Sunday, July 21, 2019

આપણો જિલ્લો આપણું વતન : અરવલ્લી ભાગ- 25

અરવલ્લીનું અનુપમ અરણ્ય



           વન વિનાના વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. વૃક્ષો, વેલાઓ, વનરાઈઓ સાચા અર્થમાં સૃષ્ટિના શણગાર છે. ભારતમાં પર્યાવરણને આદીકાળથી માનવ જીવનના તાણાવાણા સાથે વણી લેવામાં આવેલ છે. પર્યાવરણના તત્વોને અતિપવિત્ર ગણીને ભારતમાં પૂજા કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષાત્રો, પૃથ્વી, પર્વતો, હવા, પાણી, અગ્નિ વગેરેને દેવ ગણીને પૂજા થાય છે. વૃક્ષો, નદીઓ, સમુદ્રોની પણ ભારતીય પરંપર મુજબ પૂજા કરવામાં આવે છે. ભારતની સ્ત્રીઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે વડલાની પૂજા કરે છે. પીપળામાં ભગવાનનો વાસ છે અને પિતૃઓનું તે માધ્યમ છે તેમ માનીને તેની પૂજા કરી પાણી અર્પણ કરવામાં આવે છે. તુલસીજીને ભગવાનની પત્ની માનીને દરેક આંગણામાં શોભા આપે તે માટે સૌ પ્રયાસો કરે છે. આમ, ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણને ભોગવાદી ભૌતિક દ્રષ્ટિકોણથી નહી પણ આધ્યાત્મિક અભિગમથી નિહાળવામાં આવે છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ જોઈએ તો 50 વર્ષનું એક મોટું વૃક્ષ તેના જીવનકાળ દરમ્યાન આશરે 15.70 લાખ રૂપિયા જેટલો ફાયદો આપે છે.
અરવલ્લી જિલ્લો પણ કુદરતી સંપદાઓથી ભરપૂર છે. 
                   ભારતની કુલ જમીનનો 6% ભાગ ગુજરાત રાજય ધરાવે છે.
ગુજરાત રાજ્યના વન અહેવાલ (200 9) મુજબ, ગુજરાત પાસે તેના ભૌગોલિક ક્ષેત્રનો માત્ર 11.04% જંગલો તરીકે જાહેર કરાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો છે.  ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચોરસ છે. કિ.મી. જેમાંથી, 18961.69 ચો. કિ.મી. (9.67%) જંગલ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. 
               ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લો વિવિધ કુદરતી વનસ્પતિઓ અને વન્ય પ્રાણી સમૃદ્ધ જેવિક વિવિધતા ધરાવે છે. અરવલ્લી જીલાના વન વિભાગ હેઠળ કુલ પાંચ ક્ષેત્રીય રેન્જો આવેલ છે. (1) મોડાસા (2) માલપુર (3) મેઘરજ (4) ભિલોડા (5) શામળાજી
અરવલ્લી વન વિભાગ મોડાસાનો કુલ જંગલ વિસ્તાર 58752.35 હેક્ટરમાં આવેલું છે. જેમાં આદિવાસી વિસ્તારના 58 ટકા અને બિન આદિવાસી વિસ્તારના 42 ટકાનો સમાવેશ થાય છે. વર્ષ 2015-16 માં પ્લાન્ટેશન માં રેન્જ વાર 100 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. ઓર્ગેનિક સર્ટિફિકેટ છત્તીસગઢ સોસાયટી (CGCERT) દ્વારા અરવલ્લી જિલ્લાની મંડળીઓને ઓર્ગેનિક પ્રોડક્ટ નું પ્રમાણપત્ર પણ આપવામાં આવેલ છે. જેમાં 3 તાલુકાઓનો સમાવેશ થાય છે. જેમકે મેઘરજ, માલપુર અને ભિલોડા ( કુંડોલપાલ) ખાતે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે.
                અરવલ્લી જિલ્લામાં મોટા ભાગે સૂકા અને પાનખર જંગલો આવેલા છે. અહીં આવેલ જંગલ વિસ્તારની જમીન ડુંગરાળ, પથ્થર વાળી, મધ્યમથી ભારે ઢોળાવવાળી, કાંકરાવાળી, લાલ વનોથી છવાયેલી છે. મોટાભાગનો વિસ્તાર મધ્યમ જાળીવાળો છે. મોટાભાગનો વિસ્તાર વૃક્ષોથી છવાયેલ છે . અરવલ્લીના જંગલ વિસ્તારમાં મોટેભાગે સાગ, ટીમરું, સીતાફળ, નીલગીરી, ખેર, કડો, દૂધી, મહુડાં, દેશીબાવળ, બોર, આવળ, ખીજડો, આમળાં, ખાખરા વગેરે વૃક્ષો મોટા પ્રમાણમાં જોવા મળે છે. પાંખા જંગલો હોવાને કારણે અહીં મોટા પશુઓ માટે અનુકૂળતા ન હોય અહીંના જંગલોમાં ફક્ત શિયાળ, નીલગાય, સસલા, જરખ, નાર વગેરે સામાન્ય નાના જંગલી પ્રાણીઓ જોવા મળે છે. 
                 અરવલ્લી જિલ્લાના હાલના જંગલ વિસ્તાર પાંખા થયેલા વનો અને પુરતા પ્રમાણમાં જંગલો ન હોવાથી આબોહવા સૂકી છે અને વિષમ છે. જેના ઉપાય રૂપે વિવિધ યોજનાઓ હેઠળ દર વર્ષે વન વિભાગ દ્વારા ખુલ્લી જમીન તથા પાંખા વન વાળી, કોતર વાળી જમીન ઉપર વનીકરણ કરી, વનની ગીચતા વધારવા, પર્યાવરણની સમતુલા જાળવવા અને જમીનનું ધોવાણ અટકાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે . જેને કારણે લોકોની રોજગારી અને આર્થિક ઉત્પાદન મળી રહે છે.
               ભૂતકાળમાં મોટાભાગના જંગલો જાગીરી જંગલો હતા. 1973 થી સરકાર હસ્તક ખાનગી જંગલ સંપાદન થતાં વન ખાતાએ સંભાળેલ છે. ભૂતકાળના જાગીરદારો એ જંગલોની ઉચ્ચક રકમ થી ઇજારદારને આપતા હતા. તેથી જાગીરદારો એ આ વિસ્તારમાં જંગલો સાફ કરીને ખુલ્લી ડુંગરાળ જમીનનું બનાવી દીધેલ વિસ્તાર વનવિભાગે સંભાળેલ છે. જેના લીધે મોટાભાગના કિંમતી જંગલોનો નાશ ઝડપથી થતાં અને વરસાદની અનિયમિતતાને કારણે જંગલો પાંખા થવા પામેલ છે.
          વનખાતાએ આ જંગલો સંભાળ્યા બાદ ગૌણ પેદાશની વિકાસ નિગમ ગુજરાત રાજ્ય મારફતે એકત્ર કરી નિકાલ કરવામાં આવી છે. જેના કારણે વનખાતાને આવક તથા સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અહીંના જંગલોમાં થતા ટીમરૂના પાન, મહુડાનાં ફૂલ, મહુડાની ડાળી વગેરે અહીના લોકો એકત્ર કરે છે. તેનું મોટાભાગનો જથ્થો ગુજરાત રાજ્ય વન વિકાસ દ્વારા સહકારી ભાવથી ખરીદ કરવામાં આવે છે. જેથી મજૂરોનું ખાનગી વેપારીઓ દ્વારા થતું શોષણ અટકે છે. અને મજૂરોની વ્યાજબી ભાવ પણ મળે છે. આમ આ વિસ્તારમાં રહેતા લોકોને રોજીરોટી મળી રહે છે. અહીંના વિસ્તારોમાં જંગલની જમીનમાં ભેજ સંરક્ષણ તથા પાણી સંગ્રહના કામો કરવા ખૂબ જ જરૂરી છે તેમ જ આવશ્યક છે. તેથી વરસાદના વહેતા પાણીના યોગ્ય ઉપયોગ કરી વૃક્ષ ઉછેર કરવામાં મદદરૂપ થઈ શકે તેવી કાર્યવાહી જરૂરી છે. 
             અહીંના જંગલ વિસ્તારની બિનઅધિકૃત કટિંગ તથા સ્થાનિક લોકો મારફતે જંગલોમાં થતું નુકશાન અટકે એ અતિ આવશ્યક છે. અહીં વન સંરક્ષણની કામગીરી ખૂબ જ કઠિન બની રહી છે પરંતુ આવા જંગલોમાં ગેરકાયદેસર થતું નુકશાન અટકાવવા માટે સહભાગી વન વ્યવસ્થા હેઠળ બનાવેલ ગામોની વન મંડળીઓ મારફતે લોકોનો સાથ સહકાર મેળવી, ગામલોકો સાથે સુમેળ ભર્યું વાતાવરણ ઊભું કરી તથા ગામ આગેવાનોના સહકાર મેળવી સ્થાનિક સ્ટાફ મારફતે સમયસર આયોજન કરી વન વિસ્તાર વધારવામાં મદદ લેવાઈ રહી છે. 
              જગતભરના વન સંરક્ષણ માટે 21મી માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે.   વિશ્વના જંગલોની વાત કરીએ તો અમેરિકા ખંડની એમેઝોન નદી નીતાર પ્રદેશમાં ફેલાયેલું એમેઝોન જંગલ 70 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. એ જંગલનો સૌથી મોટો ગાઢ વન વિસ્તાર છે. જોકે સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલા જંગલો છે. સાહેબ 85 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે એટલે કે આખા ભારતના વિસ્તાર કરતા અઢી ઘણા વિસ્તારમાં માત્ર જંગલ છે. 
દર સેકન્ડ ફૂટબોલ મેદાન જેટલા વર્ષા જંગલો સાફ થઈ રહ્યા છે. જ્યાં બારેમાસ વરસાદ પડતો રહેતો હોય, વાતાવરણ ભેજવાળું હોય અને વાતાવરણ અત્યંત ભેજ વાળું હોય એવા જંગલો વરસાદ જંગલ તરીકે ઓળખાય છે. 
પૃથ્વીના 31 ટકા ભાગ પર વનો વિસ્તરેલા છે. એ વનો પૃથ્વીના કુલ વિસ્તાર ચાર અબજ હેક્ટર જેટલો થાય છે. જગતમાં 10 દેશો એવા છે જેની પાસે જંગલો જ નથી. તો સામે પક્ષે સાત દેશો એવા છે જેની પાસે જગતનો 60 ટકા વન વિસ્તાર છે. 
સૌથી વધુ જંગલો ધરાવતા 10 દેશોમાં પહેલો ક્રમ રશિયાનો આવે છે. જેની પાસે સાઇબિરીયાના જંગલો છે. એ પછી બ્રાઝિલ, કેનેડા, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા એન્ગલો અને પેરું આવે છે. 
વનસ્પતિના બેફામ નાશને લીધે હવામાં રહેલા અંગારવાયુ (કાર્બન ડાયોકસાઈડ) નો વપરાશ ઘટવાથી વાતાવરણમાં તેનું પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે ઔદ્યોગીક પ્રદુષણને લીધે પણ વાતાવરણમાં ધૂમાડાનું પ્રમાણ વધે છે. જેને લીધે આપણે એમ કહી શકીયે છીએ કે, વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું અભેદ આવરણ છવાઈ જવાને લીધે સૂર્યના કિરણોનું પૃથ્વી ઉપર અસહય ઠંડુ વાતાવરણ ફેલાશે અને વિશ્વ હિમયુગમાં સપડાઈ જશે. 
અત્યાર સુધીમાં જંગલોનો બહુ મોટા પ્રમાણમાં નાશ કરવામાં આવ્યો છે. પરિણામે પ્રકૃતિ પર ખૂબ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કેટલીય જંગલી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. દિવસે ને દિવસે વાતાવરણમાં આવતો પલટો, અનિયમિત વરસાદ, અસહ્ય ગરમી, ઠંડી પર્યાવરણ ની અસંતુલાને પરિણામે છે. વનકાટાઇની આ પપ્રક્રિયાને રોકવામાં નહી આવે તો એક સમય એવો આવીને ઉભો રહેશે કે માનવ સ્વહિત પાછળ પૃથ્વી પર એક ઝાડને ઉભું નહી રહેવા દે અને ત્યાર બાદ જે પર્યાવણીય અસમતુલા પેદા થશે તે માનવજાતને ખતમ કરી નાખશે.

લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts