Sunday, April 17, 2022

સન્ડે સ્પેશિયલ

જાણીતા લેખક બિન્દાસ્ત  ખુશવંતસિંહના મતે  જીવનનું સાચું સુખ કયું?   


           ખુશવંતસિંહ ભારતના એક એવા લેખક  કે જેમને ‘ગંદા ડોશા’નું  ઉપનામ મળ્યું તો પણ તેમણે સહર્ષ સ્વીકાર્યું. તેઓનું નામ સાંભળતા જ તેમનું  લખાણ વાંચવાની તાલાવેલી વાચકોમાં વધી જાય છે. એનું એક કારણ એ પણ છે કે  મોટે ભાગે સેક્સ, શરાબ અને શબાબ વિષે જાહેરમાં  બિન્દાસ્ત લખતા પહેલા લેખકો એક હજાર વાર વિચારે છે, પરંતુ  ખુશવંતસિંહે દરેક વિષય પર આગવા અંદાજથી બિન્દાસ્ત અદાથી ધોધમાર લખ્યું.  બિન્દાસ્ત લેખન શૈલી અને જીવનશૈલીને કારણે  તેઓ આજીવન એક વિવાદાસ્પદ વ્યક્તિ જ રહ્યા. કોઈ પણ જાતના દંભ વિના શરાબ અને શબાબના શોખીન હોવોનો સ્વીકાર તેઓ નિખાલસતાથી કર્યો છે. એક હાથમાં કલમ તો બીજા હાથમાં મનપસંદ વાઈનના બનાવેલા પેગનો ગ્લાસ રહેતો. બિન્દાસ્ત ખુશવંતસિંહની કોલમ ૧૭ ભાષાઓમાં અનુવાદિત થઇ દેશ વિદેશના  અખબારોમાં છપાતી. લાખો વાચકોને તેમની કોલમનો ઇન્તઝાર રહેતો.

           ખુશવંત સિંહે  અનેક સફળ પુસ્તકો આપ્યાં છે. પરંતુ તેમની બિન્દાસ્ત શૈલીમાં લખાયેલ ‘ધ કંપની ઓફ વીમેન’ જેવાં  પુસ્તકોએ વાચકોમાં જબરજસ્ત ચર્ચા જગાવી હતી. હુમ્રા કુરેશી સાથે ખુશવંતસિંહ લિખિત “બિન્દાસ્ત ખુશવંતસિંહ” નામના પુસ્તકમાં પણ ખુશવંત સિંહે પોતાના જીવનની અનેક વાતો ખુલ્લા દિલે વર્ણવી છે. એ પુસ્તકની બિન્દાસ્ત બીજી વાતો અહી મુકવાનો ઉપક્રમ નથી, પરંતુ જીવનમાં સુખ પામવા માટે ખુશવંતસિંહનો જે  અભિગમ આ પુસ્તકના બીજા પ્રકરણમાં પ્રગટ થાય છે  એ અહી પ્રસ્તુત છે.  

ખુશવંતસિંહ લખે છે. :

     “ મેં ખુબ સંતુષ્ટ જીવન ગાળ્યું છે. ઘણીવાર વિચાર કર્યો છે કે કઇ કઇ બાબતો છે જે લોકોને સુખ આપે છે અને વ્યક્તિએ એ સુખને પામવા શું કરવું જોઈએ.

        સૌથી પહેલું સુખ સારી તંદુરસ્તી. જો તમે સારી રીતે તંદુરસ્ત નહિ હો તો તમેં ક્યારે સુખી નહિ થી શકો. કોઈ પણ બીમારી, કે પછી નાની હોય કે મોતી, તમને સુખથી દૂર કરી દેશે.

         બીજું, સારું કહી શકાય તેવું બેંક બેલેન્સ. તે કરોડો રૂપિયાનું નહિ હોય તો ચાલશે પરંતુ તે એટલું તો હોવું જોઈએ કે તમે આરામદાયક જીવન જીવી શકો અને આનંદ વિનોદશકો પણ  કરી શકો. જેમકે બહાર જમવા જઈ શકો, ફિલ્મો જોઈ શકો, ટેકરીઓ પર કે સમુદ્ર કિનારે રજાઓ ગાળવા જઈ શકો. નાણાની અછત વ્યક્તિને નીતિભ્રષ્ટ કરી દેતી હોય છે. ઉધાર કે ઉછીના પૈસા લઈને જીવન જીવવું તેનો કોઈ અર્થ નથી અને વ્યક્તિ પોતાની નજરમાંથી ઉતારી જાય છે.

         ત્રીજું સુખ છે તમારું ઘર. ભાડાનું ઘર ક્યારેય તમને આશાયેશ કે સલામતી આપી નહિ શકે, જે તમને તમારું પોતાનું ઘર આપી શકે છે. જો તે ઘર સામે બગીચાની જગ્યા હશે તો ભયો ભયો. તમને મનગમતાં વ્રુક્ષો ફૂલો વાવજો. તેને ફૂલ્યા ફાલ્યા થતાં જોજો અને તેની સાથે ઘરોબો કેળવજો.

       ચોથું સુખ છે – સમજુ સાથીદાર, પછી તે પત્ની હોય કે મિત્ર. જો તમારી અને તમારા સાથીદાર વચ્ચે વધુ પડતી ગેરસમજો હશે તો તે તમારા મનની શાંતિ  હણી લેશે. આખો વખત ઝઘડા અને કકળાટ કર્યા કરતાં સમજીને છુટા છેડા લઈ લેવા બહેતર છે.

         પાંચમું સુખ છે – ઈર્ષા કરતાં અટકી જજો. જીવનમાં જેમને તમારા કરતાં સારું કર્યું હોય, ઉચ્ચ પડાવી મેળવી હોય, વધુ નાણા એકઠાં કર્યા હોય અથવા વધુ પ્રસિદ્ધિ મેળવી હોય તેઓની ઈર્ષા ન કરતા. ઈર્ષાથી તમારું મન કાટ ખાઈ જશે.માટે બીજો સાથે તમારી સરખામણી કરવાનું ટાળજો.

          છઠ્ઠું સુખ છે – તમારી પાસે ખાલી ખાલી ગપાટા મારવા, જે લોકો આવવા માંગતા હોય તેમને આવવા ન દેતા. આવા લોકો જ્યારે ગામ ગપાટા મારીને જાય તે પછી તમને ભયંકર થાક લાગશે અને તેઓની વાતો તમારા મનમાં ઝેર ફેલાવશે.

         સાતમું સુખ છે – તમને વ્યસ્ત રાખે તેવી એકાદ બે ‘હોબી’ – ધૂન વિકસાવજો જેમ કે બાગકામ, વાંચન, લેખન, ચિત્રકામ, સંગીત બજાવવું કે સંભાળવું. ક્લબો કે પાર્ટીઓમાં જઈને મફતિયા પીણાં પીધા કે પછી કહેવાતા મોટા માણસોને મળવું એ સમયને બરબાદ કરવા બરાબર છે. જે તમને વ્યસ્ત રાખે તેવી વસ્તુ કે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મહત્વની વાત છે. મારા જ કેટલાંક કુટુંબીઓ અને મિત્રો એવા છે જેઓ પોતાનો આખો દિવસ રખડતા કુતરાઓની ચિંતા કરવામાં, તેઓને ખાવાનું આપવામાં અને તેઓને દવાદારૂ આપવામાં વિતાવે છે. બીજા કેટલાક એવા છે જેઓ હરતું ફરતું દવાખાનું ચલાવે છે. અને માંદા મનુષ્યો અને પ્રનીયોને વિનામૂલ્યે સેવાઓ આપે છે.

            આઠમું સુખ છે – રોજ સવારે અને સાંજે પંદર મિનીટ આંતરનિરીક્ષણમાં ગળજો. રોજ સવારે દસ મિનીટ મનને તદ્દન શાંત અન એસ્થીર કરવામાં ગળાવી જોઈએ અને પાંચ મિનીટ તે દિવસે તમારે કરવાનાં કામોની યાદી બનાવવામાં ગળવી જોઈએ.રોજ સાંજે પાંચ મિનીટ મનને શાંત અને સ્થિર કરવામાં અને દસ મિનીટ તમે કરવા ધરેલા કામકાજને તપાસી જવામાં ગાળવી જોઈએ.

         નવમું સુખ છે – ક્યારેય ગુસ્સે થતા નહિ. પ્રયત્ન કરીને ગુસાબજ કે વેરભાવના રાખવાવાળા ન બનતા. અરે, જ્યારે ખાસ મિત્ર ઉદ્ધત વર્તન કરે ત્યારે જાણે કશું બન્યું નથી તેમ કરીને દૂર જતા રહેજો.વ્યવહાર સાચવીને સારી રીતે જીવવા માટે કાંઈ તમારે ધનવાન હોવું કે સામાજિક રીતે મોભાદાર થવું એ જરૂરી નથી. સારી તંદુરસ્તી અને થોડી આર્થિક સ્થિરતા મહત્વની બાબતો છે, પરંતુ તે વાત તમારે સતત ધ્યાનમાં રાખવી નહિ.”

       પુસ્તકનું બીજું પ્રકરણની વાત ખુશવંતસિંહ અહી પૂરી કરે છે.

           દેશના વિભાજાના પહેલાંનાં પંજાબમાં ૧૯૧૫માં ખુશવંત સિંહનો જન્મ થયો હતો. તેઓ આધુનિક ભારતના ઈતિહાસ ઘડતરમાં બનેલા દરેક મહત્વના સાક્ષી રહ્યા છે. લેખક, સંપાદક અને પત્રકાર તરીકેની છ દાયકામાં વિસ્તરેલી તેઓની કારકિર્દીમાં તેઓના વિચારો ઉત્તેજક અને વિવાદાસ્પદ રહ્યા છે. ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી ખુશવંતસિંહ લોકસભાના સભ્ય હતા.  

            ખુશવંત સિંહે  ‘યોજના’ના તેઓ સ્થાપક તંત્રી રહ્યા હતા અને તેઓએ ‘ધ ઈલસ્ટ્રેડ વીકલી ઓફ ઇન્ડિયા’, ‘નેશનલ હેરલ્ડ’ અને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી તરીકે ફરજ બજાવી હતી. તેઓએ લખેલ ઉત્તમ પુસ્તકોના નામ છે – ‘ટ્રેન તું પાકિસ્તાન’, ‘આઈ શેલ નોટ હિયર ધ નાઈન્ટીગેલ’, ‘દિલ્હી’, ‘ધ કંપની ઓફ વીમેન’, અને  ‘બુરીયલ એટ સી’  મુક્ત વાણીના પ્રખર હિમાયતી છતાય જેણે કટોકટીને સમર્થન આપ્યું હતું. એક ‘ગંદો ડોશો’ જે રેતીના કણમાં દુનિયાને જુએ છે અને જંગલી ફૂલમાં સૌદર્ય માણે છે.

      વર્ષ ૧૯૭૪માં તેઓને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય લશ્કરે સુવર્ણ મંદિર પર હુમલો કર્યાની વિરુધ્ધમાં તેઓએ આ ખિતાબ પાછો મોકલી આપ્યો હતો. ૨૦૦૭ માં તેઓને પદ્માવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૨૦ મી માર્ચ ૨૦૧૪ના રોજ દિલ્હી ખાતેના નિવાસસ્થાને બિન્દાસ્ત ખુશવંતસિંહે અંતિમ શ્વાસ લીધા.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620 

(whatsapp only)

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts