Thursday, June 4, 2020

મહામારીના મહાયોધ્ધા- 10

મહામારીના મહાયોધ્ધા- 10

આયુર્વેદ પધ્ધતિથી મહામારીને માત આપવા  અવિરત  ફરજનિષ્ઠ અરવલ્લી જિલ્લાના આયુર્વેદ તબિબો :  ડૉ. નિકેતા પટેલ, વૈધ મિતાબેન પટેલ અને ડૉ. વિપુલ પટેલ          


    વિશ્વ આખું આજે અત્યંત નાજુક પરિસ્થિતિમાં થી પસાર થઈ રહ્યું છે. અગાઉના ઇતિહાસમાં પણ આવી મહામારીનો ભોગ કેટલાય દેશ બની ચુક્યા છે. અને લાખો લોકોએ જીવ ગુમાવ્યાના દાખલા મોજુદ છે. પરંતુ આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ સમસ્ત માનવજાતિને હચમચાવી નાખનાર કોવિડ 19 વાઈરસ જેટલો ખતરનાક વાઇરસ સામે ઇતિહાસમાં પ્રથમ વાર આવી મહામારીનો સામનો વિશ્વ કરી રહ્યું છે. વિશ્વભરના વીજ્ઞાનિકો અને તબીબો રાત દિવસ આ વાઇરસની વિકસીનના સંશોધન માટે રાત દિવસ એક કરી રહ્યા છે. પરંતુ મહિનાઓ વિતવા છતાં વેકસીન બાબતે કોઈ હકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું નથી. દુનિયા જ્યારે એલોપેથી વેકસીનની રાહ જોતું બેઠું છે ત્યારે ભારતીય વૈદિક યુગથી ચાલી આવતી આયુર્વેદ પરંપરા મહામારીને નાથવા કારગર પુરવાર થઈ રહી છે. આ મહામારીની વચ્ચે આયુર્વેદના વૈદ્ય ડોકટર પણ બખૂબી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાની જુદી જુદી આયુર્વેદ હોસ્પિટલમાં સેવા બજાવતા ડોક્ટરસ હાલ કોવિડ 19 હોસ્પિટલમાં સેવાઓ આપી રહ્યા છે.
         મડાસણા કંપાનાં વાતની ડૉ. નિકેતા કશ્યપ પટેલ આમતો સરકારી આયુર્વેદ દવાખાનું, ગઢા ખાતે પોતાની ફરજ બજાવે છે પરંતુ જ્યારથી અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે કોવિડ 19 હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ડૉ. આર.એસ.એસ કોવિડ હોસ્પિટલ, મોડાસા ખાતે સેવાઓ આપી રહ્યાં છે. એવી જ રીતે બાયડ નાં વતની અને સ.આ.દ.ઉભરાણ,તા-માલપુર માં ફરજ બજાવતાં વૈદ્ય અમિતાબેન એન પટેલ પણ હાલ કોવિડ હોસ્પિટલ વાત્રક, ખાતે સેવાઓ આપી રહ્યાં છે. આ ઉપરાંત બોલુન્દ્રાના વતની અને સરકારી આયુર્વેદ દવાખાનું ,દોલપુર, તા-ધનસુરા વિપુલકુમાર રમેશભાઈ પટેલ પણ કોવિડ હોસ્પિટલમાં અવિરત કાર્યરત છે.
            સૌ જાણે છે કે સંક્રમિત દર્દીઓ માટે એલોપેથી દવા કારગર નીવડી રહી નથી ત્યારે આ આયુર્વેદ ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ દર્દીઓને આયુર્વેદ સારવાર આપી સંક્રમણથી મુક્ત કરવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યાં છે. પોતાની જાતની પરવા કર્યા સિવાય સંક્રમિત દર્દીઓની સાથે રહી તેઓના દૃઢ મનોબળ માટે સતત કાઉન્સિલિંગ કરી દર્દીઓમાં એક નવી આશા ઉજગાર કરવાનું મહત્વનું કામગીરી તેઓ કરી રહ્યાં છે. આ ડોકટર્સના સીધા માર્ગદર્શન હેઠળ દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ, પ્રાણાયામ અને આસનો પણ નિયમિત કરવામાં આવી રહ્યાં છે. સાથે સાથે દર્દીઓને આયુર્વેદ ઔષધિ ઉકાળો બાનવી નિયમિત સેવન કરાવવામાં આવી રહ્યો છે.
          પોતાના સંતાનો, પોતાનો પરિવાર કોઈની પણ પરવા કર્યા વિના આ સૌ ડોકટર્સ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. ચોતરફથી મળતા સતત નકારાત્મક સમાચારોની વચ્ચે પણ હકારાત્મકતા જાળવી રાખી સંક્રમિત દર્દીઓ માટે એક આદર્શ પૂરો પડ્યો. અને આ વાઇરસ સામે લડવા માટે દર્દીઓમાં એક નવો વિશ્વાસ જગાવ્યો. પરિણામ સ્વરૂપે સંક્રમિત દર્દીઓની તબિયતમાં નોંધ પાત્ર સુધારો આવતો ગયો અને ઘણા ખરા મોટાભાગના દરદીઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થઈ પોતાના પરિવારમાં પરત ફર્યા છે. મહામારીના આ આ સૌ યોદ્ધાઓને કોટી કોટી શુભેચ્છાઓ.

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ   
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts