારતમાં વળી જાહેર શૌચાલય આટલું નિટ એન્ડ ક્લીન ?? વાત માન્યામાં ન આવે એ સ્વાભાવિક છે. પરંતુ આ ચમત્કાર સર્જ્યો છે વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયેલા એક સવાયા ભારતીય એવા આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે ! તેઓ જયારે ગાંઘીનગર આવે ત્યારે નિયમિત પુનિત વનમાં મોર્નિંગ વોક માટે નીકળે ! એ સમયે જાહેર શૌચાલયની દુર્દશા કોઈ હૈયું કકળી ઉઠ્યું.. ગાંધીના દેશમાં આવી દુર્દશા કેમ ચાલે?. એમને થતું કે આખી દુનિયામાં ફરું છું પરંતુ  વિકસિત દેશોની સરખામણીમાં સ્વચ્છતા બાબતે આપણે જેટલા પછાત છીએ એટલું કદાચ બીજું કોઈ નહિ હોય ! અને બસ એ દિવસથી એ જાહેર શૌચાલયની સ્વરછતાની સંપુર્ણ જવાબદારી પોતે ઉપાડી લીધી. તેઓ નિયમિત રૂબરૂ જઈ સફાઈની ચકાસણી કરે. જોત જોતામાં શૌચાલયની સિક્કલ બદલાઈ ગઈ. ભારતમાં પણ પબ્લિક શૌચાલય આવું હોઈ શકે છે. એક માણસ જો ધારે તો કેવું જાદુઈ પરિણામ લાવી શકે છે એનું આ ઉદાહરણ છે.

        મારી લેખનયાત્રા દરમિયાન વિધવિધ ક્ષેત્રની અનેક  વિભૂતિઓને મળવાનું સદનસીબ સાંપડ્યું છે. આ બધાંમાં મુઠ્ઠી ઊંચેરી એક વિરલ વિભૂતિની અમીટ છાપ મારા હૃદયમાં ઝીલાઈ ! અને આ વિરલ વિભૂતિ એટલે  આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ !
     ફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિની સ્વભાવની સાદગીસફળતાનિખાલસતા હૃદયસ્પર્શી છે.  ભારતના વડાપ્રધાનથી  માંડી અમેરિકન પ્રમુખ સાથે અંગત ઘરોબો ધરાવે છે. એમ છતાં  તેમની પાસે બેસો તો પદ નો જરાય ભાર લાગવા દે નહિ.

         

પ્રકાશભાઈ વતનની માટીને છાતી ફાડી ને પ્રેમ કરે છે. વતનના વિકાસ માટે તનમન ધનથી  મદદ કરવા હમેશા તત્પર રહે છે. ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં  ગરીબ વિધાર્થીઓની તેઓ અવિરત ચિંતા કરતા રહે છે. ગામની હાઇસ્કૂલને વલ્ડ ક્લાસ સ્કૂલ બનાવવાની તેમની તાલાવેલી જોઈ નત મસ્તક વંદન કરવાનું મન થાય છે

મારા જેવા છેવાડા માણસની સાહિત્યિક પ્રવૃત્તિને બિરદાવવા તેઓએ જે પ્રોત્સાહન મને પુરું પડ્યું છે.  મે મારી ચાલીસ વર્ષની જીંદગીમાં ક્યારેય મુંબઈ જોયું નોહ્તું. મને મુંબઈ કોઈએ બતાવ્યું હોય તો એ આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબે. એટલું જ નહિ મને દુબઈ આવવા જવાની રોકાવવાની તમામ વ્યવસ્થા ગોઠવી  મારા જીવનની પહેલી વિદેશ યાત્રા પણ પ્રકાશભાઈ સાહેબે જ કરાવી.  એ બદલ તો હું તેમનો આજીવન ઋણી રહીશ. મારા કાર્યમાં તેઓએ પ્રાણ પૂરી આપ્યા છે. તેઓએ મારા અંતરમનમાં નવી ઉર્જા બક્ષી છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બનાવી છે.

આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબના આ ધરતી ઉપર પણ ઘણા ઋણ છે. પ્રખર ગાંધીવાદી શ્રી કે. કે. શાહ સાહેબે વાત્રક હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે, એનું ઋણ  અરવલ્લી પંથક કદાચ ક્યારેય ચૂકવી નહિ શકે. અરવલ્લી તેમજ આસપાસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ એટલે વાત્રક હોસ્પિટલ ! મરણ પથારીએ પડેલી આ હોસ્પિટલને પુનર્જીવિત  કરવામાં જો કોઈનો સિંહફાળો હોય તો એ પ્રકાશભાઈ શાહ સાહેબનો જ છે. તેઓએ તો ઉદાર હાથે સખાવત આપી જ છે. સાથે સાથે તેમના મીત્રોને પણ દાનની સરવાણી માટે તેઓએ આંગળી ચીંધી છે. આજે પણ દર્દીઓને વધુ સારી સવલત મળે, અદ્યતન તબીબી સારવાર મળે એ માટે અમેરીકા રહીને તેઓ અવિરત ચિંતા કરે છે. તેમના પિતાએ જોયેલા વિરાટ સ્વપ્નને તેઓએ સાકાર કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. લાખો ગરીબ દર્દીઓના આશીર્વાદ તેમના પરિવારને પ્રાપ્ત થતા રહે છે.
       ગાંધીયન પિતા કે.કે. શાહના નામે ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરતા રહે છે. અરવલ્લીના  અંતરિયાળ ગામડામાં વસતી હજારો મહિલાઓને સ્વસહાય જૂથ બનાવી પગભર કરી છે. એ મહિલાઓ આજે આત્મનિર્ભર બની છે. કેટલું બ્રોડ વિઝન ! દેશ પર કોઈ કુદરતી આફત આવી પડે તો તેમની ટીમ કોઈની  પણ રાહ જોયા વિના તાબડતોબ સેવાકાર્યમાં લાગી જાય છે. તેમની ટીમના નિશાબેન શાહવિનયભાઈ શાહપંકજભાઈ પટેલઅરુણ ભાઈહેમંતભાઈ ભરતભાઈ જેવા સમર્પિત સૌ કર્મીઓ સાહેબનો પડ્યો બોલ ઝીલી લે છે.  

   સેંકડો દરિદ્રનારાયણનું જીવન પરિવર્તિત કરવામાં પ્રકાશભાઇ શાહ સાહેબ મન મૂકીને વરસ્યા છે. કોઈની દીકરીનું લગ્ન હોયસંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, કોઈ માટે નવીન ઘર લેવાનું હોયઆકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય આવી અનેક રીતે તેઓ મદદ પહોંચાડે પણ  પ્રકાશભાઈ કોઈનેય ખબર પડવા ન દે. કોઈ માણસની આંગળી તેઓ પકડે પછી તેને તેઓ ક્યારેય છોડતા નથી.
         પ્રકાશભાઇ સાહેબ સાથે જુહુ  બીચ પર મોર્નિંગ વોક કરતાં કરતાં જે દૃશ્યો નિહાળ્યા એ જોઈ આપણી છાતી પણ ગજ ગજ ફૂલે ! સાવ સાદો સફેદ કુર્તો અને પાયજામો પહેરી ફરવા નીકળે તો કોઈ માને પણ નહી કે આ માણસ પાસે કેટલી સત્તાનો આસામી છે ! 

   જૂહુ બીચ પર વોક કરતા કેટ કેટલા લોકો પ્રકાશભાઈને આદર સાથે આવી મળે.. યુવાનો તેમની સાથે સેલ્ફી ખેંચાવી મુલાકાતને યાદગાર બનાવે. મુંબઈમાં પણ પ્રકાશભાઈ સાહેબ લોકોનો અપાર પ્રેમ પામ્યા છે. કોઈ તેમની જરા પણ પ્રસંશા કરે તો તેઓ કહે છે  I am merely a speck of dust awaiting the passage of time.” તમામ કાર્યનો યશ પ્રકાશભાઈ ઠાકોરજીને આપી પોતે નિસ્પૃહી રહે છે.

     ભગવાં વસ્ત્રોમાં નહિ પણ શૂટ-બૂટમાં સાધુ પુરૂષનાં દર્શન કરવાં હોય તો એક વાર પ્રકાશભાઈ શાહ સાહેબને મળજો. સાચું કહું છું જીવન ધન્ય થઈ જશે. જેમને પણ પ્રકાશભાઈ શાહ સાહેબની છત્રછાયા પ્રાપ્ત થઈ છે તેઓ માટે પ્રકાશભાઈ ભગવાન સમાન માને છે. તેમની છત્રછાયામાં પાંગરવાંનું સદનસીબ મને પણ પ્રાપ્ત થયું એને હું ઠાકોરજીની કૃપા જ માનું છું.

આજે પ્રકાશભાઈ શાહ સાહેબનો જન્મ દિવસ છે ત્યારે તેમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ઠાકોરજીના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. HAPPY BIRHDAY SIR. MANY MANY HAPPY RETURNS OF THE DAY.

                                                             

-         ઈશ્વર પ્રજાપતિ

 

No comments:

Post a Comment