Saturday, May 9, 2020

મહામારીના મહાયોદ્ધા - 1

મહામારીના મહાયોદ્ધા -1 


"મધ્યપ્રદેશના શ્રમજીવીઓને ડેમાઈ ગ્રામપંચાયતની બસ દ્વારા મધ્યપ્રદેશ પહોંચાડવામાં આવ્યા"
 
          
             કોરાની મહામારીએ સમસ્ત વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે ડોક્ટરો ,મેડિકલ સ્ટાફ ,પોલીસ પરિવાર, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, કાર્યકર્તાઓ આ મહામારીની સામે મહાયોદ્ધા બની રાષ્ટ્રની સેવામાં અવિરત કાર્યરત છે. આ સર્વે દેવદૂતોને અભિનંદન આપીએ એટલા ઓછા છે. 
            અરવલ્લી જિલમાં વધી રહેલા કેસને કારણે સ્વાભાવિક રીતે જ સૌની ચિંતામાં પણ વધારો કર્યો છે. પરંતુ જિલ્લાના કલેકટર સાહેબશ્રી, જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના નેતૃત્વમાં સમસ્ત જિલ્લા તંત્ર મહામારીને નાથવા સજ્જ બન્યું છે. આ પરિસ્થિતિની વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતનમાં પહોંચાડવાનો પ્રશ્ન અતિ જટિલ હતો. એમ છતાં જિલ્લા તંત્રએ કુનેહથી આવા શ્રમિકોને પોતાના વતન મોકલવાનું અતિ મહત્વનું આયોજન કર્યું. જેમાં સ્થાનિક સરપંચ શ્રી ગ્રામજનો અને સેવાભાવી નાગરિકોનો અપ્રતિમ સાહિયોગ પ્રાપ્ત થયો. 
           બાયડના વારણા આશ્રમ ખાતે પરપ્રાંતના શ્રમિકો કેટલા દિવસથી રાખવામાં આવ્યા હતા તેમની સેવા વારણા ગામના ગ્રામજનો, કાર્યકર્તાઓ સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સેવામાં કાર્યરત હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મધ્યપ્રદેશના શ્રમિકોને મધ્યપ્રદેશ પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી ત્યારે બાયડ પ્રાંત અધિકારીશ્રી ડો. વિમલભાઈ બારોટ સાહેબ દ્વારા ગ્રામ પંચાયતની બસ સેવા લેવા માટેનું જણાવતા ડેમાઈ ગ્રામપંચાયતના ઉત્સાહી અને યુવાન સરપંચ શ્રી મહેશભાઈએ અને તેઓના સૌ સાથી સદસ્યોએ આ વાતને હરખભેર વધાવી લીધી. ડેમાઈ ગ્રામ પંચાયતને પૂર્વ સાંસદ માનનીય ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ સાહેબશ્રીની ગ્રાન્ટમાંથી મળેલ બસની અવિરત સાત વર્ષથી સેવારત છે. અને આ મહામારીના સમયે આ બસ રાષ્ટ્રની સેવામાં કામ આવે એનાથી બીજું રૂડું શુ હોય!! 
            ગ્રામપંચાયતના બે પાયલોટ સાથે વારેણાથી તમામ શ્રમિકો ને લઈ બસ મધ્ય પ્રદેશની સીમા સુધી મુકવા માટે રવાના કરવામાં આવી. બાયડ મામલતદારશ્રી દ્વારા નાયબ મામલતદાર સહિતની ટીમ સેવા માટે મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી. 
           તમામ શ્રમજીવીઓના ચહેરા ઉપર ગજબનું સ્મિત હતું. ઘણા લાંબા સમય બાદ ઘરે પરત ફર્યાનો આનંદ હતો. ખુશીનો માહોલ હતો. એક ગ્રામપંચાયતને સરપંચશ્રી અને સાથી સદસ્યશ્રીઓએ મહામારીની પરિસ્થિતિમાં દેશ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 
                  ઘરે રહો સુરક્ષિત રહો.
                 🇮🇳 વંદેમાતરમ, ભારત માતાકી જય 🇮🇳

લેખન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો.

2 comments:

  1. મહેશભાઈ અને તેમની ટિમ સુંદર કામ કરે છે.અભિનંદન

    પ્રદીપ શાહ અમદાવાદ

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts