name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, July 12, 2026

સન્ડે સ્પેશિયલ

ઊર્મિલાબેન પટેલ જેવાં  સનિષ્ઠ શિક્ષિકા  આપણને યાદ અપાવે છે કે કુમળા બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.

 

        શિક્ષણ જગતમાં એક બહુ જાણીતું વાક્ય છે: "એક સારો શિક્ષક એ નથી જે માત્ર પ્રશ્નોના જવાબો આપે, પણ એ છે જે બાળકના મનમાં પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા જગાવે." આવી જ આગવી શૈલીથી વર્ગને સ્વર્ગમાં પરિવર્તિત કરતાં ઊર્મિલાબેન પટેલ અરવલ્લી જિલ્લાની પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષિકા તરીકે ફરજનિષ્ઠ છે. ધોરણ ૩ થી ૫ નાં ભૂલકાંઓ માટે ગણિત જેવા અઘરા વિષયને રમત રમાડતા શીખવવાની તેમની કુનેહ શિક્ષણ જગત માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

          ઉર્મિલાબેન તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન પોતે એક તેજસ્વી વિદ્યાર્થીની રહ્યાં છે. લીંભોઇ અને મેઢાસણ હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ કર્યો. સમગ્ર કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવીને તેજસ્વી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં. ઊર્મિલાબેને પોતાની આગામી શૈક્ષણિક સફરની શરૂઆત અનેરા ખાતેથી પી.ટી.સી. (P.T.C.) કોલેજથી  કરી. હડિયોલ, ગઢોડા અને આકોદરાના ત્રિભેટે આવેલી તપોવન સમી કોલેજે ઉત્તમ શિક્ષકત્વનું ઘડતર કર્યું. ગાંધી રંગે રંગાયેલાં સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલના સાનિધ્યમાં વ્યક્તિત્ત્વને સંસ્કારિતા સાથે શિક્ષિત અને દીક્ષિત કરવાની સુંદર તક સાંપડી. 

પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે ૧ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ પ્રાથમિક શિક્ષિકા તરીકે જોડાયાં. નોકરીની શરૂઆતથી જ તેમના મનમાં એક સ્પષ્ટ વિઝન હતું: ‘શિક્ષણ ક્યારેય બોજ ન બનવું જોઈએ.’ નોકરીમાં જોડાયાના પ્રથમ દિવસથી જ તેમણે શિક્ષણને માત્ર એક આજીવિકાનું સાધન ન માનતા, જીવનનું ધ્યેય બનાવી લીધું. પી. ટી. સી. દરમિયાન મેળવેલી પ્રાયોગિક તાલીમને તેમણે પોતાના વર્ગખંડમાં ખૂબ જ સુંદર રીતે ઉતારી છે. ભણાવવાની તેમની આગવી શૈલી અને પ્રેમાળ  સ્વભાવને પરિણામે જ્યાં જ્યાં તેમણે સેવાઓ આપી ત્યાં ત્યાં તેઓ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકા બની રહ્યાં. અને આખરે ૨૮ મી ઓગષ્ટ ૨૦૧૨ ના રોજ આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવી દીધી. જ્યારે તેઓ આકરુંદ પ્રાથમિક શાળામાં જોડાયાં, ત્યારે તેમણે પોતાની સાથે માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પણ પ્રયોગશીલતાનો એક આખો નવો અભિગમ લાવ્યા.

       સામાન્ય રીતે પ્રાથમિક શાળાના બાળકો માટે ગણિત એટલે ભય, કંટાળો અને માત્ર આંકડાઓની માથાકૂટ. પરંતુ ઊર્મિલાબેનના વર્ગખંડમાં દ્રશ્ય તદ્દન અલગ હોય છે. તેઓ ધોરણ ૩ થી ૫ ના કોમળ વયના બાળકોને ગણિત અને અન્ય વિષયો એવી રસપ્રદ કુનેહથી ભણાવે છે કે બાળકો ગણિતના તાસની આતુરતાથી રાહ જુએ છે. તેમની આ શિક્ષણ કળા ખરેખર કાબિલ-એ-દાદ છે. ઊર્મિલાબેનનું દ્રઢપણે માનવું છે કે જ્ઞાન ક્યારેય ચાર દીવાલોની વચ્ચે કે કાળા પાટિયા (બ્લેકબોર્ડ) પર કેદ રહી શકતું નથી. તેથી જ તેમણે ગણિત જેવા વિષયને વર્ગખંડ પૂરતો સિમિત રાખ્યો નથી. તેઓ બાળકોને ખુલ્લા આકાશ નીચે, કુદરતના સાનિધ્યમાં લઈ જાય છે. ઝાડનાં  પાંદડા, નાના પથ્થરો, લાકડીઓ અને મેદાનની માટી તેમના માટે ગણિતના સાધનો બની જાય છે. આ પ્રાયોગિક અનુભવને કારણે બાળકો ગોખણપટ્ટી વિના આજીવન ગણિતના સિદ્ધાંતો યાદ રાખી શકે છે.

(તત્કાલીન જિલ્લા કલેકટર સુ શ્રી પ્રશસ્તિ પારિકની વર્ગખંડ મુલાકાત ) 

       પુસ્તકીય જ્ઞાન બાળકને માત્ર પાસ કરી શકે, પણ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular activities) તેને જીવન જીવતા શીખવે છે. આ જ કારણે તેઓ શાળાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે છે: એ CA ના તાસનું આયોજન હોય કે આનંદદાયી શનિવારની વિવિધ પ્રવૃત્તિઓ હોય  પ્રાર્થના સભાને રસપ્રદ બનાવવા તેઓ અવિરત પ્રયત્નશીલ રહે છે. બાળક સાથે બાળક બની અભિનય ગીત કરવામાં, વાર્તા કહેવામાં તેઓ અનહદ આનંદ અનુભવે છે. 

        રાષ્ટ્રીય પર્વો હોય કે શાળાનો એન્યુઅલ ડે—ઊર્મિલાબેન બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરવામાં જરા પણ કચાસ છોડતા નથી. ડાન્સ, નાટક કે વક્તૃત્વ હોય, ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સ્ટેજ પર પ્રોફેશનલ કલાકારોની જેમ આત્મવિશ્વાસથી પર્ફોર્મ કરે છે.

                 ઊર્મિલાબેને આજના ડિજિટલ યુગનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. તેમણે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વાલીઓ સાથે એક જીવંત અને પારદર્શક સંપર્ક સેતુ ઊભો કર્યો છે.  વર્ગખંડમાં બાળકો રોજ શું પ્રવૃત્તિ કરે છે તેના ફોટા અને વિડીયો વાલીઓ સુધી પહોંચે છે. દરેક વાલીને તેના ફોનમાં જ તેમના સંતાનનું ગૃહકાર્ય નિયમિત મળી જાય છે. કયું બાળક શાળામાં હાજર છે અને કયું બાળક ગેરહાજર છે તની જાણ પણ વાલીને ૧૧ વાગ્યા પહેલાં થઇ જાય છે.  બાળકનો દૈનિક પ્રોગ્રેસ રીપોર્ટ વાલીઓ સાથે શેર થાય છે. આ ડિજિટલ કનેક્ટને લીધે ગામના વાલીઓનો સરકારી શાળા પરનો ભરોસો અનેક ગણો વધી ગયો છે.

       તેમની પ્રતિભા માત્ર શાળા પૂરતી સીમિત ન રહેતા તાલુકા અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સાહિત્ય નિર્માણના કાર્યમાં પણ તેઓ સક્રિય છે.  કોઈપણ ટેક્નિક કે પદ્ધતિ ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી તેમાં પ્રેમ ન ભળે. ઊર્મિલાબેનની સૌથી મોટી તાકાત તેમની અપ્રતિમ વિદ્યાર્થી પ્રીતિ અને કર્તવ્યનિષ્ઠા છે. તેઓ ભણવામાં નબળા કે અંતર્મુખી બાળકોને ખાસ સમય આપીને, વહાલથી આગળ લાવે છે. તેમની આ મમતા સભર શૈલીને કારણે જ બાળકો તેમને માત્ર એક શિક્ષિકા તરીકે નહીં, પણ પોતાની ‘બીજી માતા’ તરીકે જુએ છે.

          વિદ્યાર્થીઓ શિક્ષકના આચરણથી જ ઘડાતાં હોય છે. વર્ગ કે ઓફીસની સ્વચ્છતાની વાત આવે ત્યારે ઉર્મિલાબેન ઝાડું કે પોતું પોતાના હાથમાં લેવામાં જરા પણ નાનમ અનુભવતાં નથી. તેમના મન શાળા એક મદિર છે અને શાળામાં કરેલું કોઇપણ કર્મ એ પૂજા છે.

       પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાનાં ઊર્મિલાબેન પટેલ જેવાં સંનિષ્ઠ શિક્ષિકા આપણને યાદ અપાવે છે કે કુમળા બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620


વર્ગને જેમણે સ્વર્ગ બનાવ્યો આકરૂન્દ શાળાના સનિષ્ઠ શિક્ષકોની શિક્ષણ યાત્રા 

૧. વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ

૨. સમર્પણ, સાધના અને શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક: આકરુંદ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક નિમેષભાઈ પટેલ

૩. ગણિત-વિજ્ઞાનના પર્યાય અને વિદ્યાર્થીઓના પ્રેરણામૂર્તિ: શ્રી ભવદીપભાઈ પટેલ

૪. શિક્ષણ જગતમાં અજવાળા પાથરવા અવિરત ઝળહળતો એક ચિરાગ : ચિરાગભાઈ પટેલ

Sunday, July 5, 2026

સન્ડે સ્પેશિયલ

શિક્ષણ જગતમાં અજવાળા પાથરવા અવિરત  ઝળહળતો એક  ચિરાગ : ચિરાગભાઈ પટેલ



        ચિરાગભાઈ પટેલ એટલે એટલે પી.એમ શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાને અવિરત ધબકતી રાખવા ૨૪*૭ પ્રયત્નશીલ રહેતા એક નિષ્ઠાવાન શિક્ષક ! પી.એમ. શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક ચિરાગભાઈ પટેલ શિક્ષણ જગતમાં એક આદર્શ અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે. તેમનો સમગ્ર અભિગમ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વિષયને રસપ્રદ બનાવવાની તેમની કુનેહ દાદ માંગી લે તેવી છે.

મોડાસા તાલુકાનું બાયલ ગામ તેમનું વતન. તેમનો પરિવાર મૂળ તો ખેતી સાથે સંકળાયેલો. ખેડૂતપુત્ર હોવાના નાતે ખેતીનું સૂઝ તો ખરી જ !  પરંતુ ખેતી તરફ ન વળતાં શિક્ષણને પોતાનું હથિયાર બનાવ્યું.  એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ગણિત વિજ્ઞાનમાં અત્યંત રૂચી. એટલે વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ બાર પાસ કરી, B.Sc. B.Ed. અને PTC નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૫ મી જુલાઈ ૨૦૧૦ ના રોજ મહીસાગર જિલ્લાના એક છેવાડાના ગામમાં વિદ્યાસહાયક તરીકે નિયુક્ત થયા. નોકરીની શરૂઆતથી જ કાંઈક હટકે કરવાની તેમની ખેવનાના કારણે વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની રહ્યા. મહીસાગરમાં ટૂંકી સેવાઓ આપ્યા બાદ અરવલ્લીની ગિરિકંદરાઓ ચિરાગભાઈને જાણે સાદ કરીને પોકારી રહી હતી. અરવલ્લી જિલ્લામાં અલગ-અલગ શાળાઓમાં સેવાઓ આપી. આખરે નિયતિ તેમને છેક આકરૂન્દ શાળા તરફ દોરી લાવી. ૨૪ મી નવેમ્બર ૨૦૨૦ ના રોજ તેઓ આકરૂન્દ શાળામાં જોડાયા અને શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા.


     ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સરળ, સચોટ અને પ્રાયોગિક બનાવીને વિદ્યાર્થીઓમાં તેમણે એક ઊંડી સમજણ ખીલવવા મથામણ આદરી. છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીનો પાયાનો ખ્યાલ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઝંપીને બેસે તો ચિરાગભાઈ શાના ! આકરૂન્દ ગામના કે આજુ બાજુના ગામથી આવતા વિદ્યાર્થીઓમાં કોઈ ગેરહાજર હોય તો ચિરાગભાઈ તેના ઘરે જઈ પોતાની કારમાં વિદ્યાર્થીને તેડી લાવે. કોઇપણ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે એ ચિરાગભાઈને સતત ડંખ્યા કરે.  

     ચિરાગભાઈ માટે વિજ્ઞાન એટલે માત્ર ગોખણપટ્ટી નહીં, પરંતુ જીવનના પ્રત્યેક અનુભવને સમજવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ. તેમણે અભ્યાસક્રમમાં આવતા તમામ પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે જાતે કરાવીને તેમને વિજ્ઞાનના ગૂંચવણભર્યા સિદ્ધાંતો સરળતાથી સમજાવ્યા છે. તેમના જ અથાક પ્રયાસો અને દ્રઢ સંકલ્પના પરિણામે આકરૂન્દ શાળામાં એક આધુનિક અને સુંદર “નીતિનભાઈ જે. પટેલ  ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”નું નિર્માણ શક્ય બન્યું છે. આ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પોતાની જાતે નવું શીખવા અને સમજવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ઉનાળુ  કે દિવાળી વેકેશન સૌ માટે  પોતાના પરિવાર સાથે હળવાશથી સમય પસાર કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. પરંતુ વેકેશન દરમિયાન પણ શાળા અને પોતાના વિદ્યાર્થીઓના જીવન વિકાસના વિચારો હૃદયમાં રમ્યા કરે એવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે ! ગત દિવાળી વેકેશનમાં ચિરાગભાઈના મનમાં એક વિચાર સ્ફૂર્યો કે શાળાના બાળકો દ્વારા ભગવત ગીતાજીનો એક શ્લોક કંઠસ્થ કરાવી, દરરોજ એક શ્લોક  દરેક વાલી અને વિદ્યાર્થી  સુધી પહોંચાડીએ તો કેવું ! વિચાર તો મજાનો હતો પરતું વેકેશન હતું. દિવાળીનો દિવસ હતો. કરવું તો કરવું શું ? પણ હાર માની બેસી જાય તો ચિરાગભાઈ નહિ. તેમને વિદ્યાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી શાળામાં બોલાવ્યાં. દરેકને એક એક શ્લોક કંઠસ્થ કરવા આપી દીધો. અને તમામ શ્લોકોને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા. અને નૂતન વર્ષના દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત પ્રસ્તુત કરવામાં આવતા ભગવત ગીતાના શ્લોકની શરૂઆત થઇ. જેમાં સંસ્કૃત વિષયનાં નિષ્ણાત શિક્ષિકા દર્શનાબેનનો સથવારો મળ્યો. પરિણામે જાહેર રજા હોય કે  ઉનાળુ વેકશન હોય   તે ક્રમ આજે પણ યથાવત જળવાઈ રહ્યો છે.

       શિક્ષણ નગરી તરીકે વિખ્યાત   મોડાસા જેવા શહેરમાં પોતે રહેવા છતાં, પોતાનાં સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાને બદલે આકરૂન્દની સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો તેમનો નિર્ણય સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. આ નિર્ણય  તેમની આદર્શવાદી વિચારધારા અને સરકારી શિક્ષણ પ્રણાલીમાં રહેલા અતુટ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.

      શાળાની અંદરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય કે શાળા બહારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ચિરાગભાઈની કાર્યપદ્ધતિમાં માઈક્રો પ્લાનિંગ (સૂક્ષ્મ આયોજન) સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગતવર્ષે તાલુકા કક્ષાની શિક્ષકોની તાલીમ આકસ્મિક આકરૂન્દ શાળા ખાતે ગોઠવાઈ. એની જાણ શાળાને આગળના દિવસે સાંજે થઇ. અંદાજે ૭૦ જેટલા શિક્ષકોની બેઠક વ્યવસ્થ, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા જરૂરી સાહિત્ય અને સ્ટેશનરીની વ્યવસ્થા  કેવી રીતે ઉભી કરવી તે એક મોટો પ્રશ્ન હતો. એક પળનો પણ વિલંબ કાર્ય વિના ચિરાગભાઈએ તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. ગણતરીના કલાકોમાં એવું ઉત્કૃષ્ઠ વ્યવસ્થા પૂરી પાડી કે તાલીમ લેનાર તમામ શિક્ષકોએ ચિરાગભાઈની પથ થાબડી.  કોઈપણ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવાની તેમની આવડત ખરેખર ઉડીને આંખે વળગે તેવી છે.

        શાળા માટે જરૂરી વસ્તુઓની ખરીદી હોય કે બાળકોના જ્ઞાનવર્ધન માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન હોય, તેઓ દરેક વિગતો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપે છે. શાળાના નિર્ધારિત સમય પછી પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત મથ્યા કરવું, એ તેમના સ્વભાવ બની ગયો છે.

      એક ઉત્તમ શિક્ષક માત્ર ભણાવવા પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તે બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારીની પણ ચિંતા કરે છે. ચિરાગભાઈ બાળકોને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે વિશેષ કાળજી રાખે છે. ભોજનની ગુણવત્તા જળવાઈ રહે અને બાળકો તંદુરસ્ત રહે તે માટે તેમની દેખરેખ અને માર્ગદર્શન ખૂબ જ મૂલ્યવાન સાબિત થાય છે.

      ચિરાગભાઈનું જીવન અને કાર્યશૈલી એ તમામ શિક્ષકો માટે પ્રેરણારૂપ  છે. તેમનું આકરૂન્દ શાળા સાથેનું જોડાણ માત્ર એક નોકરી પૂરતું નથી, પરંતુ તે એક સમર્પિત ભાવના છે. પોતાના અંગત જીવનની સુવિધાઓને બાજુ પર મૂકીને, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી માનવું અને સરકારી શાળાઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલવો એ તેમનું સૌથી મોટું યોગદાન છે. આવા કર્તવ્યનિષ્ઠ અને સમર્પિત શિક્ષકો જ આદર્શ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે. ચિરાગભાઈ પટેલ જેવા શિક્ષકોના સથવારે જ આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળા જેવા વિદ્યાલયો જ્ઞાનના સાચા મંદિર બનીને ઝળહળી ઉઠે છે.

       શાળામાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં  ચિરાગભાઈ હંમેશાં અગ્રેસર રહીને શાળાના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર વિષયવસ્તુ નથી ભણાવતા, પરંતુ તેમને જીવનના મૂલ્યો અને સંસ્કારોનું પણ સિંચન કરે છે. તેમના આ જ પ્રયાસોના કારણે આકરૂન્દ પ્રાથમિક શાળા સમગ્ર અરવલ્લી પંથકમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શાળા તરીકે ઉભરી આવી છે.

         સરકારી શાળાઓની ગુણવત્તા વધારવા અને શિક્ષણને નવો આયામ આપવા માટે ચિરાગભાઈની આ કર્તવ્યનિષ્ઠા અને સપનાઓને આપણે સૌ સલામ કરીએ છીએ. તેમનો આ નિસ્વાર્થ સેવાભાવ આવનારી પેઢી માટે સદા પ્રેરણાદાયી બની રહેશે.

સંપર્ક : ચિરાગભાઈ પટેલ : 94279 61383

-      ઈશ્વર પ્રજાપતિ

-      98251 42620



 

Saturday, July 4, 2026

A Tribute to a Champion of the Oppressed



"Shri Prakashbhai K. Shah, a tireless champion of the suffering and marginalized, is no more."

My heart still denies the tragic loss of Prakashbhai K. Shah.

Hearing of the passing of Prakash Shah, my heart skipped a beat. Just this past May, following his return to India from the United States, we spent hours locked in deep, sprawling conversations. The warmth and affection in his voice still echo clearly in my mind. Even now, it feels impossible to accept that he is truly gone.
Prakash Shah was a rare, towering figure who bridged two worlds, linking the quiet rural corners of India's Aravalli district to the highest corridors of power in the United States. His counsel was sought and deeply valued across the political spectrum—reaching world leaders from former U.S. President Barack Obama to President Donald Trump, and earning the steadfast respect of both ruling and opposition parties in India and America alike. Yet, despite his global influence, his roots remained firmly planted in his native village of Gabat. Until his very last breath, he carried an fierce, unyielding devotion to his motherland.

To the outside world, he was a brilliant advisor, but to the hundreds of impoverished and vulnerable individuals he championed, the mere mention of his name brought immediate comfort. His sudden departure leaves a profound void; countless families feel they have lost their ultimate pillar of support, and the grief among them is palpable.

In an era of self-promotion, Prakash Shah was a modern-day sage who consciously chose impact over fame. Though he lived in the United States for forty-five years, the surrounding consumerist lifestyle never eroded his family's core principles. His heart remained entirely steeped in traditional Indian values and culture, and his mind was consumed by a singular, constant question: how to better uplift his homeland.

This spirit of monumental service was a family heirloom. Prakash was the son of the late K.K. Shah, a legendary statesman who served as an advisor to the Maharaja of Vadodara, a Union Cabinet Minister, and the Governor of Tamil Nadu. The senior Shah’s leadership helped shape a young nation, most notably when he stood resolutely alongside Sardar Vallabhbhai Patel during the complex integration of the princely states. Though decades have passed since K.K. Shah’s death, his legacy endures—perhaps most visibly in Vatrak Hospital, a vital institution that grew from a small local initiative into a massive sanctuary of healthcare, fueled entirely by his early foresight.

Following closely in his father’s footsteps, Prakash Shah kept that flame of patriotism burning bright from across the Atlantic. He deeply integrated Gandhian philosophy into his daily life, effectively living with one foot in America and the other in India.

Through frequent visits home, he made it his personal mission to understand the evolving needs of his community, dedicating his time, energy, and resources to meet them. Today, on the banks of the Vatrak River, the Shri K.K. Shah Charitable Trust continues its vital work, keeping their family ashram alive and pulsing with humanitarian efforts dedicated entirely to serving the poor and forgotten.

Prakash Shah’s father was a titan of his era—a high-ranking Union Minister, a state Governor, and a legendary attorney whose elite law practice commanded a staggering fortune. Raised in the lap of luxury, Prakash’s early life was nothing short of princely. Though it was a small family, their sprawling estate required an army of nearly two hundred servants to keep it running. Yet, despite being born with a silver spoon, Prakash was determined to forge his own path. He walked away from a life of inherited privilege and bought a one-way ticket to America. Trading absolute comfort for the unknown, he embraced a grueling climb to the top, writing a life story that reads like a Hollywood script.

The contrast could not have been more stark. In India, he lived like royalty; in America, his crucible began. Suddenly, he was a man with no safety net, struggling to find a steady place to eat or sleep. He started at the absolute bottom, taking grueling, low-wage jobs, including a stint as a restaurant waiter just to secure a hot meal and a roof over his head. Many nights, he slept right there on the restaurant floor. In those days, a modest tip from a customer was cause for celebration—it was the only way he covered his basic necessities. Those lean years left an indelible mark on him; decades later, as a wealthy man dining in the world's finest restaurants, he made it a point of honor to always tip with immense generosity.

For years, his routine was relentless: backbreaking work by day, and college classes by night. Success did not come easily. He faced a major setback when he initially failed the rigorous accountancy boards. Yet, defined by a stubborn refusal to quit, he fought through thirteen years of setbacks before finally passing the examinations in 1988 to earn his Certified Public Accountant (CPA) license. As the old adage goes, fortune favors the bold. That hard-won credential unlocked the doors of destiny. He went on to co-found the prestigious accounting firm 'Stevens, Sloan & Shah', launching a decades-long career of stellar service that ultimately brought him both the immense wealth he had once walked away from, and a global reputation he had earned entirely on his own.

Prakash Shah often maintained that adversity carries its own unique dignity. To him, a life completely untouched by hardship was a misfortune, because it is only within the crucible of struggle that true character is forged. He believed in looking solely to the Divine for guidance, advocating for a life built on relentless, honest labor. His blueprint for a meaningful life was simple yet profound: steer clear of destructive vices, honor and protect the women in your family, and commit yourself entirely to the service of the less fortunate. For Prakash, this was the ultimate definition of success.

During his frequent trips back to the Vatrak region, he never managed from a distance; he insisted on grassroots, face-to-face connection. He sought out the vulnerable, listened intently to their struggles, and quietly offered whatever baseline of support they needed to rebuild their lives. In altering the trajectories of hundreds of marginalized families, his philanthropy was both sweeping and deeply personal. From funding a daughter’s wedding or underwriting a bright student's tuition, to securing housing for the homeless or absorbing catastrophic medical debts—he acted as a silent lifeline, fiercely adhering to the old adage of never letting his left hand know what his right hand was doing. Once he extended a helping hand to someone in a storm, his commitment to them was absolute.

He was, in every sense, a modern-day sage—one who chose a sharp, tailored suit over monastic robes. Yet to the communities that found refuge in his immense generosity, he was revered as a guardian angel. By founding local women’s cooperatives, he ignited a quiet economic revolution that empowered hundreds of homemakers with financial independence. His devotion to his roots was unwavering; whether he was modernizing a neglected village schoolhouse or outfitting a rural hospital with cutting-edge medical technology, he never hesitated to pour his hard-earned wealth back into the upliftment of his beloved homeland.

Prakash Shah’s unwavering commitment to truth was a legacy inherited directly from his father, deeply rooted in Gandhian principles. For him, civic pride and cleanliness were personal responsibilities rather than abstract ideals; he routinely picked up litter in public spaces without a second thought. On his walks through Punit Van in Gandhinagar, if he encountered a neglected public restroom, he would quietly grab a broom and clean it himself—completely devoid of ego or pretense. Even after reaching the pinnacle of professional and financial success, he remained remarkably grounded. His life was a masterclass in humility, offering a quiet, inspiring blueprint for how to live with pure intentions.

He was, in every sense, a modern-day sage. His sudden passing leaves an irreplaceable void, felt with equal weight from rural Gujarat to his adopted home in the United States. He leaves behind a world made better by his presence, and we pray that his noble soul finds eternal peace.

Om Shanti... Om Shanti... Om Shanti.

An aricle by : Ishwar Prajapati
English version : Pallavi Gupta.

Mo. : 9825142620

Friday, July 3, 2026

દુખીયારાંના બેલી અને વંચિતોના વાણોતર પ્રકાશભાઈ કે. શાહ સાહેબ

 

મન હજી માનવા તૈયાર નથી કે દુખીયારાંના બેલી અને વંચિતોના વાણોતર પ્રકાશભાઈ કે. શાહ સાહેબ આપણી વચ્ચે રહ્યા નથી.

   પરમ આદરણીય પ્રકાશભાઈ શાહ સાહેબની ચિર વિદાયના સમાચાર જાણી હૃદય જાણે ધબકાર ચુકી ગયું. હજી હમણાં મેં મહિનામાં તો તેઓ અમેરિકાથી ભારત આવ્યા હતા ત્યારે કેટલી લાંબી મુલાકાતો અને કેટકેટલા સંવાદો થયેલા. પ્રેમ નીતરતા તેમના મધુર શબ્દો હજી કાનમાં ગૂંજ છે. મન હજી માનવા તૈયાર નથી કે પ્રકાશભાઈ આપણી વચ્ચે નથી.

   અરવલ્લીથી માંડી અમેરિકા એક સાથે ગૌરવ લઈ શકે  એવું એક  ગૌરવંતુ નામ એટલે પ્રકાશ શાહ. અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા હોય કે વર્તમાન પ્રમુખ ટ્રમ્પ  હોય તેઓ  માટે પણ પ્રકાશ શાહનું માર્ગદર્શ ઉપકાર થઈ પડે. ભારત હોય કે અમેરિકા બંને દેશોના  સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ એમ સર્વે  પક્ષો   જેમના એક એક શબ્દનો આદર કરવામાં ગૌરવ અનુભવે, એવી આ વિરલ વિભૂતિ  અરવલ્લી જીલ્લાના ગાબટ ગામની વતની ! છેલ્લા સ્વાસ સુધી માતૃભુમીને છાતી ફાડીને અપ્રતિમ પ્રેમ કરતા રહ્યા.  

પ્રકાશ શાહ  નામ સાંભળતાં જ સેકડો જરૂરીયાતમંદ, ગરીબ અને નિસહાય સેકડો લોકોના મુખ પર એક  અલૌકિક સ્મિત ઉભરી  આવે. પરંતુ પ્રકાશભાઈની આમ અણધારી વિદાયથી કેટકેટલાય પરિવારોએ જાણે પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. અન્ખોમાંથી આંસુ સુકાવાનું નામ લેતાં નથી.

 આ આધુનિક ઋષિ પુરુષના નામથી  બહુ ઓછા લોકો પરિચિત છે. કારણ કે આ પુરુષે નામને નહિ કામને જ મહત્ત્વ આપ્યું છે. અમેરિકા રહીને પણ માતૃભુમીના વિકાસ માટે તેમના હૃદયમાં અહર્નિશ મનોમંથન ચાલ્યા જ કરે. તેઓ સાડા ચાર દાયકાથી અમેરિકા સ્થાઈ થયા હતા. એમ છતાં ભોગવાદી જીવનશૈલી તેમના પરિવારના સંસ્કારોને  સ્પર્શી શકી નહતી.. તેમનું હૈયું ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોથી હમેશા રંગાયેલું રહ્યું.

પ્રકાશ શાહ એ કે. કે. શાહના સુપુત્ર છે. કે. કે. શાહ એટલે વડોદરાના મહારાજના સલાહકાર, પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મીનીસ્ટર અને તમિલનાડુના પૂર્વ  રાજ્યપાલ હતા.. તેમના નેતૃત્વએ દેશને નવી દિશા આપી. દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદારની સાથે અડીખમ ઊભા રહ્યા. શ્રી કે. કે. શાહની ચીર વિદાયને આજે દાયકાઓ થઇ ગયા એમાં છતાં તેઓએ કરેલા સેવા કાર્યોની મહેંક આજે પણ બરકરાર છે. નાનકડા બીજમાંથી આજે  વટવૃક્ષ  બનેલી વાત્રક હોસ્પિટલ કે.કે. શાહની દૂરંદેશીનું પરિણામ છે.

પિતાના પગલે પ્રકાશ શાહે પણ અમેરિકામાં રહીને પણ માતૃભૂમિની સેવાની આહલેક જગાવી. પિતાએ વારસામાં આપેલો વતનપ્રેમ તેઓએ હૃદયમાં સાચવી રાખ્યો. પિતાની જેમ તેઓ પણ ગાંધી વિચારને જીવનમાં વણી લીધો.  તેમનો એક પગ અમેરિકા અને બીજો પણ ઇન્ડીયામાં રહેતો હતો.. અવાર નવાર વતનની મુલાકાત લેતા રહેતા.. માતૃભૂમિની જરૂરીયાતો જાણે અને તેની પૂરી કરવા તન, મન, ધનથી સેવા અર્પણ કરતા રહેતા. વાત્રક નદીને કાંઠે શ્રી કે.કે.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં કાર્યરત છે. સાથે સાથે આ આશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકતો રહે છે.

પ્રકાશભાઈના પિતા એ જમાનામાં કેન્દ્રીય મીનીસ્ટર હતા, રાજ્યપાલ હતા અને એક પ્રતિષ્ઠિત વકીલ પણ હતા. એ સમયે તેમની વકીલાતની મહીનાની પ્રેક્ટીસ પાંચ લાખ હતી. સમૃદ્ધિની છોળો વચ્ચે રાજવી ઠાઠમાઠથી પ્રકાશભાઈનો ઉછેર થયો હતો. તેમના પરિવારમાં માત્ર  ચાર જ  વ્યક્તિ હતા અને બસો જેટલા  નોકર-ચાકર તેમની સેવામાં ખડેપગે તૈયાર રહેતા. આ સુખ સાહ્યબી વચ્ચે પણ પોતાની કેડી આપબળે કંડારવાનું નક્કી કર્યું. એક સમયે ઘર છોડી  અમરિકા પહોંચી ગયા.. અને અમેરિકા જઈ સુખ સાહેબીથી દૂર સનેક સંઘર્ષો વેઠી જાત મહેનતે  પોતાનું એમ્પાયર ખડું કરી દીધું. તેમના જીવનની સંઘર્ષ કથા કોઈ ફિલ્મી પટકથાથી જરાય ઉતરતી નથી.

રાજ્યપાલનો દીકરા હતા  એટલે ભારતમાં રાજકુમારની જેમ જીવન પસાર થયું હતું.  પરંતુ અમેરિકા આવ્યા પછી સંઘર્ષના દિવસો શરૂ થયા. અહિ રહેવા – જમવાના કોઈ ઠેકાણા નહિ. નાની નાની નોકરીથી શરૂઆત કરી. રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે પણ  કામ કર્યું. ત્યાં જમવાનું મળી રહેતું. અને ત્યાં જ સુઈ જતા.. કોઈ ટીપ આપે તો ખુશ થઈ જતા.. જેનાથી મારા બીજા ખર્ચા નીકળતા. એટલે જ આજે કોઈ હોટેલમાં જમવા જવાનું થાય તો ટીપમાં મોટી રકમ  અચૂક આપતા..

આખો દિવસ નોકરી કરવાની અને રાત્રે કોલેજ જઈ અભ્યાસ કરવાનો ચાલુ રાખ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટમાં તેઓ ફેઈલ થયા.. તેર વર્ષની પણ સખત મહેનત પછી 1988 કરી ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરી. CPAનું  લાઈસન્સ પ્રાપ્ત કર્યું. સખત મહેનત કરીએ તો નસીબ પણ યારી આપે છે. લાયસન્સ મળ્યા પછી જાણે ભાગ્યના દ્વાર ખુલી ગયા. સ્ટીવન, સ્લોન અને શાહ CPA જૂથની સ્થાપના કરી. દાયકાઓ સુધી સેવાઓ આપી છે. જેના કારણે નામ અને દામ બંને મળ્યા.

પ્રકાશભાઈ કહેતા  કે “ગરીબીમાં અમીરી છે. જે માણસના જીવનમાં સંઘર્ષ જ નથી આવ્યો એ ખુબ બદનસીબ વ્યક્તિ છે. સંઘર્ષમાં જ વ્યક્તિની આંતરિક શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે છે. ભગવાન સિવાય તમારો ગોડ ફાધર છે જ નહિ. સખત પુરુષાર્થ કરો. નિષ્ઠા પૂર્વક મહેનત કરો એનું વળતર ભગવાન આપશે. વ્યસનથી દૂર રહો અને ઘરની લક્ષ્મી પર ત્રાસ ગુજારો નહિ. દરિદ્ર નારાયણની સેવા કરો. સફળતાનો આ જ મંત્ર છે.”

પ્રકાશભાઈ અવાર નવાર વાત્રક આવતા.. જરૂરિયાતમંદ લોકોને રૂબરૂ મળતા’. તેમની જરૂરિયાતો જાણે અને શક્ય એટલી તમામ મદદ પહોચાડે.  સેંકડો દરિદ્રનારાયણનું જીવન પરિવર્તિત કરવામાં પ્રકાશભાઇ શાહ સાહેબ મન મૂકીને વરસ્યા છે. કોઈની દીકરીનું લગ્ન હોયસંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, કોઈ માટે નવીન ઘર લેવાનું હોયઆકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય આવી અનેક રીતે તેઓ મદદ પહોંચાડે પણ  પ્રકાશભાઈ કોઈનેય ખબર પડવા ન દે. કોઈ માણસની આંગળી તેઓ પકડે પછી તેને તેઓ ક્યારેય છોડતા નથી.

     ભગવાં વસ્ત્રોમાં નહિ પણ શૂટ-બૂટમાં ફરતા ઋષિ પુરુષ હતા. જેમને પણ પ્રકાશભાઈ શાહ સાહેબની છત્રછાયા પ્રાપ્ત થઈ છે તેઓ માટે પ્રકાશભાઈ ભગવાન સમાન માને છે. સખી મંડળની રચના કરી સેકડો મહિલાઓના જીવનમાં આર્થિક ક્રાંતિ લાવવા પણ તેઓ કારણભૂત બન્યા. વતનના  વિકાસ માટે તેઓ તત્પર રહેતા.. એ ગામની શાળાનું આધુનિકરણ કરવાની વાત હોય કે કોઈ હોસ્પિટલને અત્યાધુનિક સગવડોથી સજ્જ બનાવવી હોય, માતૃભૂમિના વિકાસ માટે દાનની સરવાણીનો ધોધ વહાવામાં પ્રકાશભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

ગાંધી વિચાર પિતા તરફથી વરસમાં મળ્યા.. સત્ય તેમને અત્યંત પ્રિય છે. સ્વચ્છતાનો તેઓ અતિ આગ્રહી છે. જાહેર સ્થાનોએ કચરો જુએ તો પોતે ઉપાડી લે. ગાંધીનગર પુનિતવનમાં ફરતાં ફરતાં જાહેર શૌચાલયમાં ગંદકી જુએ તો પોતે જાડું લઈ સફાઈ કરવામાં નાનમ ક્યારેય ન અનુભવે. સફળતાના એવરેસ્ટ પર પહોંચ્યા પછી પણ ડાઉન ટૂ અર્થ કેવી રીતે રહેવું એ બાબત સૌ કોઈએ પ્રકાશભાઈના પવિત્ર જીવનમાંથી પાસેથી શીખવા જેવું છે.

પ્રકાશભાઈ આ જમાનાના આધુનિક ઋષિ હતા. પ્રકાશભાઈની અણધારી વિદાય થી માત્ર અરવલ્લીને જ નહી પરંતુ સમગ્ર ગુજરાત, ભારત અને અમેરિકાને પણ ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા પુણ્ય શ્લોક આત્માને ચિર શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ... ઓમ શાંતિ... ઓમ શાંતિ.   

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, June 28, 2026

Sunday Special

Behold the inspiring journey of Gujarat’s very own ADGP, Ajay Choudhary (IPS)!

The name of the venerable senior police officer, Ajay Choudhary (IPS), ADGP (Additional Director General of Police), needs no introduction. In contemporary times, it is a name spoken with profound respect, not just within Gujarat or India, but across the international stage.
  Successfully executing numerous spine-chilling operations that seemed virtually "impossible"—and so at the peril of his own life—Ajay Choudhary has carved out an illustrious identity as a brilliant and courageous police officer. Concurrently, infusing his unwavering devotion to duty with deep empathy, he has won a permanent place in the hearts of the people, pioneering a new era of 'soft policing' and spreading a beautiful fragrance of harmony throughout society.
    Born on February 2, 1975, into a modest middle-class family, Ajay Choudhary’s journey toward becoming an IPS officer is a riveting saga filled with numerous twists and turns. He was born in Dehri-on-Sone, a picturesque village nestled along the banks of the Sone River in the then-state of Bihar. Because Dehri was situated on the riverbanks, the British had christened it Dehri-on-Sone—a village that now falls within the borders of Jharkhand. His father was employed at SAIL (Steel Authority of India Limited) in the Bokaro district, while his mother was a devoted homemaker. Built in collaboration with Russia, the SAIL plant was a marvel of modern industry, which led to Bokaro developing into a meticulously planned industrial city. It was in this vibrant city of Bokaro that Ajay Choudhary received both his formal education and his foundational life lessons. Since the plant was established with Russian cooperation, Russian citizens also resided in the town. The fond memory of Russian residents smilingly handing out chocolates to delight children remains as vivid and fresh in Ajay Choudhary's mind today as it was all those years ago.
      During the early years of his education, he remained a remarkably average student; the last bench had become his comfort zone. However, his mother was a strict disciplinarian. She deeply understood the value of education and would not hesitate to mete out stern punishment when necessary. Driven by the sheer dread of his mother's discipline, whenever report cards were issued, young Ajay would choose to flee and hide elsewhere rather than head home with his results.

    Punishment is not always born out of anger; sometimes, it stems from a profound, boundless love for one’s child and an underlying anxiety for their bright future. His parents harbored but a single, burning desire—that their son would forge ahead and carve out his own destiny through sheer self-reliance. His mother would often remind him, her voice filled with hope: "Son! Grow up to become such a high-ranking officer that you get to wear the prestigious uniform cap." These heartfelt words of his mother would deeply move his soul.
      Until the 7th or 8th grade, young Ajay appeared to be a thoroughly mediocre student, but then, something shifted within him. He felt a sudden, sharp pang of conscience. How long must I continue to endure the constant reprimands of my parents and teachers? This single thought churned his heart and stirred his soul. From that moment on, he channeled all his focus into his studies, and a sheer miracle unfolded.
Ajay, who once occupied the very last bench of the classroom, passed his 10th-grade exams with an impressive second rank. He mastered mathematics with such brilliant prowess that he could crack the most complex and daunting puzzles in the blink of an eye. His confidence soared to the seventh heaven. Education, which once felt like an unbearable burden, transformed into his greatest passion. He went on to top his school in the 12th-grade examinations, and if that wasn't enough, he secured a coveted admission into IIT Delhi. Even after stepping into the prestigious IIT, it felt so surreal that he often wondered if he was living a beautiful dream.
He continued to scale the ladders of success, one milestone after another. After completing his B.Tech, Ajay Chaudhari cleared the formidable UPSC examination on his very first attempt and joined the Indian Police Service. He was appointed as an IPS officer of the 1999 batch under the Gujarat cadre. Ultimately, he attributes the glorious success of his life to nothing but divine grace and the unwavering inspiration provided by his parents.
       He has shouldered pivotal responsibilities across various districts and police departments of Gujarat. Throughout his illustrious career, he has tactfully executed numerous spine-chilling operations at the risk of his own life, giving a fitting reply to the enemies of the nation. Prominent among these was his instrumental role in capturing Dawood’s henchman, Abu Miyan—who was involved in the Mumbai serial bomb blasts—from Abu Dhabi and bringing him back to India. He successfully pulled off this high-stakes operation by seamlessly coordinating with as many as 17 Indian agencies.

   His operational style naturally weaves a rare blend of stringent law enforcement and deep human empathy into his persona.
    The identity of Ajay Choudhary is not merely confined to that of a police officer; he is widely recognized as a staunch proponent of 'Soft Policing.' He firmly believes that while strictness is essential to enforce the law, sensitivity and empathy are equally vital to win the trust of the people. He takes meticulous care to ensure that the grievances of citizens visiting his office are resolved swiftly. Thanks to this compassionate approach, he has emerged as a resilient bridge between the police administration and the common man.
   Personally deeply empathetic, Ajay Choudhary is currently spearheading a major campaign in Gujarat dedicated to the safety and security of women and children. In collaboration with the Anti-Human Trafficking Unit of CID Crime, he launched a massive operation that successfully busted child labor networks across the state, granting a new lease on life to numerous children. During this campaign, the Women Crime Cell of the Gujarat Police conducted multiple raids, rescuing women and children while initiating strict legal action against the perpetrators.
    Over the past few years, the official government records showed more than 24,000 individuals listed as missing. When a loved one steps out and fails to return on time, families are gripped by immense anxiety. For these 24,000 families, months and even years passed without a single trace of their missing relatives. One can only imagine the agonizing plight of these households in such a situation.
   Recognizing this deeply sensitive issue and feeling the pain of thousands of suffering families, Ajay Choudhary undertook a dedicated mission. By leveraging modern technology, Artificial Intelligence, and human resources, his team managed to track down approximately 1,400 missing persons within a matter of days, successfully reuniting them with their families.
          He is a profound student of the unique philosophy of Ramashram Satsang, Mathura, founded by the supreme saint Dr. Chaturbhuj Sahay Ji. It is a direct result of this deep study that he has scaled sublime new heights of spirituality. Even amidst the grueling demands of his police service, Ajay Choudhary has carved out a distinct identity for himself in the realms of art and literature. He is renowned as a gifted painter whose artistic creations have garnered acclaim at both national and international levels. Furthermore, Ajay Choudhary has authored several books, with his most recent work being titled "The AI Advantage." The seamless integration of a dutiful police officer, a sensitive painter, a creative writer, and a benevolent human being makes his personality truly extraordinary.
   When engaging in a conversation with Ajay Choudhary, the pure innocence reflecting from his eyes deeply touches the soul. Despite conquering the peaks of success and arriving at an illustrious milestone in life, he remains steadfastly grounded. The simplicity, humility, and absolute transparency of his nature are profoundly heartwarming. A single meeting with him is enough to transform into a cherished, lifelong memory for anyone.

An aricle by : Ishwar Prajapati
Engalish version : Pallavi Gupta.

Mo. : 9825142620

સન્ડે સ્પેશિયલ

બેટા! મોટો થઈને ટોપી પહેરવી પડે એવો કોઈ મોટો અધિકારી બનજે” IPS બની દીકરાએ માતાએ સેવેલા સપનાને સાકાર કર્યું.

વાત ગુજરાતના ADGP અજય ચૌધરી(IPS)ની !

     વરિષ્ઠ પોલીસ અધિકારી આદરણીય અજય ચૌધરી(IPS) ADGP (Additional Director General of Police)નું નામ પરિચયનું મહોતાજ નથી.  સાંપ્રત સમયમાં માત્ર ગુજરાત કે ભારત નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ આદર સાથે લેવાતું એક નામ છે. ‘મિશન ઈમ્પોસિબલ’ સમાન લાગતાં દિલધડક અનેક ઓપરેશનોને જાનના જોખમે સફળતાપૂર્વક પાર પાડીને અજય ચૌધરીએ એક હોનહાર અને ઝાંબાજ પોલીસ ઓફિસર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. તો બીજી બાજુ ફરજનિષ્ઠામાં સંવેદના ભેળવી લોકોહૃદયમાં સ્થાન પામી ‘સોફ્ટ પોલીસીંગ’નો નવો ચીલો ચાતરી સમાજમાં અનેરી સુવાસ પ્રસરાવી છે.

     ૨ જી ફેબ્રુઅરી ૧૯૭૫ના રોજ એક સાધારણ માધ્યમ વર્ગ પરિવારમાં જન્મેલા અજય ચૌધરીની IPS બનવા સુધીની જીવનસફર અનેક ચડાવ-ઉતારોથી ભરપુર છે. તત્કાલિન બિહાર રાજ્યના પલામુ જિલ્લાનું સોણ નદીને કિનારે વસેલા એક ‘દેહરી–ઓન–સોન’ ગામમાં તેમનો જન્મ થયો. દેહરી ગામ સોણ નદીના કિનારે આવેલું હોવાથી અંગ્રેજોએ તેને દેહરી –ઓન-સોન એવું નામ આપ્યું હતું. હાલ આ ગામનો સમાવેશ ઝારખંડ રાજ્યમાં થયેલ છે. પિતા બોકારો જિલ્લામાં આવેલી SAIL (Steel Authority of India Limited) કંપનીમાં નોકરી કરતા. અને તેમનાં માતા ગૃહિણી હતાં. SAIL રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલો એક આધુનિક પ્લાન હતો. તેથી  બોકારો આયોજનબદ્ધ ઔદ્યોગિક શહેર તરીકે વિકસ્યું હતું. અજય ચૌધરીનું ભણતર અને ગણતર અહિ બોકારો શહેરમાં થયું. SAIL પ્લાન્ટ રશિયાના સહયોગથી નિર્માણ પામ્યો હોવાથી આ નગરમાં રશિયાન નાગરિકો પણ રહેતા. રશિયનો બાળકોને સ્મિત સાથે  ચોકલેટ આપી ખુશ કરી  દેતા, એની સ્મૃતિ અજય ચૌધરીના મનમાં આજે પણ એટલી જ તાજી છે. 

    ભણતરનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ એક સાધારણ વિદ્યાર્થી જ રહ્યા.. છેલ્લી બેંચ તેમને માફક આવી ગઈ હતી. પણ તેમનાં  માતા કડક શિસ્તનાં આગ્રહી. ભણતરનું મુલ્ય બરાબર સમજતાં એટલે જરૂર પડે કડક શિક્ષા પણ કરતાં. અને માતાની આ શિક્ષાના ડરને કારણે જયારે પણ પરિણામ આવે બાળ અજય પરિણામ લઈને ઘરે આવવના બદલે બીજે ક્યાંક ભાગી જવાનું જ પસંદ કરતા.

      શિક્ષા એ માત્ર ગુસ્સાનું પરિણામ નથી હોતું પણ ક્યારેક સંતાન પ્રત્યેના અનન્ય પ્રેમ અને તેના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા પણ જવાબદાર હોય છે. માતાપિતાની તો એક જ ખેવના હતી કે દીકરો આગળ વધી પોતાની કેડી આપબળે કંડાળે ! અને માતા વાત વાતમાં કહેતાં પણ ખરાં કે: “બેટા! મોટો થઈને ટોપી પહેરવી પડે એવો કોઈ મોટો  અધિકારી બનજે” માતાનાં આ વચનો તેમનું હૃદય ભીનાજવી દેતાં.  ધોરણ ૭-૮ સુધી સાવ સાધારણ જણાતા બાળ અજયના મનમાં લાગી આવ્યું. ક્યાં સુધી માતા પિતા અને શિક્ષકો નો ઠપકો સાંભળ્યા કરવાનો? આ વિચારે હૃદય વલોવાયું. એ  પછી ભણવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. અને ચમત્કાર સર્જાયો. છેલ્લી પાટલી પર બેસનાર અજય ધોરણ દસમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા. ગણિતમાં તો એવી હથોટી હાંસલ કરી લીધી કે અઘરોમાં અઘરો જણાતો કોયડો પણ પળમાં ઉકેલી આપતા. તેમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો. એક સમયે બોઝ લાગતું ભણતર હવે રસનું ક્ષેત્ર બની ગયું.  ધોરણ બારમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. એટલું જ નહિ દિલ્હીની IIT માં પ્રવેશ મેળવી લીધો. IIT માં પ્રવેશ મેળવ્યા પછી પણ તેમને તો એમ જ લાગતું હતું કે આ કોઈ સ્વપ્નું તો નથી ને ! એક પછી એક સફળતાના સોપાનો સર કરતા ગયા. અજય ચૌધરીએ B.Tech પૂર્ણ કર્યા બાદ UPSC પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરીને ભારતીય પોલીસ સેવામાં પ્રવેશ કર્યો. અજય ચૌધરી 1999 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી તરીકે નિયુક્ત થયા. જીવનમાં મળેલી સફળતાનો યશ એ માત્ર ભગવાનની કૃપા અને માતા પિતાએ પૂરી પાડેલી પ્રેરણાને જ તેઓ કારણભૂત માને છે.

      ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને પોલીસ વિભાગોમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમની સુદીર્ધ સેવાઓ દરમિયાન જાનના જોખમે અનેક દિલધડક ઓપરેશન તેમણે કુનેહ પૂર્વક પાર પાડી, દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યા છે. તેમાંનું એક ઓપરેશન એટલે મુંબઈ સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા દાઉદના સાગરી અમુ મિયાને  અબુ ધાબીથી દબોચી ભારત લાવવામાં અજય ચૌધરીએ કડી રૂપ ભૂમિકા ભજવી હતી તે  ! ભારતની ૧૭ જેટલી એજન્સીઓ સાથે સંકલન સાધી આ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું.

અજય ચૌધરીની  કાર્યશૈલીમાં કડક કાયદા અમલીકરણ સાથે માનવીય સંવેદનાનો અનોખો સમન્વય તેમના વ્યક્તિત્ત્વમાં સાહજિક વણાઈ ગઈ છે. અજય ચૌધરીની ઓળખ માત્ર એક પોલીસ અધિકારી તરીકે મર્યાદિત નથી. તેઓ "સોફ્ટ પોલીસિંગ"ના સમર્થક તરીકે પણ જાણીતા છે. તેમની માન્યતા છે કે કાયદાનું પાલન કરાવવા માટે કડકાઈ જરૂરી છે, પરંતુ લોકોનો વિશ્વાસ જીતવા માટે સંવેદનશીલતા અને સહાનુભૂતિ એટલી જ મહત્વપૂર્ણ છે. પોતાના કાર્યાલય માં રજૂઆત લઈને આવેલા અરજદારનું કામ પૂર્ણ  સત્વરે પૂર્ણ થાય તેની ઝીણવટભરી કાળજી તેઓ લેતા હોય છે. આ અભિગમને કારણે તેઓ પોલીસ તંત્ર અને સામાન્ય નાગરિકો વચ્ચે એક મજબૂત સેતુ તરીકે ઉભરી આવ્યા છે.

       વ્યક્તિગત રીતે અત્યંત સંવેદનશીલ એવા અજય ચૌધરી હાલ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે મોટી ઝુંબેશ ચલાવી રહ્યા છે. અજય ચૌધરીએ સીઆઈડી (CID) ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે મળીને એક મોટું અભિયાન ચલાવ્યું. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં બાળ મજૂરીના નેટવર્કનો પર્દાફાશ કરી બાળકોને નવજીવન બક્ષ્યું છે.. ગુજરાત પોલીસના વુમન ક્રાઈમ સેલે અભિયાન દરમિયાન દરોડા પાડીને બાળકો અને મહિલાઓને મુક્ત કરાવી  અને ગુનેગારો સામે કડક  કાર્યવાહી કરી છે. 

   છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુમ થયેલ વ્યક્તિઓની સરકારી ચોપડે નોંધાયેલ આંકડો અંદાજે ચોવીસ હજારથી વધારે છે. પરિવારનું કોઈ સ્વજન ક્યાંય બહાર  ગયું હોય અને સમયસર પરત ન ફરે તો પરીવારજનો કેવા  ચિંતામાં મુકાઈ જાય છે ! આ ચોવીસ હજાર પરિવારજનોને પોતાના સ્વજનની  મહિનાઓ અને વર્ષો સુધી કોઈ ભાળ જ મળી નથી. આવી સ્થિતિમાં પરિવારજનોની શું હાલત હશે ! આ ખૂબ સંવેદનશીલ બાબત છે. આવા હજારો પરિવારોની પીડાને પામી અજય ચૌધરીએ એક મિશન હાથ પર લીધું. જેમાં આધુનિક ટેક્નોલોજી, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી ગણતરીના દિવસોમાં અંદાજે ૧૪૦૦ જેટલી ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 

પરમ સંત ડૉ. ચતુર્ભુજ સહયાજી દ્વારા સ્થાપિત રામાશ્રમ સત્સંગ, મથુરાની અનોખી ફિલોસોફીના તેઓ ઊંડા અભ્યાસી છે. તેના પરિણામે જ અધ્યાત્મિકાની એક નવી જ ઉંચાઈને તેઓ સ્પર્શી શક્યા છે.  પોલીસ સેવાની વ્યસ્તતા વચ્ચે અજય ચૌધરી કલા અને લેખન  ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ એક પ્રતિભાશાળી ચિત્રકાર તરીકે જાણીતા છે અને તેમની કલાત્મક કૃતિઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામી છે.. અજય ચૌધરી અત્યાર સુધીમાં ઘણા પુસ્તકો પણ લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે 'ધ એઆઈ એડવાન્ટેજ' (The AI Advantage) નામનું પુસ્તક લખ્યું છે. એક કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી, સંવેદનશીલ ચિત્રકાર, સર્જનાત્મક લેખક અને એક માયાળુ માનવી એમ  આ તમામ ગુણો તેમના વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવે છે.

અજય ચૌધરી સાથે વાર્તાલાપ કરતાં તેમની આંખોમાંથી નીતરતી નરી નિખાલસતા અંતરમનને ભીંજવી જાય છે. સફળતાના શિખરો સર કરી જીવનના એક મુકામ પર પહોંચ્યા પછી પણ તેમના પગ આજે પણ જમીન સાથે જોડાયેલા રાખ્યા છે. તેમના સ્વભાવની સરળતા, વિનમ્રતા અને  નિખાલસતા હૃદયસ્પર્શી છે. તેમની સાથે એક વાર થયેલી મુલાકાત કોઇપણ વ્યક્તિ માટે આજીવન સંભારણું બની રહે છે.

-      ઈશ્વર પ્રજાપતિ

      9825142620 

Sunday, June 21, 2026

સન્ડે સ્પેશીયલ

  વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ   શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ

                     શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી, પણ એક સાધના છે. આ સાધનાને પોતાના જીવનનો મંત્ર બનાવનાર પી. એમ. શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના કર્મઠ શિક્ષિકા એટલે ભાવનાબેન પટેલ. આકરૂન્દ શાળાનાં  ભૂલકાંઓમાં શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરનારાં ભાવનાબેન શિક્ષણજગતમાં એક અનોખું અને આદરણીય નામ છે. મિતભાષી, વિનમ્ર અને શાલીન સ્વભાવ ધરાવતા ભાવનાબેનનું વ્યક્તિત્વ જ એમનું સાચું આભૂષણ છે.

          ભાવનાબેનના ઉત્તમ શિક્ષક તરીકેના ઘડતરની પાછળ તેમના માતા-પિતા અને  હજારો શિક્ષકોના પ્રેરણામૂર્તિ અને 'સુ ગો રા' તરીકે વિખ્યાત આદરણીય સુમતિબેન ગોવિંદ રાવલના આશીર્વાદ અને સાનિધ્ય રહેલા છે. સુ.ગો.રા.ની  તપોભૂમિમાં અનેરામાં  પી.ટી.સી. પૂર્ણ કર્યા બાદ, ૧ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ  ભાવનાબેને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વસાઈ પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં પોતાની અપ્રતિમ કાર્યનિષ્ઠાને કારણે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના હૃદયમાં આદરણીય સ્થાન પામ્યા.

વતનથી દૂર ફરજ બજાવતાં ભાવનાબેનને વતનની ભૂમિ સાદ કરીને બોલાવી રહી હતી. મહેસાણા જિલ્લામાંથી તત્કાલિન સાબરકાંઠા જિલ્લામાં બદલી થતાં, ધનસુરા તાલુકાની શીકા પ્રાથમિક શાળામાં ટૂંકો સમય સેવા આપી, તેઓ આકરુંદ નજીક આવેલી માધાની મુવાડી પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા તરીકે જોડાયા. માધાની મુવાડી પ્રાથમિક શાળામાં નીતિનભાઈ કાંતિભાઈ પટેલ, ચિરાગભાઈ શર્મા (હાલ ધનસુરા TPEO શ્રી) સાથે મળી વિદ્યાર્થીઓમાં શિસ્ત સાથે સંસ્કારોનું સિંચન કર્યું.  આ અંતરિયાળ વિસ્તારમાં તેમણે એક દાયકા (૧૦ વર્ષ) જેટલો લાંબો સમય નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. તેમની ફરજપરસ્તી એટલી અદભુત હતી કે આ સેવાકાળના દોઢ દાયકા પછી પણ આજે ત્યાંના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવનાબેનને અત્યંત આદર સાથે યાદ કરે છે. માધાની મુવાડીમાં હાલ ફરજ બજાવતા નિમેષભાઈ એન. પટેલ અને તેમનાં જીવન સંગીની જાગૃતિબેન પટેલે નંદનવન સમાન શાળાનું વાતાવરણ નિર્માણ કર્યું છે.   

ભાવનાબેનના જીવનસાથી અને પોતે પણ એક નિષ્ઠાવાન શિક્ષક એવા નીતિનભાઈએ વતન આકરૂન્દ ગામની સરકારી શાળાને 'મોડેલ સ્કૂલ' બનાવવાનું પ્રણ લીધું હતું. પતિના આ ભગીરથ કાર્યમાં ખભેખભો મિલાવવા માટે ભાવનાબેને એક નાની શાળા છોડીને, મોટી જવાબદારીઓ સાથે ૮ મે ૨૦૧૦ના રોજ આકરુંદ પ્રાથમિક શાળાને પોતાની નવી કર્મભૂમિ બનાવી. આકરુંદ શાળામાં આવીને આ દંપતી અને સાથી શિક્ષકોની ટીમે શિક્ષણની એવી ધૂણી ધખાવી કે શાળાનો કાયાકલ્પ થઈ ગયો. શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે આ આખી ટીમે દિવસ-રાત જોયા વગર પરિશ્રમ કર્યો છે. એક સમયે ૧૨૫ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા શિક્ષકોના સહિયારા પુરુષાર્થે ૪૦૦ થી અધિક વિદ્યાર્થીઓ ધરાવતી શાળા બની. શિક્ષકોએ જીતેલા વાલીઓના અપ્રતિમ વિશ્વાસનું આ પ્રતિક છે.  

ભાવનાબેન પાસે ધોરણ ૩ થી ૫ માં ભાષા શિક્ષણ આપવાની એક આગવી અને અદ્ભુત હથોટી છે. તેઓ રમત-ગમતમાં અને સરળ શૈલીમાં બાળકોને ભાષા શીખવવાની તેમની સૂઝ ગજબની  છે. તેમના વર્ગના કોઈ બાળક નબળું ન રહી જાય તે માટે સતત તેઓ મથામણ કરતાં જોવા મળે. કોરોના કોરોના દરમિયાન વર્ગમાં બેસી ઓનલાઈન વર્ગ લેવાના બદલે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી લેતાં રહ્યાં.   પારિવારિક વ્યસ્તતાઓ અને જવાબદારીઓ હોવા છતાં, તેમણે ક્યારેય શાળાના સમય કે કાર્યમાં કોઈ બાંધછોડ કરી નથી.  તેમની સમયપાલન અને નિયમિતતા એટલી ચોક્કસ છે કે તેમને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાની ઘડિયાળનો કાંટો મેળવી શકે ! ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખી પોતાના કામમાં જ ખૂપેલાં રહેવાનો તેમનો સ્વભાવ છે. તેમનું સાદગી ભર્યું, શાલીન અને નિખાલસ વ્યક્તિત્ત્વ એક પાઠશાળા સમાન છે. ભગવાન રણછોડ રાયમાં અનન્ય શ્રદ્ધા ધરાવતાં ભાવનાબેન વિદ્યાર્થીઓમાં જ બાલ ગોપાલનાં દર્શન કરે છે.

આદરણીય નીતિનભાઈની અણધારી વિદાયથી આખા શાળા પરિવારનો જાણે આધાર સ્તંભ જ ભાંગી પડ્યો હોય એવી સ્થિતિ નિર્માણ પામી. “ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું ?” ભાવનાબેન માટે આ આઘાત અસહ્ય થઇ પડ્યો. કોઈની પણ પાસે આશ્વાસનના શબ્દો ન હતા. હૈયામાં સળગેલો દાવાનળ ક્યાં જઈ ઠરાવો ? જીવનની અત્યંત નાજુક કહી શકાય એવી પરિસ્થિતિમાં પણ પોતાના વર્ગનાં વિદ્યાર્થીનાં હિતને જરા પણ આંચ આવવા ન દીધી. મન ઉપર મેરુ પર્વત મૂકી ભાવનાબેને વિદ્યાર્થીઓનો પાઠ્યક્રમ પૂરો કર્યો. આજના સમયમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ આવી ફરજનિષ્ઠા ક્યાંય જોવા મળે ખરી ?

 છેલ્લા દોઢ દાયકાથી આકરુંદ શાળાને તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને સેવાઓ મળી રહી છે. ભાવનાબેન જેવા સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ શિક્ષિકા માત્ર શાળાનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ગૌરવ છે. તેમના ઉત્કૃષ્ટ કાર્યો અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને કોટી કોટી વંદન!

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620