name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, June 21, 2026

સન્ડે સ્પેશીયલ

  વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ   શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ

                     શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી, પણ એક સાધના છે. આ સાધનાને પોતાના જીવનનો મંત્ર બનાવનાર પી. એમ. શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના કર્મઠ શિક્ષિકા એટલે ભાવનાબેન પટેલ. આકરૂન્દ શાળાનાં  ભૂલકાંઓમાં શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરનારાં ભાવનાબેન શિક્ષણજગતમાં એક અનોખું અને આદરણીય નામ છે. મિતભાષી, વિનમ્ર અને શાલીન સ્વભાવ ધરાવતા ભાવનાબેનનું વ્યક્તિત્વ જ એમનું સાચું આભૂષણ છે.

          ભાવનાબેનના ઉત્તમ શિક્ષક તરીકેના ઘડતરની પાછળ તેમના માતા-પિતા અને  હજારો શિક્ષકોના પ્રેરણામૂર્તિ અને 'સુ ગો રા' તરીકે વિખ્યાત આદરણીય સુમતિબેન ગોવિંદ રાવલના આશીર્વાદ અને સાનિધ્ય રહેલા છે. સુ.ગો.રા.ની  તપોભૂમિમાં અનેરામાં  પી.ટી.સી. પૂર્ણ કર્યા બાદ, ૧ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ  ભાવનાબેને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વસાઈ પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં પોતાની અપ્રતિમ કાર્યનિષ્ઠાને કારણે તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના હૃદયમાં આદરણીય સ્થાન પામ્યા.

વતનથી દૂર ફરજ બજાવતાં ભાવનાબેનને વતનની ભૂમિ સાદ કરીને બોલાવી રહી હતી. મહેસાણા જિલ્લામાંથી તત્કાલિન સાબરકાંઠા જિલ્લામાં બદલી થતાં, ધનસુરા તાલુકાની શીકા પ્રાથમિક શાળામાં ટૂંકો સમય સેવા આપી, તેઓ આકરુંદ નજીક આવેલી માધાની મુવાડી પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષિકા તરીકે જોડાયા. માધાની મુવાડી પ્રાથમિક શાળામાં નીતિનભાઈ કાંતિભાઈ પટેલ, ચિરાગભાઈ શર્મા (હાલ ધનસુરા TPEO શ્રી) સાથે મળી વિદ્યાર્થીઓમાં શિસ્ત સાથે સંસ્કારોનું સિંચન કર્યું.  આ અંતરિયાળ વિસ્તારમાં તેમણે એક દાયકા (૧૦ વર્ષ) જેટલો લાંબો સમય નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. તેમની ફરજપરસ્તી એટલી અદભુત હતી કે આ સેવાકાળના દોઢ દાયકા પછી પણ આજે ત્યાંના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાવનાબેનને અત્યંત આદર સાથે યાદ કરે છે. માધાની મુવાડીમાં હાલ ફરજ બજાવતા નિમેષભાઈ એન. પટેલ અને તેમનાં જીવન સંગીની જાગૃતિબેન પટેલે નંદનવન સમાન શાળાનું વાતાવરણ નિર્માણ કર્યું છે.   

ભાવનાબેનના જીવનસાથી અને પોતે પણ એક નિષ્ઠાવાન શિક્ષક એવા નીતિનભાઈએ વતન આકરૂન્દ ગામની સરકારી શાળાને 'મોડેલ સ્કૂલ' બનાવવાનું પ્રણ લીધું હતું. પતિના આ ભગીરથ કાર્યમાં ખભેખભો મિલાવવા માટે ભાવનાબેને એક નાની શાળા છોડીને, મોટી જવાબદારીઓ સાથે ૮ મે ૨૦૧૦ના રોજ આકરુંદ પ્રાથમિક શાળાને પોતાની નવી કર્મભૂમિ બનાવી. આકરુંદ શાળામાં આવીને આ દંપતી અને સાથી શિક્ષકોની ટીમે શિક્ષણની એવી ધૂણી ધખાવી કે શાળાનો કાયાકલ્પ થઈ ગયો. શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે આ આખી ટીમે દિવસ-રાત જોયા વગર પરિશ્રમ કર્યો છે. એક સમયે ૧૨૫ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા શિક્ષકોના સહિયારા પુરુષાર્થે ૪૦૦ થી અધિક વિદ્યાર્થીઓ ધરાવતી શાળા બની. શિક્ષકોએ જીતેલા વાલીઓના અપ્રતિમ વિશ્વાસનું આ પ્રતિક છે.  

ભાવનાબેન પાસે ધોરણ ૩ થી ૫ માં ભાષા શિક્ષણ આપવાની એક આગવી અને અદ્ભુત હથોટી છે. તેઓ રમત-ગમતમાં અને સરળ શૈલીમાં બાળકોને ભાષા શીખવવાની તેમની સૂઝ ગજબની  છે. તેમના વર્ગના કોઈ બાળક નબળું ન રહી જાય તે માટે સતત તેઓ મથામણ કરતાં જોવા મળે. કોરોના કોરોના દરમિયાન વર્ગમાં બેસી ઓનલાઈન વર્ગ લેવાના બદલે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી લેતાં રહ્યાં.   પારિવારિક વ્યસ્તતાઓ અને જવાબદારીઓ હોવા છતાં, તેમણે ક્યારેય શાળાના સમય કે કાર્યમાં કોઈ બાંધછોડ કરી નથી.  તેમની સમયપાલન અને નિયમિતતા એટલી ચોક્કસ છે કે તેમને જોઈને કોઈ પણ વ્યક્તિ પોતાની ઘડિયાળનો કાંટો મેળવી શકે ! ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખી પોતાના કામમાં જ ખૂપેલાં રહેવાનો તેમનો સ્વભાવ છે. તેમનું સાદગી ભર્યું, શાલીન અને નિખાલસ વ્યક્તિત્ત્વ એક પાઠશાળા સમાન છે. ભગવાન રણછોડ રાયમાં અનન્ય શ્રદ્ધા ધરાવતાં ભાવનાબેન વિદ્યાર્થીઓમાં જ બાલ ગોપાલનાં દર્શન કરે છે.

આદરણીય નીતિનભાઈની અણધારી વિદાયથી આખા શાળા પરિવારનો જાણે આધાર સ્તંભ જ ભાંગી પડ્યો હોય એવી સ્થિતિ નિર્માણ પામી. “ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું ?” ભાવનાબેન માટે આ આઘાત અસહ્ય થઇ પડ્યો. કોઈની પણ પાસે આશ્વાસનના શબ્દો ન હતા. હૈયામાં સળગેલો દાવાનળ ક્યાં જઈ ઠરાવો ? જીવનની અત્યંત નાજુક કહી શકાય એવી પરિસ્થિતિમાં પણ પોતાના વર્ગનાં વિદ્યાર્થીનાં હિતને જરા પણ આંચ આવવા ન દીધી. મન ઉપર મેરુ પર્વત મૂકી ભાવનાબેને વિદ્યાર્થીઓનો પાઠ્યક્રમ પૂરો કર્યો. આજના સમયમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ આવી ફરજનિષ્ઠા ક્યાંય જોવા મળે ખરી ?

 છેલ્લા દોઢ દાયકાથી આકરુંદ શાળાને તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને સેવાઓ મળી રહી છે. ભાવનાબેન જેવા સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ શિક્ષિકા માત્ર શાળાનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ગૌરવ છે. તેમના ઉત્કૃષ્ટ કાર્યો અને શિક્ષણ પ્રત્યેના સમર્પણને કોટી કોટી વંદન!

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, June 14, 2026

સન્ડે સ્પેશિયલ

જેમણે ગણિતને ગોળ જેવું ગળ્યું બનાવી વિદ્યાર્થીઓને રસ લેતાં કરી દીધાં.

---------------------------------------------------

ગણિત-વિજ્ઞાનના પર્યાય અને વિદ્યાર્થીઓના પ્રેરણામૂર્તિ: શ્રી ભવદીપભાઈ પટેલ

    ભવદીપભાઈ પટેલનું નામ અરવલ્લી જિલ્લાના શિક્ષણ જગતમાં અજાણ્યું નથી. નોકરીની શરૂઆતથી જ આકરૂન્દ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે જોડાઈને  એક તેજસ્વી, પ્રતિભાવાન અને ટેકનોસેવી શિક્ષક તરીકેની ઓળખ તેઓએ પ્રસ્થાપિત કરી છે. કહેવાય છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો, પ્રલય અને નિર્માણ તેની ગોદમાં પલે છે. આ વિધાનને અક્ષરશઃ સાર્થક કરતું વ્યક્તિત્વ એટલે પીએમ શ્રી આકરુંદ આદર્શ પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક શ્રી ભવદિપભાઈ પટેલ. તેમણે પોતાની આગવી કોઠાસૂઝ, અવિરત મહેનત અને શિક્ષણ પ્રત્યેના સમર્પણથી શાળા અને સમગ્ર જિલ્લામાં એક અનોખી ઓળખ ઊભી કરી છે.

આકરુંદથી માત્ર ચાર કિલોમીટરના અંતરે આવેલું રાજપુર ગામ તેમનું વતન. અત્યંત સાધારણ પરિવારમાં તેમનો ઉછેર થયો. માતા પિતાએ પેટે પાટા બાંધો તેમણે ભણાવ્યા. કુદરતે તેમની કસોટી કરવામાં કોઈ કસર છોડી નહિ. તેમની ઓછી ઉંમરે તેમના પિતાજીનું અકાળે અવસાન થયું. જાણે જીવતર આખુ વેરવિખેર થઈ ગયું. બીજી કોઈ વ્યક્તિ હોય તો હિંમત જ હારી બેસે. પરંતુ જીવતરના અત્યંત નાજુક સમયમાં મનને વધુ મજબૂત કર્યું. અને ફિનિક્સ પક્ષી જેમ રાખમાંથી બેઠું થાય, એમ ભવદીપ ભાઈએ પરિસ્થિતી સામે બાથ ભીડી બમણા જોમથી બેઠા થયા. દૃઢ મનોબળ અને અથાગ પુરુષાર્થ કરી જાતબળે શિક્ષકની નોકરી મેળવી. નોકરીની શરૂઆતથી આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવી. પિતૃતુલ્ય નીતિનભાઈની ઓથ મળી, તો શાળાનાં સૌ શિક્ષક ભાઈઓ અને શિક્ષિકા બહેનો તરફથી પારિવારિક હૂંફ મળી. એ પછી તો તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નહીં. માત્ર કર્મે જ નહીં પરંતુ ધર્મે પણ શિક્ષકત્ત્વ ધારણ કર્યું. 

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા કે કંટાળાજનક ગણાતા હોય છે. પરંતુ ભવદિપભાઈએ પોતાની વિશિષ્ટ અને રસપ્રદ શૈલીથી આ વિષયોને એટલા સરળ બનાવી દીધા કે વિદ્યાર્થીઓ તેમાં આપોઆપ રસ લેતા થઈ ગયા. ગોખણપટ્ટીના બદલે પ્રાયોગિક શૈલી અપનાવી તેમણે બાળકોના મનમાંથી ગણિત-વિજ્ઞાનનો ડર હંમેશ માટે દૂર કરી દીધો છે.

 તેમનું માર્ગદર્શન માત્ર વર્ગખંડ પૂરતું સીમિત નથી. NMMS, CET અને JNV (જવાહર નવોદય વિદ્યાલય) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે  વિદ્યાર્થીઓને  કરવાનું તેમણે બીડું ઝડપ્યું. શાળાના સમય પહેલાં અને સમય પછી પણ તેઓ બાળકોને ભણાવતા રહે છે. આ બાળકોનાં ઓનાલાઇન ફોર્મ ભરવાથી માંડી, પરીક્ષા પાસ કરનાર બાળકોને શિષ્યવૃત્તિનો લાભ મળી રહે ત્યાં સુધીની તમામ પ્રક્રિયા તેઓ જ સંભાળી લે છે. કોઈ બાળક પરીક્ષાની  ફી ભરી શકે એમ ન હોય તેમની ફી ભવદીપભાઈ પોતે જ ભરી દે. પણ એની જાણ બાળકોને કે સ્ટાફમાં પણ કોઈને થાવ દે નહિ.  તેમની આ જ મહેનતનું પરિણામ છે કે આજે જિલ્લા કક્ષાએ આકરુંદ શાળાના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઝળકી રહ્યા છે.


કોરોના કાળના કપરા સમયમાં સમગ્ર શિક્ષણ વ્યવસ્થા થંભી ગઈ હતી. પણ એક શિક્ષકનો જીવ પોતાના વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર આકળવિકળ થઇ ઉઠ્યો. પરિસ્થિતિ સામે હાર માની બેસી રહેવાના બદલે ભવદીપભાઈએ પોતાની YouTube ચેનલ શરૂ કરી. આ ડિજિટલ માધ્યમ દ્વારા તેમણે માત્ર પોતાની શાળાના જ નહીં, પરંતુ રાજ્યના સેંકડો વિદ્યાર્થીઓ સુધી ગણિત-વિજ્ઞાનનું શિક્ષણ અવિરત પહોંચાડ્યું. એક ટેકનો-સેવી શિક્ષક તરીકે સરકાર શ્રી તરફથી શરૂ થતા તમામ નવીન પોર્ટલનો તેઓ તલસ્પર્શી અભ્યાસ કરી લે છે. શાળાની તથા જૂથની મોટાભાગની  ઓનલાઈન કામગીરીમાં તેઓ હંમેશા મોખરે રહે છે અને ક્યારેય પાછીપાની કરતા નથી. આ બધી જ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે તો નહિ જ ! શાળાના ફ્રી તાસમાં કે રિશેષના સમયમાં બેસી રહેવાના બદલે તેઓ કોઈને કોઈ કામગીરીમાં પોતાની જાતને વ્યસ્ત રાખે. બાકી રહેલું કામ ઘરે રાત્રે જાગીને પણ પૂરું કરીને જ ઝંપે ! વેકશનમાં પણ ઘરે બેસી રહેવાના બદલે શાળામાં આવી કોઈને કોઈ કામ કરતા રહે છે. ભવદીપભાઈ અને એવા જ ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક ચિરાગભાઈએ સાથે મળી આકરૂન્દ શાળામાં  તૈયાર કરેલી ગણિત-વિજ્ઞાન પ્રયોગ શાળા સૌ કોઈએ મુલાકાત લેવી જોઈએ. પાઠ્યક્રમમાં આવતો એક પણ પ્રયોગ એવો ન હોય જે પ્રાયોગિક ધોરણે આકરૂન્દ શાળામાં થયો ન હોય !   

ભવદીપભાઈ માત્ર વર્ગખંડના શિક્ષક નથી, પણ શાળાના જીવ છે. શાળાની વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular activities) દ્વારા તેઓ શાળાને હંમેશા ધબકતી રાખે છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ એક સક્ષમ 'પેપર સેટર' તરીકે પણ તેઓ પોતાની ઉમદા સેવાઓ આપી રહ્યા છે, જે તેમની વિષય પરની પકડ અને ક્ષમતા દર્શાવે છે.

એક સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવાના પાયામાં આવા કર્મનિષ્ઠ શિક્ષકોની મહેનત રહેલી હોય છે. પરંતુ પાયાની ઈંટનો એ નિયમ છે કે એને દેખાવું ક્યારેય ગમતું નથી. આજકાલ જ્યાં લોકો નાના કામ માટે પણ સન્માનની અપેક્ષા રાખે છે, ત્યાં ભવદીપભાઈ એક અપવાદ છે. એક શ્રેષ્ઠ શિક્ષક હોવા છતાં, તેમણે આજ દિન સુધી કોઈ એવોર્ડ, ખિતાબ કે સન્માન માટે ક્યારેય કોઈ નોમિનેશન ફોર્મ ભર્યું નથી. તેમના માટે સાચો એવોર્ડ તેમના વિદ્યાર્થીઓની સફળતા અને તેમના ચહેરા પરનું નિખાલસ સ્મિત છે. 

ભવદીપભાઈ પટેલ જેવા નિઃસ્વાર્થ, ઊર્જાવાન અને સમર્પિત શિક્ષક શિક્ષણ જગતનું ગૌરવ છે.

સંપર્ક – ભવદીપભાઈ પટેલ : 9909009612

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620


Sunday, June 7, 2026

સન્ડે સ્પેશિયલ

સમર્પણ, સાધના અને શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક: આકરુંદ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક નિમેષભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના શિક્ષણ જગતમાં નિમેષભાઈની ઓળખ એક માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન અને ઉમદા શિક્ષક તરીકેની છે. પરંતુ આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળાને રાજ્યની એક મોડેલ સ્કૂલ બનાવવા તેમણે કરેલા પ્રયાસોથી બહુ ઓછા લોકો પરિચિત હશે. પી.એમ. શ્રી. આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાને રમત-ગમતમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઝળકાવનાર એક પ્રતિબદ્ધ શિક્ષક છે.

શિક્ષણ એ માત્ર રોજીરોટી મેળવવાનું સાધન નથી, પરંતુ એક આખી પેઢીનું ઘડતર કરવાનો પવિત્ર યજ્ઞ છે. જ્યારે આ યજ્ઞમાં કોઈ શિક્ષક પોતાના જીવનની આહુતિ આપી દે છે, ત્યારે એક સામાન્ય શાળા પણ સંસ્કારધામ અને પ્રગતિનું કેન્દ્ર બની જાય છે. અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાની આકરુંદ પ્રાથમિક શાળામાં છેલ્લા દોઢ દાયકાથી ફરજ બજાવતા શિક્ષક નિમેષભાઈ પટેલ એક એવું જ ઝળહળતું નામ છે. તેમણે પોતાની કર્તવ્યનિષ્ઠા, પરિશ્રમ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના અખૂટ પ્રેમને કારણે આકરુંદ પ્રાથમિક શાળાને માત્ર જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક વિશિષ્ટ ઓળખ અપાવી છે.

દોઢ દ્દાયકા પહેલાં સ્વ. નીતિનભાઈ જે. પટેલ (માસ્તર) અને નીમેશભાઈ આકરૂન્દની પાસે આવેલા બપુપુરા પ્રાથમિક શાળામાં સાથે નોકરી કરતા. ત્યાં નિમેષભાઈને નીતિનભાઈનો સ્પર્શ મળ્યો. નીતિનભાઈના નિર્મળ વ્યક્તિત્ત્વની નીમેશભાઈના હૃદયમાં ઊંડી છાપ પડી.  અને દિવસેને દિવસે તેમનું શિક્ષક્ત્ત્વ નિખરતું ગયું. જે શાળામાંથી કેળવણીના પાઠ શીખ્યા એ માતૃભુમીની શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવાના સપના સાથે ન્તીનભાઈ અને નિમેશભાઈ આકરૂન્દ શાળામાં બદલી કરાવી લીધી. શાળા શાળાના સૌ શિક્ષકો સાથે ખભે ખભો મિલાવી એક નવી યાત્રાની શરૂઆત કરી.

આકરુંદ શાળામાં આવ્યા પછી સૌથી પહેલાં નિમેષભાઈ એ પોતાનાં બંને સંતાનો ને આકરુંદ ગામની જ સરકારી શાળામાં ભણાવવાનો નિર્ધાર કર્યો. જેથી વાલીઓનો વિશ્વાસ સંપાદિત કરી શક્યા. પરિણામે દિવસે દિવસે પ્રવેશ માટે આસપાસના ગામના વાલીઓના ધસારો વધતો ગયો. 

આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો સમય જોઈને કામ કરે છે અને ફરજના કલાકો પૂરા થતાં જ ઘર તરફ દોડી જાય છે, ત્યાં નિમેષભાઈ પટેલે સમયના તમામ બંધનો તોડી નાખ્યા છે. રવિવાર હોય, જાહેર રજા હોય કે દિવાળી-ઉનાળાનું લાંબુ વેકેશન—નિમેષભાઈ માટે દરેક દિવસ શાળાના વિકાસનો દિવસ બની રહે છે. તેમણે ક્યારેય રજાઓને આરામનું સાધન નથી માની, પરંતુ તેને શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ વધારવાની એક તક તરીકે ઝડપી લીધી છે. આ ઉનાળું વેકશન દરમિયાન એક પણ દિવસ એવો નથી ગયો કે આકરૂન્દ શાળા ખૂલી ન હોય.

વેકેશનના દિવસોમાં જ્યારે અન્ય લોકો પ્રવાસ પર જતા હોય છે, ત્યારે નિમેષભાઈ શાળાના મેદાનને સરખું કરતા, વર્ગખંડોની સાફ સફાઈ, લાઈટ ફીટીંગ, કે બાગ બગીચાની તૂટી ગયેલી પાઈપ લાઈન રીપેરીંગ  કરતા જોવા મળે છે. તેમની પ્રત્યેક પળ  શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ચિંતનમાં જ ખર્ચાય છે. આ જ કારણ છે કે આજે આકરુંદ પ્રાથમિક શાળાનું ભૌતિક વાતાવરણ અને શૈક્ષણિક સ્તર ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું ઉત્કૃષ્ઠ બન્યું છે.

નિમેષભાઈ મૂળભૂત રીતે ભાષાના શિક્ષક છે, જે વિદ્યાર્થીઓને શબ્દોની દુનિયા અને સાહિત્યના સંસ્કારો આપે છે. પરંતુ જ્યારે તેમણે જોયું કે ગામડાના બાળકોમાં શારીરિક ક્ષમતા અને રમતગમત પ્રત્યે ભારે ઉત્સાહ છે, ત્યારે તેમણે પોતે રમતગમતમાં બાળકોને શ્રેષ્ઠત્તમ ઘડતર માટેનું બીડું ઝડપ્યું.

કોઈપણ વ્યવસાયિક તાલીમ વિના, માત્ર પોતાની સૂઝબૂઝ અને ઈન્ટરનેટ તેમજ અન્ય માધ્યમોના સહારે તેમણે રમતગમતના નિયમો શીખ્યા. ખાસ કરીને ખો-ખોની રમતમાં તેમણે વિદ્યાર્થીઓ પાછળ દિવસ-રાત એક કર્યા. સવારે શાળા સમય પહેલાં  પહેલાં અને સાંજે શાળા છૂટ્યા પછી પણ તેઓ બાળકોને મેદાન પર પરસેવો પાડતા શીખવતા.

તેમની આ અથાગ  મહેનતનું પરિણામ એ આવ્યું કે આકરુંદ પ્રાથમિક શાળાની ખો-ખો ટીમ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનીને અટકી નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની ગર્વ વધાર્યો. એટલું જ નહિ આ શાળાના ખેલાડીઓ નેશનલ ટીમ માટે પસંદગી પામ્યા. અને ખો-ખોની નેશનલ ટીમનું પ્રતીનીત્ત્વ કર્યું. એક અંતરિયાળ ગામની પ્રાથમિક શાળાના બાળકો રાજ્ય કક્ષાની ખેલમહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતી લાવે, તે નિમેષભાઈના અસાધારણ પુરુષાર્થ વિના શક્ય નહોતું. તેમણે ભાષાની સજ્જતા સાથે બાળકોના શરીર અને મનને પણ મજબૂત બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.


આજના સોશિયલ મીડિયાના જમાનામાં નાનું સરખું કામ કરીને મોટી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા ચારેય તરફ જોવા મળે છે. પરંતુ નિમેષભાઈ પટેલ આ ભપકાદાર દુનિયાથી જોજનો દૂર રહે છે. તેઓ "કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" ના સિદ્ધાંતને સાચા અર્થમાં જીવે છે. પોતાની આટલી મોટી સિદ્ધિઓ, શાળાનો અદ્ભુત વિકાસ અને વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાની સફળતા છતાં તેઓ હંમેશાં પડદા પાછળ રહીને કામ કરવાનું પસંદ કરે છે.

તેમના માટે સાચો એવોર્ડ કોઈ સન્માન પત્ર કે ટ્રોફી નથી, પરંતુ તેમના વિદ્યાર્થીઓના ચહેરા પરનું સ્મિત અને તેમની પ્રગતિ છે. તેઓ ક્યારેય પોતાની નામના પાછળ દોડ્યા નથી. શાળાના હિત માટે, બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ અહર્નિશ પ્રવૃત્તિશીલ રહે છે. શાળાના વિકાસ કાર્યોમાં માત્ર ગ્રાન્ટ પર નિર્ભર રહેવાના બદલે જરૂર પડે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી. અને એનો હિસાબ આજસુધી માંડ્યો નથી. કોઈ વિદ્યાર્થીને મેડિકલ  કે એન્જિનીયરીંગમાં જેવા ઉચ્ચ ઉચ્ચ અભ્યાસ માટે  આર્થિક જરૂરિયાત ઊભી થાય અને એની જાણ નીમેશભાઈને થાય તો ડાબા હાથને પણ ખ્યાલ ન આવે એ રીતે તેમનો જમણો હાથ મદદ માટે પહોંચી જતો હોય છે.

તેઓ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, દેશભક્તિ, શિસ્ત અને પ્રમાણિકતાના પાઠ પણ ભણાવે છે. રમતગમત દ્વારા તેઓ બાળકોમાં ટીમવર્ક અને ખેલદિલીની ભાવના કેળવે છે. આજે આકરુંદ શાળામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની નૈતિકતા અને સખત મહેનતને કારણે અલગ તરી આવે છે.

છેલ્લા ૧૫ વર્ષમાં નિમેષભાઈએ આકરુંદ પ્રાથમિક શાળાને પોતાનું ઘર અને શાળાના બાળકોને પોતાના સંતાનો માન્યા છે. તેમની આ સફર એ વાતની સાબિતી છે કે જો કોઈ એક વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરી લે, તો તે આખી વ્યવસ્થા અને સમાજનું ચિત્ર બદલી શકે છે. શરૂઆતમાં ભૌતિક સંસાધનોની ઉણપ વચ્ચે પણ તેમણે જે રીતે શાળાને ઉત્કૃષ્ઠતાના શિખરે પહોંચાડી છે, તે દેશના લાખો શિક્ષકો માટે પ્રેરણારૂપ છે.

નિમેષભાઈ પટેલ જેવા પ્રતિબદ્ધ, કર્મનિષ્ઠ અને નિઃસ્વાર્થ શિક્ષકો જ સાચા અર્થમાં રાષ્ટ્રના નિર્માતાઓ છે.  શિક્ષણના વ્યવસાયને એક પવિત્ર મિશન બનાવી દીધો છે. આકરુંદ ગામ અને સમગ્ર શિક્ષણ જગત નિમેષભાઈની સેવાઓ માટે હંમેશાં ઋણી રહેશે.

સંપર્ક: નિમેષભાઈ પટેલ 9427813907

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧૪૨૬૨૦ 

Friday, June 5, 2026

The Visionary of Vatrak

 The Visionary of Vatrak: Dr. Anil Shah's Noble Mission

     Whether in India or America, who in the medical world could be unfamiliar with the name of Dr. Anil Shah? Dr. Anil Shah is a world-renowned cardiologist. Although he settled in America decades ago, his heart, as it were, beats constantly for his motherland. He envisioned a magnificent dream of constructing a state-of-the-art, multi-specialty hospital at an estimated cost of 100 crore rupees, ensuring that the underprivileged patients of his homeland receive the absolute best medical treatment. To realize this, he chose the campus of the Vatrak Hospital as the ideal site for this grand endeavor.

Dr. Anil shah

      Situated in the remote interior and at the very edge of Gujarat's Aravalli district, Vatrak Hospital is the fruit of the venerable K. K. Shah's unparalleled love for his motherland. He was the former Governor of Tamil Nadu and a trusted advisor to the Maharaja of Baroda. Decades ago, at the recommendation of the respected K. K. Shah Saheb, the Maharaja of Baroda allocated a vast tract of land—spanning approximately 100 acres—in Vatrak to construct this hospital. Today, Vatrak Hospital stands as the sole ray of hope for impoverished patients.

Dr. Shrinivasa ( Indian consul General)
(Chief guest at fundraising function USA)

        Dr. Anilbhai Shah nurtured a monumental dream of establishing an ultra-modern cardiac hospital within this very campus. The budget to transform this dream into reality was a staggering 100 crore rupees! At first glance, a budgetary figure of this magnitude for a hospital project in a rural region like Vatrak might seem like a mere pipe dream. However, Dr. Anil Shah dedicated uhimself wholeheartedly to making this dream come true. 

Prakash K. Shah and Dr. Anil shah 
At fundraising function, USA 

       In February 2025, he visited Vatrak with his family, performed the groundbreaking ceremony in accordance with scriptural rituals, laid the foundation stone, and initiated this colossal undertaking.

    Nearly a year and a half passed navigating the administrative intricacies to secure the necessary construction clearances. As soon as the regulatory approvals were successfully obtained, Dr. Anil Shah immediately organized a summit in USA, which was attended by his close friends, associates, and prominent dignitaries. At this summit, Dr. Anil Shah presented the vision of his dream project for Vatrak Hospital. Upon hearing about this noble project dedicated to impoverished patients, everyone welcomed it with immense enthusiasm. To help turn this project into reality, Dr. Anil Shah himself announced a magnificent donation of approximately 18 crore rupees. Following this, a virtual torrent of philanthropy was unleashed. Driven by a deep commitment to the welfare of the poor and underprivileged, Prakash K. Shah also contributed an offering of one crore rupees to this sacrificial altar of service. Within a matter of minutes, the total collective donations soared to an impressive 45 crore rupees. Indeed, when there is unyielding willpower, no work ever stops for want of money. Dr. Anil Shah’s resolute faith has made a seemingly impossible task entirely possible.

Prakash K. Shah

     Thanks to the benevolence of these noble donors, a state-of-the-art hospital will stand as a living reality in Vatrak in the near future. It will provide the finest medical care at nominal rates not only to the people of Gujarat, but also to thousands of patients from Rajasthan and Madhya Pradesh. The blessings of these underprivileged patients and their families will forever remain with Dr. Anil Shah, Prakash K. Shah, and all the esteemed donors.

        The land of Sabarkantha and Aravalli already owes an eternal debt of gratitude to the venerable K. K. Shah. However, the future generations of Aravalli will remain forever indebted to the dedicated humanitarians, Dr. Anil Shah and Shri Prakash K. Shah.

A brief report by : Ishvar Prajapati

English version : Pallavi Gupta 

Tuesday, June 2, 2026

આધુનિક યુગના ભામાશા

 ડૉ. અનિલ શાહના પ્રયત્નથી વાત્રકમાં નિર્માણ પામનાર હાર્ટ હોસ્પિટલ માટે એકત્રિત થયું પિસ્તાળીસ કરોડનું માતબર દાન !

નિર્માણાધીન નવીન હોસ્પિટલ

    ભારત હોય કે અમેરિકા તબીબી જગતમાં ડૉ. અનિલ શાહના નામ થી કોણ અપરિચિત હશે? ડૉ. અનિલ શાહ વિશ્વ વિખ્યાત કાર્ડિયોલિઝિસ્ટ છે. દાયકાઓથી અમેરિકામાં સ્થાઈ થયા છે. પરંતુ તેમનું જાણે હૃદય માતૃભૂમિ માટે ધડક્યા કરે છે. તેમણે માતૃભૂમિનાં જરૂરિયાતમંદ દર્દીને શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહે તે માટે ૧૦૦ કરોડના ખર્ચે એક અત્યાધુનિક મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યું ! આ માટે તેમણે સ્થળ પસંદગીનો કળશ વાત્રક હોસ્પિટલના પરિસર પર ઢોળ્યો.

સ્વપ્નદૃષ્ટા ડો. અનીલ શાહ

     ગુજરાતના અંતરિયાળ એવા અરવલ્લી જિલ્લાના છેક છેવાડે આવેલી વાત્રક હોસ્પિટલ એ આદરણીય કે. કે. શાહ સાહેબના માતૃભૂમિ પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું પરિણામ છે. તમિલનાડુંના પૂર્વ ગવર્નર અને વડોદરાના મહારાજા તેઓ સલાહકાર હતા. દાયકાઓ પહેલાં વડોદરાના મહારાજાએ આદરણીય કે. કે. શાહ સાહેબના કહેવાથી વાત્રકમાં આશરે ૧૦૦ એકડ જેટલી વિશાળ જમીન ફાળવી હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું. શ્રી કે. કે. શાહ આરોગ્ય મંડળ સાબરકાંઠા સંચાલિત વાત્રક હોસ્પિટલ આજે ગરીબ દર્દીઓ માટે એક માત્ર આશાના કિરણ સમાન છે. 

આ હોપિસ્ટલ ના પરિસરમાં એક અત્યાધુનિક કાર્ડિયાર્ક હોસ્પિટલ નિર્માણ કરવા ડૉ. અનિલભાઈ શાહે વિરાટ સ્વપ્ન સેવ્યું. અને આ સ્વપ્નને હકિકત માં પરિવર્તિત કરવાનું બજેટ હતું હતું પૂરા ૧૦૦ કરોડનું ! પહેલી નજરે વાત્રક જેવા વિસ્તારમાં હોસ્પિટલ નિર્માણના બજેટનો આ આંકડો દીવાસ્વપ્ન સમાન લાગે. પરંતુ આ સ્વપ્ન ને સાકાર કરવા ડૉ . અનિલ શાહ રીતસરના મચી જ પડ્યા. 

ફેબ્રુઆરી ૨૦૨૫ માં પરિવાર સાથે વાત્રક પધારી શાસ્ત્રોક્ત વિધિથી હોસ્પિટલ નિર્માણનું ખાતમુર્હુત કરી પાયાની ઇંટ મૂકી એક વિરાટ કાર્યના શ્રી ગણેશ કર્યા. 

ડૉ. અનિલ શાહના હસ્તે હોસ્પિટલ ખાતમૂહર્ત 

     હોસ્પિટલ નિર્માણ માટેની વહીવટી મંજૂરીની આંટીઘૂંટીમાં દોઢેક વર્ષ પસાર થઈ ગયું. જ્યારે મંજૂરી મેળવવાનું કામ પૂર્ણ થઈ ગયું અને તરત ડૉ અનિલ શાહે અમેરિકાના કેલિફોર્નિયામાં એક સમિટ નું આયોજન કર્યું જેમાં તેમના સ્નેહી મિત્રો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા. આ સમિટ માં ડૉ. અનિલ શાહે વાત્રક હોસ્પિટલ ના ડ્રીમ પ્રોજેક્ટ ની વાત મૂકી. ગરીબ દર્દીઓ માટે ની આ હોસ્પિટલ નિર્માણના ડ્રીમ પ્રોજેક્ટ ની વાત સાંભળતાં જ બધાએ ઉમળકાભેર વધાવી લીધી. અને આ પ્રોજેક્ટને સાકાર કરવા ડૉ. અનિલ શાહે પોતે ૧૮ કરોડ જેટલા માતબર રકમના દાનની જાહેરાત કરી. એ પછી તો દાનની સરવાણીનો ધોધ વહ્યો. દિન દરિદ્ર જનનો નું હિત જેમના હૈયે વસ્યું છે એવા પ્રકાશભાઈ કે. શાહે પણ આ સેવા યજ્ઞમાં એક કરોડ રૂપિયાના દાન ની આહુતિ આપી. ગણતરી ની મિનિટો માં આ દાન નો આંકડો ૪૫ કરોડ રૂપિયાને આંબી ગયો. જો દૃઢ ઇચ્છા શક્તિ હોય તો પૈસા માટે કોઈ કામ અટકતું જ નથી. ડૉ. અનિલ શાહના દૃઢ વિશ્વાસે અશક્ય લાગતા કામને શક્ય બનાવ્યું છે. 

 ગાંધીયન પ્રકાશ કે. શાહ

     શ્રેષ્ઠીઓના આ દાન થકી નજીકના ભવિષ્યમાં જ વાત્રકમાં એક અત્યાધુનિક હોસ્પિટલ હકિકત બનીને ઊભી હશે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં હજારો દર્દીઓને નજીવા દરે શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહેશે. અને આ ગરીબ દર્દીઓના પરિવાર જનોના આર્શીવાદ ડૉ. અનિલ શાહ, પ્રકાશભાઈ કે. શાહ અને તમામ દાતા શ્રીઓને મળતા રહેશે.

        સાબરકાંઠા અને અરવલ્લીની ભૂમિ પર આદરણીય કે. કે. શાહ સાહેબનું અનંત ઋણ છે જ. પરંતુ અરવલ્લીની આવનારી પેઢીઓ સેવાવ્રતી ડૉ. અનિલ શાહ અને પ્રકાશભાઈ કે સાહેબની ઋણી રહેશે.

- ઈશ્વર પ્રજાપતિ

Sunday, May 31, 2026

સન્ડે સ્પેશિયલ

 

હત્યા કે આત્મહત્યા ? પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ કેવી રીતે ઉકેલ્યો ?

નાના અમથા ખોબા જેવડા  ગામના એક છેડે આવેલા નાના મકાનમાં સુમિત્રાબેન પોતાની ૧૭ વર્ષની દીકરી કાવ્યા સાથે રહેતાં હતાં. સુમિત્રાબેનના પતિના અવસાન બાદ તેમણે ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને કાવ્યાને મોટી કરી હતી. કાવ્યા દેખાવમાં જેટલી શાંત અને ભોળી લાગતી, અંદરથી તે એટલી જ જિદ્દી અને લાગણીશીલ હતી. ગામમાં જ રહેતા અજય નામના એક રખડું યુવક સાથે કાવ્યાને આંખ મળી ગઈ હતી. સમય જતાં આ સામાન્ય ઓળખાણ ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ. બંને કલાકો સુધી છૂપી રીતે મળતાં અને સાથે જીવવા-મરવાના વચનો આપતાં. સુમિત્રાબેન દીકરીની આંખો પામી ગયાં. યુવાનીના ઉંબરે ઉભેલી દીકરીની ચિંતા કોરી ખાવા લાગી. દીકરીનું બદલાયેલું વર્તન જોઈ તેમણે મનમાં ગાંઠ વાળી દીધી કે દીકરી ઉંમર લાયક થાય એટલે સારું ઘર શોધી તરત તેના હાથ પીળા કરી દેવા.  

સુમિત્રાબેને દીકરી  કાવ્યાનું સગપણ પાસેના જ  ગામના એક સુખી અને પ્રતિષ્ઠિત પરિવારના યુવક સાથે નક્કી કરી દીધું. આ સમાચાર જાણતાં જ કાવ્યાનો આક્રોશ જાણે આસમાને ચડી ગયો. તેણે તેની માતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે આ સગપણ માટે તે બિલકુલ તૈયાર નથી. સુમિત્રાબેને દીકરીને સમજાવતાં કહ્યું : "મેં તારા માટે જે છોકરો પસંદ કર્યો છે, તે જ તને સુખી રાખશે. મેં જે કર્યું છે એ તારા ભલા માટે જ કર્યું છે," પણ કોઈ કાળે કાવ્યા તેની માતાની વાત માનવા તૈયાર ન થઇ તે ન જ થઈ. આ વાતથી સુમિત્રાબેન અત્યંત દુખી થયાં.

આ વાતને થોડા દિવસો વીત્યા હશે ત્યાં ગામથી વીસેક કિલોમીટર દૂર એક ઘટના બની. વગડામાં કામ કરતા એક વ્યક્તિને તળાવમાં કાંઈક તરતું દેખાયું. એ જોઈ એ વ્યક્તિ મનમાં ફાળ પડી. નજીક જઈ જોયું તો તળાવના પાણી પર એક સ્ત્રીની લાશ તરી રહી હતી. ડરી ગયેલી વ્યક્તિ હાંફતાં હાંફતાં  ગામમાં આવી ગ્રામજનોને વાત કરી. ગ્રામજનો પણ તળાવ પાસે દોડી આવ્યા. ગ્રામજનોએ તરત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી. આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. તાબડતોબ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. લાશને બહાર કાઢવામાં આવી. આ ગામ માટે મહિલાનો ચહેરો અપરિચિત હતો. કોઈ ઓળખ કાર્ડ નહોતું, પરંતુ તેના ઘરેણાં અને કપડાં પરથી તે કોઈ સારા ઘરની સ્ત્રી હોય તેવું લાગતું હતું. પોલીસે આસપાસના તમામ જિલ્લા અને પોલીસ સ્ટેશનોમાં મહિલાના ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા.  ગણતરીના કલાકોમાં  જ ખબર પડી કે આ લાશ બીજા કોઈની નહિ, પરંતુ  સુમિત્રાબેનની છે.

        પોલીસે સુમિત્રાબેનની દીકરીને ખબર આપી.  સમાચાર જાણતાં જ કાવ્યા હાંફળી-ફાંફળી  દોડતી પોલીસ સ્ટેશન પહોંચી. લાંબા સમય સુધી તે માતાના મૃતદેહને વળગી  ચોધાર આંસુઓએ  રડતી રહી. અને રડતાં રડતાં પોલીસને એટલું જ જણાવી શકી કે  "મારી માતા રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. કદાચ તેઓ માનસિક તણાવમાં હતાં. પરંતુ તે આવી રીતે  આત્મહત્યા કરી લેશે એવી કલ્પના નોહતી." પોલીસે કાવ્યાને શાંત કરી. અને આગળની કાર્યવાહી હાથ ધરી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

બે દિવસ પછી લેબોરેટરીમાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, એ ચોંકાવનારો હતો.  મૃતકનાં  ફેફસામાં તળાવનું પાણી નહોતું ગયું, એટલે કે તેને જીવતી પાણીમાં ફેંકવામાં આવી નહોતી. તેના ગળાના હાડકામાં ફ્રેક્ચર હતું અને ગળા પર કોઈ પાતળી દોરી કે વાયરથી ટૂંપો આપવાના સ્પષ્ટ નિશાન હતા. આ બધી કડીઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે  આ આત્મહત્યા નહોતી, આ એક અત્યંત ક્રૂર અને યોજના  પૂર્વક કરવામાં આવેલી હત્યા (Murder) હતી! પોલીસને પહેલેથી થોડી શંકા તો હતી જ કે કોઈ સ્ત્રી આત્મહત્યા કરવા માટે રાત્રિના સમયે પોતાના ગામથી વીસેક કિલોમીટર દૂર પગપાળા કે કોઈ સાધન વગર કેવી રીતે જાય? PM રીપોર્ટે પોલીસની શંકાને સત્યમાં પરિવર્તિત કરી દીધી.

       પોલીસ માટે પણ હવે આ કેસ પડકારરૂપ બની ગયો હતો. પોલીસે છૂપી રીતે તપાસ શરૂ કરી. ટેકનીકલ અને હ્યુમન રિસોર્સ કામે લગાડ્યા. તેમણે સૌથી પહેલાં સુમિત્રાબેનનો મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) કઢાવ્યો. તપાસમાં બહાર આવ્યું કે મૃત્યુની રાત્રે સુમિત્રાબેન પર રમેશભાઈના નંબરેથી ફોન આવ્યો હતો.

      પોલીસે તપાસ કરતા વધુ એક વિગત બહાર આવી. એક સમયે રમેશભાઈ અને સુમિત્રાબેન વચ્ચે મૈત્રીના સંબધો હતા. પરંતુ કેટલાક સમયથી કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચેના સંબધમાં તિરાડ પડી ચુકી હતી.   પોલીસે મોડું કર્યા વગર સૌપ્રથમ રમેશભાઈની અટકાયત કરી. પોલીસના કડક વલણ અને આકરી પુછપરછ  રમેશ લાંબો સમય ટકી શક્યો નહીં. તે ભાંગી પડ્યો અને તેણે પોપટની જેમ આખી હકીકત ઓકી દીધી: "સાહેબ, આમાં મારો કાંઈ વાંક નથી. આ  બધું મેં અજય અને તેના મિત્રો  રોહિત અને વિજયને કહેવાથી જ કર્યું છે!"  કેસ વધુ ગૂંચવાતો જતો હતો. બનાવ બન્યાની રાત્રે અજય અને તેના મિત્રોના મોબાઈલ ટાવર લોકેશન તળાવ તરફ જતા રોડ પર બતાવી રહ્યા હતા. પોલીસે તરત જ એક સાથે દરોડા પાડીને અજય, રોહિત અને વિજયને દબોચી લીધા.

પોલીસે કડક હાથે પૂછપરછ કરતાં અજયે જે ઘટસ્ફોટ કર્યો એ સાંભળીને સૌના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. અજયે પોલીસને કહ્યું કે “સુમિત્રાબેનની દીકરી મને ચાહતી હતી. પરંતુ સુમિત્રાબેનને અમારો સંબધ મંજૂર નહતો. એટલે તેમણે  કાવ્યાનું સગપણ બીજે નક્કી કરી દીધું હતું. કાવ્યા આ સગપણથી ખૂબ નારાજ હતી. માતાના આ દબાણે કાવ્યાની અંદરના પ્રેમને એક હિંસક આક્રોશમાં બદલી નાખ્યો. તેને લાગ્યું કે જો તેની માતા આ દુનિયામાં નહીં રહે, તો જ તે અજય સાથે મુક્તપણે જીવી શકશે.

      કાવ્યાએ એક દિવસ અજયને એકાંતમાં બોલાવ્યો અને રડતાં રડતાં કહ્યું, "મારી માં આપણને ક્યારેય એક થવા નહીં દે. જો તું મને સાચો પ્રેમ કરતો હોય, તો તારે આ આડખીલીને હંમેશા માટે રસ્તામાંથી હટાવવી પડશે." અજય પહેલાં તો આ સાંભળીને હેબતાઈ ગયો, પણ કાવ્યાને ગુમાવવાના ડરના કારણે તે પણ આ પાપના કીચડમાં ઉતરવા તૈયાર થઈ ગયો. પરંતુ સુમિત્રાબેનને રસ્તામાંથી હટાવવા એટલા સરળ નહોતા. અજયે આ પ્લાનને અંજામ આપવા માટે તેના બે મિત્રો – રોહિત અને વિજયને પૈસા અને લાલચ આપીને સાથે લીધા.

આ કાવતરામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે અજયે સુમિત્રાબેનના જ એક જૂના પરિચિત અને મિત્ર રમેશભાઈનો સંપર્ક કર્યો. રમેશભાઈ કોઈ કારણસર સુમિત્રાબેનથી નારાજ હતા અને તેમની અંગત વાતો જાણતા હતા. અજયે રમેશને પણ પોતાની તરફ કરી લીધો. પાંચ જણાની આ ટોળકીએ ભેગા મળીને એક એવો માસ્ટર પ્લાન બનાવ્યો.

બનાવની એ કાળી રાતે આખું ગામ ભરનિદ્રામાં હતું. કાવ્યા પોતાના ઘરમાં જાગતી આંખે નજર રાખીને બેઠી હતી. યોજના મુજબ, રમેશભાઈએ રાત્રે ૧૧ વાગ્યે સુમિત્રાબેનને ફોન કર્યો. તેમણે કોઈ જરૂરી અને ગુપ્ત વાત કરવાના બહાને સુમિત્રાબેનને ગામના છેડે આવેલા અવાવરુ ખેતરમાં મળવા બોલાવ્યા. સુમિત્રાબેન કોઈપણ જાતના સંશય વગર, કાવ્યાને ઘરમાં સૂતેલી મૂકીને ખેતર તરફ નીકળી પડ્યા.

     ખેતરમાં ઘાટી બાજરીના પાક વચ્ચે અજય, રોહિત અને વિજય અંધારામાં છુપાઈને શિકારની રાહ જોઈ રહ્યા હતા. જેવી જ સુમિત્રાબેન ત્યાં પહોંચ્યા અને રમેશ સાથે વાત કરવા લાગ્યા, કે તરત જ પાછળથી અજય અને તેના મિત્રોએ તેમના પર હુમલો કરી દીધો. સુમિત્રાબેન કઈ સમજે કે બૂમ પાડે તે પહેલાં જ તેમનું મોં દબાવી દેવામાં આવ્યું.

      ક્રૂરતાની તમામ હદો પાર થઈ ગઈ. પકડાઈ ન જવાય તે માટે કોઈ હથિયાર વાપરવાને બદલે,  વિજયે પોતાના પગમાંથી બૂટની દોરી કાઢી. અજય અને રોહિતે સુમિત્રાબેનના હાથ-પગ પકડી રાખ્યા અને રમેશે આસપાસ નજર રાખી. વિજયે બૂટની દોરી સુમિત્રાબેનના ગળાની ફરતે વીંટીને પૂરી તાકાતથી ખેંચી લીધી. થોડી જ મિનિટોની તડપ બાદ સુમિત્રાબેનનો શ્વાસ કાયમ માટે રૂંધાઈ ગયો. હત્યા તો થઈ ગઈ, પણ હવે લાશને છુપાવવી એ મોટો પડકાર હતો. અજય ખૂબ જ શાતિર હતો. તે આ હત્યાને અકસ્માતનું રૂપ આપવા માંગતો હતો જેથી કોઈને શંકા ન જાય.

તેઓએ સુમિત્રાબેનના મૃતદેહને કપડામાં લપેટીને અજયની મોટરસાયકલ વચ્ચે ગોઠવ્યો. રાતના ઘનઘોર અંધારામાં આશરે વીસેક કિલોમીટર દૂર આવેલા તળાવમાં ભારે પથ્થર બાંધીને સુમિત્રાબેનના મૃતદેહને ઊંડા પાણીમાં ફેંકી દીધો, જેથી લાશ ક્યારેય ઉપર ન આવે. પુરાવાનો નાશ કરીને તમામ નરાધમો પોતપોતાના ઘરે પરત ફરી ગયા. કાવ્યાને પણ ફોન પર મેસેજ મળી ગયો – "કામ પૂરું થઈ ગયું છે." મેસેજ વાંચી કાવ્યા નિરાંતે સૂઈ ગઈ.

એક દીકરી પોતાની માતાની હત્યાનું કાવતરું કેવી રીતે ઘડી શકે ? બનાવની હકીકત સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગઈ. પોલીસ જ્યારે કાવ્યાને પકડવા તેના ઘરે પહોંચી, ત્યારે ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે દીકરી પોતાની માતાના મોત પર મગરના આંસુ વહાવી રહી હતી, તે જ આ જઘન્ય અપરાધની માસ્ટરમાઇન્ડ નીકળી!

(સત્ય ઘટના.  નામ પરિવર્તિત - તસવીર પ્રતીકાત્મક)

-      ઈશ્વર પ્રજાપતિ

-      9825142620

Sunday, May 24, 2026

સન્ડે સ્પેશિયલ

રોમની ગલીઓમાં એક સમયે છૂટક ચીજો વેચતી, આયાની નોકરી કરતી અને બારમાં કામ કરતી એક છોકરીની ઇટાલીનાં પ્રધાનમંત્રી સુધીની રોચક સફર ! વાત જ્યોર્જિયા મેલોનીની !

 

વર્ષ ૧૯૭૬ ની વાત છે. ઇટાલીના ઐતિહાસિક રોમ શહેરની અન્ના પેરાટોર નામની એક ગર્ભસ્થ મહિલા ઘરના તનાવપૂર્ણ વાતાવરણ અને આર્થિક સંકડામણથી ત્રસ્ત  થઇ, ગર્ભપાતના નિશ્ચય સાથે હોસ્પિટલ માટે પગ ઉપાડે છે. રસ્તામાં કોફી શોપ પર કોફી માટે રોકાય છે. કોફી પીતાં-પીતાં એનું મન બદલાય છે અને ગર્ભપાતનો વિચાર માંડી વાળી ઘરે પરત ફરે છે.  અને તારીખ  15 જાન્યુઆરી 1977 ના રોજ એક બાળકીને જન્મ આપે છે. આ બાળકીનું નામ રાખવામાં આવ્યું જ્યોર્જિયા મેલોની !

જ્યોર્જિયા મેલોની એટલે બીજું કોઈ નહિ, પરંતુ ઈટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે ! જ્યોર્જિયા મેલોની ઈટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવાનું ગૌરવ મેળવનાર મેલોનીની જીવનયાત્રા કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. જ્યોર્જિયા મેલોનીનો જન્મ રોમના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનાં માતા અન્ના પેરાટોર લેખિકા  હતાં. જયારે પિતા ફ્રાન્સેસ્કો મેલોની એકાઉન્ટન્ટ  હતા.  મેલોની જયારે માત્ર એક વર્ષનાં હતાં તેમના પિતા ફ્રાન્સેસ્કોએ પરિવારનો સાથ છોડી દીધો. પિતાએ આખો પરિવાર છોડીને સ્પેનના કેનેરી આઇલેન્ડ્સમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો. અને  બીજાં લગ્ન કરી લીધાં.

પિતા ગયા પછી, તેમની માતા અન્ના પરાટોએ એકલા હાથે જ્યોર્જિયા અને તેમની બહેન એરિયાનાનો ઉછેર કર્યો. માતાએ આર્થિક તંગી વચ્ચે દીકરીઓને ભણાવવા માટે રાત-દિવસ એક કર્યા. જ્યોર્જિયા જયારે ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનું ઘર આગ લાગવાથી ખાક થઇ ગયું. તેમના પરિવારે પોતાનું ઘર બદલીને રોમના શ્રમિક વર્ગના વિસ્તાર 'ગારબાટેલા'  માં રહેવા જવું પડ્યું. આ એ સમય હતો જ્યારે જ્યોર્જિયાએ ગરીબીને ખૂબ નજીકથી જોઈ. આ દિવસોએ જ્યોર્જિયાને જમીન સાથે જોડી રાખી. ગારબાટેલાની એ ધૂળભરી ગલીઓએ તેમને શીખવ્યું કે સામાન્ય લોકોની પીડા શું હોય છે. આ જ પીડા આગળ જતાં તેમની રાજકીય વિચારધારાનો પાયો બની.

આ કડવા અનુભવોએ જ્યોર્જિયાના હૃદયમાં એક એવો સંકલ્પ દૃઢ બન્યો  કે તેઓ જીવનમાં ક્યારેય હાર નહીં માને. એક મુલાકાતમાં તેમણે રડતી આંખે સ્વીકાર્યું હતું કે, પિતાના આ વ્યવહારે તેમને બાળપણમાં જ સમય કરતાં વહેલા મોટા અને મજબૂત બનવા મજબૂર કરી દીધાં હતાં. પોતાની માતાને આર્થિક મદદ કરવા અને પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે કિશોરાવસ્થામાં જ તેમણે અનેક નાના-મોટા કામો શરૂ કર્યા. તેમણે રોમના પ્રખ્યાત નાઇટક્લબમાં બારટેન્ડર ગર્લ  તરીકે કામ કર્યું. બાળકોને સાચવવાની આયા  તરીકે નોકરી કરી. બજારોમાં નાની મોટી ચીજ વસ્તુઓ  વેચવામાં પણ ક્યારેય નાનમ ન અનુભવી.

જ્યારે કોઈ વ્યક્તિનું બાળપણ સંઘર્ષમાં વીતે છે, ત્યારે તેનામાં કાં તો નિરાશા જન્મે છે કાં તો તેના મનમાં  ક્રાંતિનાં બીજ રોપાય છે.  જ્યોર્જિયાના કિસ્સામાં તેમનો સંઘર્ષ, તેમની ગરીબી, તેમના પડકારો એ તેના હૃદયમાં  ક્રાંતિબીજનું વાવેતર કર્યું. અને  માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે, ૧૯૯૨ માં, તેમણે 'મોવિમેન્ટો સોશિયાલે ઇટાલિયાનો' (MSI) ના યુવા મોરચા 'ફ્રન્ટે ડેલા ગિઓવેન્ટુ' માં જોડાવાનો નિર્ણય કર્યો. આ એક દક્ષિણપંથી (Right-wing) સંગઠન હતું.

એક યુવાન છોકરી માટે પુરુષ પ્રધાન રાજકારણમાં સ્થાન બનાવવું અત્યંત કઠિન હતું. પરંતુ જ્યોર્જિયા પાસે શબ્દોનું  અમોઘ શસ્ત્ર હતું. તેમની પ્રભાવી વક્તૃત્ત્વ શૈલી ભલભલા  વિરોધીઓને શાંત કરી દેતી. તેમની વક્તૃત્વ શૈલી એટલી પ્રભાવશાળી અને આક્રમક હતી કે લોકો તેમને સાંભળવા મંત્રમુગ્ધ થઈ જતા. તેઓ પોતાના ભાષણોમાં દેશભક્તિ, પારિવારિક મૂલ્યો અને સંસ્કૃતિની રક્ષાની વાત કરતાં. જોતજોતામાં  તેઓ યુવાનોના અવાજ બનીને ઉભરી આવ્યાં.

        ઇટાલીના રાજકીય ગલીયારોમાં પ્રતિભાવાન જ્યોર્જિયાનો સિતારો દિન પ્રતિદિન વધુને વધુ ચમકતો ગયો. વર્ષ ૨૦૦૬ માં, માત્ર ૨૯ વર્ષની ઉંમરે જ્યોર્જિયા મેલોની ઇટાલીની સંસદના નીચલા ગૃહ (Chamber of Deputies) ના સભ્ય તરીકે ચૂંટાયા. તેમની પ્રતિભા જોઈને ૨૦૦૮ માં તત્કાલીન પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીએ તેમને દેશના મંત્રી બનાવ્યા. ૩૧ વર્ષની ઉંમરે મંત્રી બનીને તેમણે ઇટાલીના ઇતિહાસમાં સૌથી નાની વયના મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો. પરંતુ જ્યોર્જિયા એટલાથી અટકવાનાં  નહોતાં. ૨૦૧૨ માં તેમણે પોતાની નવી રાજકીય પાર્ટી 'બ્રધર્સ ઓફ ઇટાલી'  ની સ્થાપના કરી. આ પાર્ટીની શરૂઆત ખૂબ નાની હતી, પરંતુ જ્યોર્જિયાના અથાક પરિશ્રમને કારણે આ પાર્ટીએ ઇટાલીના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી.

       આ દરમિયાન જ્યોર્જિયા મેલોની પ્રખ્યાત ઇટાલિયન પત્રકાર એન્ડ્રીયા ગિઆમ્બ્રુનોના સંપર્કમાં આવ્યાં. બન્ને વચ્ચે ઘનિષ્ઠ આત્મીય  સંબધો બંધાયા. બંને  લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા. પરંતુ બંનેએ ક્યારેય લગ્ન કર્યા નહોતા. આ તમામ રાજકીય દોડધામ વચ્ચે જ્યોર્જિયાના જીવનમાં એક સુંદર વળાંક આવ્યો. તેમણે વર્ષ ૨૦૧૬માં  પુત્રી 'જિનેવરા' ને જન્મ આપ્યો. એન્ડ્રીયા જ તેમની દીકરી જિનેવરાના પિતા છે. જ્યોર્જિયા મેલોનીના અંગત જીવનમાં સૌથી મહત્વનું સ્થાન તેમની દીકરી જિનેવરાનું છે. એક રાજકારણી તરીકે ગમે તેટલી વ્યસ્તતા હોવા છતાં, જ્યોર્જિયા હંમેશાં એક સમર્પિત માતા તરીકે પોતાની ફરજ નિભાવે છે. તેઓ ઘણીવાર પોતાની દીકરીને રાજકીય પ્રવાસો અને રેલીઓમાં પણ સાથે રાખે છે. જ્યોર્જિયા કહે છે કે, "જ્યારે હું મારી દીકરીની આંખોમાં જોઉં છું, ત્યારે મને ઈટાલીના ભવિષ્યને સુરક્ષિત રાખવાની સૌથી મોટી પ્રેરણા મળે છે." એક નેતા હોવાની સાથે-સાથે પોતાની પુત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ અને સ્નેહ જોઈને દેશની મહિલાઓ પણ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ.

વર્ષ ૨૦૨૨ માં ઈટાલીમાં ચૂંટણી યોજાઈ. જેમાં જ્યોર્જિયાએ રચેલા રાજકીય પક્ષની આકરી કસોટી થવાની હતી. તેમણે આખા દેશમાં પ્રચંડ રેલીઓ કરી. વિરોધીઓએ તેમના પર અનેક આરોપો લગાવ્યા, તેમને રોકવાના પ્રયાસો કર્યા, પરંતુ જે સ્ત્રીએ બાળપણથી જ તોફાનોનો સામનો કર્યો હોય, તેને રાજકીય પવન શું રોકી શકવાનો હતો? ચૂંટણીના પરિણામો આવ્યા અને જ્યોર્જિયાની પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી. જ્યારે તેઓ ઇટાલીના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની આંખોમાં આંસુ હતા – એ આંસુમાં ગારબાટેલાની ગલીઓનો સંઘર્ષ હતો, પિતાના છોડી જવાની પીડા હતી, માતાનો ત્યાગ હતો અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હતી.

       ઓક્ટોબર ૨૦૨૩ માં જ્યોર્જિયાના અંગત જીવનમાં મોટો ધરતીકંપ આવ્યો. એન્ડ્રીયા ગિઆમ્બ્રુનોના કેટલાક ઓફ-એર ટીવી વિડીયો લીક થયા, જેમાં તેઓ પોતાની સાથી મહિલા પત્રકારો સાથે અશ્લીલ અને અયોગ્ય વાતો કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાથી આખા ઈટાલીમાં હોબાળો મચી ગયો. એક દેશના પ્રધાનમંત્રી હોવાને નાતે આ તેમના આત્મસન્માન પર મોટો પ્રહાર હતો. જ્યોર્જિયાએ સહેજ પણ ડગ્યા વિના, અત્યંત હિંમતપૂર્વક સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તેઓ એન્ડ્રીયા સાથેના પોતાના ૧૦ વર્ષ જૂના સંબંધોનો તાત્કાલિક અંત લાવે છે. તેમણે ખૂબ જ ગૌરવપૂર્ણ શબ્દોમાં લખ્યું: "જે લોકો મને નબળી પાડવા માંગે છે તેઓ યાદ રાખે કે, પાણીના ટીપાં ગમે તેટલા પ્રયત્નો કરે, તે પથ્થરને તોડી શકતા નથી."

જ્યોર્જિયા મેલોનીના  જીવને ડગલે ને પગલે  અનેક આકરી કસોટીઓ લીધે રાખી પણ આ સઘળી કસોટીઓને તેણીએ ચોટદાર જવાબ આપ્યો છે.  જ્યોર્જિયા મેલોનીએ તેમના જીવનના સંઘર્ષોને આલેખતી આત્મકથા I Am Giofgia – My Roots, My Principles” પ્રગટ કરી છે. જે પુસ્તકની પ્રસ્તાવના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખી છે.

   પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારામાં અડગ આત્મવિશ્વાસ અને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય તો આખી દુનિયા તમારી સામે ઝૂકે છે. એક અનાથ જેવું બાળપણ જીવનારી છોકરી આજે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંના એક ઇટાલીનું નેતૃત્વ કરી રહી છે. તેમની આ સફર વિશ્વની કરોડો મહિલાઓ અને યુવાનો માટે એક જીવંત પ્રેરણા છે કે: "તમારો ભૂતકાળ તમારું ભવિષ્ય નક્કી નથી કરતો, તમારી મહેનત તમારું ભવિષ્ય નક્કી કરે છે."

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620

Sunday, May 17, 2026

સન્ડે સ્પેશિયલ

आज आप  याद  बेहिसाब आये !


          ૧૭ મે એટલે આમારા પ્રેરણાબળ સમાન નીતિનભાઈનો જન્મ દિવસ.   તેમની અણધારી વિદાય લીધાને આજે ચાર મહિના થવા આવ્યા એમ છતાં તેમની લીલીછમ યાદો જરા પણ કરમાઈ નથી. ઉષા કાળે સૂરજ ઉગે છે અને સંધ્યા ટાણે આથમે છે. ઉગવું આથમવું એ નીયતી છે. પરંતુ મધ્યાહને તપતો સૂરજ આમ એકએક આથમી જાય એ કેમ ચાલે ? આમ તો દિવસો-મહિનાઓ પસાર થતાં માણસની યાદો વિસરાઈ જતી હોય છે પરંતુ નીતિનભાઈની યાદો કેમ વીસરાતી નથી. એનું એક કારણ એ છે કે આ માણસ પ્રત્યેક પળ બીજાના સુખ માટે જીવ્યો છે. પોતાના સુખની લેશમાત્ર પરવા કર્યા વિના સમગ્ર જીવન બીજાના ભલા માટે ખર્ચી નાખ્યું.
       એક આદર્શ જીવન કેવું હોય એની દૃષ્ટાંત જોવું હોય તો નીતિનભાઇના જીવનમાં ડોકિયું કરવું પડે. એક આદર્શ પુત્ર, એક આદર્શ પિતા, એક આદર્શ પતિ, એક આદર્શ ભાઈ, એક આદર્શ શિક્ષક અને આદર્શ માનવી!  આજના સમયમાં આવા નિરાળા અને નિખાલસ  વ્યક્તિત્વની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.  
         નીતિનભાઈ વિનાની આકરુંદ શાળા સાવ સૂની સૂની લાગે છે. કોઇપણ કામ હાથ પર લઈએ કે કોઈ ફાઈલ ઉઘાડીએ તરત જ નીતિનભાઈ સાંભરી આવે છે.  એક સમયે સાવ વેરવિખેર થયેલી શાળાને પુનર્જીવિત કરવાનું આ માણસે પ્રણ લીધું અને દોઢ દાયકામાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાની હરોળમાં મૂકી દીધી તેનું  તમામ શ્રેય નીતિનભાઈને ફાળે જાય છે. પોતે દિવસ-રાત, જાહેર રજા કે વેકેશન જોયા વિના માત્રને માત્ર શાળા અને વિદ્યાર્થીઓના હિત માટે મથ્યા કર્યું. સફળતા મળી પણ એનો યશ હંમેશા બીજાને આપી પોતે હંમેશા નિર્લેપ રહ્યા..
     શાળાના પરિસરમાં નીતિનભાઈનો પ્રવેશ થાય અને તરત આખુ શાળા પરિસર "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઊઠે.. એક એક બાળક નીતિનભાઈને વળગી પડી જય રણછોડથી અભિવાદન કરે!
      નીતિનભાઈ શાળા પરિસરમાં પ્રવેશે અને  ચોતરફ એક નજર ફેરવી લે.. તરત એમનો હાથ ફરતો જાય અને અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ આપોઆપ યોગ્યસ્થાને ગોઠવાતી જાય.. કચરા પેટી, સાવરણા, પાણીના નળ, પાણીની મોટર ચાલું કરવી, કોમ્પ્યુટર, સી. સી. ટીવી, પ્રાર્થના સભાની બેઠક વ્યવસ્થા બધું જ ઓટો મોડ પર ગોઠવાઈ જતું. બીટ શાળા એટલે વહીવટી કામ ખૂબ રહે એમ છતાં વર્ગ અને વિદ્યાર્થીઓની જ  હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોય! નીતિનભાઈને શોધવા હોય તો વર્ગમાં બાળકોના ટોળાની વચ્ચે જ મળે. રિશેષ સમયે ચાલીમાં ખૂરશી નાખી બેઠા હોય અને આજુબાજુ બાલવાટિકાનાં વીંટળાઈ વળ્યાં હોય.! બાળકોના ટોળામાં નીતિન ભાઈ ને શોધવા મુશ્કેલ બની જાય !
     શાળામાંથી છેલ્લું વિદ્યાર્થી ઘરે ન પહોંચે ત્યાં સુધી નીતિનભાઈ શાળામાં જ રોકાય! બહાર ગામના વિદ્યાર્થીને કોઈ વાહન ન મળે તો પોતાની બાઇક પર ઘરે પહોંચાડી પછી જ પોતે ઘરે જાય.. રાત્રે પણ જમીને શાળા અને લાઇબ્રેરીની મુલાકાતે ફરજિયાત લેવાની..! દસ વર્ષ પહેલાં ની કોઈ ફાઇલ ન મળે અને નીતિનભાઈ ને પૂછો તો ફાઇલ ના કલર સાથે બતાવી દે કે આ તિજોરીમાં આ જગ્યા એ પડી હશે અને ફાઇલ ત્યાં જ પડી હોય!
    પૂજ્ય મોરારી બાપુના મુખે  વડોદરા કોયલી શાળાના મનસુખ માસ્તરની કથા અનેકવાર સાંભળી છે. નીતિનતિનભાઈ આકરુંદ ગામના મનસુખ માસ્તર હતા. રણછોડ રાય પરની એમની શ્રદ્ધા ગજબની હતી.  વિચલિત કરી દે તેવી વિકરાળ પરિસ્થિતિમાં પણ તેઓ સઘળું રણછોડ રાય પર છોડી સ્થિતપ્રજ્ઞ બની રહેતા. અને મનસુખ માસ્તર ની જેમ નીતિનભાઈની વ્હારે પણ રણછોડ રાય અનેક વખત દોડી આવ્યા છે.  તેમની શ્રદ્ધાની કસોટી કરતો એક પ્રસંગ મને યાદ આવે છે. 
    નીતિનભાઈના એકના એક સુપુત્ર વત્સલના લગ્ન હતા.. મંડપ ડેકોરેશનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. બીજા દિવસે ભવ્ય રિસેપ્શન હતું.. અને આગલી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું ભયંકર વાવાઝોઝા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.. થોડી વાર તો એમ જ લાગ્યું કે હવે આવતું કાલનો પ્રસંગ કરવો તો કરવો કઈ રીતે.. સગા સંબંધીઓ, આવેલ સૌ મહેમાન સૌ ચિંતિંત હતા. પણ નીતિનભાઈ એકદમ શાંત હતા. એ માત્ર એટલું બોલ્યા કે "રણછોડ રાય જે કરશે એ સારું જ કરશે. આપણા કરતાં આપણો પ્રસંગ સુધારવાની ચિંતા એણે વધારે છે..." આત્મવિશ્વાસ સાથેના લાગણીભીના  શબ્દો સૌના  હૃદયને ભીંજવી ગયા. જોતજોતામાં વાતવરણ શાંત થઈ ગયું અને પ્રસંગ રંગે ચંગે પૂર્ણ થયો. આવી સ્થિતિમાં ભલભલા સંતપુરુષની શ્રધ્ધા ડગવા માંડે પણ નીતિનભાઈ વાત જ જુદી હતી..આજ સુધી એક પણ પૂનમ ડાકોર દર્શને ન ગયા હોય એવું બન્યું નથી. ડાકોર ગયા હોય અને શાળામાં મોડા પડ્યા હોય એવું આજસુધી બન્યું નથી. ડાકોર જઈને પણ ૧૦ વાગે સ્કૂલ માં હાજર હોય !
        ફરજ નિષ્ઠા તેમના લોહીમાં વણાઈ ગઈ હતી. શાળામાં નિયમિત કેટકટેલા કાર્યક્રમો થતા રહ્યા. કેટકેટલા મહાનુભાવો આવતા રહ્યા. આ એકપણ કાર્યક્રમમાં નીતિનભાઈનો ફોટો તમને ક્યાંય જોવા જ ન મળે. પોતે પડદા પાછળ રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂંપી ગયા હોય. મંચ પર મહાનુભાવ નું સ્વાગત કરવા માટે પણ પોતે જવાનું ટાળે હંમેશા બીજાને જ આગળ કરે.
      શાળા અને જૂથના તમામ શિક્ષકોના પરિવારની તેમને ચિંતા હોય. કોઈપણ શિક્ષકના ઘરે કોઇપણ શુભ અશુભ પ્રસંગ બન્યો હોય નીતિનભાઈ સોથી પહેલાં ત્યાં ખડેપગે હાજર હોય. તાલુકામાં પણ જ્યારે શિક્ષણ આલમમાં કોઈ કોયડો ગૂંચવાય ત્યારે તેનો હલ નીતિનભાઈ પાસે અચૂક હોય. સંઘ હોય કે મંડળી પોતે તમામ હોદ્દાઓથી દૂર રહે પણ એમની તમામ ગૂંચવણો નીતિન ભાઈ ઉકેલી આપે.
    નીતિનભાઈની વિદાયથી આકરુંદ શાળાનો જાણે મુખ્ય આધારસ્તંભ જ ભાગી પડ્યો !  શિક્ષકો જ નહીં વિદ્યાર્થીઓ ની આંખોમાંથી આંસુ સુકાતાં નથી. તેમની ખોટ માત્ર આકરુંદ શાળાને જ નહીં પરંતુ સમગ્ર શિક્ષણ જગતને ચિરકાળ સુધી સાલતી રહેશે.
    નીતિનભાઈ જેવા ભેરુનો ભેટો હવે કયા ભવે થાશે એ તો રણછોડ રાય જ જાણે ! આજે તેમની જન્મ તિથીએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ !
- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Tuesday, May 12, 2026

Dr. Steve Ross : Faith, Perseverance, and Giving

 Dr. Steve Ross : Faith, Perseverance, and Giving



    Dr. Steve Ross, a dentist of renowned skill, graced the stage next, his words woven with passion for faith, perseverance, and the profound act of giving.

    He opened by unveiling his future endeavors, a commitment to donate vital dental equipment to those most in need. This act of generosity flowed seamlessly into a heartfelt message of faith, drawing inspiration from the teachings of Jesus Christ. "If you have faith within yourself," he declared, "you can move mountains." He emphasized the transformative power of faith, especially when coupled with grace and mercy.

    Employing the potent metaphor of the mustard seed, Dr. Ross beautifully illustrated the journey of inner growth and the blossoming of success. "The mustard seed, though tiny, holds within it the potential for greatness. But first, its shell must break. Only then can it draw upon the divine energy of the universe and truly flourish." He drew a parallel to our own lives, explaining, "We too must shatter the barriers of fear, doubt, and hesitation that confine us, unlocking the immense potential that resides within."

Need your support. for support pl. click here

    He eloquently articulated the vital role of virtues like hard work, perseverance, love, and passion in the pursuit of happiness and achievement. "These qualities," he asserted, "are the nurturing soil and the life-giving sunlight that enable us to reach extraordinary heights." He further elaborated on the mustard seed metaphor, saying, "And as the seed grows into a mighty tree, it yields countless more seeds, its influence spreading far and wide, touching countless lives."

    In a moving tribute, Dr. Ross lauded Mr. Shah, comparing him to a mustard seed that had blossomed into a magnificent tree. "Mr. Shah," he proclaimed, "is that very seed. His vision and tireless efforts have created a wealth of opportunities for so many, and his work continues to inspire and empower."

With a warm smile and a respectful "Namaskar," Dr. Ross concluded his address, leaving the audience with a profound sense of faith, renewed hope, and a deep appreciation for the transformative power of selfless service.

    The Great Books by Ishvar Prajapati and Pallavi Gupta


    This inspiring event was made even more significant by the launch of two new books, each a tribute to the remarkable lives and impactful contributions of two distinct individuals. The first, "The Global Luminary Prakash Shah," delves into the life and achievements of Mr. Prakash Shah, exploring his journey and highlighting his significant contributions. The second book, "Yugpurush, A Professional Biography of PM Narendra Modi," offers a comprehensive look at the professional life and career of India's Prime Minister, Narendra Modi, examining his path and leadership. Both books were originally written in Gujarati by Ishvar Prajapati. Their reach has been broadened significantly through the masterful English translations provided by Pallavi Gupta. Both of them are the accomplished authors and rising literary stars from Gujarat. These translations make the stories accessible to a much wider audience, allowing those who may not speak Gujarati to appreciate the depth and significance of these individuals' lives and work. The publication of these two books serves as a lasting testament to the enduring legacies of both Prakash Shah and Narendra Modi, preserving their stories for posterity and offering valuable insights into their philosophies, motivations, and the impact they have had on the world.



©️ Pallavi Gupta & Ishvar Prajapati

+919825142620