Wednesday, August 30, 2023

શિવમય શ્રાવણ - ૧૪

 શિણોલ-મહાદેવપુરા પાસે આવેલું પૌરાણિક ત્રિલિંગ શિવ મંદિર : કાલંજર મહાદેવ



      દેવાધિદેવ મહાદેવજી નો મહિમા અપાર છે. આપણી આસપાસ પણ જાણ્યા અજાણ્યા પ્રાચીન અનેક શિવ મંદિરો આવેલા છે. પરંતુ હજી જોઈએ એટલું આવા પ્રાચીન સ્થળો પૂરતું ધ્યાન ગયું નથી. 
       શિવાજીનું આવું જ એક પૌરાણિક મંદિર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિણોલ પાસે મહાદેવપૂરા ગામમાં આવેલું છે. માજુમ નદી અને ખારવા નદીના સંગમ ઉપર પૌરાણિક કાલંજર મહાદેવ શિવ મંદિર આવેલું છે! આપણી નજીકમાં આવેલું આ કાલંજર મહાદેવ વિશે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે આ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.
      કલંજર મહાદેવ મંદીરની વિશેષતા એ છે કે ત્રીલિંગ ધરાવે છે. એમ કહેવાય છે, કે આ ત્રીલિંગ એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે અને સ્વયંમભું ત્રીલિંગ જમીનમાંથી સ્વયં પ્રગટ થયાં હોવાની માન્યતા છે. 
         પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવ મંદિરની સ્થાપના ક્યારેય થઈ તે વિશે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. મંદિરના પત્થરો અને તેનું બાંધકામ શૈલી ખુબ જૂનું છે અને ત્રીશિવલિંગ પણ અલગ જ દેખાય છે. આ પ્રકારના ત્રીશિવલીંગ અહીંયાના વિસ્તારમાં ક્યાંય જોવા મળતા નથી. એટલે કાલંજર મહાદેવ ખુબ જ પ્રાચીન અને પૌરાણિક છે. 
         આપણે આસપાસ નજર કરીએ તો સમજાશે કે પૌરાણિક શિવ મંદિરો હંમેશા નદીઓ કે દરિયાના કિનારે રહ્યા છે. કાલંજર મહાદેવ અતિ રમણીય નયનરમ્ય અને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતું સંગમ સ્થળ છે. અહીંયા બાજુમાં બે નદીઓ આવેલી છે. તેના સંગમ ઉપર હોવાથી તેનું અતિ મહત્વ રહેલું છે. 


     પૌરાણિક શિવ મંદિર કાલંજર મહાદેવની પૂજા વિધિ પૂરી આસ્થા અને નિષ્ઠા સાથે વિસ્તારના લોકો વર્ષોથી કરે છે અને સાથે સાથે આજુબાજુના બાર ગામોનું આ અતિ મહત્વનું શિવ મંદિર આવેલું છે. આજુબાજુના ગામોમાંથી અઢારે વરણના લોકો ખુબ જ આસ્થા સાથે પુજંન કરે છે અને શ્રદ્ધાથી દાદાના દર્શને આવે છે. શિવરાત્રી ઉપર અહીંયા હજારો લોકો દર્શન કરવા આવે છે અને આસ્થા સાથે માથું દાદા પાસે ટેકવે છે. મેળામાં આજુબાજુના અનેક ગામોમાંથી શિવ ભક્તો ઉમટી પડે છે ત્યારે અહીંનું વાતવરણ શિવમય બની જાય છે.
આ મંદિર ની આસપાસના ગામોના લોકો આ મંદિર ના વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ સૌના પ્રયત્ન થકી આ મંદિર ની કાયા પલટ થઈ રહી છે. શ્રાવણ માસમાં શિવજી નાં દર્શન કરવાં હોય અને પરિવાર સાથે બે નદીઓના સંગમ સ્થાને શિવમય સમય પસાર કરવો હોય તો આ ઉત્તમ શિવાલય છે. 
સમય કાઢી અને શિવજીને મળવા આવજો તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે . 
જય ભોલે (માહિતી સૌજન્ય : ચિરાગ પટેલ શિણોલ )
- ઈશ્વર પ્રજાપતિ

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts