રવિવાર, 4 ઑગસ્ટ, 2024

    Heartbeat


                         દરેકનું હૃદય એ પ્રેમની યુનિવર્સીટી છે. હૃદય એ સત્યની પ્રયોગશાળા છે. કોંઈનુય હૃદય ક્યારેય કપટી નથી હોતું. ધબકારને કોઈ ધર્મ નથી હોતો. એમ છતાં માણસને એનો અવાજ કોઈવાર વિધર્મિં  જેવો લાગે છે.  અને એટલે જ સર્વ ઇન્દ્રિયો એના પર સામુહિક આક્રમણ કરી પવિત્ર અવાજને ડામી દે છે.
ઈશ્વર તો સૌને સતત ઈ-મેઈલ કરતો રહે છે. ધબકાર એ માધવે મોકલેલ મેઈલનું #notification છે.  ક્ષણે ક્ષણ આવતા ઈ-મેઈલ વાંચવાનો કે તપાસવાનો કોંઈનીય પાસે સમય નથી. રાજા હરિશ્ચંદ્ર નરસિંહ કે મીરાં પર માધવે મોકલેલ મેઈલનું  #notification તપાસીએ તો સમજાય એમનો એકપણ ઇ-મેઇલ #unread નથી જોવા મળતો. તેમણે ઇશ્વરના ઇ-મેઈલ માત્ર વાંચ્યા નથી પણ એને અનુસર્યા છે,  #forward  કર્યા છેજરુર જણાઈ ત્યાં ઇશ્વરને પણ આશ્ચર્યમાં મુકીદે  એવા એનાં #Reaply  પણ આપ્યા છે.  આપણા પર આવતા તમામ સંદેશાઓ આપણે #archive કરી સંતાડી રાખ્યા છે.

          બિલાડી આંખો બંધ કરી જેમ દૂધ ઘટ-ઘટાવી  જાય છે એમ આપણે આખું આયખું ઘટ ઘટાવી જઇએ છીએ.  ધબકારના આવાજનું અનુસરણ કરનારને કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી રેહતી.  ચાલોઆજે આપણું પણ ઈ-મેઈલ account check કરી લઇએ અને જોઇ લઇએ કે કેટલાં સંદેશાઓ #unread પડ્યા છે?? શકય છે વાંચ્યા ની વાદળી ટીક જોઇ વસુદેવ વધું  રાજી થાય!!
"
सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो"

--
ઇશ્વરપ્રજાપતિ
(15/9/18)

 

                      

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts