Saturday, July 22, 2023

"......….. તો ઈશ્વરભાઈ મારે તમને લાંચ આપવી છે." : પદ્મ શ્રી ગુણવંત શાહ

 "......….. તો ઈશ્વરભાઈ મારે તમને લાંચ આપવી છે." : પદ્મ શ્રી ગુણવંત શાહ



    ગુજરાતના વિચાર પુરુષ તરીકે લાખો હૃદયમાં સ્થાન પામેલ પદ્મશ્રી ગુણવંત શાહનું નામ કોઈ પરિચયનું મ્હોંતાજ નથી. શાહ સહબેના લાખો વાચકોનો બહોળો ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. તેમનો એક હું પણ ખરો ! જ્યારથી વાંચનની સમજ કેળવાઈ ત્યારથી તેમના લેખો અને પુસ્તકો વાંચતો રહ્યો છું. ગુજરાતના સુખ્યાત શિક્ષણવિદ આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ ઉર્ફે મોતીદાદાનું સાનિધ્ય પ્રાપ્ત થયું ત્યારથી આદરણીય ગુણવંત શાહ સાહેબ સાથેના સબંધનો સેતુબંધ વધુ મજબૂત બન્યો.
    દિ. ભા.ની રસરંગ પૂર્તિમાં દર રવિવારે પ્રગટ થતી કૉલમ "વિચારોના વૃંદાવનમાં" વાંચી તેમની સાથે અવાર નવાર ફોન પર વાત થતી રહેતી. ગત રવિવારે પણ બક્ષીબાબુ વિશેનો સુંદર આર્ટિકલ વાંચી આદરણીય ગુણવંત શાહ સાહેબને ફોન જોડ્યો. આર્ટિકલ વિશેતો વિસ્તૃત વાત થઈ. સાથે તેમને રૂબરૂ મળી સંવાદ કરવાની ઈચ્છા પ્રગટ કરી. તો શાહ સાહેબે કહ્યું "ઈશ્વરભાઈ, વડોદરા જરૂર પધારો. અને સાથે મોતીભાઈને લેતા આવો તો તમે કહો એટલી મારે તમને લાંચ આપવી છે."કેવી ગજબની મૈત્રી !
    પદ્મ શ્રી ગુણવંત શાહ સાહેબ અને મોતીદાદા વચ્ચે દાયકાઓથી ગાઢ મૈત્રી અકબંધ છે. દાદાને મેં વાત કરી કે જો તમે થોડી તૈયારી બતાવો તો મને એક વિશિષ્ઠ વ્યક્તિ પાસે
થી મોટી લાંચ મળી શકે એમ છે "
    દાદા કહે "શું વાત કરે છે ? લાંચ ? અને એમાં મારો સાહિયોગ ?" દાદાને વિગતે વાત કરી કે જો ગુણવંત શાહ સાહેબને મળવા તમને સાથે લઈ જાઉં તો ગુણવંત શાહ સાહેબે હું કહું એટલી રૂશવત આપવાનું કહ્યું છે. 87 વર્ષના દાદાએ તરત તારીખ નક્કી કરી નાખી અને અમે બંને ભાડાનો રથ લઈ આજે વડોદરા "ટહુકો"ના મહેમાન બન્યા.


    ગુણવંત શાહ સાહેબ સાથે ફોન પર વાત થતી રહેતી આજે એ વિભૂતિના દર્શનનો અવસર મળ્યો. મોતીદાદા અને શાહ સાહેબની ગોઠડી જામી વીતી ગયેલાં વર્ષો સ્મરણમાં પુનઃ આળસ મરડી જાણે બેઠાં થયાં. કેટકેટલાં સંસ્મરણો તાજાં કર્યાં. બન્નેની આંખોમાં કોઈ અલગ જ પ્રકારનું તેજ નીરખી શકાતું હતું. શાહ સાહેબે હૃદય ખોલીને વાતો કરી. તાજેતરમાં પ્રગટ થયેલાં બે પુસ્તકો સાહેબેને ભેંટ ધર્યા. અવંતિકા બહેને ખૂબ ભાવ પૂર્વક આવકાર પણ હ્રદયસ્થ રહેશે.
    ગુણવંત શાહ સાથેબના પિતરાઈ આદરણીય કિશોરભાઈ શાહ અને ઊર્મિલાબહેનનું આતિથ્ય માણ્યું. તેમના આતિથ્યની જે મધુરપ માણી છે એના વિશે તો એક આર્ટિકલ અલગથી લખવા વિચાર્યું છે. ઉર્મિલાબહને ભાવથી સ્વાદીષ્ટ રસોઈ જમાડી છે એની સોડમ ભુલાય એમ જ નથી.


    અને હા, ગુણવંત શાહ સાહેબે બોલયેલા શબ્દો અક્ષર સહ: સાચા પાડ્યા. મોતી દાદાને લઈને ગયો એના બદલામાં ગુણવંત શાહ સાહેબે લાંચ રૂપે મબલક આશીર્વાદની વર્ષા કરી.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts