Tuesday, May 11, 2021

સાધારણ પરિવારમાંથી આવતા અસાધારણ ઑફિસર વિજય નેહરા

 સાધારણ પરિવારમાંથી  આવતા અસાધારણ  ઑફિસર  વિજય નેહરા 


         બહુ ઓછા ઓફિસર્સ પ્રજાના હૃદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. ઉચ્ચપદો પર બેઠેલા ઓફિસર્સના નિર્ણયો છેવાડાના વ્યક્તિના જીવન પર ખૂબ મોટી અસર ઉપજાવતા  હોય છે. એક જવાબદાર ઓફિસર ધારે તો સમાજના ચહેરા પર સ્મિત લાવવાનું પુણ્ય કાર્ય કરી શકે છે. આજે વાત કરવી છે એવા જ એક હોઅનાહાર ઑફિસરની કે જેઓ કર્તવ્યનિષ્ઠાથી  પ્રજાના હૃદયમાં સ્થાન પામ્યા છે.   
                 એ ઓફિસરનું નામ છે વિજય નેહરા. 
            વિજય નેહરા હોનહાર અને કાબેલ આઈ.એ.એસ.ઓફિસર છે. તેઓની કાર્ય કરવાની અગાવી સૂઝના કારણે પ્રજામાં પણ અત્યંત લોકપ્રિય છે. માર્ચ 2020માં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસો શરૂ થયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કાર્યરત હતા. આ દિર્ઘદ્રષ્ટા ઓફિસર  વૈશ્વિક મહામારીના કારણે ભવિષ્યમાં સર્જાનારાં ભયાવહ દૃશ્યો નજર સમક્ષ નિહાળી શકતા હતા. અને એટલે જ  કમિશનર તરીકે તેમણે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં અને એના અમલની શરૂઆત કરાવી હતી. પરતું કોઈપણ કારણસર વિજય નેહરાને મ્યુનિસિપલ કમિશનરપદેથી ટ્રાંસફર કરી ગ્રામ વિકાસ કમિશ્નર તરિકેની જવાબદારી સોંપવામાં આવી. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક મહામારી કોરોનાના અજગરી ભરડામાં પ્રજા એવી તો પિસાઈ કે આવનારી પેઢીયો પણ આ પીડા ભૂલી શકશે નહી. હવે ત્રીજી લહેરની વિનાશક ઝંઝાવાત ને ખાળવા ટાસ્કફૉર્સની રચના કરવમાં આવી છે જેમાં વિજય નેહરાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ બાબત સમાચારોની હેડલાઈન બની છે.  એક્શન ઓરિએંટેડ ઓફિસર સામે પ્રજા મીટ માંડીને આશાભરીએ નજરે નિહાળી રહી છે.

             પ્રજાનો અપાર પ્રેમ પામેલા વિજય નેહરા રાજસ્થાનના ખૂબ જ સાધારણ જાટ પરિવારમાંથી આવે છે. રાજસ્થાનના સીકર જિલ્લાના નાનકડા એવા સિહોટ છોટી ગામમાં  6 જુલાઈ 1975ના રોજ તોઓનો જ્ન્મ  થયો હતો. પિતા સૈન્યમાં હતા. વિજય નેહરાએ  પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળામાંથી લીધું. દસ વર્ષની ઉંમરે ભારત સરકાર દ્વારા લેવાતી પરીક્ષા ઉત્તિર્ણ કરી દેશની ટોપ મોડેલ સ્કૂલ કહી શકાય એવી બિરલા મોડેલ સ્કૂલમાં પ્રતિભાના બળે પ્રવેશ મેળવ્યો.  સરકારી યોજના અંતર્ગત ઉત્તિર્ણ થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો. એ પછી એમને ક્યારેય પાછુ વળીને જોયું નથી. દસમા ધોરણમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરી સરકારી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી. બારમા ધોરણમાં પણ પરિણામ જાળવી રાખી ભરતની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ. આઈ. ટી. મુંબઈમાં પ્રવેશ મેળવી એમ એસ.સી. કેમેસ્ટ્રી વિષય સાથે પાંચ વર્ષ સખત મહેનત કરી સફળતાના શિખરો સર કરતા ગયા. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી મસૂરીમાં તાલીમ લેતી વખતે તેમને "મેનેજમેન્ટ એન્ડ બિહેવિયર સાયન્સ" અને "લો" માં સર્વોચ્ચ ગુણ માટે ડિરેક્ટર ગોલ્ડ મેડલ  પ્રાપ્ત કર્યો હતો.   યુનિવર્સિટિ ઓફ કેલિફોર્નિયાથી પબ્લિક  પૉલિસીમાં તેઓએ માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે.

               જ્યારે વર્ષ ૨૦૦૯ માં તેઓ વડોદરા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાત સરકારે તેમને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 12,000 વરિષ્ઠ નાગરિકોને લાવવા બદલ 2009 માં તેમને શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ આપ્યો હતો.2014 થી 2016 દરમિયાન રાજકોટના મિનિસિપલ; કમિશ્નર તરીકે પણ સેવાઓઓ આપી ચુક્યા છે.  ૪૫૦૦૦ જેટલા નકલી રેશન કાર્ડ તેઓએ નાબૂદ કરી કાળા બજારિયાઓ ઉપર કડક પગલાં ભર્યાં છે.  

               કાર્યદક્ષતા, પારદર્શિતા અને ત્વરિત એક્શન માટે જાણીતા વિજય નેહરાએ અમદાવાદને કોરોનાના અજગરી ભરડાથી બચવવા મ્યુનિસિપલ કમિશંર તરીકે સરાહનીય કમગીરી કરી હતી. નાજુક સમયમાં પ્રજા પોતાના પ્રિય ઓફિસરને  યાદ કરતી રહી.  

            હવે ભારતનાં વિવિધ રાજ્યો કોરોના સંક્રમણની બીજી લહેર સામે હાલ ઝઝૂમી રહ્યાં છે, ત્યારે દેશના આરોગ્ય નિષ્ણાતોએ પણ દાવો કર્યા છે કે કોરોના સંક્રમણની ત્રીજી લહેર ગંભીર હોય શકે છે. પરિણામે, સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી ખાસ કરીને ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાએ ચોંકાવનારા નિવેદન સાથે સ્પષ્ટ સંકેતો આપ્યા હતા કે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધશે, જેને કારણે રાજ્યનાં ગામડાંને ખાસ સુરક્ષિત બનાવવાં પડશે, સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર મૂકી એને સશક્ત બનાવવાં પડશે.

         કોરોનાને ગામડાંમાં પરાસ્ત કરવો એ એક પડકારજનક કાર્ય  જરૂર છે. પરંતુંંઅશક્ય તો નથી જ. આપણા કાબેલ ઓફિસર્સ હજી  થોડા વધું કડક નિર્ણયો  મિશન રૂપે કાર્ય આરંભશે તો આ કાળરાત્રીને ચીરતો નવી આશાભર્યો સોનેરી સૂરજ  ખૂબ જલ્દી ઊગશે.

        વિપરિત પરિસ્થિતિની વચ્ચે પણ મુખ પરનું સ્નિત કરમાવવા દીધું નથી એવા કર્તવ્યનિષ્ઠ ઑફિસર વિજય નેહરાને કોટી સલામો.. 


- ઈશ્વર પ્રજાપતિ

( આપના પ્રતિભાવ આપ મો.નં 98251 42620 પર વૉટસએપ કરી શકો છો.)

5 comments:

  1. માનનીય નહેરા જી ને અચાનક જ અમદાવાદ થી હટાવી ને ગ્રામીણ વિસ્તાર માં મોકલ્યા એ રહસ્ય હાજી અકબંધ......

    ReplyDelete
  2. Super lekh...Vijay Nehra ji
    I m with You..taken bold step for good future

    ReplyDelete
  3. અધિકારી વર્ગ ના કાર્યને બિરદાવી સમાજની સેવા જ કરી.. પંથને અજવાળતા રહો.. વાહ

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts