Monday, June 1, 2020

મહામારીના મહાયોધ્ધા - 9

મહામારીના મહાયોધ્ધા -  9

  દૃઢ મનોબળે મહામારીને માત આપી પુનઃ સેવારત થતાં 

 ફ્રંટ લાઈન કોરોના વોરિયર્સ સુરભીબેન નીનામા,

           
            દેશની સરહદોની રખેવારી કરતા  શસ્ત્રોથી સજ્જ સૈનિકો અને સંક્રમિત દર્દીઓની સેવા સુશ્રૂષા કરતા ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ વચ્ચે ઝાઝો તફાવત નથી. આ બન્ને હાલ દેશ અને દેશ વાસીઓની સેવા કરવામાં પોતાની જાનની બાજી લગાવી રહ્યાંં છે. 45 ડિગ્રી ગરમીમાં PPE કીટમાં કામ કરતા આરોગ્ય કર્મિઓમાં ફરિસ્તાનાં દર્શન થયા વિના રહેતાં નથી. અવા કેટલાય ફરજનિષ્ઠ કર્મચારીઓ દર્દીઓની સારવાર દરમિયાન  કોરોના સંક્રમિત થયા પરંતું મક્કમ મનોબળના સહારે  મહામારીને માત આપવામાં સફળતા મેળવી અને સ્વસ્થ્ય બની પુનઃ પોતાની ફરજમાં જોડાઈ ગયાં. આવાં જ એક ફ્રંટ લાઈન વોરિયર્સ એટલે 23 વર્ષિય  સુરભીબેન મુકેશભાઈ નિનામા. 
     અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકનું  જાબચીતરીયા ગામ તેઓનું વતન.. તેઓ  ૧ વર્ષથી આર.બી.એસ.કે.ફાર્માસીસ્ટ તરીકે તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમ નંબર -૩૦૮ માં પોતાની ફરજ બજાવે છે. જેઓ ભિલોડા તાલુકાના જ જાબચીતરીયા ગામના વતની છે. તથા તેમના માતા - પિતા અને દાદા - દાદી તેમજ બે નાના ભાઈઓ સાથે રહે છે. તેઓના પિતા ઓટોમોબાઈલ એન્જીનીયર છે. તથા માતા મીકેનીકલ એન્જીનીયર છે. નોવેલ કોરોના -૧૯ અંતર્ગત આર.બી.એસ.કે.સ્ટાફની અમદાવાદ ખાતે કોરોનાની કામગીરી માટે પ્રતિનિયુકિત આપેલ હતી. તેથી તેઓ તા .૧૯.૦૪.૨૦૨૦ થી ૨૧.૦૪.૨૦૨૦ સુધી ૩ દિવસ અમદાવાદ ખાતે કોરોના સંક્રમિત વિસ્તારમાં ખુબ જ ઉત્સાહભેર તથા સંપુર્ણ નિષ્ઠાપુર્વક ટીમના તમામ સભ્યોએ પોતાની કામગીરી કરેલ હતી. ત્યારબાદ પ્રતિનિયુકિત પરથી છુટા કરતાં તેમની ટીમ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે હાજર થયેલ હતા . આર.બી.એસ.કે.ટીમ -૩૦૮ ના તમામ કર્મચારીઓના કોવિડ -૧૯ ના રીપોર્ટ માટેના સેમ્પલ ભાગ્યલક્ષ્મી નર્સીગ કોલેજ મોડાસા ખાતે તા .૦૪.૦૫.૨૦૨૦ ના રોજ આપવામાં આવેલ હતા. તા .૦૬.૦૫.૨૦૨૦ ના રોજ નીનામાં સુરભીબેન મુકેશભાઈ ( આર.બી.એસ.કે.ફાર્માસીસ્ટ ) નો કોવીડ -૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવેલ હતો. તા .૦૭.૦૫.૨૦૨૦ ના રોજ તેમને જાતે જ ઈમરજન્સી ૧૦૮ એમ્બુલન્સને પોતાના ઘરે બોલાવી  અને સવારે ૦૯:૩૦ કલાકે સાર્વજનીક હોસ્પિટલ મોડાસા ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેઓ ત્યાં તેઓ ૧૪.૦૫.૨૦૨૦ સુધી ત્યા દાખલ રહયા હતા. 
        સાર્વજનીક હોસ્પિટલ મોડાસા ખાતે તેઓને અરવલ્લી આરોગ્યતંત્ર દ્વારા તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તથા કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આરોગ્યને લગતી તમામ સુવિધાઓ તથા તેમની હીંમત વધે અને મનોબળ મજબુત રહે તે માટે અલગ - અલગ પ્રકારની પ્રવૃતિઓ જેવી કે પ્રાર્થના , યોગ તથા મનોવૈજ્ઞાનીક માર્ગદર્શન તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે ગરમ પાણી , ગરમ દુધ , ફળ ફળાદી તથા હોમોયોપેથિક તેમજ આયુર્વેદીક ઉકાળાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી . આરોગ્યતંત્રની મદદ અને સેવા તથા તેમની હિંમતના કારણે તેઓને આ સમયગાળા દરમ્યાન કોરોનાની બીમારીના કોઈપણ લક્ષણ જણાયા ન હતા .
         સરકારશ્રીની નવી ગાઈડલાઈન પ્રમાણે તેઓને ૧૪.૦૫.૨૦૨૦ સુધી કોરોનાની બીમારીના કોઈપણ લક્ષણ ના જણાતા સાંજે ૦૪:૫૦ કલાકે જો લક્ષણો જણાય તો એ પ્રમાણે દવા લેવી તથા રોજે રોજ આયુર્વેદીક ઉકાળાનું સેવન કરવું તથા તા . ૨૭.૦૫.૨૦૨૦ સુધી હોમકોરોન્ટાઈન થવા માટેની સુચના આપી ત્યાંથી રજા આપવામાં આવી . ત્યારબાદ તેમને પોતાના ઘરે જ ૨૭.૦૫.૨૦૨૦ સુધી જરૂર પ્રમાણે દવાઓ લઈ તથા આયુર્વેદીક ઉકાળાનું સેવન કરી હોમકોરોન્ટાઈન પુર્ણ કરેલ હતું તે દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાબચીતરીયાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમનું રોજે રોજ ફોલોઅપ કરવામાં આવતું હતું તથા તેમની તમામ પ્રકારની આરોગ્યને લગતી જરૂરીયાત પુર્ણ કરવામાં આવેલ હતી.
        આ રીતે નીનામા સુરભીબેન મુકેશભાઈ એ અરવલ્લી જીલ્લા આરોગ્યતંત્ર તથા ભિલોડા તાલુકા આરોગ્યતંત્રની મદદ અને સેવા તથા પોતાની સુઝબુઝ અને હિંમતથી કોરોનાની બીમારી સામે લડાઈમાં જીત મેળૅવી. આ રીતે તા .૨૭.૦૫.૨૦૨૦ ના રોજ તેમનો કોરોન્ટાઈન સમય પુર્ણ થતા અને તેઓ બીલકુલ સ્વસ્થ જણાતા તેઓ તા .૩૦ મે .૨૦૨૦ ના રોજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે ફરજ ઉપર હાજર થયાં,  થનાર છે . આમ તેઓએ પોતાની કોરોના યોધ્ધા તરીકે પુરી નિષ્ઠાપૂર્વક કામગીરી પણ કરી અને કોરોના પોઝીટીવ થવા છતાં હીંમતભેર કોરોનાની બીમારી સામે લડત પણ આપેલ છે .  તેઓને આવા કઠીન સમયમાં સાથ આપનાર આરોગ્ય વિભાગ અરવલ્લીની સમગ્ર ટીમનો તેઓએ કોટી કોટી વંદન કરી આભાર વ્યકત કરેલ છે.

(માહિતિ સ્ત્રોત ; Taluka Health Officer Bhiloda)


લેખન- સંકલન  : ઈશ્વર પ્રજાપતિ     
           ( 98251 42620) 

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો)



No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts