Thursday, March 14, 2019

વ્યક્તિ વિશેષ: પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ - 3

(ગતાંક થી ચાલુ)

કલમ થકી સમાજમાં અજવાળું પાથરનાર માત્ર અરવલ્લીનું જ નહી પરંતુ ગુજરાતનું ઘરેણું પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ 

 

               
         ગુંડાઓથી ભરેલી  પોલીસવાનો પત્રકાર કોલોની તરફ ધસી ગઈ. બધા જ મકાન એક સરખા હોવાથી દેવેન્દ્રભાઈ પટેલનું ઘર તેઓ ઓળખી  શક્યા નહીં. એકક્ષણ માટે તો લાગ્યું કે સઘળું ખતમ થઈ ગયું. મોત હાથતાળી આપી ભાગી ગયું.
             લોકોની લાગણી હૃદય સમી    ગુજરાત સમાચારની ઇમારતમાંથી કાળા ધુમાડા નીકળતા હતા. એવી જ આગ હૃદયમાં પણ સળગતી હતી. આખરી શ્વાસ સુધી સરકાર સામે લડી લેવા ધગધગતા અંગારાઓએ તેમને કટિબદ્ધ બનાવ્યા.
            1985 ની આગમાં સળગી ગયેલું ગુજરાત સમાચાર ફિનિક્સ પક્ષીની જેમ ફરી સજીવન થયું. ગુજરાત હજુ હિંસાની હોળી ખેલી રહ્યું હતું. દેવેન્દ્રભાઈ પટેલને પકડી ભુજની જેલમાં ખતરનાક ગુનેગારો વચ્ચે ધકેલી દેવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો. એમ છતાં ડર્યા વિના 'વોહી રફતારકોલમ વધુને વધુ ધારદાર બનતી ગઈ. બીજા દિવસે જ તેઓની ધરપકડ કરી ખૂંખાર કેદીઓ વચ્ચે જેલમાં ધકેલી દેવાની તૈયારી હતી ત્યાં જ સાંજે દિલ્હીથી સમાચાર આવ્યા કે રાજીવ ગાંધીએ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો  નિર્ણય લીધો છે.
           માધવસિંહભાઈને હટાવી અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. અમરસિંહ ચૌધરી દેવેન્દ્રભાઈ પટેલના સહહૃદયી મિત્ર  હતા.  એટલે જાણે કે એક દુઃસ્વપ્ન  પૂરું થયું.
               રાજીવ ગાંધીએ ગુજરાતના નેતૃત્વ પરિવર્તનમાં વિલંબ કર્યો હોત તો દેવેન્દ્રભાઈ પટેલનું ભાવી કંઈક જુદું જ હોત. પરંતુ એક કાળચક્ર આવીને જતું રહ્યું.
        
       પત્રકારત્વ અને ગ્લેમરસ જોબ સમજીને આ ક્ષેત્રમાં આવવા માગતા યુવાનોએ આ વાત સમજી લેવી જોઈએ કે કોઈપણ વ્યવસાયમાં વ્યવસાયિક જોખમ હોય છે જ.
           
       સંશોધનાત્મક પત્રકારત્વ ક્ષેત્રે આગવી નામના અને સરળ સ્વભાવ રાજકીય વિશ્લેષણ માટેનું તેઓનું બારીક નિરીક્ષણ અને ઊંડા અભ્યાસને કારણે ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ અને રાજકીય આગેવાનો સાથે તેમના સંબંધો હૂંફાળા રહ્યા છે. એટલું જ નહિ પરંતુ ભારતના જે તે સમયના વડાપ્રધાન સાથે પણ તેમના સંબંધો નિકટના રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે તેઓના સંબંધો ઘનિષ્ઠ રહ્યા છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓની સાથે એક જ કારમાં મુસાફરી પણ કરી. ઇન્દિરા ગાંધીને કારમાં ચણીબોર ખાતા પણ જોયા. આ ઉપરાંત તેઓ રાજીવ ગાંધીઅટલબિહારી વાજપાઈ સાથે અંગત મુલાકાતો પણ કરી. એવી જ રીતે પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ સાથે યમન યાત્રા પણ કરી.
                     આ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ સાથે પણ તેઓએ અંગત મુલાકાતો કરી છે. રાજ કુમારદેવ આનંદ,  કિશોરકુમારમોહમ્મદ રફીપ્રદીપ કુમારસદીના મહાનાયક અમિતાભ બચ્ચનજયા બચ્ચન જેવા અનેક ફિલ્મી સિતારાઓ સાથે ઇન્ટરવ્યૂ કર્યા. પત્રકારત્વના વ્યવસાય માં શ્રેષ્ઠતાની ખોજ માટેનો પુરુષાર્થ રાજકારણીઓ કે ફિલ્મી સિતારાઓ સાથે જ ઈંટરેકશન પૂરતો સીમિત ન રાખ્યો. પરંતુ મુંબઈની અંધારી આલમના આકાઓનાં ઇન્ટરવ્યૂ કર્યા. મુંબઈ અન્ડરવર્લ્ડ ના એ સમયના ડોન હાજી મસ્તાન ના ઘરે જઈ ઇન્ટરવ્યુ કર્યો. મુંબઈના અંડરવર્લ્ડને નજીકથી નિહાળ્યું.
                    સમાજના વિવિધ ક્ષેત્રોની જે તે વખતની શ્રેષ્ઠ પ્રતિભાવો સાથે તેઓની અલપ-ઝલપ ચાલુ જ રહી. અમેરિકાના પૂર્વ રાજદૂત એ સમયના વિશ્વ વિખ્યાતઅર્થશાસ્ત્રી પ્રા_ગાલબ્રીથઁ_દલાઇલામા,વિશ્વ વિખ્યાત વિજ્ઞાની આર્થર સી ક્લર્કજે.આર.ડી,તાતાલે. પ્રિન્સઆગાખાનજયપુરના મહારાણી ગાયત્રીદેવી સાથે મુલાકાત કરી ઇન્ટરવ્યૂ કર્યા છે.
      
          એક જમાનામાં પ્રકાશકોએ દેવેન્દ્રભાઈ પટેલની કથાઓને પુસ્તકાકારે પ્રગટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કેટલાય પ્રકાશકોએ તો તેઓ સાથે સરખી વાત પણ કરી ન હતી. પરંતુ એક દિવસ નવભારત સાહિત્યના મહેન્દ્રભાઈએ બધી વાર્તાઓ મંગાવી અને એ વાર્તાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ. આજદિન પર્યંત ચાલુ છે. દેવેન્દ્રભાઈ પટેલના પુસ્તક લોકાર્પણ પ્રસંગે ગુજરાતના જે તે વખતના મહામહિમ રાજ્યપાલશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ  રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રકક્ષાના રાજકીયક્ષેત્રે સક્રિય રાજનેતાઓ  પણ અચૂક હાજર રહ્યા છે. તેઓના પુસ્તક લોકાર્પણ સમારોહ લંડન ખાતે પણ યોજાયા. જેમાં મુખ્ય અતિથિ યુકે પાર્લામેન્ટના સાંસદ બેરી ગાર્ડનરમી . રોબોટ ઇવાનસાંસદ સભ્ય પ્યારા સિંગ  કાબરાલોર્ડ નવનીત ધોળકિયાલંડનના એ વખતના મેયર બર્થા જોસેફ હાજર રહ્યા. લંડનના સનરાઈઝ રેડિયોની આર.જે. મહેર ખાન આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા. લન્ડન ની રેડિયો ચેનલ પર કાર્યક્રમની જાહેરાત થઈ. લંડનના પૂર્વ મેયર લતા_પટેલ અને તેમના હસબન્ડ કે.ડી.પટેલના નિવાસ સ્થાને યોજાયેલ આ ભવ્ય સમારોહમાં બ્રિટનના મહારાણીના પ્રતિનિધિ પણ હાજર હતા.
ગુજરાત સમાચારમાં ચાલીસ વર્ષ એકધારી કામગીરી કર્યા બાદ 2007 ડિસેમ્બરમાં તેઓ 'સંદેશજોડાયા. કારકિર્દીના ઉત્તરાર્ધમાં સંદેશમાં જોડાયા અને અહીં પણ સંદેશના તંત્રીશ્રી ફાલ્ગુનભાઈ પટેલનો પ્રેમઆદર તેઓ પામ્યા.  સંદેશ દૈનિકમાં દર સોમવારે પ્રસીધ્ધ થતી કભી કભી કોલમ  દાયકાઓથી વાચકોની પ્રિય કોલમ રહી છે. આ કોલમ આજે પણ  કોલમ  આજે પણ વાંચક હ્રુદયને ઝંકૃત કરે છે. દર મંગળવારે  પ્રસિદ્ધ થતી ચીની કમ , રવિવારે સંસ્કાર પૂર્તિમાં પ્રસિદ્ધ થતી "રેડ રોઝ" અને રસપ્રદ નવલકથા "અલંકૃતા" એ વિશ્વભરના વાચકોને રસ તરબોળ કર્યા છે. 
            દેવેન્દ્રભાઇ પટેલ લેખનસંશોધનાત્મક પત્રકારત્વ અને  ઉમદા સેવાઓ બદલ ભારત સરકાર દ્વારા 2013 પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી. ભારતના માહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે ગૌરવ પુર્ણ સન્માન થયું
દેવેન્દ્રભાઈ પટેલની ઉમદા સેવાઓ બદલ પ્રતિષ્ઠિત સંસ્થાઓ એ અનેક Awards થી સન્માન્યા છે. 
 (1) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 1991મા "ઇઝરાયેલ  ધી લેન્ડ ઓફ બાઇબલ" પુસ્તક માટે શ્રેષ્ઠ પુસ્તકનો  એવોર્ડ.
(2) ટ્રાન્સ મીડિયા,મુંબઈ દ્વારા 2008માં ઝી ટીવી ગુજરાતી પર રજુ થયેલી સીરીઅલ "કભીકભી"  માટે શ્રેષ્ઠ વાર્તા લેખકનો  એવોર્ડ.
(3) ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્વારા 2013માં "પદ્મ શ્રી" એવોર્ડ.
(3)  જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ  કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારતવ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે  2016માં "એક્સલન્સ  એવોર્ડ"
(4) સુરત પત્રકાર કલ્યાણ નિધિ તરફથી 2017મા મોરારીબાપુના હસ્તે પીઠાવાલા નેશનલ જર્નાલિસ્ટ એવોર્ડ.
(5)ગુજરાત ચેમ્બર  ઓફ કોમર્સ  તરફથી 2013માં સન્માન પત્ર.
(6)  હિન્દીના  સુપ્રસિદ્ધ સાહિત્યકાર  બાલકવિ બૈરાગીજી  અને દાદા  મનોહર બૈરાગીજી ના સાનિધ્યમાં 2015માં  ઉજ્જેન  ખાતે જાહેર નાગરિક સન્માન.
(7) લંડન ખાતે 1998માં ચાર મેયર ની હાજરીમાં પુસ્તકોનું  લોકાર્પણ જેમાં બ્રિટનની  પાર્લામેન્ટના ચાર એમ.પી. અને   બ્રિટનના  મહારાણીના પ્રતિનિધિ હાજર રહ્યા .

(8) મુંબઈ,દિલ્હીથી  માંડીને લંડન અને અમેરિકામાં પ્રવચનો આપ્યાં
ગાંધીજીને સદેહે ન નિહાળવા એ એમના જીવનનો અફસોસ છે.
             તેઓ માને છે કે 'કાયરોને જ દુશ્મનો હોતા નથી.Sympathy you get, but jealousy  you have to earn. માનવીએ શ્રેષ્ઠતાની ખોજમાં જીવનમૂલ્યો સાથે કદી સમાધાન કરવું જોઈએ નહીં. શ્રેષ્ઠતાની ખોજમાં છળકપટ ને કોઈ સ્થાન નથી. શ્રેષ્ઠતાની ખોજ એ બીજાને પછાડીને આગળ આવવાની વાત નથી. પૃથ્વી પર જન્મેલી દરેક વ્યક્તિ અજોડ છે. ઈશ્વરે દરેકને કૌશલ્ય બક્ષ્યું છે. શ્રેષ્ઠતાની ખોજ એ પોતાની જાત કરતા જ આગળ આવવાની વાત છે,બીજાઓ કરતા નહીં'તેઓ કહે છે કે 'ઈશ્વર પૂછે કે ફરી જન્મ ક્યાં લેવો છે તો હું કહું કે આ જન્મ માં મને વન ઉપવન નું ફૂલ કે પારિજાતનો પુષ્પ બનાવજો. જો હું વગડામાં ખેલો તો વેરાન વગડા ની શોભા બની શકુંકોઈ ઉપવનમાં ખીલું તો કોઈની આંખો ને આનંદ આપી શકુંકોઈ મને અડકે તો હું તેને સુંવાળો સ્પર્શ આપી શકુંકોઈ ભ્રમર મારી ઉપર બેસે તો હું તેને મધુર રસ આપી શકુંકોઈ મને ચૂંટીને ઇશ્વરના ચરણોમાં મૂકે તો સૃષ્ટિના સર્જકને હું રાજી કરી શકુંકોઈ મારા અસ્તિત્વની નોંધ પણ ન લે તો બસ નિજાનંદ માટે ખીલી ઉઠું. અને કાળ ક્રમે કરમાઈ જવાનું પસંદ કરું છું બસ આજ મારું જીવન સત્ય છે'
      
દેવેન્દ્રભાઈ પટેલ  આજે મારા જેવા અનેક યુવાનોના આદર્શ છે. 
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના જીવન દર્શનની આ એક આછેરી ઝલક માત્ર છે. તેઓના વિરાટ વ્યક્તિત્વને સિમિત શબ્દો માં સમાવવું શક્ય નથી એમ છતાં તેઓના લાખો ચાહકો તેઓના જીવન દર્શનથી પરિચય પામે એ માટેનો મારો આ બાલિશ નમ્ર પ્રયાસ માત્ર છે. આશા રાખું છું દેવેન્દ્રભાઈ પટેલની પ્રેરણાત્મક જીવન કથા આપને પસંદ આવી હશે. આપના પ્રતિભાવ કૉમેન્ટ્સ બોક્ષ માં અથવા whatsapp પર અચૂક  લખી મોકલશો.
પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલના જીવન દર્શનના વધુ પરિચય માટે આપ નીચે આપેલ લિંકની મુલાકાત લઈ શકો છો.


(સંદર્ભ: આંતરક્ષિતિજ)

 







(અરવલ્લીના વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts