Monday, June 8, 2020

થાય એટલું કરીએ કે કરીએ એટલું થાય ??

થાય એટલું કરીએ કે કરીએ એટલું થાય??


       સરકારી કચેરીનું નામ સાંભળતાં જ આમ તો સામાન્ય જનનું નાકનું ટેરવું ચડી ના જાય તો જ નવાઈ! કારણ સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી ખડબદતા દૃશ્યોથી કોણ અપરિચિત હશે?સરકારી કચેરીઓની છાપ સાવ નકારાત્મક છે એવા સમયે અમદાવાદ શિક્ષણ તંત્ર તરફ થી સતત હકારાત્મક
સમાચારો પ્રાપ્ત થતા રહેવા એ રણમાં મીઠી વીરડી સમાન છે. 
          આ વાત એટલે યાદ આવી કે આવતી કાલે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ છે. ધોરણ 10ની પરીક્ષામાં લાખોની સંખ્યામાં બેઠેલાં વિદ્યાર્થીઓનાં લાખો જવાબ વાહીઓ આ મહામારીમાં તપાસી અને અને પરિણામ પરિણામ તૈયાર કરવું એ પડકાર જનક કામ હતું. એમ છતાં એને સુપેરે પૂરું પાડવા જે અધિકારી શ્રીઓ અને શિક્ષકોએ જે જહેમત ઉઠાવી છે એ ખરા અર્થમાં કાબિલે દાદ છે. 
           વાત છે જિલ્લા શિક્ષણ કચેરી અમદાવાદની. લોકડાઉન દરમિયાન પણ પોતાના પરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સતત ધમધમતી રાખીને સમસ્ત રાજ્યના અધિકારીઓ માટે બેનમૂન ઉદાહરણ પૂરું પડ્યું છે. અમદાવાદ ગ્રામ્ય ના ડી.ઈ. ઓ. શ્રી વ્યાસ સાહેબના ઉર્જાવાન ઓફિસર છે. તેઓ પાસે કામ લેવાની કુનેહ છે તો સાથે સાથી કર્મીઓ માટે તેઓ દરિયા જેવું દિલ ધરાવે છે. ડી ઈ. ઓ. શ્રી વ્યાસ સાહેબના નેતૃત્વમાં અમદાવાદ ગ્રામ્યના એજ્યુકેશન ઇન્સપેક્ટર શ્રી કલ્પેશભાઈ રાવલ અને વિમાલભાઈ શર્મા અમદાવાદને કુશળ વહીવટી નેતૃત્વ પૂરું પાડી એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. 
         કુદરત પણ એવા વ્યક્તિને ખભે જવાબદારી સોંપે છે કે જે યોગ્ય રીતે વહન કરી શકે.. વાત માન્યામાં ન આવે પરંતુ આ 31 મેં એ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંના નિવૃત્ત થતા શિક્ષકોની પેંશન ને લાગતી તમામ ફાઈલો આ મહામારીના સમયમાં પણ રાત દિવસ એક કરી પૂર્ણ કરી. અને શિક્ષકના હકના પૈસા નિવૃત્તિના છેલ્લા દિવસે જ એના ખાતામાં પડી જાય એ આ સૌ ઑફિસર્સ ટીમની વહીવટી પારદર્શિતા અને કામ કરવાની કટીબદ્ધતા નહીં તો બીજું શું?? આગામી માસમાં ફૂલ પગારમાં સમાવીષ્ઠ થતા મોટા ભાગના શિક્ષકોને જેતે માસ થી જ ફૂલ પગાર એકાઉન્ટ માં આવે એ માટે હાલ પણ આ ફરજનિષ્ઠ અધિકારીશ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. 
        બીજાં કેટલાય કાર્યાલયમાં નિવૃત્તિ બાદ પોતાના હક્કનું વેતન મેળવવા કાર્યાલયના તળિયા ઘસી નાખતા વડીલ શિક્ષકોને નજરે નિહાળ્યા છે. પરંતુ અમદાવાદ ગ્રામ્ય ની શિક્ષણ કચેરીએશ્રી વ્યાસ સાહેબના નેતૃત્વમાં અને કલ્પેશ ભાઈ રાવલ અને વિમાલભાઈ શર્મા જેવા કુશળ વહીવટી અધિકારીઓ એ જે નવી પહેલ કરી છે એને શિક્ષણ જગત વતી આપણે સૌએ બિરદાવી જ રહી.. અન્ય સરકારી કચેરીઓ પણ આ કચેરીના ફરજનિષ્ઠ કર્મયોગીમાંથી બોધ લે તો રાજ્ય અને દેશની તાસીર અને તસવીર બદલાઈ જાય.
         અમદાવાદ ગ્રામ્ય શિક્ષણ વહીવટી તંત્ર એ પુરવાર કરી આપ્યું છે કે કામ તો કરીએ એટલું થાય!!

 લેખન : ઈશ્વર પ્રજપતિ
(98251 42620)
આપના પ્રતિભાવ 98251 4260 મો. નં પર વોટ્સએપ પર આવકાર્ય )

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts