name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, April 12, 2026

સન્ડે સ્પેશિયલ

વરિષ્ઠ પત્રકાર આદરણીય  દેવેન્દ્ર પટેલ સાહેબે  સાડા ત્રણ દાયકા પહેલાં ઈરાકની ભૂમિ પર ખેલાયેલા યુદ્ધની અખબારમાં પ્રગટ કરેલી શ્રેણી  "રેગીસ્તાનમાં આંધી"  લોકો આજે પણ ભૂલી શાક્યા નથી.

-------------------------------------------------------------------  

જ્યારે એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું . : ગોલ્ફવોર 1991


    યુદ્ધ એક ઉન્માદ છે. માનવીના દિમાગ પર સવાર હોય ત્યારે એને રોકી શકાતું નથી. આખી દુનિયા અમેરિકા- ઇઝરાયેલ - ઈરાન વચ્ચે ખેલાઈ રહેલા યુદ્ધના ઉન્માદ વચ્ચે મોતનું તાંડવ મૂક સાક્ષી બની નિહાળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે  ગઈકાલે યોજાયેલી વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે. માનવતા વિસરી ચુકેલા વિશ્વના રાજનેતાઓ હજી કેટલી તારાજી નોતરશે એ કહેવું મુશ્કેલ છે.   પાછલા દાયકા ઓમાં જે કોઈ યુદ્ધો ખેલાયા છે એમાં સૌથી નોંધનીય યુદ્ધ 1991ની સાલનું "ગોલ્ફવોર" રહ્યું છે.

    આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે યુદ્ધની રજેરજની માહિતી ઉપલબ્ધ છે. યુદ્ધનાં ભયાનક  લાઇવ દૃશ્યો ટી. વી. ચેનલ પર પ્રસારિત થતાં જોઈ શકાય છે. પરંતુ આજથી સાડા ત્રણ દાયકા પહેલાં "ગલ્ફ્વોર" ખેલાયું ત્યારે ટેકનોલોજી આજના જેટલી પાવરફુલ નોહતી કે માહિતી પ્રસારણ  સંસાધનો કે  ઈન્ટરનેટની  સુવિધા પણ  પુરતી ઉપલબ્ધ ન હતી. ત્યારે યુદ્ધનું કવરેજ કરી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય પડકાર રૂપ હતું. એવા સમયે વરિષ્ઠ  પત્રકાર  દેવેન્દ્ર પટેલે આખા યુદ્ધનો રોજે રોજનો અહેવાલ ચિત્રાત્મક શબ્દોમાં "રેગીસ્તાનમાં આંધી" શિર્ષક હેઠળ અખબારમાં  પ્રગટ થયા. યુદ્ધની શરૂઆતથી અંત સુધીનું આ જબરજસ્ત કવરેજ એટલું દમદાર હતું કે લોકો આજે પણ એ કાવરેજની કોલમને ભૂલી શક્યા નથી. નિયમિત ચાલેલી કોલમ "ગોલ્ફ વોર" પુસ્તક રૂપે પ્રગટ થઈ.

       આજથી ત્રણ દાયકા પહેલાં 1991માં અમેરિકા અને ઇરાક વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ અને ઇરાકના સર્વેસર્વા સદ્દામ હુસેન આમને સામને હતા. આ યુદ્ધની શરૂઆતનું  દિલધડક પ્રકરણ અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે.

         "તા . ૧૮-૧-૧૯૯૧ 

        આખરે અખાતમાં આગ લાગી જ ગઈ છે. ૧૫ મી જાન્યુઆરીની મહેતલ વીતી ગયા બાદ પણ ઈરાકે કુવૈત ખાલી ન કરતાં અપેક્ષા મુજબ જ થોડા કલાકોના તનાવપૂર્ણ અજંપા બાદ અમેરિકા અને સાથી દળોએ ગઈ મધરાત વીતી ગયા બાદ ઈરાકીઓ પાછલી રાતની મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પરોઢે ૩-૪૦ વાગ્યે આખાયે ઈરાકને હચમચાવી મૂક્યું હતું. એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી હતી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું હતું. આજે અમેરિકા, બ્રિટન, કુવૈત તથા સાઉદી અરેબિયાનાં વિમાનોએ એકસાથે પ્રથમ હવાઈ હુમલામાં ભાગ લીધો હતો. 
        આકાશને ગજવી મૂકતા આ પ્રથમ પ્રહાર દરમિયાન ૬૭ જેટલાં રિફાઈનરીઓ, ઍર બેઈઝ, રેડિયો મથક અને ટી.વી. સ્ટેશનોને હવાઈ હુમલાનાં લક્ષ્ય બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલા દરમિયાન ઈરાકને પારાવાર નુકસાન થયું હોવાનું મનાય છે. સદ્દામ હુસેનના બગદાદ ખાતેના મહેલને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો. આ મહેલને કેટલું નુકસાન થયું છે તેની સત્તાવાર માહિતી મળતી નથી. પરંતુ પ્રથમ હવાઈહુમલા દરમિયાન જ બગદાદમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ટીવી સ્ટેશન બંધ થઈ ગયું હતું. ઈરાકનો સંદેશાવ્યવહાર પણ જામ કરી દેવામાં આવ્યો હતો. 
        આ હુમલો કરતાં પહેલાં અમેરિકાએ યુદ્ધજહાજમાંથી એક ક્રુઝ મિસાઇલ પણ છોડી હતી. આ હુમલાના જવાબમાં ઈરાકે પણ સાઉદી અરેબિયા તરફ મિસાઇલ છોડી હતી અને તે દરમિયાન સાઉદીની ઑઇલ રિફાઈનરીને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. 
         યુદ્ધના આરંભનો હુકમ આપતાં પહેલાં પ્રેસિડન્ટ બુશે પેન્ટેગોનના ટોચના સાથીઓ સાથે ગંભીર ચર્ચાઓ કરી લીધી હતી. યુદ્ધનો આદેશ આપીને તેઓ સુઈ ગયા હતા અને સવારે રાબેતા મુજબ ઊઠ્યા બાદ તેમણે કેજ્યુઅલ ડ્રેસમાં ડિફેન્સ સેક્રેટરી ડીક ચેઈની તથા વિદેશ સચિવ જેમ્સ બેકર સાથે સવારનો બ્રેકફાસ્ટ લેતાં લેતાં રાતના પ્રથમ હવાઈહુમલાની વિગતો મેળવી હતી.
        અમેરિકા અને સાથી દળોએ એકસાથે ચારસો વિમાનો દ્વારા હવાઈ હુમલો કરી ૬૭ જેટલાં સ્થળો પર આજ બપોર સુધીમાં ૧૦ હજાર બૉમ્બ ફેંક્યા હતા જેના દારૂગોળાનું કુલ વજન ૧૮ હજાર ટન જેટલું થાય છે. આ બૉમ્બવર્ષા દરમિયાન નાગરિક વસ્તીને બચાવી લેવાનો પ્રયાસ થયો છે .
    બગદાદથી મળતા સમાચાર પ્રમાણે બે દિવસ પહેલાંથી જ બગદાદમાંથી મોટાભાગના લોકો શહેર ખાલી કરીને દૂર દૂર તેમનાં સગાંસંબંધીઓને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. રડચાખડ્યા લોકો આજની બૉમ્બવર્ષ બાદ સૂટકેસો લઈને શહેર છોડતા જણાતા હતા. અલબત્ત, યુદ્ધનું કવરેજ કરવા ગયેલા પત્રકારો બગદાદની અલ - મન્સુર હોટલમાં છે અને તેઓ શક્ય તેટલી ભરપૂર માહિતી તેમની સમાચાર સંસ્થાઓને કે ટેલિવિઝન કંપનીઓને મોકલી આપે છે. બગદાદમાંથી ઠેર ઠેર ઊઠતા ધુમાડાઓનાં વર્ણન તેમણે મોકલી આપ્યાં છે. 
     ‘સદ્દામ હુસેન જીવે છે કે કેમ ?' - તેવા એક ટેલિવિઝન પ્રસારણ દરમિયાનના પ્રશ્નમાં બગદાદના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓ બિલકુલ હયાત છે. આગલી રાત્રે જ પ્રેસિડન્ટ સદ્દામ હુસેને બગદાદ રેડિયો પરથી ઈરાકની પ્રજાજોગ વાયુપ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધ બાદ પ્રેસિડન્ટ બુશે વ્હાઈટ હાઉસ ખાલી કરી નાખવું પડશે. 
         અલબત્ત, સદ્દામની આ ઇચ્છા આજનું યુદ્ધ જોતાં ફળીભૂત થાય તેમ જણાતી નથી. અમેરિકાનાં એફ-૧૫ અને બ્રિટનનાં ટોર્નેડો વિમાનોએ ઈરાક પર કાળો કેર વર્તાવ્યો છે. વૉશિંગ્ટનનું વ્હાઈટ હાઉસ રંગમાં આવી ગયું છે. લંડન ખાતેના ઈરાકના એલચી આજે લંડનમાં પ્રેસ બ્રીફીંમ વખતે લગભગ રડવા જેવા થઈ ગયા હતા.
       આજનો દિવસ અમેરિકા અને સાથી દળોનો દિવસ હતો. અમેરિકા - બ્રિટનનાં તાલીમી પાઇલટોએ હાઈ-ટેક યંત્રોનો તથા કૉમ્પ્યૂટર્સનો બરાબર ઉપયોગ કરીને નિશાન બરાબર તાક્યાં છે. ઈરાકનાં લશ્કરી થાણાં, રિફાઈનરીઓ, ઍર બેસ તથા ટીવી સ્ટેશનોનું ચોક્કસ સ્થળ શોધી આપવા માટે જાસૂસી ઉપગ્રહોએ કરેલી મદદ અદ્ભુત હતી. લશ્કરી નિષ્ણાતો માને છે કે અમેરિકાએ આ યુદ્ધ માટે જે ટેક્નૉલૉજી મેદાનમાં ઉતારી છે તે ટેક્નૉલૉજી જ ઈરાકને માત કરવા માટે પૂરતી છે. 
    અમેરિકાના લશ્કરી વડા જનરલ પોવેલે કહ્યું છે કે, જો પરિસ્થિતિ આમ જ ચાલુ રહેશે તો ઈરાક કદાચ વહેલું શરણાગતિ સ્વીકારી લેશે. 
        અલબત્ત, પ્રેસિડન્ટ સદ્દામ હુસેને આજ રાત સુધીમાં તેમનાં હુકમનાં પત્તાં હજી ખોલ્યાં નથી. ઝેરી ગૅસ અને ખતરનાક જંતુઓ ભરેલી મિસાઇલો હજી છોડી નથી. એથીયે વધુ ગંભીર વાત તો એ છે કે ઈરાક પાસે ફૂડ બનાવટનો અણુબૉમ્બ પણ હોવાની કેટલાકને આશંકા છે. સદ્દામે યુદ્ધ શરૂ થવાના બે દિવસ પહેલાં જ એવો ઇશારો આપ્યો હતો કે જરૂર પડશે તો હું આશ્ચર્યજનક શસ્ત્ર વાપરીશ. આ આશ્ચર્યજનક શસ્ત્ર તે કદાચ અણુબૉમ્બ પણ હોઈ શકે. પેન્ટેગોનના નિષ્ણાતો માને છે કે ઈરાક પાસે જટિલ પ્રકારનો અણુબૉમ્બ હોવાની શક્યતા નથી, પરંતુ રેડીએશન ફેલાવે તેવો કોઈ પણ બૉમ્બ હોવાની શક્યતા છે. પેન્ટેગોન ઈરાકના આ પરમાણુ ક્ષેત્રને શોધી રહ્યું છે અને તેનો તત્કાલવિનાશ કરવા માગે છે.
         કેટલાક વખત અગાઉ સદ્દામ હુસેને કહ્યું હતું કે , ઈરાક એ એવું પહેલું રાષ્ટ્ર હશે જેની પાસે અણુબૉમ્બ હશે. 
         ઇતિહાસ એવો છે કે ૧૯૭૭ ની સાલથી ઈરાકે ફ્રાન્સની બનાવટનું એક નુકલીઅર રિએકટર નાખવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ સંશોધન માટે હોવાનું ઈરાકે જણાવ્યું હતું. આ સ્થળ બગદાદથી ૧૭ કિલોમીટર દૂર દક્ષિણ - પશ્ચિમમાં અલ - તુવાઈથા ખાતે આવેલું છે. ચાર વર્ષ બાદ ખબર પડી હતી કે આ રિએકટર ખરેખર તો પ્લુટોનિયમ બનાવવા માટે હતું અને તે રસાયણનો ઉપયોગ અણુબૉમ્બ બનાવવા માટે કરવાનો હતો. ઇઝરાયલે પાછલાં વર્ષોના યુદ્ધ દરમિયાન આ રિએકટર બૉમ્બમારો કરી નષ્ટ કરી દીધું હતું. 
આ ઘટના બાદ ઈરાકે ભૂગર્ભ સપ્લાયરો પાસેથી બૉમ્બ - ગ્રેડ મટીરિયલ ખરીદવા માંડ્યું હતું. ૧૯૮૨ માં ઈરાકે ઈટાલી સ્થિત દાણચોરને ૬૦ મિલિયન ડૉલર ચૂકવીને પ્લુટોનિયમ તથા એનરીશ્ડ યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ અમેરિકા માને છે કે ઈટાલીના દાણચોરોએ પૈસા લઈ લીધા હતા અને ઈરાકને કંઈ જ આપ્યું નહોતું.
        ત્રીજા પ્રયાસમાં ઈરાકે નુકલીઅર કલબમાં જોડાઈને યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો . આ માટેનું મટીરિયલ એણે બ્રાઝીલ, ચીન અને નીગર પાસેથી મેળવ્યું હોવાનું જણાય છે. જરૂરી ખનીજ મેળવવા ઈરાકે પોતાના દેશમાં પણ ખોદકામ કર્યું હોવાનું મનાય છે. ત્યાર બાદ કેટલીક ટેક્નૉલૉજી તેણે એક ખાનગી બ્રિટિશ પેઢી પાસેથી ખરીદી હોય તેમ લાગે છે. આ ઉપરાંત કેટલાંક ઇલેક્ટ્રૉનિક્સ કેપેસીટર્સ જે ઈરાક લઈ જવાનાં હતાં તે પણ લંડનના હીથરો ઍરપોર્ટ પરથી પકડાયાં હતાં. આ કેપેસીટર્સ નુકલીઅર બૉમ્બ બનાવવા માટે વપરાય છે. હાલ સદ્દામ પાસે જે એનરીશ્ડ યુરેનિયમ છે તેમાંથી ઈરાક નાગાસાકી પર વપરાયેલા બૉમ્બ જેવડો અણુબૉમ્બ બનાવી શકે તેમ છે. 
         આવો કોઈ બૉમ્બ એણે બનાવ્યો છે કે કેમ તેના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી. છતાં અમેરિકા કોઈ જ ચાન્સ લેવા માગતું નથી. અમેરિકા અને સાથી દળો જો હોય તો ! ઈરાકના છૂપા અણુક્ષેત્રને શોધી રહ્યાં છે. આ વખતના અખાતી યુદ્ધમાં અગાઉના કોઈ મેદાને જંગમાં જોવા નહિ મળેલી કેટલીક વિશિષ્ટ ને નવી ઘટનાઓ જાણવા મળી છે.
       અગાઉ કોઈ યુદ્ધમાં ઉપયોગમાં નહિ લેવાયેલા એવિયોનિક્સની ચકાસણી આ વખતે બગદાદ ઉપર થઈ. આને કારણે પ્રસીશન બૉમ્બિંગ થઈ શકે છે અને ધાર્યા પ્રમાણેનું પિન - પૉઇન્ટ નિશાન લઈ શકાય છે. 
     બગદાદની અલ - રયદી હોટલમાં ઊતરેલા અમેરિકાના સંવાદદાતાઓને ઈરાકે જીવંત રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપી છે.
        બહુ રાષ્ટ્રીય દળોના આક્રમણના પ્રથમ દસ કલાકમાં જ ઈરાકના લક્ષ્યાંકો ઉપ૨ ૧૮ હજાર ટન જેટલી વિસ્ફોટક સામગ્રી વરસાવી દેવામાં આવી છે. ઈતિહાસમાં આ હવાઈ આક્રમણ કદાચ સૌથી મોટું બની રહેશે. બીજા વિશ્વયુદ્ધ પછી વિવિધ સાથી રાષ્ટ્રોનાં દળો ક્યારેય આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયાં નથી. ઈરાકની રાસાયણિક જૈવિક શસ્ત્રો બનાવતી ફૅકટરીઓનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું છે.
        બગદાદ તો દોઝખ બની ગયું છે. ૪૦ લાખની વસ્તી ધરાવતું આ પાટનગર ટાવરિંગ ઇન્ફર્નો બની ગયું છે. બહુ રાષ્ટ્રીય દળોમાં ૨૮ દેશોનાં દળો ભાગ લઈ રહ્યાં છે. વિજાણુ સંચાલિત પિન - પૉઇન્ટ બૉમ્બિંગથી ઇરાકના સંરક્ષણ ખાતાના તથા ટેલિકૉમ્યુનિકેશન્સ સેન્ટરને પણ ઉડાવી દેવાયું છે. વિજાણુ આક્રમણથી ઈરાકની રાડાર તથા મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમો મૃતપ્રાય બની ગઈ છે. લાશોની ગણતરી કરવાનું હજુ શક્ય બન્યું નથી . હૉસ્પિટલો ઘવાયેલાઓને દાખલ કરવા માટે સજ્જ છે.
       બગદાદથી થોડાક કિલોમીટર દૂર આવેલી ઈરાકની અણુ સવલત પણ તારાજ થઈ ગઈ છે. ૧૯૫૪ પછી જન્મેલા તમામ ઈરાકી મર્દોને શસ્ત્રો ઉઠાવવા સદ્દામ હુસેને અપીલ કરી છે." 
      18 જાન્યુઆરી 1991ના દિવસનો યુદ્ધ અહેવાલ અહીં પૂરો થાય છે. પરંતુ સમગ્ર યુદ્ધનો દિલચસ્પ વૃતાંત વાંચવા દેવેન્દ્ર  પટેલ લિખિત ગલ્ફવોર પુસ્તક વાંચવું રહ્યું.  

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, April 5, 2026

સન્ડે સ્પેશિયલ

રેશમા તેના સાવ વેર-વિખેર થયેલ જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. .

જિંદગીની ચાલને સમજવી અકળ છે. જીંદગી વ્યક્તિને રોલરકોસ્ટરની જેમ ક્યારેક આસમાની ઉંચાઈએ લઇ જાય છે તો બીજી જ પળે નીચે ધરતી લાવી પટકે છે.  રોજીંદા જીવનમાં ઘટતી કેટલીક સાધારણ કહી શકાય તેવી ઘટનાઓ વ્યક્તિને એટલી છિન્નભિન્ન કરી મુકે છે કે જીવન જ જાણે અભિશાપ બની જાય ! રેશમાની જીવનનૌકા પણ એવા કિનારે આવી લાંઘરી છે, જ્યાં કિનારો તો છે પણ દૂર દૂર સુધી મંજીલ ક્યાંય દેખાતી નથી.

રેશમાનો જન્મ અમદાવાદના એક સુખી પરિવારમાં થયો. પિતા સરકારી ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા હતા અને માતા ગૃહિણી. રેશમાને બીજી ત્રણ બહેનો અને એક ભાઈ હતો. બહેનો અને ભાઈ ભણવામાં પણ ખુબ તેજસ્વી હતાં. અમદાવાદની સારામાં સારી સ્કૂલમાં તેને મુકવામાં આવી. રેશમાનું બાળપણ તો ખૂબ જાહોજલાલીમાં વીત્યું. બાળપણથી જ રેશમા ખુબ લાગણીશીલ હતી. ઘરમાં કોઈ ઊંચા આવજે કાંઈ બોલી જાય તો પણ તેનું નાજુક હૃદય તેને સહન કરી શકાતું નહિ. રેશમા નાની સરખી ઘટનાની પણ હૃદય પર ઊંડી અસર અનુભવતી. ઘરમાં માતા-પિતા વચ્ચે થતી સાધારણ બોલાચાલી રેશમાના મનની શાંતિ ડહોળી નાખતી.

સમય વહેતો રહ્યો. રેશમાના માતા-પિતા વચ્ચેની સાધારણ બોલાચાલીએ હવે કજિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રોજના રોજના કજિયાએ એક હસતા-રમતા પરિવારની શાંતિ ડહોળી મૂકી. પિતાનો સ્વભાવ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યો હતો. હવે પારિવારિક કજિયો હિંસામાં પરિવર્તિત થવા લાગ્યો.  રેશમાના પિતા તેની માતા સાથે મારઝૂડ કરવા લાગ્યા. પરિવારના આ કલુષિત વાતાવરણે રેશમાના મનનો ચેન જ હરી લીધો. શાંત સરોવરમાં એક કાંકરી નાખતાં જેટલાં વમળો ઉદભવે તેના કરતાં અનેકઘણાં વમળોએ રેશમાના કુમળા મનનો ભરડો લીધો. આવા નાજુક સમયે તેનાં દાદીમાં તેને સાચવી લેતાં.

પરિવારના રોજ રોજના થતા ઝઘડાની વચ્ચે રેશમા દસમા ધોરણમાં સારું પરિણામ લાવી. પણ હવે પિતાના ઉગ્ર સ્વભાવનો ભોગ સંતાનો પણ બનવા લાગ્યા. મારઝૂડ – અભદ્ર ગાળોએ ઘરને જાણે રણસંગ્રામ બનાવી દીધું હતું. હવે રેશમાનું મન ભણવામાં લાગતું જ નહિ. તે સાવ સુન્ન બની ગઈ. અગિયારમું ધોરણ માંડ પસાર કર્યું. બારમા ધોરણમાં તો અભ્યાસ પ્રત્યે તે સાવ નિરશ બની ગઈ. બારમા ધોરણમાં સારું પરિણામ લાવવા માતા-પિતાનું દબાણ પણ વધી રહ્યું હતું. હવે રેશમા જબરજસ્ત માનસિક તાણ અનુભવવા લાગી. એક બપોરે રેશમા બેભાન થઈ ઢળી પડી. તેના શરીરની નસો ખેંચાઈ રહી હતી. તેના મોઢામાં ફીણ આવી ગયાં હતાં. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી.

જરૂરી તપાસ કર્યા બાદ તબીબોએ નિદાન કર્યું કે રેશમા હિસ્ટીરીયા (વાઈ)ના રોગનો ભોગ બની છે. આજીવન દવા લેવી અને ટ્રેસ  મુક્ત જીવન  એ જ આ રોગનો ઉપચાર છે. રેશમા માટે આ ખૂબ મોટો આઘાત હતો. બીમારીને કારણે એક સમયની તેજસ્વી વિદ્યાર્થીની બારમા ધોરણમાં નાપાસ થઈ. જેમની હૂંફથી નાજુક સમયમાં રેશમા ટકી રહી હતી તે દાદીમા પણ એ જ સમયે મૃત્યુ પામ્યાં. જીવનમાં એક પછી એક આવતા આઘાતો રેશમાનું મન સહન કરી શક્યું નહિ. એ જ અરસામાં ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે અત્યંત ભયભીત બની ગઈ. રેશમા હવે તેનું માનસિક સંતુલન ગુમાવી રહી હતી. કયારેક હસવાનું ચાલુ કરે તો બંધ જ ન થાય. એ જ રીતે ક્યારેક કોઈ જ કારણ વિના રડવાનું શરૂ કરે તો તેને શાંત કરવી મુશ્કેલ બની જતું.

માતા-પિતા અને ભાઈ-બહેનોને  ક્યારેક તો એમ લાગતું કે રેશમા આ બધું નાટક કરી રહી છે.  પરિવારે ભૂત-ભુઆ, દોરા-ધાગાનો સહારો લીધો. દિવસે-દિવસે રેશમાની સ્થિતિ વધુ નાજુક બની રહી હતી. છેવટે રેશમાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.તબીબોએ જે નિદાન કર્યું તે ચોકાવી દેનારું હતું. રેશમા સ્કિઝોફ્રેનીયા ( Schizophrenia) નામના એક ગંભીર માનસિક રોગનો શિકાર બની ચૂકી હતી. આ એક એવી બીમારી છે તેનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી. દવા અને થેરેપી દ્વારા તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. રેશમા માટે દવા એ જ માત્ર એક સહારો હતો.

બીમારીમાં એક વર્ષ તે ઘરે જ બેસી રહી. નિયમિત દવાથી તેના સ્વાથ્યમાં સુધારો આવ્યો. અને બીજા વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. બીજી બહેનો ભણીને ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. એટલે રેશ્માને ને પણ કોઇપણ ભોગે આગળ ભણવું હતું. બારમા ધોરણ પછી રેશમાએ સૌરાષ્ટ્રની એક પોલિટેકનીક કોલેજમાં પ્રવેશ મેળવી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ કર્યો. અભ્યાસ દરમિયાન પણ મન ક્યારેક વિચારે ચડી જતું. દવાના સહારે એ શાંત થઇ શકાતું. પણ ક્યારેક ક્યારેક વાઈ આવી જતી. તેની આવી સ્થિતિ જોઈ તેની ફ્રેઇન્ડસ ગભરાઈ જતી. ધીમે ધીમે એમના માટે સ્થિતિ  નોર્મલ લાગવા લાગી.  એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. પણ ઘરના વાતાવારણમાં કોઈ પરિવર્તન નોહ્તું આવ્યું,

રેશમાએ હવે નોકરી શોધી લીધી. દર મહીને એક  ચોક્કસ રકમ એના હાથ પર આવવા લાગી. તે તેના મોજ શોખ પુરા કરવા લાગી. પણ એનું મન કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતું નહોતું. દર ત્રણ મહીને એ નોકરી છોડી, નવી નોકરી શોધી લેતી. રેશમા નવી જિંદગી જીવવાની શોધ કર્યા કરતી પણ પેલી બીમારી તેનો પીછો છોડતી જ નહોતી. એક સમયે તેના માતા-પિતા વચ્ચે તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો અને બંને એકબીજાથી અલગ થઇ ગયાં. રેશમા એક આઘાતમાંથી માંડ બહાર નીકળે ત્યાં બીજો આઘાત એની પ્રતીક્ષા કરતો ઊભો જ હોય !

રેશમાએ  અહી નોકરી છોડી પરિવારથી દૂર જવાનું નક્કી કરી લીધું. તેના આવજની મધુરતા અને  ભાષા પરની પક્કડ ખૂબ સારી હતી.  માઉન્ટ આબુ જઈ રેડિયો જોકીની ટ્રેઈનીંગ લઈ ત્યાંના જ રેડિયો સ્ટેશન પર નોકરી લાગી ગઈ. તેના મધુર આવાજ ઘેર ઘેર ગૂંજવા લાગ્યો. રેડિયો પર રેશમાનો અવાજ સાંભળી કોઈ કલ્પી પણ ન શકે કે આ મધુર  અવાજ ભીતર  કેટલી વેદના છુપાયેલી છે !   

રેશમા પાંત્રીસે પહોંચી ચૂકી હતી. લગ્નની ઉંમર ક્યારની વટાવી ચુકી હતી. બીમારીને કારણે તેનો હાથ પકડવા કોઈ જલ્દી તૈયાર થતું નહીં.. બીમારીની જાણ હોવા છતાં  એક યુવકે રેશમાનો હાથ પકડવાની તૈયારી બતાવી. યુવકને અને તેના પરિવારને રેશમાની બિમારીની તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યાં. એ પરિવાર રેશમાને બીમારી સાથે સ્વીકારવા તૈયાર હતો.  ધૂમધામથી લગ્ન યોજાયા. આ લગ્નમાં  તેના પિતા હાજર ન રહ્યા. તેની માતાએ રેશમાને વિદાય આપી. રેશમાના જીવનમાં જાણે સુખનો  સુરજ ઊગ્યો! પણ સુખનો સુરજ મધ્યાહને પહોંચતા પહેલાં જ આથમી ગયો. લગ્નના પાંચમા દિવસે જ રેશમાને બેભાન થઈ ઢળી પડી. તેનાં અંગો ખેંચવા લાગ્યા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. આખો પરિવાર ગભરાઈ ગયો. અને રેશમાને તેના ઘરે મૂકી આવ્યો. ગણતરીના દિવસોમાં છુટા છેડા થઇ ગયા. રેશમાના ઘરેણા અને રૂપિયા પણ પરિવારે પચાવી પડ્યા.

રેશમાની માનસિક સ્થિતિ એ હદે નાજુક બની ગઈ કે તે સંતુલન ગુમાવી બેઠી. તેના વર્તન પરનો કાબુ તે ગુમાવી બેઠી. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. જેના કારણે  પોતાની જાતને પણ ગંભીર ઈજાઓ પહોચાડતી. તેની સ્થિતિ દયનીય બની ગઈ હતી.  તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીજા પાગલો સાથે તેને રાખવામાં આવી. ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા. તેની સ્થિતિ સુધરતાં મહિનાઓ લાગી ગયા. રેશમાની આ સ્થિતિ તેના માતા-પિતા, ભાઈ અને બહેનો માટે પણ પડકાર રૂપ બની ગઈ હતી.

સમાજમાં સન્માન સાથે જીવવું તેના માટે દુષ્કળ બની ગયું. એક સમયની તેજસ્વી અને પ્રતિભાવાન રેશમા છેવટે ગુજરાતની એક જાણીતી સેવાભાવી સંસ્થામાં તેણે નિરાશ્રીતોની સાથે આશ્રય લેવા મજબૂર બની. અહી તેને યોગ્ય સારવાર મળી, હૂંફ મળી, સન્માનજનક જીવન મળ્યું જેના પરિણામે માનસિક અપ્રતિમ શાંતિનો અનુભવ થતાં તેની સ્થિતિમાં ચમત્કારિક પરિવર્તન આવવા લાગ્યું. રેશમના પ્રત્યેક દિવસ ઝંઝાવાતની જેમ વીત્યા છે.  રેશમા તેના સાવ વેર-વિખેર થયેલા જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. રેશમા હાલ તેની આત્મકથા લખી રહી છે.   

પરિવારના નાના-નાના  ઝઘડા, કલુષિત વાતાવરણ એક હસતી-રમતી કોમળ જિંદગીને કેટલી હદે તહસ-નહસ કરી નાખે છે ! રેશમાના ઝંઝાવાતી જીવનમાંથી બોધપાઠ લેવો રહ્યો.  

(સત્ય ઘટના - નામ પરિવર્તિત )

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, March 29, 2026

સન્ડે સ્પેશિયલ

"અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," વૃદ્ધ માતાપિતાના આ શબ્દો પાછળ નફરત નહીં  પણ પોતાના પુત્ર પ્રત્યેનો  અપાર પ્રેમ અને કરુણા હતી.

   જીવન એક વરદાન છે, પરંતુ ક્યારેક એવું વરદાન અભિશાપ બની જાય છે કે મૃત્યુ જ એકમાત્ર આશાની કિરણ દેખાય છે. દિલ્હીના રહેવાસી હરીશ રાણાના કિસ્સામાં આ વાત અક્ષરશઃ સાચી ઠરે છે. ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં રહેલા હરીશના જીવનની આસપાસ વણાયેલી વેદના, તેના વૃદ્ધ માતા-પિતાનો લાચાર સંઘર્ષ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી ઈચ્છા મૃત્યુની અરજી – આ એક એવી દાસ્તાન છે જે પથ્થર દિલના માણસને પણ હચમચાવી મૂકે.

     હરીશ રાણા એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો યુવાન હતો. તે સમયે તેની ઉંમર માત્ર ૨૦-૨૧ વર્ષની હતી. તે ઉત્સાહથી ભરેલો હતો અને પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો હતો. હરીશ ભણવામાં અને કામકાજમાં હોશિયાર હતો. વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીના  એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે હરીશના સપનાઓ આસમાને હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ ૨૦૧૩માં એક દુર્ઘટનાએ બધું જ બદલી નાખ્યું. હરીશ પીજીના ચોથા માળેથી નીચે પટકાયો. આ અકસ્માતે  હરીશને મગજમાં ગંભીર ઈજા  થઈ.આ અકસ્માતે તેને 100 ટકા ક્વાડ્રિપ્લેજિક અપંગતા આપી. તે કાયમી ધોરણે Permanent Vegetative State - PVS) માં ધકેલાઈ ગયો. છેલ્લા 13 વર્ષથી તે ન તો હલનચલન કરી શકતો હતો, ન તો બોલી શકતો હતો; તે માત્ર શ્વાસ લઈ રહ્યો હતો.આ અકસ્માત બાદ તે ક્યારેય પોતાના પગ પર ઊભો થઈ શક્યો નહીં. એક ક્ષણની દુર્ઘટનાએ એક હસતા-રમતા યુવાનને પથારીવશ કરી દીધો.

        હરીશના પિતા અશોક રાણા અને માતા નિર્મલા દેવી માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો. એક યુવાન પુત્ર જે વૃદ્ધાવસ્થાની લાકડી બનવાનો હતો, તે આજે પથારીમાં જીવતું મડદું બનીને પડ્યો હતો. માતા પિતા માટે જીવન જ જાણે નર્ક બની ગયું.  હરીશના પિતા સાધારણ નોકરી કરતા હતા. પુત્રની સારવારમાં ઘરની બધી જ બચત ખર્ચાઈ ગઈ. દિલ્હીમાં દ્વારિકાપુરીમાં આવેલું ઘર પણ વેચાઈ ગયું. મોંઘી દવાઓ, ફિઝિયોથેરાપી અને દેખરેખ પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છતાં હરીશની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

 માતા-પિતા પોતે હવે વૃદ્ધ થઈ રહ્યા હતા. હરીશને પથારીમાં ફેરવવો, તેને નવડાવવો, જમાડવો અને તેની કુદરતી હાજતો સાફ કરવી એ હવે તેમના માટે શારીરિક રીતે અશક્ય બની રહ્યું હતું. માતાની આંખના આંસુ સુકાઈ ગયા હતા અને પિતાના ખભા જવાબદારીના બોજ નીચે ઝૂકી ગયા હતા.  તેમના મનમાં પ્રશ્ન થતો કે, "અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તો આની સેવા કરીએ છીએ, પણ અમારા પછી આ દીકરાનું શું થશે?" આ સવાલ જ તેમને વહાલસોયા પુત્ર માટે  ઈચ્છા મૃત્યુના રસ્તે લઈ ગયો.

    હરીશ છેલ્લા ૧૩  વર્ષથી 'Persistent Vegetative State' (પીવીએસ) માં છે. તેનો અર્થ એ છે કે તે શ્વાસ તો લે છે, તેની આંખો ખુલે છે, પણ તે કોઈને ઓળખી શકતો નથી કે કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી.   તેના શરીરમાં પડેલા  ઘા (Bedsores)  રુઝાતા જ નહોતા.  તેને પાઈપ દ્વારા ખોરાક આપવામાં આવતો. હરીશ માટે જીવવું એ રોજ હજારો મોત મરવા સમાન છે. તેની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી કારણ કે તે પોતે બોલી શકતો નથી.

   જ્યારે તમામ આશાઓ તૂટી ગઈ, ત્યારે હરીશના માતા-પિતાએ હ્રુદય પર પથ્થર મૂકી  દિલ્હી હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમની વેદના પ્રગટ કરતાં જણાવ્યું કે   પોતાના પુત્ર હરીશને 'નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ' (Passive Euthanasia) ની મંજૂરી આપવામાં આવે. પથારીવશ દીકરાની દયનીય સ્થિતિ હવે જોઈ જતી નથી.   ડૉક્ટરોએ પણ આ વાત સ્વીકારી હતી કે હરીશના સાજા થવાની કોઈ શક્યતા નથી. પરિવાર આર્થિક અને શારીરિક રીતે તેની સેવા કરવા સક્ષમ રહ્યો નથી. પોતે હયાત છે ત્યાં સુધી તો દીકરાની સેવા સુશ્રુષા કરશે પરંતુ પોતે વૃદ્ધ થઇ ગયા છે. ભવિષ્યમાં જયારે તેઓ પોતે જ હયાત નહિ હોય ત્યારે  તેમની ગેરહાજરીમાં દીકરાની સારસંભાળ  કોણ રાખશે ? માતા પિતાની આ વેદના જ ધ્રુજાવી મુકે તેવી હતી. વ્યક્તિને સન્માન સાથે જીવવાનો હક છે, તો પીડા વગર મરવાનો હક કેમ નહીં?

ભારતમાં ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 'પેસિવ યુથેનેશિયા' માન્ય છે, પરંતુ તેના માટે મેડિકલ બોર્ડની પરવાનગી અનિવાર્ય છે. હરીશના કિસ્સામાં કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો.  કાયદો કહે છે કે કોઈનો જીવ લેવો એ ગુનો છે. પણ જે જીવનમાં માત્ર પીડા જ હોય, તેને લંબાવવું એ પણ એક પ્રકારનો અત્યાચાર નથી? ડૉક્ટરો માટે પણ આ સ્થિતિ મુશ્કેલ હોય છે. જે શ્વાસ ચાલી રહ્યા છે તેને રોકવા માટેની મંજૂરી આપવી એ તબીબી નીતિશાસ્ત્ર (Medical Ethics) ની વિરુદ્ધ ગણાય છે.

        હરીશ રાણાના માતા-પિતાએ જ્યારે કોર્ટમાં કહ્યું કે, "અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," ત્યારે તે શબ્દો પાછળ નફરત નહીં પણ અપાર પ્રેમ અને કરુણા હતી. તેઓ તેને આ અસહ્ય નરકમાંથી મુક્ત કરવા માંગતા હતા. ઈચ્છા મૃત્યુ અહીં ક્રૂરતા નથી, પણ એક 'દયા' છે.

     માનવીય સંવેદના અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચેના દ્વંદ્વમાં આખરે સર્વોચ્ચ અદાલતે એક પિતાની મજબૂરી અને પુત્રની કાયમી યાતનાને સમજીને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારની સાથે હવે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર પર મહોર મારતા સર્વોચ્ચ અદાલતે  13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષીય હરીશ રાણાની  લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપી. આ સંવેદનશીલ ચુકાદો વાંચતી વખતે બેન્ચના જસ્ટિસ જે.બી. પારડીવાલા પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહોતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

 સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને 'પેસિવ યુથેનેશિયા'/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી. હરીશ રાણાને 14 માર્ચે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચે તેમનો પ્રવાહી ખોરાક બંધ કરી દેવામાં આવ્યો હતો અને 17 માર્ચે પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે, છેલ્લા 10 દિવસથી તેમને ખોરાક અને પાણી આપવાનું બંધ હતું.  ધીમે ધીમે લાઈફ સપોર્ટેડ સિસ્ટમ્સ દૂર કરવામાં આવી હતી અને આખરે 24 માર્ચ 2026ના રોજ હરીશ રાણાએ અંતિમ શ્વાસ લીધા હતા.

દુનિયામાં સૌથી ભારે ચીજ કઈ છે જાણો છો ? એક પિતાએ ઉપાડેલી પુત્રની અર્થી !

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, March 22, 2026

Sunday Special

Part 3: The Conclusion
Prashasti Pareek (IAS)
The Collector 
________________________
"As she accepted the award from the Honorable President, her father’s words resonated deeply within her heart."
'Prashasti Pareek' was no longer just a name; she had become the very definition of a high-flying success. After overcoming numerous struggles, challenges, and difficulties, she cleared the prestigious IAS examination with an All India Rank (AIR) of 21. As the tide of time turned, the dream she had nurtured with intense perseverance in her heart finally came true. The dream was realized, but the path ahead was by no means smooth! A new trail, a new journey, and fresh challenges were awaiting Prashasti.

To gain admission for training at the prestigious 'Lal Bahadur Shastri National Academy of Administration' (LBSNAA) in Mussoorie is the dream of every UPSC aspirant. Lakhs of students appear for the exam, yet only a handful of candidates pass this rigorous test to enter this institution. Prashasti was among the top ranks of these select few. Her training thus commenced at the Lal Bahadur Shastri National Academy of Administration.

Nestled in the lap of nature amidst towering mountains, lush green trees, colorful flowers, overflowing rivers, lakes, and murmuring streams, this institution has become renowned not only in India but across the world. Here, the multifaceted personalities of brilliant talents from every corner of India—who have cleared the UPSC—are strongly forged. These are the individuals being trained whose single decisions will influence thousands of lives in the future. Therefore, the aptitude to make decisions with a calm mind without being wavered in the most critical situations is developed here.

Being a person of versatile talent, Prashasti’s personality shone even brighter through the influence of this institution. Since a civil servant can be posted in any corner of India, it is essential to understand the geography, history, and cultural heritage of the entire country. As part of the training, she traversed through fields, hills, rivers, forests, villages, and cities! By traveling across the nation, she observed the life of the Indian people from a very close perspective.

Training for all civil services, such as the IAS, IPS, IRS, and IFS, takes place at this very institution in Mussoorie. After their training, these talented individuals spread across every corner of the country and the world to serve the nation. During this period, such a strong web of relationships is woven that even if an officer is serving in a remote district, their batchmates are stationed across all states of India or in important countries worldwide. Batchmates are always eager to help one another. If an administrative need arises in the future, tasks in any corner of the country or the world can be accomplished in a split second with just a single phone call, bypassing all formalities.

Upon completing her training in Mussoorie, she was selected as an officer of the Gujarat cadre. There is a world of difference between receiving training at an academy and working on the actual ground. Therefore, her initial phase began with field training. She was posted in the city of Rajkot, Gujarat. Her first challenge was understanding and speaking the language—Gujarati—a language she had never heard consistently until that day! She accepted this challenge gracefully. With great patience, she learned Gujarati. Initially, she found it difficult to speak, but by staying among the people and engaging in constant dialogue, she gained a firm grip on the language.

She had the opportunity to work under the leadership of the then-Collector of Rajkot, Manisha Chandraji. She observed the highly efficient and vastly experienced Manisha Chandraji's work from close quarters. Her personality was like a university in itself. From her, Prashastiji learned not only administrative tasks but also important life lessons. Manisha Chandraji also took personal care of Prashastiji, and the bond between them remains just as warm today, years later.

The journey Prashastiji began as a promising and capable officer in Rajkot has since traversed through Viramgam, Lunawada, Dahod, Vadodara, Jamnagar, and Navsari, and is currently flourishing in the Aravalli district. Wherever she has served, her dedication and commitment to duty have left a distinct mark on the hearts of the people. Understanding public grievances and working tirelessly to resolve them is her passion. Rather than staying confined to her office, she prefers exploring remote, far-flung villages to understand and incessantly strive to solve their difficulties.

Whenever a local issue triggers public protest, Prashasti-ji never hesitates to visit the site in person. As a fearless officer, she is always ready to go among the people to find a resolution. It is her mission to work with deep empathy to ensure that the maximum benefits of central and state government welfare schemes reach the very last beneficiary.

Both the Central and State governments have periodically lauded Prashastiji's conscientious style of functioning. Beyond official schemes, she continuously introduces innovative experiments to make education, health, and public welfare services more effective. During her tenure as the District Development Officer (DDO) in Navsari during the COVID-19 period, her innovative approaches in education and health received immense praise. Recognizing her exceptional work, the State Government honored her as the state's Best District Development Officer.

Generally, an invisible wall often forms between the supreme head of a district administration and the general public. For an ordinary person, meeting the District Collector or making a proper representation often feels like a distant dream. However, Prashastiji has blazed a new trail. She has girded her loins to demolish this invisible barrier between the people and the authorities. Rising above the hassles of protocol, she initiated innovative experiments, the fruit of which is that even the most common person can now meet the Collector and voice their concerns.

Whether a resident of Aravalli is within the district or at any corner of the globe, Prashastiji leaves no stone unturned to rescue them when they are in distress. When tourists from Aravalli were stranded during their pilgrimage in Kedarnath and Kashmir, it was District Collector Prashastiji who called her batchmates to arrange everything for the travelers. For the pilgrims, this was nothing short of a miracle. More recently, during an ongoing conflict, a family from a village near Modasa was stranded in Bahrain, leaving their kin back home in a state of extreme anxiety. As soon as Prashastiji learned of this, she coordinated with an officer serving in the Foreign Service in Bahrain and relieved the family's worries. This is the true strength of the Civil Services.

India’s illustrious Prime Minister, Narendra Modi, called for a healthy nation through the 'Fit India' movement. Prashastiji brought the Prime Minister’s health mantra to life through the 'Sunday on Cycle' campaign. Generally, Sunday is a holiday—a day to wake up late—but early on Sunday mornings, the people of Aravalli set out on their cycles. This group includes industrialists, builders, shopkeepers, salaried employees, and even street vendors! Homemakers have also joined in spontaneously. And every Sunday, leading them all on a bicycle, is the District Collector of Aravalli, Prashasti Pareekji! 'Sunday on Cycle' has truly turned into a movement in the district.

Prashastiji is a strong advocate for quality education. To ensure that no girl is deprived of education and to encourage daughters living in villages, she initiated the 'Coffee with Collector' program. Under this initiative, young girls from the district are invited to the Collector's office for an open-hearted conversation over coffee. Prashastiji is constantly striving to give wings to these girls' dreams.

Coming from a simple middle-class family herself, she understands the struggles of the middle class perfectly. Caring for the families of even the lowest-ranking employees working in the District Seva Sadan, she finds great joy in the humanitarian work of providing postal insurance cover to all Class IV employees. By contributing the very first amount for the insurance premium from her own pocket, she revealed the deep sense of empathy beating within her heart!

Prashastiji's father had a deep-seated desire: his talented daughter had already been honored by the Prime Minister, the Governor, and the Chief Minister, but he longed for the day she would be felicitated by the Honorable President of India. Finally, that day arrived. Last year in Delhi, under the 'Bhoomi Samman' initiative, the Aravalli district was recognized for its outstanding performance under her leadership, and she was honored by the Honorable President, Smt. Droupadi Murmu.

As she accepted the honor from the President, her father’s words echoed in her ears: "Beta! One day, even the President of the country will honor you." It was a moment of immense pride. The daughter had once again fulfilled the heartfelt wish of her father. However, by a cruel twist of fate, her father was no longer alive to witness this incomparable sight. It was for this reason that the memory of her father, preserved intact within her heart, overflowed from her eyes as tears. Though her father could not witness this beautiful scene in person, he surely must have been showering his blessings upon his daughter from the heavens above.

Prashastiji remains detached from the limelight, giving all the credit for the honors she receives to her entire team. She lives by the principle of not letting her left hand know the good deeds done by her right. She finds unique joy in staying away from fame and remaining grounded to the earth. Her hometown, Jaipur, is her favorite city, and she loves spending her leisure time with family and in the lap of nature.

Through the work she has done with a deeply human approach as the Collector over the last three years, Prashastiji has earned a permanent place in the hearts of the people of the Aravalli district. Aravalli is truly fortunate to have been served by such a committed, empathetic, and promising Collector. Though her duties may eventually lead her to a new posting elsewhere, her place in the hearts of Aravalli's citizens will remain intact forever. (The End)
An aricle by : Ishwar Prajapati
Engalish version : Pallavi Gupta.

Mo. : 9825142620

સન્ડે સ્પેશિયલ

 ભાગ - ૨ વાંચવા અહીં ક્લિક કરો.

ભાગ ૩

મહામહિમ રાષ્ટ્રપતિજીના હસ્તે સન્માન સ્વીકારતી વેળાએ  પ્રશસ્તિજીના કાનમાં પિતાજીના શબ્દો પડઘાતા રહ્યા..!

To Read in English pl. Click here

પ્રશસ્તિ પારીક’ હવે માત્ર એક નામ જ નોહતું  રહ્યું, પરંતુ તેણી સફળતાની ઊંચી ઉડાનનું બીજું સરનામું  બની ગયાં હતાં.  કેટકેટલા સંઘર્ષો, પડકારો અને મુશ્કેલીઓને પાર કરી, સૌથી અઘરી ગણાતી IAS ની પરીક્ષા ઓલ ઇન્ડિયા ૨૧ મા રેન્ક સાથે પાસ કરી હતી. સમયની વહેતી ધારાએ કરવટ બદલી. હૃદયમાં તીવ્ર તિતિક્ષાથી સેવેલું સ્વપ્ન સાકાર થયું. સ્વપ્ન તો સાકાર થયું પરંતુ આગળનો જીવનપથ કાંઈ સાવ સુવાળો તો નહતો જ ! નવી કેડી, નવી સફર અને નવા પડકારો પ્રશસ્તિજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.

મસૂરી ખાતે આવેલ ‘લાલબહાદૂર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન’ જેવી  ભારતની પ્રતિષ્ઠિત સંસ્થામાં ટ્રેનીંગ માટે પ્રવેશ મેળવવાનું  UPSC ની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમાંથી જૂજ વિદ્યાર્થીઓ આકરી કસોટી પાસ કરી આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. આ જુજ વિદ્યાર્થીઓની અગ્રીમ હરોળમાં પ્રશસ્તિજી સમાવિષ્ઠ હતાં. લાલબહાદૂર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન સંસ્થામાં પ્રશસ્તિજીની તાલીમ પ્રારંભ થઈ.

ઊંચી ઊંચી  પહાડિયો, લીલાછમ ઘટાદાર વૃક્ષો, રંગબેરંગી પુષ્પો, છલોછલ વહેતી નદીઓ, સરોવર અને ખળખળ વહેતાં ઝરણાંની વચ્ચે કુદરતના ખોળે આવેલી આ સંસ્થા માત્ર ભારતમાં જ નહિ પરંતુ  વિશ્વમાં સુખ્યાત બની છે. ભારતના ખૂણે ખૂણેથી UPSC ઉતીર્ણ થયેલી, તેજસ્વી પ્રતિભાઓના વ્યક્તિત્ત્વના તમામ પાસાઓનું મજબૂત  ઘડતર અહીં થાય છે. અહીં એવી પ્રતિભાઓ તાલીમ પામે છે કે ભવિષ્યમાં  તેમના એક નિર્ણયથી હજારો જિંદગીઓ પ્રભાવિત થતી હોય છે. તેથી વિકટમાં વિકટ સ્થિતિમાં વિચલિત થયા વિના; શાંત ચિત્તે નિર્ણય લેવાની અભિયોગ્યતાનું ઘડતર પણ અહીં જ થાય છે. બહુમુખી પ્રતિભા ધરાવતાં પ્રશસ્તિજીને આ સંસ્થાનો સ્પર્શ મળતાં તેમનું વ્યક્તિત્ત્વ અધિક નીખરી ઊઠ્યું. સિવિલ સર્વિસીઝમાં ભારતના કોઇપણ ખૂણે નિમણૂંક થઇ શકે છે; માટે સમગ્ર ભારતના ભ્રુપૃષ્ઠ, ઈતિહાસ અને સંસ્કૃતિક વારસાને સમજવો અત્યંત આવશ્યક હોય છે. એટલે તાલીમના ભાગરૂપે ખેતરો, ડૂંગરો, નદીઓ, જંગલો, ગામ, નગરો, શહેરો,  ખૂંદી વળ્યાં !  સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભારતના જનજીવનને ખૂબ નજીકથી નિહાળ્યું.

IAS, IPS, IRS, IFS જેવી તમામ સિવિલ સર્વિસીઝની તાલીમ મસૂરી ખાતેની આ સંસ્થામાં જ થતી હોય છે. અને તાલીમ બાદ આ જ પ્રતિભાઓ દેશના અને વિશ્વના ખૂણે ખૂણે પથરાઈને દેશને સેવાઓ આપે છે. તાલીમ દરમિયાન એકબીજા સાથે સબંધોનું એવું મજબૂત જાળું ગૂંથાય છે કે વ્યક્તિ ભલે દેશના કોઈ છેવાડાના જીલ્લામાં  સેવા આપતી હોય પરંતુ તેમના બેચમેટ દેશના તમામ રાજ્યો  કે વિશ્વના મહત્ત્વપૂર્ણ દેશોમાં પથરાયેલા હોય છે. બેચમેટ એકબીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે.  ભવિષ્યમાં વહીવટમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો કોઈ જ ફોર્માલીટી વિના માત્ર એક ફોનથી દેશ કે દુનિયાના કોઇપણ ખૂણાનું કામ ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય છે.

મસૂરી ખાતે તાલીમ પૂર્ણ કરી પ્રશસ્તિજીને ગુજરાત કેડરના અધિકારી તરીકે પસંદગી પામ્યાં. તાલીમી સંસ્થામાં તાલીમ લેવી અને વાસ્તવિક જમીન પર કામ કરવું આ બે માં આસમાન જમીનનો તફાવત છે. એટલે શરૂઆતનો તબક્કો ફિલ્ડમાં તાલીમથી શરૂ થયો. ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રશસ્તિજીની નિમણૂંક થઈ. સૌથી પહેલો પડકાર તો ભાષા બોલવા-સમજવાનો હતો. જે ભાષા આજદિન સુધી એકધારી સાંભળી નથી એ ગુજરાતી ભાષા સાંભળી સમજવાની અને બોલવાની ! આ પડકારને પણ તેમણે સહર્ષ સ્વીકાર્યો. ખૂબ ધીરજ પૂર્વક ગુજરાતી ભાષા શીખ્યાં. શરૂઆતમાં ગુજરાતી બોલવામાં મુશ્કેલી અનુભવાતી ! પણ પ્રજા વચ્ચે રહી સતત સંવાદ કરતાં રહી ગુજરાતી ભાષા પર હથોટી મેળવી લીધી.  રાજકોટનાં તત્કાલિન કલેકટર મનીષા ચંદ્રાજીના નેતૃત્ત્વમાં કામ કરવાની તક મળી. કાર્યકુશળ અને  બહોળા અનુભવી મનીષા ચંદ્રાજીને કામ કરતાં નજીકથી નિહાળ્યાં. તેમનું વ્યક્તિત્ત્વ સ્વયં એક યુનિવર્સીટી સમાન હતું. તેમની પાસેથી વહીવટી કાર્યની સાથે સાથે જીવનના મહત્વપૂર્ણ પાઠ પણ શીખવા મળ્યા.  મનીષા ચંદ્રાજી પણ પ્રશસ્તિજી વ્યક્તિગત કાળજી લેતાં. તેમની વચ્ચેનો  સંબંધ વર્ષો પછી આજે પણ એટલો જ હૂંફાળો રહ્યો છે.  

 પ્રશસ્તિજીએ એક હોનહાર અને કાબેલ ઓફિસર તરીકે રાજકોટથી શરૂ કરેલી યાત્રા વિરમગામ, લુણાવાડા, દાહોદ, વડોદરા, જામનગર, નવસારી  થઈ હાલ અરવલ્લી જિલ્લામાં વિહાર પામી રહી છે. તેમણે જ્યાં પણ સેવાઓ આપી છે ત્યાં તેમની સેવાનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાએ પ્રજાના હૃદયમાં નોખી ભાત પાડી  છે. પ્રજાના પ્રશ્નોને સમજી તેના ઉકેલ માટે અહર્નિશ કાર્યશીલ રહેવું તેમની ગમતી પ્રવૃત્તિ છે. ચેમ્બરમાં બેસવા કરતાં અંતરિયાળ વિસ્તારનાં છેવાડાનાં ગામડાં ખૂંદી તેમની મુશ્કેલીઓને સમજી તેનું નિરાકરણ લાવવા અવિરત મથામણ કરતાં રહે છે. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય જેના કારણે પ્રજામાં વિરોધ પેદા થયો હોય તો વિરોધની વચ્ચે સ્થળ પર રૂબરૂ  જવામાં પ્રશસ્તિજી જરા પણ અચકાતાં નથી. એક નીડર ઓફિસર તરીકે પ્રજા વચ્ચે જઈ  પ્રશ્નનો ઉકેલ લાવવા હંમેશા તેઓ તત્પર રહે છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ છેક છેવાડાના લાભાર્થીને મળી રહે તે માટે નિસબત સાથે કામ કરવું તેમનું પેશન છે.

કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિજીની  નિષ્ઠાપૂર્વકની કાર્યપ્રણાલીને  સમયાંતરે બિરદાવવામાં આવી છે. સરકારી યોજનાઓ સિવાય પણ શિક્ષણ, આરોગ્ય અને પ્રજાકલ્યાણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે પોતે પણ નવતર પ્રયોગો કરતાં રહે છે. નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કોરોનાકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓમાં તેમણે કરેલા નવતર પ્રયોગો ખૂબ પ્રશંસા પામ્યા હતા. રાજ્ય સરકારે તેમની કામગીરીને બિરદાવતાં રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કર્યાં.

 સામાન્ય રીતે જિલ્લા વહીવટી સર્વોચ્ચ વડા  અને સામાન્ય જનતા વચ્ચે એક અદૃશ્ય દિવાલ બંધાઈ જતી હોય છે. જિલ્લા  કલેક્ટરને મળવું, યોગ્ય રજૂઆત કરવી એ સામાન્યજન માટે તો એક દીવાસ્વપ્ન સમાન હોય છે. પરંતુ પ્રશસ્તિજી એક  નવો ચીલો ચાતર્યો છે.  પ્રજા અને અધિકારી વચ્ચેની અદૃશ્ય દિવાલ ધરાશાઈ કરવા તેમણે કમર કસી. પ્રોટોકોલની પળોજણથી ઉપર ઊઠીને નવતર પ્રયોગો હાથ ધર્યા. જેના ફળસ્વરૂપ  સાવ સાધારણ વ્યક્તિ પણ કલેક્ટરને મળી રજૂઆત કરી શકે છે.

અરવલ્લી વાસી જિલ્લામાં હોય કે દુનિયાના કોઇપણ છેડે જયારે તે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેમને મુશ્કેલીમાંથી ઉગારવા પ્રશસ્તિજી આકાશ પાતાળ એક કરી દે છે. કેદાર અને  કાશ્મીરમાં જયારે અરવલ્લીના પ્રવાસીઓ યાત્રા દરમિયન ફસાઈ ગયા ત્યારે જિલ્લા કલેકટર પ્રશસ્તિજીએ જ તેમના બેચમેટને ફોન કરી યાત્રીઓ માટે બધી વ્યવસ્થા ગોઠવી આપી હતી. યાત્રીઓ માટે આ બનાવ કોઈ ચમત્કારથી કમ નહતો. તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધમાં  મોડાસા પાસેના એક ગામનો પરિવાર બેહરીનમાં ફસાઈ ગયો અને અહીં વતનમાં બધાંના  જીવ તાળવે ચોંટયા હતા. પ્રશસ્તિજીને આ બાબતની જાણ થતાં જ બહેરીનમાં ફોરેન સર્વિસમાં  ફરજ બજાવતા અધિકારી સાથે વાત કરી પરિવારને ચિંતા મુક્ત કરી દીધો હતો.  સિવિલ સર્વિસીઝની આ સ્ટ્રેન્થ છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ  'ફિટ ઇન્ડિયા' આંદોલન દ્વારા સ્વાસ્થ્ય ભારતનું આહવાન કર્યું. વડાપ્રધાન શ્રીના ફિટ ઈન્ડિયાના આરોગ્ય મંત્રને પ્રશસ્તિજી Sunday on Cycle અભિયાન દ્વારા ચરિતાર્થ કર્યો. સામાન્ય રીતે રવિવાર એટલે રજાનો દિવસ! નિરાંતે ઉઠવાનો દિવસ પણ રવિવારની વહેલી સવારે અરવલ્લી વાસીઓ સાયકલ લઈને નીકળી પડે છે. જેમાં ઉદ્યોગપતિ પણ હોય, બિલ્ડર પણ હોય, દુકાનદાર હોય, નોકરિયાત પણ હોય, અને લારી ગલ્લા વાળા પણ હોય! ગૃહિણી મહિલાઓ પણ સ્વયંભૂ જોડાઈ. અને પ્રત્યેક રવિવારે સાયકલ લઈને આ બધામાં સૌથી આગળ હોય અરાવલી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકજી !  "Sunday on Cycle" જિલ્લામાં જાણે એક આંદોલન બની ગયું છે.

પ્રશસ્તિજી ગુણવત્તાલક્ષી શિક્ષણનાં હિમાયતી છે. એમાંય કોઈ કન્યા શિક્ષણથી વંચિત ન રહે અને ગામડામાં વસતી દીકરીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી 'Coffee with Collector ' ની શરૂઆત કરી. જે અંતર્ગત જિલ્લાની બાલિકાઓને કલેક્ટર ઓફિસ આમંત્રિત કરી તેમની સાથે કોફી પીતાં-પીતાં ખુલ્લા મને સંવાદ કરવામાં આવે છે. દીકરીઓના સપનાઓને એક નવી ઉડાન આપવા પ્રશસ્તિજી સતત પ્રયત્નશીલ રહે છે.

પ્રશસ્તિજી પોતે સાધારણ માધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતાં હોવાથી મધ્યમવર્ગની પીડા સુપેરે સમજી શકે છે. જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા નાનામાં નાના કર્મચારીના પરિવારની ચિંતા કરી વર્ગ ચારના તમામ કર્મચારીઓને પોસ્ટલ વીમા કવચ પૂરું પાડવાનું માનવીય કાર્ય કરવામાં પ્રશસ્તિજી આનંદ અનુભવે છે. આ વીમા કવચની પ્રીમિયમની રકમના ફાળામાં સૌથી પહેલી રકમ પોતાના ખિસ્સામાંથી મૂકી હૃદયમાં ધબકતી સંવેદનાનાં દર્શન કરાવ્યાં!

પ્રશસ્તિજીના પિતાજીની એક તીવ્ર ઝંખના હતી કે પ્રતિભાવંત દીકરીનું દેશના વડાપ્રધાન શ્રી, રાજ્યના રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન પામી હતી પરંતુ દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના હસ્તે પણ ક્યારેક સન્માનિત થાય ! અને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. ગત વર્ષે દિલ્હી ખાતે ‘ભૂમિ સન્માન’ અંતર્ગત પ્રશસ્તિજીના નેતૃત્ત્વમાં  અરવલ્લી જિલ્લાએ કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ   મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિજીના હસ્તે સન્માન સ્વીકારતી વેળાએ  પ્રશસ્તિજીના કાનમાં પિતાજીના શબ્દો પડઘાતા રહ્યા. “બેટા ! એક દિવસ દેશના રાષ્ટ્રપતિ પણ તારું સન્માન કરશે.” આ એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી.   પિતાજીના હૃદયની ભાવનાને  શબ્દો દીકરીએ પુનઃ સાર્થક કરી બતાવી.. પરંતુ વિધિની વક્રતાએ કરુણતા એ હતી કે આ અનુપમ દૃશ્ય નિહાળવા પિતાજી હયાત ન હતા. એટલે જ હૈયામાં અકબંધ સચવાયેલી પિતાજીની સ્મૃતિ અશ્રુ બની આંખમાં છલકાઈ આવી.  પિતાજી ભલે સદેહે આ રળિયામણું દૃશ્ય નિહાળી શક્ય નહિ પણ અંતરીક્ષમાંથી દીકરી પર આશીર્વાદ વરસાવતા હશે.    

પ્રશસ્તિજી પોતાને મળેલા સન્માનનો તમામ શ્રેય તેઓ તેમની સમગ્ર ટીમ આપી પોતે નિર્લેપ રહે છે. જમણા હાથે કરેલા સદ્કાર્યની જાણ તેઓ ડાબા હાથને પણ થવા દેતાં નથી. પ્રસિદ્ધિથી દૂર રહી જમીન સાથે જોડાઈ રહેવામાં જ તેઓ  અનેરો આનંદ અનુભવે છે. હોમ ટાઉન જયપુર તેમનું પ્રિય શહેર છે. નવરાશની પળો પરિવાર અને  પ્રકૃતિ સાથે વિતાવવી તેમને અત્યંત પસંદ છે.    

અરવલ્લી જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રશસ્તિજીએ કલેક્ટર તરીકે માનવીય અભિગમ સાથે કરેલાં કાર્યો થકી પ્રજા હૃદયમાં સ્થાન પામ્યાં છે. અરવલ્લી જિલ્લો સાચે જ સદભાગી છે કે આવાં પ્રતિબદ્ધ અને લાગણીભીનાં હોનહાર કલેકટર મળ્યાં છે. ફરજના ભાગરૂપે પ્રશસ્તિજી ભલે બદલીથી બીજે સ્થાને જાય પરંતુ અરવલ્લીના હૃદયમાં તેમનું સ્થાન ચિરકાળ સુધી યથાવત રહેશ.  (સંપૂર્ણ )

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Wednesday, March 18, 2026

પ્રસંગ વિશેષ

 ઉનાળાના બળબળતા બપોરે પાણી વિના ટળવળતાં સેકડો પક્ષીઓની તરસ છીપાવી નવજીવન બક્ષે છે અરવલ્લીના સીમાડે આવેલી સંસ્થા  'શ્રવણ સુખધામ'! 


            ૨૦ માર્ચ એટલે   વિશ્વ ચકલી દિવસ. થોડા વર્ષો પહેલા ઘર આંગણે ચકલીઓ ચણવા ઉમટી પડતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી ચકલી પ્રજાતિ શોધે પણ ઝટ જડતી નથી. ચકલી પ્રજાતિની ઘટતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ પ્રજાતિ નામશેષ થઈ જાય છે ત્યારે તેની વિપરીત અસર જીવસૃષ્ટિ ઉપર પણ પડતી હોય છે.   જો  કોઈ પ્રજાતિ નામશેષ કરી દેવામાં આવે તો એની  પ્રકૃતિ અને માનવ જાત  ઉપર કેવી ઘાતક અસર થાય છે એ સમજવા, વર્ષ ૧૯૫૮માં ચીનમાં બનેલી ઘટના સૌ કોઈ માટે સિમાચિહ્નરૂપ છે અઢી કરોડથી વધુ લોકોની બલી ચડાવી ચકલી પ્રજાતિનો સર્વનાશ કરવાની કિંમત ચીને  ચૂકવવી પડી હતી

  ભારતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત ઘટતી જતી  ચકલી પ્રજાતિના અસ્તિત્વને જાળવી રાખવા હાલ અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ આગળ આવી રહી છે. નાસિકના મોહમદ દિલાવર જેઓએ ચકલી જેવા ઘરેલું પક્ષીની જાળવણી હેતુ નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી હતી. નેચર ફોરેવર સોસાયટી  અને એકો સીસ એક્શન ફાઉન્ડેશન ( ફ્રાંસ) ના સંયુક્ત પ્રયાસો થકી ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ ચકલી દિવસની ઉજવણી  ૨૦ માર્ચ ૨૦૧૦ નાં રોજથી શરૂ કરવામાં આવી હતી.

          ભારત અને ગુજરાતમાં અનેક સંસ્થાઓ આજે પક્ષીઓના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. હાલ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના બામણા પુનાસણ જેવા  અંતરિયાળ વિસ્તારમાં  શ્રવણ સુખધામ પંચવટી સંસ્થા  પક્ષીઓનાં જતન માટે કાર્ય ખુબ સુંદર કાર્ય કરી રહી છે. 

                         

અરવલ્લીની ગીરીકંદરાઓથી આચ્છાદિત સાબર સરિતાના સમીપે હાથમતીના નીરને સ્પર્શીને માંકડી ડેમના કિનારે આકાર પામેલી શ્રવણ સુખધામ સંસ્થા જોતા જ આંખો ઠરે છે. શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર કુદરતના ખોળે પાંગરેલી આ સંસ્થાનું વાતાવરણમાં ગજબની શાંતિ અનુભવાય છે. સંસ્થાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. અનેક સેવાકિય પ્રવૃત્તિઓથી ધમધમતી આ સંસ્થાનું સપનું સેવ્યું સાબરકાંઠા- અરવલ્લીના એક અંતરિયાળ ગામમાં જન્મેલા શ્રીમતી ઇન્દુબેન અને તેમના પરિવારે ! જેઓની સેવા પ્રવૃત્તિઓ થકી આજે સમસ્ત સ્ત્રી સમાજ માટે તેઓ આદર્શ બન્યા છે. જેમને સાચા અર્થમાં પોતાનું જીવન સ્ત્રી ઉત્થાનમાં ઘસી નાખ્યું છ. અંતરિયાળ ગામડાઓમાં સેવાનો આહલેખ જગાવ્યો છે.


ઉનાળાની બળબળતી બપોરે જો આપણને પાણી વિના થોડા કલાકો પસાર કરવા પડે તો કેવી અકળામણ અનુભવાય છે ? જાણે હમણાં જીવ નીકળી જશે એવી પીડા અનુભવાય છે. તો પેલા અબોલ જીવ આવા આકરો ઉનાળો પાણી વિના કેવી રીતે પસાર કરી શકે ? કેટકેટલા પશુ પંખીઓ પાણી વિના તરફડી પ્રાણ ત્યાગી દેતા હોય છે. ત્યારે આવા સેકડો અબોલ જીવને વહારે આવી છે શ્રવણ સુખધામ સંસ્થા. આ સંસ્થા સાથે સંકળાયેલ હિરેનભાઈ પ્રજાપતિ  અને  ભાવેશભાઈ પ્રજાપતિ ઉનાળા પહેલા માટીના પાકા  બનાવેલા પક્ષીઓના માળા અને પાણીના કૂંડા હજારોની સંખ્યામાં વિનામૂલ્યે વહેચે  છે. કોઇપણ જાતની અપેક્ષા કે કોઈ જાતની જાહેરાતો વિના મૂકસેવક બની આ સંસ્થા સેવાનું વિરાટ કાર્ય કરી રહી છે. ગુજરાતની અનેક સેલીબ્રીટીઝ આ સંસ્થાની બ્રાંડ એમ્બેસીડર બની, સેવાકાર્યનો પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ બની રહી છે. પશુ પક્ષીઓની સેવા સાથે સાથે સંસ્થાનાં ચેરપર્સન ઇન્દુબેન પ્રજાપતિ   દ્વારા બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં  આવી રહી છે.

         સંસ્થા દ્વારા અબોલ પશુ પંખીઓ માટે પણ પાણીની સગવડ પૂરી પાડવાની અને આસપાસના શ્વાનને રોટલો અને લાડુની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ડુંગર ઉપર બિરાજમાન કપિરાજ માટે પાણી અને અનાજની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. જે જીવ દયા પ્રેમ નું ઉત્તમ ઉદાહરણ છે.  અબોલ જીવ સેવા અને પર્યાવરણ જતનનું માતબર કામ કરનાર ઈન્દુબેનને અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.      

            અરવલ્લીના અરણ્યમાં વિસ્તરેલી આ સંસ્થા સમાજને દીવાદાંડી બની ઉત્તમ દિશા પુરી પાડી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવા બીજમાંથી પાંગરેલી આ સંસ્થા આજે વટવૃક્ષની બની ઉભી છે. શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેઓના સુપુત્રો શ્રી હિરેનભાઈ અને ભાવેશભાઈ સુંદર સંચાલન કરી રહ્યા છે. તેઓ પોતાનો સમસ્ત સમય સંસ્થાને અર્પણ કરે છે. કુદરતના ખોળે સમય પસાર કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ અને સમજ સેવાના પાઠ ભણવા ઇચ્છતા ભાવિ સમાજસેવકોએ આ સંસ્થાની એક વાર અચૂક મુલાકાત લેવી રહી.


આ વિશ્વ ચકલી દિવસે  ઘર આંગણે એક પાણીથી ભરેલું  કૂંડું મૂકી ચકલીને ઘરની કાયમી મહેમાન  બનાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ.
સંપર્ક : ભાવેશ પ્રજાપતિ : ૭૮૭૪૧૫૧૦૮૪, શ્રીમતી ઈન્દુ એસ. પ્રજાપતિ :૯૫૭૪૭૦૬૧૧૦ 

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, March 15, 2026

SUNDAY SPECIAL

 Part-2

As soon as she read the nameplate at the entrance of her house, the wall of emotion Prashastiji had built finally gave way.

ગુજરાતીમાં વાંચવા અહીં કલોક કરો

Aravalli District Collector Prasasti Pareek’s father mortgaged their home to fund the education of her and her three sisters. To fulfill his daughters' dreams, this visionary father viewed this bold step not as an expense, but as a worthy investment of capital—even when society dismissed his wisdom as madness.

    Pr Usually, as soon as a daughter reaches a certain age, parents are in a rush to see her married off. However, this family granted their daughter complete freedom. They gave her the perspective to view every situation with positivity; they broke the shackles of tradition and gave her the wings to soar high in the sky.oviding such an open field for daughters to realize their dreams may seem simple or common when reading or hearing about it, but the reality is far from it.

    The family had made it clear: there would be no talk of marriage until her goals were achieved. To remain steadfast in this decision while living within a narrow-minded society was truly a revolutionary step taken by the family.

    With a steadfast resolve to become an IAS officer, Prashastiji set out for Delhi. Once there, she embarked on what can only be described as a period of rigorous penance. Much like Arjuna, who saw only the eye of the bird, Prashastiji made everything secondary to passing the IAS exam. She detached herself from all family events, whether joyous or somber. To honor the sacrifice of her family—who had staked their everything to fulfill their daughters' dreams—Prashastiji put herself to the ultimate test.

    She squeezed the value out of every single minute and second; the world of books became her entire universe. Her determination was so absolute that she even set her email password as *"I WILL BE AN IAS."* Beyond the three friends she lived with, she consistently avoided speaking to any fourth person. It is exactly this kind of obsession that paves the royal road to success.

    Even today, when recalling the night before her exam, the vivid scenes of those days of struggle can be clearly seen in her eyes. Every night, she would message her father to tell him what time she needed to wake up the next morning before she went to sleep. Following those messages, her father would call early every morning to wake her, filling her heart with fresh enthusiasm through his inspiring words.

    On the night before the exam, however, her father did not receive a message. Naturally, he grew worried when the routine was broken. He called her early the next morning while he was at the temple, his voice laced with concern: "Beta, why didn't you message me before sleeping last night?"

    At that moment, a lump formed in Prashastiji’s throat and a flood of tears surged from her eyes. Sobbing, she could only manage to say, "Papa, I haven't slept today. I've been reading all night. I can't work any harder than this."

    Her father stood speechless, listening. How could it be that his daughter was unable to sleep all night due to the pressure of the exam? He explained to her with immense love: "Beta! Whatever the result may be, you are already a success to me! You have left no stone unturned in your hard work. Regardless of the outcome, you will always remain the same to me. Beta, the affection we have for you will never diminish because of a result! Even Lord Krishna said in the Gita: 'Focus only on your actions (Karma), and do not worry about the fruits (results).'"

    These heartfelt words from her father breathed new life into her mind and soul. The despair that had clung to her all night seemed to shed away in an instant. Her self-confidence soared to new heights, and her mind became as light as a feather. With a sense of peace and freedom from worry, she went on to take her exam.

    The results were announced. She had cleared the UPSC, but her posting was in the Indian Railways. Considering her family’s financial situation, she accepted the position and began her training in Lucknow. Yet, though she was now in the Railways, she never let the spark for the IAS within her heart fade away. She poured her entire being into exam preparation alongside her rigorous training. Her desire to see her face on the front page of the UPSC result became an unyielding obsession. She worked day and night with singular focus; that spark had now become a roaring fire. Now, she didn't just see the bird's eye—she saw only the pupil.

    The exams concluded, and the wait for the results began with bated breath. Would she achieve an IAS rank, or would she have to settle for the Railway service? Anxious doubts gnawed at everyone, but her confidence was extraordinary. Finally, the results were declared. On June 12, 2014, the sun seemed to rise with a special brilliance. She was in Lucknow at the time. By securing the 21st All India Rank, she made her mark across the entire nation.

    For the whole family, that day was like a golden dream come true. It is said that sometimes reality is more thrilling than imagination. Upon hearing the news of their daughter’s glittering success, her parents' joy knew no bounds; an ocean of happiness surged through the family. Tears of joy flooded everyone's eyes. The immense hardships the father had endured his entire life for his daughters' education were forgotten in an instant. He went door-to-door throughout the neighborhood, distributing boxes of sweets. With every box he gave, he proclaimed, "My daughter has become an IAS officer!" How could a father contain his emotions at such a moment? After all, Prashastiji was the first person in their entire community to crack the IAS.

    This success was a stinging slap across the faces of those who had offered the hollow advice, "What will you achieve by educating your daughters?" This victory was not merely about an exam result; it was the victory of a father's unwavering trust, having staked everything on his daughter. It was a victory of her mother’s profound faith and the warmth and support provided by her sisters during life's most fragile moments. Ultimately, it was the victory of the rigorous penance undertaken by Prashastiji herself!

    The photographs of the candidates holding the Top 50 All-India ranks are featured on the front page. Holding the 21st rank, Prashastiji’s photograph earned a majestic spot on that very page. When she first landed at the Jaipur airport after the results, she was stunned by the sight outside. A massive crowd had gathered with drums and trumpets to welcome her. She was given a grand reception, adorned with so many garlands that her face was nearly hidden, while flower petals showered down from all directions. The atmosphere echoed with chants of victory.    

    She reached home while acknowledging the greetings of hundreds of people along the way. In her neighborhood, the atmosphere was as festive as Diwali. Amidst this surge of joy, her eyes froze on the nameplate at the entrance of her house. As she read it, the dam of emotions in her heart finally broke. Seeing his daughter so overwhelmed, her father too could not restrain his tears. Father and daughter embraced each other tightly and wept to their heart's content for a long time. It felt as if time had stood still. These were tears of pure joy.

    On the nameplate outside the house, above his own name, her father had proudly engraved: 'Prashasti Pareek (IAS).'

TO READ PART 1 CLICK HERE

To Read part 3 pl. Click here

An aricle by : Ishwar Prajapati
Engalish version : Pallavi Gupta.

Mo. : 9825142620