name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, December 14, 2025

સન્ડે સ્પેશિયલ

સાહસ, સંઘર્ષ અને શાલીનતાના ત્રિભેટે પાંગરેલું મઘમઘતું વ્યક્તિત્ત્વ એટલે નટુભા જાડેજા બાપુ.
 

કહેવાય છે કે સો પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, એ જ્ઞાન કોઈ અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં રચાયેલા સંવાદથી સહજ પ્રાપ્ત થતું હોય છે. જીવનમાં આવતી તડકી- છાંયડી, ચડતી-પડતી જેવા પ્રગાઢ અનુભવોથી ઘડાયેલી - કસાયેલી  વ્યક્તિ ખરા અર્થમાં તો એક હરતું ફરતું વિશ્વવિદ્યાલય છે. આવી કોઈ વ્યક્તિની નિશ્રામાં જીવનના જે પાઠ શીખવા મળે, એ દુનિયાની કોઈ યુનીવર્સીટીમાં શીખવા નથી મળતા.  અનુભવના એરણે ચડાવી જીવનને જમણે શણગાર્યું છે, સફળતા જેમણે પચાવી જાણી છે, એક ખોબા જેવડા ગામમાંથી નીકળી જેમણે  સંતાનોને શિક્ષણ અને સંસ્કારોનો અમૂલો વારસો આપી પ્રતિષ્ઠાના શિખરે પહોંચાડ્યા છે. એવા એક વિરલ અને મુઠ્ઠી ઊંચેરા માનવીની વાત આજ માંડવી છે.

તેમનું નામ છે નટુભા જાડેજા બાપુ.

સદીઓ જૂની ગુલામીની ઝંઝીરો તોડી, આઝાદ થયેલો ભારત દેશ આળસ મરડી બેઠો થઇ રહ્યો હતો. અખંડ ભારતના નિર્માણ કાજે સરદાર પટેલના એક વચન પર રાજવીઓએ પોતાનાં રાજપાટ દેશને શરણે ધરી દીધાં હતાં.એવા સમયે જામનગર જીલ્લાના છેવાડાના નાના  અમથા જાંબીડા ગામમાં ૬ ઓગષ્ટ ૧૯૫૦ના રોજ પિતા માધવસિંહ બાપુ અને માતા બાઈરાજ બાના ખોરડે નટુભાનો જન્મ થયો.  

 નટુભા બાપુના પિતા માધવસિંહ બાપુ ખુબ ઓછું ભણેલા પરંતુ કોઠાસૂઝ ગજબની. તેઓ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા. કરમની કઠણાઈ કહો કે વિધાતાના લેખ કહો, માધવસિંહ બાપુએ બાલ્યવસ્થાએ જ પિતાની છત્રછાયા ગુમાવી. બીજાં કોઈ ભાઈ ભાંડું હતાં નહિ, તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. કહેવાય છે કે તોફાની દરિયો જ કુશળ ખલાશીનું નિર્માણ કરે છે. બસ, એ જ ન્યાયે જીવનની વિપરીત પરિસ્થિતિની વચ્ચે માધવસિંહ બાપુના જાજરમાન વ્યક્તિત્ત્વનું ઘડતર થયું.   ઉચ્ચ આધ્યાત્મિકતાનો વારસો તેમના લોહીમાં વણાયેલો હતો. એક સિદ્ધ તપસ્વી સન્યાસીને છાજે તેવી તેમની જીવન પ્રણાલી હતી.  સંયમિત જીવન અને કડક અનુશાસનના નિયમો તેમને અપનાવ્યા હતા. નિયમિત શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પઠન કરતા. એકદશી નિર્જળા કરતા. જીવ માત્ર પ્રત્યે કરુણાની ધારા તેમના હૃદયમાં અવિરત વહ્યા કરતી. ખેતરમાં તૈયાર થયેલા પાકમાં જો ભૂલથી ગાયોનું ધણ ઘુસી જાય અને ચરવા લાગે તો એને હાંકવાને બદલે નિરાંતે ચરવા દેતા. એટલું જ નહિ પાક ઉપર રસાયણિક દવાઓનો છંટકાવ કરવાનું પણ ટાળતા. સુક્ષ્મ જીવ હત્યા પણ તેમના મન પાપ હતું. નટુભા બાપુનાં માતા બાઈરાજ બા પણ તપસ્વી સન્નારી હતાં. બાઈરાજ બા પરણીને સાસરે આવ્યાં ત્યારે સાસરીમાં ન મળે દેરાણી – જેઠાણી કે ન મળે નણંદ ! ખુબ ઓછી ઉંમરે આખું ઘર સાચવવાની જવાબદારી સ્વીકારી લીધી. આજની પેઢી કદાચ માનવા પણ તૈયાર ન થાય કે બાઈરાજ બા એક વાર સાસરે આવ્યા પછી ઘર-પરિવાર કેળવવામાં એવાં તો ગૂંથાઈ ગયાં કે ૨૦ વર્ષ સુધી પિયરની વાટ સામે નજર સુધ્ધાં કરી નહિ. ૨૦ વર્ષ પછી તેમના પિયર ગયેલાં.

માધવસિંહ બાપુ ખુબ મોટા જમીનદાર. આખા મલકમાં તેમની નામના હતી. તેમના ખોરડે સાત દીકરાઓ અવતર્યા. માધવસિંહ બાપુ દુરંદેશી દૃષ્ટિ ધરાવતા અને જીવનમાં શિક્ષણનું મુલ્ય પણ સુપેરે સમજતા. એટલે મોટા જમીનદાર હોવા છતાં દીકરાઓને ખેતીમાં વાળવાને બદલે ઉત્તમ શિક્ષણ આપવાનું મુનાસીબ માન્યું. આજથી સિત્તેરેક વર્ષ પહેલાં જાંબીડા ગામ એટલે  એક નાનું સરખું ફળિયું જ જોઈલો. માંડ સો - સવા સો માણસોની વસ્તી. એટલે શાળાની સુવિધા તો ક્યાંથી હોય. એક શિક્ષક ફળીએ આવે અને બાળકોને ચોરામાં  બેસાડી કલમ ખડિયો ઘૂંટાવે. નટુભા બાપુ પણ ગામના ચોરે પાટી પેન લઈ કલમ ખડિયો ઘૂંટ્યો ! ધોરણ પહેલાથી ચોથું ગામના  ચોરામાં જ લીધું.  આગળ પાંચમાનો અભ્યાસ માટે  પાંચ કિલોમીટર દૂર હડમતિયા  જંકશન ચાલીને જવું પડતું. નટુભા બાપુએ ધોરણ સાત સુધીનો અભ્યાસ હડમતિયા જંકશનની શાળામાં લીધું.

એ સમયે ભણતર પ્રત્યેની આજના સમય જેટલી જાગૃતિ પણ નહિ, એમ છતાં માધવસિંહ બાપુની સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની તાલાવેલી જોઈ લોકો કહેતા પણ ખરા. “બાપુ છોકરા ભણાવીને શો ફાયદો? આટલી લાંબી પહોળી જમીન છે. દીકરાઓને ખેતી કામમાં જોતરી દો તો બે પૈસા રળતા થઈ જાય.” લોકોની આ વાતોથી માધવસિંહ બાપુને કાંઈ ફેર પડતો નહિ. ખેતીમાં પહોંચી ન વળાય તો જમીન પડતર રહેતી. પણ દીકરાઓને ખેતી કામમાં ક્યારેય જોતર્યા નહિ.

નટુભા બાપુએ ધોરણ સાત સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળના અભ્યાસ માટે ધ્રોલમાં આવેલ રાજપૂત બોર્ડીંગમાં પ્રવેશ લીધો. બોર્ડીંગમાં રહી અભ્યાસ આગળ ધપાવ્યો. નટુભા બાપુની સાથે સાથે તેમના બીજા છ ભાઈઓનો અભ્યાસ પણ ચાલુ જ હતો. ધ્રોલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજ શિક્ષણ માટે જામનગર ગયા. આર્ટસ સાથે બી.એ. થયા. બે વર્ષ એલ.એલ.બી. કરી વકીલાત ભણ્યા. પણ એ જ અરસામાં નોકરી મળી જતાં વકીલાતની સણદ લીધી નહિ. વર્ષ ૧૯૭૨ માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ચાર મહિના શિક્ષક તરીકે સેવાઓ આપી. છેવટે ક્લાર્કની સરકારી નોકરીમાં સ્વીકારી લીધી. નટુભા બાપુએ નોકરીમાં ઉચ્ચ માપદંડ નક્કી કર્યા હતા. જ્યાં પણ કામ કરીએ ત્યાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી સેવાઓ આપવી એ નટુભા બાપુએ  જીવનમંત્ર બનાવ્યો હતો. વર્ષ ૧૯૭૪ માં લગ્નગ્રંથી જોડાયા. અને વર્ષ ૧૯૭૫ માં નટુભા બાપુના ખોરડે પુત્રનો જન્મ થયો.

નદીના શાંત પ્રવાહની જેમ જીવન વહી રહ્યું હતું. પરંતુ નદીની પણ નિયતિ છે કે તે ક્યારેય સીધી રેખામાં ગતિ નથી કરતી. નદી કેટલીક જગ્યાએ શાંત તો કેટલીક જગ્યાએ ઉછળતી કુદતી,  કેટ કેટલાય અંધાર્યા વળાંકો લેતી, માર્ગમાં આવતા ચટ્ટાનો સાથે અથડાતી પછડાતી આગળ ધપે જાય છે. પણ ક્યાંય અટકતી નથી. નટુભા બાપુનો  જીવનપથ પણ આવો જ એક અણધાર્યો વળાંક પ્રતીક્ષા કરી રહ્યો હતો.

૧૮ ડિસેમ્બર ૧૯૭૯ એ દિવસ હતો.  નટુભા બાપુ  છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. એ જ સમયે માર્ગમાં ગમખ્વાર અકસ્માત સરજાયો. મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાઈ ગયો. છકડામાં સવાર મુસાફરો ગંભીર રીતે ગવાયા. એમાં નટુભા બાપુ ખુબ ગંભીર ઈજાઓ થઇ.  ઈજાઓ એટલી ગંભીર હતી કે જાણે મોત હાથ તાળી આપી પાછું ચાલી ગયું ! માતાપિતાના પુણ્યપ્રતાપે અને કુળદેવીની કૃપાથી તેઓ બચી તો ગયા. પરંતુ બંને પગમાં ભયંકર ફ્રેકચર હતાં. તેમના શરીર પર જુદાં જુદાં નવ જેટલાં જટિલ ઓપરેશન થયાં. શારીરિક પીડા પારાવાર હતી. પણ મન મેરુ જેવું મક્કમ હતું. અઢી વર્ષ જેટલા લાંબા સમય સુધી તેઓ સંપૂર્ણ પથારીવશ રહ્યા. પરિવાર માટે આ સમયગાળો ઘણો કપરો હતો. સદનસીબે સાત ભાઈઓ વચ્ચેનો સંપ ગજબનો હતો. બધા  સંયુક્ત પરિવારમાં જ  રહેતા હતા એટલે જીવન નિર્વાહ કે સેવા સુશ્રુસાની ચિંતા નહીવત હતી. જીવનની ખુબ મોટી ઘાત આવીને ચાલી ગઈ.

નટુભા બાપુએ  અકસ્માત પહેલાં PSI ની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. પરંતુ અકસ્માતને કારણે PSI ની નોકરીમાં જોડાઈ શક્યા નહી. અઢી વર્ષ કપાત પગારી રજાઓ ભોગવી ફરી  વર્ષ ૧૯૮૨માં  નોંકરી શરૂ કરી. વર્ષ ૧૯૮૮ માં સીનીયર ક્લાર્કનું પ્રમોશન મળ્યું. પણ જીવનમાં હજી આગળ વધવાની તાલાવેલી જીવંત હતી. નોકરીની સાથે સાથે ખાતાકીય GPSC ની તૈયારી કરી  પરીક્ષા આપી. તેમાં ઉતીર્ણ થયા. અને સેલટેક્ષ ઇન્સ્પેક્ટર બન્યા. સેલટેક્ષ ઇન્સ્પેક્ટર તરીકે મોટાભાગની સેવાઓ વેરાવળ અને જામનગરમાં આપી. અકસ્માત પછી ચાલવામાં ખૂબ મુશ્કેલી અનુભવતી. એમ છતાં નોકરી નિષ્ઠા પૂર્વક અને ખુમારીથી કરી.

નટુભા બાપુનાં માતૃ શ્રી ૧૯૯૦ માં અંતિમ શ્વાસ લીધા. જયારે તેમના પિતા શ્રી વર્ષ ૨૦૦૭ માં  અંનત યાત્રાએ ચાલી નીકળ્યા. પરંતુ શિક્ષણ અને સંસ્કારનો વારસો નટુભા બાપુએ અકબંધ સાચવી રાખ્યો છે.

નટુભા બાપુને કુલ ચાર સંતાનો. પિતાના પગલે પોતે પણ શિક્ષણનું મુલ્ય સુપેરે સમજતા. નટુભા બાપુએ  સંતાનોને શ્રેષ્ઠત્તમ શિક્ષણની સાથે સાથે પઢી દર પેઢીથી ચાલ્યો આવતો સંસ્કારિતાનો અણમોલ વારસો આપ્યો. તેમના સૌથી મોટા પુત્ર કે જેમણે સમગ્ર ગુજરાત એક હોનહાર IPS ઓફિસર તરીકે જાણે છે, તેમના નામ માત્રથી ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે, રાજકોટ અને ગીર સોમનાથમાં તેમણે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને અસામાજિક તત્ત્વોને કડક સંદેશો આપનાર  મનોહરસિંહ જાડેજા હાલ અરવલ્લી જીલ્લમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજનિષ્ઠ છે. બીજા દીકરા IT એન્જીનીયર છે. અને હાલ બેંગલોરમાં કાર્યરત છે. જયારે ત્રીજા દીકરા કતારમાં એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીમાં   એન્જીનીયર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અને દીકરી જામનગરમાં સ્થાઈ થયાં છે.   

નટુભા બાપુના સાત ભાઈઓની જોડી આજે પણ અખંડ છે. બધા ભાઈઓ ક્લાસ વન – ટૂ જેવા ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થઈ સામાજિક સેવા કાર્યોમાં પ્રવૃત્ત છે.  અને સાતેય ભાઈઓ વચ્ચેનો મન મેળ આજના સમાજમાં એક મિશાલરૂપ છે. ભલે બધા ભાઈઓ નોકરી ધંધાર્થે ભલે વતન છોડી બહાર સ્થાઈ થયા હોય, પરંતુ દિવાળી ટાણે અને ઘરના અવસર પ્રસંગે સાત ભાઈઓનો  પરિવાર સાથે વતન જાંબીડામાં  અચૂક આવે. અને આજના સમયમાં માન્યામાં ન આવે એવી વાત એ છે કે, પરિવારમાં બધા ઉચ્ચ હોદ્દાઓ ફરજ અદા કરતા હોવા છતાં, જયારે બધાં વતનમાં આવે ત્યારે સાતેય ભાઈઓનો પરિવાર એક જ રસોડે જમે છે. એક પરિવારના ૫૦ – ૫૫ જણ એક પાથરણે બેસી સાથે ભોજન જમે એ ગ્રામ્ય પરિવેશનું દૃશ્ય કેટલું મનોહર લાગતું હશે !  એક જ  આજના સમયમાં લોકો ઉચ્ચ શિક્ષણ તો મેળવી લે છે પણ વ્યક્તિમાં સંસ્કારિતાની ગેરહાજરી મનને કઠે છે. જયારે માધવસિંહ જાડેજા બાપુના પરિવારમાં શિક્ષણની સાથે સંસ્કાર સોનામાં સુગંધ ભળે એમ ભળી ગયા છે.

નટુભા જાડેજા બાપુને તેમના પરિવાર વિષે વાત કરીએ છીએ ત્યારે તેઓ ખુબ વિનમ્રતા પૂર્વક કહે છે કે “ અમારા માતા પિતાએ કરેલી પુણ્ય કર્મોની વાવણીનાં ફળ આજે અમે લણી રહ્યા છીએ. માતા પિતાના પુણ્ય પ્રતાપ અને અને કુળદેવીની કૃપા વગર કશું શક્ય નથી.” માતા પિતાને યાદ કરતાં જ નટુભા જાડેજા બાપુની ચમકદાર આંખોના ખૂણામાં ઉતરી આવતો ભેજ નરી આંખે જોઈ શકાય છે. અને એ ભેજમાં આપણું હ્રુદય પણ ભીંજાયા વિના રહેતું નથી.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620

Monday, December 8, 2025

Condolences

 Condolences

Tribute to Sage Indumati Sanghavi
(Compiled by Ishvar Prajapati 
English version by Pallavi Gupta)


સુશ્રી ઈન્દુમતીબેન નગીનદાસ સંઘવી 

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: |

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ||

"Weapons cannot cut It (the soul), nor can fire burn It; water cannot wet It, nor can the wind dry It."

-------------------------------------------------------------------

                                                         
        "Indumatiben Sanghavi was a great philanthropist. I did not know her personally as I had met her only once when she was sick. She gave a lot to Shri K K SHAH SABARKANTHA AROGYA MANDAL as a donation. The hospital benefitted a lot of poor people. I believe charity to the poor is truly serving the ALMIGHTY. May her soul rest in peace and the HEAVENS shower their choicest Blessings to this pious soul."

Prakash K. Shah
CPA USA

----------------------------------------------------------------

        "With the passing of Indumatiben, a social worker, a respected lady of Saurashtra, and a worthy daughter of Amreli, the society, and especially the Vatrak Hospital, has suffered an irreplaceable loss. Her invaluable contribution, spirit of service, and humanitarian work for the society will always be remembered. Her connection with Vatrak Hospital, in particular, was very distinctive and unique. She was always eager and ready to ensure the development of Vatrak Hospital and that patients received the best facilities. The construction of the spacious, modern, and well-equipped assembly hall built on the Vatrak Hospital campus is a direct result of the substantial donation given by Induben. She strived day and night to wipe the tears of thousands of poor and needy people, not only in the Vatrak area but across the entire Sabarkantha region. No one who sought her help ever returned empty-handed. The simplicity of her nature, the compassion flowing from her heart, and her spirit of service brought fundamental transformation to the lives of countless people. Indumatiben's dedication to service and benevolence will always remain an inspiration to all.
We pray from the bottom of our hearts that God grants eternal peace to the departed soul."

- Sujata Shah
Chairman
Vatrak Hospital

-----------------------------------------------

Monday Special

Indumati Sanghavi: A Saga of compassion 

(A memoir by Ishvar Prajapati 
English version by Pallavi Gupta)





Roots of Generosity: Family and Foundation
   This is a true story from about twenty years ago, set in the very remote and rough area of Sabarkantha. A wealthy woman, Indumati Sanghavi, who was born in a rich family in cities like Madras and Mumbai, chose to go to a place most people had forgotten.
      She traveled with the Collector at the time, Sir B. H. Ghodsara , into the extremely neglected villages of Poshina and Meghraj. In this ancient land, where there weren't even paved roads, they walked up old paths, climbing one desolate hill after another to find the people living in simple, grass-woven huts.

     What she saw was shocking: not a single permanent house. Only humble shelters made of mud and sticks were clinging to the high slopes. The people looked utterly exhausted by their endless hard work. They were incredibly thin and frail. They couldn't even afford two small meals a day, and the children were often shivering without enough clothes. In this wilderness, getting sick meant a fast, harsh death. Life was an expensive, desperate fight, and dying was the only cheap thing.

    This raw picture of human suffering hit her deeply. She wept with empathy and her heart was profoundly moved. In that moment of deep sadness and clarity, she made a solemn promise to herself: to dedicate everything she had to serve the 'Daridranarayan'—which means God in the form of the poor—in these forgotten valleys.
  From that day on, her generosity knew no bounds. She became a force for change, donating millions to build up the essential areas of Education, Health, and Environmental protection. Her incredible actions changed the lives of thousands of people, making her a wonderful harbinger of new life. She was simply living up to the legacy of compassion she was born into.

     The noble woman from Saurashtra, who used her vast wealth to light a bright lamp of hope for the poor and the neglected, was the legendary Indumati Sanghavi. She dedicated her entire, brilliant life to the pure, selfless work of Philanthropy and helping everyone.
     Indumati was born on April 25, 1933, in Madras (now Chennai). While born there, her family roots are firmly linked to Amreli. Her father, Nagindas Devshi Sanghavi, was a respected figure in the Amreli region known for his generosity and philanthropic activities, often referred to by the epithet BhamaSha. Her mother, Jayalakshmi, was known for her kind and gentle nature.
     Nagindas was a highly capable businessman whose commercial activities extended across multiple states. His enterprise went beyond Gujarat, reaching West Bengal and Madras, where he eventually settled for business purposes. He specialized in the land acquisition and trading business. His success in this field was remarkable, leading him to accumulate considerable wealth. Importantly, he was also a generous philanthropist, using his fortune to support noble and benevolent causes and providing substantial donations to various public institutions.

The family 
     Nagindas and Jayalakshmi had four children in total. Indumati was the eldest, followed by her two younger sisters, Hansa and Prafulla, and a brother. Indumati was born and spent her childhood in Madras, though the family maintained regular visits to their native place, Amreli. 
   Nagindas's brother, Lakshmidas Sanghavi, had settled in Mumbai for his business career. He served as the manager of the influential 'Natwarlal Shamaldas & Company', a large entity in the coal trade. The company held significant contracts for supplying coal to power stations and railways. Lakshmidas, too, achieved success and wealth in Mumbai. Despite his success, he lived a simple and thrifty life, dedicating his resources primarily to social service. Lakshmidas remained unmarried. For her higher education, Indumati moved from Madras to Mumbai to live with her uncle. Under her uncle's guidance, she not only pursued her academic studies but also acquired valuable life experience and wisdom that would be instrumental in her future.
    Upon the completion of her collegiate studies, Indumati immediately took up her vocation in a high school situated in Mumbai. There, she not only imparted academic knowledge but also meticulously schooled her pupils in the principles of discipline and the essential precepts of life-crafting. With the passage of time, her dedication elevated her to the revered post of Principal. She was an unyielding sentinel of strict order; a single, minor lapse tolerated by her would render her unrecognisable—she would cease to be Indumati! So formidable was her reputation that even the most powerful and influential figures paused for long contemplation before daring to seek an audience with her for any petition or representation. It was difficult for even the best of people to withstand the ring of truth in her speech and her piercing gaze. It was not her nature to submit to anyone. She would state the truth directly, without holding back for anyone.
      Both of her sisters, Hansa and Prafulla, settled in America and her brother passed away at a young age. She found it appropriate to dedicate her life to the service of the needy, the poor, and the marginalized, remaining free rather than getting tied down in the worldly illusion, and perhaps that is why she remained unmarried her entire life.
     Indumati remained the sole heir to all the inheritance of her father Nagindas and uncle Lakshmidas. By the grace of God, she received immense wealth. Despite this, she resolved to live a simple, frugal life and spend all her wealth on public welfare, such as education, health, and the environment. She established trusts like 'Shri Jayalakshmi Nagindas Smriti Trust' in her mother's name and 'Matrushri Monghiba Charity Fund' in her grandmother's name, generously donating for the construction of everything from kindergartens to colleges. By giving a substantial donation for women's higher education in Amreli, she made the 'Matrushri Monghiba Women's Arts College' a bustling institution. She also contributed generously for a cowshed in Thava village of Vansda taluka.
    Indumati’s parents had passed away long ago. Now, with the demise of her uncle, Lakshmidasji, in 2004, she became completely alone. She underwent several surgeries and was living on a single kidney. At one point, she also suffered a paralytic attack. Despite immense physical challenges, she continued to struggle with the support of her strong mental resolve. Even in this fragile state of health, she never allowed her spirit of service to diminish, demonstrating unwavering courage. On the contrary, she firmly resolved to do something for the forest-dwelling communities in the remote areas and took determined steps in that direction. It was around this time that she came into contact with the then Collector of Sabarkantha, Mr. B. H. Ghodsara. Mr. Ghodsara subsequently guided her to the regions of Poshina and Meghraj.
      After walking through and traversing the villages of the Poshina and Meghraj areas, the pathetic sight of human beings struggling in poverty brought tears to her eyes. She became determined to establish primary facilities for education and health in this tribal area. Following this, she addressed the educational concerns of tribal girls in Kasana village of Meghraj taluka by providing a large donation to build a dormitory for the Shabri Kanya Vidyalaya.
      It was during this period that she met Deepakbhai Ramdevputram, a dedicated serviceman who was then working as a Deputy Engineer in the Gujarat Electricity Board. Since then, Indumati's generous philanthropy has resulted in a vast amount of work in the remote villages of Sabarkantha and Aravalli districts. She repaired many dilapidated schools and constructed new classrooms for many schools that lacked them. Thinking of the bright future of children in these remote areas, she donated computers to numerous schools and established science labs in others. If one were to sit down to list all the donations made by her, it could easily fill a substantial book.
     Along with education, her substantial financial contribution to the health sector has breathed new life into the public hospitals of the Aravalli region. Several hospitals that were on the verge of collapse have been revived and are currently thriving due to her charity. Modasa Sarvajanik Hospital was once known by the name of Dr. Dave. Indumati had made a very large donation for the construction of the Cancer Ward at the Modasa Sarvajanik Hospital during that time.

The Legacy of Vatrak and the Final Offering
   News of Indumati's unparalleled generosity traveled far, drawing appeals from countless service organizations. Among these arrived a plea from the Fatesinh Rao Gaekwad Hospital at Vatrak, overseen by the Shri K. K. Shah Arogya Mandal.
   Indumati, however, was no mere casual donor. It was never in her character to release funds simply upon reading a letter. Her method was one of meticulous validation: she investigated every claim, scrutinizing the institution until conviction settled in her heart. Once convinced, she did not just donate—she became a benefactress who transformed the organization.
    The moment she arrived at Vatrak Hospital, the grandeur of its spacious campus immediately claimed her affection. Though the facilities of the time were modest, a profound, spiritual kinship formed, a sacred thread that remained unbroken for decades. When the hospital found itself on the brink, struggling on its deathbed, Indumati cast open her treasury, pouring in the necessary funds for its resurrection. Vatrak was not a project; it was kin to her spirit. She delighted in dwelling there, and the management, recognizing her stature, maintained private chambers for her stays. 
    Her continuous flow of aid revitalized the entire institution, funding wards, an Assembly Hall, and a crucial Nursing College. Her monumental financial contributions to Vatrak alone ascended to approximately two and a half crore rupees.

The Final, Lightened Soul
       Indumati's ultimate ambition was to make herself light as a feather, having poured her entire being into the service of humanity. She proceeded to liquidate her remaining material assets—her house, her land—and spent every last coin on her charitable mission. Even her magnificent, seventeen-room Amreli mansion was given to a deserving service body for merely a token sum.
Where she would hesitate a hundred thousand times before spending a single rupee on her own comfort, she would release one crore rupees for a deserving educational body or hospital without a moment's hesitation.
    Despite this breathtaking, endless outpouring of wealth, vanity found no purchase in her soul. Indumati, the great patron and fierce leader, ensured her feet remained firmly rooted to the Earth. 
     At the venerable age of ninety-three, when the body became a vessel of frailty, the call of Vatrak—her heart's true sanctuary—grew insistent. Leaving Amreli behind, she arrived at the Hospital, instantly feeling the profound solace of homecoming.
   She was attended day and night by Kuttiben from Kerala, a devoted soul whose care transcended duty, offering the tender service a daughter reserves for her own mother. The entire Hospital staff, regarding her as one of their own cherished kin, joined in this affectionate vigil. Despite the encroaching physical weakness, a deep, radiant self-satisfaction illuminated her countenance. Perhaps a sense of the final transition had already settled upon her. In the last moments, when Virambhai, the Secretary of Vatrak Hospital, came to her side, she gripped his hand and held him close.
    The final curtain fell on November 18, 2025. She drew her ultimate breath at Vatrak, finally merging into the Divine grace. Having consecrated her life to service, the Vatrak Hospital staff had become her true family. It was by their hands that her mortal remains were carried and given to the flames upon the sacred banks of the Vatrak River.
    Across the continents, Prakash Shah in America, son of the late Shri K. K. Shah, received the news of her passing with deep sorrow, for his bond with Indumati was one of familial intimacy. To honor her pious soul, he undertook the solemn duty of arranging the Tarpan ritual at the hallowed ground of Siddhpur.
    In an act of enduring respect, Deepak Ramdev Putram, Viram Bharwad, and Pankaj Patel, along with their dedicated team, journeyed to Siddhpur to perform the scriptural rites, offering the final respects to the great benefactress. The Chairperson of the Hospital, Sujata, led the community in a heartfelt tribute during a great condolence meeting held on the very grounds she had saved, as deeply emotional messages poured in from across the entire state of Gujarat.

 The Enduring Legacy
    Before her final ascent, the saintly soul, Indumati, had meticulously prepared her will. She orchestrated that her entire estate and vast fortune should be channeled into the sacred causes of Education, Health, and the Service of the Needy. This weighty mantle of responsibility she gracefully placed upon the shoulders of the esteemed Shri P. K. Laheri—President of Vatrak Hospital and former Chief Secretary of Gujarat State.

     Hers was a life so rare, so pristine, that it befitted a Rishi Kanya—a sage's daughter. Though she is no longer physically present among us, the fragrance of her noble deeds shall continue to permeate society for years and ages to come.
How unfathomable are the threads of destiny! From Amreli to Madras, from the bustle of Mumbai to the tranquil banks of the Vatrak in Aravalli—who can chart the journey Fate prescribes? Truly, the divine play is inscrutable.
Our only prayer remains: 
    May God grant eternal peace to the divine soul of the great saga-Indumati!

(Information support gratefully acknowledged from: Deepak Ramdevputram, Kishor Mehta, Viram Bharwad)
Contact : 9825142620
For Translation Contact : 9428932943 

Sunday, December 7, 2025

શ્રદ્ધાંજલિ

  

Tribute to Indumatiben Sanghavi



સુશ્રી ઈન્દુમતીબેન નગીનદાસ સંઘવી 

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: |

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: ||

સન્ડે સ્પેશિયલ

દુઃખીયારાંનાં બેલી  અને વંચિતોનાં વાણોતર  ઈન્દુમતીબેન સંઘવી 

To read this an article in English Pl click here

આશરે બે અઢી દાયકા પહેલાંની વાત છે. સાબરકાંઠાના તત્કાલીન કલેકટર બી. એચ. ઘોડાસરા સાહેબ સાથે સોરઠનાં એક સન્નારી સાબરકાંઠાના અંતરિયાળ અને અતિ પછાત એવા પોશીના અને મેઘરજ વિસ્તારનાં ગામડાં ખૂંદી રહ્યાં હતાં. એ સમયે પાકા રસ્તા તો ક્યાંથી હોય પગવાટ પર ચાલીને એક ટેકરીથી બીજી ટેકરી પર આવેલી ઝુપડીએ ઝુપડીએ જઈ ત્યાં વસતા લોકોના જીવનમાં નજીકથી ડોકિયું કરવાનો પ્રયાસ કરતાં. દૂર દૂર સુધી ક્યાંય પાકું મકાન જોવા ન મળે.. જ્યાં નજર કરીએ ત્યાં ઉંચે ટેકરીઓ પર ઘાસની આડ કરીને બનાવેલી ઝુંપડીઓ, મદ્રાસ – મુંબઈમાં દોમ દોમ સાહેબીમાં ઉછરેલાં સોરઠનાં એ સન્નારી અહીંનાં લોકોને અચરજ ભરી નજરે જોતાં જ રહ્યાં ! મજૂરી કરી કરી આખી જાત ઓગળી દીધી હોય અને બચ્યું હોય માત્ર હાડપીંજર..! બે ટંક પેટ ભરાય એટલું ધાન પણ નસીબ નહી. નાનાં બચ્ચાંને ડીલ ઢાંકવા વસ્ત્ર પણ  મળે નહિ..!  જો માણસ કોઈ બીમાર પડે તો કણસીને મરે જ છૂટકો ! અહિ શાની દવા અને શાના ડોક્ટર ? શહેરમાં જઈ સારવાર કરાવવી એના કરતાં મોત જ વ્હાલું લાગે ! સાચે જ  અહીં જીવન મોંઘુ ‘ને મોત સસ્તું હતું.

સોરઠનાં એ સન્નારી વાસ્તાવિત ચિત્ર જોઈ હચમચી ઉઠ્યાં.  દારુણ ગરીબીમાં રીબાતા માનવજીવનને જોઈ આંખે આંસુનું પૂર ઉમટ્યું. હૈયું વલોવાયું. અને એ જ ઘડીએ મનમાં ગાંઠ વાળી કે બસ, હવે આવા અંતરિયાળ વિસ્તારના દરિદ્રનારાયણ માટે બનતું બધું જ કરી છૂટવું. તે ઘડી ‘ને આજનો દિવસ ! તેમણે અંતરિયાળ વિસ્તારના લોકોના શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ માટે દાનનો રીતસરનો ધોધ વહાવ્યો ! જેના પરિણામે હજારો – લાખો લોકોના જીવનમાં પરિવર્તનનાં તેઓ પ્રહરી બની રહ્યાં. તેમણે દાતારીનો વારસો તો ગળથૂથી મળ્યો હતો.

શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણના જતન માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી વહાવી હજારો જરૂરીયાતમંદ અને ગરીબ લોકોના જીવનમાં આશાનો દીપક પ્રગટાવનાર સોરઠનાં એ સન્નારી હતાં ઈન્દુમતીબહેન સંઘવી ! તેમણે પોતાનું સમગ્ર જીવન માત્રને માત્ર પરોપકાર અને લોકકલ્યાણ માટે ખર્ચી નાખ્યું.

સુશ્રી ઈન્દુમતીબેનનો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૩૩ના રોજ મદ્રાસમાં થયો, પરંતુ તેમનાં મૂળ તો અમરેલી સાથે જોડાયેલાં. તેમના પિતા નગીનદાસ દેવશીભાઈ સંઘવી કે જેમની અમરેલી પંથકમાં એક  પ્રતિષ્ઠિત વ્યક્તિ અને દાનવીર ભામાશા તારેકેની નામના હતી. તેમનાં માતાનું નામ જયાલક્ષ્મીબેન  ! તેઓ ખુબ માયાળુ સ્વભાવનાં ! નગીનદાસ એક બાહોશ વેપારી હતા. એ જમાનામાં તેમનો કારોબાર  ગુજરાત રાજ્યના સીમાડા ઓળંગી પશ્ચિમ બંગાળ અને મદ્રાસ સુધી વિસ્તાર્યો હતો. ધંધાર્થે તેઓ મદ્રાસ સ્થાઈ થયા હતા. જમીન લે – વેચના ધંધામાં તેમને સારી એવી હથોટી હતી. જે જમીન પર તેઓ હાથ મુકતા તે સોનાની બની જતી. પરિણામે અઢળક સંપત્તિ કમાયા હતા. તેઓ ધન કમાઈ જાણતા તો કમાયેલા ધનને  સદમાર્ગે ઉદાર હાથે સખાવત પણ કરી જાણતા. જાહેર સંસ્થાઓમાં માતબર દાન કરતા રહેતા.

નગીનદાસ અને જયાલક્ષ્મીબેનને કુલ ચાર સંતાનો. એમાં ઈન્દુમતી બેન સૌથી મોટાં ! બીજી બે બહેનો હંસાબેન અને પ્રફુલાબેન અને એક ભાઈ ! ઇન્દુમતિબેનનો જન્મ મદ્રાસમાં થયો અને બાળપણ માતા પિતા સાથે મદ્રાસમાં જ પસાર થયું. સમયાંતરે માદરે વતન અમરેલી પણ આવતાં જતાં રહેતાં.

નગીનદાસના એક ભાઈ લક્ષ્મીદાસ સંઘવી ધંધાર્થે મુંબઈ સ્થાઈ થયા હતા. તેઓ તે સમયની અત્યંત જાણીતી ‘નટવરલાલ શામળદાસ એન્ડ કંપની’ના મેનેજર હતા. કોલસાનો ખુબ મોટો કારોબાર કંપનીએ જમાવ્યો હતો. પાવર સ્ટેશન અને રેલ્વેમાં કોલોસો પૂરો પાડવાનો મુખ્ય કોન્ટ્રાક્ટ આ કંપની પાસે હતો. લક્ષ્મીદાસ પણ મુંબઈમાં નામ અને દામ ખુબ કમાયા હતા. તેઓ પોતે ભલે કરકસરયુક્ત સાદગી ભર્યું  જીવન જીવે, પણ સમાજ સેવા માટે પોતાનો ખજાનો હંમેશા ખુલ્લો રાખતા. લક્ષ્મીદાસ અપરણિત હતા. ઈન્દુમતીબેન અભ્યાસ માટે મદ્રાસ છોડી કાકા પાસે રહેવા આવી ગયાં. મુંબઈમાં કાકા સાથે રહી ભણ્યાં અને સાથે સાથે ગણ્યાં પણ ખરાં !

ઈન્દુમતીબેન કોલેજ શિક્ષણ પૂર્ણ કરી મુંબઈમાં જ એક હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. વિદ્યાર્થીઓને શિસ્ત અને જીવન ઘડતરના પાઠ શીખવ્યા. સમય જતાં સ્કૂલનાં પ્રિન્સીપાલ તરીકે સેવાઓ આપી. કડક શિસ્તનાં તેઓ આગ્રહી. જરા પણ કચાસ કોઈની પણ ચલાવી લે તો એ ઈન્દુમતીબેન નહિ ! મોટા મોટા ચમરબંદી પણ ઈન્દુમતીબેન સામે રજૂઆત કરવા જતાં એક લાખ વાર વિચાર કરે.  તેમની વાણીમાં સત્યનો રણકો અને વેધક નજર સામે ટકી રહેવું ભલભલા માટે કઠીન બની જતું. કોઈને તાબે થઇને રહેવાનો ઈન્દુમતીબેનનો સ્વભાવ જ નહિ. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના સત્ય રોકડું પરખાવી દે.  

ઈન્દુમતીબેનની બંને બહેનો  હંસાબેન અને પ્રફુલ્લાબેન અમેરિકા સ્થાઈ થયાં. અને તેમનો ભાઈ ઓછી ઉંમરે અંનત યાત્રાએ ચાલી નીકળ્યા. સંસારની માયાજાળમાં બંધાવા કરતાં મુક્ત રહી જરૂરીયાતમંદો, ગરીબો, વંચિતોની સેવામાં જીવન સમર્પિત કરી દેવાનું તેમને ઉચિત લાગ્યું અને એટલે જ કદાચ તેઓ આજીવન અપરણિત રહ્યાં.

પિતા નગીનદાસ અને કાકા લક્ષ્મીદાસનો તમામ વારસાનાં ઈન્દુમતીબેન એકમાત્ર વારસ રહ્યાં હતાં. પ્રભુકૃપાથી અસીમ ઐશ્વર્ય પ્રાપ્ત થયું હતું. એમ છતાં પોતે સાદગી ભર્યું કરકસરયુક્ત જીવન જીવી તમામ ધન સંપત્તિ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ એમ લોક કલ્યાણ માર્ગે ખર્ચવાનો નિર્ધાર કર્યો.

પોતાનાં માતૃનાં નામે શ્રી જયાલક્ષ્મી નગીનદાસ સ્મૃતિ ટ્રસ્ટ અને દાદીમાનાં નામે માતૃશ્રી મોંઘીબા ધર્માદા ફંડ જેવાં ટ્રસ્ટોની રચના કરી બાલમંદિરથી માંડી કોલેજ નિર્માણ માટે ઉદાર હાથે સખાવત કરી. અમરેલીમાં મહિલા ઉચ્ચ શિક્ષણ માટે માતબર દાન આપી ‘માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ’ને ધમધમતી કરી. વાંસદા તાલુકાના થવા ગામે ગૌશાળા માટે પણ દાનની સરવાણી વહાવી.

અહીં ક્લિક કરી બ્લોગ લેખન પ્રવૃત્તિને આપ સહયોગ આપી શકો છો.

ઈન્દુમતીબેનનાં માતા-પિતા તો ક્યારનાં પ્રભુ શરણ થયાં હતાં. હવે વર્ષ ૨૦૦૪માં કાકા લક્ષ્મીદાસજીનું નિર્વાણ થતાં તેઓ સાવ એકલાં અટૂલાં થઈ ગયાં. તેમના પર કેટલીક શસ્ત્રક્રિયાઓ પણ થઇ. તેઓ એક જ કીડની પર જીવન જીવી રહ્યાં હતા. એક સમયે પેરાલીસી પણ થયો. શારીરિક પારાવાર વિડંબનાઓ વચ્ચે પણ મજબૂત મનોબળના સહારે ઝઝૂમતાં રહ્યાં. જીવનની નાજુક પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના સેવાકાર્યમાં ક્યારેય ઓટ આવવા દીધી નહિ. ઉલટાનું  અંતરિયાળ વિસ્તારના વનવાસી બંધુઓ માટે કાઈક કરી છૂટવાના નિર્ધાર સાથી મક્કમતાથી ડગ માંડ્યા. એવા સમયે સાબરકાંઠાના તત્કાલીન કલેકટર બી.એચ. ઘોડાસરા સાહેબનો સંપર્ક થયો. અને ઘોડાસરા સાહેબ ઇન્દુમતિબેનને પોશીના અને મેઘરજ પંથકમાં દોરી લાવ્યા.

        પોશીના અને મેઘરજ પંથકનાં ગામડાં પગે ચાલી ખૂંદી વળ્યા પછી ગરીબીમાં સબડતી માનવજાતિનાં દયનીય દૃશ્ય જોઈ,  ઇન્દુમતિબહેનની આંખમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યની પ્રાથમિક સવલતો ઊભી કરવા કૃતનીશ્ચયી બન્યાં. એ પછી મેઘરજ તાલુકાના કસાણા ગામે આદિજાતિની કન્યાઓના શિક્ષણની ચિંતા કરી શબરી કન્યા વિદ્યાલય માટે મોટું દાન આપી છાતાલય બાંધી આપ્યું. એ સમયે ગુજરાત વિદ્યુત બોર્ડમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સેવાવ્રતી દીપકભાઈ રામદેવપુત્રમ સાથે તેમનો પરિચય થયો. એ પછી તો સાબરકાંઠા – અરવલ્લીના અંતરિયાળ ગામડાઓમાં  કેટકેટલું કામ ઈન્દુમતીબેનની ઉદાર સખાવતથી થયું છે. કેટકેટલી જર્જરિત શાળાઓ રીપેર કરાવી આપી તો કેટલીય વર્ગખંડ વિહોણી શાળાઓને નવીન વર્ગખંડો બનાવી આપ્યા. અંતરિયાળ વિસ્તારનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરીને કેટલીય શાળાઓમાં  કોમ્પ્યુટર લઇ આપ્યા તો અનેક શાળાઓમાં  શાળાઓને સાયન્સ લેબ બનાવી આપી. ઇન્દુમતિબેને આપેલા દાનની યાદી કરવા બેસીએ તો તેનું પણ એક દળદાર પુસ્તક બની શકે એમ છે.

       શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રે તેમણે આપેલા માતબર આર્થિક યોગદાનથી અરવલ્લી પંથકની સાર્વજનિક હોસ્પિટલોમાં નૂતન પ્રાણ ફૂંકાયો છે. મરણ પથારીએ પડેલી કેટલીય હોસ્પિટલો ઇન્દુમતિબેનની સખાવતથી પુનર્જીવિત બની હાલ ધબકી રહી છે.  મોડાસા  સાર્વજનિક હોસ્પિટલ એક સમયે ડૉ. દવે સાહેબના નામથી ઓળખાતી. એ સમયે મોડાસા સાર્વાનીક હોસ્પિટલમાં કેન્સર વોર્ડના નિર્માણ માટે ઈન્દુમતીબેને ખૂબ મોટું દાન આપ્યું  હતું.

       ઈન્દુમતીબેન સેવાભાવી સંસ્થાઓને દાન આપતાં હોવાથી બીજી સંસ્થાઓ પણ તેમણે પત્ર લખી દાન માટે અરજી મોકલતી, આવો એક પત્ર ઈન્દુમતીબેનને પ્રાપ્ત થયો. એ પત્ર હતો શ્રી કે. કે. શાહ આરોગ્ય મંડળ સંચાલિત ફતેસિંહ રાવ ગાયકવાડ હોસ્પિટલ વાત્રકનો ! માત્ર પત્ર વાંચીને દાન આપી દે એ ઈન્દુમતીબેનના સ્વભાવમાં નહોતું. જાત તપાસ કરે. સંસ્થા વિષે પૂરી જાણકારી મેળવે. અને જો તેમને વિશ્વાસ બેસે તો સંસ્થાને ન્યાલ કરી દેતાં. વાત્તેરક હોસ્પિટલ માટે દાનની અરજી મળતાં તેઓ  વાત્રક હોસ્પિટલની મુલાકાતે આવ્યાં. હોસ્પિટલનું વિશાળ પરિસર જોતાં જ મનમાં વસી ગઈ. એ વખતે એટલી અદ્યતન સુવિધાઓ કે બીજી સવલતો પણ નહી. પણ આ હોસ્પિટલ સાથે હૃદયથી નાતો બંધાયો. અને આ નાતો દાયકાઓ સુધી અકબંધ રહ્યો. વાત્રક હોસ્પિટલને મૃત્યુ શૈયા પરથી બેઠી કરવા માટે જ્યાં જ્યાં આર્થીક સહયોગની જરૂર પડી ત્યાં ઈન્દુમતીબેને પોતાની તિજોરી ખૂલી મૂકી દીધી હતી. વાત્રક જાણે એમને પોતીકું લાગતું હતું. વાત્રક આવી તેમને રોકાવું ગમતું. વાત્રક હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીએ ઈન્દુમતીબેન માટે રોકવાની અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરી હતી. વાત્રક હોસ્પીટલમાં વોર્ડ માટે, સભાખંડ નિર્માણ, નર્સિંગ કોલેજ માટે એમ જ્યાં જરૂર જણાઈ ત્યાં દાનની અવિરત ધારા વહેતી મૂકી. વાત્રક હોસ્પિટલમાં તેમને આપેલા આર્થિક સહયોગનો આંકડો આશરે અઢી કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.  

ઈન્દુમતીબેન સમાજ માટે  સર્વસ્વ ન્યોછાવર કરી હળવા ફૂલ બની જવા માંગતાં હતાં. એટલે તેમણે ઘર – જમીન  એમ તમામ સંપત્તિ વેચી તેની પાઈ પાઈ સેવા કર્યોમાં ખર્ચી નાખી. અમરેલીમાં આવેલી સત્તર ઓરડા વાળી ભવ્ય હવેલી પણ કોઈ સેવાભાવી સંસ્થાને ટોકન રકમથી જ આપી દીધી.  તેઓ પોતાની જાત માટે એક રૂપિયો વાપરતાં એક લાખ વાર વિચાર કરે. પણ કોઈ પાત્રતા ધરાવતી  શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયા આપવાના હોય તો એક ક્ષણનો પણ વિલંબ ન કરે. આટઆટલું દાન આપવા છતાં તેમના સ્વભાવમાં ક્યાંય ઘમંડ જોવા ન મળે. તેમના પગ હમેશા ધરતી સાથે જોડેલા રાખ્યા.

       ત્રાણું વર્ષે તબિયત થોડી નાદુરસ્ત રહેતી હતી. અને વાત્રકની યાદ પણ કોરી ખાતી હતી. એટલે અમરેલીથી વાત્રક આવ્યાં. વાત્રક આવ્યાં કે જાણે પોતાના ઘેર આવ્યાં ! અહીં જાણે એમણે નિરાંત અનુભવાતી હતી. કેરલાનાં કુટ્ટીબેન ચોવીસ કલાક તેમની સેવામાં ખડેપગે તૈયાર રહેતાં. એક દીકરી પોતાની માતાની સેવા સુશ્રુષા કરે એટલા જ ભાવથી કુટ્ટીબેન ઈન્દુમતીબેનની કાળજી લેતાં. સાથે સાથે હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ અને મેનેજમેન્ટ સ્ટાફ પણ તેમની આત્મીયજન તરીકે સારસંભાળ રાખતાં. શારીરિક નબળાઈ હોવા છતાં ઈન્દુમતીબેનના ચહેરા આત્મસંતોષ છલકાતો હતો. કદાચ મૃત્યુનો અગમ અણસાર તેમણે આવી ગયો હતો. છેલ્લી ઘડીએ વાત્રક હોસ્પિટલના સેક્રેટરી વિરમભાઇ મળવા ગયા તો હાથ પકડી બેસાડી રાખ્યા. અને આખરે અંત ઘડી આવી પહોંચી. ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ વાત્રક ખાતે અંતિમ શ્વાસ લઈ ઈન્દુમતીબેન પ્રભુશરણમાં લીન થઈ  ગયાં.

       વાત્રક હોસ્પિટલનો સ્ટાફ જ એમનો પરિવાર હતો. એટલે તેમના હસ્તે જ  વાત્રક નદીને કાંઠે તેમના પાર્થિવ દેહને અગ્નિ દાહ આપવામાં આવ્યો.

અમેરિકા રહેતા શ્રી કે. કે. શાહ સાહેબના સુપુત્ર પ્રકાશભાઈ શાહ સાહેબે ઈન્દુમતીબહેનના નિર્વાણના સમાચાર જાણી ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી. પ્રકાશભાઈ શાહ સાહેબ ઈન્દુમતીબેન સાથે પારિવારિક આત્મીયતાથી જોડાયેલા હતા. એટલે જ ઈન્દુમતીબેનના પુણ્યાત્માને શાંતિ મળે એ માટે સિદ્ધપુર તર્પણ વિધિની તમામ વ્યવસ્થા પણ પ્રકાશભાઈ સાહબે ગોઠવી આપી. દીપકભાઈ રામદેવ પુત્રમ, વિરમભાઇ ભરવાડ અને પંકજભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ સિદ્ધપુર જઈ શાસ્ત્રોક્ત વિધિથી ઈન્દુમતીબેનનું તર્પણ કર્યું..! વાત્રક હોસ્પિટલનાં ચેરમેન સુજાતાબેને પણ હૃદયપુર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વાત્રક હોસ્પિટલના આંગણે ઇન્દુમતિબેનની શોકસભાનું આયોજન થયું. ગુજરાતભરમાંથી લાગણીભીના શોકસંદેશા પ્રાપ્ત થયા.

પુણ્યાત્મા ઈન્દુમતીબેને મૃત્યુ પહેલાં વીલ બનાવી રાખ્યું હતું. તેમના મૃત્યુબાદ તેમની તમામ સંપત્તિ - માલ મિલકત  શિક્ષણ - આરોગ્ય અને જરૂરિયાતમંદોની સેવામાં વપરાય તેવી ગોઠવણ કરી દીધી હતી. આ જવાબદારી તેમણે વાત્રક હોસ્પિટલના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી આદરણીય પી. કે. લહેરી સાહેબને ખભે મૂકી ગયાં.  એક ઋષિકન્યાને છાજે એવું વિરલ જીવન ઈન્દુમતીબેન જીવી ગયાં. ભલે સદેહે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે કરેલા કાર્યોની સુવાસ વર્ષોનાં વર્ષ સુધી સમાજમાં પ્રસરતી જ રહશે.    

  ક્યાં અમરેલી ?? ક્યાં મદ્રાસ ?? ક્યાં મુંબઈ? ક્યાં અરવલ્લીનો વાત્રકનો કાંઠો ? નિયતિ કોણે ક્યાં લઈ જાય છે? પ્રભુની લીલા સાચે જ અકળ છે.

પ્રભુ ઈન્દુમતીબેનના  દિવ્ય આત્માને ચીર શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના !

ઈન્દુમતીબેનને શ્રદ્ધાંજલિ અર્પતા મહાનુભાવો શું કહે છે? વાંચવા અહીં ક્લિક કરો.

(માહિતી સહયોગ : દીપકભાઈ રામદેવપુત્રમ, કિશોરભાઈ મહેતા, વિરમભાઇ ભરવાડ )

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620    

Sunday, November 30, 2025

સન્ડે સ્પેશિયલ

 || सर्वस्य चाहं हृदि सन्निविष्टो || 


 સમય આશરે 5000 વર્ષ પહેલાનો.
 સ્થળ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનું રણમેદાન.

  માગશર સુદ એકદશીનો દિવસ.

        દુર્યોધનની સેના વતી ભીષ્મ પિતામહે શંખ ફૂંકી યુદ્ધનો આગાઝ કરી દીધો છે. શ્રીકૃષ્ણે  પંચજન્ય અને વીર ક્ષત્રિય યોધ્ધા અર્જુને દેવદત્ત નામનો શંખ ફૂંકી યુદ્ધ માટે તૈયાર છે. જેની સામે યુદ્ધ લડવાનું છે એમને નિહાળવાની જિજ્ઞાસાવશ બે શક્તિશાળી સેનાની મધ્યમાં કપિદ્વજ રથ ઉભો છે. રથમાં સવાર છે જિજ્ઞાસુ અર્જુન અને તેના સારથી છે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ.

યુદ્ધ મેદાનમાં સામા પક્ષે પિતામહો, પિતારાઈઓ, ગુરુઓ, સાસરાઓ જેવા સ્વજનો જોઈ અર્જુનને સંશય થાય છે, અર્જુન કીંકર્તવ્યમૂઢ બને છે, નિરાશ થાય છે, વિષાદ થાય છે.. કે આ સ્વજનોને હણીને પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું આધિપત્ય મળે તો પણ શા કામનું !! અને અર્જુન પોતાનું પ્રિય એવું ગાંડીવ બાજુ પર મૂકી હતોત્સહી થઈ રથમાં બેસી જાય છે. અને યુદ્ધ ન કરવાનો નીર્ધાર કરે છે ત્યારે અર્જુનના આ વિષાદને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે જે અતિ ઉગ્ર એવું જ્ઞાન અર્જુનને આપ્યું તે જ્ઞાન એટલે જ શ્રીમદ્દ ભગવદ્ ગીતા!!!

   અર્જુનનો વિષાદ યોગ ગીતાજ્ઞાન માટે નિમિત્ત બન્યો. પરંતુ વાસ્તવમાં સંસારનો દરેક માનવી જ્યારે જ્યારે સંશય અનુભવે છે, હતાશાથી ઘેરાઈ જાય છે, જ્યારે કંઈ જ માર્ગ સૂઝતો નથી, મનુષ્ય હારીને બેસી જાય છે ત્યારે મનુષ્યનું મન કુરુક્ષેત્રનું રણમેદાન બને છે. અને દ્વંદ્વ રચાય છે ત્યારે ગીતા રૂપે ભગવાન આશ્વાસન આપે છે કે ક્ષુદ્રમ હૃદય દૌરબલ્યમ ત્યકત્વોતિષ્ઠ પરન્તપ (અધ્યા.2/3) અર્થાત હૃદયની આવી દુર્બળતાનો ત્યાગ કર અને ઉભો થા.

        ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે "ગીતા મારુ હ્યુદય છે, ગીતા મારો ઉત્તમ સાર છે, ગીતા મારુ અતિ ઉગ્ર જ્ઞાન છે, ગીતા મારુ અવિનાશી જ્ઞાન છે, ગીતા મારૂ શ્રેષ્ઠ નિવાસસ્થાન છે. ગીતા મારુ પરમ રહસ્ય છે. ગીતા મારો પરમ ગુરુ છે"

        ગીતામાં કોઈ જગ્યાએ એવું નથી કહેવામાં આવ્યું કે "શ્રીકૃષ્ણ ઉવાચ" પરંતુ એમ કહેવાયું છે કે "ભગવાન ઉવાચ" એટલે ગીતા એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ માંથી નિતરેલું નર્યું માધુર્ય.

        ગીતા કોઈ એક ધર્મ માટેનો ગ્રંથ ન બની રહેતાં વિશ્વધર્મ ગ્રંથ બન્યો છે. માટે જ વિશ્વની અનેકવિધ ભાષાઓમાં ગીતાજીનું ભાષાંતર થયું છે. સ્વાધ્યાયના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ_શાસ્ત્રીજી એ તો એમ કહ્યું છે "Gita is not the Bible of Hinduism but it is the Bible of humanity"

    મહાત્મા થોરો કહે છે "ગીતામાં એટલું તો ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનારને અગણિત વર્ષો થઈ ગયાં હોવા છતાં એવો બીજો એક પણ ગ્રંથ હજુ લખાયો નથી. ગીતાજીની સાથે સરખાવતાં આ જગતનું હાલનું જ્ઞાન મને તુચ્છ લાગે છે" તો મહાત્મા ગાંધીએ હરિજબંધુ માં નોંધ્યું છે કે " મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લવ છું. એને સદાય મને પથદર્શન કર્યું છે. ગીતમાતાના ખોળામાં જે માથું રાખે છે એ કદાપિ નિરાશ થતો નથી. ગીતા એના ભક્તોને ક્ષણે ક્ષણે નવું જ્ઞાન, આશા, અને શક્તિ આપે છે. રોજ સવારે ગીતા તમે વાંચી જુઓ અને  એનો ચમત્કાર પોતે અનુભવશો"

ભગવદ્દ ગીતા ભારત વર્ષના આધ્યાત્મિક ખજાનાના સૌથી મૂલ્યવાન રત્ન તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ત્યારે તત્વજ્ઞાનથી ભરપૂર આ ગ્રંથને માત્ર ચંદનના લેપ લગાવી મૂકી રાખવા માટે કે ઘરની શોભા વધારવા માટે મૂકી ન રાખતાં ગીતાજીનું સાચું પૂજન એનું વાંચન અને એનું આચરણ છે. ગીતા જયંતિના  પાવન દિને શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશના આપણે વાહક બની ગીતાજીને ઘર-ઘર અને જન-જન સુધી પહોંચડીએ. પ્રભુના દૂત બનવાનું ગૌરવ લઈએ. સંકૃત અને સંસ્કૃતિથી વિમુખ થતાં જતાં સમાજને વિશ્વધર્મ ગ્રંથ ભેટ ધરીએ.

    જો અર્જુન આપણો આદર્શ બને તો શ્રી કૃષ્ણ સ્વયં આપણા જીવન રથના સારથી બનવાનું જરૂર પસંદ કરે.

 यत्र योगेश्वर: श्रीकृष्ण: यत्र पार्थो धनुर्धर:।

तत्र श्रीर्विजयो भूतिध्रुवा नीतिर्मतिर्मम।

  આવતી કાલે માગશર સુદ એકાદશી એટલે કે ગીતજ્યંતિ છે. આપ સર્વેને ગીતા જયંતિની હાર્દિક શુભકામનાઓ.

        જય શ્રી કૃષ્ણ !

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620


Saturday, November 29, 2025

પ્રેરણા પરબ

 "સ્વયંશિસ્ત એ સફળતા માટેની પહેલી શરત છે." : આ શબ્દો  છે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના !

સંદેશ લાઈબ્રેરી, શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકરૂંદ આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પ્રેરણા પરબ વ્યાખ્યાન માળામાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા.. તેમના  કુશળ નેતૃત્વમાં અરવલ્લી જિલ્લા પોલીસે ગણતરીના મહિનાઓમાં ઐતિહાસિક કામગીરી કરી એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખૂબ ઓછા સમયગાળામાં તેમણે કરેલા કાર્યોની  સુવાસ ચોમેર પ્રસરી રહી છે.
જિલ્લાનો છેવાડાનો માનવી પોતાની રજૂઆત કરવા કોઈપણ જાતની લાગવગ વિના સહજતાથી જિલ્લા પોલીસ વડાને મળી શકે તેવું  સૌહાર્દ પૂર્ણ વાતાવરણ નિર્માણ કર્યું છે. સાથે સાથે  જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે તેઓ સતત એક્શન મોડમાં રહે છે. ગુનાહિત બદીઓને ડામવા તેમણે કઠોર કદમ ઉઠાવી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો છે.

શિક્ષણહિત તેમના હૈયે વસેલું છે.  અત્યંત વ્યસ્તતા  વચ્ચે પણ  આજ રોજ આકરુંદ સંદેશ લાઈબ્રેરી ખાતે તેઓશ્રીએ   વિદ્યાર્થીઓ સાથે ખૂબ સુંદર સંવાદ રચ્યો. એક તરફી પ્રવચન આપવાના બદલે બાળકો મોકળાશથી પ્રશ્નો પૂછે અને એ પ્રશ્નો આધારે દ્વિપક્ષીય સંવાદનો જાડેજા  સાહેબે સફળ નવતર પ્રયોગ કર્યો

વિદ્યાર્થીઓ  સાથે સંવાદ  કરતાં જરા પણ પદનો ભાર નહિ..  શાળાનાં બાળકો જેવી જ સાવ હળવી શૈલીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના મુક્તમને ઉત્તર આપ્યા. વિદ્યાર્થીઓએ જીજ્ઞાશા વશ પૂછેલા પ્રશ્નોના ખૂબ સચોટ અને ઉંડાપૂર્વક ઉત્તરો આપ્યા.

સફળતાના શિખરો સર કર્યા પછી પણ વિનમ્રતા જાળવી રાખવાનું કામ ઘણું કપરું છે. પરંતું જાડેજા સાહેબે  સાચા અર્થમાં સફળતા પચાવી છે.

અંતરીયાળ વિસ્તારનાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી ઘડતર માર્ગદર્શન માટે  જિલ્લા પોલીસ વડા વ્યસ્તતા વચ્ચે કિંમતી સમય ફાળવે અને આ રીતે હ્રુદય  સોંસરવું ઉતરી જાય એવી સરળ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડે એ જ બતાવે છે કે જિલ્લાની આવતી કાલ ઘણી ઉજ્જવળ છે.

સાહેબે તેમના બાળપણ, અભ્યાસ, અંગત જીવન અને વ્યવસાયિક અનુભવો દિલ ખોલીને  બાળકો સાથે વહેંચ્યા. સાહેબ કહ્યું "લક્ષ્ય પ્રાપ્ત કરવાની  ધૂન લાગે તો જ સફળતા સાંપડે છે. સ્વયંશિસ્ત વગર જીવનના કોઈ ક્ષેત્રમાં સફળ થઈ શકાતું નથી."

સાંપ્રત સમયમાં સાયબર ક્રાઇમના વધી રહેલા કિસ્સાઓ સંદર્ભે પણ સાહેબે વિદ્યાર્થીઓને ગર્ભિત  અંગુલીનિર્દેશ કર્યો.  બાળવયે  મોબાઈલના વધુ પડતા બિન જરૂરી  ઉપયોગ ટાળવાની પણ મીઠી ટકોર પણ કરી.

માન. જાડેજા સાહેબે જે પણ વાત કરી એ દિલથી કરી..  તેમનો આ સંવાદ  વિધાર્થીઓના કારકિર્દી નિર્માણ અને જીવન પરિવર્તન માટે ચોક્કસ  નિમિત્ત  બનશે.

સંદેશ લાઇબ્રેરીની કામગીરી જોઈ તેઓએ પ્રસન્નતાના વ્યક્ત કરી.

અત્યંત વ્યસ્ત શિડ્યુલમાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સમય ફાળવવા બદલ માનનીય મનોહરસિંહ જાડેજા સાહેબનો હ્રુદય પૂર્વક આભાર પ્રગટ કરીએ છીએ.

- ઈશ્વર પ્રજાપતિ.
9825142620


Sunday, November 23, 2025

સન્ડે સ્પેશિયલ

 

જ્યારે  સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાનનો  સંપર્ક તુટ્યો અને દેશની જનતાના જીવ પડીકે બંધાયા..! 

નદીના ભાઠામાં વિમાનને સહીસલામત ઉતાર્યું.
 

        તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલા એઈર શો દરમિયાન તેજસ જેટ ક્રેશ થયું. અને એક હોનહાર પાયલટ ગુમાવવાનું દુઃખ સૌ કોઈએ અનુભવ્યું. વિમાન દુર્ઘટનાનો એક લાંબો કાળો ઈતિહાસ છે.  અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતે આખા વિશ્વને સ્તબ્ધ કરી દીધું. પથ્થર હૃદય વ્યક્તિનું પણ હૃદય દ્રવી ઊઠે એવા કમકમાટી ભર્યા દૃશ્યો આખા વિશ્વએ ટેલીવિઝન સ્ક્રીન પર નિહાળ્યા. આ અગાઉ પણ  દેશ અને દુનિયાના પ્રખર રાજપુરુષો, સેલીબ્રીટીઝ અને મહાનુભાવોએ વિમાન દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે.  વિમાની અકસ્માતોમાં ભારતે પણ કેટલાક રત્નો ગુમાવવા પડ્યા છે. જ્યારે બીજી બાજુ ભયકંર વિમાની દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયાના દાખલા પણ મોજુદ છે. 
    હવાઈ માર્ગે  દિલ્હીથી જયપુર જતા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈનું વિમાન જ્યારે ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતા જ આખા દેશની જનતાના જીવ પડીકે બંધાયા હતા. પરતું સદનસીબે  તેમનો આબાદ બચાવ થયો અને દેશે રાહતનો શ્વાસ લીધો. રાજમોહન ગાંધી લિખિત સરદાર પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાં  આલેખાયેલ પ્રસંગ અહી પ્રસ્તુત છે.
         "વલ્લભભાઈને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાન જોડેનો સંપર્ક થઈ શકતો નથી "
      તેવું આકાશવાણી પરથી 1949 માર્ચની ર૯ મી તારીખે જાહેર કરવામાં આવ્યુંત્યારે આખા દેશમાં ચિંતા અને ભયની લહેર ફેલાઈ ગઈકારણ કે લોકો તેમને પોતાના રક્ષણહાર માનતા થયા હતા. લોકોને વલ્લભભાઈ માટે ચિંતા હતી અને પોતાના માટે ડર હતો. ડવ જાતના બે એન્જિનવાળા વિમાનમાં મણિબહેનજોધપુરના મહારાજા અને શંકરને સાથે લઈને વલ્લભભાઈ પાલમ હવાઈ અડ્ડા પરથી સાંજે ૫.૩૨ વાગ્યે ઊપડ્યા હતા. જયપુર માત્ર ૧૫૮ માઈલ દૂર હતું અને કલાકમાં પહોંચી જવાય તેમ હતું. આ નાનકડુ વિમાન જરૂરી ઝડપે ઊડ્યું નહીં અથવા ઊંચે ચડ્યું નહીંપણ તેના પાઇલટ ભીમરાવને કશી ચિંતા થઈ ન હતી. વલ્લભભાઈની હૃદયની બીમારીના કારણે તેમને ૩,૦૦૦ ફૂટથી વધારે ઊંચાઈએ લઈ જવાના નથી તેવી સૂચના તેને આપવામાં આવી હતી. અડધા કલાક પછી વિમાનચાલકનું લાઇસન્સ ધરાવનાર મહારાજાએ વલ્લભભાઈને જણાવ્યું કે એક એન્જિન અટકી પડ્યું છે. રેડિયો સંપર્ક તૂટી ગયો અને વિમાન નીચે ઊતરવા લાગ્યું. જે વિસ્તારમાં ઉતરાણ થઈ રહ્યું હતું તે ડુંગરાળ વિસ્તાર હતો. મણિબહેનની છાતીના થડકારા વધી ગયાકારણ કે મોત નજીક આવી ગયાનું તેમને લાગ્યું.
          વલ્લભભાઈના મનમાં શું થયું તેની ખબર નથી. પણ વલ્લભભાઈ "શાંત અને અવિચલિત" બેસી રહ્યા. અને તેમણે પાછળથી કહ્યું કે પોતે તો "એક મનોરંજન કાર્યક્રમ જોયો'' પણ સંભવ છે કે વિમાની અકસ્માતમાં અવસાન થવાની સંભાવના તેમના મનમાં હોય. જયપુર ત્રીસ માઈલ દૂર હતું ત્યારે પાઇલટે વિમાન નીચે ઉતારી લેવાનો નિર્ણય કર્યો. મુસાફરોને જણાવવામાં આવ્યું કે વિમાનમાં દાખલ થવાનો જે દરવાજો છેતે કદાચ સજ્જડ બંધ થઈ જશે અને તેથી તેમણે છાપરામાં આવેલા કટોકટી માટેના દરવાજામાં થઈને જેમ બને તેમ જલદી નીકળી જવું પડશે. કારણ કે પેટ્રોલની ટાંકી કદાચ સળગી ઊઠે. કટોકટીનો દરવાજો બહુ પહોળો ન હતોપણ મહારાજાનું કદ ખાસ્સું મોટું હતું. "મહારાજા દરવાજામાં ફસાઈ પડે તો પછી બીજા નીકળી નહીં શકે તેથી મહારાજાએ સૌથી છેલ્લા બહાર નીકળવું" તેવું શંકરે કહ્યું ત્યારે વલ્લભભાઈ ખડખડાટ હસી પડ્યા. પાઇલટે બધાંને તેમના કમરપટ્ટા કસોકસ બાંધી લેવાની સૂચના આપી. પાંચ મિનિટ પછી તેણે એક નદીના ભાઠામાં વિમાનને સહીસલામત ઉતાર્યું. આગ લાગી નહીં અને દરવાજો પણ સજ્જડ બંધ થયો ન હોવાથી ઉપરનો દરવાજો વાપરવાની જરૂર પડી નહીં.
           એક ભરવાડ વિમાન પાસે આવ્યો. પૂછપરછથી જાણી શકાયું કે તેઓ શાહપુર નામના ગામડાની બાજુમાં ઊતર્યા છે. ભરવાડ જઈને બીજા લોકોને  બોલાવી લાવ્યો. વધારે લોકો આવ્યા. ખાટલા ઢળાયાદૂધ અને મીઠાઈ પણ આવ્યાં. બે કુસ્તીબાજોએ પોતાની મલ્લવિદ્યા દેખાડી. મહારાજા અને રેડિયો અધિકારી સૌથી નજીકના ધોરી રસ્તાની શોધમાં ઉપડ્યા. કે જેથી વલ્લભભાઈ સલામત હોવાની ખબર પહોંચાડી શકાય અને કોઈ વાહનની વ્યવસ્થા કરી શકાય. તેમણે કેટલાક ગામલોકોને ખબર આપીપણ વાહન તો કંઈ દેખાયું નહી. છેવટે એક ગાડી મળી પણ તેનો ઘોડો તદ્દન મડદાલ અને અડિયલ હતો. રાત પડી ગઇ હોવાથી તાપણાં સળગાવવામાં આવ્યાં. બે કલાક પછી વલ્લભભાઇ અને તેમના સાથીદારો ખેડાયેલા ખેતરોમાં અડધો કલાક ચાલીને રસ્તાની બાજુએ આવેલા ખુલ્લા ઉજ્જડ ચોગાનમાં પહોંચ્યા. આ સ્થળે ગામલોકો સિવાય પહેલા પહોંચેલા અધિકારી લાલ હતા. લાલ આ વિસ્તારના હતા અને વલ્લભભાઈને લઈને જતા વિમાને શાહપુર નજીક ઉતરાણ કર્યું છે તેવી ખબર તેમને મળી ગઈ હતી. લાલ પોતાની મોટર લાવ્યા હતા અને વલ્લભભાઈની મુલાકાતનો હેવાલ લેવા માટે જયપુર જઈ રહેલ આકાશવાણીનું વાહન પણ કબજે કરીને સાથે લેતા આવ્યા હતા.
        લાલે નોંધ્યું છે : વિમાનમાંથી કાઢી લીધેલી ખુરશીમાં વલ્લભભાઈ બેઠા હતા. આ ધાંધલથી જરા પણ ગભરાયા ન હતા. પણ થોડા કંટાળી ગયા હતા. મને જોઈને જરા સ્મિત કર્યું. પણ અકસ્માતની કશી ચર્ચા કરવામાં કશો રસ તેમણે દેખાડ્યો નહીં. કોણ દોષી હતું તેમાં શંકા ન હતી . પોતે વેઠવી પડેલી અગવડ કે તકલીફનો તેમણે વિચાર સરખો કર્યો નહીં. વલ્લભભાઈ તો જયપુરના વિચારમાં ગરકાવ હતા . મેં તેમને ગાડીમાં બેસવા વિનંતી કરી ત્યારે તેમણે તરત જ પૂછ્યું : તમારું શું તમારી સાથે છે તે લોકોનું શું ગોઠવશો અને મારી સાથે હતા તે બધા ખાસ કરીને મહારાજા માટે શી ગોઠવણ છે?
        વલ્લભભાઈ અને તેમના સાથીઓ જયપુર પહોંચ્યા ત્યારે રાત્રે ૧૧.૦૦ વાગ્યા હતા. ભારતના તમામ લોકોની માફક તેમના યજમાનો પણ વલ્લભભાઈનું વિમાન તૂટી પડ્યાનું ધારી લઇને શોકમગ્ન હતા. તે બધા હવે ચિંતામુક્ત થયા. સરદારની આગળ જયપુર જવા ઊડી ગયેલા મેનનને જવાહરલાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પાછા દિલ્હી બોલાવી લીધા હતા. નેહરુ અકળામણમાં આંટા મારી રહ્યા હતાત્યારે રાત્રે ૧૧ વાગ્યે જયપુરથી ટેલિફોન આવ્યો. શંકરે વડા પ્રધાનને બધાં સહીસલામત હોવાની ખબર આપી. પછી વલ્લભભાઈએ જવાહરલાલ જોડે જે બન્યું તેની મજાકમશ્કરી કરી. બીજા દિવસે સવારે મેનન પાછા જયપુર પહોંચ્યા અને સરદારને મળ્યા ત્યારે સરકારે મજાકમાં પૂછ્યું, 'દિલ્હી પાછા કેમ ભાગ્યા તમને ખુબર નથી કે મને કંઈ થવાનું નથી ?  ’આમ કહીને વલ્લભભાઈએ મેનનને બાથમા લીધા . હું આટલો ભાવિવશ કદી બન્યો ન હતો.' ' તેવું મેનને પોતે કહ્યું છે . "માર્ચની ૩૧ મી તારીખે વલ્લભભાઈ દિલ્હી પાછા ફર્યા ત્યારે પાલમ કે મોટું ટોળું જમા થયું હતું. તે દિવસ બપોરે વલ્લભભાઈ સંસદ ભવનમાં દાખલ થયાત્યારે તમામ સભ્યોએ ઊભા થઈને બાંકડા પછાડીને તેમના દીર્ઘાયુષ્ય માટે મોટા અવાજે શુભેચ્છાઓ દર્શાવી. પૂરી ત્રણ મિનિટ સુધી હર્ષનાદો ચાલુ રહ્યા અને હવે બહુ થયું તેવું દર્શાવવા માટે વલ્લભભાઈએ હાથ ઊંચા કર્યા પછી જ અટક્યા.
      વલ્લભભાઈ પણ ગળગળા થઈ ગયા હતા તેમણે ગદગદ સભાને જણાવ્યું : તમારા સૌના પ્રેમ અને આદરનું જે દર્શન મે હમણાં જ જોયું છેતે મારી યાદદાસ્તમાં કાયમ રહેશે. નદીના ભાઠામાં ત્રણચાર કલાક ગાળ્યા ત્યારે પણ હું દેશવાસીઓને ચિંતા કરાવું છું તેવા વિચાર મારા મનમાં ચાલતા હતા.
        અઠવાડિયા પછી સંસદ ભવનના બગીચામાં સાંસદોએ તેમને માટે સંધ્યા - સમારોહ યોજ્યો અને વલ્લભભાઈ જેમાં બેસીને નદીના ભાઠામાં ઊતર્યા હતા તે ડવ જાતના વિમાનની પ્રતિકૃતિ પોતાના વતી વલ્લભભાઈને અર્પણ કરવાની તેમણે નેહરુને વિનંતી કરી. તેમના સ્નેહનું  અને નસીબનો ઉપકાર માનવાનુંઆ પ્રતીક છે તેવું સાંસદોએ જણાવ્યું. વલ્લભભાઈ ફરી વખત દ્રવી ઊઠ્યા પણ આ પ્રતીક પોતે હવાઈ દળને મોકલી આપશે તેવું તેમણે જાહેર કર્યું."
( સંદર્ભ : સરદાર પટેલ એક સમર્પિત જીવન , લે. રાજમોહન ગાંધી)
    
                                                                                          - ઈશ્વર પ્રજાપતિ
9825142620