સોમવાર, 7 ઑક્ટોબર, 2019

સત્ય ઘટના આધારિત જિંદગી જિંદાબાદ 6

સાયકલની ફેરીથી વ્યવસાયની શરૂઆત કરી કરોડોનુ સમ્રાજ્ય પ્રસ્થપિત કરનાર ખેડુત પુત્ર  કરસન ભાઈ પટેલ.


               
          કરસનભાઈ  ખોડિદાસ  પટેલ.
         એક એવું નામ કે જે પરિચયનુ મહોતાજ નથી. ધગશ હોય, સહસ વૃત્તિ હોય અને ગ્રાહકની નાડ પારખવાની કુનેહ હોય તો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ પણ કેવો ચમત્કાર સર્જી શકે છે એનું કરસનભાઈ ઉત્તમ ઉદાહરણ છે. વ્યવસાય નાની નાની નિષ્ફળતાઓથી હતાશ થઈ હથિયાર હેઠાં મુકી દેતા યુવાનો માટે આ એક ઉત્તમ પ્રેરક જિવન કથા છે. 
        કરસનભાઈ ખેડૂત પરિવારમાંથી કરસનભાઈ આવે છે. તેઓનો જન્મ 1945 માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. ( હાલ પાટણ ના ચણસ્મા તાલુકો) તેઓનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યું. પરંતુ સંકલ્પ શક્તિ અને વ્યાપરની ખરી રન નીતિ ના દમ પર તેમણે ભારતિય કોપોરેટ જગત માં શાનદાર સફળતા મેળવી છે. શૂન્યમાંથી શિખર સુધીની સફર કરનાર કરસનભાઈ આજે લગભગ 5524 કરોડ રુપિયાની કંપનીના માલિક છે.  પોતાનીએ વ્યવસાયિક સફરમાં તેમણે દેશી જ નહીં પરંતુ વિદેશી કંપનીઓને પણ પરસેવો છોડાવી દીધો.                                                                                                       21 વર્ષની ઉંમરે રસાયણશાસ્ત્રમાં બી.એસ.સી કર્યું હતું. તેમણે અમદાવાદની લાલ ભાઈ જૂથની ન્યૂ કોટન મિલ્સ ખાતે પ્રયોગશાળા ટેકનિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પછી રાજ્ય સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગની લેબમાં કામ કર્યું હતું. 1 9 6 9માં કરસનભાઈએ ગુજરાત સરકારના માઇનીંગ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં હતા ત્યારે ફોસ્ફેટ ફ્રી સિન્થેટિક ડિટર્જન્ટ પાવડર બનાવ્યું અને સ્થાનિક રીતે તેને વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. જુની હિન્દી ફિલ્મોના શોખીન છે. અને બસ એ વખતે તેમને એક વિચાર આવ્યો કે મહિલાઓ માટે કપડા ધોવાનું કામ કેટલુ મહેનત માગી લે તેવુ છે. દરેક કપડા ઉપર સાબુ ઘસવો, મેલ કાઢવો, ધોકા મારવા વગેરે ખાસ્સુ મહેનત ભરેલુ છે.  તે વખતે ડિટર્જન્ટ પાવડર સાધારણ સાબુની સરખામણીએ ખાસ્સા મોંઘા હતા કઈંક ત્રણ ગણા. તેથી દેખીતી રીતે ગરીબ અને મધ્યમ વર્ગિય પરિવારો માટે આ પાવડરનો ઉપયોગ કરવો ગજા બહારની વાત હતી.                                                                       તેઓ દરેક ખિસ્સાને પરવડે તેઓ સસ્તો અને સારો ડિટર્જન્ટ પાવડર બનાવવા માંગતા હતા. તેઓ સરકારી ઑફિસેથી ઘરે આવી પોતાના આ ડિટર્જન્ટ પાવડર બનાવવાના કામે લાગી જતા અને અને થોડા મહીનાના અંતે એક પીળો પાવડર બન્યો. મહત્વકાંક્ષી કરસનભાઈના મગજ ઉપર સસ્તો ડિટર્જન્ટ પાઉડર બનાવવાની ગ્રીપ પકડી લીધી. તેમાં સંશોધન શરૂ કર્યું અને સસ્તો અને ઓછું નુકસાન કરે એવો પાઉડર કે સાબુ બનાવવામાં સફળતા મળી. કરસનભાઈ દર રવિવારે સાઈકલ ઉપર થેલો ભરાવીને અમદાવાદની ઝુપડપટ્ટીમાં પહોંચી જતા, અને તેમને સાબૂની જગ્યાએ આ પિળો ડિટર્જન્ટ પાવડર એક વાર વાપરવા જણાવતા. મહિલા ગ્રાહકોને પરિણામ જોયા પછી પાવડર ખરીદવા અથવા તો રિજેક્ટ કરવા કહેતા. બસ કરસનભાઈની આ કોઠા સુઝ કામે લાગી ગઈ અને ગ્રાહકો પાસેથી રીપીટ ઑર્ડર મળવા લાગ્યા, અને કરસન ભાઈએ પોતાના પિળા પાવડરને બ્રાન્ડેડ માર્કેટમાં ઉતારવાની રણનીતિ બનાવી લીધી. 1969માં કરસન ભાઈએ પોતાની સ્વર્ગિય પુત્રી નિમાના નામે બ્રાન્ડેડ માર્કેટમાં આ પાવડર પ્રસ્તુત કર્યો. એ સમયે હિન્દુસ્તાન લિવર સર્ફ ડિટર્જન્ટ 15 રૂપિયા કિલોએ વેચતી હતી. કરસનભાઈ પોતાનો નિરમા પાવડર તેનાથી ચાર ગણી ઓછી કિંમતે એટલે કે 3.60 રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યુ.તેમણે આ નવો પીળો પાઉડર 3.5 કિલોગ્રામ દીઠ રૂ. 3.50 ના ભાવે વેચ્યો હતો, તે સમયે જ્યારે એચયુએલ (હિન્દુસ્તાન યુનિલિવર) સર્ફની કિંમત રૂ.15 હતી. નવા પીળા પાઉડરનું નામ ‘NIRMA’ નામ આપ્યું હતું. તેમની પુત્રીનું નામ નિરુપમા (જે એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું) પરથી આપ્યું હતુ                                                                                             વિશાળ મધ્યમ વર્ગિય પરિવારોએ નિરમાનો આ પાવડર અપનાવ્યો. નિરમાના આ જાદુએ હિન્દુસ્તાન લિવરનુ લિવર જાણે ફેઇલ કરી દીધુ. હિન્દુસ્તાન લિવરની તાલિમ પામેલી ટીમ ગ્રાહકોને સારૂ-ખરાબ અને સસ્તુ-મોંઘુ વચ્ચેનો અંતર સમજાવતા સમજાવતા થાકી ગઈ પણ આજદીન સુધી તેમનું માર્કેટ નિરમાને વટાવી શક્યુ નથી. બીજી બાજુ કરસન ભાઈ સફળતાની સીડીઓ ચડતા ગયાને એક દિવસે નિરમા 2,500 કરોડ રૂપિયાની તોસ્તાન કંપની બની ગઈ. આજે કંપની વર્ષના 8 થી 9 લાખ ટન ડિટર્જન્ટ ઉત્પાદનો વેચી રહીં છે. દેશના 8 હજાર કરોડ રૂપિયાના વોશ-શૉપ અને ડિટર્જન્ટ માર્કેટમાં નિરમાનો ભાગ 35 ટકા કરતા પણ વધારે છે. 25 ફેબ્રૂઆરી 1980ના રોજ કરસનભાઈની નિરમા કંપની, નિરમા પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ. નવેમ્બર 93માં તેઓ પોતાનો પબ્લિક ઇસ્યૂ પણ લાવ્યા. 1990માં નિરમાએ પહેલવહેલા બાથ શોમ માર્કેટમાં પોતાના પગલા પાડ્યા. તે સમયે બજારમાં હિન્દુસ્તાન લિવર 65 ટકાની માર્કેટ ભાગીદારી સાથે મોખરે હતી. કરસન ભાઈએ લીવરની લોકપ્રિય બ્રાન્ડ ઉપર સીધો વાર કર્યો. લક્સનો નિરમા બ્યૂટી શોપ સાથે, લિરિલનો નિરમા લાઇમ સાથે, બ્રિઝનો નિરમા રોઝ સાથે, જાણે જંગ જામ્યો હતો. કરસનભાઈએ આજે એક લાખ મેટ્રિક ટન કરતા પણ વધુ બાથ સોપ બનાવી નિરમાને જબરદસ્ત નફાવાળી બીજી સૌથી મોટી કંપની બનાવી દીધી છે.                                                                                                             નિરમાનો દાવો છે કે 40 કરોડ કરતા પણ વધારે ભારતીયો નિરમાના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આટલૂ જ નહીં વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ હાવર્ડના વિદ્યાર્થીઓએ કેસ સ્ટડીની માફક નિરમા લૉન્ચિંગનો અભ્યાસ કર્યો છે. વિશ્વભરના માર્કેટિંગ ગુરૂઓએ કરસન-કરિશ્માનો દાખલો આપતા વિદ્યાર્થીઓને માસ પ્રોડક્ટ અને બ્રાન્ડ લૉન્ચિંગના પાઠ ભણાવ્યા.જાણીતા ઉદ્યોગસાહસિક અને પરોપકારી વ્યક્તિ તે છે; કારસનભાઈએ નિરમાને એક સામાન્ય માણસ તરીકે કામ શરૂ કર્યું હતું અને તે એક તબક્કે પહોંચ્યું કે આજે NIRMA પાસે 18000 કર્મચારીઓ અને રૂ.7,000 કરોડ કરતાં વધુનું ટર્નઓવર 2018માં થાય છે.                                                                                                                                                         કરસન ભાઈએ અમદાવાદ નજીક નિરમા યૂનિવર્સિટી સ્થાપી છે જેમાં આજે હજારો નવા ‘કરસન ભાઈ’ ભારતના વિકાસ માટે તૈયાર થઈ રહ્યાં છે. વે સ્થિતિ કાઈંક એવી છે કે કરસન ભાઈ જ્યારે માથું ઊંચકે એટલે મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખતરાની ઘંટડીઓ રણકવા લાગે છે. મજાની વાતતો એ છે કે બીલાડીના ગળે ઘંટ બાંધનારા કરસનભાઈ હસીને કહે છે કે ભારતીયો બહું વિચિત્ર છે અને તેના કરતા પણ વિચિત્ર છે ભારતીય માર્કેટ. અહીં બાર ગાઉ(ગામે)એ બોલી બદલાય છે, રહેણી-કરણી, ભોજન અને તેને પીરસવાની રીત બદલાય છે                                                                                                                                              ગ્રાહકોની નાડ પરખવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. આ કામ જે લોકોની વચ્ચે રહ્યાં હોય અને તેમના જેવી જીંદગી જીવ્યા હોય તેઓ જ કરી શકે. કરસન ભાઈ કહે છે કે "સસ્તાનો અર્થ બેકાર એવો ના થાય. નિરમાના ઉત્પાદોનો ઉત્પાદન ખર્ચ ઓછો છે એટલે અમારા ઉત્પાદો સસ્તા છે. અમે લક્ઝરી પાછળ નાણા ખર્ચતા નથી. અમે નફો રળવા માટે વધારે ટર્નઓવર ઉપર ધ્યાન આપીએ છીએ". કરસન ભાઈનું એક કથન ખાસ્સુ રસપ્રદ છે, તેઓ કહે છે કે "શુ કરૂં લાચાર છું, જો દેશના સો કરોડ લોકો સુધી હું જાતે પંહોચી શકતો હોત તો જાહેરાતો પાછળ ખર્ચો જ ના કરત. તેઓ કહે છે કે ઉત્પાદનના મૂલ્યનો એક ભાગ જાહેરાત પાછળ ખર્ચે છે. જો આમ ન કરવુ પડતુ તો નિરમાની વસ્તુઓ આથી પણ સસ્તી હોત." કરસનભાઈ એફએમસીજી માર્કેટમાં હિન્દૂસ્તાન લીવરને પછાડવા માટે જાણીતા છે. કરસન ભાઈએ સાબીત કરી બતાવ્યુ છે કે મહારથી હરીફની દેખાતી તાકાતથી ડરો નહીં બસ તેમની દુખતી નસ પકડીલો અને તેને જ તમારૂં હથિયાર બનાવી લો. હરીફ જ્યારે પોતાનો બચાવ કરે ત્યારે તમારી જીતનો અવસર મનાવો અને જ્યારે સામો વાર કરે ત્યારે માનવુ કે જીતની શરૂઆત થઈ ચુકી છે. વાચકમિત્રો કરસનભાઈની આ સફળતા ખરેખર દાદ આપવા જેવી છે, શુન્યમાંથી સર્જન કરવુ એ કરસનભાઈના આ ઉદાહરણ ઉપરથી જાણી શકાય.                                                                                                                                                         કરસનભાઈ NIRMA જૂથના ચેરમેન તરીકે કામ કરે છે, પરંતુ બિનસત્તાવાર રીતે નિવૃત્ત કરસન ભાઈના બે પુત્રો અને પુત્રવધૂ NIRMAનું સંચાલન કરે છે. રાકેશ કે. પટેલ (એમબીએ) લોજિસ્ટિક્સની સંભાળે છે, જ્યારે હરીન કે. પટેલ (કેમિકલ એન્જિનિયર અને એમબીએ) માર્કેટિંગ અને ફાઇનાન્સ સંભાળે છે. છેલ્લે માનવ સંસાધન અને હેલ્થકેર ઉદ્યોગ (નર્લિફ હેલ્થકેર) કલ્પેશ પટેલ દ્વારા સંચાલિત થાય છે.                                   કરસનભાઈને વિશ્વનાાઅનેક પ્રતિષ્ઠિત સનમાનોોોોથી સ્નનમાનવામાં     આવ્યા છે. ભરત સરકાર દ્વારા  2010  માંંઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ઠ યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા.  
(સંદર્ભ : વિકિપીડિયા)
લેખન- સંકલન  : ઈશ્વર પ્રજાપતિ   
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts