જો ગામેગામને એક નરેન્દ્રભાઈ પટેલ અને પુંસરી ગામના આગેવાનો જેવા રાહબર મળી જાય તો કોઈ જરૂરીયાતમંદને ભુખ્યા સુવું પડે નહિ.
સાબરકાંઠાનું પુંસરી ગામથી પરિચિત ન હોય એવી વ્યક્તિ આપણી આસપાસ શોધવી મુશ્કેલ છે.
પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલની આગવી કોઠાસૂઝને પરિણામે આ ગામને જાણે વિકાસની પંખો ફૂટી.
અને દેશનું મોડેલ વિલેઝ તરીકે પ્રસ્થાપિત થયું જેના પરિણામે એક ખોબા જેવડું ગામ દેશ
દુનિયામાં છવાઈ ગયું. આ ગામે માત્ર ભૌતિક વિકાસ કર્યો છે એવું નથી. પરંતુ માનવીય મૂલ્યોનું
જતન કરી સમાજમાં એવા અનેક દાખલા બેસાડી
આપ્યા છે કે દેશ અને દુનિયાના અન્ય ગામો પણ એ દિશામાં આગળ વધે તો વિશ્વની તાસીર અને
તસવીર બદલાઈ જાય.
હા, આજે વાત કરવી છે પુંસરી ગામના આગેવાનોએ આરંભેલા માનવતાના મહાયજ્ઞની ! સમસ્ત પંથક જેમને જરૂરિયાતમંદોના એક સાચા આધાર તરીકે ઓળખે છેએવા અદના સમાજ સેવક નરેંદ્રભાઈ પટેલ અને તેમના સાથી ગામના આગેવાનો સાથે મળી પવિત્ર શ્રાવણ માસમાં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ ‘રામરોટી અન્નક્ષેત્ર’ પ્રારંભ કર્યો છે. સામાન્ય વ્યક્તિને સાહજિક પ્રશ્ન થાય કે નાના અમથા ગામમાં વળી અન્નક્ષેત્રની શી જરૂર ? પરંતુ આ અન્નક્ષેત્રનો ઉમદા હેતુ જાણતાં જ હૃદય ગદગદિત બને છે.
Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .
નરેન્દ્રભાઈ પટેલ એટલે સંવેદનાથી ભર્યું ભર્યું વ્યક્તિત્વ ! તેમણે બાળપણમાં ગરીબીને ખુબ નજીકથી નિહાળી છે. ‘દુઃખ અને
ભૂખ’ શું ચીજ છે એ બાલ્ય અવસ્થામાં તેઓએ જાતે
અનુભવ્યું છે. એટલે જ કોઈ દુખિયા કે ભૂખ્યાને જોઈ એમનું હૃદય કંપી ઊઠે. આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોય એવા અનેક પરિવારોને
નિયમિત રાશન આપવાનું પુણ્ય કાર્ય તેઓ કરતા આવ્યા છે. પરંતુ તેમના મનમાં એક સવાલ સતત
રમ્યા કરતો કે ‘મારા ગામમાં એવી નિરાધાર અને
વૃદ્ધ મહિલાઓ અને પુરુષો છે કે જેઓનો બીજો કોઈએ જ આધાર જ નથી. આ અશક્ત મહિલાઓ
બે ટંક પોતાની રસોઈ પણ બનાવી શકતી નથી અને અવાર નવાર ભૂખી જ સુઈ જાય છે. આ તો કેમ ચાલે
? ગામમે વિકાસની હરણફાળ ભરી દેશ વિદેશમાં ડંકો વગાડ્યો અને આદર્શ ગામ તરીકે રાષ્ટ્ર કક્ષાએ નોધ લેવાઈ. પરતું મારા જ ગામમાં
જો કોઈ વૃદ્ધ માતાને ભૂખ્યા સુવું પડે એ કેમ ચાલે ?” આ વિચારે નરેન્દ્રભાઈનું હૃદય વલોવાયું. તેઓએ આ વિચાર ગામના આગેવાનો
સાથે વહેંચ્યો.
એ અરસામાં ગામના આગેવાનો પૂનમના સારંગપુર હનુમાનજીના
દર્શને જઈને આવેલા. પૂનમના દિવસે સારંગપુર મંદિરના સદાવ્રતમાં લાખો માણસ ભોજન પ્રસાદ
લેતું જોઈ તેમના મનમાં પણ આ વિચાર રમતો હતો કે ‘એક મંદિર જો દરરોજ માટે હજારો માણસોને
જમાડી શકે છે તો આપણે આપણા ગામના જ જરૂરીયાત મંદ લોકોને ન જમાડી શકીએ ?’ સોનામાં જાણે સુગંધ ભળી ! નરેન્દ્રભાઈ અને આગેવાનો
સાથે મળી નક્કી કર્યું કે હવે પછી આપણા ગામમાં કોઈએ ભૂખ્યા સુવું નહિ પડે એ જોવાની
આપણા સહુની સહિયારી જવાબદારી છે. આ જ વિચારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં
આવી.
આ
રામરોટી ટીફીન સેવા શરુ થતા અત્યંત દયનીય હાલતમાં જીવન ગુજારતાં ૨૪ જેટલા પરિવાર માટે
જાણે સોનાનો સુરજ ઉગ્યો ! નિયમિત અગિયારના ટકોરે સ્વાદિષ્ટ ભોજન ભરેલું ટીફીન તેમના
આગણે આવી જાય છે. ગામના સેવાભાવી ભાઈઓ-બહેનોએ
રામરોટી ટીફીન સેવાનું કામ પોતાના ખભે ઉપાડી
લીધું. કોઈ આર્થીક મદદ કરે છે, તો કોઈ શ્રમદાન કરી આ સેવા યજ્ઞમાં આહુતી આપે છે.
કોઈના ઘરે શુભ-અશુભ પ્રસંગ હોય તો એ પણ સામે ચાલીને કહી જાય છે કે “રામરોટીની ટીફીન સેવા મારા તરફથી” ગામના લોકો પરિવારમાં કોઈનો બર્થડે હોય તો કેક કાપવાનું છોડી ટીફીન સેવા આપીને આત્મસંતોષ અનુભવે છે.
‘સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ’ને હજુ એક મહિનો
પૂરો થયો છે પરતું આ મહિના દરમિયાન થયેલા હૃદયસ્પર્શી અનુભવો વર્ણવતાં નરેન્દ્રભાઈ પટેલ જણાવે કે “ અમીરની વ્યાખ્યા દરેક વ્યક્તિને અલગ અલગ હોય છે કોઈ ધન દોલત
કે મિલકતથી અમીર હોય પણ મિત્રોથી અમીર હું છું એ મને ઢળતી ઉંમરે ખબર પડી અને તેનું
મને ગૌરવ છે.
નાનપણમાં ગરીબીનો અહેસાસ થયો. હાથમાં રોટલાનો
ટુકડો હોય અને દાંત વચ્ચેનું અંતર સાવ
ઢુકડુ છે, પરંતુ હાથમાં રોટલો મેળવવો અઘરો છે. જેને ખાવા નહીં મળતું હોય તેની શું
હાલત હશે? મનોમંથન
કરવા છતાં કાયમી ઉકેલ મળતો ન હતો. આખરે બે મહિના પહેલા મનોમન નિર્ધાર કરી લીધો કે પુંસરી ગામનો કોઈ માણસ ભૂખ્યો સુવો જોઈએ નહિ. પરંતુ કરવું શુ ગામના સમાન વિચાર ધરાવતા મિત્રોને વાત મૂકતા તેમને અન્નક્ષેત્ર
શરૂ કરવા માટે તૈયારી સાથે જુસ્સો વ્યક્ત પણ કર્યો પણ મનમાં ડર એ હતો કે આરંભે શૂરા બનીશું તો ગરીબોના નિસાશા જરૂર પડશે. સમાજમાં મજાકને પાત્ર બનીશું એ નફામાં !
પરંતુ જે થવું હોય તે થાય. ‘ઇસ પાર યા ઉસ પાર’ અને કેસરિયા કર્યા.
જેમના પર અતૂટ શ્રદ્ધા ઊભી થઈ છે તે પૂજ્ય
ગોપાલદાસ બાપુના ચરણોમાં વંદન કરીને સાંસદ દીપસિંહની ઉપસ્થિતિમાં 16 ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ ‘રામરોટી’નો પ્રારંભ કર્યો. પ્રારંભના દિવસે ભારે વરસાદ અને
મારા ઉચ્ચાટ વચ્ચે રામરોટી પ્રારંભ કર્યો હતો.
એક મહિનો થવા આવ્યો મનોબળ એવી રીતે મક્કમ બનાવ્યું હતું કે જરૂર પડે જમીન વેચીને પણ રામરોટી ચલાવીશ. શરૂઅતમાં
પૈસા કરતાં પ્રેરણાની અને શ્રમદાનની જરૂર હતી અને તે મળી. ટ્રસ્ટી મંડળ તો રજીસ્ટર થયું અને રામરોટી
દ્વારા ખરા અર્થમાં જરૂરિયાત વાળા ૨૫ જેટલા
લોકોની પેટનો ખાડો પુરવા માટે ટ્રસ્ટ નિમિત બન્યું છે.
રામરોટી ભોજન જો હું પોતે જામી શકું એવું સ્વાદિષ્ટ
ન હોય તો લોકોને કેવી રીતે ભાવે? પરાણે ગળે ઉતારવાનું શું મતલબ? એટલે નિયમિત ટીફીન ભરતા પહેલાં ભોજનની ગુણવત્તા ચકાસવામાં આવે છે.
અહી સેવા આપતી બે બહેનો કે જેમને પગારની
જરૂર કરતા તેમનો સેવા સંકલ્પ છે. તેમના કાર્યમાં સેવાનો ભાવ ભળતાં ભોજન પ્રસાદ જેવું
સ્વાદિષ્ટ બને છે.
‘રામરોટી સેવા યજ્ઞના’ કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં
વાયરલ થતા 25 વર્ષ જુના મિત્ર નો ફોન આવ્યો. એક સમયે આ મિત્ર ખુબ આર્થિક તંગી અનુભવતો. 200 કે 500 રૂપિયા
ઉછીનાની આપ-લે કરતો હતો. દિવસો પલટાતા તેનું આજે વાર્ષિક ટુર્ન ઓવર 70 કરોડ ઉપર થાય છે, મહિનામાં પંદર દિવસ ધંધાર્થે ફોરેન ટૂરમાં હોય
છે. આ મિત્રએ ફોન કરી પૂછ્યું ‘મારે રામરોટી માટે શું મદદ કરવાની છે બોલો? અચાનક આવેલો આ ફોન મારા માટે કોઈ ચમત્કારથી કમ ન હતો. મેં કહ્યું
: ‘મારી બહેનો રસોડામાં રોટલી વણે છે.
રોટી મેકર મશીન જોઈએ છે.’ નામ જાહેર ન
કરવાની શરતે એ મિત્રએ બે લાખ રૂપિયા રામરોટી ટ્રસ્ટના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. આ મિત્રની દાતારીને મનોમન વંદી
રહ્યો.
એક મહિના દરમિયાન અનેક મિત્રોએ ૨૧૦૦૦,૧૧૦૦૦,૫૦૦૦ કે
૧૧૦૦ રામરોટીમાં આપ્યા છે. એક મિત્ર આખું
વર્ષ ગેસ મફત આપે છે. બીજો મિત્ર 30 મણ ચોખા આપે, જ્યારે પણ જેટલી જોઈએ એટલી શાકભાજી આપવાનો બીજો
મિત્ર સધિયારો આપ્યો. સાંસદ શ્રી રીક્ષા માટે મદદ કરી હોસલો બુલંદ બન્યો.
એક
મહિનામાં ૩૦ દિવસના 720 ટિફિન
મોકલાયા 82 ગામમાં શુભ અશુભ પ્રસંગે ટિફિન મળ્યા 10 તિથિ
ભોજન મળ્યા જ્યારે 85 ઉપર
લોકોએ શ્રમદાનથી યોગદાન આપ્યું છે. જ્યારે સતત ચિંતા કરતા સંવેદના ચેરીટેબલ
ટ્રસ્ટના 13 ટ્રસ્ટીઓને પણ સલામ !” નરેન્દ્રભાઈ પટેલ અહી વાત પૂરી કરે છે ત્યારે એમની આંખોના ખૂણા
આંસુથી ભીંજાયેલા જોવા મળે છે.
‘સંવેદના
ચેરીટેબલ ટ્રસ્ટ’ના નેજા હેઠળ સાર્વજનિક હોસ્પિટલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના
સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૨૪૮ જેટલા જરૂરીયાતમંદ
દર્દીઓનું નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું. અને ૧૬ જેટલા દર્દીઓનું વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરી નવી દૃષ્ટિ આપવામાં આ ટ્રસ્ટ
નિમિત્ત બન્યું. છે.
એક સર્વે અનુસાર વિશ્વમાં કરોડો લોકોને એક ટંકનું ભોજન નસીબ નથી થતું. પરતું જો ગામેગામને એક નરેન્દ્રભાઈ પટેલ અને પુંસરી ગામના આગેવાનો જેવા રાહબર મળી જાય તો કોઈ જરૂરીયાતમંદને ભુખ્યા સુવું પડે નહિ. પુંસરી ગામે સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. પુંસરી એ માત્ર મોડેલ વિલેજ જ નહિ પરંતુ એક માનવીય વિલેજ પણ છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
આપ અમારી વાત એને આપના આર્ટિકલ થકી koi ને ભોજન આપવની તાકાત બગવાન આપશે આભાર
ReplyDeleteનરેન્દ્રભાઈ એક સાધુ જીવન જીવતા વ્યક્તિ છે.
ReplyDeleteગાબટ, માનવ સેવા ,ફેબ્રુઆરી ૨૦૧૮ થી કામ કરે છે. સવંદનશીલ હોવુ એજ મહત્વપૂર્ણ. આપ ભિલોડા જાવ જીતેન્દ્રભાઈ ને મળો. મોડાસા જાવ બિપિનભાઈ શાહ ને મળો ,
વાત્રક જાવ સમતા ચેરીટેબલ પણ કામ કરે છે.
આપનો લેખ માનતા ની પરબ ને જાગ્રત કરવાનો છે.
અભિનંદન
Salute to Pusari villagers,🙏🙏
ReplyDeleteખૂબ જ સરસ કાર્ય, અભિનંદન,💐💐💐
ReplyDeleteExcellent 👍
ReplyDeleteGreat one sir....
ReplyDeleteનરેન્દ્ર ભાઈ ના સેવા કાર્યના ઉંમદા વિચાર અને કાર્યને અભિનંદન. સાથે શ્રમ યજ્ઞમાં મદદરૂપ થતાં તમામને અભિનંદન
ReplyDeleteઅભિનંદન. સહકાર આપનાર સૌ ને વંદન
ReplyDelete