Monday, March 16, 2020

જિંદગી ઝીંદાબાદ : સાહિત્યપ્રેમી શિલ્પી બુરેઠા


પીંછી કે રંગો વિના સર્જકના ઉરમાં મેઘધનુંષી રંગો ભરતો સાહિત્યપ્રેમી  'શિલ્પી' બુરેઠા.

       
     
              રમેશભાઈ અંબારામ  પ્રજાપતિ.
         નામથી કદાચ ભાગ્યે કોઈ પરિચિત હોય , બને. પરંતુ સાહિત્ય અને શિક્ષણ જગતમાં તેઓના તખલ્લુસ શિલ્પી બુરેઠાનામથી અને કામથી કોઈ   કોઈ અપરિચિત હોય એવું જવલ્લે બને.  પીંછી કે રંગો વિના માત્ર પેંસિલ વડે કમાલ કરી અદના કલાકારે આપ બળે નામના પ્રાપ્ત કરી છે. તેઓને પેન્સિલના કે પીંછીના  લસરકા અને પોટ્રેઈટ શૈલી ખૂબ ગમે છે. બચપણથી ચિત્રના શોખને જાત મહેનતથી શીખીને, પાળી પોષીને આજે સુંદર ચિત્રોનું  સર્જન  કરે છે. તેઓના હાથમાં રહેલી પેન્સિલ ફરે એમ સરસ મજાનું આબેહુબ ચિત્ર ઉપસી આવે છે.
          બનાસકાંઠાના ભાભર તાલુકાના બુરેઠા ગામ તેઓનું વતન. રમેશભાઈએ શિલ્પી ઉપનામની પાછળ ગામનું નામ જાડી દીધું છે અને પોતાની કલાના આધારે મૂળ વતનને પણ સહુ કોઈ ઓળખે એવો મનસુબો ધરાવતા શિલ્પી બુરેઠાએ અત્યાર સુધી જાણીતા અને નવોદિત સાહિત્યકારો અને કલાકારોના કેટલાય સ્કેચ તૈયાર કર્યા છે.
               સ્કેચ દોરવો આમ તો આપને કદાચ સામાન્ય વાત લાગે. પરંતુ શિલ્પીના સ્કેચનું મહત્વ એટ્લે અનેરૂં છે કે સાહિત્યકારોના સ્કેચની સાથે સાહિત્ય કારનો પરિચય અને તેઓની ઉત્તમ કૃતિ ભાવકો સુધી પહોચાડવાનું ઉત્તમ કાર્ય તેઓ કરી રહ્યા છે.  આખો દિવસ વર્ગ ખંડમાં જાત નીચોવી કામ કરવાનું અને રાતોનીરાતો જાગરણ કરી સાહિત્યકારોના સ્કેચ તૈયાર કરે છે. એક સ્કેચ બનાવતાં સાત થી આઠ કલાક જેટલો સમય લાગતો હોય છે. કોઈ પણ જાતની અપેક્ષા વિના માત્ર ને માત્ર નિજાનંદ ખાતર  ભાષા અને સાહિત્યની ઉમદા સેવા તેઓ કરી રહ્યા છે.
          પ્રાથમિક શિક્ષણ બુરેઠામાં, માધ્યમિક શિક્ષણ કડીમાં અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ દિયોદરમાં કર્યા બાદ રાધનપુરમાં બી.એડ.કોલેજનો અભ્યાસ કરીને હાલ મદદનીશ શિક્ષક તરીકે કચ્છના નખત્રાણા તાલુકાના હરીપુરા (નિરોણા) ગામમાં ફરજ બજાવતા શિલ્પી બુરેઠા જીંદગી સામે ખુબ ઝઝૂમ્યા છે. કહેવાય છે કે, એરણ ઉપર હીરાની કસોટી થાય ત્યારે વધુ ચમકતો બને છે. રીતે અત્યંત કષ્ટોવાળી જીંદગીમાંથી પસાર થયેલા શિલ્પી બુરેઠાએ પોતાના જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા છે. કલા જન્મજાત છે કોઈ એને ઝુંટવી શકે. કલા કલા છે અને એમાંય ઘરના સંસ્કારો, અધ્યાત્મિક વિચારો તથા નીતીમય જીવન ભળે છે ત્યારે કલાને ચાર ચાંદ લાગતા હોય છે. શિલ્પી બુરેઠાના જીવનમાં પણ કંઈક આવું થયું.જ્યારે તેઓ નાના હતા ત્યારે તેઓ પોસ્ટકાર્ડ ઉપર ચિત્રો બનાવતા. ધીમેધીમે તેમનામાં પ્રોટ્રેઈટ ચિત્રો બનાવવાનો શોખ જાગ્યો અને અત્યારે તેઓ કાગળ ઉપર સરસ  મજાનું પેન્સિલથી સ્કેચ દોરે છે. ચિત્રો જાણે એમના જીવનમાં શોખ નહીં પણ અનિવાર્યતા બની ગઈ હોય તેવું લાગે છે.
            માત્ર દોરવા એવું નહીં પણ સ્કેચને ખુબ સરસ રીતે ઓપ આપીને એને વોટશોપ કે ફેશબુકના માધ્યમથી જાહેર જીવનમાં મુકયા છે સ્કેચમાં તેઓએ સાહિત્યકારો, કવિઓ, લેખકો મુખ્ય છે. કોઈ સાહિત્યકારનો જન્મદિવસ હોય ત્યારે માત્ર આનંદની અભિવ્યક્તિ માટે સાહિત્યકારનો સ્કેચ બનાવીને  સાથે  તેઓનો  પરિચય  અને કૃતિ  સંપાદિત  કરીને સોશિયલ મિડિયાના માધ્યમથી વહેતી મુકે છે. એમની ખુબી છે.

           . કોઈક સર્જકનો જન્મદિન આવતો હોય ત્યારે તેની માહિતી મેળવવી, તેમનો ફોટો મેળવવો, તેમની રચનાઓ શોધવી, પરિચય મેળવવો કંઈ જેવું તેવું કામ નથી. તેમને અત્યાર સુધી ૬પ૦ થી વધુ સર્જકના સ્કેચ દોરી દીધા છે. કોઈક સર્જકનો જન્મદિન હોય ત્યારે કોઈપણ જાતના ભેદભાવ વગર તેમનો સ્કેચ દોરી માહિતી ટાઈપ કરીને વોટશોપ કે ફેશબુકમાંહેપ્પી બર્થડેગ્રુપમાં શેર કરે છે. જેનાથી સાહિત્ય રસિકોને પણ સર્જક વિશેની માહિતી મળી રહે છે. ઉપરાંત તેઓઝરૂખોનામના - મેગેઝિનમાં પણ માસના સર્જકહેઠળ દર મહિને એક સર્જકનો પરિચય કરાવે છે.
 શિલ્પી બુરેઠાએ   સ્કેચ બનાવવાની તાલીમ કયાંય લીધી નથી.જ્યારે જીંદગીએ એમની કસોટી લીધી હતી ત્યારે તેઓએ કલરકામ, સાઈનબોર્ડ, નંબર પ્લેટ વગેરે દોરવાનું કામ કરીને આવડતને વધારે ખીલવી છે.શિલ્પીએ સ્કેચ સિવાય ભીંતચિત્રો, દેશભકતના ચિત્રો પણ અનેક દોર્યા છે. ઓઈલ પેઈન્ટ કરવામાં પણ માહેર શિલ્પીને સ્કેચ દોર્યા બાદ લોકોનો પ્રતિભાવ પણ સારો મળે છે.

             આપ સ્કેચ દોરો છો પાછળ માર્ગદર્શન કોણ આપે છે ? એનો જવાબ આપતાં તેઓએ કહ્યું કે, પહેલાં પોતાની જાતને ગુરૂ બનાવવા પડે. મનમાં ધગશ, ઉત્સાહ હોય તો કોઈપણ અઘરૂં કાર્ય પણ સરસ રીતે થાય છે. જીવનમાં આદર્શ કોણ છે..? તેના જવાબમાં કહ્યું કે, ‘મારા માતા પિતા, ગુરૂ તથા સંતો મારા આદર્શ રહ્યા છે. કોઈકની પાસે કંઈક હોય તેની પાસેથી હું શીખવાની ઈચ્છા રાખું છું. તમે ચિત્રો કયારે દોરો છો ? એના જવાબમાં તેઓ કહે છે કેશૈક્ષણિક કાર્ય બગડે એવી રીતે હું કામ કરૂં છુંખાસ કરીને રાતના સમયે મને કામ કરવું ગમે છે.

                શિલ્પી બુરેઠા માત્ર સ્કેચ દોરે છે એવું નથી. તેઓ પેંસિલની સાથે સથે કલમ પણ ચલાવી જાણે છે.   તેઓએ પોતે પણ એક ઉમદા સાહિત્યકાર છે.  તેઓની  કુમારનામની નવલકથા ખૂબ જાણિતી બની છે.  જે વાંચવા જેવી છે. સિવાય તેઓએ ટુંકીવાર્તા, લઘુકથા, ગીત, ગઝલ, લેખો વગેરે અનેક રચનાઓ અલગ અલગ જાણિતાં સામાયિકોમાં પ્રસિધ્ધ થતી રહે છે.   જેમાં ગઝલ વિશ્વ, શબ્દસૃષ્ટી, તાદૃર્શ્ય,નવચેતના, પ્રત્યાશા, સંસ્કાર દીપીકા, રખેવાળ, ગુજરાત સમાચાર, કચ્છ મિત્ર, દિવ્ય ભાસ્કર મુખ્ય છે. તેઓની ગઝલ મુશાયરાઓમાં વાહવાઈ લૂંટે છે.  ઉપરાંત ચિત્રલેખા સામાયિકે પણ શિલ્પી બુરેઠાની પ્રવૃત્તિને બિરદાવી છે. જીવનમાં આપ હજુ શું  કરવાની ઈચ્છા રાખો છો ? એના જવાબમાં તેઓ કહે છે કે મારા ઉપર મા સરસ્વતી અને ભગવાનની કૃપા છે. 

             જીવનમાં ઘણું બધું માર્ગ કામ કરવાની ઈચ્છા છે. સંતો, દેશભકતો, શહીદોના સ્કેચ દોરવા છે. ભવિષ્યમાં સ્કેચોને વિશાળ ચિત્ર પ્રદર્શન કરીને તથા પુસ્તક સ્વરૂપે બહાર પાડવાની ઈચ્છા છે. શિલ્પી કહે છે કેકોઈપણ કામ નિષ્ઠાપૂર્વક કરીએ તો એનું ફળ ચોક્કસ મળે છે. આપણને જે કલા મળી છે તેને વહેંચતું રહેવું, કોઈને આનંદ આપીશું તો ભગવાન પણ રાજી થશે..’ 
                શિલ્પી પોતાનો મનગમતો શેર વાગોળતાં કહે છે કે,
                 ‘પીંછી વગર રંગો ભરૂં મારૂં કશું નક્કી નહી,
                 રંગો વગર પણ ચીતરૂં, મારૂં કશું નક્કી નહીં
શિલ્પી બુરેઠા ઉર્ફે રમેશભાઈ પ્રજાપતિને અઢળક શુભેચ્છાઓ. 

(સંદર્ભ : સંવેદના-પ્રવીણ એમ.નાઈ)

             
સંપર્ક : શિલ્પી બુરેઠા : 99744 85083

લેખન- સંકલન : ઈશ્વર પ્રજાપતિ           98251 42620

આપ આપના પ્રતિભાવ અને સમાજ ક્ષેત્રી ઉમદા કાર્યો કરતા વ્યક્તિ વિશેની માહિતિ પણ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો. બ્લોગના માધ્યમથી અનુકુળતાએ પ્રકાશિત કરીશ)
(98251 42620)
             




5 comments:

  1. સાવ સાચી વાત છે! તેઓ એક ઉત્તમ સર્જક તો છે જ પણ સાથોસાથ એક અદકેરા નિખાલસ માનવી અને પ્રવૃત્તિશીલ શિક્ષક પણ ખરા!તેમના સંઘર્ષ સમયનો હું પણ સાક્ષી છું. એક મિત્ર કે જેણે પોતાના જીવનમાં પણ સાવ કોરા પાનાં પર તિતિક્ષા અને તરવરાટ ના એવા સ્ટ્રૉક્સ લગાવ્યા કે આખરે "શિલ્પી બુરેઠા અને આર કુમાર નામે સ્કેચ ન ઉપસે તો જ નવાઈ! પ્રેમાળ મિત્ર અને પૂર્વ સાથી ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ! ⚘🌹⚘

    ReplyDelete
  2. -મૌલિક ધોળકીયા

    ReplyDelete
  3. અભિનંદન....રમેશભાઈ ઉત્તરોત્તર સાહિત્યસેવા કરતા રહો... તેવી શુભેચ્છાઓ.

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts