Sunday, June 30, 2024

સન્ડે સ્પેશિયલ

 જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા  જોઈએ.” :  એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.

     સાવ સાધારણ અને સામાન્ય કહી શકાય એવા  જીવનસંઘર્ષો થી હિંમત હારી જતા  લાખો લોકો માટે  દૃષ્ટિ, શ્રવણ અને વાચા વિહોણી મહાન વિભૂતિ હેલન કેલરનું જીવન સદાકાળ માટે એક મિશાલ રૂપ છે.

      વિશ્વને પોતાની આત્મશક્તિ દ્વારા આશ્ચર્યચકિત કરી દેનાર આ પ્રતિભાશાળી સન્નારી હેલન કેલરનો જન્મ ૨૭ જૂન૧૮૮૦ના રોજ અમેરિકાના આલાબામા રાજ્યના ટસ્કેબિયા નામના ગામમાં થયો હતો. માત્ર દોઢ વર્ષની નાની વયે કોઈ ભયંકર માંદગીને કારણે આ બાળકીએ જોવાનીસાંભળવાની અને બોલવાની શક્તિ ગુમાવી હતી. આ રીતે નાની ઉંમરે - અંધાપાની સાથે બહેરી અને મૂંગી બની ગયેલ બાળકીને માટે જીવન ખૂબ જ આકરું થઈ ગયું હતું. તેને કોઈ સમજી શકતું નહીં. પરિણામે તે ખૂબ જ  જિદી સ્વભાવની અને તોફાની બની ગઈ હતી.

      કુદરતી રીતે આવી પડેલ આવા ત્રિવિધ પ્રકારનાં દુ:ખથી - પિડાતી હેલન કેલરની અંધકારમય અને મૌનની દુનિયામાં બોસ્ટનની - અંધશાળાની શિક્ષિકા મિસ એન. સુલીવાનનો પ્રવેશ થયો. હેલનની - જિંદગીને એક નવો વળાંક મળ્યો.

       મિસ સુલીવાને ખૂબ જ ધીરજ સાથે પ્રેમપૂર્વક હેલનને સ્પર્શ દ્વારા ભાષાનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અંધજનો માટેની ખાસ બ્રેઈલ લિપિ દ્વારા તેને અક્ષરજ્ઞાન આપી વાંચતાં પણ શિખવાડ્યું. આ રીતે હેલનની અંધકારમય જિંદગીમાં જ્ઞાનની જયોત પ્રગટી. તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. ત્યારબાદ મિસ સુલીવાનના માર્ગદર્શન હેઠળ તેણે અભ્યાસ શરૂ કર્યો. નવા નવા શબ્દોની સાથે સ્પર્શજ્ઞાન દ્વારા હેલને બોલવાની શક્તિ પણ વિકસાવી. મિસ સુલીવાને પ્રેમ અને નિષ્ઠા સાથે પોતાનું જીવન હેલનને સમર્પિત કરી દીધું.

      હેલન કેલર પોતાની આત્મકથા ‘સ્ટોરી ઓફ માય લાઈફ'(1903)માં લખે છે, ‘મારા ગુરુ મિસ સુલીવાન અને હું એવા તો ઓતપ્રોત ડૉ. રંજના હરીશ છીએ કે હું મારી જાતને તેમનાથી અલગ કલ્પી શકતી જ નથી. મારા જીવનની શ્રેષ્ઠતમ સિદ્ધિઓ એટલે તેમનું વરદાન. મારી પોતાની આવડત કેટલી છે તે વિશે મેં વિચાર સુધ્ધાં કર્યો નથી. તેઓ મારા વ્યક્તિત્વના તાણાવાણામાં અભિન્નપણે વણાઈ ચૂક્યાં છે. મારા જેવી અંધબધિર અને મૂક નાનકડી છોકરીના જીવનમાં તેમના પ્રવેશ સાથે મારા માટે એક નવી દિશા ખૂલી. મારા જેવી અસહાયની આંગળી પકડીને તેમણે મને પા પા પગલી ભરતાં શીખવી. મારા એ ગુરુના પદચિહ્નો જ મારા જીવનની મંજિલ રહ્યાં છે. મારા અસ્તિત્વની સારામાં સારી વસ્તુઓ તેમણે મને આપેલું વરદાન માત્ર છે. આ જીવનની દરેકે દરેક મહેચ્છાઉત્સાહ અને આનંદ તેમના પ્રેમાળ સ્પર્શથી જાગ્રત થયેલ છે.”

       કોઈ શિષ્યની પોતાના ગુરુ પ્રત્યેની આવી હ્રદયસ્પર્શી અંજલિ સાહિત્યમાં અન્ય ક્યાંય મળે તેમ નથી. પોતાની આત્મકથા સિવાય હેલને લખેલા 'ધ વર્લ્ડ આઈ લિવ ઇન' (1913), 'આઉટ ઑફ ધ ડાર્ક' (1913), 'માય  રિલિજિયન (1927) અને 'લેટ અસ હેવ ફેથ' (1930) જેવાં બારેક પ્રસિદ્ધ પુસ્તકોમાં પણ તેણે પોતાના ગુરુ મિસ સુલીવાનની વાત સતત કરી છે. તો વળીગુરુનું પોતાની શિષ્યા પ્રત્યેનું સમર્પણ પણ કાંઈ ઓછું નથી. તેમણે પણ હેલન કેલરના સફળ જીવનને પોતાના જીવનનું ધ્યેય બનાવી - દેવામાં પાછું વળીને જોયું નહોતું. ગુરુ-શિષ્યાની - આ વિશ્વવિખ્યાત જોડીને હેલનના જન્મદિવસ નિમિત્તે શત શત વંદન. ગ્રેહામ બેલના કહેવાથી જગવિખ્યાત પર્કિન્સ -  ઇન્સ્ટિટયૂટમાં કેળવાયેલી એક યુવતી મિસ એન. સુલીવાન કેલર કુટુંબની નિઃસહાય નાનકડી દીકરીને શિક્ષિત કરવા એ કુટુંબમાં આવેલી. પરંતુ એ નાનકડી અંધમૂક અને બધિર દીકરીની માયાએ તેને આજીવન તે જ કુટુંબમાં રોકી લીધી.

       ભયંકર તોફાની અને બદમિજાજ એવી નાનકડી બાળકીને વિશ્વવિક્રમ સ્થાપિત કરનાર હેલન કેલર બનાવવા મિસ સુલીવાને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. પોતાના જીવનનાં 49 વર્ષ તેણે હેલન કેલરના ઘડતરમાં ખર્ચી નાખ્યાં. તેઓ સતત હેલનના પડછાયાની જેમ જીવ્યાં. એટલું જ નહીં પોતાના મૃત્યુ બાદ પોતાની વહાલી દીકરી સમી શિષ્યા હેલનના જીવનનું શું થશે તેનો ખ્યાલ કરીને તેમણે પોતાની વળતી ઉંમરે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી મિસ પોલી થોમસનને આગ્રહ કરીને હેલન કુટુંબમાં લાવીને સ્થાપિત કરી. હેલનના સતત વિરોધ ઉપરાંત તેમણે પોલીને હેલનનો ખ્યાલ રાખવા માટે બરાબર તૈયાર કરી અને ત્યારબાદ જ પોલીના હાથમાં પોતાની પરમ પ્રિય શિષ્યાનો હાથ સોંપીને તેઓ આ દુનિયા છોડી શક્યા!

       ગુરુ-શિષ્યાનો આ તે કેવો સંબંધ! હેલન પોતાની આત્મકથાના પ્રારંભિક પૃષ્ઠોમાં પોતાના નાનપણનાં સંભારણાં આલેખે છે. "19 મહિનાની નાનકડી વયે હેલનના જીવનમાં વાવાઝોડાની જેમ ધસી આવેલ માંદગી પોતાની પાછળ જીવનભરનો ખાલીપોઅંધકાર અને નિઃશબ્દતા મૂકતી ગયેલી. કલરવથી ગુંજતા નાનકડા કેલર કુટુંબમાં જાણે અંધકારના ઓળા ઊતરી આવ્યા હતા. જીવનની આવી વિવશતાએ નાનકડી હેલનને ભયંકર તોફાની અને કજિયાખોર બનાવી દીધી. મા-બાપ પોતાની દીકરીની આવી હાલત જોઈને ખૂબ દુ:ખી રહેતાં. છેવટે હેલનના પિતાએ વોશિંગ્ટનમાં વસતા અંધજનો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ ધરાવતા તેવા એલેકઝાન્ડર ગ્રેહામ બેલને મળવા જવાનો નિર્ણય કર્યો. બ્રેઇલ લિપિના સર્જક ગ્રેહામ બેલે નાનકડી અંધ હેલનમાં ખૂબ રસ લીધો અને તેમની સલાહ પ્રમાણે ક્ષતિગ્રસ્ત બાળકોનાં શિક્ષણ તથા ઉછેર માટે શિક્ષકો તૈયાર કરવા માટે પ્રસિદ્ધ એવા પર્કિન્સ ઇન્સ્ટિટ્યુટમાંથી મિસ એન. સુલીવાનને કેલર કુટુંબમાં મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી."

        પોતાના ગુરુના આગમનના દિવસની મનઃસ્થિતિનું વર્ણન કરતાં હેલન લખે છેહું તેમના આગમનથી અજાણ હતી. પરંતુ કોણ જાણે કેમ તે સવારે મારું મન અકથ્ય વેદનાથી સભર હતું… શું તમે ક્યારેય ધુમ્મસગ્રસ્ત સમુદ્ર પર ગયા છોનક્કર સફેદીમાં ગરકાવ કોઈક તોતિંગ જહાજને પોતાનાં સઢ અને અન્ય સાધનોની મદદથી બહાર નીકળવા માટે ફાંફાં મારતાં જોયું છેમારા તારણહારના આગમન પહેલાં હું પણ તેવું જ જહાજ હતી. ફરક ફક્ત એટલો હતો કે જહાજ પાસે પોતાનું સઢ હોયમારી પાસે તો તે પણ નહોતું… ‘મને પ્રકાશ આપો. હે ઈશ્વર મને અંધકારમાંથી બહાર કાઢો’ તે જ મારા હૃદયનો આર્તનાદ હતો. નિઃસહાય બાળમનના આવા આર્તનાદના જવાબરૂપે જ કદાચ ઈશ્વરે મને મિસ સુલીવાન જેવા ગુરુની ભેટ આપી હતી. ઈશ્વરે જાણે તાબડતોબ મારા અંધારા જીવનની ક્ષિતિજે પ્રકાશ મોકલી આપ્યો હતો. મિસ સુલીવાનના પ્રથમ પ્રેમાળ સ્પર્શમાત્રથી મારા પાનખરગ્રસ્ત જીવનમાં જાણે વસંતની લહેરખી આવી ગઈ!”

       નાનકડી હેલનને આગળ વધારવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર તેની ગુરુ એન. સુલીવાનની મહત્ત્વાકાંક્ષાએ હેલનને સામાન્ય બાળક ભણે તેમ ભણતી જ ન કરીપરંતુ સ્કૂલનાં વર્ષો બાદ અમેરિકાની સુપ્રસિદ્ધ રેડક્લિપ કૉલેજમાં પ્રવેશ અપાવીનેતેની સાથોસાથ બધા વર્ગો ભરીનેપ્રોફેસરના વ્યાખ્યાનોની રનિંગ નોટ સતત હેલનની હથેળીમાં લખી લખીને તેને બધી પરીક્ષાઓ પાર કરાવી. હેલન જેવી છોકરી માટે આ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. પરંતુ આટલાથી સંતોષ માને તો મિસ સુલીવાન શેનીતેણે પોતાની શિષ્યાને પીએચ.ડી. થતી જોવી હતી. અને છેવટે ગુરુ-શિષ્યાની આ જોડીના સખત મહેનતસતત પ્રયત્ન અને સમર્પણના પરિણામ રૂપે હેલન કેલરે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

              પોતાની આત્મકથાનું સમાપન કરતાં હેલન કેલર લખે છેમારી બધી મર્યાદાઓ છતાં મારું જીવન તેની ઉદાત્ત ક્ષણો દરમિયાન સુંદરતમ સૃષ્ટિની અનોખી ઝલક મેળવી ચૂક્યું છે. જીવનના અભિશાપસમી ભાસતી અંધકાર અને મૌન જેવી અનુભૂતિઓ પણ અદ્ભુત હોય છેતેમ મને હંમેશાં લાગ્યું છે. મારા ગુરુએ તેમના સમગ્ર જીવન દ્વારા મને કોઈ એક મંત્ર આપ્યો હોય તો તે એ છે કે દરેકેદરેક પરિસ્થિતિમાં મનુષ્યે પ્રયત્ન કરતાં રહેવું જોઈએપરંતુ સંતુષ્ઠ રહેતાં પણ શીખવું જોઈએ."

         જીવનમાં આ રીતે ખૂબ જ આગળ વધતાં રહી હેલને પોતાના જેવા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને માટે મોટું ભંડોળ એકત્ર કરી ‘જહોન મિલ્ટન સોસાયટી ફોર ધ બ્લાઈન્ડનામની એક ઉચ્ચ કક્ષાની સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત બ્રેઇલ લિપિમાં પુસ્તકોની સાથે સામાયિકો પણ શરૂ કર્યાં. હેલન કેલરે પોતાની આત્મકથા ‘સ્ટોરી ઑફ માય લાઈફદ્વારા લોકોને પ્રેરણાની સાથે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે.

       વિશ્વવિખ્યાત એક અજુબાસમી હેલન કેલરની સફળતા વિશે  મહાન વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ગ્રેહામ બેલે  સાચું કહ્યું છે કે  જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે તેની શિક્ષક મિસ એન. સુલીવાન જેવી અન્ય શિક્ષક જોઈએ જ. મિસ સુલીવાન વિના હેલન કેલરની કલ્પના કરવી પણ શક્ય નથી. હેલન કેલર એટલે એક સફળ શિક્ષકનું ઉદાત્ત સર્જન…”  

     મહાન સન્નારીની જીવનજયોત ૧ જૂન૧૯૮૬ના રોજ મૃત્યુની મહાન જયોતની સાથે વિલીન થઈ ગયાં.

(સાભાર : જનકલ્યાણ )

 


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts