name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Wednesday, March 18, 2026

પ્રસંગ વિશેષ

 ઉનાળાના બળબળતા બપોરે પાણી વિના ટળવળતાં સેકડો પક્ષીઓની તરસ છીપાવી નવજીવન બક્ષે છે અરવલ્લીના સીમાડે આવેલી સંસ્થા  'શ્રવણ સુખધામ'! 


            ૨૦ માર્ચ એટલે   વિશ્વ ચકલી દિવસ. થોડા વર્ષો પહેલા ઘર આંગણે ચકલીઓ ચણવા ઉમટી પડતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી ચકલી પ્રજાતિ શોધે પણ ઝટ જડતી નથી. ચકલી પ્રજાતિની ઘટતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ પ્રજાતિ નામશેષ થઈ જાય છે ત્યારે તેની વિપરીત અસર જીવસૃષ્ટિ ઉપર પણ પડતી હોય છે.   જો  કોઈ પ્રજાતિ નામશેષ કરી દેવામાં આવે તો એની  પ્રકૃતિ અને માનવ જાત  ઉપર કેવી ઘાતક અસર થાય છે એ સમજવા, વર્ષ ૧૯૫૮માં ચીનમાં બનેલી ઘટના સૌ કોઈ માટે સિમાચિહ્નરૂપ છે અઢી કરોડથી વધુ લોકોની બલી ચડાવી ચકલી પ્રજાતિનો સર્વનાશ કરવાની કિંમત ચીને  ચૂકવવી પડી હતી

  ભારતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત ઘટતી જતી  ચકલી પ્રજાતિના અસ્તિત્વને જાળવી રાખવા હાલ અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ આગળ આવી રહી છે. નાસિકના મોહમદ દિલાવર જેઓએ ચકલી જેવા ઘરેલું પક્ષીની જાળવણી હેતુ નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી હતી. નેચર ફોરેવર સોસાયટી  અને એકો સીસ એક્શન ફાઉન્ડેશન ( ફ્રાંસ) ના સંયુક્ત પ્રયાસો થકી ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ ચકલી દિવસની ઉજવણી  ૨૦ માર્ચ ૨૦૧૦ નાં રોજથી શરૂ કરવામાં આવી હતી.

          ભારત અને ગુજરાતમાં અનેક સંસ્થાઓ આજે પક્ષીઓના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. હાલ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના બામણા પુનાસણ જેવા  અંતરિયાળ વિસ્તારમાં  શ્રવણ સુખધામ પંચવટી સંસ્થા  પક્ષીઓનાં જતન માટે કાર્ય ખુબ સુંદર કાર્ય કરી રહી છે. 

                         

અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા શ્રીમતી ઇન્દુબેન અને તેમના પરિવારે ! જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે.


ઉનાળાની બળબળતી બપોરે જો આપણને પાણી વિના થોડા કલાકો પસાર કરવા પડે તો કેવી અકળામણ અનુભવાય છે ? જાણે હમણાં જીવ નીકળી જશે એવી પીડા અનુભવાય છે. તો પેલા અબોલ જીવ આવા આકરો ઉનાળો પાણી વિના કેવી રીતે પસાર કરી શકે ? કેટકેટલા પશુ પંખીઓ પાણી વિના તરફડી પ્રાણ ત્યાગી દેતા હોય છે. ત્યારે આવા સેકડો અબોલ જીવને વહારે આવી છે શ્રવણ સુખધામ સંસ્થા. આ સંસ્થા સાથે સંકળાયેલ હિરેનભાઈ પ્રજાપતિ  અને  ભાવેશભાઈ પ્રજાપતિ ઉનાળા પહેલા માટીના પાકા  બનાવેલા પક્ષીઓના માળા અને પાણીના કૂંડા હજારોની સંખ્યામાં વિનામૂલ્યે વહેચે  છે. કોઇપણ જાતની અપેક્ષા કે કોઈ જાતની જાહેરાતો વિના મૂકસેવક બની આ સંસ્થા સેવાનું વિરાટ કાર્ય કરી રહી છે. ગુજરાતની અનેક સેલીબ્રીટીઝ આ સંસ્થાની બ્રાંડ એમ્બેસીડર બની, સેવાકાર્યનો પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ બની રહી છે. પશુ પક્ષીઓની સેવા સાથે સાથે સંસ્થાનાં ચેરપર્સન ઇન્દુબેન પ્રજાપતિ   દ્વારા બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં  આવી રહી છે.

         સંસ્થા દ્વારા અબોલ પશુ પંખીઓ માટે પણ પાણીની સગવડ પૂરી પાડવાની અને આસપાસના શ્વાનને રોટલો અને લાડુની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ડુંગર ઉપર બિરાજમાન કપિરાજ માટે પાણી અને અનાજની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. જે જીવ દયા પ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.  અબોલ જીવ સેવા અને પર્યાવરણ જતનનું માતબર કામ કરનાર ઈન્દુબેનને અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.      

            અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.


આ વિશ્વ ચકલી દિવસે  ઘર આંગણે એક પાણીથી ભરેલું  કૂંડું મૂકી ચકલીને ઘરની કાયમી મહેમાન  બનાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ.
સંપર્ક : ભાવેશ પ્રજાપતિ : ૭૮૭૪૧૫૧૦૮૪, શ્રીમતી ઈન્દુ એસ. પ્રજાપતિ :૯૫૭૪૭૦૬૧૧૦ 

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, March 15, 2026

SUNDAY SPECIAL

 Part-2

As soon as she read the nameplate at the entrance of her house, the wall of emotion Prashastiji had built finally gave way.

ગુજરાતીમાં વાંચવા અહીં કલોક કરો

Aravalli District Collector Prasasti Pareek’s father mortgaged their home to fund the education of her and her three sisters. To fulfill his daughters' dreams, this visionary father viewed this bold step not as an expense, but as a worthy investment of capital—even when society dismissed his wisdom as madness.

    Pr Usually, as soon as a daughter reaches a certain age, parents are in a rush to see her married off. However, this family granted their daughter complete freedom. They gave her the perspective to view every situation with positivity; they broke the shackles of tradition and gave her the wings to soar high in the sky.oviding such an open field for daughters to realize their dreams may seem simple or common when reading or hearing about it, but the reality is far from it.

    The family had made it clear: there would be no talk of marriage until her goals were achieved. To remain steadfast in this decision while living within a narrow-minded society was truly a revolutionary step taken by the family.

    With a steadfast resolve to become an IAS officer, Prashastiji set out for Delhi. Once there, she embarked on what can only be described as a period of rigorous penance. Much like Arjuna, who saw only the eye of the bird, Prashastiji made everything secondary to passing the IAS exam. She detached herself from all family events, whether joyous or somber. To honor the sacrifice of her family—who had staked their everything to fulfill their daughters' dreams—Prashastiji put herself to the ultimate test.

    She squeezed the value out of every single minute and second; the world of books became her entire universe. Her determination was so absolute that she even set her email password as *"I WILL BE AN IAS."* Beyond the three friends she lived with, she consistently avoided speaking to any fourth person. It is exactly this kind of obsession that paves the royal road to success.

    Even today, when recalling the night before her exam, the vivid scenes of those days of struggle can be clearly seen in her eyes. Every night, she would message her father to tell him what time she needed to wake up the next morning before she went to sleep. Following those messages, her father would call early every morning to wake her, filling her heart with fresh enthusiasm through his inspiring words.

    On the night before the exam, however, her father did not receive a message. Naturally, he grew worried when the routine was broken. He called her early the next morning while he was at the temple, his voice laced with concern: "Beta, why didn't you message me before sleeping last night?"

    At that moment, a lump formed in Prashastiji’s throat and a flood of tears surged from her eyes. Sobbing, she could only manage to say, "Papa, I haven't slept today. I've been reading all night. I can't work any harder than this."

    Her father stood speechless, listening. How could it be that his daughter was unable to sleep all night due to the pressure of the exam? He explained to her with immense love: "Beta! Whatever the result may be, you are already a success to me! You have left no stone unturned in your hard work. Regardless of the outcome, you will always remain the same to me. Beta, the affection we have for you will never diminish because of a result! Even Lord Krishna said in the Gita: 'Focus only on your actions (Karma), and do not worry about the fruits (results).'"

    These heartfelt words from her father breathed new life into her mind and soul. The despair that had clung to her all night seemed to shed away in an instant. Her self-confidence soared to new heights, and her mind became as light as a feather. With a sense of peace and freedom from worry, she went on to take her exam.

    The results were announced. She had cleared the UPSC, but her posting was in the Indian Railways. Considering her family’s financial situation, she accepted the position and began her training in Lucknow. Yet, though she was now in the Railways, she never let the spark for the IAS within her heart fade away. She poured her entire being into exam preparation alongside her rigorous training. Her desire to see her face on the front page of the UPSC result became an unyielding obsession. She worked day and night with singular focus; that spark had now become a roaring fire. Now, she didn't just see the bird's eye—she saw only the pupil.

    The exams concluded, and the wait for the results began with bated breath. Would she achieve an IAS rank, or would she have to settle for the Railway service? Anxious doubts gnawed at everyone, but her confidence was extraordinary. Finally, the results were declared. On June 12, 2014, the sun seemed to rise with a special brilliance. She was in Lucknow at the time. By securing the 21st All India Rank, she made her mark across the entire nation.

    For the whole family, that day was like a golden dream come true. It is said that sometimes reality is more thrilling than imagination. Upon hearing the news of their daughter’s glittering success, her parents' joy knew no bounds; an ocean of happiness surged through the family. Tears of joy flooded everyone's eyes. The immense hardships the father had endured his entire life for his daughters' education were forgotten in an instant. He went door-to-door throughout the neighborhood, distributing boxes of sweets. With every box he gave, he proclaimed, "My daughter has become an IAS officer!" How could a father contain his emotions at such a moment? After all, Prashastiji was the first person in their entire community to crack the IAS.

    This success was a stinging slap across the faces of those who had offered the hollow advice, "What will you achieve by educating your daughters?" This victory was not merely about an exam result; it was the victory of a father's unwavering trust, having staked everything on his daughter. It was a victory of her mother’s profound faith and the warmth and support provided by her sisters during life's most fragile moments. Ultimately, it was the victory of the rigorous penance undertaken by Prashastiji herself!

    The photographs of the candidates holding the Top 50 All-India ranks are featured on the front page. Holding the 21st rank, Prashastiji’s photograph earned a majestic spot on that very page. When she first landed at the Jaipur airport after the results, she was stunned by the sight outside. A massive crowd had gathered with drums and trumpets to welcome her. She was given a grand reception, adorned with so many garlands that her face was nearly hidden, while flower petals showered down from all directions. The atmosphere echoed with chants of victory.    

    She reached home while acknowledging the greetings of hundreds of people along the way. In her neighborhood, the atmosphere was as festive as Diwali. Amidst this surge of joy, her eyes froze on the nameplate at the entrance of her house. As she read it, the dam of emotions in her heart finally broke. Seeing his daughter so overwhelmed, her father too could not restrain his tears. Father and daughter embraced each other tightly and wept to their heart's content for a long time. It felt as if time had stood still. These were tears of pure joy.

    On the nameplate outside the house, above his own name, her father had proudly engraved: 'Prashasti Pareek (IAS).'

TO READ PART 1 CLICK HERE

An aricle by : Ishwar Prajapati
Engalish version : Pallavi Gupta.

Mo. : 9825142620

સન્ડે સ્પેશિયલ

PART-2

ઘર આગળ લાગેલી નેમ-પ્લેટ વાચતાં જ  પ્રશસ્તિજીના હૃદયમાંનો અશ્રુબંધ જાણે તૂટી ગયો. 

TO READ IN ENGLISH PL. CLICK HERE

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકજીના  પિતાજીએ તેમના અને તેમની બીજી ત્રણ બહેનના ભણતર કાજે ઘર ગીરવે મૂકી દીધું. દીકરીઓના અરમાન પૂરવા કરવાના આ સાહસને દીર્ઘદૃષ્ટા પિતાજી ખર્ચો નહિ પરંતુ મૂડીનું યોગ્ય રોકાણ માનતા. જયારે પિતાજીના આ શાણપણને સમાજે ગાંડપણમાં ખપાવી દીધું.  

 દીકરી ઉંમર લાયક થાય એટલે માતા-પિતાને તેના હાથ પીળા કરી દેવાની ઉતાવળ હોય જ ! પણ અહીં સમગ્ર પરિવારે દીકરીને પૂરી આઝાદી આપી. પરિસ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવાની આંખ આપી. રૂઢિઓની ઝંજીરો તોડી ગગનમાં ઉંચે વિહરવાની પાંખ પણ આપી. જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લગ્નની કોઈ વાત જ નહિ કરે એ સ્પષ્ટ કરી દીધું હતું. સંકુચિત વિચારસરણી વાળા સમાજની વચ્ચે રહી, આ નિર્ણય પર અડગ રહેવાનું પરિવારે લીધેલું એક ક્રાંતિકારી પગલું હતું.દીકરીઓના સપના સાકાર કરવા માટે એક પરિવાર આટલું મોકળું મેદાન પરું પાડે એ વાંચવામાં અને સાંભળવામાં જેટલું સહજ અને સામાન્ય લાગે છે એટલું છે નહિ.

પ્રશસ્તિજીએ IAS બનવાના મક્કમ નિર્ધાર સાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી જઈ રીતસરનું કઠોર તપ આદર્યું. અર્જુનને જેમ પક્ષીની આંખ જ દેખાતી હતી એમ પ્રશસ્તિજીએ  IAS ઉતીર્ણ થવા સિવાય બીજું બધું ગૌણ બનાવી દીધું હતું. પરિવારના સારા-નરસા તમામ પ્રસંગોથી પણ પોતાની જાતને અલિપ્ત કરી દીધી. દીકરીઓએ આંખે આંજેલ અરમાનોને સાકાર કરવા પરિવારે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી, જે બલિદાન આપ્યું હતું એ બલિદાન એળે ન જાય, એને સાર્થક કરવા પ્રશસ્તિજીએ પોતાની જાતને કસોટીની એરણ પર ચડાવી દીધી. એક-એક મિનીટ અને એક-એક સેકન્ડના હિસાબે સમયને નીચોવી લીધો. પુસ્તકોની દુનિયા એ જ એમની દુનિયા !ઉઠતાં- બેસતાં, ખાતા-પીતા, જાગતાં-સૂતાં મનમાં એક જ વિચાર રમ્યા કરે "મારે IAS થવું છે." તેમને તેમના ઈ-મેલ નો પાસવર્ડ પણ I WILL BE A IAS જ રાખ્યો હતો. તેમની  સાથે રહેતી ત્રણ સખીઓ સિવાય ચોથી વ્યક્તિ સાથે વાત કરવાનું પણ હંમેશા ટાળ્યું. માથે સવાર રહેલી આવી ધૂન જ સફળતા માટેનો રાજમાર્ગ તૈયાર કરતી હોય છે.

પરીક્ષાની આગલી રાત્રીનો પ્રસંગ યાદ કરતાંની સાથે  આજે પણ  સંઘર્ષના એ દિવસોનાં દૃશ્ય પ્રશસ્તિજીના સ્મૃતિપટ પર જીવંત થઇ તરવરવા લાગે છે. ઈતિહાસનાં જીવંત થયેલાં દૃશ્ય તેમની ભેજ ભરેલી ભીની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રશસ્તિજી રોજ રાત્રે  તેમના પિતાને મેસેજ કરીને જણાવી દેતાં કે  સવારે કેટલા વાગે જાગવાનું છે. એ  જણાવી પછી જ પોતે સુવા જતાં. મેસેજ પ્રમાણે  રોજ વહેલી સવારે તેમના પિતાજી ફોન કરી તેમને જગાડી દેતા. અને સવાર સવારમાં જ પ્રેરણાસભર વાતો કરી હૈયામાં નવો ઉમંગ ભરી દેતા. પરીક્ષાની આગલી રાત્રે તેમના પિતાજી ઉપર પ્રશસ્તિજીનો કોઈ મેસેજ ગયો નહિ. નિત્ય ક્રમ તુટ્યો એટલે પિતાજીને સ્વાભાવિક જ ચિંતા થાય.  એટલે  નિયત સમયે વહેલી સવારે  પિતાજીનો ફોન આવ્યો. એ વખતે પિતાજી મંદિરમાં હતા. અને આવજમાં થોડી ચિંતા પણ હતી કે બેટા રાત્રે સૂતા પહેલા કેમ કોઈ મેસેજ ન કર્યો? ત્યારે પ્રશસ્તિજીના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો અને  આંખોમાંથી જાણે આંસુનું પૂર ઉમટ્યું. તે રડતાં રડતાં એટલું બોલ્યાં “પપ્પા આજે હું ઊંઘી જ નથી. આખી રાતથી વાચું છું. આનાથી વધારે મારાથી મહેનત નહિ થાય.” ત્યારે પિતાજી પણ અવાક બની સાંભળી રહ્યા. પરીક્ષાના દબાણને કારણે દીકરી આખી રાત ઊંઘી જ ન શકે આ તો કેમ ચાલે?  તેમણે ખૂબ પ્રેમથી સમજાવ્યું કે “બેટા ! પરિણામ જે આવે તે પણ તું મારા માટે સફળ જ છે ! તે પુરુષાર્થ કરવામાં કોઈ કસર નથી છોડી. પરિણામ જે અવે તે તું મારા માટે જે છે, એ જ રહીશ. બેટા ! તારા પર અમારું જે વહાલ છે એમાં તારા પરિણામને કારણે  ક્યારેય ઓટ નહિ આવે બેટા ! ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પણ એ જ કહ્યું છે કે ‘તું માત્ર કર્મ કર, ફળની ચિંતા કરીશ નહિ.’ 

પિતાજીના આ હૃદયના ઉદગારોએ પ્રશસ્તિજીના મન- મસ્તિષ્કમાં ચેતનાનો નવો સંચાર કર્યો. આખી રાતથી બાઝી પડેલી નિરાશા જાણે પળવારમાં જ ખરી પડી! આત્મવિશ્વાસ સાતમા અસામાને વિહરવા લાગ્યો. મન હળવુંફૂલ થઇ ગયું. અને  નિશ્ચિંત બની પરીક્ષા આપી.  

પરીક્ષાનું પરિણામ આવ્યું. UPSC પાસ તો કરી પણ ઇન્ડિયન રેલ્વેમાં પોસ્ટીંગ મળ્યું. પરિવારની પરિસ્થિતિને જોતાં પોસ્ટીંગ સ્વીકારી લીધું. લખનૌ ખાતે ટ્રેનીંગ શરૂ થઇ. ભલે રેલ્વેમાં પોસ્ટીંગ મેળવી લીધું પરંતુ હૈયામાં પ્રજ્વલિત IAS માટેની ચિનગારીને ક્યારેય બુજાવવા દીધી નહિ. ટ્રેનીંગની સાથે સાથે પરીક્ષાની તૈયારીમાં જાતને નીચોવી નાખી. UPSC ના પરિણામના પ્રથમ પેજ ઉપર પોતાની તસવીર છપાય એવી અદમ્ય ઈચ્છા પ્રબળ બનતી ગઈ. દિવસ-રાત એક કરી રીતસરનાં મચી જ પડ્યાં. હૈયામાં પ્રજ્વલિત ચિનગારી હવે આગ બની ચુકી હતી. હવે પંખીની આંખ નહિ પરંતુ માત્ર કીકી જ દેખાતી હતી.

પરીક્ષા પૂર્ણ થઇ. હવે પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. IAS રેન્ક મળશે કે પછી રેલ્વેની સર્વિસમાં જ મન માનવી લેવું પડશે ?  કેટકેટલી દ્વિધાઓ સૌ કોઈને  કોરી ખાતી હતી. પણ પ્રશ્સ્તીજીનો આત્મવિશ્વાસ ગજબનો હતો. આખરે પરિણામ જાહેર થયું. ૧૨ જૂન ૨૦૧૪ એ દિવસે સૂરજ જાણે ગોળ ધાણા ખાઈને ઉગ્યો ! એ સમયે પ્રશસ્તિજી લખનૌ હતાં. ઓલ ઇન્ડિયા ૨૧ મા રેન્ક સાથે ઉત્તીર્ણ થઈ પ્રશસ્તિજીએ દેશભરમાં ડંકો વગાડી દીધો. આખા પરિવાર માટે તો જાણે એ દિવસ એક સોનેરી સ્વપ્ન સમાન હતો. કહેવાય છે ને કે જીવનમાં ક્યારેક કલ્પના કરતાં હકીકત વધુ રોમાંચક હોય છે.  દીકરીની જ્વલંત સફળતાના સમાચાર મળતાં જ માતા-પિતાની ખૂશીનો કોઈ પાર જ ન રહ્યો. પરિવારમાં આનંદનો મહાસાગર હિલોળા લેવા લાગ્યો. સૌની આંખોમાં હર્ષનાં આંસુઓનું જાણે પૂર ઉમટી આવ્યું. દીકરીઓના ભણતર માટે આખી જીંદગી વેઠેલા પારાવાર કષ્ટો જાણે પળવારમાં વિસરાઈ ગયા. પિતાજીએ તો આખા મહોલ્લામાં ઘેર ઘેર જઈ  મીઠાઈના પેકેટ વહેંચી આવ્યા. મીઠાઈનું પેકેટ અપતા જાય અને કહેતા જાય “મારી દીકરી IAS બની ગઈ.” એક બાપ આવા સમયે પોતાની લાગણીને કેવી રીતે કાબુ કરી શકે ? કારણકે પ્રશસ્તિજી તેમના સમાજની પહેલી એવી વ્યક્તિ હતી જેમણે IAS ક્રેક કર્યું હોય.

 “દીકરીઓને ભણાવી શું કરશો ?” આવી સુફિયાણી સલાહો આપનારના ગાલ પર આ સણસણતો તમાચો હતો. આ સફળતા માત્ર પરીક્ષાના પરિણામની જીત નહતી પરંતુ એક પિતાએ સઘળું દાવ પર લગાવી દીકરી પર મુકેલા પ્રબળ વિશ્વાસની જીત હતી, તેમનાં માતાની પ્રગાઢ શ્રદ્ધાની જીત હતી, જીવનના નાજુક સમયે બહેનોએ આપેલી હૂંફની જીત હતી, પ્રશસ્તિજીએ આદરલી  કઠોર તપશ્ચર્યાની જીત હતી !

ઓલ ઇન્ડિયાના પ્રથમ ૫૦ રેન્ક ધરાવતા ઉમેદવરોની તસવીર પ્રથમ પાને છપાતી હોય છે. ૨૧ મા રેન્ક ધરાવતાં પ્રશસ્તિજીની તસવીરને પણ પ્રથમ પેજ પર જાજરમાન સ્થાન પ્રાપ્ત થયું. પરિણામ બાદ જયારે પ્રશસ્તિજી પહેલી વાર જયપુર એઈરપોર્ટ પર ઉતર્યાં ત્યારે એઈરપોર્ટ બહારનું દૃશ્ય જોઈ તેઓ આશ્ચર્યચકિત રહી ગયાં. તેમને આવકારવા ઢોલ-નગાડા સાથે માનવમેદની ઉમટી પડી હતી. ચહેરો ઢંકાઈ જાય એટલા તો ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું. અને ચોતરફ પુષ્પવૃષ્ટિ થઇ રહી. જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું. સફળતાની ઉજાણીમાં ગુલાબી શહેર જયપુરને આજે વધુ ગુલાબી રંગ ચડ્યો હતો.  રસ્તા પરના સેકડો લોકોનું અભિવાદન ઝીલતાં ઘરે પહોંચ્યાં. મહોલ્લામાં તો જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. 

આનંદની હેલી વચ્ચે પ્રશસ્તિજીની નજર ઘર આગળ લાગેલી નેમપ્લેટ પર સ્થિર થઇ. નેમપ્લેટ વાચતાં-વાચતાં  જ જાણે તેમની હૃદયમાંનો અશ્રુબંધ તૂટી ગયો. પિતાજી પણ દીકરીને ભાવવિભોર થયલી જોઈ પોતાના આંસુ રોકી ન શક્યા. બાપ દીકરી એકબીજાને મનભરીને ભેટી થોડીવાર માટે ધરાઈને રડતાં રહ્યાં. સમય જાણે થંભી ગયો. આ આંસુ હરખનાં આંસુ હતાં. ઘર આગળ લગાવેલી નેમપ્લેટ પર પિતાજીએ પોતાના નામની ઉપર “પ્રશસ્તિ પારીક (IAS)”  કોતરાવ્યું હતું. અથાગ પરિશ્રમથી એક  દીકરીએ પિતાજીના સ્વાભિમાનને  એવા ઉત્તુંગ શિખરે પહોંચાડ્યો હતો કે તેની આગળ આજે હિમાલય પણ વામણો લાગતો હતો. (ક્રમશઃ)

વધુ આવતા રવિવારે... 

Part - 1 વાંચવા અહી ક્લિક કરો.

- ઈશ્વર પ્રજાપતિ

9825142620  


Monday, March 9, 2026

MONDAY SPECIAL

PART -1
A father mortgaged his home to educate his daughters, and in return, all four took a magnificent flight toward success! Among them is the illustrious Collector of Aravalli district, Ms. Prashasti Pareek.

ગુજરાતીમાં વાંચવા અહીં ક્લિક કરો.

Yesterday, it was March 8, marks International Women's Day. On this occasion, I want to share the inspiring story of a woman whose life and struggles exemplify true strength. She and her family did not just talk about women’s empowerment and potential; through their actions, they provided an outstanding example that serves as a beacon for society.
Her name is Ms. Prashasti Pareek.
She is recognized as being in the frontline of dutiful and committed IAS officers. Currently, she is serving with dedication as the Collector of Aravalli district. If we look closely at her challenging journey—rising from a simple middle-class family to becoming an IAS officer—it is impossible for the heart not to be moved and the eyes not to well up with emotion.
The world-renowned 'Pink City', Jaipur, is her birthplace. Her father served in a bank while her mother was a homemaker; both deeply understood the profound value of education. They had taken a virtual vow to ensure their four daughters—whom they considered forms of Goddess Lakshmi—were not only well-educated but also deeply cultured. Since her father worked in a bank, his postings shifted to various corners of the country. His path was arduous and filled with its own challenges, yet he never allowed any shadow of hardship to touch his daughters' upbringing or education.
Prashasti Pareek’s academic journey began in Kota, Rajasthan. From the fourth grade onwards, she moved to a school in Jaipur, where she completed her studies through the twelfth grade. While her father’s job required frequent transfers, her mother always stayed with the daughters, meticulously overseeing their studies. Despite being a homemaker, her mother possessed an extraordinary interest in education and literature—a legacy Prashasti received right from her infancy. As the saying goes, "the child is father of the man," and Prashasti was exceptionally brilliant from the start. It was rare to find a school competition she didn't participate in, whether it was painting, debates, elocution, or essay writing; she consistently secured the top position. Her elder sister also took great care of her, from academics to personal well-being. The indelible impression her elder sister left on her heart during childhood remains preserved with the same deep respect even today.
Even today, a unique spark illuminates her eyes whenever she recalls that historic, golden day: March 8, 1999. At that time, the National Commission for Women had organized an essay competition. She submitted a powerful essay on the theme of the 'evils of the dowry system', which had been prepared under her mother's guidance. Given its striking style and impact, the essay was selected at the national level. On International Women’s Day, March 8, 1999, she was honored in Delhi by the then Prime Minister of India, Shri Atal Bihari Vajpayee.
Her parents were also present at that grand ceremony in Delhi. To witness a scholar and the nation's most beloved statesman honoring their daughter—what parents in the world would not dream of such a breathtaking sight? That day became a moment of immense pride and an unforgettable memory for the entire family.
Despite reaching such heights, she never let success go to her head. Instead, she became more vigilant, putting in immense effort to further sharpen her talents. As a result of her passion and disciplined hard work, she continued to receive numerous prestigious honors throughout her academic career, including awards from the then Governor of Rajasthan and the then Chief Minister, Shri Ashok Gehlot.
Due to her brilliant talent during her studies, Prashasti ji was honored by the Chief Minister, the Governor, and the Prime Minister. At that time, her father would say with a smile, "Beta! Now achieve something in life so that even the Honorable President honors you." These words, spoken lightly by her father, were deeply etched into her heart. Destiny had already fixed the date and time—but when, where, and how? Only time would tell.
After completing the twelfth grade, Prashasti ji gained admission to the Government Engineering College in Bhilwara. All four sisters were exceptionally bright in their studies, but managing the educational expenses of four children on a single salary was a formidable task for their father. Prashasti ji’s eldest sister was studying CA along with Law, the second sister was pursuing Management, and the youngest was studying Engineering. Financial constraints were severe. Nevertheless, their father never let the daughters feel the burden. Whenever necessary, he took out loans, but he never compromised on the facilities provided for their education. He gave his daughters the entire sky to grow and expand.
The surrounding society held narrow-minded views. Many people would mock them, asking, "Don't you have a son? What will you achieve by educating daughters this much?" But such negative remarks never affected her father. He would firmly reply, "My daughters are my sons; they are the light of my eyes and pieces of my heart. One day they will bring such fame that even those offering these hollow 'wise' advices will salute them." Her father possessed a modern outlook; through the lens of education, he could clearly envision a luminous future for them.
As soon as she completed her engineering, she secured a position at a prestigious firm like Infosys in Mysore through campus placement. She felt the responsibility of repaying the loans her father had taken, so she commenced her professional career. She completed a year and a half of training in Pune, but the job felt repetitive—the same tasks day after day. It was just going to the office and toiling away on a laptop. There was no real challenge involved. Despite the handsome salary, her heart wasn't in it.
She briefly took up teaching at a college, but her soul was restless to do something "out of the box." The seeds of joining the Civil Services had been sown in her heart long ago. However, nurturing those seeds into a vast banyan tree was no easy feat. It required resigning from her job, moving to a major city like Delhi for coaching, and putting in grueling, back-breaking labor. Even after all that, there was absolutely no guarantee of success. To be among the top 150 out of a million competitors is a task more arduous than chewing iron chickpeas (an impossible feat). She stood at a crossroads: what was she to do?
Her mind was made up. Regardless of the outcome, she was finished with the mundane routine; if she were to have a career, it would only be in the Civil Services. Without a moment's delay, she resigned from her prestigious, high-status corporate job in a single stroke. This was a daring move: the family was burdened with loans, her other sisters were still studying, and her younger sister was determined to move to the US for her Master’s degree. Meanwhile, her father had retired as a Chief Manager from the bank. Ordinarily, such a position yields a significant sum upon retirement, but because he had taken several advances against his salary for his daughters' education, only a limited amount remained. For a middle-class family, this post-retirement phase was a period of great trial. Her father had even taken a loan against his pension to fund their studies. Despite these pressures, her parents and elder sister wholeheartedly supported her decision to quit her job.
The younger sister was set on pursuing her Master’s in the US after engineering, but the costs were staggering. Since her father’s pension was already leveraged for loans, the only asset left was their family home. He firmly decided that no daughter’s dream should remain unfulfilled, even if it meant mortgaging the house to send her abroad. The entire family looked at him in stunned silence; for a moment, the younger sister was even ready to drop her plans. It was then that her father placed his hand on their heads and said, "Beta, I am not spending this money by mortgaging the house; I am investing it. The returns on this will come back to us manifold." Hearing his words, there wasn't a dry eye in the room.
(To be continued)
More to come next Sunday...
An aricle by : Ishwar Prajapati
Engalish version : Pallavi Gupta.
Mo. : 9825142620

Sunday, March 8, 2026

સન્ડે સ્પેશિયલ

PART -1  

ઘર ગીરવે મૂકીને એક પિતાએ દીકરીઓને ભણાવી. ચારેય દીકરીઓએ ભરી સફળતાની આસમાની ઉડાન!  તેમાનાં એક દીકરી એટલે અરવલ્લી જિલ્લાનાં યશસ્વી કલેકટર સુશ્રી પ્રશસ્તિ પારીક

 

To read in English Pl click here

આજે ૮ માર્ચ એટેલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન આજે એક એવાં સન્નારીના જીવન કવનની  સંઘર્ષ ગાથાની વાત કરવી છે. કે  જેમણે અને જેમના પરિવારે નારીશક્તિ અને સામર્થ્યની માત્ર વાતો ન કરતા, કર્તૃત્ત્વથી સમાજને દીવાદાંડી રૂપ એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમનું નામ છે સુશ્રી પ્રશસ્તિ પારીક.

કર્તવ્યનિષ્ઠ અને પ્રતિબદ્ધ IAS ઓફિસર તરીકેની અગ્રીમ હરોળમાં તેમની ગણના થાય છે. હાલ તેઓ અરવલ્લી જીલ્લાના કલેકટર તરીકે ફરજનિષ્ઠ છે. એક સામાન્ય માધ્યમ વર્ગીય પરિવારમાંથી નીકળી IAS બનવા સુધીની તેમની પડકારભરી  જીવનયાત્રાને નિકટથી નિહાળીએ  તો ઋજુ હૃદયના માનવીની આંખો અને હૈયું ભીંજાયા વિના રહેતાં નથી.

ગુલાબી નગરી તરીકે જગ વિખ્યાત જયપુર તેમની જન્મભૂમિ ! પિતા બેંકમાં ફરજ બજાવતા તો માતા ગૃહિણી ! માતા-પિતા શિક્ષણનું મૂલ્ય સુપેરે સમજતાં હતાં.  પોતાના આંગણે અવતરેલી લક્ષ્મી સ્વરૂપા ચાર દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરવાનું જાણે પ્રણ લીધું હતું. પિતા બેંકમાં ફરજ બજાવતા હોવાથી તેમની બદલી દેશના કોઇપણ ખૂણે થતી રહેતી. પિતાજીનો જીવનપથ ઘણો કપરો હતો. તેમના પણ  આગવા પડકારો હતા. પરંતુ દીકરીઓના ઉછેર અને શિક્ષણમાં જરાય ક્યાંય ઊની આંચ ન આવવા દીધી.

પ્રશસ્તિ પારીકજીની શિક્ષણયાત્રાની શરૂઆત રાજસ્થાન કોટાથી થઇ. એ પછી ચોથા ધોરણથી જયપુરની સ્કૂલમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ  ત્યાં જ કર્યો.  પિતાજીની બદલી થતી રહેતી પરંતુ માતા હંમેશા દીકરીઓની સાથે રહી, તેમના અભ્યાસની ખૂબ ઝીણવટ ભરી કાળજી લેતાં. પોતે ગૃહિણી હોવા છતાં શિક્ષણ અને સાહિત્યમાં તેમની રુચી ગજબની હતી. શિક્ષણ અને સાહિત્યનો વારસો પ્રશાસ્તીજીને માતા તરફથી ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયો. કહેવાય છે ને પુત્રનાં લક્ષણ પારણાથી ! એમ પ્રશસ્તિજી ભણવામાં પહેલેથી જ ખુબ તેજસ્વી. શાળામાં કોઇપણ સ્પર્ધા કે હરીફાઈ હોય તેમાં તેઓ ભાગ ન લે તો જ નવાઈ ! ચિત્ર સ્પર્ધા હોય કે  ડીબેટ હોય, વક્તૃત્ત્વ હોય કે નિબંધ સ્પર્ધા હોય ! એમાં તેઓ હમેશા અવ્વલ જ રહેતાં. પ્રશસ્તિજીનાં મોટાં બહેન પણ ભણવાથી લઇ તમામ બાબતોની તેમની  ખૂબ કાળજી લેતાં. પ્રશસ્તિજીના હૃદયમાં બાળપણથી મોટાં બહેનની પડેલી અમીટ છાપ આજે પણ એટલા જ આદર સાથે અકબંધ સચવાયેલી છે.   

૮ માર્ચ ૧૯૯૯ નો એ ઐતિહાસિક સ્વર્ણિમ  દિવસને યાદ કરતાં જ પ્રશસ્તિજીની આંખોમાં આજે પણ અનોખી ચમક ઊભરી આવે છે. નેશનલ વુમન કમીશન દ્વારા એ સમયે નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. દહેજના દુષણ વિષય અંતર્ગત એક ચોટદાર નિબંધ તૈયાર કરી પ્રશસ્તિજીએ પ્રસ્તુત કર્યો. આ નિબંધ તેમનાં માતાએ તૈયાર કરાવ્યો હતો. નિબંધની શૈલી અને અસરકારતા જોતાં નિબંધ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામ્યો.  આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચ ૧૯૯૯ ના દિવસે ભારતના તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઇના હસ્તે દિલ્હી ખાતે પ્રશસ્તિજીનું બહુમાન કરવામાં આવ્યું. દિલ્હીમાં યોજાયેલા એ ભવ્ય સમાંરભમાં તેમનાં માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દેશના સૌથી લોકપ્રિય અને વિદ્વાન રાજનીતિજ્ઞ વડાપ્રધાન પોતાની દીકરીનું સન્માન કરતા હોય, આવું નયન રમ્ય દૃશ્ય નિહાળવું એ  દુનિયાના  કયા માતા પિતાનું સ્વપ્ન ન હોય ! સમગ્ર પરિવાર માટે  એ દિવસ ગૌરવશાળી અને યાદગાર દિવસ બની રહ્યો.

સફળતા પ્રાપ્ત કર્યા પછી સફળતાને ક્યારેય માથે ચડવા દીધી જ નહિ. પરંતુ વધુ સજાગ બની પોતાની પ્રતિભાને વધુ ને વધુ તેજસ્વી બનાવવા પ્રચંડ પુરુષાર્થ કરતાં જ રહ્યાં. ધગશ અને શિસ્તબદ્ધ  પરિશ્રમને પરિણામે અભ્યાસ દરમિયાન પ્રશસ્તિજી બીજાં પણ અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી સન્માનિત થતાં રહ્યાં. જેમાં રાજસ્થાનના તત્કાલિન મહામહિમ રાજ્યપાલ શ્રી તથા તત્કાલિન મુખ્યમંત્રી  શ્રી અશોક ગેહલોતજીના હસ્તે પણ તેઓ બહુમાન પામ્યાં.

તેજસ્વી પ્રતિભાને કારણે અભ્યાસ દરમિયાન પ્રશસ્તિજી જ્યના મુખ્યમંત્રી શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી અને દેશના વડાપ્રધાનના હસ્તે સન્માન પામ્યા. ત્યારે પિતાજી હસતાં હસતાં કહેતા: " બેટા!  હવે જીવનમાં એવું કાંઈક કરી બતાવો કે મહામહિમ રાષ્ટ્રપતિ જીના પણ  આપને સન્માનિત કરે." પિતાજીએ હળવાશમાં કરેલી આ વાતના શબ્દો તેમના હૃદયમાં ઝીલાઈ ચૂક્યા હતા. નિયતિએ એની તારીખ વાર અને સમય નિશ્ચિત કરી જ દીધો હતો. પણ ક્યારે? ક્યાં? અને કેવી રીતે? એ તો સમય જ નક્કી કરશે. 

ધોરણ બાર પૂરું કરી પ્રશસ્તિજીએ ભીલવાડાની સરકારી  એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. ચારેય બહેનો ભણવામાં ખુબ તેજસ્વી હતી. પરંતુ ચાર ચાર સંતાનોના અભ્યાસ ખર્ચને માત્ર એક જ પગાર પર પહોંચી વળવાનું કામ પિતાજી માટે ખુબ કપરું હતું. પ્રશસ્તિજીના મોટાં બહેન CA નો અભ્યાસ કરતાં સાથે LAW પણ ખરું. બીજાં બહેન મેનેજમેન્ટનો અભ્યાસ ચાલુ હતો. તો નાની બહેનનું એન્જીનીયરિંગ ચાલુ હતું.  આર્થીક સંકડામણ ખુબ હતી. એમ છતાં પિતાજીએ દીકરીઓને એનો અહેસાસ કદી થવા જ ન દીધો. જયારે જરૂર પડી ત્યારે ત્યારે લોન ઉપાડી લીધી. પણ ભણતર માટે અપાતી સવલતમાં ક્યાંય  કચાસ ન રહવા દીધી. દીકરીઓને વિકસવા અને વિસ્તરવા આખું આકાશ ખુલ્લું કરી આપ્યું.  આસપાસનો સમાજ સંકુચિત દૃષ્ટિનો હતો. ઘણા લોકો મહેણાં-ટોણા પણ મારતા કે તમારે દીકરો નથી? દીકરીઓને વળી આટલું ભણાવી શું કરશો ?  પરંતુ પિતાજીને લોકોની આવી નકારાત્મક વાતો જરાય સ્પર્શતી જ નહિ. તેઓ મક્કમતાથી જવાબ અપાતા કે “મારી દીકરીઓ એ જ મારા દીકરા છે, મારી આંખોનું નૂર છે, મારા કાલેજના ટુકડા છે. એક દિવસ એવું નામ રોશન કરશે કે સુફિયાણી સલાહો આપનારા પણ એમને સલામ મારશે.”  પિતાજી પાસે આધુનિક વિચારસરણી હતી. તેઓ ભણતર થકી ઉજ્જવળ ભવિષ્ય નરી આંખે નિહાળી શકતા હતા.  

પ્રશસ્તિજીનું એન્જીનીરિંગ પૂરું થતાં જ કેમ્પસ પ્લેસમેન્ટમાં ઈન્ફોસીસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં મેસૂર ખાતે  નોકરી મળી ગઈ. પિતાજીએ લીધેલી લોનો પણ ભરપાઈ કરવાની જવાબદારી હતી. એટલે નોકરી શરૂ કરી. પૂનામાં દોઢ વર્ષ ટ્રેનીંગ પૂર્ણ કરી. પણ આ નોકરીમાં રોજનું રોજ એકનું એક કામ કરાવનું થતું. ઓફીસ જઈ લેપટોપ લઇ મથ્યા કરવાનું. આમાં કોઈ પડકાર જેવું કાઈ જ નહિ. જો કે પગાર સારો હતો એમ છતાં આ નોકરીમાં મન લાગ્યું નહિ. થોડો સમય કોલેજમાં અધ્યાપન કર્યું. પરંતુ કાઈક હટકે કરવા મન તત્પર હતું. સિવિલ સર્વિસીસમાં જવાનાં બીજ તો હૈયામાં ક્યારનાં રોપાઈ ચૂક્યાં હતાં. હૈયામાં રોપાયેલા એ બીજને માવજત કરી  ઉછેરી વટવૃક્ષ બનાવવું એ એટલું સહેલું પણ ક્યાં હતું ? એના માટે નોકરી છોડવી પડે.  દિલ્હી જેવા મોટા શહેરોમાં જઈ કોચિંગ જોઈન કરવું પડે અને તનતોડ પુરુષાર્થ તો ખરો જ ! આટ આટલું કરવા છતાંય સફળતાની કોઈ ગેરેંટી તો નહિ જ ! દસ લાખ પ્રતિસ્પર્ધીઓમાંથી 150 માં  સમાવિષ્ઠ  થવું એ લોઢાના ચણા ચાવવા કરતાંય કપરું કામ છે. હવે કરવું તો કરવું શું ?

 મન મક્કમ હતું. પરિણામ જે આવે તે. પણ આ રૂટીન નોકરી તો નથી જ કરવી. હવે કરવી છે નોકરી તો સિવિલ સર્વિસસને જ ! અને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મોભાદાર કહી શકાય એવી પ્રતિષ્ઠિત કંપનીની નોકરી એક ઝાટકે છોડી દીધી. એક બાજુ  પરિવાર પર લોનનું ભારણ હતું. બીજી બહેનોનો અભ્યાસ પણ ચાલુ હતો. બીજીબાજુ નાની બહેન માસ્ટર કરવા US જવા મક્કમ હતી. પિતાજી બેન્કના ચીફ મેનેજર પદથી  નિવૃત્ત થઇ ચુક્યા હતા. આમ તો મેનેજર પદેથી નિવૃત્ત થતાં ઘણી મોટી રકમ હાથ પર આવે. પરંતુ તેમની મોટા ભાગની રકમ લોન પેટે અગાઉ જ ઉપાડેલી હતી. સીમિત રકમ જ હાથ પર આવી.  નિવૃત્તિ બાદ   એક મધ્યમવર્ગીય પરિવાર માટે આ કસોટીનો કાળ હતો. હવે દીકરીઓને ભણાવવા પેન્શન પર પણ પિતાજીએ લોન લઇ લીધી હતી. એમ છતાં  માતા-પિતા અને મોટી બહેને નોકરી છોડવાના નિર્ણયને સહર્ષ વધાવી લીધો.

નાની બહેનને એન્જીનીયરીંગ પૂરું કરી માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે  US જવા મન બનાવી લીધું હતું. એ US જઈ અભ્યાસ કરવાનો ખર્ચ ઘણો મોટો થાય એમ હતો. પિતાજીએ પેન્શન પર પહેલેથી જ લોન લઈ રાખી હતી. પિતાજીનો દૃઢ નિર્ણય હતો કે દીકરીઓના ભણતરના કોઈ ઓરતા કોઇપણ સંજોગોમાં અધૂરા ન જ રહેવા જોઈએ. પ્રોપર્ટીના નામે માત્ર એક ઘર જ હતું. પિતાજીએ નક્કી કરી લીધું કે ઘર ગીરવે મૂકીએન દીકરીને અભ્યાસ માટે US મોકલીશું. પરિવારનાં સૌ એક નજરે પિતાજી સામે તાકી જ રહ્યા. એક સમય માટે તો નાની બહેન પણ US નો વિચાર માંડવાળ કરવા રાજી થઇ ગઈ. ત્યારે પિતાજીએ દીકરીઓને માથે હાથ મૂકી કહ્યું "બેટા! ઘર ગીરવે મુકીને હું કોઈ  આ ખર્ચ નથી કરી રહ્યો, પણ રોકાણ કરી રહ્યો છું. આનું વળતર અનેક ઘણું થઈને પરત આવશે.” પિતાજીની વાત સાંભળી સૌની આંખો ભીની હતી.

(ક્રમશઃ) 

વધુ આવતા રવિવારે.. 

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, March 1, 2026

સન્ડે સ્પેશિયલ

ફોટો જર્નાલીસ્ટ નીક ઉતે ખેંચેલી એક તસવીર જ્યારે  યુદ્ધ વિરામ માટે નિમિત્ત બની.

   સાંપ્રત પરિસ્થિતિ  જોતાં લાગે છે કે સમગ્ર વિશ્વ મક્કમતાથી સર્વનાશ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વિશ્વના દેશો વચ્ચેની લોહી નીતરતી  સીમાઓ સળગી રહી છે. પ્રાણઘાતક મિસાઈલોથી સમસ્ત પૃથ્વી ધ્રુજી રહી છે.  યુક્રેન - રશિયા,  ઇઝરાયેલ - ગાઝા, અમેરિકા-વેનેઝુયેલા,ભારત - પાકિસ્તાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન, અને હવે ઇઝરાયેલ - ઈરાન - અમેરિકા ! અને હવે ઈરાને બીજા સાત દેશો પર કરેલો હુમલા ! હજારો નિર્દોષ લોકોનો કીડી - મકોડાની જેમ મારી રહ્યાં છે. પણ વિશ્વમાં માનવતા સાવ મારી પરવારી હોય એમ સંવેદના ક્યાંય નજરે પડતી નથી. યુદ્ધ વિરામનો કોઈ સંકેત દૂર દૂર સુધી દેખાતો નથી. સાંપ્રત પરિપેક્ષ્યને જોતા આજે અહીં એક એવી સત્ય ઘટના પ્રસ્તુત કે  ૯ જૂન ૧૯૭૨ ના રોજ વિશ્વના વિખ્યાત અખબારોમાં પ્રગટ થયેલી એક તસવીર કારણે શક્તિશાળી દેશે પણ બે દાયકાથી આરંભેલા  ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે મજબૂર થવું પડ્યું.   
      અમેરિકાએ છેક ૧૯૫૫થી વિયેતનામ પર એકતરફી આક્રમણ કરી દીધું હતું. ૧૯૭૨ સુધી આ યુદ્ધે જબરદસ્ત નરસંહાર કર્યો. વિયેતનામના લાખો લોકો મોતને ભેટ્યા હતા. અમેરિકન સૈનિકોએ હજારો વિયેતનામી સ્ત્રીઓને સગર્ભા બનાવી દીધી હતી. આખા વિશ્વના દબાણ છતાં અમેરિકા યુદ્ધ બંધ કરતું નહોતું. અમેરિકા ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચેના યુદ્ધમાં ખલનાયકની ભૂમિકા ભજવતું હતું. પણ એક ચમત્કાર સર્જાયો.તા.૮ જૂન, ૧૯૭૨ના દિવસની વાત છે. દક્ષિણ વિયેતનામમાં ટ્રેંગબેંગ નામનું એક ગામ આવેલું છે. રોજેરોજ આ ગામ પર યુદ્ધ વિમાનો ઊડીને બોમ્બ ફેંકતાં હતાં. એ વખતે પ્રતિબંધિત હોવા છતાં નેપામ બોમ્બ ફેંકવામાં આવતા હતા. નેપામ બોમ્બ ચારે તરફ ભયાનક આગ લગાવી દેનારો બોમ્બ છે. આ ગામનો કબજો ઉત્તર વિયેતનામના લશ્કરે લઈ લીધો હતો. દક્ષિણ વિયતનામનાં યુદ્ધ વિમાનો તે ગામનો કબજો પાછો લેવા માગતાં હતાં.
ગામમાં નવ વર્ષની કિમ ફૂક નામની એક બાળકી પણ એનાં માતા-પિતા સાથે રહેતી હતી. ગામમાં એક મંદિર હતું. બોમ્બમારાથી બચવા કિમ ફૂક ને તેના પરિવારે આ મંદિરમાં આશ્રય લીધો હતો. ગામનો કબજો લેનાર સૈનિકો પણ તેમાં હતા. એવામાં મંદિરના પાછળના ભાગમાં યુદ્ધ વિમાનોએ નેપામ બોમ્બ ઝીંકી દીધો. બોમ્બધડાકાથી પાછળ કાળાં વાદળો છવાઈ ગયાં. હકીકતમાં દક્ષિણ વિયેતનામના વિમાન પાઇલટની એ ભૂલ હતી અને ભૂલથી જ એણે સૈનિકોની છાવણીના બદલે માનવવસતી પર બોમ્બ ઝીંકી દીધો. એ બોમ્બમારામાં નાનકડી કિમ ફૂકના બે પિતરાઈ ભાઈ માર્યા ગયા. નવ વર્ષની કિમ ફૂક પણ ઈજા પામી. તે શરીરના અનેક ભાગોમાં દાઝી ગઈ. કપડાં સળગતાં હોઈ તેણે પોતાનાં વસ્ત્રો કાઢી નાખ્યાં અને નિર્વસ્ત્ર થઈ જીવ બચાવવા બીજાં બાળકો સાથે દોડવા લાગી.
એ વખતે એસોસિયેટેડ પ્રેસનો એક ફોટોગ્રાફર યુદ્ધનું કવરેજ કરી રહ્યો હતો એનું નામ નીક ઉત. તેણે જોયું તો એક નાનકડી બાળકી વસ્ત્રવિહીન દશામાં રડતી રડતી પોતાની તરફ દોડી રહી છે એણે એ તસવીર ક્લિક કરી લીધી.
એ બાળકી ચીસો પાડતી હતી: `આઈ એમ ડાઈંગ…આઈ એમ ડાઈંગ, મને પાણી આપો. પાણી આપો.’
ફોટોગ્રાફર નીક ઉત દોડ્યો અને ક્યાંકથી પાણી લઈ આવ્યો અને દાઝી ગયેલી બાળકીના શરીર પણ પાણી રેડ્યું. તસવીરકાર એ દૃશ્યથી એટલો તો હતપ્રભ થઈ ગયો હતો કે એ બોલ્યો: `હવે મારે વધુ તસવીરો લેવી નથી?’
એ વખતે એસોસિયેટેડ પ્રેસનો તસવીરકાર નીક ઉત માત્ર ૨૧ વર્ષનો હતો. એણે એ બાળકીને તથા બીજા ઘવાયેલાઓને હોસ્પિટલમાં દાખલ કર્યાં. અલબત્ત, નીક ઉતને એ વખતે ખબર નહોતી કે તેની એક તસવીર આખા વિશ્વને ચોંકાવી દેશે. ખાસ કરીને અમેરિકાને.
એસોસિયેટેડ પ્રેસે આ તસવીર અમેરિકાના જાણીતા અખબાર `ન્યૂયોર્ક ટાઈમ્સ’ને મોકલી. ન્યૂયોર્ક ટાઈમ્સના તંત્રીઓ તસવીરમાં બાળકી નગ્ન દેખાતી હોઈ સહુથી પહેલાં આ તસવીર અખબારમાં મૂકતાં ખચકાતાં હતા, પરંતુ આ તસવીર યુદ્ધની ભયાનકતા દર્શાવતી હોવાથી તેમણે છેવટે એ તસવીર પ્રગટ કરવા નિર્ણય કર્યો. નવ વર્ષની કિમ ફૂકની વસ્ત્રવિહીન દશામાં દોડતી આ તસવીર અમેરિકાથી જ પ્રગટ થતા `ન્યૂયોર્ક ટાઈમ્સ’ના પહેલા પાને પ્રગટ થઈ. આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું. અમેરિકન સરકાર શરમાઈ ગઈ.     `નેપામ બોમ્બથી સળગી રહેલા વિયેતનામના એક ગામની નાનકડી દીકરી રડતી રડતી પોતાનો જીવ બચાવવા નિર્વસ્ત્ર હાલતમાં ભાગી રહી હતી એ તસ્વીર પહેલા પાને છપાઈ અને `ન્યૂયોર્ક ટાઈમ્સ’ની એ તસવીર જોઈ ખુદ અમેરિકા શરમાઈ ગયું અને એ તસવીર પ્રગટ થયા બાદ અમેરિકાએ યુદ્ધવિરામ કરી દીધો. એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રિચાર્ડ નિકસન હતા. તેમણે તો આ તસવીર સાચી છે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી પરંતુ તસવીર એટલી જ સત્ય હતી જેટલું વિયેતનામ યુદ્ધ. આ તસવીર પ્રગટ થયા બાદ આખા વિશ્વનું અમેરિકા પર દબાણ વધ્યું અને યુદ્ધનો લગભગ અંત આવી ગયો.
નીક ઉતની આ તસવીરના કારણે તેમને ૧૯૭૨ની વિશ્વની શ્રેષ્ઠ પત્રકારત્વની તસવીર ગણી તેમને પુલિત્ઝર પ્રાઈમ મળ્યું.
એ પછી નાનકડી કિમ ફૂક `નેપામ ગર્લ’ તરીકે આખા વિશ્વમાં જાણીતી બની ગઈ, કારણ કે તે પછી એ તસવીર આખા વિશ્વનાં તમામ પ્રમુખ અખબારો અને મેગેઝિનમાં પ્રગટ થઈ. આ તસવીરના કારણે જ યુદ્ધની ભયાનકતાનો લોકોને અહેસાસ થયો. કિમ ફૂકની એ તસવીર લીધા બાદ ફોટોગ્રાફર નીક ઉત જ કિમ અને બીજાં બાળકોને સાઈગોનની બાર્સ્કી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. કિમના શરીરનો ૩૦ ટકા હિસ્સો દાઝી ગયો હતો. ડૉક્ટરોને આશા નહોતી કે તે બચશે. નાનકડી બાળકીને ૧૪ માસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પર ૧૭ વખત શસ્ત્રક્રિયા કરવી પડી. તેના શરીર પર સ્કિન ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા પણ થઈ. સ્કિન ટ્રાન્સપ્લાન્ટ ફિનલેન્ડના ડૉ.આર્નેરિન્તાલાએ કર્યું અને એક દિવસ તે સાજી થઈને ઘેર ગઈ. એ પછી ફોટોગ્રાફર નીક ઉત નિયમિત રીતે તેની ફોટોસ્ટોરીના સંવેદનશીલ પાત્ર એવી કિમની મુલાકાત લેતો રહ્યો.
ઉપર તસવીરમાં દેખાતી એ ભયભીત બાળકી આજે હયાત છે. એ તસવીરે કિમ અને તસવીરકાર નીક બેઉની જિંદગી બદલી નાંખી હતી. એ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે પોતાની એ નગ્ન તસવીર જોઈ ક્ષોભ અનુભવવા લાગી હતી પરંતુ સમય જતાં એણે એ તસવીરને જ યુદ્ધવિરોધી સંદેશ માટેનું એક નિમિત્ત અને મિશન બનાવી દીધું. કિમ ફૂક કહે છે: `મેં જે વ્યથા સહન કરી છે તેવી જ વ્યથા દુનિયાભરના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ભોગવી રહ્યા છે. મારી એ વ્યથાની તસવીર દ્વારા હું એ બધાંને મદદ કરવા માગું છું!’
અલબત્ત, એ પછી કિમ ફૂકના જીવનમાં નાટ્યાત્મક ઘટનાઓ ઘટી, એ તસવીર પ્રગટ થયા બાદ કિમ તો એના ગામમાં બાળકી બની રહેવા માગતી હતી પણ વિશ્વભરના તસવીરકારો, પત્રકારો તેમની મુલાકાત લેતા રહ્યા. તા.૩૦મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ ઉત્તર કોરિયાના સૈન્યે દક્ષિણ કોરિયાના એ ભાગોનો કબજો લઈ લીધો. કિમ હજુ પેઈનકિલર્સ લઈને જીવતી હતી. તેને ડૉક્ટર બનવું હતું પણ નવા કોમ્યુનિસ્ટ લીડરને કિમ `નેપામ ગર્લ’ તરીકે દુશ્મનોના પ્રચારનું સાધન બની જાય તે પસંદ નહોતું. તેને કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવી. તે ફરી તેના ગામ ગઈ. વિદેશી પત્રકારોને મળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોઈ મળે તો તેણે શું બોલવું તે કમ્યુનિસ્ટ સરકાર નક્કી કરતી. તે હસતી રહી. એનો રોલ ભજવતી રહી.
એક દિવસ લાઇબ્રેરીમાં તેની નજર બાઈબલ પર પડી. તેને એમાં શ્રદ્ધા બેઠી. જે તસવીરથી તે વ્યથા અનુભવતી હતી તે તસવીરે જ તેને એક નવી તક પૂરી પાડી. વિદેશી પત્રકારો સાથે ૧૯૮૨માં તે તબીબી સારવાર માટે પશ્ચિમ જર્મની ગઈ. પાછળથી વિયેતનામના વડાપ્રધાનને પણ કિમની સ્ટોરીથી અનુકંપા થઈ. તેમણે ક્યૂબામાં કિમને ભણવાની સગવડ કરી આપી. ફોટોગ્રાફર નીક ઉત કે જે એસોસિયેટેડ પ્રેસ માટે હજુ લોસ એન્જેલસમાં કામ કરતો હતો તે ૧૯૮૯માં કિમને મળવા ક્યૂબા ગયો પણ તે બંનેને એકલાં મળવાની તક ન મળી. કિમને હજુ નીકની મદદની જરૂર હતી.
કિમ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તે વિયેતનામના એક યુવાનના પરિચયમાં આવી હતી. કિમને તેના દાઝી ગયેલા શરીર અને તેના ડાઘના કારણે તેની સાથે કોઈ પરણશે તેવી આશા નહોતી, પરંતુ તેનો બચપણનો દોસ્ત બુઈ હ્યૂ તોઓન તેની સાથે પરણવા તૈયાર થયો. ૧૯૯૨માં બેઉ પરણી ગયાં. હનીમૂન માટે તેઓ મોસ્કો ગયાં. તેઓ મોસ્કોથી ક્યૂબા પાછાં ફરી રહ્યાં હતાં પરંતુ વિમાન કેનેડા બળતણ લેવા ઊભું રહ્યું ત્યારે ક્યૂબા જતા વિમાનમાં પાછાં બેઠાં જ નહીં. તેઓ ફરી કોઈ કમ્યુનિસ્ટ કન્ટ્રીમાં પાછાં જવા માગતાં જ નહોતાં. હવે તેઓ કેનેડામાં જ રોકાઈ ગયાં. કિમ હવે મુક્ત હતી.
તસવીરકાર નીક ઉતે ફરી કિમનો સંપર્ક કરી તેની સ્ટોરી આખા વિશ્વને કહેવા સૂચન કર્યું, પરંતુ તે હવે તેના પતિ સાથે નોર્મલ લાઈફ જીવવા માગતી હતી, પરંતુ મીડિયાએ શોધી કાઢ્યું કે જગપ્રસિદ્ધ નેપામ ગર્લ હવે એક યુવતી તરીકે કેનેડાના ટોરેન્ટોમાં રહે છે. પત્રકારો તેને મળવા લાગ્યા. કિમે હવે તેની સ્ટોરી દુનિયાને કહેવા નિર્ણય કર્યો. ૧૯૯૯માં એક પુસ્તક બહાર પાડ્યું. તે પછી દસ્તાવેજી ફિલ્મ પણ બની.
એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે કિમ ફૂકને સંયુક્ત રાષ્ટ્રસંઘના ગૂડવીલ એમ્બેસેડર બનવા કહ્યું. તે પછી કિમ અને તસવીરકાર નીક અનેક વાર મળ્યાં અને દુનિયાને યુદ્ધની હોરર સ્ટોરીથી વાકેફ કર્યાં. તેઓ લંડન ગયાં અને યુ.કે.નાં મહારાણી ક્વીન એલિઝાબેથને પણ મળ્યાં.
કિમ ફૂક કહે છે: `હું એ તસવીરથી મારો પીછો છોડાવવા માગતી હતી. હું નેપામ બોમ્બથી દાઝી ગઈ હતી. હું યુદ્ધની ભયાનકતાનો શિકાર બની હતી પરંતુ મોટી થયા બાદ હું અલગ જ વ્યક્તિત્વ ધરાવતી બની ગઈ!’
એસોસિયેટેડ પ્રેસના તસવીરકાર નીક ઉત કહે છે: `મેં કિમને મદદ કરી તેનો મને આનંદ છે. મારા માટે તે મારી દીકરી છે!’ કિમ ફૂક આજે લગભગ ૫૨ વર્ષની વયની છે અને સુખી લગ્નજીવન જીવી રહી છે.
સંદર્ભ : રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ 

- ઈશ્વર પ્રજાપતિ

Thursday, February 26, 2026

જન્મ દિન વિશેષ


જન્મદિન વિશેષ

જેમના  નામ માત્રથી  ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે અને સામાન્ય જનતા સલામતીની હૂંફ અનુભવે  છે. વાત અરવલ્લીના હોનહાર SP મનોહરસિંહ જાડેજા સાહેબની !

      મનોહરસિંહ જાડેજા.
     આ નામ હવે કોઈ પરિચયનું મહોતાજ નથી. સૌરાષ્ટ્રના સાવ છેવાડાના ખોબા જેવડા ગામમાંથી એક ખેડૂત પરિવારમાં જન્મીને IPS સુધીની તેમની જીવનયાત્રા કોઈ રોમાંચક ફિલ્મી કથાથી જરા પણ ઊતરતી નથી.  તડકો - છાયો, સંઘર્ષો - પડકારોની વચ્ચે એવા કસાયેલ અને મઘમઘતું વ્યક્તિત્વ નિખાર પામ્યું કે ફરજનિષ્ઠાની સૌરભ રાજ્ય અને દેશની સીમાઓ ઓળંગી દેશ-વિદેશમાં પ્રસરી રહી છે.
     જામનગર જીલ્લાના ધ્રોલ પાસે આવેલું પંખીના માળા જેવું ગામ જાંબુડા તેમનું વતન ! ગૂગલ મેપમાં જાંબીડા ગામને શોધવા બેસો તો ગૂગલ પણ ગોથે ચડે તો નવાઈ નહીં.  દાદા માધવસિંહ બાપુ અને પિતા નટુભા બાપુનો શિક્ષણ પ્રેમ, જ્ઞાન, ભક્તિ અને  અનુશાસિત સંયમિત જીવનનો વારસો ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયો. દાદા માધવસિંહ બાપુ ખૂબ મોટા જમીનદાર હતા એમ છતાં તેમના  દીકરાઓને ખેતી કામ માં જોતરવાને બદલે એ જમાનામાં ઉચ્ચ શિક્ષણ આપી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નટુભા બાપુ એ પણ પિતાના પગલે સંતાનોને શ્રેષ્ઠત્તમ કેળવણી આપવાનો નિર્ધાર કર્યો હતો. મનોહરસિંહજીનું પ્રાથમિક શિક્ષણ તેમના વતનમાં જ લીધું.
       એ સમયે પિતા નટુભા બાપુએ  PSI ની પરીક્ષા પણ પાસ કરી લીધી. પરિવાર માં આનંદ છવાયો પરંતુ એ ઝાઝુ ટક્યો નહીં. કુદરતની અકળ લીલાને કોણ પામ્યું શક્યું છે ! એ દરમિયાન પરિવાર પર જાણે આફતનું  આભ ફાટ્યું ! ૧૮ ડિસેમ્બર ૧૯૭૯ એ દિવસ હતો.  પિતા નટુભા બાપુ  છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. એ જ સમયે માર્ગમાં ગમખ્વાર અકસ્માત સરજાયો. મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાઈ ગયો. છકડામાં સવાર મુસાફરો ગંભીર રીતે ગવાયા. એમાં નટુભા બાપુ ખુબ ગંભીર ઈજાઓ થઇ.  ઈજાઓ એટલી ગંભીર હતી કે જાણે મોત હાથ તાળી આપી પાછું ચાલી ગયું ! માતાપિતાના પુણ્યપ્રતાપે અને કુળદેવીની કૃપાથી તેઓ બચી તો ગયા. પરંતુ બંને પગમાં ભયંકર ફ્રેકચર હતાં. તેમના શરીર પર જુદાં જુદાં નવ જેટલાં જટિલ ઓપરેશન થયાં. શારીરિક પીડા પારાવાર હતી. પણ તેમનું મન મેરુ જેવું મક્કમ હતું. અઢી વર્ષ જેટલા લાંબા સમય સુધી તેઓ સંપૂર્ણ પથારીવશ રહ્યા. પરિવાર માટે આ સમયગાળો ઘણો કપરો હતો. સદનસીબે સાત ભાઈઓ વચ્ચેનો સંપ ગજબનો હતો. બધા  સંયુક્ત પરિવારમાં જ  રહેતા હતા એટલે જીવન નિર્વાહ કે સેવા સુશ્રુસાની ચિંતા નહીવત હતી. જીવનની ખુબ મોટી ઘાત આવીને ચાલી ગઈ.પરંતુ અકસ્માતને કારણે PSI ની પરીક્ષા પાસ કરી હોવા છતાં પોલીસની નોકરીમાં જોડાઈ શક્યા નહી.
    પિતાજીના અકસ્માત થતાં મનોહરસિંહજી વધુ અભ્યાસ માટે તેમના મોટા બાપુજીના ત્યાં જામનગર ગયા. તેમના મોટા બાપુજી ખૂબ જાણીતા ડૉક્ટર હતા.  અત્યંત સેવાભાવી ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેમની નામના ચોતરફ  પ્રસરેલી હતી. મનોહર સિંહજીએ મોટા બાપુજીની જેમ ડૉક્ટર બની સમાજ સેવા કરવાનું સપનુ આંખે આંજી લીધું. એટલે વિજ્ઞાન પ્રવાહ સાથે અગિયાર - બારના અભ્યાસ માટે ગાંધીનગર ભણી વાટ પકડી. મહેનત તો ખૂબ કરી પણ મનોહર સિંહ જી ડોક્ટર બને એ નિયતિને મંજૂર નહોતું. બારમા ધોરણમાં મેડિકલમાં પ્રવેશ માટે જોઈએ તેટલા  માર્ક્સ ન આવતાં  નાની આંખે જોયેલું વિરાટ સપનુ જાણે નંદવાઈ ગયું.
     કુદરતની લીલા નિરાળી છે તે એક દ્વાર બંધ કરે છે તો બીજા હજાર દ્વાર ખોલી આપે છે. પણ આપણે  પેલા બંધ દ્વાર પર જ મીટને બેસી રહી ભાગ્યને કોસ્યા કરીએ છીએ અને બાકીના નવસો નવ્વાણું ખુલ્લા દ્વારા જોઈ જ શકતા નથી.  પણ મનોહર સિંહ જી એટલે  નોખી માટીમાંથી નિર્માણ થયેલી વ્યકિત!  નિરાશા ખંખેરી તરત ઊભા થયા. અને  દૃઢ નિશ્ચય કર્યો કે જીવનમાં બનવું તો ક્લાસ ૧-૨ વર્ગના મોટા અધિકારી જ બનવું. એથી નીચું કાંઈ ન ખપે ! કોલેજ શરૂ કરી સાથે સાથે બીજી પરીક્ષાઓની તૈયારી પણ કરતા રહ્યા. કોલેજ પૂરી થતાં ઘરની પરિસ્થિતી પામી નોકરી કરવી આવશ્યક હતી એટલે LIC માં D.O. ની પરીક્ષા પાસ કરી નોકરીમાં જોડાઈ ગયા. પણ હૃદયમાં ક્લાસ ૧-૨ વર્ગ ની નોકરી માટે ની ચિનગારી પ્રજ્વલિત હતી. આણંદ રહી નોકરી સાથે GPSC ની તૈયારી માટે તનતોડ પરિશ્રમ કરતા. નોકરી માટે બસ માં આવન જાવન દરમિયાન પણ તેમના હાથમાં પુસ્તક ફરજિયાત રહેતું. દર શનિ રવિ આણંદ થી અમદાવાદ જઈ  નિયમિત કોચિંગ ક્લાસ એટેન્ડ કરતા. ખૂબ  મહેનત કરી મહેનત GPSC ની પરીક્ષા આપી. આપ આ શું?  GPSC  ક્લાસ ૧-૨ ની પરીક્ષામાં નિષ્ફળતા હાથ લાગી.
    પડવું એ નિષ્ફળતા નથી પરંતુ પડીને ફરી ઊભા ન થવું એ નિષ્ફળતા છે.  આમ પણ શાંત દરિયો સફળ ખલાસી પેદા નથી કરતો.  કુદરત મનોહરસિંહજીની બરાબર કસોટી કરવાના મૂડમાં હતી. તો બીજી બાજુ મનોહરસિંહજી પણ કસોટી સામે બાથ ભીડવા મન મક્કમ કરી લીધું હતું. હૃદયમાં પ્રજ્વલિત ચિનગારી હવે આગમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. ફરી બમણા વેગે GPSC ની તૈયારીમાં મચી પડ્યા.
     જીવનપથ પર પોતાના સપનાં સાકાર કરવા ખૂંપી જનારા, નિષ્ફળતા, દુઃખ, દર્દો પીડાને ઓગાળી પી જનારા મસ્તાના મુસાફરોને  પામવાનો ઇન્તજાર તો ખૂદ મંઝિલને પણ હોય છે. આખરે GPSC ની પરીક્ષા લેવાઈ અને એનું પરિણામ જાહેર થયું. અને આ વખતે ગુજરાત  ટોપર હતા મનોહરસિંહજી જાડેજા  ! Dy SP તરીકે તેમનું સિલેક્શન થયું.
     ક્લાસ ૧-૨ નું સપનુ સાકાર થયું. પણ આટલેથી કાંઈ આ માણસ ઝંપીને થોડા બેસવના હતા ! જ્યાં પણ તેમનું પોસ્ટિંગ થયું ત્યાં પોતાની કર્તવ્યનિષ્ઠાના દર્શન કરાવ્યા.  સામન્ય જનતા માટે તેમના કાર્યાલયના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા. ગુંડા તત્વો ભયભીત બની બખોલમાં સંતાઈ ગયા તો બખોલમાંથી કાઢીને પણ કાયદાનું ભાન કરાવ્યું. તેમની કાર્યપ્રણાલીથી મનોહર સિંહજી  પ્રજાપ્રિય અધિકારી બની રહ્યા. એ દાહોદ હોય, રાજપીપળા હોય કે પાલનપુર હોય !
     રાજકોટમાં ACP તરીકે તેમણે કરેલી સરાહનીય કામગીરીને વર્ષો પછી પણ પ્રજાજનો આદર સાથે યાદ કરે છે. તેઓ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષધર રહી કાર્ય ભારત રહ્યા.  સમયની સાથે તેમણે IPS નું પ્રમોશન મળ્યું. અન્યાય સામેના તેમના કડક વલણને જોતાં રાજકીય વગ વાળા માણસો પણ મનોહરજસિંહજીને ખોટી ભલામણ કરતા પહેલાં લાખ વાર વિચાર કરે. એક  કાબેલ  અને હોનહાર અધિકારી તરીકેની નામના વિસ્તરતી રહી.
      ગીર સોમનાથમાં SP તરીકેના કાર્યકાળમાં પણ અનેક પડકારો આવ્યા. જ્યારે સોમનાથ મંદિર ની આજુ બાજુ નાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી આરંભાઈ ત્યારે માત્ર ગુજરાત કે ભારત નહી પરંતુ સમસ્ત વિશ્વની નજર આ કાર્યવાહી પર મંડાઈ હતી. સૌને એ ભીતિ હતી કે આ ગેરકાયદેસર દબાણો હટાવવા થી કદાચ તોફાનો ફાટી નીકળશે ! પણ જિલ્લાના પોલીસ વડા તરીકે મનોહરસિંહજીએ  કુનેહથી  અને જરૂર પડી ત્યાં કડકાઈથી એવી રીતે કામ હાથ પર લીધું કે ત્યાં એક કાંકરી ચાળો પણ કોઈ કરી ન શક્યું. અને ઈતિહાસમાં પહેલી વખત સોમનાથ મંદિર પાસેની સો એકડ કરતાં વધુ જમીન ખુલ્લી કરાવી દીધી. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય મીડિયા જગતે પણ આ કામગીરીની નોંધ લઈ ભરપૂર પ્રશંસા કરી.
આ તો એક દ્રષ્ટાંત માત્ર છે. આ સિવાય પણ મનોહરસિંહજી એ અનેક જટિલ કેસ ઉકેલી ગુન્હેગારો ને પાતાળમાંથી પણ શોધી દબોચી લીધા છે.
      હાલ તેઓ અરવલ્લી જિલ્લાના SP તરીકે ફરજનિષ્ઠ છે.  તેઓ એક હોનહાર પોલીસ ઓફિસર તો છે જ પરંતુ સાથે સાથે એક મળવા જેવા માયાળુ મનાવી પણ છે ! સફળતા શિખરો સર કર્યા પછી પણ પગ જમીન સાથે જોડી રાખ્યા છે.
      એક પોલીસ અધિકારી હોવા છતાં તેમના હૃદયમાં સેવા, સદભાવના અને સંવેદનશીલતા ધબકે છે. એટલે જ તેઓ દિવાળી જેવા તહેવારો અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકો વચ્ચે જઈ ઉજવે છે. બાળકો ને મીઠાઈ, કપડાં ફટાકડા ભેટ આપી એક અંધકાર ભર્યા જીવનમાં સાચા અર્થમાં પ્રકાશ પાથરવાનું કામ તેઓ કોઈ જ જાતની પ્રસિદ્ધિ વગર ચુપચાપ કરતા રહે છે. જમણા હાથે કરેલા સત્કાર્યની જાણ  તેઓ ડાબા હાથને પણ થવા દેતા નથી.
     જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેમના સ્વભાવની સાદગી, સરળતા અને વિનમ્રતા હૃદયને સ્પર્શી છે. ફરજ નિષ્ઠાનું ઝનૂન તેમની પાણીદાર આંખોમાં સ્પષ્ટ વાંચી શકાય છે. ઓછા સમયમાં તેમણે જિલ્લામાં મિશન મોડમાં કડક કાર્યવાહી હાથ ધરી છે એ જોતાં પ્રજાજનોમાં એક એક નવી આશા બંધાઈ છે. Zero tolerance થી કામગરી  કરીને બૂટલેગરો ને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. તેમના નામ માત્રથી  ગુનેગારો થરથર ધ્રુજવા લાગ્યા છે અને સામાન્ય જનતા સલામતીની હૂંફ અનુભવી રહી છે.
    અરવલ્લી જિલ્લો સાચે જ ભાગ્યશાળી છે કે મનોહરસિંહ જાડેજા સાહેબ જેવા બાહોશ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી પ્રાપ્ત થયા. 
 અકસ્માતના કારણે વર્ષો પહેલા પિતા નટુભા બાપુ પીસો ની પરીક્ષા પાસ કરી હોવા છતાં પોલીસમાં જઈ શક્યા નહતા. વર્ષો પછી તેમના જ દીકરા જિલ્લાના પોલીસ વડા બની પિતાના અધૂરા અરમાન પૂરા કરે એનાથી રૂડી બાબત પિતા માટે બીજી શું હોઈ શકે ।
 
      હું ખાતરી પૂર્વક કહી શકું છું કે અરવલ્લી જિલ્લાના આગામી વર્ષો સુરક્ષા, સલામતી અને શાંતિ માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
આજે મનોહરસિંહ જીનો જન્મ દિવસ છે ત્યારે અરવલ્લીની અટારીએથી શામળિયાના આશીર્વાદ સદા માટે સાહેબ પર વરસતા રહે અને વધુ ઉત્કૃષ્ટ કામગીરી માટે કાળિયો ઠાકર સાહેબને બળ પૂરું પાડે એ જ પ્રાર્થના.

- ઈશ્વર પ્રજાપતિ
98251 42620 


Sunday, February 22, 2026

સન્ડે સ્પેશિયલ

 "બેટા  ! માર્કશીટ કરતાંય તારી મુશ્કાન મારા માટે વધુ મુલ્યવાન છે. આ પરીક્ષા માત્ર છે, જિંદગીનો આખરી જંગ નહીં"

  


      જંગલમાં એક વાર પરીક્ષા યોજાઈ. જેમાં સસલાને ઉડવાનું, કાચબાને દોડવાનું અને માછલીને ઝાડ પર ચડવાનું હતું! પેપર કાઢનાર ગધેડાભાઈ હતા. એટલે આવું સાવ સહેલું પેપર પુછાયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. બોલો આ પરીક્ષામાં પ્રથમ કોણ આવ્યું હશે ? આમ જૂઓ તો આ એક માત્ર રમૂજ છે અને બીજું બાજુ તપાસો તો આપણી પરીક્ષા પદ્ધતિની વરવી વાસ્તવિકતા છે.              
    આગામી ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ઓ શરૂ થનાર છે. જાણે ત્રીજા વિશ્વ યુદ્ધના તણાવ કરતાય કરતાંય વધુ તણાવ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના પરિવાર ઉપર છે. વિદ્યાર્થી જાણે જીંદીગીનો આખરી ઝંગ લડવા જઈ રહ્યો હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
       વિદ્યાર્થીના માર્ક્સ હવે વિદ્યાર્થીના જ નહીં પરંતુ પુરા પરિવારનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. પોતાના સંતાનની ક્ષમતા કરતાં અનેક ઘણી વધારે અપેક્ષા રાખતાં રગવાયાં બનેલાં માં-બાપોની સ્થિતિ દયનિય છે.
  સંતાનના બીજા અનેક કૌશલ્યમાં  તરફ દુર્લક્ષય સેવતા અને સંતાનને માત્ર માર્ક્સ પાછળ આંધળી દોટ મુકવા મજબૂર કરનાર  મા-બપોએ એક વાર માળીયામાંથી જુની સુટ્કેશ ઉતારી પોતાની માર્કશીટ ઉપર એક નજર નાખી લેવી જોઈએ. વિદ્યાર્થીની કક્ષા કરતાં વાલીની વધુ પડતી મહત્વકાંક્ષા, ઉત્તમ પરિણામ માટે  પારિવારિક અતિ દબાણથી  વિદ્યાર્થી ડિપ્રેશન અનુભવે છે. પરીક્ષાના પરિણામો અંગે વિદ્યાર્થીના મસ્તિષ્કમાં કેવો ગજગ્રાહ સર્જાતો હશે કે વિદ્યાર્થી  હતોત્સહી થઈ આત્મહત્યા  કરવા પ્રેરાય છે.
     National Crime Records Bureau (NCRB) ના ૨૦૨૪ માં વિદ્યાર્થીઓ એ કરેલી આત્મહત્યા માટે રીસર્ચ રીપોર્ટ પ્રગટ કર્યો. જેના આંકડા ચોકાવી દેનારા છે. વર્ષ ૨૦૨૨ ના વર્ષમાં કોઈને કોઈ કારણો સર ૧૩૦૪૪ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી દેવાનું પસંદ કર્યું. દર વર્ષે આ વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ  ૪ % વધી રહ્યું છે. 
NCRB એ જાહેર કરેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા 


             ખેર! વાંક મા-બાપનોનો પણ નથી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે યોગ્ય પરીક્ષા પદ્ધતિ વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. બાર મહિના વિદ્યાર્થી પરિશ્રમ કરે તેનો નિચોડ માત્ર ત્રણ કલાકમાં આપી દેવાનો. અને આ ત્રણ કલાક દરમ્યાન આપેલા પરફોર્મન્સ આધારે તેની પ્રતિભા નક્કી કરવી એ  કેટલા અંશે વ્યાજબી છે ???  
           પરીક્ષાના માહોલને હળવા ફૂલ બનાવવાના સ્થાને ભયંકર બનાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી વિમાસણમાં છે. એક રીઢા કેદીને ન્યાયાધીશ સામે જુબાની આપવા હાજર કરતો હોય એ રીતે  ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીને પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં આવે છે. પરીક્ષાખંડમાં પ્રવેશ પામતા પહેલા કસ્ટમ વિભાગ કરતા પણ વધારે કડક તપાસણીમાંથી પસાર થવું પડે છે. જાણે વિદ્યાર્થી ખિસ્સામાં RDX ભરી પરીક્ષા કેન્દ્રને ઉડાવી દેવા ન આવ્યો હોય!!   CCTV Cameraની ચુસ્ત નિજરાણીમાં પરીક્ષા લેવાય.  એવો માહોલ સર્જવામાં આવે છે કે વિદ્યાર્થી ભયમુક્ત પરીક્ષા આપવાના બદલે સતત તાણ અનુભવે છે. 
      પરદેશમાં વિદ્યાર્થીની અનુમતિ વગર એના વર્ગખંડમાંમાં અજાણી વ્યક્તિ પ્રવેશી શકતી નથી. અને અહીં ગ્મે તે વિદ્યાર્થીને ભરચક ક્લાસ વચ્ચે ગમે ત્યરે ગમે તે આવી ખિસ્સાં તપસી શકે છે.   વિદ્યાર્થી પર આટલો અવિશ્વાસ રાખવાનું કારણ સમજાતું નથી.  જે રીતે વિદ્યાર્થી પરીક્ષા સમયે વિદ્યાર્થી  પર જે રીતે વૉચ રાખવામાં આવે છે એ પરથી તો એક વાત ચોક્કસ ફલિત થાય છે કે આપણે મૂલ્ય શિક્ષણ  આપવામાં ક્યાંકને ક્યાંક દાટ વાળ્યો છે. આવા નકારત્મક વાતાવરણ વચ્ચે વાલી તરીકે સંતાનને હકારાત્મક વતાવરણ પુરૂ પાડવાની જવાબદારી આપણી છે.
     આપણે નકારાત્મક વલણથી તેના આત્મવિશ્વાસને, બુદ્ધિશક્તિને મુરઝાવી ન નાખીએ. દરેક બાળક સર્વગુણસંપન્ન ક્યાંથી હોય. કોઈનામાં કોઈ શક્તિ તો બીજાનામાં બીજી શક્તિ હોય એટલે માં બાપની ફરજ તો સંતાનમાં છુપાઈને પડેલી શક્તિ પારખી તેને બહાર લાવવા પ્રોત્સાહિત કરતા રહેવાની છે. તેને બદલે મર્યાદા કે અણઆવડત પ્રત્યે વધુ પડતું ધ્યાન આપતું કરી તેની અસ્વીકાર્યતા વલણ કેમ ઉભું કરવું ??? જીવનમાં જીત જીરવવી જેટલી સહેલી છે તેનાથી અનેકગણી મુશ્કેલ છે હારની સ્વીકાર્યતા. માતાપિતા તરીકે સંતાનને ખેલદિલી શીખવીએ. પડીને ઉભા થવામાં મર્દાનગી છે. વિદ્યાર્થી સાથે મૈત્રી પૂર્ણ અને વિશ્વાસ યુક્ત વ્યવ્હાર થવો જોઈએ. યાદ રાખો કુદરતનું દરેક સર્જન unique છે. તમે અને તમારું સંતાન પણ !
       દુનિયાભરમાં નામના મેળવનાર અને નોબેલ પારિતોષિક મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ક્યારેય શાળાએ નથી ગયા. એમને મહાન બનાવ્યા એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિએ! વિશ્વની મહાન પ્રતિભાઓ પરીક્ષામાં અવ્વલ જ આવ્યા હોય એવા દાખલા જૂજ જોવા મળે છે. સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ડફોળ વિદ્યાર્થી કહી શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિચારો કદાચ આઈન્સ્ટાઈનના વાલી તમે હોત તો દુનિયાને મહાન વૈજ્ઞાનિક ભેટ મળત ખરી ???  ગરબડીયા અક્ષર વાળો, શરમાળ પ્રકૃતિનો, મેટ્રિકમાં માત્ર 40% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી મહાત્મા બની વિશ્વમાં પૂજાયા. મહાત્મા ગાંધી વિદ્યાર્થીકાળ દરમ્યાન એવરેજ વિદ્યાર્થી જ હતા.  સમસ્ત વિશ્વ જેઓને તલ્લીન થઈ સાંભળે છે એવા  રામાયણનું રસપાન કરાવતા પૂ. મોરારી બાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. વિશ્વભરમાં રિલાયન્સ સામ્રાજ્યને વિસ્તારનાર ધીરુભાઈ અંબાણી માત્ર ચાર ચોપડી ભણેલા હતા.  મહારાષ્ટ્ર માં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો માં જેના પાઠ ભણાવાય છે એ સચિન તેંડુલકર ધોરણ દસમાં નાપાસ હતા. સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પન્નાલાલ પટેલ માત્ર સાત ચોપડી ભણ્યા હતા. ઉદાહરણની યાદી  હજી લાંબી થઈ શકે છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ છે જીવનમાં સફળતાનાં ઉચ્ચત્તમ શિખરે પહોંચવા પરીક્ષાના માર્ક્સ ક્યાંય બાધારૂપ બનતા નથી.
                 પોતાના સંતાનોને વધુ માર્ક્સ મેળવવાની લ્હાયમાં ધુવાંપુવાં થઈને ફરતા વાલીઓને મારે એક જ વાત કરવી છે. કે આજની પરીક્ષાએ આપના વહાલસોયા સંતાનની બુદ્ધિકક્ષા ચકાસવાની યોગ્ય પારાશીશી નથી જ. કસમનસીબે આવી પરીક્ષાને વધુ પડતું મહત્વ આપી આપણે આપણા સંતાનોને અનેક આઘતો આપી મુરઝાવી દઈએ છીએ. તેના મગજમાં તેની જાત માટે  વિશ્વાસ, આત્મવિશ્વાસ ઉભો કરવાને બદલે તેની શ્રધ્ધાને જ ડગાવી મૂકીએ છીએ. બીજાના સંતાનોના પરિણામો સાથે તેના પરિણામો સરખાવી તેના આત્મસન્માનને ઘાત કરીએ છીએ. વધુ માર્ક્સની મહત્વકાંક્ષા પાછળ આંધળી દોટ મુકતા આપણે ક્યારેય વિચાર્યું છે કે અજાણતા જ એને અધોગતિના વહેણ તરફ ઘસડી રહ્યા છીએ. ઔપચારિક શિક્ષણને એટલું બધું મહત્વ આપી દીધું છે કે સંતાનમાં રહેલી સર્જનાત્મકતા ખીલવા દેવાનો અવકાશ જ ક્યાં અપાય છે??? પણ ઔપચારિક શિક્ષણ વાસ્તવિક જગતમાં કેટલું ઉપયોગી છે તેનો વિચાર ક્યારેય કર્યો છે ખરો??
                એક આદર્શ વાલી તરીકે આપણી આંખે આંજેલા સપનાઓ સંતાનની આંખે સાકાર થતાં જોવાની ભૂલ કદી ન કરીએ. કારણ સંતાનની આંખોમાં એના પોતિકા સપનાઓ છે. એને સાકાર કરવામાં મદદરૂપ ન  બનીએ તો વાંધો નહીં પરંતુ એમાં બાધારૂપ તો ન જ બનીએ.
     પરીક્ષા  આપવા જતા વહાલસોયા સંતાનને પાસે બેસાડી એટલું જરૂર કહો કે  "બેટા  ! માર્કશીટ કરતાંય તારી મુશ્કાન મારા માટે વધુ મુલ્યવાન છે. આ પરીક્ષા માત્ર છે જીંદગીનો આખરી જંગ નથી."  આ નાનું અમથું એક  વાક્ય કદાચ  આપના સંતાનના જીવનમાં ચમત્કાર સર્જવા પુરતું સાબિત થશે. 
                   
.
લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)